________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૪૯] હાર્યા નથી. ગમે તે ગેસ થયે હોય, પ્રેશરની વધઘટ હોય, પણ, એ વખતે પણ જે શાસનનું, સંઘનું, પેઢીનું કે તીર્થનું કાંઈ પણ જરૂરી કામ આવી પડે, તો તેઓનું સમગ્ર બુદ્ધિતત્ર એમાં પરોવાઈ જતું. અને એ ટાણે તેઓ એમના અસ્વસ્થ શરીરની જરા પણ દરકાર ન કરતા. એ વખતે જેનારને થતુંમહારાજસાહેબ આવી તબિયત પણ આ શ્રમ કરે છે !
સત્વપૂત ચારિત્રજીવનનો જ આ પ્રભાવ હતો, એમ સ્વીકારવું રહ્યું. દઢ અને સ્થિર મનોબળ જ આનું કારણ ગણવું જોઈએ.
२२
તિથિચર્ચા
મંડાણ અને કલેશવૃદ્ધિ
તિથિચર્ચાને પ્રશ્ન તપાગચ્છ સંઘને માટે કલંકરૂપ નીવડે છે. છેલ્લાં ચાલીશ વર્ષો દરમિયાન આ કલંકે, તપાગચ્છની શાતિમાં, સ્વસ્થતામાં, સમતામાં, એકતામાં અને નૂરમાં સુરંગો ચાંપી છે.
આનાં મંડાણ સં. ૧૯૯૨ના વર્ષમાં થયાં. તે અગાઉ બે વર્ષ પહેલાં થયેલા મુનિસંમેલન વખતે પિતાની અસહિષ્ણુ અને કદાગ્રહી વૃત્તિને લઈને અમુક વર્ગને પિતાના કદાગ્રહની સ્થાપનામાં સાંપડેલી નિષ્ફળતા, કદાચ, આના ઉત્થાન માટે જવાબ દાર હતી.
સં. ૧૯૯૨માં, લૌકિક પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ આવી, ત્યારે સૂરિસમ્રાટ અને પૂ. આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ વગેરે મૂર્ધન્ય આચાર્યોએ આરાધનામાં બે પાંચમને બદલે બે ચોથ કરીને, બીજી ચોથે (લૌકિક પંચાંગની પહેલી પાંચમે) સંવત્સરી મહાપર્વ આરાધવાનો નિર્ણય જાહેર કર્યો. આ નિર્ણય તપાગચ્છ સંઘની શાસ્ત્રશુદ્ધ પ્રણાલિકાને અનુસાર કરાયા હતા.
પણ, “ચાલુ ચીલે તો બધા ચાલે, એમાં શી નવાઈ? ખરી હોંશિયારી તે નવો ચીલો પાડવામાં છે! ”—આ વિચારે એક વર્ગો, આ પ્રણાલિકાથી વિપરીત, લૌકિક પંચાંગની ચોથે સંવત્સરી કરવાનું નક્કી કર્યું અને બે પાંચમ કાયમ રાખી.
આથી સંઘમાં મોટો વિખવાદ જન. આગેવાનોની હરદશી દષ્ટિએ આમાં સંઘ-સંઘર્ષનાં ચિડને જોયાં. એમણે એને અટકાવવા પ્રયાસ આદર્યો. સૂરિસમ્રાટે કહ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org