Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 588
________________ ૫૬૬ (૩) જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે, નિમિત્તનો દાવ કદી પણ નથી. (૪) જ્યાં દરેક વસ્તુ અસહાય (સ્વતંત્રપણે) સધે છે (પરિણમે છે), ત્યાં નિમિત્ત કોણ છે ? પ્ર. ૧૨ : નિમિત્ત ઉપાદાનને કાંઈ કરી શકતું નથી, તો શરીરમાં સોય પેસી જવાથી જીવને દુઃખ કેમ થાય છે? ૭. ૧૨ : ૧) જીવ સદાય અરૂપી હોવાથી તેને સોયનો સ્પર્શ થઈ શકે નહિ. એક આકાશક્ષેત્રે સોયનો સંયોગ થયો તે દુઃખનું કારણ નથી, પણ અજ્ઞાની જીવને શરીરની અવસ્થા સાથે એકત્વ-મમત્વ બુદ્ધિ હોય છે, તેથી તેને જે દુઃખ થાય છે તે સોય શરીરમાં પેસી જવાને કારણે નહિ પણ તે પ્રસંગે પ્રતિકૂળતાની ખોટી કલ્પનાથી (મિથ્યા માન્યતાથી) થાય છે. ૨) જ્ઞાનીને નીચલી દશામાં જે અલ્પ રાગ છે તે શરીર સાથે એકત્વબુદ્ધિનો રાગ નથી; પોતાની ક્ષણિક નબળાઈને કારણે, તેને જેટલો રાગ છે તેટલું દુઃખ થાય છે. જ્ઞાની અલ્પ દુઃખરૂપ વિકારનો જ જ્ઞાતા છે, પણ તેનો સ્વામી નથી. અજ્ઞાની પર સાથે એકત્વબુદ્ધિ કરી વિકારનો સ્વામી બની દુઃખી થાય છે. સમ્યગ્દર્શનાદિકથી ભ્રમ દૂર થાય તો સામગ્રીથી દુઃખ-સુખ ન ભાસતાં પોતાના પરિણામથી જ સુખ-દુઃખ ભાસે. પ્ર. ૧૩ : નિમિત્ત-ઉપાદાનના પ્રશ્નોમાં શો સિદ્ધાંત રહેલો છે ? ઉ. ૧૩ : ૧) (૧) કોઈ એકલા ધ્રુવ ઉપાદાનકારણને માને પણ ક્ષણિક ઉપાદાન તથા નિમિત્તકારણોને ન માને. (૨) કોઈ ધ્રુવ ઉપાદાનકારણને તથા નિમિત્તકારણને માને પણ ક્ષણિક ઉપાદાનકારણને ન માને. (૩) કોઈ ક્ષણિક ઉપાદાનકારણને માને પણ ધ્રુવ ઉપાદાન તથા નિમિત્તકારણોને ન માને. (૪) કોઈ નિમિત્તકારણને ન માને -તો તેમની આ ચારે ય પ્રકારની માન્યતાઓ મિથ્યા છે. ૨) ઉપાદાનનું કાર્ય ઉપાદાનથી જ થાય છે. નિમિત્તકારણ કાર્યકાળે જ હોય છે, પણ તે નિમિત્તકારણની રાહ જોવી પડે કે તેને મેળવવા પડે એમ કોઈ માને તો તે માન્યતા મિથ્યા છે. ૩) નિમિત્ત પર છે, તેથી તે મેળવી શકાતું નથી. છતાં કોઈ બાહ્ય સામગ્રીરૂપ નિમિત્તકારણો શોધવાના નિરર્થક કાર્યમાં રોકાય તો તેને આકુળતા થયા વિના રહે નહિ. ૪) નિમિત્ત સાથેનો સંબંધ એક સમય પૂરતો હોય છે એમ સૂક્ષ્મ દૃષ્ટિવાન જાણે છે. છદ્મસ્થનો જ્ઞાનોપયોગ અસંખ્યાત સમયનો છે, માટે નિમિત્ત મેળવવાની શોધ નિરર્થક છે. ૫) નિમિત્ત પોતાનું ઉપાદાન છે અને સ્વઉપાદાન તરીકે પોતાનું કાર્ય પોતામાં કરે છે. જો તે પર ઉપાદાનનું કાર્ય અંશે પણ કરે અર્થાત્ પર ઉપાદાનને ખરેખર અસર કરે, તેને ટકો આપે, તેના પર પ્રભાવ પાડે, તેને લાભ-નુકસાન કરે, મદદ કરે, બળ આપે વગેરે, તો નિમિત્તે બે કાર્યો કર્યા - એક પોતાનું અને બીજુ પર ઉપાદાનનું એમ ઠરે; એમ માનનાર િિક્રયાવાદી હોવાથી તે અરિહંતના મતનો નથી. તે મિથ્યાદષ્ટિ છે.

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626