________________
૬૬- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અજીવ પણ હિંસાનો વિષય છે.
જ્ઞાનદાન દ્વાર હવે જ્ઞાનદાન દ્વારા કહેવાય છે. તેના હમણાં જ કહેલા અભયદાન દ્વારની સાથે સંબંધને સ્વયમેવ જોડતા સૂત્રકાર કહે છે
इच्छंतो य अहिंसं, नाणं सिक्खिज्ज सुगुरुमूलम्मि । सच्चिय कीरइ सम्मं, जं तव्विसयाइविण्णाणं ॥ १५॥
અહિંસાનું પાલન કરવા ઇચ્છતો જીવ સુગુરુની પાસે પ્રથમથી જ જ્ઞાનને શીખે=જ્ઞાનનો અભ્યાસ કરે. કારણ કે અહિંસાવિષય આદિનું વિશિષ્ટ જ્ઞાન હોય તો જ અહિંસા સારી રીતે પાળી શકાય.
વિશેષાર્થ- સુગુરુ – સંવેગ આદિ ગુણોથી યુક્ત ગુરુ ગુરુ છે. સુગુરુના સંવેગ આદિ ગુણો હવે પછી કહેવામાં આવશે.
જ્ઞાન- અહીં સામાન્યથી જ્ઞાન કહ્યું હોવા છતાં શ્રુતજ્ઞાન સમજવું. કારણ કે શ્રુતજ્ઞાન જ ગુરુને આધીન છે. બીજા જ્ઞાનો તો પોતાના આવરણના ક્ષયથી અને ક્ષયોપશમથી સ્વયમેવ થનારા છે. વળી અઢારમી ગાથામાં પ્રત્યે પુખ દિકરો ઇત્યાદિ કહેશે. એ વચનથી પણ અહીં શ્રુતજ્ઞાનનો જ અધિકાર છે. - અહિંસાનો વિષય-જીવના પર્યાયનો નાશ કરવો (=પ્રાણનો નાશ કરવો), દુ:ખ ઉત્પન્ન કરવું ( દુઃખ ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ કરવી) અને સંકુલેશ થવો એ હિંસા છે.” આવા વચનથી જીવ અને અજીવ એ બે હિંસાના વિષયો છે.
પ્રશ્ન- અજીવ હિંસાનો વિષય કેવી રીતે હોઇ શકે?
ઉત્તર- સ્થાણુ આદિના કારણે સ્કૂલના થતાં સ્થાણ આદિ વિષે પણ (ક્રોધ વગેરે) સંકુલેશ થાય. આથી અજીવ પણ સંકુલેશનો વિષય બને. આમ અજીવ પણ હિંસાનો વિષય છે.
હિંસાના વિષય જીવ-અજીવ હોવાથી નિવૃત્તિરૂપ હિંસાના પણ તે જ બે વિષય થાય છે. અહિંસાના ભેદ પણ ત્રણ થાય છે. તે આ પ્રમાણે–(૧) વિવક્ષિત મનુષ્ય આદિ પર્યાયનો નાશ ન કરવો (મનુષ્ય આદિના પ્રાણનો નાશ ન કરવો.) (૨) મનુષ્ય વગેરે કોઇપણ જીવને દુઃખ ઉત્પન્ન ન કરવું. (૩) કોઇ પદાર્થ સંબંધી સંક્લેશ ન કરવો. એ પ્રમાણે અહિંસાનું ફળ સ્વર્ગ અને મોક્ષ છે. આ વિષય, ભેદ અને ફલે વગેરે જ્ઞાનથી જ જાણી શકાય છે, જ્ઞાનના અભાવમાં નહિ. આથી અહિંસાના અર્થીએ પહેલા જ્ઞાન જ શીખવું જોઇએ. જ્ઞાનના અભાવમાં મનોરથ કરવા માત્રથી અહિંસાની સિદ્ધિ ન થાય. કહ્યું છે કે-“જેવી રીતે ૧. ત્રિશબ્દથી સ્વરૂપ વગેરે જાણવું.