Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४७६ • भावस्याद्वादशुद्धपरिणति: सहजमलोच्छेत्री ०
१६/७ (११) क्वचित् पाण्डित्य-बहुश्रुतत्वादिकं प्राप्य ‘स्यात्'-'कथञ्चिदा'दिपदपुरस्कारेण शास्त्र -शास्त्रार्थमात्रव्यापितया केवलद्रव्यस्याद्वादः प्राऽग्राहि । स्वकीय-साम्प्रतकालीनभूमिकौचित्येन बाह्या— ऽऽन्तराऽपवर्गमार्ग स्वात्मनि ग्रथित्वा स्वान्तः भावस्याद्वादशुद्धपरिणतिः सहजमलोच्छेत्री नैव सज्जीकृता । म “धृतो योगो, न ममता हता, न समताऽऽदृता। न च जिज्ञासितं तत्त्वं, गतं जन्म निरर्थकम् ।।” (अ.सा.७/ ज २६) इति अध्यात्मसारकारिकागोचरोऽयं जीवोऽभूदसकृत् । . --
(१२) त्यक्तबाह्यसंसारगोचररागादीनां त्याज्यत्वं नैवाऽबोधि, न वा तेषु वैराग्यं समुदपादि ।
(१३) राग-द्वेषादि-सङ्कल्प-विकल्पादिलक्षणाऽभ्यन्तरसंसारपक्षपातोऽपि नैवाऽत्याजि । णि (१४) अधिकरणविश्वत्यागोत्तरमपि प्रतिकूलचारिषु प्रतिस्पर्धिषु च द्वेषो नाऽत्याजि, न वा પણ નથી.” મતલબ કે આ જીવ અભિમાની પોથી પંડિત બનીને જ્ઞાન-ચારિત્ર ઉભયથી ભ્રષ્ટ બન્યો.
છે ભાવસ્યાદ્વાદની શુદ્ધ પરિણતિ ન પ્રગટાવી છે (૧૧) ક્યારેક સાધુ જીવનમાં પંડિતાઈ, બહુશ્રુતપણું વગેરે મેળવીને માત્ર દ્રવ્યસ્યાદ્વાદને જ પકડી રાખ્યો. ‘’, ‘થષ્યિ વગેરે શાસ્ત્રીય પારિભાષિક શબ્દોના ઢોલ-નગારા જોર-શોરથી પીટીને સ્યાદ્વાદને માત્ર શાસ્ત્ર કે શાસ્ત્રાર્થ (= વાદ) પૂરતો જ સીમિત રાખ્યો. પરંતુ પોતાની વર્તમાનકાલીન ભૂમિકાને ઉચિત બને તે રીતે બાહ્ય-અત્યંતર મોક્ષમાર્ગને પોતાના આત્મામાં ગૂંથીને, જીવનમાં ગોઠવીને, વલણમાં વણીને પોતાની અંદર ભાવસ્યાદ્વાદની શુદ્ધ પરિણતિને તૈયાર ન જ કરી. “તે શુદ્ધ પરિણતિ જ અનાદિકાલીન સહજમળનો ઉચ્છેદ કરનારી છે' - આ બાબતને લક્ષમાં પણ ન લીધી. “દીક્ષા વગેરે યોગને ધારણ કર્યો પણ મમતાને હણી નહિ, સમતાનો આદર કર્યો નહિ. આત્માદિ વસ્તુના પારમાર્થિક છે સ્વરૂપની = તત્ત્વની જિજ્ઞાસા પણ કરી નહિ. ખરેખર માનવજન્મ નિષ્ફળ ગયો'- આ પ્રમાણે Mા અધ્યાત્મસારમાં જે બાબત જણાવેલી છે, તે જ બાબત આ જીવના જીવનમાં પૂર્વે અનેક વાર બની. - અધ્યાત્મસારના ઉપરોક્ત શ્લોકનો વિષય આ જીવ અનેક વાર બન્યો.
હ રાગાદિ પ્રત્યે વૈરાગ્ય ન જગાડ્યો છે (૧૨) આ જીવે બાહ્ય સંસારનો ત્યાગ પૂર્વે ઘણી વાર કર્યો. પરંતુ છોડેલા સંસારનો રાગ ન છોડ્યો. ‘પત્ની, પુત્ર, પુત્રી, પિતા, માતા, પરિવાર, દુકાન, ઘર, ધન વગેરેને કાયમી ધોરણે છોડ્યા બાદ તેનો રાગ પણ છોડવા જેવો જ છે' - આ હકીકતને આ જીવે ન તો સમજી કે ન તો છોડેલા બાહ્ય સંસારના રાગાદિ વિભાવ પરિણામો પ્રત્યે વૈરાગ્યભાવ સમ્યફ પ્રકારે ઉત્પન્ન કર્યો.
(૧૩) અંદરમાં ઉઠતા રાગ-દ્વેષાદિભાવ સ્વરૂપ કે સંકલ્પ-વિકલ્પાદિ પરિણામ સ્વરૂપ અત્યંતર સંસારનો પક્ષપાત પણ આ જીવે ન છોડ્યો.
જ દ્વેષભેદવિજ્ઞાન ન કેળવ્યું (૧૪) અધિકરણોની દુનિયાને છોડ્યા બાદ પણ પ્રતિકૂળ આચરણને કરનાર સહવર્તી પ્રત્યે કે પ્રતિસ્પર્ધી પ્રત્યે તેજોદ્વેષ ન છોડ્યો. “આ તેજોદ્વેષ મારું સ્વરૂપ નથી. મારો તે સ્વભાવ નથી. મારે તેની સાથે લેવા-દેવા નથી. હું તો તેનાથી સાવ જુદો છું. તો પછી મારે શા માટે તેમાં ભળવું? હું તો મારા પરમ શીતળ સ્વભાવમાં જ લીન બનું' - આ રીતે નિજચિત્તવૃત્તિગત તથાવિધ તેજોદ્વેષ પ્રત્યે ભેદવિજ્ઞાનના