________________
[૪૮]
આ વિનંદનસૂરિ સ્મારકગ્રંથ શબ્દ પણ ઉચ્ચારે? પણ ડે. અલમૌલાને લાગ્યું કે આ નિર્ણય બરાબર નથી થતો. એમનાથી ન રહેવાયું. એમણે હતી એટલી હિંમત ભેગી કરીને કેન્ફરન્સને પૂછયું : પણ શા માટે ઍપરેશન કરવાનું?—એ તો કહો.” *
જવાબ મળે : “એ તે ઓપરેશન કરતી વખતે, ખેલ્યા પછી, નકકી થશે.”
થયું. ચોક્કસ દર્દ કેઈ ને પારખી શકયું. પરિણામે એમણે ઓપરેશનની સ્પષ્ટ ના ભણું દીધી.
ધીરે ધીરે લે-પ્રેશરને ઊલટી બંધ થઈ ગયાં. નબબાઈ ઓછી થઈ, પણ ગૅસની ફરિયાદ પૂર્વવત્ ચાલુ રહી. હાઈબ્લડપ્રેશર એમાં નવું ભળ્યું.
" સં. ૨૦૧૮માં જમણે પડખે સારણગાંઠનો ઉપદ્રવ થઈ આવ્યો. એના ઓપરેશન માટે મનમાં અનિચ્છા છતાં ડોકટરો ને ભક્ત શ્રાવકની હિંમતથી તૈયાર થયા. ને પાલીતાણાની હોસ્પિટલમાં ડે. મુકુન્દ પરીખે એનું ઓપરેશન કર્યું.
સં. ૨૦૨૮ માં ફરી ડાબે પડખે સારણગાંઠ થઈ. એનું ઓપરેશન અમદાવાદમાં, ઑલિ-ક્લીનીકમાં, ડો. મુકુન્દ પરીખ, ડે. હરિભક્તિ વગેરેએ કર્યું.
આ પછી બ્લડપ્રેશરનો ઉપદ્રવ ખૂબ ઓછો થઈ ગયે. એ સાથે જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ પ્રમાણમાં ગેસનો ઉપદ્રવ પણ ઘટતો ચાલ્ય—અલબત્ત, પહેલાનાં વર્ષોની અપેક્ષાએ.
તબિયતના કારણે તેઓ અતિશય કહી શકાય તેવા નિયમિત રહ્યા. ઘણે ભાગે, એક ટંક ભાત-દાળ કે એવી વસ્તુ લેતા; બાકી ચા ને દૂધ.
છેલ્લે, સં. ૨૦૩૧માં શરદીનો પ્રકોપ એકદમ થઈ આવ્યું. એમનો કોઠો શરદીનો હતો. આહારનું પ્રમાણ અલ્પ હતું. શિયાળાની ઋતુ હતી. શરીર ઘસાતું હતું. એટલે ઠંડીએ વિશેષ અસર કરી, ફેફસામાં કફ ભરાય, સોજો થઈ ગયો, તાવ આવ્યો, ને જોતજોતાંમાં ડબલ ન્યુમોનિયા થઈ ગયે. બે દિવસ તો એવા પસાર થયા કે, સૌને લાગ્યું કે, હવે હાથ ખંખેરી નાખવા પડશે. પણ સંઘનું ભાગ્ય જોરાવર નીકળ્યું. ડો. સુમન શાહ, ડૉ. સી. એફ. શાહ, . છોટુભાઈ, ડૉ. ચંદ્રકાંત વકીલ, ડૉ. કીતિ શાહ વગેરેના ઉપચાર ને દેખરેખના પરિણામે એમાંથી ઊગરી ગયા. સૌએ કહ્યું : ઘાત ગઈ. એમને પણ થયું કે બીજી વાર પુનરવતાર લાઠે !
આ એમના જીવનના નોંધપાત્ર વ્યાધિઓની વિગતો છે. આ સિવાય, નાજુક તબિયતના કારણે, તાવ, શરદી, ઝાડા વગેરેની તકલીફ છે એમને અવારનવાર થયા જ કરતી.
પણ, આવી આવી અસ્વસ્થતાઓમાં પણ એ કદી નાસીપાસ નથી થયા. મનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org