________________
નવયુગને જૈન
૧૧-,-, *
*
સ્વીકાર કરી કરાવી અમલમાં મૂકતાં વર્ષો લાગતાં નથી. વચ્ચે એ કાળ હતો કે વિચાર અને વાતો ઘણી થતી, પણ અમલી કાર્ય બહુ વખત મુલતવી રાખવામાં આવતું. એ સમય હવે ચાલ્યા ગયા છે. ચાળીશ વર્ષને છેલ્લે ઈતિહાસ તપાસીએ તે અમુક ફેરફાર થવા જોઈએ, ઈષ્ટ છે –એવી વાતે તે પુષ્કળ થઈ છે, પણ વાતેના પ્રમાણમાં અમલ તદ્દન નિર્જીવ ગણાય. એ પરિસ્થિતિ પરિવર્તનયુગમાં જરૂર થાય તેવી છે, પણ હવે તે પરિવર્તનયુગને પણ છે. સમાજ લગભગ આવી ગયું હોય તેમ જણાય છે. તેથી નવયુગને અને પ્રાચીનયુગને કાંઈ સંબંધ ખરે કે નહિ એ પ્રશ્નનો નિકાલ થઈ જાય છે. એને સંબંધ પરિવર્તનકાળની મારફતે છે અને તે કેટલું રહેશે, કેટલે રહે ઇષ્ટ ગણાય અને ક્યાં તૂટી જશે એને વિચાર કરવો એ આ પુસ્તકનો ઉદેશ છે.
નવયુગના જૈનને પ્રાચીન જૈનોથી જુદા પાડવા નથી, પણ એ અત્યારે પ્રવર્તતી અનેક પરિસ્થિતિ દ્વારા જરૂર જુદા પડી જવાના છે એ તે આ ઉલ્લેખની ભૂમિકા જ છે. આ લેખન જેમ વિસ્તાર થતા જશે અને એનાં અભ્યતર કારણોમાં ઉતરવાનું બનશે, તેમ આ બન્ને યુગે ક્યાં જુદા પડશે તે જોવાના અનેક પ્રસંગે સ્વતઃ પ્રાપ્ત થશે.
ધર્મસૂત્રની સનાતનતા અત્રે ધર્મસૂત્રની સનાતનતાને પ્રશ્ન પ્રાપ્ત થાય છે. કેટલાક એમ માને છે કે ધર્મ એ તે સનાતન સત્ય છે, એમાં પ્રાચીન, અર્વાચીન કે નવીન એવા પ્રકારે હેઈ શકે નહિ અને આ લેખ કે એની અંદરની ચર્ચા વ્યર્થ છે. આ વિચાર ઘણે ગેરસમજુતીથી ભરેલે છે અને પ્રગતિને વેધક છે. જૈન તત્ત્વજ્ઞાનના અને ક્રિયાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com