Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६/५
२३८४ __ ० समापत्तौ पुनरुक्ति: निर्दोषा 0 प वेदान्तोक्तः निदिध्यासनाख्यः, परब्रह्मात्मैक्यसाक्षात्कारफलकः, (३) अन्यः योगवासिष्ठोक्तः मनोनाश
-वासनाक्षयहेतुकः जीवन्मुक्तिसुखप्राप्तिफलकः, (४) चतुर्थश्च प्रथमशाखायां (१/६) व्यावर्णितः जिननिर्णीतः - शुक्ल-परमशुक्लध्यानाऽभिधानः घात्यघातिकर्मक्षयकारकः जीवन्मुक्ति-परममुक्तिफलोपधायकः बोध्यः। - जिनोक्तागमार्थानुस्मरणप्रसूतवचनानुष्ठानजन्यं शुक्लध्यानं दर्शितसमापत्तिं जनयत् कैवल्यम् आविर्भावश यतीति पूर्वं (१/६) तुनोक्तम्, अधुना (१६/५) हिनोच्यते, अग्रे (१६/६) अपिनोद्घोषयिष्यते इति क न पौनरुक्त्यमाशङ्कनीयं प्रज्ञाप्रभाकरमीमांसामांसलमतिभिः । સાક્ષાત્કાર છે.
(૩) યોગવાસિષ્ઠમાં જણાવેલ ત્રીજા નંબરનો ધ્યાનમાર્ગ મનોનાશ અને વાસનાલય - આ બે હેતુ દ્વારા પ્રાપ્ત થાય છે. તેનું ફળ જીવન્મુક્તિના સુખની પ્રાપ્તિ છે.
(૪) તથા ચોથા નંબરનો ધ્યાનમાર્ગ તારક તીર્થકર ભગવંતે નિશ્ચિત કરેલ છે. પ્રથમ શાખાના છઠ્ઠા શ્લોકમાં વર્ણવેલ શુક્લધ્યાન અને પરમશુક્લધ્યાન નામનો ધ્યાનયોગ જિનેશ્વરસંમત છે. શુક્લધ્યાનયોગ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને જીવન્મુક્તિરૂપી ફળને તાત્કાલિક આપે છે. તથા પરમશુક્લધ્યાનયોગ ચાર અઘાતી કર્મોનો ક્ષય કરીને પરમમુક્તિ નામના ફળને શીઘ્રતાથી પ્રાપ્ત કરાવે છે – તેમ સમજવું. પ્રત્યેક ક્રિયામાં તારક તીર્થકર ભગવંતે બતાવેલ આગમિક પદાર્થોનું સતત સ્મરણ કરવાથી પ્રગટ થયેલ એ વચનાનુષ્ઠાનથી શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય છે. તે શુક્લ ધ્યાન ઉપર જણાવેલી સમાપત્તિને ઉત્પન્ન કરતું
કેવલજ્ઞાનનો આવિર્ભાવ કરે છે. આ બાબત પૂર્વે પ્રથમ શાખાના છઠ્ઠા શ્લોકમાં પૃષ્ઠ-૬૪ ઉપર “તુ' Tી શબ્દથી જણાવેલ છે. (તુનોજીમ્ = ‘તુ'ના પp). તેમજ પ્રસ્તુત શ્લોકમાં “દિ' શબ્દને આગળ કરીને કહેવાય છે. (હિનોધ્યતે = “હિના ઉચ્યતે = મત્સાત્તિનિષ્ઠ-નવનુધ્યાનન–ડવધારVર્થન દિ’ના ઉધ્યતે) તથા આગળના શ્લોકમાં “” શબ્દપુરસ્કારથી આ વિષયની ઉદ્ઘોષણા કરવામાં આવશે. (વિનોવોષવિગતે = “સ'ના ડોષયિષ્યતે). તેથી અહીં પુનરુક્તિ દોષને અવકાશ નથી. આ મુજબ પ્રજ્ઞાના પ્રકાશને કરનારી મીમાંસાથી પરિપુષ્ટ થયેલી મતિવાળા વિદ્વાનોએ પ્રસ્તુત પ્રબંધનું અવધારણ કરવું.
છે ઈતિહાસની અટારીએથી છેસ્પષ્ટતા - મીમાંસકમૂર્ધન્ય કુમારિલભટ્ટ પાસે પ્રભાકરમિશ્ર ભણી રહ્યા હતા. ત્યારે “પૂર્વ તુનોગ્ય, સાધુનાગરિનોવ્યતે ત્તિ ન પુન”િ આવી અટપટી ગ્રંથપંક્તિ કુમારિલભટ્ટના મગજમાં ન બેસી. મૂંઝવણમાં મૂકાયેલા કુમારિલભટ્ટ બે-ચાર વાર ભણાવતા-ભણાવતા અન્ય-અન્ય કાર્ય માટે ઊભા થાય છે. ચકોર પ્રભાકરમિશ્ર ગુરુની મૂંઝવણ પારખીને કહે છે – “ગુરુદેવ ! પંક્તિ બેસી ગઈ. “પૂર્વ “તુના = “તુશન્ટેન ઉમ્, સાધુના ‘પ'ના = “પ'શલ્લેન ઉચ્યતે રૂતિ ન પુનરુ”િ પૂર્વે “તું” શબ્દથી જણાવેલ વિષય અત્યારે ‘’ શબ્દ દ્વારા કહેવાય છે. તેથી અહીં પુનરુક્તિ દોષ નથી.” તે જ સમયે પ્રભાકરની સૂક્ષ્મ પ્રજ્ઞાને જોઈને કુમારિલભટ્ટના શ્રીમુખેથી “તું તો મારો પણ ગુરુ છે' - આ ઉદ્ગાર નીકળી પડ્યા. ત્યારથી પ્રભાકરમત ગુરુમત તરીકે પણ પ્રસિદ્ધ થયો તથા ગુરુ તરીકે મીમાંસાદર્શનમાં પ્રભાકરમિશ્રની પ્રસિદ્ધિ થઈ.