________________
ગુજરાતી અનુવાદ
કાશ્મણ શરીરના લક્ષણનું કથન સ, ૩૧ જવાબઃ-ગૌતમ, વૈદિયવાળાને આહારક શરીર હોતું નથી અને આહારકવાળાને કિય શરીર પણ હેતું નથી. તેજસ અને કાર્મણ શરીરના વિષયમાં ઔદારિક શરીર માટે જે કહ્યું તેજ સમજવાનું છે અને આહારક શરીરના વિષયમાં પણ તેજ પ્રમાણે કહેવું જોઈએ અર્થાત્ જેને વૈકિય અને આહારક શરીર હોય છે તેમને તૈજસ અને કાર્મણ શરીર નિયમથી હોય છે.
પ્રનિઃ–ભગવંત, ! જેમને તૈજસ શરીર હોય છે તેમને કાર્પણ અને કામણવાળાને તૈજસ શરીર હોય છે ?
ઉત્તર–ગૌતમ, જેને તેજસ શરીર હોય છે તેમને કામણ શરીર નિયમથી હોય છે અને જેને કામણ શરીર હોય તેમને તેજસ શરીર નિયમથી હોય છે . ૩૦ ||
'कम्मगं उबभोगवज्जिए' મૂળસૂવાથ –કાશ્મણશરીર ઉપભેગથી રહિત છે . ૩૧ II
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં દારિક વેકિય આહારક તેજસ અને કાર્મણ ના ભેદથી પાંચ પ્રકારના શરીરનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે કાશ્મણનું પ્રકરણ આવવાથી તેના વિષયમાં થેડી વિશિષ્ટતાનું પ્રતિપાદન કરીએ છીએ—
કર્મથી ઉત્પન્ન થનાર, પૂર્વોકત સ્વરૂપવાળું કામણ શરીર ઉપભેગથી રહિત છે. ઈન્દ્રિદ્વારા શબ્દ, રૂપ, ગંધ રસ અને સ્પર્શ વગેરેની ઉપલબ્ધિ થાય તેને ઉપભેગ કહેવાય છે. કાર્મણ શરીર આ ઉપભેગથી રહિત છે. વિગ્રહગતિમાં કાર્યણશરીરનું અસ્તિત્વ હોવા છતાં પણ લબ્ધિરૂપ ભાવેન્દ્રિયનું વિદ્યમાનપણું હોવા છતાં પણ વ્યક્તિને અભાવ હોવાથી શબ્દ વગેરે ભેગ, ઉપલેગ થતું નથી.
દારિક વગેરે શરીરના સદૂભાવમાં સુખ દુખ રૂપ વિષને ઉપભેગતે પ્રત્યક્ષથી સિદ્ધ છે પરંતુ જ્યારે વિગ્રહગતિમાં કાર્મણશરીર હોય છે ત્યારે આ શરીરથી શબ્દ વગેરે વિષયેને ઉપભેગા થઈ શક્તા નથી. આથી જ કામણ શરીરને ઉપભેગથી રહિત કહેવામાં આવ્યું છે. તે ૩૧ |
'ओरालिए दुविहे सम्मुच्छिमे गम्भवक्कतिए य' । મૂળસૂત્રાર્થ–ઔદારિક શરીર બે પ્રકારના છે–સમૂર્છાિમ અને ગર્ભવ્યુત્કાન્તિક માસરા
તત્વાર્થદીપિકા–પહેલા ત્રણ પ્રકારના જન્મ કહેવામાં આવ્યા છે તેમાંથી કયા જન્મમાં ઔદારિક આદિ પાંચે શરીરમાંથી કયું શરીર હોય છે, આવી જિજ્ઞાસા થવાથી કહેવામાં આવે છે કે-ઉદાર અર્થાત્ સ્થૂળ પુદ્ગલેથી બનનારૂં શરીર ઔદારિક કહેવાય છે તેના બે ભેદ છે-સમૂર્છાિમ અને ગર્ભવ્યુત્કાન્તિક. આ રીતે સમૂર્ણિમ જન્મ અને ગર્ભજન્મથી ઉત્પન્ન થનારા જીવને દારિક શરીર હોય છે. અહીં એવી અટકળ કરવાની નથી કે તેમને માત્ર ઔદારિક શરીર જ હોય છે. કારણકે તેમને તૈજસ અને કાર્મણ શરીર પણ હોય છે. લબ્લિનિમિત્તક વૈક્રિય અને આહારક શરીર પણ ગર્ભજ જીવને આગળ જતાં હોઈ શકે છે. ઔદારિક શરીર જઘન્યથી આંગળીના અસંખ્યાત ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી હજાર જન પ્રમાણથી કંઈક વધારે હોય છે.
દારિક શરીર, જેમ-જેમ આયુષ્ય વધતું જાય છે તેમ-તેમ વધતું જાય છે અને જ્યારે આયુષ્યને ક્ષય થવા લાગે છે ત્યારે જીર્ણ થવા માંડે છે. પછીથી જ્યારે ગાત્રો ઢીલા પડી