Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 556
________________ ૫૩૪. છે, જેટલું રાગ રહિત સ્વસંવેદન થયું તેટલો જ ધર્મ છે. કોઈ એમ કહે કે “રાગ-દ્વેષ તો અધર્મ છે માટે જ્યાં રાગ-દ્વેષ હોય ત્યાં ધર્મનો અંશ પણ ન હોય” - તો એમ નથી. રાગ-દ્વેષ પોતે ધર્મ નથી એ વાત સાચી પણ અલ્પ રાગ-દ્વેષ હોવા છતાં સમ્યક શ્રદ્ધા-જ્ઞાનરૂપ ધર્મ હોઈ શકે છે. રાગને ધર્મ માને તો તે શ્રદ્ધા-જ્ઞાન પણ મિથ્યા જ છે. પરંતુ રાગ રહિત જ્ઞાનસ્વભાવને જાણીને તેની શ્રદ્ધા થઈ હોય ને રાગ સર્વથા ટળ્યો ન હોય તો તેથી કાંઈ શ્રદ્ધા-જ્ઞાન મિથ્યા થઈ જતાં નથી. તેમ જ ત્યાં રાગ-દ્વેષ અધર્મ છે માટે સમ્યક શ્રદ્ધાજ્ઞાનમાં ખામી છે એમ પણ નથી. રાગ-દ્વેષ હોવા છતાં જ્ઞાયક શ્રદ્ધા પણ હોય છે. કેમ કે શ્રદ્ધા-જ્ઞાનચારિત્ર વગેરે અનંત ગુણો છે તે સર્વથા અભેદ નથી-પૂર્ણની શ્રદ્ધા થયા પછી પૂર્ણ દશા પ્રગટ થતાં વાર લાગે છે. પરંતુ પૂર્ણતા પ્રગટ થવાનો સ્વભાવ છે તે પ્રતીતમાં આવ્યો એટલે અલ્પકાળે પૂર્ણતા પ્રગટ થયા વિના રહેશે નહિ. પ્ર. ૧૦ઃ સમ્યગ્દષ્ટિ મોક્ષ માટે પ્રયત્ન કરે કે મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે ? ઉ. ૧૦ઃ સમ્યગ્દષ્ટિ મોક્ષ માટે પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે અને મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે એટલે કે એની દષ્ટિ દ્રવ્ય ઉપર છે એટલે મુક્તિની પર્યાય આવવાની જ છે. જેવી રીતે જીવ સમ્યગ્દર્શન માટે સત્ય પુરુષાર્થ કરે છે અને દષ્ટિ દ્રવ્ય ઉપર એકાગ્ર થતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. વિધિ એ જ છે. પ્ર. ૧૧ : શાસ્ત્રમાં વ્યવહારને પણ પ્રશંસા યોગ્ય કહેલ છે ને? ઉ.૧૧ : નિશ્ચય શુદ્ધાત્માની ભાવનાવાળા સાધક જીવને જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા પ્રગટી ન હોય ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સાથે જે વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એટલે કે સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્ત્વનું જ્ઞાન અને પંચ મહાવ્રતનું આચરણ છે તેને નિશ્ચયનું સહકારી ગણીને પ્રશંસા યોગ્ય કહ્યું છે. વ્યવહારે મોક્ષમાર્ગ કહ્યો છે, તો પણ પરમાર્થે તો બંધ માર્ગ જ છે. તેથી નિશ્ચય શુદ્ધાત્માની ભાવના કાળે તે વ્યવહાર પ્રશંસા યોગ્ય નથી. સાધક જીવને પૂર્ણ વીતરાગતા થઈ નથી ત્યાં સુધી એટલે પ્રથમ અવસ્થામાં વ્યવહાર શ્રદ્ધા-જ્ઞાન-આચરણને પ્રશંસા યોગ્ય કહ્યું છે તો પણ શુદ્ધાત્માની ભાવના કાળે પ્રશંસા યોગ્ય નથી. પ્ર. ૧૨ દ્રવ્ય અનુસારી ચરણ અને ચરણ અનુસારી દ્રવ્ય એટલે શું? ઉ. ૧૨ : છઠે ગુણસ્થાને જે શુદ્ધતા હોય તે દ્રવ્યના જ આશ્રયે હોય છે. આશ્રયનો અર્થ એમ નથી કે રાગના આશ્રયે ધર્મ થાય. શુદ્ધતા જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં રાગની મંદતા હોય છે અને રાગની મંદતા જેટલી હોય તેટલા પ્રમાણમાં શુદ્ધતા શુદ્ધતાને કારણે હોય છે. તેને દ્રવ્ય અનુસારી ચરણ અને ચરાણ અનુસારી દ્રવ્ય તેમ પ્રવચનસારમાં કહ્યું છે. ૬. પાત્રતા અને નિશ્ચય-વ્યવહાર : પ્ર. ૧ઃ સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પાત્રતા કેવા પ્રકારની જોઈએ? ઉ. ૧ : પર્યાય સીધી દ્રવ્યને પકડે તે સમ્યગ્દર્શનની પાત્રતા છે. બાકી વ્યવહાર પાત્રતા તો ઘણા પ્રકારે કહેવાય. મૂળ પાત્રતા તો દષ્ટિ દ્રવ્યને પકડી સ્વાનુભવ કરે તે પાત્રતા છે.

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626