Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• ध्यानयोगस्य द्वादशाङ्गीसारता 0
२३८७ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अखिलप्रवृत्तिप्रारम्भकाले ‘कीदृशकर्तव्यपालनगोचरा जिनाज्ञा मया लब्धा ? अहं यत्करोमि तद् जिनाज्ञानुसारेण न वा ? प्रवृत्त्युत्तरकालीनभावा जिनाज्ञानुसारेण प्रवर्तन्ते न वा ? जिनाज्ञापालनकृते एवाहमेतत्कार्यं करोमि यदुत जनमनोरञ्जन-यश-कीर्त्तिलाभा- रा द्युद्देशलक्षणलौकिकवृत्तिपुष्टिकृते ?' इत्यादिकं मध्यस्थतया निष्कपटं विचारणीयमवश्यम्।
इत्थं विचारदशाऽभ्यासेन स्वहृदयस्थितभगवन्माहात्म्यतः जायमाना वचनानुष्ठानभूमिका यद् । ध्यानं जनयति तद् द्वादशाङ्गीसारः। तदुक्तम् उपमितिभवप्रपञ्चायां कथायां सिद्धर्षिगणिभिः “तस्मात् । सर्वस्य सारोऽस्य द्वादशाङ्गस्य सुन्दर !। ध्यानयोगः परं शुद्धः, स हि साध्यो मुमुक्षुणा ।।” (उ.भ.प्र.क. क મ-રૂ/પ્રસ્તાવ-૮)શ્નો.૭૨૨/9.ર૮૧) તા
तद् रागाऽनिलविरहे स्थिरीभवति। तदुक्तं भावप्राभृते '“जह दीवो गब्भहरे मारुयबाहाविवज्जिओ जलइ। तह रायाऽणिलरहिओ झाणपईवो वि पज्जलइ ।।" (भा.प्रा.१२३) इति । इदमेवाभिप्रेत्य दशाश्रुतस्कन्धे का
- આત્મવિચારદશા કેળવીએ 8 આધ્યાત્મિક ઉપનયા:- કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે આત્માર્થી સાધકે “શું કરવાની મને જિનાજ્ઞા પ્રાપ્ત થયેલ છે ?”, “જે કાર્ય કરું છું તે જિનાજ્ઞા મુજબ છે કે નહિ ?', “કાર્ય કરવાની પાછળ કે કાર્ય કર્યા બાદ મારા ભાવો જિનાજ્ઞા મુજબ રહે છે કે નહિ ?', “ભગવાનની આજ્ઞા પાળવા માટે જ આ કામ હું કરું છું ને !”, “આ કાર્ય કરવાની પાછળ લોકરંજન કરવાનું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવી લેવાનું લૌકિક વલણ તો રહેલું નથી ને ?” – ઈત્યાદિ વિચાર મધ્યસ્થપણે, પ્રામાણિકપણે અવશ્ય કરવો.
{ ધ્યાનયોગ દ્વાદશાંગીનો સાર , (ઘં.) આ રીતે વિચારદશા કેળવવાથી જીવનકેન્દ્રમાં – હૃદયકેન્દ્રમાં જિનેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા થાય છે. તેના પ્રભાવથી વચનાનુષ્ઠાનની ભૂમિકા સાધકમાં તૈયાર થતી જાય છે. તેનાથી જે ધ્યાન ઉત્પન્ન થાય છે, તે ધ્યાન દ્વાદશાંગીનો સાર છે. ઉપમિતિભવપ્રપંચો કથા ગ્રંથમાં શ્રીસિદ્ધર્ષિગણિવરે આ અંગે જણાવેલ છે કે “હે સુંદર ! પોંડરિક ! વિશુદ્ધ અને એકાગ્ર ચિત્તસ્વરૂપ ધ્યાન ઉત્તમ હોવાથી પ્રસ્તુત સમસ્ત દ્વાદશાંગીનો સાર ધ્યાનયોગ છે. પરંતુ તે શુદ્ધ હોવો જોઈએ. (અર્થાત્ આર્ત-રૌદ્ર ધ્યાન નહિ પણ અત્યંત નિર્મલ ધર્મ-શુકલ ધ્યાન જ અહીં દ્વાદશાંગીના સાર રૂપે અભિમત છે. તથા આવો) શુદ્ધ ધ્યાનયોગ જ મુમુક્ષુએ સાધવા યોગ્ય છે.”
>ફ રાગ છોડો તો ધ્યાન ટકે ઝક (ત.) તથા તે શુદ્ધ ધ્યાન રાગસ્વરૂપ પવનની ગેરહાજરીમાં સ્થિર થાય છે. આ અંગે ભાવપ્રાભૃત ગ્રંથમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જેમ ગર્ભગૃહમાં પવનની સમસ્યાથી મુક્ત બનેલો દીવો નિશ્ચલપણે સળગે છે, તેમ રાગરૂપી પવનથી શૂન્ય ધ્યાનદીપક પણ નાભિકમલમાં (=ગર્ભગૃહમાં) પ્રકાશે છે, આત્મસ્વરૂપને - પરમાત્મસ્વરૂપને પ્રકાશિત કરે છે.” આ જ અભિપ્રાયથી દશાશ્રુતસ્કંધમાં જણાવેલ છે
1. यथा दीपः गर्भगृहे मारुतबाधाविवर्जितः ज्वलति। तथा रागाऽनिलरहितः ध्यानप्रदीपः अपि प्रज्वलति ।।