Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५४४
० सहजमलादिनिष्काशननिरूपणम् । “સ્વરૂપે સર્વોડ િવસતિ, પચચ ન્યત્ર વૃજ્યયો II” (સ .ફૂ.૭૪/.પૃ.૨૦૧) રૂતિ अनुयोगद्वारसूत्रमलधारवृत्तिवचनं चेतसिकृत्य निर्भयतया असङ्गसाक्षिभाव-ज्ञातृदृष्टभाव-स्वचित्तनिरीक्षण -चित्तवृत्तिपरीक्षण-निजत्रिकालशुद्धस्वभावभावनादिबलेन सहजमल-लयाऽऽवरण-विक्षेपशक्त्यादिकं लब्धिमनोगतं जीवचैतन्योपष्टभ्यस्वार्थक्रियाकारि जीवभ्रान्तिमूलकाऽनादिकालीनभवभ्रमणनिमित्तं मुमुक्षुणा स्वचित्ताद् बहिर्निष्काशनीयम् । महामोहो मूलादुन्मूलनीयः । इत्थमेव-निजात्मद्रव्य-गुण-पर्यायाः शुद्धतया सानुबन्धतया चाऽऽशु परिणमेयुः।
તવા અષ્ટાવરણપ્રીતમ્ (મ.પ્ર.૧/૪-૧) માત્મપરિતિમજ્ઞાનં તત્ત્વસંવેવનતયા (../૬) परिणमति । षोडशकप्रकरणोक्तञ्च (षो.प्र.११/८) चिन्तामयं ज्ञानं भावनामयज्ञानरूपेण (षो.प्र.११/९) शीघ्रतया परिणमति । योगबिन्दु-द्वात्रिंशिकाप्रकरणाऽध्यात्मसारादिदर्शितम् (यो.बि.२१४ + २२० + द्वा. १४/२३ + २५ + अ.सा.२/२३-२५) अनुबन्धशुद्धाऽनुष्ठानं तत्त्वसंवेदनज्ञानाऽनुगतं परमार्थतोऽस्यां दशायां
છે આપણે આપણા સ્વરૂપમાં વસીએ છે (“સ્વ.) આ ચારેય અનાદિકાલીન કચરાને ચિત્તમાંથી (= લબ્ધિમનમાંથી) બહાર કાઢવા માટે અસંગ સાક્ષીભાવ, જ્ઞાતા-દષ્ટાભાવ પરિણતિ, નિજચિત્તનિરીક્ષણ, સ્વચિત્તવૃત્તિપરીક્ષણ, પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વભાવની ભાવના વગેરેનો ઊંડો દીર્ઘકાલીન અભ્યાસ કરવો. તેના બળથી તે ચારેય પ્રકારના કાદવ -કીચડ-કચરાને લબ્ધિમનમાંથી બહાર કાઢવા. પરંતુ આ કાર્યમાં જરાય ગભરાવું નહિ. કારણ કે દરેક વસ્તુ પોતાના સ્વરૂપમાં જ વસે છે. એક ચીજ બીજાના સ્વરૂપમાં વસી શકે નહિ' - આવું
અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે. મતલબ કે સહજમળ વગેરે એ આત્માના ચૈતન્યસ્વરૂપમાં પગપેસારો કરી શકે નહિ. તેવો તેને અધિકાર નથી. નિશ્ચયનય એમ કહે
છે કે “સહજમળ વગેરે પોતાના જ સ્વરૂપમાં રહે, આત્મામાં ન રહે.” વ્યવહારનય એમ કહે છે કે દી “આત્મામાં જ સહજમળ વગેરે રહેલા હોય - તેવો અનુભવ થાય છે. બન્ને નયના અભિપ્રાયનું સંયોજન
કરવાથી ખ્યાલ આવે છે કે સહજમળ વગેરે ચારેય મલિન તત્ત્વો આપણા લબ્ધિમનમાં રહીને ચૈતન્યની સહાયથી પોતાનું કામ કરે છે. પરંતુ અજ્ઞાનવશ આત્મા તે કાર્યોને પોતાના માની લે છે. આ ભ્રમના લીધે જ અનાદિ કાળથી સંસાર ચાલી રહ્યો છે. લબ્ધિમનમાંથી સહજમળ વગેરે નીકળી જાય તો આ સંસારચક્રનો વિરામ થાય. તેથી મુમુક્ષુએ ભવભ્રમણને ટાળવા માટે નિર્ભયતાથી તે ચારેય મલિન તત્ત્વોને પોતાના લબ્ધિમનમાંથી બહાર કાઢવા તથા મહામોહને મૂળમાંથી ઉખેડી નાંખવો. તો જ નિજાત્મદ્રવ્ય -ગુણ-પર્યાયોનું શુદ્ધપણે અને સાનુબંધપણે ઝડપથી પરિણમન થાય.
તત્ત્વસંવેદનજ્ઞાન-ભાવનાજ્ઞાન મેળવીએ (તા.) અષ્ટકપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજીએ દર્શાવેલ આત્મપરિણતિવાળું જ્ઞાન ત્યારે તત્ત્વસંવેદનજ્ઞાનરૂપે પરિણમે છે. ષોડશક પ્રકરણમાં દર્શાવેલ ચિંતામય જ્ઞાન હવે ભાવનામય જ્ઞાન સ્વરૂપે શીઘ્રતાથી પરિણમે છે. યોગબિંદુ, કાત્રિશિકા પ્રકરણ, અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં વર્ણવેલું, તત્ત્વસંવેદનજ્ઞાનથી વણાયેલું અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન પરમાર્થથી આ દશામાં સિદ્ધ થાય છે. તેનાથી મૂળમાંથી દોષો ઉખડે