Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 604
________________ ૫૮૨ ૩. પ્રતિકૂળતાને ક્રોધ વગર – આકુળતા વગર સહન કરું છું. ૪. વીર થઈને મારી સમસ્ત શક્તિને હું આત્માની સાધનામાં લગાવી દઉં છું. દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ હવે મારી સાધનાને અટકાવી શકે નહિ, કેમ કે મારા ચૈતન્ય પ્રભુ પોતે જ પ્રગટ થઈને શુદ્ધ આનંદ પરિણતિરૂપ થવા ચાહે છે. ૫. અત્યાર સુધી પ્રભુ ઊંધતા હતા, હવે જાગ્યા છે. એવા જાગ્યા છે કે મોહ-ચોરને ભગાડીને પોતાના સમત્વાદિ સર્વ નિધાનને સંભાળી રહ્યા છે. ૬. મને એ નિધાન દેખાડીને આપી રહ્યા છે કે લે! ચૈતન્યના આ બધા ય નિધાન તારા જ છે, આનંદથી તું તેને ભોગવ! ૭. અહો ! મારા નિજ નિધાન પામીને મને જે મહાન આનંદ થાય છે તેની શી વાત! ૮. એની વાત કરવા માટે કે એનો હર્ષ કરવા માટે ય એ નિજ નિધાનમાંથી બહાર નીકળવું મને પાલવતું નથી. ૯. બસ! હવે અંદર ને અંદર રહીને જ હું મારા નિજ નિધાનને ભોગવીશ. ૫. આત્મ કિર્તનઃ हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आतमराम ॥ में वह हूँ जो है भगवान, जो मैं हूँ वह है भगवान । अंतर यही उपरी जान, वे विराग यह राग वितान ॥ मम स्वरुप है सिद्ध समान, अमित शक्ति सुख निधान । જિંતુ મારા વર હોવા જ્ઞાન, ના મિલાની નિપટ માન રા सुख दुःख दाता कोई न आन, मोह, राग ही दुःखकी खान। निजको निज, परको पर जान, फिर दुःखका नहीं लेश निदान ॥ ॥३॥ નિન, શિવ, રસ, રક્ષા, રામ, વિષ્ણુ, શુદ્ધ, હાર નિ નામા राग त्याग पहूँचू निज धाम, आकुलताका फिर क्या काम ॥ ॥४॥ होता स्वयं जगत परिणाम, मैं जगका करता क्या काम। दूर हटो परकृत परिणाम, “सहजानंद" रहूँ अभिराम ॥ ૬. નમસ્કારરૂપ વચનોઃ ૧. જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્મપણે થઈ વ્યક્તપણે જે પ્રકારે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાએ ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ! III Iો

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626