Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५२०० द्वाचत्वारिंशत्प्रकारैः सूक्ष्मभेदविज्ञानाऽभ्यासः कर्त्तव्यः ० १६/७ प -गलन-पतन-विध्वंसन-स्थूलता-कृशता-गौरतादिदेहधर्मेभ्यः, (३) देहगतौदारिकादिपुद्गलपिण्डात्, (४) गा गमनाऽऽगमन-शयन-भोजनादिदेहक्रियाभ्यः, (५) परिश्रम-निद्रादिदेहक्रियाफलतश्च देहातीतोऽहम् अत्यन्तं fમન્નઃ |
(૬) વવનાતુ, (૭) દ્દશતા-મધુરતા-સુવરવિવાળીથપ્પડ, (૮) વનતિમાપાવાપુત્તિश पुञ्जात्, (९) कम्पन-विस्तरणादिभाषाक्रियाभ्यः, (१०) आलादाऽरुच्यादिवाणीक्रियाफलतश्च क शब्दातीतोऽहम् अतीव पृथक् ।। જ (૧૧) વસુરાવન્દ્રિયમ્સ , (૧૨) વરિર્ઝવતા-વિષયનોનુપતાવીન્દ્રિયધર્મેગ, (૧૩) ન્દ્રિય તિક્ટ્રિ
અંતઃકરણમાંથી જન્મેલી પોતાની પ્રજ્ઞા વડે સતત સર્વત્ર દઢપણે કરવો. તે માટે નીચે મુજબની ઊંડી વિચારણા-વિભાવના સાધકે કરવી કે :
જ દેહ-તદ્ધર્માદિથી આત્મા ભિન્ન છે ‘(૧) શરીરથી હું અત્યંત જુદો છે. કેમ કે હકીકતમાં હું તો દેહાતીત-દેહશૂન્ય છું.
(૨) શાતા, અશાતા, અસ્થિરતા, પૂરણ, સડન, ગલન, પતન, વિધ્વંસન, સ્થૂલતા, કૃશતા, ગૌરતા વગેરે દેહધર્મોથી હું અત્યંત ભિન્ન છું. ભિન્ન જ છું તો તેમાં ભળી જવાની ભ્રાંતિ હવે નથી કરવી.
(૩) દેહમાં રહેલ ઔદારિક વગેરે મુદ્દગલોના પિંડથી હું અત્યંત અળગો છું. (૪) ગમન, આગમન, શયન, ભોજન વગેરે દેહક્રિયાઓથી પણ હું તદન નિરાળો છું.
(૫) ગમનાગમનાદિ દેહક્રિયાના ફળસ્વરૂપે આવનાર પરિશ્રમ, નિદ્રા વગેરેથી પણ હું સાવ જ A ન્યારો છું. દેહ, દેહધર્મ, દેહઅવયવો, દેહક્રિયા, દેહક્રિયાફળ - આ પાંચેયની સાથે મારે શું લેવા દેવા? છે કેમ કે હું તો દેહાતીત, તનભિન્ન, કાયાશૂન્ય, શરીરઅગોચર છું. તે સ્વરૂપે જ જાતને અનુભવવી છે.
વાણી-તદ્ધર્માદિથી આત્મા અન્ય છે જ. (૬) શબ્દાતીત એવો હું શબ્દથી પણ અત્યંત પૃથફ છું. તેનાથી પૃથફ જ રહેવું છે. રિસ (૭) કર્કશતા, મધુરતા, સુસ્વરતા, દુઃસ્વરતા વગેરે વાણીના ગુણધર્મોથી પણ હું જુદો છું.
(૮) વાણીમાં રહેલા ભાષાવર્ગણાના પુદ્ગલોના પુંજથી પણ હું તદન ભિન્ન છું. (૯) વાણીમાં કંપન-વિસ્તરણ આદિ ક્રિયાઓ ઉત્પન્ન થાય છે, તે વાણીક્રિયાથી પણ હું અલગ છું.
(૧૦) મોઢેથી નીકળીને ચારે બાજુ ફેલાતી વાણી સાંભળીને તેના ફળસ્વરૂપે અન્ય શ્રોતાને કે મને જે આફ્લાદ કે અણગમો વગેરે ઉભા થાય તેનાથી પણ હું મૂળભૂત સ્વભાવે જુદો જ છું.
વાણી, વાણીધર્મ, વાણીઅવયવો, વાણીક્રિયા કે વાણીક્રિયાફળ - આ પાંચેયની જોડે મારે શું લાગે કે વળગે ? કારણ કે હું તો શબ્દાતીત, શબ્દભિન્ન, શબ્દરહિત, શબ્દસંપર્કશૂન્ય, શબ્દઅગોચર છું.
ઈન્દ્રિય-તર્માદિથી આત્મા જુદો છે $ (૧૧) આંખ, નાક વગેરે પાંચેય ઈન્દ્રિયોથી હું અન્ય છું. કેમ કે હું અતીન્દ્રિય છું. (૧૨) બહિર્મુખતા, વિષયલોલુપતા વગેરે ઈન્દ્રિયના ગુણધર્મોથી પણ હું સાવ અલગ જ છું. (૧૩) પાંચેય ઈન્દ્રિયોમાં રહેલ શક્તિમય નિર્મળ ગુગલોના સમૂહથી પણ હું ભિન્ન છું.