________________
ઝુજરાતી અનુવાદ
નવતાનું નિરૂપણ સૂ. ૧ જાણકાર, પુણ્યપાપનાં કર્તા અને તેમના ફળના સાક્ષાત્ ભોક્તા અને સ્વભાવતઃ અમૂર્ત અર્થાત
રસ ગંધ અને સ્પર્શથી રહિત છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦માં અધ્યયન ગાથા ૩૭માં કહ્યું છે– આત્મા, પિતે જ પિતાના સુખદુઃખને હર્તા છે. જીવનાં ભેદ-પ્રભેદનું વર્ણન આગળ કરવામાં આવશે.
જેમાં ચેતના ન હોય જે જડ હેય તે અજીવ તત્વ છે. તેના ચાર ભેદ છે. (૧) ધર્માતિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય.
ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનમાં કહ્યું છે. ધર્મ અધર્મ આકાશ આ પ્રમાણે જીવ અને અજીવ આ બે તને જાણવા પરમઆવશ્યક હોવાના કારણે બીજે પણ કહ્યું છે. જે ઉપાદેયગ્રાહ્યને ગ્રહણ કરવા ઈચ્છે છે અને તેને ત્યાગ કરવા ઈચ્છે છે. તેના માટે બે મૂળભૂત તત્વે છે જીવ અને અજીવ. - રાગ દ્વેષ વગેરે અને તેમાંથી ઉત્પન્ન થતાં અજ્ઞાન વગેરે હોય છે જ્યારે ઉપગ રૂપ પરમ જ્યોતિ તે ઉપાદેય છે. અગ્નિ અને લેઢાના ગોળાની જેમ અથવા ક્ષીર અને નીરની જેમ કામવગણાઓના આત્મપ્રદેશની સાથે એકમેક થઈ જવું તે “બધ” કહેવાય છે. આગળ કહેવામાં આવનાર આશ્રવના કારણેથી ગૃહીત કર્મ પુદ્ગલેને પ્રકૃતિ, સ્થિતિ વિગેરે વિશેષણેથી વિશિષ્ટ સોગ થવે તે બબ્ધ છે. - શુભકર્મ પુણ્ય કહેવાય છે. અન્ન પુણ્ય વગેરેના ભેદ થી તેના નવ પ્રકાર છે આ ભેદ આગળ ઉપર કહેવાશે. પુણ્ય શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–પુનાતિ એટલે જે આત્માને પવિત્ર કરે તે પુણ્ય છે. આ અશુભ કર્મ પાપ છે. પ્રાણાતિપાત વગેરે ૧૮ તે પ્રકારથી છે તેનું સ્પષ્ટીકરણ આગળ કર વામાં આવશે. જે આત્માને દુર્ગતિમાં પતનનું કારણ હોય તે પાપ છે. આ પાપની વ્યુત્પત્તિમાં થી કરેલ અર્થ છે.
જેના દ્વારા કર્મો આવે છે તે આશ્રવ છે એટલે કે શુભાશુભ કર્મોના ઉપાર્જનનો હેતુ આશ્રવ કહેવાય છે જેનાથી જીવનું સંસારમાં પરિભ્રમણ થાય છે.
આશ્રવનું રેકાઈ જવું તે સંવર છે. આશય એ છે કે આત્મામાં પ્રવેશતા કર્મ જેનાથી રોકાઈ જાય છે તે ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ વગેરે પરિણામને સંવર કહેવાય છે. આ વ્યુત્પત્તિ અનુસાર સંવર શબ્દનો અર્થ છે-જે આશ્રવરૂપ પ્રવાહને રોકી દે એટલે કે અટકાવી દે તે સંવર છે કહ્યું પણ છે–આશ્રવ ભવભ્રમણનું કારણ છે અને સંવર મેક્ષનું કારણ છે. આમાં સંપૂર્ણ તત્વની સમાપ્તી થઈ જાય છે શેષ કથન તે આને જ વિસ્તાર છે. અથવા પ્રાણાતિપાત આદિ આશ્રવે મને ગુપ્તિ વગેરે દ્વારા અટકી જાય તે સંવર છે. પૂર્વોપાર્જિત કર્મનું તપ અને સંયમ વિગેરે કારણેથી જીર્ણ થઈ જવું–ક્ષય થઈ જવો તે નિર્જરા છે અથવા ઉપરાજિત કમેને વિપાક અથવા તપ વગેરે દ્વારા નષ્ટ થઈ જવું તે નિર્જસ છે. સારાંશ એ છે કે તપસ્યા, ધ્યાન વગેરે કારણેથી પ્રથમ બાંધેલા કર્મોનું આંશિક રૂપથી અલગ થઈ જવું તે નિર્જરા છે.
તે પૂર્ણ રૂપથી સર્વ કર્મોને ક્ષય થઈ જ તે મેશ કહેવાય છે – બેધ, શમ, વીર્ય, દર્શન અને આત્યંતિક તથા એકાંતિક અને બાધ અને સર્વોત્તમ સુખ સ્વરૂપ આત્માનું પિતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થઈ જવું તે મેક્ષ છે. "