________________
૩૨૪- ચરણશુદ્ધિ દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [દીક્ષાને યોગ્ય છ નપુંસકો
ટીકાર્થ– સબાલવત્સા એટલે ધાવણા બાળકવાળી સ્ત્રી. આ બધાય ૨૦ સ્ત્રીના ભેદો છે. [૧૨૬]
પ્રશ્નતમોએ નપુંસકને દીક્ષા આપવાનો નિષેધ કર્યો છે. શાસ્ત્રમાં નપુંસકના ૧૬ ભેદો કહ્યા છે. તેથી શું બધાયને દીક્ષા ન અપાય? કે કોઈકને જ ન અપાય?
ઉત્તર- નપુંસકના દશ ભેદો દીક્ષા માટે અયોગ્ય છે અને છ યોગ્ય છે. આથી જ મૂળગાથામાં “દશ નપુંસક” એમ કહ્યું છે. તે દશ નપુંસકો કયા છે તે ગ્રંથકાર કહે છે
पंडए १ वाइए २ कीवे ३, कुंभी ४ ईसालुएत्ति ५ य । सउणी ६ तक्कम्मसेवी ७ य, पक्खियापक्खिए ८ इय ॥ १२७॥ सोगंधिए ९ य आसित्ते १०, दस एए नपुंसगा । संकिलिट्ठत्ति साहूणं, पव्वावेउं अकप्पिया ॥ १२८॥
પંડક, વાતિક, લીબ, કુંભી, ઇર્ષાળુ, શકુની, તત્કર્મસેવી, પાલિકાપાલિક, સૌગંધિક અને આસક્ત. આ દશ નપુંસકો સંક્લિષ્ટ હોવાથી સાધુઓને દીક્ષા આપવાને માટે અયોગ્ય છે.
વિશેષાર્થ– પંડકનું સ્વરૂપ અહીં જ કંઈક કહેવાશે. બાકીના વાતકી આદિનું સ્વરૂપ વિશેષથી નિશીથપાઠથી જાણી લેવું. સામાન્યથી તો અહીં પણ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે– આ દશ નપુંસકો સાધુઓને દીક્ષા આપવાને માટે અયોગ્ય છે.
પ્રશ્ન- દશ નપુંસકો દીક્ષા માટે અયોગ્ય છે તેનું શું કારણ?
ઉત્તર- આ દશેય તરતમતા વિના સમાનપણે નગરના મહાદાહ સમાન કામના અધ્યવસાયવાળા હોવાથી સંલિષ્ટ છે, અર્થાત્ સ્ત્રી આદિના ભોગને આશ્રયીને અતિશય અશુભ અધ્યવસાયવાળા છે. આથી તે દીક્ષાને અયોગ્ય છે. [૧૨૭-૧૨૮]
તો પછી દીક્ષાને યોગ્ય છ ભેદો ક્યા છે? એના ઉત્તરમાં ગ્રંથકાર કહે છેवद्धिए १ चिप्पिए २ चेव, मंतओसहिउवहए ३-४ । इसिसत्ते ५ देवसत्ते ६ य, पव्वावेज नपुंसए ॥ १२९॥
વર્ધિતક, ચિપિત, મંત્રોપહત, ઔષધોપહત, ઋષિશત અને દેવશત આ (છ) નપુંસકોને દીક્ષા આપે.
વિશેષાર્થ– ભવિષ્યમાં રાજાના અંતઃપુરમાં મોટું સ્થાન મળે ઈત્યાદિ કારણોથી