Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४८८
* आत्मा नैव परस्वभावकर्ता
? ૬/૭
पु शक्ति - विक्षेपशक्ति-पौद्गलिककर्म-बाह्यनिमित्तादिप्रसूतेषु काम-क्रोध-राग-द्वेषाऽऽलस्य - प्रमादादिभावेषु भ्रान्तिरूपा स्वकार्यत्व-स्वभोग्यत्व-स्वधर्मत्व-स्वस्वभावत्व-स्वस्वरूपत्व-स्वत्व स्वीयत्व - सुन्दरत्व-स्वसेवकत्व -स्वमित्रत्व -स्वसंरक्षकत्वादिबुद्धिः बहिर्मुखताऽपराऽभिधाना नैव जातुचित् कर्त्तव्या, “कर्त्ताऽयं स्वस्वभावस्य, परभावस्य न क्वचिद् ” ( अ.बि. २ / ८) इति पूर्वोक्ताद् (पृष्ठ- २४७८) अध्यात्मबिन्दुवचनात्, “कालत्रयेऽपि अन्यद्रव्यसंसर्गेऽपि तत्स्वभावाऽपरिग्रहाद्” (ध.प. ९९ वृ.) इति धर्मपरीक्षावृत्तिवचनाच्च ।
म
crc =
क
ततश्चाऽसङ्गाऽनश्वराऽनन्ताऽऽनन्दमय-परमशान्तनिजशुद्धचैतन्यस्वभावगोचरशास्त्रीयबोधाणि ऽनुसन्धानादिसहकृतोपशमभाव- वैराग्यादिपरिणतिबलेन रागादिग्रन्थिं भित्त्वा अनादिकालीनमिथ्यात्वमोहक्षयोपशमतः सम्यग्दर्शनोपलब्धौ सत्याम् एव निजज्ञानप्रवाहः संसाराऽभिमुखतां त्यक्त्वा स्वरसतः મેં પેદા કરેલા છે. તે મારા કાર્યસ્વરૂપ છે' - આવી બુદ્ધિ ક્યારેય પણ ન કરવી. કારણ કે ‘આત્મા પોતાના સ્વભાવનો કર્તા છે, પરભાવનો = વિભાવનો ક્યારેય નહિ' - આવું પૂર્વોક્ત (પૃ.૨૪૭૮) અધ્યાત્મબિંદુ સંદર્ભમાં લખેલ છે. હકીકતમાં તેને પેદા કરનારા તત્ત્વોની યાદીમાં સહજમળ, વિભાવદશા, આવરણશક્તિ, વિક્ષેપશક્તિ, પૌદ્ગલિક કર્મ, બાહ્ય નિમિત્ત વગેરેનો સમાવેશ થાય છે, આત્માનો નહિ. સહજમળ એટલે આપણા ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ બળ. આત્માના મૂળભૂત સ્વભાવને-સ્વરૂપને આવરી લે તે આવરણશક્તિ. અનાત્મામાં હુંપણાની-મારાપણાની-સારાપણાની બુદ્ધિ કરાવે તે વિક્ષેપશક્તિ. તે કામ-ક્રોધાદિ ભાવોમાં હુંપણાની કે મારાપણાની બુદ્ધિ પણ ક્યારેય આપણે કરવી નહિ. કારણ કે ૫રદ્રવ્યોનો સંયોગ થવા છતાં પણ ત્રણેય કાળમાં આત્માએ પરદ્રવ્યના સ્વભાવને ગ્રહણ કર્યો નથી'
સુ - આ પ્રમાણે ધર્મપરીક્ષાવૃત્તિમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે.
જડ-ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
CI
એકપણું પામે નહિ, ત્રણે કાળ ય ભાવ.
મેં ક્રોધ કર્યો. મારે ક્રોધાદિનો ભોગવટો કરવો છે. ક્રોધ મારો ગુણધર્મ છે. મારો સ્વભાવ ક્રોધ કરવાનો જ છે. મારો સ્વભાવ ક્રોધી છે. મેં ક્રોધ કર્યો, તે સારું કર્યું. હું ક્રોધસ્વરૂપ છું. ક્રોધ મારો પ્યારો વફાદાર સેવક છે, પરમ મિત્ર છે. મારા ક્રોધના લીધે બધા મારા અંકુશમાં રહે છે. ક્રોધ મારો સંરક્ષક (Bodyguard) છે' ઈત્યાદિ બુદ્ધિનું જ બીજું નામ બહિર્મુખતા છે. એ બુદ્ધિ ઉપરોક્ત શાસ્ત્રવચનના આધારે ભ્રાન્ત સિદ્ધ થાય છે. તેવી બહિર્મુખતા ટળે તો જ ઉપયોગ અંતર્મુખી બને. ઉપયોગને અંતર્મુખ કરવો એ અત્યંતર મોક્ષમાર્ગ છે.
-
# નિજસ્વરૂપનું અનુસંધાન સર્વત્ર ટકાવીએ શ્ન
(ત.) તેથી ઉપયોગને અંતર્મુખ કરવા આત્માના મૂળભૂત સ્વભાવને જાણવો. શાસ્ત્રો કહે છે કે ‘આત્માનો મૂળભૂત સ્વભાવ અસંગ છે, અનશ્વર છે, અનંત આનંદમય છે, પરમ શાંત છે. આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો છે.' આ રીતે ગુરુગમથી પોતાના આત્માના સ્વભાવ વિશે જે શાસ્ત્રીય બોધ મળેલ હોય તેના સતત સાર્વત્રિક અનુસંધાનથી વણાયેલા ઉપશમભાવ અને વૈરાગ્ય વગેરેની પરિણતિના બળથી રાગાદિની નિબિડ ગ્રંથિનો ભેદ કરી, અનાદિકાલીન મિથ્યાત્વમોહનીય કર્મનો પ્રબળ ક્ષયોપશમ (ધરખમ ઘટાડો) કરી સાધક સમ્યગ્દર્શનને મેળવે તો જ પોતાનો અનાદિકાલીન સંસારાભિમુખી જ્ઞાનપ્રવાહ