________________
આ. વિનદનસૂરિસ્મારકમ‘ધ નીકળ્યા બાદ થોડા જ દિવસે પછી સાંભળ્યુ કે, બીકાનેરમાં પ્લેગ ફાટી નીકળ્યેા છે. વિહારમાં ઢઢ્ઢાજીએ એમની સારવાર માટે એકવાર વૈદ્ય અનેૉક્ટર, અનેને માકલ્યા. એમણે પાતાની દવા લેવા આગ્રહ કર્યાં, પણ સૂરિસમ્રાટ ને નંદનવિજયજી અને મક્કમ હતા. એમણે દવાની ના પાડી. પોતાના રોજિંદા ઉપચારો ચાલુ રાખ્યા. ધીમે ધીમે, દવા, હવા ને સુરિસમ્રાટની સતત કાળજીભરી દેખરેખ, ત્રણેની અસર ખરાખર થતી આવી, ને તબિયત પૂર્વવત્ થઈ ગઈ.
[30]
સ. ૧૯૭૫માં કાપરડા તીર્થની ઉદ્ધાર-પ્રતિષ્ઠા વેળાએ સૂરિસમ્રાટે પ્રાણઘાતક કષ્ટમાંથી પસાર થયા. જાટલાકાએ આ ઉપદ્રવ ઊભા કર્યાં હતા. એ વખતે સૂરિસમ્રાટે બધા સાધુઓને કહ્યું : “ અહીં તે। મૃત્યુની રમત ચાલુ છે, તમને બધાંને મારી છૂટ છે. નીકળી જવું હોય તેા નીકળી જજો. મારી જરા પણ ચિંતા ના કરશો. ”
આના જવાબમાં સાધુઓએ કહેલું : “ સાહેબ ! આ શું એલ્યા ? અમારે તે જ્યાં આપ ત્યાં અમે. જે થવુ હોય તે થાય. આપને છેડીને અમે નહી જઈ એ. ’”
આ બધામાં નન્દનવિજયજી મેાખરે હતા.
ગુરુવિનય, મેધાખળ ને વિવેકશીલતાને લીધે નદવિજયજીએ એટલી બધી પ્રગતિ સાધી હતી કે જેથી એમના ગુરુ ઉદયવિજયજી મહારાજની જેમ એમને પણ સૂરિસમ્રાટના ચરણમાં સ્થાન મળી ગયું.
સરિસમ્રાટ પાસે અનેક ક્ષેત્રાના જુદા જુદા પ્રકારના લોકો આવે, અનેક જાતની વાતે-ચર્ચા કરે. કઇક પ્રશ્નો આવે, એનાં સમાધાન થતાં હોય. આ બધા વખતશરીરની જોડે પડછાયાની જેમ-નન્દનવિજયજી ત્યાં હાજર જ હોય. અને આ મૂગા અનુભવાએ એમના જીવનનું ને માનસનુ દૃઢ ઘડતર કર્યું.
સ’. ૧૯૭૮માં એક ભદ્રપરિણાગી ભાઈ દીક્ષા લેવાની ભાવનાથી આવ્યા. સૂરિસમ્રાટે એમને દીક્ષા આપીને નન્દનવિજયજીના શિષ્ય કર્યા. એમનું નામ મુનિ સામવિજયજી. એ એમના સૌપહેલા શિષ્ય.
પિસ્તાલીશ આગમાના જોગ, એ જૈન મુનિએનુ વિશિષ્ટ તપ અને વિશિષ્ટ ક્રિયા છે. આચાય થતાં પહેલાં મુનિએ એ કરી લેવાં જોઈએ.
સૂરિસમ્રાટની કૃપા ઊતરી ને નન્દનવિજયજીએ ક્રમશઃ જોગ કરવા માંડયા. આમેય મહિનામાં દસ ઉપવાસ ને એવા ખીજા તપની ટેવ તા હતી જ. એટલે આ તપમાં એમને ભારે આનંદ આવવા લાગ્યા. તપ કરે, ક્રિયા કરે, ને સાથે ભણવાનુ પણ ચાલુ જ, સૂરિસમ્રાટના સાંનિધ્યમાં આ બધું એમણે ખૂબ ઉમ′ગભેર કર્યું.
મહાપુરુષોના સાંનિધ્યે શું શું નથી સધાતું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org