Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 587
________________ ૫૬૫ જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે, તેથી વિકાર થાય છે, પણ કર્મના કારણે વિકાર ભાવ થતો નથી. ૯) રાગ પરિણામ જ આત્માનું કાર્ય છે, તે જ પુણ્ય-પાપરૂપ દ્વેષ છે, રાગ પરિણામનો જ આત્મા કર્તા છે, તેને જ ગ્રહનાર અને છોડનાર છે. આ શુદ્ધ દ્રવ્યના નિરૂપણસ્વરૂપ નિશ્ચય નય છે. ૧૦) જીવ પોતે જ પોતાના દોષથી કર્મ અનુસાર પરિણમે છે, તેથી તેને પોતાના સ્વભાવની ઉપલબ્ધિ નથી. કર્મ જીવના સ્વભાવનો પરભાવ કરે છે એમ કહેવું તે તો ઉપચાર કથન છે, પરમાર્થ એમ નથી. પ્ર. ૧૧ : નિમિત્ત ભલે કાંઈ ન કરે, પણ નિમિત્ત વિના ઉપાદાનમાં કાર્ય થતું નથી ને? ઉ. ૧૧ : ૧) નિમિત્ત વિના કાર્ય થતું નથી' એ વ્યવહારનયનું કથન છે. એનો અર્થ એ છે કે તેમ નથી'; પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે તેમ કહેવામાં આવે છે; કારણ કે દરેક સમયના ઉત્પાદ(કાર્ય) વખતે ઉચિત બહિરંગ સાધનોની (નિમિત્તોની) સંનિધિ (હાજરી - નિકટતા) હોય જ છે. ૨) અહીંઆશય એટલો જ છે કે જ્યાં કાર્ય થાય ત્યાં ઉચિત નિમિત્ત હોય જ છે, ન હોય એમ બનતું નથી. ૩) જગતમાં દરેક દ્રવ્યમાં પરિણમન સમયે સમયે થઈ જ રહ્યું છે અને કાર્યને અનુકૂળ નિમિત્ત પણ સદાય દરેક સમયે હોય છે, તો પછી નિમિત્તને લીધે કાર્ય થયું, નિમિત્ત ન હોય તો કાર્ય ન થાય” વગેરે દલીલોને અવકાશ ક્યાં રહ્યો? કાર્યની ઉત્પત્તિ અને તેને ઉચિત નિમિત્તની ઉપસ્થિતિ વચ્ચે સૂક્ષ્મ દષ્ટિએ સમયભેદ છે જ નહિ. ૪) નિમિત્તનું અસ્તિત્વ નૈમિત્તિક કાર્યને જાહેર કરે છે, નહિ કે તે કાર્યની પરાધીનતા સૂચવે છે. ૫) ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે જ ઉચિત બહિરંગ સાધન નિમિત્ત’ નામ પામે છે, તે સિવાય તે નિમિત્ત કહેવાતું નથી. ૬) નિમિત્ત પર હોવાથી તે ઉપાદાનમાં ભળીને કે દૂર રહીને તેને મદદ, અસર, પ્રેરણા, આધાર કે પ્રભાવ આપી શકે નહિ, કારણ કે તેનો ઉપાદાનમાં અત્યંત અભાવ છે. ૭) પ્રત્યેક સમયે દરેક દ્રવ્ય ત્રિસ્વભાવ સ્પર્શી (એટલે કે ઉત્પાદક, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ સ્વભાવયુક્ત) હોય છે અને કાર્યના ઉત્પાદ સમયે બહિરંગ સાધનો (નિમિત્ત)ની હાજરી હોય છે જ. ૮) નિમિત્ત વિના ઉપાદાન બળહીન છે અને નિમિત્તની સહાય વિના કાર્ય થતું નથી - એવા બે પ્રશ્નો ઉપસ્થિત કરી પં. બનારસીદાસજીએ પોતાના રચેલા દોહામાં - એ માન્યતા ખરી નથી એવો ખુલાસો કરતાં કહ્યું છે કે - (૧) જ્યાં ઉપાદાન નિશ્ચય હોય છે ત્યાં નિમિત્ત વ્યવહાર હોય જ છે. (૨) જ્યાં ઉપાદાન નિજગુણ હોય ત્યાં નિમિત્ત પર હોય જ છે.

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626