________________
૧૧૬
તત્વાર્થસૂત્રને સમજ જોઈએ. રાજા દ્રવ્ય આદિ આપીને નેકરનો ઉપકાર કરે છે, સેવક હિત સાધીને અને અહિત રેકીને રાજાને ઉપકાર કરે છે. આચાર્ય આ લેક તથા પરકમાં ઉત્તમ ફળ આપનાર ઉપદેશ અનુસાર ક્રિયા કરાવીને શિષ્યને ઉપકાર કરે છે. શિષ્ય આચાર્ય માટે અનુકૂળ કાર્ય કરીને આચાર્યને ઉપકારક થાય છે.
આવી રીતે જીવના સુખ, દુઃખ, જીવન તથા મરણ પણ છવકૃત ઉપકાર છે. જે જીવ બીજા જીવને સુખ પહોંચાડે છે તે તેને અનેકવાર સુખી બનાવે છે આથી ઉલટું જે જીવ જેને દુઃખ આપે છે તે બદલામાં તેને વારંવાર દુઃખી બનાવે છે. જે જેને ઘાત કરે છે તેને તેની દ્વારા ઘણીવાર મરવું પડે છે વળી કહ્યું પણ છે કે—
અરે જીવ ! તું તારા પુત્ર-પત્ની વગેરે પરિવાર માટે જીવની જે હિંસા કરીશ, તેના ટુકડે-ટુકડા કરીશ, દુઃખ ઉપજાવીશ તે યાદ રાખજે કે તારે એકલાને જ તેનું ફળ ભેગવવું પડશે કે ૧૭
તત્વાર્થનિયુકિત–પહેલા ધર્મ, અધમ, આકાશ, અને પુગલ દ્રવ્યના ઉપકારક રૂપમાં લક્ષણ કહેવામાં આવ્યું છે. આ માટે ધર્મ અધમ આદિ બધાં ઉપકારક હોય છે, ધર્મ, અધર્મ તથા આકાશપુદ્ગલેના ઉપકારક હોય છે, આકાશ ધર્મ, અધર્મ અને પુદ્ગલેને ઉપકારક હોય છે. ઈત્યાદિ રૂપથી કથન કરવામાં આવ્યું છે હવે જીવ કેને ઉપકારી હોય છે એ માટે કહીએ છીએ-જીવ પરસ્પર એક બીજાને ઉપકાર કરવામાં નિમિત્ત બને છે.
એક જીવ બીજા જીવને ભલાઈનો ઉપદેશ આપીને તથા અહિતથી રેકીને ઉપકાર કરે છે. એવી જ રીતે ભવિષ્યમાં અથવા વિદ્યમાન કાળમાં જે હિત છે, એગ્ય ક્ષેમ અગર ન્યાઓ છે તેનું પ્રતિપાદન કરીને તથા હિતથી વિપરીત અહિતને પ્રતિષેધ કરીને પરસ્પર ઉપકારક થાય છે. એક જીવ બીજાને, બીજી ત્રીજાને, ત્રીજો ચેથાને ઉપકાર કરે છે અને આવી રીતે ઉપકારની પરમ્પરા ચાલુ રહે છે.
જેમ ધર્મ, અધમ આકાશ કાળ અને પુદ્ગલ દ્રવ્યમાં સ્વભાવથી જ ઉપકારક્તા છે તેવી જીવોમાં સ્વભાવથી ઉપકારતા નથી. જેની ઉપકારતા તે અનુગ્રહ બુદ્ધિથી જ સમજવી જોઈએ. આ પ્રકારે પરસ્પર હિતાહિતને ઉપદેશ આપીને જીવ બીજા જીવને અનુગ્રહ કરે છે, પુદ્દગલ આદિ એવું કરતા નથી.
અથવા જીવના સુખ આદિના સાધક-એક-એક પુદ્ગલ વગેરે થઈ શકે છે. હમેશાં બે વગેરેને ઉપકારક થાય છે, એક-એકને નહીં. આ રીતે પહેલા પુદ્ગલ આદિને ગૌણ ઉપકાર પ્રતિપાદિત કર્યો અહીં જીવ દ્વારા થનારે મુખ્ય ઉપકાર સમજેવો જોઈએ. જીવ જેટલે અધિક ઉપદેશ દ્વારા જીવને ઉપકારક થાય છે તેટલો ધન વગેરે દ્વારા ઉપકાર કરતા નથી.
શંકા–પહેલા જીવનું લક્ષણ ઉપગ બતાવ્યું તે પછી તેનું બીજું લક્ષણ બતાવવું નકામું છે.
સમાધાન–ઉપગ જીવનું અન્તરંગ લક્ષણ છે. અહીં જે પરસ્પર ઉપકાર કરવાનું લક્ષણ કહેલ છે તે તેનું બહિરંગ લક્ષણ છે.
શંકા–એવું છે તે ધર્મ આદિનું પણ બીજું લક્ષણ કેમ ન બતાવ્યું?