Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२६०८ मुक्तिसौलभ्यविचारः ।
૨૭/૬ प शब्दाः स्वाध्यायोत्साहघातकाः नैव श्राव्याः। पण्डितनयविजयोदाहरणत एतादृशहितशिक्षाग्रहणे तदीय17 કૃપા નૈવ કુર્તમાં, “મોક્ષ... સત્તવવિદિત માત્મવ” (પ્ર.સારો.કૃ.૨૭૪) રૂતિ પ્રવચનસારોદ્ધારવૃત્તી
तत्त्वज्ञानविकासिन्यां सिद्धसेनसूरिदर्शिता मुक्तिश्च सुलभेति सूच्यते ।।१७/९ ।। હોય ત્યારે તેને “જોયા મોટા ભણેશ્રી ! જોયા મોટા પોથી પંડિત !” - વગેરે કટુ શબ્દો કહેવા દ્વારા મહેણા-ટોણા મારવાની, તેની નિંદા કરવાની અને તેનો સ્વાધ્યાયનો ઉત્સાહ તોડી નાંખવાની કાતિલ
વૃત્તિ તો આપણા જીવનમાં ન જ આવવી જોઈએ. મહોપાધ્યાય શ્રીનયવિજયજી મહારાજના જીવન સ ઉપરથી આપણે આટલો બોધપાઠ લઈએ તો પણ તેઓ સ્વર્ગમાંથી આપણા ઉપર કૃપા અવશ્ય વરસાવે.
આ રીતે તેમની કૃપા દુર્લભ ન રહે તથા પ્રવચનસારોદ્ધારવૃત્તિ તત્ત્વજ્ઞાનવિકાસિનીમાં જણાવેલ સકલકર્મશૂન્ય તો કેવલ આત્મસ્વરૂપ મુક્તિ સુલભ બને. આવું પ્રસ્તુત શ્લોક દ્વારા સૂચિત થાય છે.
8 અહો આશ્ચર્યમ! અહો સૌભાગ્યમ્ ! . “યશોજીવન પ્રવચનમાલા' પુસ્તકની અંદર “એક : યશસ્વી ગુરુપરંપરા' લેખમાં શ્રીનવિજયજી મહારાજ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બાબતનો ઉલ્લેખ મળે છે. તે આ મુજબ છે :- “ખૂબીની વાત તો એ છે કે ઉપાધ્યાયજી મહારાજ જે કૃતિઓની રચના કરતા તેની શુદ્ધ સ્વચ્છ નકલો કરવાનું કામ તેમના ગુરુ પૂ.નયવિજયજી મહારાજ કરતા. દા.ત. વિ.સં.૧૭૧૧માં રચાયેલ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'ની નકલ પાલનપુરના ભંડારની, પૂ. નયવિજયજી મહારાજના હાથથી લખેલી આજે પણ સચવાયેલી છે.” (પૃષ્ઠ-૧૦). પોતાના આશ્રિતને સ્વાધ્યાયાદિમાં પ્રોત્સાહન આપવા ગુરુજનોએ કેટલો ભોગ આપવો જોઈએ? તે આના પરથી સમજી શકાય તેવી વાત છે. શિષ્યનું પણ કેવું લોકોત્તર સૌભાગ્ય ! અસ્તુ. (૧૭/૯)
(લખી રાખો ડાયરીમાં.)
દોષિત વ્યક્તિનો તિરસ્કાર કરી બુદ્ધિ દોષને સ્વજીવનમાં મજેથી આવકારે છે. દોષિત પ્રત્યે કરુણા રાખી શ્રદ્ધા દોષને. લાલ નજરે જુએ છે. બુદ્ધિ પરમાત્માની કરુણાને
સુખ-દુખના આધારે માપે છે. શ્રદ્ધા પરમાત્માની કરુણાને
ગુણ-દોષના આધારે માપે છે.