________________
૬૮ *
તત્વાર્થસૂત્રને છે ત્યારે તેનું સમાધાન મેળવવા માટે તેને તીર્થકર ભગવંતના ચરણકમળમાં જવું અનિવાર્ય બની જાય છે પરંતુ વિદેહ વગેરે દૂરવતી ક્ષેત્રમાં ઔદારિક શરીરથી જવું શકય હોતું નથી. આ પરિસ્થિતિમાં તે પિતાની પૂર્વ પ્રાપ્ત લબ્ધિને ઉપયોગ કરે છે અને તેની મદદથી આહારક શરીરનું નિર્માણ કરીને તેને તીર્થકરના ચરણારવિન્દોમાં મોકલે છે અથવા એમ કહેવું
ગ્ય લેખાશે કે તે પેલા શરીર દ્વારા સ્વયં ભગવંતના ચરણકમળમાં હાજર થાય છે.
હવે ત્યાં પહોંચ્યા બાદ એવા સમાચાર મળેકે તીર્થકર ભગવંત વિહાર કરીને અન્ય સ્થળે ચાલ્યા ગયા છે તો તે આહારક અસરથી મુઠીબાંધેલા હાથ જેટલું બીજુ શરીર નિકળે છે અને આ બીજું શરીર તીર્થકર ભગવંતની પાસે જાય છે, ત્યાં પહોંચી તુર્ત જ ભગવાનના દર્શન કરીને, તેમને નમસ્કાર કરીને અને પ્રશ્ન પૂછી સંશય રહિત થઈ જાય છે. સંશય ટળી જતાં તે પછું ફરે છે. બીજુ આહારક શરીર પ્રથમ આહારકશરીરમાં વિલીન થઈ જાય છે અને પ્રથમ આહારક શરીર મૂળ શરીરમાં સમાઈ જાય છે. આવી રીતે પોતાના પ્રજનને પ્રાપ્ત કરીને તે મુનિરાજ હતા તેવા થઈ જાય છે.
કોઈ કઠણ અને અત્યન્ત સૂક્ષ્મ અર્થમાં શંકા ઉપસ્થિત થવાથી તેને નિર્ણય કરવા માટે દૂર દેશવતી અહંન્ત ભગવંતના ચરણકમળમાં દારિક શરીરથી જવાનું અસંભવિત સમજીને લબ્ધિ નિમિત્તક શરીરને ઉત્પન્ન કરે છે. ભગવાનથી પ્રશનોત્તરી થયા બાદ સંશય રહિત થઈ પાછા આવી તે શરીરને ત્યાગ કરી દે છે. આ બધું એક અન્તર્મુહૂર્તમાં જ થઈ જાય છે. ભાષ્યનું આ કથન પણ આનાથી સંગત થાય છે. પ્રજ્ઞાપનાના ૨૧માં શરીરપદમાં કહ્યું છે—
પ્રનિ–ભગવંત ! આહારકશરીરનું સંસ્થાન કેવું હોય છે? ઉત્તર–ગૌતમ! સમરસ સંસ્થાન હોય છે.
આ રીતે ભાવાર્થ એ થયો કે જે શરીર કેઈ વિશિષ્ટ પ્રજનની સિદ્ધિ માટે ઉત્પન્ન કરવામાં આવે છે અને તે પ્રજનની પ્રાપ્તી થઈ જવા પર-ઉછીના લીધેલા દાગીનાની જેમ ત્યાગ કરવામાં આવે છે તે આહારક શરીર છે. સંશયનું નિવારણ કરવું, નવું જ્ઞાન સંપાદન કરવું, દ્વિદર્શન વગેરે તેના પ્રયાજને છે. આ શરીર માત્ર અન્તમુહૂર્ત સુધી જ રહે છે. અન્તર્મુહૂર્ત સમયમાં જ ઇચ્છિત પ્રજનની સિદ્ધિ થઈ જાય છે. પ્રજન સિદ્ધિ થઈ જવા પર આહારક શરીરનો ત્યાગ કરવામાં આવે છે. “ત્યારબાદ તે મુનિ તે લબ્ધિનો પ્રયોગ કરતા નથી.”
આહારકશરીરથી જે પ્રજનની સિદ્ધિ થાય છે તેને દારિક વગેરે અન્ય કોઈપણ શરીર સિદ્ધ કરી શકતાં નથી. અન્ય શરીર નિયમથી અન્તર્મુહૂર્ત માત્રની સ્થિતિવાળા જ હોય એ કેઈ નિયમ નથી.
- તેજસ શરીર તેજના વિકાર રૂપ તેજોમય, તેજઃ સ્વભાવ હોય છે. તેનું પૂજન શાપ અને અનુગ્રહ કરવાનું છે. અત્રે તેને અધિકાર નથી. તેજનું લક્ષણ ઉષ્ણતા છે. તે સમસ્ત