Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 959
________________ २७० તત્વાર્થસૂત્રને નરકગતિ તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, કીન્દ્રિયજાતિ, ત્રિઈન્દ્રિય જાતિ, ચતુરિન્દ્રિય જાતિ, સમચતુરર્સ સંસ્થાન સિવાયના પાંચ સંસ્થાન, વર્ષભનારા સંહનન સિવાયના પાંચ સંહનન અપ્રશસ્ત વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ, નરકગયાનુપૂર્વી, તિર્યંચગાત્યાનુપૂર્વી ઉપઘાત, પ્રશસ્ત વિહાગતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ શરીર અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશકીર્તિ, નીચગોત્ર અને પાંચ અન્તરાય. પાંચ પ્રકારના જ્ઞાનાવરણય આ છે–(૧) આભિનિધિક જ્ઞાનાવરણીય (૨) શ્રતજ્ઞાનાવર-* ણીય (૩) અવધિ જ્ઞાનાવરણીય (૪) મન પર્યવજ્ઞાનાવરણીય અને (૫) કેવળ જ્ઞાનાવરણીય. સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છે—પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મ કહેવામાં આવેલ છે–આભિનિબોધક જ્ઞાનાવરણીય, શ્રત જ્ઞાનાવરણય, અવધિજ્ઞાનાવરણીય મન:પર્યવજ્ઞાનાવરણય, અયશકીતિ નીચત્ર અને પાંચ પ્રકારના અન્તરાય અને કેવળજ્ઞાનાવરણીય. દર્શનાવરણીયના નવ પ્રકાર છે–ચક્ષુદર્શનાવરણ અચક્ષુદર્શનાવરણ અવધિ દર્શનાવરણ, કેવળદર્શનાવરણ નિદ્રા, નિદ્રા--નિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા અને ત્યાનધિ. સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનમાં કહ્યું છે—દર્શનાવરણીય કર્મ નવ પ્રકારના કહેવામાં આવ્યા છે—(૧) નિદ્રા (૨) નિદ્રા-નિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા-પ્રચલા (૫) સ્થાનદ્ધિ (૬) ચક્ષુદર્શનાવરણ (૭) અચક્ષુદર્શનાવરણ (૮) અવધિદર્શનાવરણ અને (૯) કેવળદર્શનાવરણું. પ્રજ્ઞાપના સૂત્રનાં ૨૩ માં પદના બીજા ઉદ્દેશકમાં કહ્યું છે –અસાતવેદનીય સાતવેદનીય કર્મ પુણ્યપ્રકૃતિમાં પરિણિત કરવામાં આવ્યા છે. મિથ્યાત્વવેદનીય રૂ૫ મિથ્યાત્વ એકજ પ્રકારનું છે. પ્રજ્ઞાપનામાં ર૩માં કર્મબંધપદના બીજા ઉદ્દેશકમાં કહ્યું છે પ્રશ્ન–ભગવન્! મેહનીય કર્મ કેટલાના પ્રકારના છે ? ઉત્તર-ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે––દશનમેહનીય અને ચારિત્રહનીય. પ્રશ્ન-ભગવદ્ દર્શનમેહનીય કર્મ કેટલા પ્રકારના છે? ઉત્તર--ગૌતમ! ત્રણ પ્રકારના છે—સમ્યકૂવવેદનીય મિથ્યાત્વવેદનીય અને સમ્યગૃમિથ્યાત્વવેદનીય. અત્રે જે કે દર્શન મેહનીય કર્મ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે તે પણ સમ્યક્ત્વવેદ નીય અને સમગૂ મિથ્યાત્વવેદનીય પ્રકૃતિએ પુણ્યરૂપ પરિણત હોય છે, પાપકર્મ રૂપ નહીં. આથી પાપકર્મમાં કેવળ મિથ્યાત્વ કર્મની જ ગણતરી કરવામાં આવી છે. સોળ કષાય આ મુજબ છે. – અનન્તાનુબંધી ક્રોધ અનન્તાનુબન્ધી માન, અનન્તાનુબન્ધી માયા, અનન્તાનુબન્ધી લોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ, અપ્રત્યાખ્યાન માન, અપ્રત્યાખ્યાન માયા, અપ્રત્યાખ્યાન લેભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ માન, પ્રત્યાખ્યાનાવરણ માયા, પ્રત્યાખ્યાનાવરણ લાભ, સંજવલન ક્રોધ, સંજવલન માના, સંજવલન માયા અને સંજવલન લોભ, આ વર્ણનપ્રજ્ઞાપના સૂત્રના ૨૩માં કર્મબન્ધ પદમાં બીજા ઉદ્દેશકમાં આ જ પ્રમાણે કહ્યા છે–

Loading...

Page Navigation
1 ... 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020