Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૭/૬ ० नयविजयविबुधाद् ग्राह्य उपदेश: 6
२६०७ अस्माभिः कार्या। ततश्चायमत्रोपदेशो ग्राह्यो यदुत (१) दीक्षाप्रदानोत्तरं सार्धघटिकाद्वयकालपर्यन्तमपि शिष्याध्यापनकृतेऽवसरो न लभ्येत तथा महोत्सवादिप्रसङ्गा महता फटाटोपेन नैव योज्याः।
(२) प्रतिसप्ताहं प्रतिपक्षं वा एकस्मिन्नपि दिने शिष्येभ्यः हितशिक्षा-वाचनाप्रदानकृते उत्साहो प न सम्पद्येत तथा शिष्योपेक्षा नैव कार्या ।
(३) स्वयं शिष्याऽध्यापनकृते गुरोः सामर्थ्यादिविरहेऽन्यप्राज्ञसाधुसकाशे तदीयाऽध्ययनव्यवस्था गुरुणा कार्या।
(४) तदसम्भवे पण्डितादिसुलभे क्षेत्रे चातुर्मासादिकं कार्यम् । (५) शिष्याऽध्ययनकृते पण्डितवेतन-पुस्तकादिव्यवस्था गुरुणा कारयितव्या ।
(६) शिष्याऽध्ययनकाले गुरुणा स्वकीयसेवा-क्षुल्लककार्य-भक्तवृन्दसम्पर्कादिकार्ये अध्ययनबाधके र्णि शिष्या नैव योज्याः।
(७) अन्यप्राज्ञसाधुपण्डितादिसकाशे स्वशिष्याध्यापनव्यवस्थाया अयोगे स्वयमध्ययनशीलस्य शिष्यादेः 'अहो ! शुकवत् पठनशीलोऽयम्, अहो ! पुस्तकपण्डितः !' इत्येवं कटाक्षतः कटुજૈન ગુરુએ કેવા કેવા પ્રકારના ઉપાયો અજમાવવા પડ્યા હશે ! કેટ-કેટલી મુશ્કેલીઓ વેઠી હશે! તે પણ આપણા માટે તો અત્યારે કલ્પનાનો જ વિષય બની જાય છે. આના ઉપરથી આપણે કેમ સે કમ સપ્તર્ષિના તારા જેવી સાત પ્રકારની હિતશિક્ષાને ગ્રહણ કરવાની જરૂર છે કે :
(૧) દીક્ષા આપ્યા બાદ શિષ્યને રોજ એકાદ કલાક પણ ભણાવવાની આપણને ફુરસદ ન મળે તેવા મોટા આડંબરપૂર્વક Programme કે Functions નક્કી ન જ કરવા.
(૨) અઠવાડિયામાં કે પખવાડિયામાં એકાદ દિવસ પણ શિષ્યને વાચના કે હિતશિક્ષા આપવામાં ઉલ્લાસ ન જાગે તેટલી હદે શિષ્યની ઘોર ઉપેક્ષા ન કરવી.
(૩) જાતે શિષ્યને ભણાવવાની ક્ષમતા કે સંયોગ ન હોય તો પોતાના સમુદાયના કે બીજા સમુદાયના વિદ્વાન સંયમી પાસે પોતાના શિષ્યને ભણવા માટે ચાર-પાંચ વરસ મૂકવાની ઉદારતા કેળવવી જોઈએ. વ!
(૪) તે પણ કદાચ શક્ય ન બને તો શિષ્યને ભણાવનાર પંડિતોની જ્યાં સુલભતા હોય એવા ક્ષેત્રમાં આઠ-દસ ચોમાસા તો અવશ્ય કરવા.
(૫) પંડિતોના પગારની વ્યવસ્થા, પુસ્તકાદિને મંગાવી આપવાની જવાબદારી શિષ્યના ગળા ઉપર નાખવાના બદલે આપણે આપણા માથે લેવી.
(૬) ભણતા શિષ્યને ભણવાના અવસરે પોતાની સેવામાં, પરચૂરણ કામકાજમાં, ભક્તવર્તુળના સંબંધો સાચવવાના કામમાં જોડીને શિષ્યનો ભણવાનો અમૂલ્ય સમય બરબાદ કરવાની હલકી મનોવૃત્તિને સદંતર છોડવી.
(૭) બીજા સાધુ પાસે કે પંડિત પાસે શિષ્યને ભણાવવાની વ્યવસ્થા આપણા દ્વારા પણ ન થઈ શકતી હોય અને વિનયી શિષ્ય પોતાની જાતે જ મહેનત કરીને શાસ્ત્રાભ્યાસમાં આગળ વધી રહ્યો