Book Title: Jain Hitechhu 1919 12 to 1920 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 278
________________ ૪ જૈનહિતજી. ગઇ. હેની પાસે ધન નહેાતું પણ બુદ્ધિ, ઇજ્જત, વિદ્યાકલા સ કાંઈ હતુ અને તે વડે ધનીના સંચેાગ મેળવવા મુશ્કેલ નડાતા. કાઇ પણ રીતે જો ધબુદ્ધિને પોતાની સાથે પરદેશ જવા હુમજાવી શામ તા સર્વ કામના સિદ્ધ થાય. પશુ ધર્મબુદ્ધિ માનશે ? વાદ હેતે વિચાર થયા કે— સત્પુરૂષની સાથે એકવાર પણ દૈવાગે સમાગમ થયા હાય તા તે પેાતાના પ્રાણના ભાગે પણ ઉપકાર કરવાદ તૈયાર થાય છે. ૐને કાંઈ નિત્યના પરિચયની જરૂર રહેતી નથી. માટે મ્હારે હૈને સ્ફુમાવવા અને હૈતી મદદથી પરદેશ જઇ વ્યાપાર કરવા અને પછી હૈને ધક્કા મારી સધળું ધન પચાવી પડ્યું. એવા નિર્ણય તા કર્યાં. પણુ વળી મનમાં વિચાર થયા કેમનુષ્ય બ્રહ્મહત્યા કરીને પણ પ્રાયશ્ચિત્ત વડે શુદ્ધ થઈ શકે છે, પણ મિત્રના દ્રોહ કરનાર તે પ્રાયશ્ચિત્ત વર્ડ પણ શુદ્ધ થઈ શકતા નથી. પરંતુ બીજી જ પળે હેને હિંમત આવી. તેણે મનમાં જ કહ્યું: જળચરા જેમ જળચરાને ખાય છે તેમ રાજાઓ સામ-દામાદિ ઉપાચાથી અનેક પાશ્ચા રચીને રાત્રીદિવસ દેશાને ખાવાની વાટ જુએ છે અને શક્તિ પ્રમાણે તેમાંથી ખાય છે. વૈદ્યા સામ વગેરે ઉપાયની યુક્તિઓથી રાત્રીદિવસ રાણીઆને ખાવાની વાટ જોયા કરે છે અને શક્તિ અનુસાર તેના પૈસા ખાઈ જાય છે. વાણીઆ સામાકિ ઉપાયાની યુક્તિથી રાત્રિવિસ ગ્રાહકોને ખાવાની વાટ જુએ છે અને નિત્ય શક્તિ અનુસાર ખાય છે. પડિતા સામાદિક ઉપાસેથી યુક્તિઓ રચીને રાત્રિદિવસ મૂર્ખાને ખાવાની વાટ જુએ છે અને શક્તિ અનુ. સાર રાત્રિદિવસ મૂર્ખ' પાસેથી પૈસા કઢાવે છે. ચાર લાકો સામાદિક ઉપાયેાથી યુક્તિ રચીને રાત્રિદિવસ ગાફલ મનુએાને લૂટવાની રાહ જુએ છે અને શક્તિ પ્રમાણે હે. મને લુટે છે. ભિક્ષુકા સામાદિક ઉપાયાની જાળ રચીને રાત્રીદિવસ ગૃહસ્થા પાસેથી ધન કડાવવાની રાહ જુએ છે

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288