Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४०२ • संसाराऽभिरतित्यागः ।
૨૬/૭ प संसाराऽभिनन्दिचित्तवृत्तिप्रवाहवेगस्खलनतः परद्रव्य-गुण-पर्यायान् तुच्छाऽसाराऽनर्थकारि-नश्वराऽविश्वसनीयाग ऽशरणाऽशुचि-निर्मूल्यादिरूपतया शास्त्राऽभ्यास-सत्सङ्गादिप्रभावतः अन्तःकरणेन कक्षीकरोति ।
भवकारण-स्वरूप-फल-तद्वियोगकारणादिकं गम्भीरचित्तेन अयं मीमांसते। यथोक्तं योगबिन्दौ “દતેડયમતઃ પ્રાયો મવવી નવિનોવર” (યો વિ.૭૨૪) રૂતિ ____ एकान्तदुःखस्वरूप-दुःखहेतु-दुःखानुबन्धिबाह्य-मिश्राऽभ्यन्तरत्रिविधसंसाराऽसारताऽवबोधान्न तत्राऽय -मभिरमते । यथोक्तं धर्मरत्नप्रकरणे श्रीशान्तिसूरिभिः “दुहरूवं दुक्खफलं दुहाणुबंधिं विडंबनारूवं । संसारमसारं હોય છે. (૩) મનમાં ઉઠતા સંકલ્પ-વિકલ્પ વગેરેની હારમાળા એ અત્યંતર સંસાર છે. તેમાં પણ ચિત્તવૃત્તિ સતેજપણે, સહજપણે રસપૂર્વક જોડાયેલી જ રહે છે. જ્યારે જીવ ચરમાવર્તમાં પ્રવેશ કરે, કર્મની ચોટની ઘેરી અસર તેના અંતઃકરણમાં છવાયેલી હોય, શાસ્ત્રાભ્યાસ-સત્સંગ વગેરેમાં જીવ પ્રવર્તે અને અંતર્મુખતા આવે ત્યારે ઉપરોક્ત ત્રણેય પ્રકારના સંસારને અભિનંદનારી, રસપૂર્વક પોષનારી એવી ચિત્તવૃત્તિના પ્રવાહનો ધસમસતો વેગ અલના પામે છે, મંદ થાય છે, વેરવિખેર થાય છે. ભવાભિનંદી ઊર્જા પ્રવાહ પાંખો પડે છે, અસ્ત-વ્યસ્ત બને છે. ત્યારે શાસ્ત્રાભ્યાસ, સત્સંગ વગેરેના પ્રભાવે તેવો જીવ પરદ્રવ્ય-પરગુણ-પરપર્યાયોની તુચ્છતા, અસારતા, અનર્થકારિતા, નશ્વરતા, અવિશ્વસનીયતા, અશરણરૂપતા, અશુચિરૂપતા વગેરેને અંદરથી સ્વીકારે છે. પર બાબતોનું મૂલ્ય તેને નહિવત્ લાગે છે. ઉપરોક્ત ત્રણેય પ્રકારનો સંસાર તેને નિર્મૂલ્ય અને નિર્માલ્ય લાગે છે.
. ભવભ્રમણના કારણાદિને વિચારીએ છે. છે (મ.) અનાદિ કાળથી વળગેલા આ ત્રિવિધ સંસારના કારણની, સંસારના અસારસ્વરૂપની વા અને તેની આસક્તિના ફળની પણ ઊંડી મીમાંસા આ જીવ કરે છે. ત્રણેય પ્રકારના સંસારમાં
ભટકવાનું અને તેનાથી અટકવાનું-છૂટવાનું કારણ શું ? - આ બાબતમાં જીવ વેધક વિચારણા સ કરે છે. યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ આ અંગે જણાવેલ છે કે “તેથી આ અપુનબંધક જીવ સંસારના કારણ વગેરે વિશે પ્રાયઃ ઊહાપોહ = ઊંડી વિચારણા કરે છે.”
સૂફ ભાવના યોગની સ્પર્શના ક (પ્ર.) એકાન્ત દુઃખરૂપ, દુઃખહેતુ અને દુઃખની પરંપરાને લાવનાર એવા બાહ્ય, મિશ્ર અને અત્યંતર સંસારની અસારતા તેના અંતરમાં સારી રીતે ઓળખાયેલી હોય છે. તેથી તે અસારતા તેના દિલમાં વસી જાય છે. તેના લીધે (૧) પોતાનો દેહ, પૈસા, પત્ની, પુત્ર, પરિવાર વગેરે સ્વરૂપ બાહ્ય સંસારમાં, (૨) પાંચ ઈન્દ્રિયના ઉપસ્થિત વિષયોની આસક્તિ સ્વરૂપ બાહ્ય-અત્યંતર = મિશ્ર સંસારમાં તથા (૩) બાહ્ય વિષયની ગેરહાજરીમાં પણ અંતરમાં ઉઠતા સંકલ્પ-વિકલ્પ-વિતર્ક-વિચારની હારમાળા સ્વરૂપ અત્યંતર સંસારમાં જીવની રતિ-રસિકતા-તન્મયતા-એકાકારતા-ઓતપ્રોતપણું – તદ્રુપતા ઘટે છે, રવાના થાય છે. આ અંગે ધર્મરત્ન પ્રકરણમાં શ્રી શાંતિસૂરિજીએ જણાવેલ છે કે “સંસાર (૧) દુઃખસ્વરૂપ, (૨) દુઃખફલક = દુઃખજનક, (૩) દુઃખની પરંપરાને લાવનાર, (૪) આત્મવિડંબના સ્વરૂપ અને 1. दुःखरूपं दुःखफलं दुःखानुबन्धिनं विडम्बनारूपम्। संसारम् असारं ज्ञात्वा न रतिं तस्मिन् करोति ।।