Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
? ૬/૭
* धर्मकर्ममर्मज्ञतालाभः
'नश्वरतया, Jअविश्वसनीयतया, अशुचितया च स्वतः स्वान्तः प्रतीयते ।
ચ
(५) त्रिविधसंसारौतप्रोततया तत्रैव कर्तृत्व- भोक्तृत्वरसमयपरिणतिस्वरूपा या संसारसारभूतता = भवाभिनन्दिता सा अत्यन्तं क्षीयते । कुटुम्बपालन - भोजनादौ अतन्मयभावेन कर्मवशतः प्रवर्त्तते । न (૬) નિનશુદ્ધાત્મસ્વરૂપપ્રાપ્તિપ્રવતચિન્તયા પોશર (૧૧/૭)-દ્વાત્રિંશિા(૨/૧૦-૧૪)-વૈરાગ્યવત્ત્વતતા(५/४५९-४६४)द्युक्तं श्रुतमयज्ञानं साम्प्रतं चिन्तामयज्ञानरूपेण ( षोडशक-११/८) झटिति परिणमति। र्श (७) विरक्त-शान्ताऽन्तःकरणप्रसूतत्वेन अपुनर्जन्महेतुकत्वाद् इह चिन्तामयज्ञानं तत्त्वबोधरूपतया क परिणमति । ततो धर्मकर्ममर्माणि सम्यग् विजानाति ।
TUT
પ્રતીત થાય છે, (E) વિડંબનાસ્વરૂપ દેખાય છે, (F) છઠ્ઠી આંગળી જેવા કષ્ટદાયક-નડતરરૂપ જ લાગે છે, (G) ઉપાધિનું પોટલું લાગે છે, (H) પાપના ઉદયમાં કે ભવાંતરમાં પોતાના અશરણરૂપે ભાસે છે, (I) નાશવંતરૂપે પ્રતિભાસે છે, (૩) દગાબાજ-અવિશ્વસનીય-ઠગારા જણાય છે, (K) અશુચિ-અપવિત્ર સ્વરૂપે અનુભવાય છે, (L) એક જાતની લપ લાગે છે. પૂર્વે માર્ગાભિમુખ દશામાં શાસ્ત્રાભ્યાસ, સત્સંગ વગેરેના પ્રભાવે આ જીવ સંસારને અસાર માનતો હતો. પરંતુ હવે માર્ગપતિત અવસ્થામાં તો પોતાને જ અંતરમાં ત્રણેય પ્રકારના સંસાર અસાર લાગે છે. આટલી અહીં વિશેષતા છે. અનુકૂળ ધર્મપત્ની સાથેના જરૂરી વ્યવહારો પણ હવે જીવને પોતાને અંદરથી જ સ્વતઃ અસાર અને અનર્થકારી લાગે છે. → ભવાભિનંદી દશાની વિદાય →
२४१५
=
(૫) ઉપરોક્ત ત્રણેય પ્રકારના સંસારમાં ઓત-પ્રોત બનીને, તન્મય બનીને તેમાં જ કર્તૃત્વ -ભોક્તત્વભાવની રસમય પરિણતિસ્વરૂપ સંસારસારભૂતતા ભવાભિનંદીદા અત્યંત ક્ષય પામે છે. કુટુંબપાલન, ભોજનાદિપ્રવૃત્તિ કે માનસિક સંકલ્પ-વિકલ્પ વગેરેમાં ઓત-પ્રોત થયા વિના, તન્મય બન્યા Cu વિના યથોચિતપણે જીવ તેમાં કર્મવશ જોડાય છે.
૭ ચિંતામય જ્ઞાનની પ્રાપ્તિ
(૬) ‘આમ ને આમ આ જન્મ આત્મજ્ઞાન મેળવ્યા વિના તો પૂરો નહિ થઈ જાય ને ? મને ક્યારે આત્મદર્શન થશે ? મારો શુદ્ધ આત્મા ક્યારે પૂર્ણપણે પ્રગટ થશે ?' આમ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પૂર્ણતયા પ્રાપ્ત કરવાની પ્રબળ ચિંતા તેના અંતઃકરણમાં વણાયેલી હોય છે. તેના લીધે શ્રુતમય જ્ઞાન હવે ચિંતામય જ્ઞાનસ્વરૂપે ઝડપથી પરિણમતું જાય છે. ષોડશક, દ્વાત્રિંશિકા પ્રકરણ, વૈરાગ્ય કલ્પલતા વગેરે ગ્રંથોમાં શ્રુતમય-ચિંતામય જ્ઞાનનું વિસ્તારથી વિવેચન મળે છે.
આ અવસ્થામાં સાધક ભગવાન પોતે જ પોતાને કહે છે કે :
लाख बात की बात यह, तोकुं देइ बताय ।
जो परमातमपद चहे, तो राग-द्वेष तज भाय ! ।। ( परमात्म छत्रीसी - २५ )
(૭) અહીં સાધકનું અંતઃકરણ ઈન્દ્રિયવિષયોથી વિરક્ત અને શાંત બનેલું હોય છે. વિરક્ત અને શાંત અંતઃકરણમાંથી પ્રસ્તુત ચિંતામય જ્ઞાનનો જન્મ થયેલ હોવાથી તે જ્ઞાન જન્મ-મરણની પરંપરાને ટૂંકાવવાનું જ કારણ બને છે. પુનર્જન્મની પરંપરાને ટૂંકાવવાનો હેતુ બનવાથી, મોક્ષનો હેતુ બનવાથી,