________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૩૯] એ દરમિયાન પોતે જે વિચારણાઓ –શાસ્ત્ર અને તત્કાલીન વૈચારિક વાતાવરણને અનુસરીને– કરી, તેમાં એમણે કોઈની સલાહ-સૂચના ન લીધી; ખુદ સૂરિસમ્રાટની પણ નહિ. પોતે જે કાર્યવાહી કરી, તેની વાત પણ ન કરી. અહીં એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે સૂરિસમ્રાટે પણ એમને એ વિષયમાં કશું જ પૂછયું નહિ.
સંપાદન કરેલા વિશ્વાસનું આ જવલંત ઉદાહરણ નથી?
આ ખરડાઓ પર સંમેલને વિચારણાઓ કરી, ને છેવટે, કેટલાક ફેરફારોને બાદ કરતાં, એ ખરડાઓ જ ઠરાવરૂપે પટ્ટકમાં મુકાયા.
એમની શક્તિ અને બુદ્ધિ પર સૂરિસમ્રાટને જ નહિ, અન્ય સમુદાયના વરિષ્ઠ આચાર્યોને પણ વિશ્વાસ હતો. સંમેલને જ્યારે ખરડાઓને આખરી ઓપ આપ્યો, તે વખતે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને એક વિચાર આવ્ય; એમને થયું, કોને આ વાત કરવાથી એનું અસરકારક પરિણામ લાવી શકાય ? એ વિચારતાં એમની નજર આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજી પર પડી.
એમણે તત્કાળ એમને કહ્યું: “નન્દનસૂરિજી! આ દીક્ષાની વયમર્યાદા સોળ વર્ષ છે, તેને બદલે અઢારની રખાય તે સારું.”
એમણે તરત જ એ વાત સૂરિસમ્રાટને કહી. પરિણામે, સૂરિસમ્રાટે, આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજીની સાથે વિચારણા કરીને, અઢાર વર્ષવાળે સુધારે ખરડામાં દાખલ કરાવી દીધો.
૧૮
કુટુંબકથા કઈ ન માને એવી, છતાં બિલકુલ સાચી વાત છે કે એમણે દીક્ષા લીધા પછી કદી પિતાનાં સંસારી પિતાજી, માતુશ્રી વગેરે કુટુંબીઓ પર એક પણ પત્ર લખ્યો નથી. આ કંઈ દેખાવ કે ડોળ નહોતે, પણ જેનો ત્યાગ કર્યો, એના તફની અનાસકત નિર્લેપતા જ હતી, એમની આ અનાસક્તિને યાદ કરીને આજે એમના કુટુંબીજનો ગૌરવભેર કહે છે કે, “અમારા મહારાજ આવા નિર્લેપ હતા.” સાધુતાની સાધનાની આ આદર્શ સિદ્ધિ કહી શકાય.
આ નિર્લેપતાની બીજી સિદ્ધિ હતીઃ નરોત્તમ દીક્ષા ન લે, એ માટેની કોશિશ કરવામાં મુખ્ય ભાગ ભજવનાર, એમના સંસારી વડીલભાઈ સુખલાલની દીક્ષા. સુખલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org