________________
૨૩૮-તપધર્મ) ઉપદેશમાલા (પુષ્પમાલા)
વિષ્ણુકુમાર ચરિત્ર થયેલો તે વિલખા મોઢે પોતાના ઘરે ગયો. અતિશય ઘણા અયોગ્ય વિચારોને કરતો તે રાતે ઊઠીને સાધુઓને મારવા માટે શસ્ત્ર લઈને ત્યાં ગયો. તેથી સમ્યગ્દષ્ટિ દેવે તેને ત્યાં જ થંભાવી દીધો. પ્રભાત સમયે નગરના લોકો સહિત રાજાએ તેને જોયો. તેથી આદરવાળો થયેલો લોક સાધુઓની વિશેષથી ભક્તિ કરે છે. દેવે નમુચિને મૂકી દીધો. તે લજાથી નીકળી ગયો. સાધુઓ ઉપર અપકાર કરવા માટે લાખો ઉપાયોને વિચારતો તે હસ્તિનાપુરમાં જઈને મહાપદ્મની સેવા કરવા લાગ્યો. રાજા થયેલો આ મારું ઇચ્છિત કરશે એવી બુદ્ધિથી મંત્રિપદનો સ્વીકાર કરીને તેની જ પાસે રહ્યો. આ તરફ સિંહબલ નામનો રાજા દુઃખથી પ્રવેશ કરી શકાય તેવા કિલ્લાના બળથી મહાપદ્મના સઘળા દેશને ભાંગતો હતો. નમુચિએ બુદ્ધિથી તેને બાંધીને ગ્રહણ કર્યો. તુષ્ટ થયેલા મહાપ તેને વરદાન આપ્યું. તેણે કહ્યું અવસરે વરદાન આપજો. હવે એકવાર જ્વાલાદેવીએ જિનમંદિરમાં રથ કરાવ્યો. આ તરફ એની શોક્ય લક્ષ્મીરાણીએ બ્રહ્મરથ કરાવ્યો. લક્ષ્મીએ રાજાને કહ્યું: પહેલાં બ્રહ્મરથ નીકળશે. તે સાંભળીને જ્વાલાદેવીએ પ્રતિજ્ઞા કરી કે જો પહેલાં જિનરથ ન નીકળે તો હું અનશનનો સ્વીકાર કરું. તેથી પધ્ધોત્તરરાજાએ બંને રથો અટકાવ્યા.
આનાથી તો માતાનું અપમાન થયું છે એમ માનતો મહાપદ્મ રાતે એકલો નીકળીને અટવામાં આવ્યો. અટવીમાં ભમતો તે સિંધુનંદન નગરમાં આવ્યો. ત્યાં મહસેનરાજાની સો કન્યાઓને પરણ્યો. (રપ) વેગવતી વિદ્યાધરીએ ત્યાંથી તેનું અપહરણ કરીને, ઉત્તમ વૈતાઢય પર્વત ઉપર ઉત્તમ સૂરોદય નગરમાં લઈ જઈને, ઈન્દ્રધનુ નામના વિદ્યાધર રાજાની શ્રીકાંતારાણીની જયચંદ્રા નામની કન્યા તેને પરણાવી. તે પ્રસંગ નિમિત્તે ત્યાં જ જયચંદ્રાના મામાના વિદ્યાધર પુત્રો ગંગાધર અને મહિધરની સાથે તેનું યુદ્ધ થયું. મહાપ તેમને જીતી લીધા. પછી ચંપાપુરીના જનમેજય રાજાની ઉત્તમ પુત્રી મદનાવલીને પરણ્યો. મદનાવલી સ્ત્રીરત્ન હતી. આ પ્રમાણે ક્રમશઃ આ મહાપદ્મ નવમો ચક્રવર્તી થયો. પૂર્વોક્ત ચક્રવર્તીની ઋદ્ધિથી પરિવરેલો તે ગજપુર ગયો. પછી પધ્ધોત્તરે મહાપદ્મને રાજય ઉપર સ્થાપીને શ્રી સુવ્રતસૂરિની પાસે દીક્ષા લીધી. પિતા અને બંધુથી રાજ્યલક્ષ્મી ઉપર સ્થાપિત કરાતો હોવા છતાં સંસાર પ્રત્યે વિરક્ત બનેલા વિષ્ણુકુમારે પણ પિતાની સાથે શ્રીસુવ્રતસૂરિની જ પાસે દીક્ષા લીધી. હવે મહાપદ્મ ચક્રવર્તીના ભોગોને લાંબા કાળ સુધી ભોગવે છે. તથા માતાએ કરાવેલા રથનું નગરમાં મહાઆડંબરથી ભ્રમણ કરાવ્યું ભરતક્ષેત્રમાં કોડો જિનમંદિરો કરાવ્યા. બીજા પણ ઘણા રાજાઓને જિનધર્મમાં પ્રવર્તાવ્યાં ઘણા પ્રકારોથી જિનશાસનની પ્રભાવના કરી. કમરહિત, અજર, અમર અને દુઃખથી રહિત પોત્તર સાધુ પણ પરમપદને પામીને અનંતસુખને ભોગવે છે.
વિષ્ણુકુમારને તપના પ્રભાવથી આકાશગમન અને વૈક્રિય વગેરે ઘણી લબ્ધિઓ ઉત્પન