Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४४५
૨૬/૭
० भोगप्रवृत्तिस्वरूपविचारणा 0 केवलं सुखाऽऽभासात्मिका, (C) परिशटन-गलन-पतन-पूरणादिस्वभावमयाऽशुचिपुद्गलनृत्यरूपा, (D) प असारा, (E) असाध्यव्याधिमहाभयङ्करवेदनारूपा, (F) आत्मविडम्बनात्मिका, (G) कर्मराजदेयकररूपा, र (H) શ્વિની-શાછિન્યાદિ દસમના, (4) નિર્જન્નતાનHVII, (J) પશુમવરૂપા, (K) વાછન્યાત્મિવા, (A) મનવાપર્ણસન્થSSમત્રતુન્યા, (M) રા-પોપમપૂક્તિન્નાઇg-મ્હોટસ્પર્શરૂપા, (N) विषमयमोदकाऽऽस्वादलक्षणा, (O) प्राणहरोत्कटदुर्गन्धघ्राणनात्मिका, (P) निजस्वरूपदर्शनविस्मारकरूप-श વીક્ષત્મિકા, (9) દૃષ્ટિવિષસર્પવૃષ્ટિપાતસમા, (ર) પિશાવ-વેતાન-ઝૂરધ્વનિશ્રવાસદૃશી, (s) : મહવિપત્તિરૂપા, (T) કાત્મવશ્વત્મિા , (U) મદામોદાષ્ટિવશ્વરૂપ, (૫) મૃગવન્ધનાતાત્મિવા,
(C) સડન, ગલન, પતન, પૂરણ વગેરે સ્વભાવથી વણાયેલ અશુચિ પુગલોનો આ નાચ છે. (D) આ ભોગપ્રવૃત્તિ અસાર છે. તેમાં કાંઈ દમ નથી. (E) એ અસાધ્ય રોગની મહાભયંકર પીડા સ્વરૂપ છે. (F) એ આત્માની વિડંબના સ્વરૂપ છે. (C) કર્મરાજાને આપવાના કર (Tax) તુલ્ય છે. (H) ડાકણ અને શાકિની વગેરેના વળગાડ જેવી છે. (I) આ ભોગપ્રવૃત્તિ નિર્લજ્જતાસ્વરૂપ છે. (૭) ભોગપ્રવૃત્તિ એ ઢોરનો સ્વભાવ છે, ઢોરદશા છે, પશુચેષ્ટા છે, () એ સ્વચ્છંદતા સમાન છે. (L) નવા-નવા પાપકર્મોને ભેગા કરવાના આમંત્રણ સમાન આ ભોગપ્રવૃત્તિ છે.
M) રાગ-દ્વેષ જેવા રસી-પરુથી ખદબદતા ગૂમડા અને ફોડલાના સ્પર્શ સ્વરૂપ છે. સહેજ અડો. કે તરત ફોડલો ફૂટે અને ચારે બાજુ રસી-પરુ ફ્લાઈ જાય તેમ ભોગપ્રવૃત્તિને અલ્પાંશે પણ આત્મા અડકે કે તરત આત્મામાં રાગ-દ્વેષ ચોતરફ વ્યાપ્ત થઈ જાય.
(N) ઝેરી લાડુનો આસ્વાદ કરવા સ્વરૂપ ભોજનાદિ ભોગપ્રવૃત્તિ છે. (O) પ્રાણ હરી લે તેવી ભયંકર દુર્ગધને સૂંઘવા સ્વરૂપ આ ભોગપ્રવૃત્તિ છે.
(P) પોતાના ચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ કરાવે તેવા રૂપને જોવા સમાન આ ભોગપ્રવૃત્તિ છે. સ્ત્રીરૂપદર્શન નિજસ્વરૂપદર્શનને ભૂલાવે છે.
(Q) પ્રાણહર દૃષ્ટિવિષ સર્પની દૃષ્ટિ આપણા ઉપર પડે તેવી ભોગપ્રવૃત્તિ છે. (R) પિશાચ, વેતાલ વગેરેના ક્રૂર અવાજને સાંભળવા સમાન સંગીત-ગીતશ્રવણાદિ ભોગપ્રવૃત્તિ છે. (S) આ ભોગવિલાસ મહાવિપત્તિ સ્વરૂપ જ છે. (T) ખરેખર, ભોગપ્રવૃત્તિ એ આત્મવંચના સ્વરૂપ છે.
(0) મહામોહસ્વરૂપ જાદુગરની નજરબંધી જેવી ભોગપ્રવૃત્તિ છે. ઠગારો મહામોહ તેમાં જે સુખરૂપતા-સારભૂતતા વગેરે ભ્રાન્ત ગુણધર્મોનું દર્શન કરાવે, તે જ તેમાં જીવને દેખાય છે. ભોગપ્રવૃત્તિની દુઃખરૂપતા-અસારતા વગેરેનું દર્શન મોહજાદુગર થવા દેતો નથી.
ળ ભોળા હરણ જેવા જીવોને બંધનમાં પાડનાર જાળસ્વરૂપ ભોગપ્રવૃત્તિ છે.