Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 976
________________ ગુજરાતી અનુવાદ. અ. પ. નારજીના સ્વરૂપનું વર્ણન સૂ. ૧૩ છે. નરકભૂમિઓમાં દસ પ્રકારની ક્ષેત્રજનિત વેદના થાય છે. –(૧) અનન્ત સુધા (૨) અનન્ત તૃષા (૩) અનન્ત શીત (૪) અનન્ત ઉષ્ણ (પ) અનન્ત પરવશતા (૬) અનન્ત દાહ (૭) અનન્ત ખજવાળ (૮) અનન્ત ભય (૯) અનન્ત શેક અને (૧૦) અનન્ત ઘડપણ એવી જ રીતે નારક ની વિક્રિયા પણ હમેશાં અશુભતર જ હોય છે. તે છે પિતાના ઉત્તરક્રિયરૂપ સુંદર રૂપ સમ્પન્ન બનાવવા ઈચ્છે છે ખરાં પરંતુ ક્ષેત્ર અને કર્મના પ્રભાવથી તે વિદૂષક વગેરેની માફક ઘણુ જ કદરૂપ બને છે. ૧૩ાા તત્વાર્થનિર્યુકિત–આની અગાઉ રત્નપ્રભા આદિ સાત ભૂમિમાં ક્રમશઃ ત્રીસ પચીસ લાખ, પંદર લાખ, દસ લાખ, ત્રણ લાખ, એક લાખમાં પાંચ ઓછા તથા પાંચ નરકેની પ્રરૂપણું કરવામાં આવી છે. હવે તે નરકમાં ઉત્પન્ન થનારાં નારક જીના સ્વરૂપ વગેરેની પ્રરૂપણ કરીએ છીએ– નરકમાં ઉત્પન્ન થનારાં નારકી છ નિરન્તર અશુભતર લેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિક્રિયાવાળા હોય છે, અહીં નિત્યને અર્થ છે સદૈવ અને અશુભતરને અભિપ્રાય છે અત્યન્ત અશુભ-અનિષ્ટ કૃષ્ણ આદિ લેશ્યાઓ પ્રસિદ્ધ છે. પરિણામને અર્થ શબ્દ, વર્ણ, રસ, ગન્ધ તથા સ્પર્શ સમજવા જોઈએ. શરીરને આશય છે ભવધારણીય વૈકિય શરીર વેદનાને અર્થ થાય છે અસતાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર તીવ્ર દુઃખ અને વિદિયાને અર્થ છે. વિકૃત ઉત્તરક્રિય શરીરની વિમુર્વણા આ બધાં નારક છમાં સદૈવ અતીવ અશુભ હોય છે. મૂળ સૂત્રમાં વેશ્યા આદિ પદમાં દ્વન્દ સમાસ છે. આ સમાસની આદિમાં પ્રયોગ કરવામાં આવેલા “નિત્યાશુભતર” શબ્દ લેશ્યા આદિ બધાની સાથે સાંકળી શકાય છે. આથી સારાંશ એ તારવી શકાય કે નારકીના છ હમેશાં અશુભતર લેશ્યાવાળા, અશુભતર પરિથામ વાળા નિત્ય અશુભતર શરીરવાળા, નિત્ય અશુભતર વેદનાવાળા અને નિત્ય અશુભતર વિક્રિયાવાળા હોય છે. નિત્યપ્રહસિત અથવા નિત્ય પ્રજલિતમાં જેમ નિત્ય શબ્દ સાતત્ય સદાને વાચક છે તે જ રીતે અહીં પણ સાતત્યને વાચક છે. તેને અર્થ હમેશા, સદેવ, લગાતાર એ પ્રમાણે સમજી લેવું જોઈએ. રત્નપ્રભા અને શર્કરામભા પૃથ્વિઓનાં નારક છમાં કાપત લેશ્યા હોય છે. વાલુકાપ્રભાના ઉપરી ભાગમાંના નારકમાં કાપત અને નીચેના ભાગમાં નીલ વેશ્યા હોય છે. પંકપ્રભાના નારકે નીલ ગ્લેશ્યાવાળા, ધૂમપ્રભાના ઉપરી ભાગના નારકે નીલ ગ્લેશ્યાવાળા અને નીચલા ભાગના કૃષ્ણ લેશ્યાવાળા હોય છે. તમ પ્રભાના નારક પણ કૃષ્ણ લેશ્યાવાળા હોય છે. તમસ્તમાં પ્રભાના નારકમાં પરમકૃષ્ણ લેશ્યા હોય છે. આ નારકીના જીના આયુષ્યના અન્ત સુધી રહેનારી લેશ્યાનું પ્રતિપાદન થયું. નરકભૂમિ રૂપ ક્ષેત્રના પ્રભાવથી તેમના પરિણામ અથત શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ અત્યન્ત અશુભ અને દુ:ખના કારણ હોય છે. અશુભ નામકર્મના ઉદયથી તેમના શરીર પણ અત્યન્ત અશુભ હોય છે. વિકૃત ચહેરાવાળા હરડ સંસ્થાન વાળા, છેદન-ભેદન કરેલાં પક્ષીના શરીર જેવા જેવા ન ગમે એવા હોય છે. તેમના શરીરની ઉંચાઈ રત્નપ્રભા

Loading...

Page Navigation
1 ... 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020