Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५७५
૨૬/૭
० योगोपयोगकर्मक्षेत्रविचारः । प्रकृते “येनांशेनाऽऽत्मनो योगस्तेनांशेनाऽश्रवो मतः। येनांऽशेनोपयोगस्तु तेनांशेनाऽस्य संवरः ।।” प (अ.सा.१८/१४८) इति अध्यात्मसारकारिका योज्या। योगस्य बहिरन्तश्च प्रवृत्तिपरिणामस्वरूपत्वादाश्रव-सा हेतुता उपयोगस्य च पूर्वोक्तरीत्या (११/४) निजचैतन्यस्वरूपानुविधायिपरिणामलक्षणतया निवृत्ति- । परिणामस्वरूपत्वात् संवरहेतुता युज्यत एव ।
इत्थञ्च भोजन-भाषण-शयन-गमनाऽऽगमन-वस्त्रपरिधानादिप्रवृत्तौ इष्टाऽनिष्टविकल्पप्रक्षयतः अखण्ड- २ ज्ञानानन्दमयनिजस्वरूपानुसन्धानवतः न कर्मलेपसम्भवः। प्रकृते “अन्तःकरणनिःसङ्गी बहिः सङ्गीव क चेष्टते । छायावद् निर्विकल्पोऽसौ कर्मणा नोपलिप्यते ।।” (ध्या.दी.१८७) इति ध्यानदीपिकाकारिका भावनीया। णि
ततोऽपि अग्रे तु प्रशस्ताऽप्रशस्तभावेभ्योऽपि निजाऽन्तरङ्गपरिणतिं पृथक् कर्तुं ज्ञानपुरुषकारो- का ઉપયોગની યોગમાં = દેહાદિપ્રવૃત્તિમાં લીનતા ઘટે છે, આત્મામાં લીનતા વધે છે. તેથી કર્મોને આત્મામાં પગપેસારો કરવાના દરવાજા (= આશ્રવ) બંધ થતા જાય છે અને ભાવ સંવરધર્મ વર્ધમાન બને છે.
(ક) પ્રસ્તુતમાં અધ્યાત્મસારના એક શ્લોકના પદાર્થને જોડવા પ્રયત્ન કરવો. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “આત્મામાં જે અંશે યોગ હોય, તે અંશથી આશ્રવ માન્ય છે. જે અંશે ઉપયોગ હોય, તે અંશથી આત્માને સંવરનો લાભ થાય છે. યોગ બહારમાં અને અંદરમાં પ્રવૃત્તિ કરવાના પરિણામસ્વરૂપ છે. કારણ કે મન-વચન-કાયાની ક્રિયા યોગ કહેવાય છે. તેથી તેમાં આશ્રવહેતુતા સંગત થાય છે. તથા ઉપયોગ નિવૃત્તિપરિણામસ્વરૂપ છે. કારણ કે પૂર્વે (૧૧/૪) જણાવી ગયા તે મુજબ ઉપયોગનું લક્ષણ છે - નિજ ચૈતન્યસ્વરૂપઅનુયાયી પરિણામ. તેથી તેમાં સંવરહેતતા વ્યાજબી છે.
આ પ્રવૃત્તિ પણ નિવૃત્તિના રંગે રંગાયેલી હોય છે (ત્યષ્ય.) આ રીતે ભોજન, ભાષણ, શયન, ગમન, આગમન, વસ્ત્ર પરિધાન વગેરે પ્રવૃત્તિઓમાં વી. ઈષ્ટત્વ-અનિષ્ટત્વનો વિકલ્પ ખરી પડવાથી, ગમા-અણગમાનો ભાવ રવાના થવાથી સાધકને કર્મક્ષેપ સંભવતો નથી. તે પ્રવૃત્તિઓ બહારમાં ચાલતી હોય છે. અંતઃકરણ તેમાં ભળેલું હોતું નથી. તેનું અંતઃકરણ છે નિવૃત્તિપ્રધાન બની ચૂકેલું હોય છે. કેમ કે સાધકને અખંડજ્ઞાનાનંદમય પોતાના સ્વરૂપનું અનુસંધાન અંદરમાં પ્રવર્તતું હોય છે. પ્રસ્તુતમાં ધ્યાનદીપિકાની વાત ધ્યાનમાં લેવી. ત્યાં શ્રીસકલચન્દ્ર ઉપાધ્યાયજીએ જણાવેલ છે કે “સાધકનું અંતઃકરણ નિઃસંગ-નિર્લેપ હોય છે. છતાં તે યોગી જાણે કે સંગવાળા જીવની જેમ બહારમાં પ્રવૃત્તિ કરે છે. જેમ વૃક્ષની છાયા જમીન ઉપર પડે છતાં પણ તે છાયા જમીનને વૃક્ષની જેમ ચોટેલી નથી હોતી, તેમ બહારમાં પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં અંતઃકરણ બહારમાં ક્યાંય ચોંટેલું હોતું નથી. પ્રવૃત્તિમાં ઈષ્ટ-અનિષ્ટપણા વગેરેનો વિકલ્પ યોગીના અંતઃકરણમાં હોતો નથી. તેથી તે યોગી કર્મથી લેપાતા નથી.' મતલબ કે સાધક ભગવાનની પ્રવૃત્તિ પણ નિવૃત્તિના રંગે રંગાયેલી હોવાથી નિવૃત્તિસ્વરૂપ જ છે. પછી પ્રવૃત્તિનિમિત્તક રાગાદિ ભાવકર્મનો બંધ કે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો બંધ યોગીને ક્યાંથી થાય ?
% શુદ્ધ પરિણતિનો પ્રાદુર્ભાવ 8 (તતોડશિ) તથા તેનાથી પણ ઉપરની ભૂમિકામાં તો શુભ-અશુભ ભાવોથી પણ પોતાની અંતરંગ પરિણતિને જુદી પાડવાનો જ્ઞાનપુરુષાર્થ નિરંતર કરવાનો છે. આવો અંતરંગ જ્ઞાનઉદ્યમ જ્યારે તીવ્ર