________________
સમ્યકત્વદ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [સમ્યકત્વના આગારો-૨૮૯
છ આગારો આ પ્રમાણે “સમ્યકત્વ શું છે?” ઇત્યાદિ દ્વારા કહ્યાં. આ દ્વારો ઉપલક્ષણ હોવાથી અહીં બીજું પણ આગાર દ્વારા જાણવું.
તે આગારો આ છે– રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવતાભિયોગ, ગુનિગ્રહ અને વૃત્તિકાંતાર એમ છ આગારો છે.
પોતાની ઇચ્છા ન હોવા છતાં બીજાઓ પોતાની પાસે કરાવે તે અભિયોગ. (૧) રાજાભિયોગ– પોતાની ઇચ્છા ન હોવા છતાં રાજા પોતાની પાસે કરાવે તે રાજાભિયોગ. (૨) ગણાભિયોગ- ગણ એટલે લોકસમૂહ. ઘણા લોકોના આગ્રહથી કરવું પડે તે ગણાભિયોગ. (૩) બલાભિયોગ– બલ એટલે હઠ કરવી. કોઈ હઠ કરીને કરાવે તે બલાભિયોગ. (૪) દેવતાભિયોગ- કુલદેવતા વગેરેનો અભિયોગ તે દેવતાભિયોગ. (૫) ગુરુનિગ્રહ– ગુરુ એટલે માતા-પિતા વગેરે. માતા-પિતાના આગ્રહથી કરવું પડે તે ગુસનિગ્રહ. (૬) વૃત્તિકાંતાર- વૃત્તિ એટલે આજીવિકા ચલાવવી. કાંતાર એટલે જંગલ. અહીં કાંતાર
શબ્દનો જંગલ અર્થ માત્ર શબ્દાર્થ છે. પરમાર્થથી તો અહીં કાંતાર એટલે બાધા= તકલીફ. આજીવિકા ચલાવવાની બાધા=તકલીફ તે વૃત્તિકાંતાર. પ્રશ્ન-જંગલને આજીવિકાની બાધા કેમ કહેવાય છે?
ઉત્તર–જંગલ આજીવિકાની બાધાનું કારણ છે=જંગલમાં આજીવિકા=જીવનનિર્વાહ ન થાય. જંગલ આજીવિકાની બાધાનો હેતુ હોવાથી (કારણમાં કાર્યનો ઉપચાર કરીને) અહીં જંગલની પણ વૃત્તિબાધારૂપે વિવક્ષા કરી છે. એથી કોઈ દોષ નથી.
અહીં આગારો વિષે પરમાર્થ આ છે– આજથી મારે અન્યદર્શનીઓને, અન્યદર્શનીઓના દેવોને, અન્યદર્શનીઓએ (પોતાના મંદિરમાં) રાખેલાં જિનબિંબોને વંદન કરવું અને સ્તવના પૂર્વક પ્રણામ કરવા કહ્યું નહિ, તેઓએ પહેલાં બોલાવ્યા વિના જ એકવાર કે વારંવાર તેઓને બોલાવવા કહ્યું નહિ, તથા પરતીર્થિકોને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારનો આહાર એકવાર કે વારંવાર આપવો કલ્પ નહિ, ઇત્યાદિ વચનથી મિથ્યાત્વનું પ્રત્યાખ્યાન કરનારને અન્યદર્શની વગેરેને અનુકંપા સિવાય દાન અને વંદન આદિનો નિષેધ કર્યો છે. જો તેઓ અનુકંપાના વિષયને પામેલા હોય, અર્થાત્ અનુકંપા કરવા યોગ્ય બન્યા હોય, તો તેમને પણ દાન આપવું. કારણ કે કહ્યું છે કે“દુર્જય એવા રાગ-દ્વેષ-મોહને જિતનારા સઘળાય જિનોએ જીવોની અનુકંપા માટે ક્યાંય