________________
२४४
તત્વાર્થસૂત્રને આવી જ રીતે એક દેશથી મૈથુનને ત્યાગ કર બ્રહ્મચર્યાશાવ્રત કહેવાય છે. એક દેશથી મિથુનના ત્યાગનું તાત્પર્ય છે પરસ્ત્રીસંગને ત્યાગ કરે. જે પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ રહીને પરસ્ત્રીને માતા સમાન લેખે છે તે સ્વદાર સંતોષવ્રતી કહેવાય છે.
પરિગ્રહનો અર્થ છે મોહ, લેભ અથવા મમત્વ પરિગ્રહના બે ભેદ છે–બાહ્ય અને આન્તરિક શરીર વગેરે પ્રત્યે મમતા હોવી આન્તરિક પરિગ્રહ છે. ક્ષેત્ર, વાસ્તુ (મહેલ-મકાન) સેનું, ધન, ધાન્ય વગેરે બાહ્ય વસ્તુઓ પર મમતા હોવી બાહ્ય પરિગ્રહ છે. પરિગ્રહ પરિમાણુ નામક અણુવ્રતમાં સમસ્ત-વસ્તુઓનો ત્યાગ કરવામાં આવતું નથી પરંતુ તેમની મર્યાદા કરી લેવામાં આવે છે. આને સ્થૂળપરિગ્રહ ત્યાગ પણ કહે છે.
આમ સ્થૂળપ્રાણાતિપાત વિરમણ, સ્થળમૃષાવાદવિરમણ, સ્થૂળઅદત્તાદાનવિરમણ, સ્થળમૈથુનવિરમણ અને પરિગ્રહ પરિમાણ નામના પાંચ અણુવ્રત હોય છે.
' સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે–-અણુવ્રત પાંચ કહેવામાં આવ્યા છે–સ્થળપ્રાણાતિપાતવિરમણ ધૂળમૃષાવાદવિરમણ, સ્થળ અદત્તાદાનવિરમણ સ્થળમૈથુનવિરમણ, (સ્વદારસંતોષ) અને ઈચ્છાપરિમાણ ૧૧ ... 'तत्थेजलु इरियाइया पणवोस भावणाओ'
મૂળ સૂકાઈ–વ્રતની સ્થિરતા અર્થે પચ્ચીશ ભાવનાઓ હોય છે ૧રા
તત્ત્વાર્થદીપિકા–આની અગાઉ સ્થૂળ રૂપથી હિંસાનો ત્યાગ કરે વગેરે પાંચ અણુવ્રતનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે તે વ્રતમાં સ્થિરતા લાવવા માટે ઈર્યા આદિ પચ્ચીશ ભાવનાઓનું કથન કરીએ છીએ-પૂર્વોક્ત
(૧) પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતની પાંચ ભાવનાઓ–(૧) ઈ-સંભાળીને ચાલવું (૨) (૨) મની પ્રશસ્તતા (૩) વચનની પ્રશસ્તતા (૪) એષણા અને (૫) આદાન નિક્ષેપ. | (૨) સત્યમહાવ્રતની પાંચ ભાવનાઓ–(૧)સમજી વિચારીને બોલવું (૨) ક્રોધને ત્યાગ (૩) લભ ત્યાગ (૪) ભયને ત્યાગ (૫) હાસ્યનો ત્યાગ કરે.
(૩) અદત્તાદાનવિરમણવ્રતની પાંચ ભાવનાઓ–(૧)અઢાર પ્રકારથી વિશુદ્ધ વસતી (ઉપાશ્રયસ્થાન)ની યાચના કરીને સેવન કરવું (૨) વિશુદ્ધ પીઠ-ફલક આદિની યાચને કથ્વી વૃક્ષ વગેરેનું છેદન ન કરવું (૪) સાધારણ પિડ (ભજન)નું અધિક સેવન કરવું અને (૪) સાધુઓની વૈયાવંશ્ચ કરવી. - બ્રચર્યવ્રતની પાંચ ભાવનાઓ–(૧) સ્ત્રી, પશુ અને પંડક (નપુંસક) વગરની જગ્યાએ વાસ કરે (૨) સ્ત્રીઓ સબંધી કથા ન કરવી (૩) સ્ત્રીના અંગે પાંગાનું અવેલેકન ન કરવું (૪) પૂર્વાવસ્થામાં અર્થાત ગૃહસ્થાવસ્થામાં ભેગવેલાં કામનું સ્મરણ ન કરવું અને (૫) દરરોજ મિષ્ટ-ઉન્માદક ભેજનને પરિત્યાગ કરે.
(૫) પરિગ્રહત્યાગમહાવ્રતની પાંચ ભાવનાઓ–(૧) મને શબ્દોમાં રાગ અને અમનેz શબ્દમાં છેષ ન કરે (૨) મને જ્ઞ તથા અમનેણ રૂપમાં રાગ-દ્વેષ ન કરવા (૩) મનેઝ અમનેઝ રસમાં રાગ-દ્વેષ ન કર (૪) મનેણ-અમનેઝ ગંધમાં રાગ-દ્વેષ ન કરો અને (૫) મનેશ–અમનેઝ સ્પર્શમાં રાગદ્વેષ ન કરો.