________________
૧૬૮-ઉપષ્ટભદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[સુપાત્રદાનનાં ફળો મોહેતુ તરીકે વિવક્ષિત છે. અન્યથા સર્વજ્ઞ વચનના અનુસાર વિવેકીઓથી અપાતું અનુકંપાદાન પણ પરંપરાએ મોક્ષનું કારણ થાય જ છે. [૪૮] હવે દાનના સંબંધથી જ દાતાઓના ઉત્સાહને કરનારી–વધારનારી ગાથાને કહે છે
केसिंचि होइ चित्तं, वित्तं अन्नेसि उभयमन्नेसिं । चित्तं वित्तं पत्तं, तिन्निवि केसिंचि धन्नाणं ॥ ४९॥
કોઇકને ચિત્ત હોય, બીજાઓને વિત્ત(=ધન) હોય, બીજાઓને ચિત્ત અને વિત્ત એ બંને હોય, ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણેય કોઇક ધન્યને હોય. [૪૯]
હવે ત્રીજા દ્વારને આશ્રયીને કહે છેआरोग्गं सोहग्गं, आणिस्सरियं मणिच्छिओ विहवो । सुरलोयसंपयाविय, सुपत्तदाणाऽवरफलाइं ॥५०॥
આરોગ્ય, સૌભાગ્ય, આજ્ઞાઐશ્વર્ય, મનઈચ્છિત વૈભવ, અને દેવલોકની સંપત્તિ આ સુપાત્રદાનનાં અંતરાલવર્તી ફળો છે.
વિશેષાર્થ– અંતરાલવર્તી ફળો એટલે મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વચ્ચે મળનારાં ફળો. મુખ્યફલ તો મોક્ષ જ છે. [૫૦]
દાનના તે જ ઉત્કૃષ્ટ ફલને બતાવતા ગ્રંથકાર કહે છે– दाउं सुपत्तदाणं, तम्मि भवे चेव निव्वुया केई । અન્ને તરૂમ, મોણ નામરસુહાડું | પથા
કેટલાક જીવો સુપાત્રદાન આપીને તે જ ભવમાં મોક્ષને પામ્યા. બીજા કેટલાક જીવો મનુષ્ય-દેવના સુખોને ભોગવીને ત્રીજા ભવે મોક્ષને પામ્યા. [૫૧]
દાન આપનારના ગુણોનું જ દૃષ્ટાંતથી સમર્થન કરતા ગ્રંથકાર કહે છેजायइ सुपत्तदाणं, भोगाणं कारणं सिवफलं च । जह दुण्ह भाउयाणं, सुयाण निवसूरसेणस्स ॥ ५२॥
સુપાત્રદાન ભોગોનું કારણ થાય છે અને મોક્ષફલ આપનારું થાય છે. જેમ કેસૂરસેન રાજાના પુત્રો બે બંધુઓએ કરેલું સુપાત્રદાન.
વિશેષાર્થ– ગાથાનો અક્ષરાર્થ સુગમ જ છે. ભાવાર્થ તો કથાનકથી જાણવો. તે કથાનક આ છે