________________
તત્વાર્થ સૂત્રના
અસ ખ્યાત પ્રદેશવત્ત્વ, લેાકાકાશવ્યાપિત્વ, અમૂત્ત, ગમનનિમિત્તત્ત્વ, અગુરુલઘુત્વ વગેરે ધર્માસ્તિકાયના અનાદિ પરિણામ છે. અસંખ્યાત પ્રદેશવત્ત્વ, લેાકાકાશવ્યાપિત્વ, સ્થિતિનિમિત્તત્ત્વ, અધર્માસ્તિકાયના અનાદિ પરિણામ છે. અનન્ત પ્રદેશખન્ધ, અમૂત્તત્વ, અગુરુલઘુપર્યાયત્ત્વ, અવગાહ હેતુત્ત્વ વગેરે આકાશના અનાદિ પરિણામ છે. આવલિકા આદિ ભૂતકાળ, ભવિષ્યકાળ, વ માનતા આદિ પરત્ત્વ-અપરત્વે આદિ, અમૂત્તત્વ, અગુરુલઘુત્વ આદિ કાળના અનાદિ પરિણામ છે. જીવત્વ ભવ્યત્વ આદિ અમૂર્ત્તત્વ તથા જ્ઞાન-દર્શન આદિ જીવના અનાદિ પરિણામ છે.
૧૬૨
રૂપી પુદ્દગલ દ્રવ્યોમાં સાદિ પરિણામ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે દા. ત. શુક આદિ સ્કંધ રૂપ શબ્દાદિ શુકલ, કૃષ્ણ, રાતા, પીળા વગેરે રસ આદિ જ્યારે એ પરમાણુ સ્વભાવથી યણુક સ્કંધને ઉત્પન્ન કરે છે ત્યારે અને પરમાણુએમાં જે સ્કંધ રૂપ પિરણામ ઉત્પન્ન થાય છે. તે સાઢિ પિરણામ છે.
આવી જ રીતે રૂપી અને ઉત્પાદ-વ્યયવાળા દ્રવ્યોમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ રૂપ અનેક પ્રકારના સાદિ પરિણામ હાય છે.
સ્પર્શ આઠ પ્રકારના છે—(૧) કર્કશ (કઠાર) મૃદુ (૩) ગુરુ(ભારે) (૪) લઘુ (હલ્કા) (૫) ઠંડા (૬) ઉના (૭) સુંવાળા અને (૮) ખરબચડા આમાં કશતર ક શતમ આદિ સાઢિ પરિ ણામ છે. રસ પાંચ પ્રકારના છે—(૧) તીખા (૨) કડવા (૩) તુરા (૪) ખાટો અને (૫) મીઠો. ક્તિત તિક્તતમ વગેરે સાદિ પરિણામ છે. ગધ બે પ્રકારની છે-સુગંધ અને દુર્ગંધ સુરભિતર આદિ સાદિ પરિણામ છે.
વણું, કૃષ્ણ વગેરે પાંચ પ્રકારના છે. કૃષ્ણતર આદિ સાદિ પિરણામ જાણવા જોઇએ પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં દ્રવ્યત્વ, મૂત્ત્વ, સત્ત્વ આદિ પરિણામ અનાદિ જ હોય છે સાઢિ નહી. આમ જેવી રીતે રૂપી પુદ્દગલ દ્રવ્યોમાં સાદિ અને અનાદિ બંને પ્રકારના પરિણામ પ્રતિપાદન કરવામાં આવ્યા છે તેવી જ રીતે અરૂપી દ્રવ્યોમાં પણ સાદિ પરિણામ પણ હાઈ શકે છે જેમ યોગ અને ઉપયોગરૂપ પિરણામ જીવામાં સાદિ હાય છે.
આજ પ્રકારે ધર્મ આદિ અરૂપી દ્રવ્યોમાં પણ સાદિ પરિણામની શકયતા છે. જેમ, ગતિ કરવાની ઇચ્છવાળા કોઈ પુરૂષ જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે ધદ્રવ્ય તેની ગતિમાં નિમિત્ત બની જાય છે. આ નિમિત્તત્વ બની જવુ ધર્મ દ્રવ્યને પર્યાય છે. જે પહેલા ન હતા હવે ઉત્પન્ન થયો છે આથી આ ગતિ નિમિત્તત્વ પરિણામ સાદિ જ હાઇ શકે છે, અનાદિ નહી તે મૈત્ર નામને પુરુષ ગતિથી સ્થિર થઈ જાય ત્યારે તે ગતિ નિમિતત્ત્વ પણ રહી જતા નથી આમં ઉત્પાદ અને વિનાશવાન હેાવાથી તે સાતિ છે. ઉપગ્રાહ્યના અભાવમાં ઉપગ્રાહકત્વ પણ
હાતા નથી.
આકાશ દ્રવ્ય પણ અવગાહના કરનાર માટે—અવગાહદાન રૂપ પર્યાયથી પરિણત થાય છે. તે અવગાહદાન પર્યાય હમણાં હમણાં ઉત્પન્ન થવાથી સાદિ જ હાઈ શકે છે અનાદિ નહી કાલબ્ય પણ વૃત્ત વર્તમાન આદિ પરિણમનથી યુકત હાય છે આ પ્રકારે આ પરિણામ દ્રબ્યાર્થિ કનયના વ્યાપારથી ધ વગેરેના સ્વભાવ છે, ધર્માદિથી ભિન્ન નથી.