________________
૧૪૪ તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. કર્મ - રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે તે અસત્યાર્થ છે, જૂઠો છે કેમ કે કર્મ, રાગ અને ગુણભેદ એ ત્રિકાળી વસ્તુમાં નથી. ધ્રુવ વસ્તુ જે અનાદિ અનંત, અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ જેમાં સંયોગ, રાગ, પર્યાય કે ગુણભેદ નથી એવા અભેદની દષ્ટિ કરવી, આશ્રય
કરવો એ સમ્યગ્દર્શન છે. ૫૪ “શુદ્ધ, બુધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ” બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે.
આત્મા શુદ્ધ કહેતાં પવિત્ર છે. જે પર્યાયે તેનો શુદ્ધ તરીકે સ્વીકાર કર્યો તેના માટે શુદ્ધ છે. બુદ્ધ એટલે જ્ઞાનસ્વરૂપ છે, માત્ર જાણનાર છે, કરનાર નથી. ચૈતન્યઘન કહેતાં અસંખ્ય પ્રદેશ છે. સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય આવી વાત નથી. સ્વયં જ્યોતિ એટલે સ્વયંસિદ્ધ વસ્તુ છે. કોઈએ ઉત્પન્ન કરી હોય કે કોઈથી નાશ થાય(પામે) એવી ચીજ નથી. તે સુખધામ છે એટલે આનંદનું - અતીન્દ્રિય આનંદનું ધામ છે. આવો આત્મા અભેદ એકરૂપ ભૂતાઈ વસ્તુ છે. તેને કર વિચાર તો પામ” એટલે કે જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદન વડે આવા જ્ઞાયકને લક્ષમાં લ્ય, તેની પ્રતીતિ કરે તો નિર્વિકલ્પ અનુભવ થાય, તેની પ્રાપ્તિ થાય.
પોતાના અનંત ગુણોમાં વ્યાપેલું અભેદ, અખંડ જે ધુવ તત્ત્વ, એની દષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. ૫૫ એક સમયમાં અભેદ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો-છતો છતો વિદ્યમાન
પદાર્થ સત્ય છે. તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાપ્તિના પ્રયોજનની સિદ્ધિ થાય છે તેથી તે મુખ્ય છે. અને સઘળો જે વ્યવહાર છે તે અસત્યાર્થ છે, તેના આશ્રયે પ્રયોજનની
સિદ્ધિ થતી નથી તેથી તે ગૌણ છે, લક્ષ કરવા યોગ્ય કે આશ્રય કરવા યોગ્ય નથી. ૫૬ રાગ અને આત્મા બન્નેનું ભેદવિજ્ઞાન કરી ધ્રુવ ત્રિકાળી પરમાનંદ સ્વરૂપે પરમાત્માનો પુરુષાર્થ વડે આશ્રય
કરનાર ભૂત ર્થદર્દીઓને તે ચૈતન્યસૂર્ય જ્ઞાયકબિંબ આવિર્ભત થાય છે, પ્રગટ થાય છે અને તેથી સમ્યગ્દર્શન,
સમ્યજ્ઞાન આદિ શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે. ૫૭ પ્રગટ ત્રિકાળી ભગવાનનો જે આશ્રય લે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. જેવું અંદર પૂર્ણ સત્ય સ્વરૂપ
પડ્યું છે, તેનો અનુભવ કરીને પ્રતીતિ કરે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. આ જૈન ધર્મ છે. અરે !
લોકોએ નવા નવા વાડા બાંધી જૈન ધર્મનું મૂળ તત્ત્વ આખું પીંખી નાખ્યું છે. ૫૮ જેઓ શુદ્ધ નયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરતાં હોવાથી સમ્યગ્દષ્ટિ છે, પણ બીજા
સમ્યગ્દષ્ટિ નથી. શુદ્ધ નયનો આશ્રય કરે છે એટલે કે ત્રિકાળી અભેદ એકરૂપ જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેઓ જ વસ્તુના સ્વરૂપને સમ્યક પ્રકારે જુએ છે, અનુભવે છે અને તેથી તેઓ જ સમ્યગ્દષ્ટિ છે. જેઓ અશુદ્ધ નયનો આશ્રય કરે છે તેઓ સમ્યગ્દષ્ટિ નથી. જેઓ રાગનો, ભેદનો, એક સમયની પર્યાયનો
આશ્રય કરે છે તેઓ મિથ્યાદષ્ટિ જ છે. ૫૯ અહો! હું તો ચૈતન્યજ્યોતિ સ્વરૂપ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છું. વિકલ્પના અભાવરૂપ નિર્વિકલ્પ
મારું ચૈતન્યરૂપ છે. લોકાલોકથી માંડીને જેટલા વિકલ્પ થાય છે તેને હું અડતો ય નથી. આ પ્રમાણે