________________
તત્વાર્થસૂત્રને શંકા—પાંચ સમયની વિગ્રહગતિથી કઈ જીવ ઉત્પન્ન જ થતો નથી?
સમાધાનઃ–પાંચ સમયની વિગ્રહગતિ પણ પ્રમાણથી સિદ્ધ છે, આથી કઈ જીવની તેનાથી પણ ઉત્પત્તિને સંભવ છે. - શેલેશી અવરથા અર્ધ અન્તર્મુહૂત સુધી અનાહારક અવસ્થા રહે છે. આવી સ્થિતિમાં અર્ધ અન્તર્મુહૂત સુધી અનાહારક રહેવાનું કેમ કહેવામાં ન આવ્યું? આ શંકાનું પણ નિવારણ અનાથી થઈ જાય છે કે અત્રે વિગ્રહગતિનું જ પ્રકરણ છે અને શૈલેશી અવસ્થાનું પ્રકરણ નથી આથી શૈલેશી અવસ્થામાં થનારી અનાહારક અવસ્થાને અત્રે ગ્રહણ કરવી વાજબી નથી.
પ્રશ્ન –અહીં કોઈ ખાસ આહારની અપેક્ષાથી અનાહારક કહે છે અથવા સપૂર્ણ આહારના નિષેધની અપેક્ષાથી ?
ઉત્તર–અહીં સંપૂર્ણ આહારને નિષેધ જ પ્રસ્તુત છે. આહાર ત્રણ પ્રકારના છે–
(૧) એજ આહાર (૨) લેમાહાર (૩) પ્રક્ષેપાહાર એજઆહાર અપર્યાપ્તક અવસ્થામાં કાર્મણ શરીર દ્વારા કરવામાં આવે છે જેવી રીતે અગ્નિમાં તપાવેલ પાત્રને પાણીમાં નાખવામાં આવે તે તે સપૂર્ણ અવયથી પાણી ગ્રહણ કરે છે તે જ રીતે પિતાની આપત્તિના પ્રથમ સમયમાં જન્મ સ્થાનમાં પહોંચતાના પ્રથમ સમયમાં સમસ્ત આત્મપ્રદેશે દ્વારા પુદ્ગલેને ગ્રહણ કરે છે અથવા તે જેવી રીતે તવામાંના ગરમ તેલ અગર ધીમાં માલપુવા નાખીએ તે તે સર્વાગથી તેલ તથા ઘીને ચુસી લે છે, આ પુદ્ગલેનું ગ્રહણ કરવું એ જ એજ આહાર કહેવાય છે. આજઆહાર અન્તર્મુહૂર્ત પર્યન્ત જ હોય છે.
પર્યાપ્ત અવસ્થાથી લઈને ભવના ક્ષય પર્યન્ત ત્વચા દ્વારા પુદ્ગલેનું ગ્રહણ કરવું તે લેમાહાર છે. પ્રક્ષેપાહારને અર્થ છે. કવલાહાર-ચેખા વગેરેના કળીયાઓને ખાવું પીવું વગેરે.
વિગ્રહમાં ગતિમાં આ ત્રણ પ્રકારના આહારનો નિષેધ કરવામાં આવ્યો છે. આ ત્રણે આહાર ભવ–અવસ્થામાં જ પ્રથમ સ્વીકારાયાં છે.
વિગ્રહગતિના પ્રથમ સમયમાં જીવ ત્યાગ કરવામાં આવનારા દેશમાં અને અન્તિમ સમયમાં જન્મદેશમાં રહેવાના કારણે આહારક હોય છે. કારણકે તે સમયે તે ત્યજી દેનારા અને નવા ગ્રહણ કરવામાં આવનારા પૂર્વ તથા ઉત્તર શરીરથી સંબદ્ધ હોય છે.
યેગ તથા કષાયના નિમિત્તથી થનારા કર્મ પુદ્ગલેનું ગ્રહણ તે વિગ્રહગતિમાં પણ પ્રત્યેક સ્થાન પર થતું જ રહે છે. જેવી રીતે પાણી વરસતું હોય ત્યારે સળગતું બાણ છોડવામાં આવે તે તે પાણીને ગ્રહણ કરતું થયુ જાય છે તેવી જ રીતે સંસારી જીવ કર્મોથી ઉપણ હોવાના કારણે કાશ્મણ શરીર દ્વારા નિરન્તર કર્મપુગલેને ગ્રહણ કરતે થકો જ આગામી જન્મ માટે ગમન કરે છે. પ્રકૃત સૂત્રમાં આ પ્રકારના પુગલેને ગ્રહણ કરવાને કઈ નિષેધ કરવામાં આવ્યો નથી પરંતુ ઔદારિક અને વૈકિય શરીરનું પિષણ કરનાર આહારને જ નિષેધ કરવામાં આવ્યો છે અથવા અનાહાર દશામાં જીવ દારિક, વૈકિય તથા આહારક શરીરના તથા છ પર્યા પ્તિને અનુરૂપ પુદ્ગલેને ગ્રહણ કરતું નથી. આ કારણથી જ વિગ્રહ ગતિમાં એક બે અથવા ત્રણ સમય સુધી અનાહારક રહે છે. અગાઉ કહેલા એક બે અગર ત્રણ સમયને છેડીને બાકીના