________________
૨૨૦-તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [વૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન (૬) કાયવિનય–પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં ગમન, સ્થાન (=ઊભા રહેવું), નિષદન(=બેસવું), તન્વર્તન (કપડખું ફેરવવું), ઉલ્લંઘન (ઓળંગવું), સર્વેન્દ્રિયયોજન (=સર્વ ઇન્દ્રિયોને પોતપોતાના વ્યાપારમાં પ્રવર્તાવવી), નોઇન્દ્રિયયોજન (=મનને પ્રવર્તાવવું.) આ સાત ઉપયોગપૂર્વક કરનારને પ્રશસ્તકાય વિનય છે, અને ઉપયોગ વિના કરનારને અપ્રશસ્તકા વિનય છે. (૭) લોકોપચારવિનય- લોકોપચાર વિનય સાત પ્રકારનો છે. તે આ પ્રમાણે(૧) અભ્યાસવર્તિત્વ- (=ગૌરવ કરવા યોગ્ય ગુરુ વગેરેની પાસે રહેવું તે). (ર) પરછંદાનુવર્તિત્વ- ( આરાધ્યના અભિપ્રાયને અનુસરવું). (૩) કાર્યહેતુ- (=જ્ઞાનાદિ નિમિત્તે ભક્તાદિનું દાન કરવું.). (૪) કૃતપ્રતિકૃતતા- (=મને ભણાવ્યો છે ઇત્યાદિ કૃતજ્ઞતાથી ભક્તાદિનું દાન કરવું). (૫) આર્તગવેષણતા- (=ગ્લાનના સમાચાર પૂછવા, સેવા કરવી વગેરે). (૬) દેશ-કાલજ્ઞતા- (=અવસરને ઉચિત કાર્ય કરવું) (૭) સર્વ અર્થોમાં અપ્રતિલોમતા- (૦આરાધ્યના સર્વ કાર્યોમાં અનુકૂળ રહેવું).
(૩) વૈયાવચ્ચ– વેયાવચ્ચ એટલે ભક્તદાન આદિથી મદદ કરવી. આચાર્ય, ઉપાધ્યાય, વિર, તપસ્વી, ગ્લાન, શિક્ષક, કુલ, ગણ, સંઘ અને સાધર્મિક એ દશને આશ્રયીને વેયાવચ્ચના દશ પ્રકાર છે.
(૪) સ્વાધ્યાય- સ્વાધ્યાયના વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ પ્રકાર છે. (૫) ધ્યાન- ધ્યાનના આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકુલ એમ ચાર પ્રકાર છે.
આર્તધ્યાન આર્તધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે(૧) અનિષ્ટ શબ્દાદિના સંયોગવાળો જીવ અનિષ્ટ શબ્દાદિના વિયોગની ચિંતાવાળો થાય
એ આર્તધ્યાન છે. (૨) ઈષ્ટ ધનાદિના સંયોગવાળો જીવ ઇષ્ટ ધનાદિનો વિયોગ ન થાય એવી ચિંતાવાળો
થાય એ આર્તધ્યાન છે. (૩) રોગના સંયોગવાળો જીવ રોગના વિયોગની ચિંતાવાળો થાય એ આર્તધ્યાન છે. (૪) ઇષ્ટ કામભોગાદિના સંયોગવાળો જીવ ઇષ્ટ કામભોગાદિનો વિયોગ ન થાય એવી
ચિંતાવાળો થાય એ આર્તધ્યાન છે.