________________
૫૮
~
~~-~
W
તત્વાર્થસૂત્રને સ્થૂળ અને પિલું હોય છે અને તેની અપેક્ષા વૈકિય શરીર બહતર દ્રવ્યોવાળું, સૂમિ અને સઘન પરિણમનવાળું હોય છે. આ કારણે તેને દારિકની અપેક્ષા સૂકમ કહેલ છે.
પ્રશ્ન—દારિક શરીર શાસ્ત્રમાં વધુમાં વધુ એક હજાર યેજનથી ડુંક વધારે પરિમાસુવાળું કહેવામાં આવેલું છે પરંતુ વૈકિય શરીર કંઈક વધુ એક લાખ જન પરિમાણવાળું હોય છે તે પણ તેને સૂકમ કઈ રીતે કહ્યું ?
ઉત્તર–જો કે પ્રમાણની અપેક્ષા વકિય શરીર ઘણું મોટું હોય છે તે પણ અદશ્ય હોવાથી તે સૂક્ષ્મ જ કહેવાય છે. હા, જે વિકિય શરીર બનાવનાર ધારે તે તે દષ્ટિગોચર પણ થઈ શકે છે આથી તેને સૂફમ કહેવામાં કઈ દેષ નથી.
આવી જ રીતે વૈક્રિયની અપેક્ષા આહારક શરીર સૂક્ષમ હોય છે. તે બહુસંખ્યક દ્રવ્યથી ઉત્પન્ન થવા છતાં પણ સૂફમતર પરિમાણવાળું હોવાથી સૂક્ષ્મ છે. આહારકની અપેક્ષા તેજસ શરીર ઘણું સૂમ અને ઘણા દ્રવ્યથી બનેલું છે. તેજસ શરીરની અપેક્ષા કામણ શરીર બહુ અધિક દ્રવ્યોથી બનેલું હોવા છતાં પણ અત્યન્ત સૂક્ષ્મ હોય છે. અહીં ઉત્તરોત્તર શરીરમાં જે સૂક્ષ્મતાનું વિધાન કરવામાં આવેલું છે તે આપેક્ષિક છે, સૂક્ષ્મતા કર્મના ઉદયથી ઉત્પન્ન સૂફમતા નથી.
પ્રશન–કારણની સૂક્ષ્મતા હોવાથી બહુસંખ્યક પુદ્ગલ દ્વારા રચિત હોવા છતાં પણ પ્રચયની વિશેષતાને કારણે આગળ-આગળના શરીર ભલે સૂમ હોય પરંતુ તે શરીર બહુસંખ્યક પુદ્ગલથી બનેલા છે, તેની સાબીતી શી ? - ઉત્તર –દારિક આદિ શરીરનું નિર્માણ ક્રમશઃ અસંખ્યાતગણું અધિક પ્રદેશથી થાય છે અર્થાત્ ઔદારિક શરીરની અપેક્ષા વૈક્રિય શરીરના પ્રદેશ અસંખ્યાતગણી વધારે છે અને વેકિય શરીરના પ્રદેશથી આહારક શરીરના પ્રદેશ અસંખ્યાતગણુ વધારે હોય છે. આહારકની અપેક્ષા તેજસના અને તેજસની અપેક્ષા કાશ્મણ શરીરના પ્રદેશ અનન્તગણા વધારે હોય છે. પ્રવૃદ્ધદેશ પ્રદેશ કહેવાય છેઆ વ્યુત્પત્તિ અનુસાર જ્યારે અનન્તગુણ સ્કન્ધ અન્ય અનન્તાક સ્કંધેથી અસંખ્યાતવાર ગણવામાં આવે ત્યારે તે વૈકિય શરીર માટે ગ્રહણ કરવા ગ્ય બને છે. જ આવી જ રીતે વૈક્રિય શરીર માટે ગ્રહણ કરવા યોગ્ય એક અનન્તપ્રદેશી સ્કન્ધ જ્યારે અનન્તાણુક અંધથી અસંખ્યાત વખત ગુણવામાં આવે છે ત્યારે તે આહારક શરીર માટે ગ્ય બને છે પરંતુ તૈજસ અને કામણ શરીરના વિષયમાં આ નિયમ લાગુ થતું નથી. એમના માટે બીજો નિયમ છે જે હવે પછી કહેવામાં આવશે. આવી રીતે ઔદારિક શરીરને ઘેગ્ય સ્કંધ અનન્તાણુક હોવા છતાં પણ ઉત્તર સ્કધાની અપેક્ષા સહુથી નાનું છે કારણકે અનન્ત સંખ્યાના અનન્ત ભેદ છે.
આને સારાંશ એ છે કે દારિક શરીરને યોગ્ય એક કંધ જ્યારે અન્ય અનન્તપદેશી. સ્કો સાથે અસંખ્યવાર ગુણાય ત્યારે જ તે વેક્રિય શરીરને મેગ્ય બને છે. આવી જ રીતે ક્રિય શરીરના યોગ્ય સ્કથી આહારક શરીરના યંગ્ય સ્કંધ અસંખ્યગણું છે. આને ફલિતાર્થ એ છે કે વૈક્રિય શરીરને ગ્ય સ્કંધ જ્યારે અન્ય અનન્તપ્રદેશી અસંખ્યાત સ્કંધેથી ગુણાય છે ત્યારે તે આહારક શરીરને અનુરૂપ બને છે." - તેજસ અને કાશ્મણ શરીર પૂર્વ-પૂર્વના શરીરની અપેક્ષા પ્રદેશથી અનન્તગણ હેય છે. આ રીતે આહારક શરીરથી તેજસમાં અનન્તગણ પ્રદેશ છે અને તૈજસની અપેક્ષા કામણ