________________
નહિતર છું.
-
જીવન જીવવું વધારે ઈષ્ટ કાં ન ગણવું જોઈએ ? મહારા અભિપ્રાય Het oftand aad ( ( individual Consciousness) "જીવનારને બીજા ત દયા, સહાનુભૂતિ, પરોપકાર વૃત્તિ વિશેષપણે હોઈ શકે છે. કદાચ મારી ભૂલ પણ થતી હોય તો મહને સુધારશે. | શ્રી અરવિંદ બાબુને ઉત્તર –વિશ્વદષ્ટિવાળા પુરૂષમાંથી દયાનું તાવ જતું જ રહે છે એ નિશ્ચય બાંધવા પહેલાં ખાત્રી કરે કે, (૧) હમે જે"દાખલાઓ ઉપરથી “સિદ્ધાંત બાંધવા પ્રેરાયા
તે દાખલાઓમાં તે તે મનુષ્ય ખરેખર વિશ્વદષ્ટિવાળા છે? અને - જે તેઓ ખરેખર વિશ્વદૃષ્ટિવાળા જ હોય તો (૨) શું તેઓ ખરે
ખર જ દયા–પરોપકાર વૃત્તિથી શૂન્ય છે? (૩) દયા અને પરોપકાર વૃત્તિના અસ્તિત્વની પરીક્ષા માંહ્ય મદદથી જ થવી જોઈએ ? દય મદદ અને દસ્ય કોમળતા સિર્વાય બીજી રીતે પણ દયા અને મદદ હયાતી ધરાવી શકે નહિ શું?
જે કોઈ માણસ દુનિયાના બીજા મનુષ્યોના સુખ-દુઃખ તરફ અંધ જ હોય તો તે વિશ્વદૃષ્ટિવાળો હોઇ શકે જ નહિ. એમ જ હોય તે હમજવું કે (૧) વ્યકિતગત શાન્તિ અને સ્વાથી સંતોષની કેદમાં રહેલી તે વ્યકિત છે, અગર તે, (૨) કોઈ વિશ્વવ્યાપક સસને લગતી ભાવના માત્ર-સિદ્ધાંત માત્ર-Universal prineple in its abstract form )માં રમનારો અને ભાવનાથી આગળ વધીને “કાર્ય” સુધી નહિ પહેચેલ એ તે મનુષ્ય છે. અલબત આ બધી સ્થિતિ પણ હેના આત્માના વિકાસ માટે જરૂરી શ્રેણિઓ છે. પણ તે કાંઈ વિશ્વદષ્ટિ ન જ કહેવાય.
જે માણસ વિશ્વદૃષ્ટિવાળું જીવન નિર્વહે છે તે તે નિ:શક - આખા વિશ્વના જીવનને પોતાની બાથમાં લે છે, અને અહંભાવવાળી સ્થિતિમાંથી આગળ વધવા મથતી તમામ દુનીયા હેની દયાને વિજય બને છે. પણ દયાની આ મહાન વૃત્તિ કોઈ નિયમ તરીકે બાહ્ય લાગણીના ઉછાળામાં કે સક્રિય ઉદારતામાં જ દેખા દેવાને બંધાયેલી નથી. વિશ્વદષ્ટિની સઘળી પ્રકૃતિઓ અને સઘળાં સ્વરૂપને, આપણને પરિચિત હોય અગર આપણને પસંદ હોય અગર આપણને જરૂરી લાગતી હોય કે આકર્ષક લાગતી હોય એવી જ પ્રકૃતિ અને એવા જ સ્વરૂપ સાથે જકડી રાખવાની ભૂલ ન કરવી જોઈએ. સહન કરવાની શકિતના અભાવે જે “લાગણી” (emotion)