________________
ઉપખંભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [બે નોકરોનું દૃષ્ટાંત-૧૭૫ છે. તે માનતા તારી પાદુકાના પ્રભાવથી સિદ્ધ થશે. આને સમુદ્રમાં ફેકી દઉં એમ વિચારીને તુષ્ટ થયેલો કુમાર ક્ષણવારમાં એને કામદેવના મંદિરમાં લઈ ગયો. પાદુકાઓને બહાર મૂકીને અંદર પ્રવેશ કર્યો તેટલામાં કુટિની પાદુકાઓને લઈને પોતાના ઘરે ગઇ. (૧૫) માણસ બીજી રીતે વિચારે છે અને કાર્ય બીજી રીતે જ થાય છે.
વરસેનને ચમત્કારિક બે પ્રકારના ફૂલોની પ્રાપ્તિ આ પ્રમાણે વિચારતો કુમાર જેટલામાં તે પ્રદેશમાં ફરી રહ્યો છે તેટલામાં એક વિદ્યાધરે આકાશમાંથી ત્યાં ઉતરીને તેને કહ્યું: હું તને ઇચ્છિત દેશમાં મૂકીશ. માટે ખેદ ન કર. પણ મારી પ્રાર્થનાથી પંદર દિવસ સુધી આ કામદેવની પ્રતિમાની પૂજા કરતો અહીં રહે. હું હું તને ઘણું ભાતું આપું છું. કિંતુ અહીં કારના સ્થાનમાં જે બે વૃક્ષો રહેલા છે તેની નજીકના પ્રદેશમાં પણ તારે ન જવું. કુમારે તે બધું સ્વીકાર્યું. વિદ્યાધર પણ તેને મોદક વગેરે આપીને ત્યાંથી આકાશમાર્ગમાં ઉડી ગયો. કોઈ દિવસ કુમાર કુતૂહલથી વૃક્ષોની પાસે જઈને વૃક્ષોનાં પુષ્પોને જેટલામાં સૂવે છે તેટલામાં તે મોટો ગધેડો થઈ ગયો. પંદર દિવસ પછી ત્યાં આવેલા વિદ્યાધરે તેને જોયો. તેણે બીજા વૃક્ષનું કુસુમ સુંઘાડ્યું. તેથી તે ફરી મનુષ્ય થયો. વિદ્યાધરે તેને કઠોર ઠપકો આપ્યો. કુમારે પોતાનો દોષ સ્વીકારીને અને ખમાવીને પૂછ્યું: આ આશ્ચર્ય શું છે? વિદ્યાધરે કહ્યું. મેં કારણથી આ વૃક્ષોને રાસભી અને માનુષી કુવિઘાથી વાસિત કર્યા છે. પછી કુમારે પૂછ્યું: હમણાં હું શું કરું? તેથી વિદ્યાધર પાંચ દિવસ સુધી અહીં જ રહે એમ કહીને ઉડી ગયો. ત્યાં રહેતા કુમારે બંને વૃક્ષોના ફૂલોને લઇને વસ્ત્રની ગાંઠોમાં જુદા બાંધ્યાં. પછી પાંચમા દિવસે વિદ્યાધર તેને કંચનપુરમાં લઈ ગયો. ફરી પણ તે જ પ્રમાણે વિલાસો કરવા લાગ્યો. કુટ્ટિણીએ તેને જોયો. અતિવિસ્મય પામેલી તે જાનું અને કોણી આદિમાં કપટથી પાટા બાંધીને પુત્રીના (માગધાના) રોકવા છતાં તેની પાસે ગઈ. તે પણ હૃદયમાં અતિશય રોષવાળો હોવા છતાં કુશલતાથી રોષને અંદર દબાવીને ત્યાં કહ્યું. તે માતા! આ શું થયું? તેથી રોતી તેણે કહ્યું: હે વત્સ! તું કેવી રીતે જાણે કે આ બધું જ મને તારા નિમિત્તે થયું છે. કારણ કે તું કામદેવના મંદિરમાં પ્રવેશતો હતો ત્યારે એક વિદ્યાધર પાદુકાઓ લઈને ચાલ્યો. મેં તેને રોકયો. તેથી તેણે મને ઊંચકીને ફેંકી દીધી. હું આ નગરમાં
ક્યાંક પડી. તેથી મારાં જાનુ વગેરે અંગો ભાંગી ગયાં. રાજપુત્રે કહ્યું: હે માતા! પાદુકાઓ જાઓ, પાદુકાઓ મને જરા પણ પીડા કરતી નથી. કારણ કે જીવતા તમારી સાથે મેળાપ થયો. કુમારે આ પ્રમાણે કહ્યું એટલે તે બાહુમાં પકડીને કુમારને ઘરે લઈ ગઈ. લુબ્ધ મનવાળી તેણે એકવાર કુમારને પૂછ્યું: હે વત્સ! મને કહે કે તું અહીં કેવી રીતે આવ્યો? ફરી પણ આવા વિલાસો કેવી રીતે કરે છે? કુમારે કહ્યું. તે કામદેવની આરાધના કરી. તે મને પ્રત્યક્ષ થયો. તે મને અહીં લઈ આવ્યો અને ઘણું ધન આપ્યું. પછી તેણે પૂછ્યું: હે વત્સ! કામદેવે બીજું