Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 586
________________ ૫૬૪ ખરેખર કોઈ બીજાનું ભલું બુરું કરી શકે, કર્મ જીવને સંસારમાં રખડાવે વગેરે માનવું તે અજ્ઞાનતા છે. આત્મા અને પુદ્ગલની (દહની) બન્નેની ક્રિયા આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદષ્ટિ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પર જીવનો કર્તા છે એમ માનવું તથા કહેવું એ વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. પ્ર. ૧૦ઃ જીવ વિકાર સ્વતંત્રપણે કરે છે કે કેમ? ઉ. ૧૦ઃ ૧) પૂર્વે બંધાયેલા દ્રવ્યકર્મોનું નિમિત્ત પામી જીવ પોતાની અશુદ્ધ ચૈતન્યશક્તિ દ્વારા રાગાદિ ભાવોનો (વિકારોનો) કર્તા બને છે, ત્યારે (તે જ સમયે) પુદ્ગલ દ્રવ્ય રાગાદિ ભાવોનું નિમિત્ત પામીને પોતાની શક્તિથી (પોતાના ઉપાદાનકારણથી) અષ્ટ કર્મરૂપ ભાવને પ્રાપ્ત કરે છે. ૨) બંધપ્રકરણવશાત્ અશુદ્ધ નિશ્ચય નયથી, જીવનારાગાદિવિભાવ પરિણામને પણ (જીવનો) સ્વભાવ કહેવામાં આવ્યો છે. ૩) જો કેનિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વવસ્તુઓનું, પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે, તો પણ(આત્માને) અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામ વિકાર છે. ૪) આત્માને રાગાદિક ઊપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચય નયથી વિચારવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાદિકનું ઊપજાવનાર નથી; અન્ય દ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે; કારણ કે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાય ઊપજાવતું નથી એ નિયમ છે. જેઓ એમ માને છે કે પરદ્રવ્ય જ મને રાગાદિક ઊપજાવે છે, તેઓ નય વિભાગને સમજતા નથી, મિથ્યાદષ્ટિ છે. એ રાગાદિક જીવના સત્ત્વમાં ઊપજે છે, પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે - એ માનવું તે સમ્યજ્ઞાન છે. ૫) પરમાર્થથી આત્મા પોતાના પરિણામ સ્વરૂપ એવા તે ભાવકર્મનો જ કર્તા છે. પરમાર્થથી પુગલ પોતાના પરિણામસ્વરૂપ એવા તે દ્રવ્યકર્મનું જ કર્તા છે, પરંતુ આત્માના કર્મસ્વરૂપ ભાવકર્મનું નહિ. ૬) જ્યાં સુધી સ્વરૂપનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી તો તેને રાગાદિકનો - પોતાના ચેતનરૂપ ભાવકર્મોનો કર્તા માનો, અને ભેદજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો. આમ એક જ આત્મામાં કર્તાપણાનો તથા અકર્તાપણું - એ બન્ને ભાવો વિવક્ષાવશ સિદ્ધ થાય છે. આવો સાદ્વાદ મત જૈનોનો છે. આવું (સ્વાદ્વાદ) માનવાથી પુરુષને સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે; સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય વ્યવહારનો લોપ થાય છે. ૭) જીવ આ વિકારો પોતાના દોષથી કરે છે તેથી તે સ્વકૃત છે; પણ તે સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે પોતામાંથી ટાળી શકાય છે. અશુદ્ધ નિશ્ચય નયથી તે સ્વકૃત છે અને ટાળી શકાય છે. માટે નિશ્ચય નયથી તે પરકૃત છે, પણ તે પરકૃતાદિ થઈ જતાં નથી, માત્ર પોતામાંથી તે ટાળી શકાય છે એટલું જ તે દર્શાવે છે. ૮) વિકારતે આત્મદ્રવ્યનો ત્રિકાળી સ્વભાવનથી, પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાયસ્વભાવ છે, તે ઉદયભાવ હોવાથી પર્યાય અપેક્ષાએ જીવનું સ્વતત્ત્વ છે.

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626