________________
પ્રકરણ બીજુ
પ્રાચીન કાણું? પ્રાચીન આચાર્યોની હકીકત મતભેદ અને બે શાખા ઉત્પન્ન થવાનાં કારણ
તીર્થકર ભગવાન પ્રણીત જેનધર્મ એક જ છે. દરેક તીર્થ કર ભગવાન એક સરખો જ જૈનધર્મ પ્રરૂપે છે. છેલ્લા તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પણ એક જ ધર્મપ્રરૂપો છે. પણ જૈન ધર્મના નામે હાલમાં પ્રવર્તતા સંપ્રદાય ભગવાન મહાવીરે પ્રરૂપિયા નથી, એટલે મૂળ શુદ્ધ જૈન ધર્મ જ પ્રાચીન છે છતાં હાલના જૈન સંપ્રદાએ મૂળ ધર્મનું પ્રાચીન તત્વ ટકાવી રાખ્યું છે કે કેમ તે તપાસીએ.
મતભેદની શરૂઆત જૈન ધર્મના મુખ્ય બે ફાંટા, બે સંપ્રદાય—એક વેતાંબર અને બીજે દિગંબર.
ભગવાન મહાવીર પછી ત્રણ કેવળી થયા તે આ પ્રમાણે – (૧) ગૌતમસ્વામી, (૨) સુધર્માસ્વામી અને (૩) જંબુસ્વામી. આ ત્રણ કેવળીના નામ અને સંપ્રદાયમાં એક સરખા માન્ય છે.
પરંતુ તે પછીના આચાર્યોના નામે બન્ને સંપ્રદાયે જુદા જુદા જણાવે છે.
શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણે પહેલા પાંચ શ્રુતકેવળ આચાર્યોનાં નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org