________________
ગુજરાતી અનુવાદ
અ. ૨. સ્કંધના બંધત્વનું નિરૂપણ સૂ. ૨૮ "
૧૫૫
તુલ્ય ગુણવાળા બે ગુણ રૂક્ષ પુદ્ગલનું પરિણમત્વ થઈ જાય છે. અર્થાત પિતાનાં રૂપમાં પરિણત કરી લે છે તાત્પર્ય એ છે કે પોતાની અંદર રહેલા સ્નેહ ગુણ દ્વારા રૂક્ષતા ગુણને આત્મસાત્ કરી લે છે.
આ રીતે તુલ્ય ગુણવાળા દ્વિગુણ રૂક્ષ પુદ્ગલ સ્વભાવથી જ તુલ્ય ગુણ અથવા તેનાથી દ્વિગુણ સ્નિગ્ધ પુદ્ગલને પરિણત કરી લે છે. અર્થાત પિતાનામાં રહેલા રૂક્ષતા ગુણથી નેહ ગુણને આત્મસાત કરી લે છે.
ગુણની સમાનતા થયા પછી સદશ પુગલોને બન્ધ થતું નથી. ઉપરના પુદ્ગલ વિસદશ હોય છે. અર્થાત એક પુદ્ગલ દ્વિગુણુ સ્નિગ્ધ અને બીજે દ્વિગુણ રક્ષ હોય છે. સ્નિગ્ધતા અને રૂક્ષતા ભિન્ન જાતીય હેવાના કારણે તેમનામાં સદશતાને અભાવ છે.
પરંતુ ત્રિગુણ સ્નિગ્ધ પુકલ સાધક ગુણવાળા હોવાથી એક ગુણ સ્નિગ્ધ પુલને પોતાના સ્વરૂપમાં પરિણુત કરે છે તે અવસ્થામાં એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલ ત્રિગુણ સ્નિગ્ધ બની જાય છે. જેમ કસ્તુરીના અંશથી યુક્ત વિલેપન આ સમાન ગુણવાળાના અને વિષમ ગુણવાળાના બન્ધ સમજવા આવી જ રીતે સમ ગુણ અને વિષમ ગુણવાળાના પરિણમત્વ પણ જાણી લેવા જોઈએ.--
જે બીજાને પિતાના રૂપમાં પરિણુત કરી લે છે અર્થાત સમાવી લે છે તે પરિણામક કહેવાય છે અથવા પરિણત થનારા પુલની ગુણ સંખ્યાને દૂર કરી પિતાની ગુણ સંખ્યાને ન ત્યાગ થકે જે પરિણત થાય છે, તે પરિણામક કહેવાય છે.
અથવા પરિણમન અથવા પરિણામને જે ઉત્પન્ન કરે છે તે પરિણામક કહેવાય છે તે બીજાને પોતાના સ્વરૂપમાં બદલે છે.
એમ સમજવાનું છે-સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણવાળા પુદ્ગલેને પરસ્પર બન્ધ થાય છે પરંતુ જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ અને રૂક્ષ પુકને બધુ થતો નથી જેમ એક ગુણ સ્નિગ્ધ પુલને એક ગુણ સ્નિગ્ધ સાથે તથા દ્વિગુણ, ત્રિગુણ ચતુર્ગુણ...સંખ્યાત અને અસંખ્યાત તેમજ અનન્ત ગુણ નિગ્ધ પુદ્ગલની સાથે બન્ધ થતો નથી.
એવી જ રીતે એક ગુણ સ્નિગ્ધ પુલને એક ગુણ રૂક્ષની સાથે તથા બે, ત્રણ, ચાર, સંખ્યાત અસંખ્યાત અને અનન્ત ગુણવાળા રૂક્ષ પુલની સાથે બધ થતું નથી. એવી જ રીતે એક ગુણ રૂક્ષ પુલને એક ગુણ રૂક્ષ પુદ્ગલ સાથે તથા બે ત્રણ ચાર સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત ગુણવાળા રૂક્ષ પુલ સાથે બન્ધ થતો નથી એવી જ રીતે એક ગુણ રૂક્ષ પુદ્ગલને એક ગુણ સ્નિગ્ધની સાથે તથા બે વગેરે સંખ્યાત અસંખ્યાત અને અનન્ત ગુણવાળા સિનગ્ધ પુલની સાથે બધ થતો નથી.
ગુણ શબ્દના અનેક અર્થ થાય છે. પરંતુ અહીં તેને “ભાગ” અર્થ છે આથી જે પરમાણુ આદિ પુદ્ગલમાં જઘન્ય અર્થાત બધાથી ઓછો ગુણ-ભાગ હોય તે જઘન્ય કહેવાય છે. જેમાં એક ગુણ સ્નિગ્ધતા અગર એક ગુણ રૂક્ષતા હોય તે પરમાણુ આદિ પુદ્ગલ જઘન્ય ગુણવાળા કહેવાય છે તેમને બન્ધ થતો નથી. આવી જ રીતે દ્વિભાગ સ્નિગ્ધ પુદ્ગલેને દ્વિભાગ સ્નિગ્ધ