________________
७४
તત્વાર્થસૂત્રને
જેવાં સ્ત્રીવેદનીય અને ઘાસના પૂળાની અગ્નિ સમાન પુરુષવેદનીય જે અગાઉ નિકાચિત રૂપમાં બંધાયેલા હતાં, તે ઉદયને પ્રાપ્ત થાય છે. આ બંનેથી ભિન્ન નપુંસકવેદનીયને કદાપી ઉદય થતું નથી કારણકે પૂર્વભવમાં તેને બંધ કરવામાં આવ્યા ન હતા.
અહીં નપુંસકદની અપેક્ષા સ્ત્રીવેદ શુભ કહેવાય છે, હકીકતમાં તે શુભ છે એમ સમજવું ન જોઈએ. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે –
પ્રશ્ન–ભગવંત! શું અસુરકુમાર સ્ત્રીવેદી પુરુષવેદી અગર નપુંસવેદી હોય છે?
ઉત્તર–હે ગૌતમ ! સ્ત્રીવેદી અને પુરુષવેદી હોય છે, નપુંસક વેદી હોતા નથી. સનકુમારો સુધી આ પ્રમાણે જ કહેવું જોઈએ. જેવું અસુરકુમારના સંબન્ધમાં કહે છે તેવું જ વનવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક બાબતમાં પણ સમજવું જોઈએ . ૩૮ છે
'नारगे समुच्छिमेय नपुंसगवेए' . મૂળસૂત્રાર્થનારક અને સમૂર્ણિમ જીવ નપુંસકવેદી જ હોય છે કે ૩૯ છે
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ચારે નિકાયના દેશમાં સ્ત્રી અને પુરુષવેદનું વિધાન કરવામાં આવ્યું હવે નારકી અને સમૂર્છાિમ જેમાં માત્ર નપુંસકવેદ જ હોય છે એ પ્રરૂપણ કરવા માટે કહે છે
રત્નપ્રભા વગેરે સાતે નરકભૂમિમાં રહેનારાં નારક જીવ અને પૂર્વોકત સ્વરૂપવાળા સમૂઈિમ છે માત્ર નપુંસકવેદી જ હોય છે. તેમનામાં ન પુરુષવેદ હોય છે કે ન સ્ત્રીવેદ. આ રીતે બધાં નારક, પૃથ્વીકાય અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને કોઈ-કઈ પંચેન્દ્રિય મનુષ્ય તથા તિર્યંચ સંમૂછિમ હોય છે અને તે તમા. મને નપુંસકવેદી જ સમજવા જેઈએ કારણકે નારકી તથા સંમૂછિમછમાં ત્રણ વેદમાંથી ફક્ત નપુંસકવેદ જ પૂર્વકાળમાં નિકાચીત રૂપમાં બંધાયેલા હોવાથી તેમાં જ તેમને ઉદય થાય છે. તેઓએ પૂર્વકાળમાં પુરુષવેદમોહનીય અને સ્ત્રીવેદમોહનીય કર્મો કે જે શુભ છે, તે બાંધ્યા ન હતાં. ૩૯ છે
તત્વાર્થનિયુકિત-સાત નરકભૂમિમાં રહેલા નારક છે તથા બધાં સંમૂર્ણિમ છે અર્થાત્ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા કઈ-કઈ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય નપુંસક જ હોય છે. તેઓ ન તે
સ્ત્રીવેદી હોય છે કે ન પુરુષવેદી કારણકે ચારિત્રહનીય કર્મને ભેદ જે નેકષાયવેદનીય છે તેના હાસ્યાદિ નવ ભેદોમાંથી જે ત્રણ વેદ છે તેમાંથી એક નપુંસકવેદને જ ઉદય થાય છે. સ્ત્રીવેદ અગર પુરુષવેદને ઉદય થતું નથી. આ કારણે બધાં નારક તથા સંમૂર્ણિમ જીવ અશુભ નગરદાહની જેમ મૈથુનની અભિલાષાવાળા હોય છે.
આશય એ છે કે નારકી તથા સંમૂછિમ છએ અનન્તર પૂર્વભવમાં નપુંસકવેદને યોગ્ય કર્મોને આશ્રવ (આપાત) કર્યો, તે કર્મોને દૂધ અને પાણીની જેમ એક-એક કરીને નિકાચીત બંધ–ગ્રહણ કરેલ છે વળી તે કર્મો આત્મપ્રદેશ સાથે ભળી ગયા છે-જુદાં જણાઈ આવતાં નથી. વિશેષ પ્રકારનાં અધ્યવસાયથી તે કર્મને બંધ કર્યો છે. તેજ કર્મ આ વર્તમાનભવમાં પકિપકવ થઈ ઉદયાવસ્થામાં આવ્યા છે આથી જ નારક અને સંમૂછિમ જીવ દુઃખની વિપુલતાવાળા હોવાથી નપુંસક જ હોય છે. તેઓ કદાપી સ્ત્રી અગર તે પુરુષ વેદવાળા દેતા નથી.