________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૨૯] અને આ બધું ભણવામાં ને ચારિત્રપાલનમાં પણ એ પિતાનું ખરું કર્તવ્ય-ગુરુની ભક્તિ કરવાનું-ક્યારેય ચૂક્યા નહિ. સૂરિસમ્રાટ બોલાવેઃ “નન્દન !” ને તરત જીકા દેતાંકને હાજર! એમની સેવા-ભક્તિ નિયમિત કરવાની જ. રાત્રે પણ એમની પગચંપી કલાકો સુધી કરે, ને એ બરાબર નિદ્રાધીન થાય, ત્યારે ત્યાંથી ઊઠીને પાઠ કરે. - ઝાઝું શું કહેવું ? એમણે એ ઉંમરમાં ને એટલા ટૂંકા ગાળામાં મુનિજીવનમાં જે મહેનત કરી, જે કષ્ટ સહ્યાં, અને જે મેળવ્યું, એની અત્યારના યુગમાં તો માત્ર કલ્પના જ કરવી રહી.
૧૩
ગુરૂકૃપા સં. ૧૯૭૮માં સૂરિસમ્રાટ બીકાનેર ગયા. ત્યાં નન્દનવિજયજીની તબિયત એકાએક બગડી. છાતીમાં દુઃખાવો ઉપડ્યો. સૂરિસમ્રાટ ને બીજા બધા જરાક ચિંતામાં મુકાઈ ગયા. એ વખતે ચાંદમલજી ઠઠ્ઠા જયપુરના રાજવૈદ્ય લક્ષ્મીલાલજીને લઈને આવ્યા. તબિયત તપાસીને કહેઃ “હૃદય (હાર્ટ) બહુ નબળું છે, એટલે હમણાં પથારીવશ રહેવું જોઈશે. પરિશ્રમ મુદલ નહિ કરાય. ને દવામાં હીરા-માણેકની ભસ્મ લેવી પડશે. એ સિવાય તબિયત નહિ સુધરે.”
સૂરિસમ્રાટ ચમક્યા. એમને દરદ કરતાં દવાની બીક વધુ હતી. તેઓ ભસ્મ ને માત્રાઓ લેવાની ખૂબ વિરુદ્ધ હતા. એમણે ઘસીને ના કહીઃ કાષ્ઠૌષધિ આપો તો લેશે, માત્રાઓ નહિ.” પણ “જેમ વૈદ્ય મોટા, એમ દવાય મોટી.” રાજધે પિતાની વાત પકડી રાખી.
સૂરિસમ્રાટે નન્દનવિજયજીને પૂછ્યું : “તારે માત્રા લેવી છે?” એમણે ના પાડતાં કહ્યું: “મારે તે આપ જે આપ તે દવા; બીજુ કાંઈ લેવું નથી.”
પછી સૂરિસમ્રાટે પિતાને ઠીક લાગતા ઉપચાર કરાવ્યા. મહિનોમાસ ત્યાં જ રહ્યા. ધીમે ધીમે તબિયતમાં સુધારો થતો ચાલ્ય.
હજી વિહારની વાર હતી, પણ ત્યાંનું હવામાન બગડતું હોય એવું સૂરિસમ્રાટને લાગ્યું. એટલે એમણે વિહાર કરી દીધો. હજી એમની તબિયત પૂરેપૂરી રાગે નહાતી ચડી, તોય વિહાર કરી શકે એવી તો થઈ હતી, એટલે ત્યાંથી નીકળી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org