Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
હ
૩
૧
• ध्यानस्वरूपद्योतनम् ।
२३८३ વચનાનુષ્ઠાનઈ સમાપત્તિપર્ણ (પરમાણીક) પ્રમાણ ચઢી(=પરિણમી).૧૬/પા
एवं हि सर्वत्र भगवदुक्ताऽऽगमार्थानुस्मरणतः क्रियाकरणे सम्पद्यमानं वचनानुष्ठानं हि अग्रेतनदशायां । ઘરિતસ્ય વસ્તુવિશેષસ્થ વિનાતીયપ્રયત્નાગનન્તરિતઃ સનાતીયપ્રત્યપ્રવાહં ધ્યાન(...ઢી.૮૨૮) રૂતિ कुट्टनीमतवृत्तौ रसदीपिकायां व्यावर्णितं ध्यानं जनयत् समापत्तिरूपतामास्कन्देत् । यद्वा वचनानुष्ठानतः । ध्यानद्वारा समापत्तिः प्रादुर्भवेत् ।
वचनानुष्ठानलक्षणन्तु षोडशके “वचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु। वचनानुष्ठानमिदं श चारित्रवतो नियोगेन ।।” (षो.१०/६) इत्येवमुक्तं श्रीहरिभद्रसूरिभिः । विभाविता चेयं कारिका अस्माभिः । તત્તી જ્યાખવેન્દ્રજ્યામ્ (મા-ર/.૨૩૭) /
अथ ध्यानजन्यसमापत्तिप्रस्तावेन प्रासङ्गिकम् उच्यते। तथाहि - ध्यानस्य मार्गचतुष्टयं । शास्त्रप्रसिद्धम् । (१) तत्रैकः पतञ्जलिदर्शितः नानैश्वर्यकामस्य अणिमादिसिद्धिफलकः, (२) अपर: का
હ સર્વત્ર જિનવચનને આગળ કરો 69 (વ.) આ રીતે સર્વત્ર ક્રિયા કરતી વખતે “મારા ભગવાને આ પ્રમાણે જણાવેલ છે. તેથી હું આ પ્રમાણે કરું છું' - આ પ્રમાણે જિનોક્ત આગમના અર્થનું સ્મરણ કરવાથી વચનાનુષ્ઠાન સંપન્ન થાય છે. આ રીતે સંપન્ન થતું વચનાનુષ્ઠાન આગળની ઉચ્ચતર દશામાં ધ્યાનને ઉત્પન્ન કરતું સમાપત્તિરૂપતાને ધારણ કરે છે. અથવા તો વચનાનુષ્ઠાનથી ધ્યાન દ્વારા સમાપત્તિ પ્રગટ થાય. કુટ્ટનીમત ગ્રંથની રસદીપિકા વ્યાખ્યામાં ધ્યાનની સરસ વ્યાખ્યા કરી છે. તે અહીં યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “ધારણા દ્વારા પકડેલ વિશિષ્ટ વસ્તુની એકાકાર પ્રતીતિનો જે પ્રવાહ પ્રવર્તતો હોય તે જ ધ્યાન છે. પણ તેને ધ્યાનાત્મક બનવા માટે એક મુખ્ય શરત એ છે કે વચ્ચે-વચ્ચે બીજી વિલક્ષણ વસ્તુઓને યાદ કરવાના પ્રયાસથી તે એકાકાર પ્રતીતિનો પ્રવાહ ખંડિત ન થવો જોઈએ.” ભગવદ્ગોચર આવા ધ્યાન દ્વારા વચનાનુષ્ઠાન સ્વયં સમાપત્તિસ્વરૂપે સે. પરિણમે છે અથવા ધ્યાન દ્વારા વચનાનુષ્ઠાન સમાપત્તિને પ્રગટાવે છે. આવું અહીં તાત્પર્ય સમજવું.
જ વચનાનુષ્ઠાનને ઓળખીએ છે (વ.) તેમજ અહીં જે વચનાનુષ્ઠાનની વાત ચાલી રહી છે, તે વચનાનુષ્ઠાનનું લક્ષણ તો ષોડશકમાં શ્રીહરિભદ્રસૂરિજીએ આ પ્રમાણે જણાવેલ છે કે “સર્વત્ર ઔચિત્યયોગથી જે વચનાત્મક પ્રવૃત્તિ થાય છે તે વચનાનુષ્ઠાન કહેવાય. ચારિત્રધર આત્માને નિયમા આ વચનાનુષ્ઠાન હોય.” ષોડશકની પ્રસ્તુત કારિકાનું વિસ્તૃત વિવરણ તેની કલ્યાણકંદલી વ્યાખ્યામાં અમે કરેલ છે. તેથી અહીં તેનો વિસ્તાર કરતા નથી.
આ ધ્યાનના ચાર માર્ગ (1થ.) સમાપત્તિ ધ્યાનજન્ય હોવાથી હવે સમાપત્તિના પ્રસ્તાવથી ધ્યાન અંગે પ્રાસંગિક બાબત કહેવાય છે. તે આ પ્રમાણે :- ધ્યાનના ચાર માર્ગ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે.
(૧) તેમાં પતંજલિ ઋષિએ દર્શાવેલ ધ્યાનમાર્ગ જુદા-જુદા ઐશ્વર્યની કામનાવાળા જીવને ફલસ્વરૂપે અણિમાદિ સિદ્ધિઓ આપે છે.
(૨) વેદાંતમાં જણાવેલ નિદિધ્યાસન નામના ધ્યાનમાર્ગનું ફળ પરબ્રહ્મ અને આત્માના ઐક્યનો