________________
शरणमशरणं वो बंधवो बंधमूलं चिरपरिचितदारा द्वारमापद्गृहाणाम् । विपरिमृशत पुत्राः शत्रवः सर्वमेतत् त्यजत भजत धर्म निर्मलं शर्मकामाः ॥६॥
હે ભાઈ! મૃત્યુ આદિ ભયંકર દુખેથી જ્યાં કઈ તને બચાવવાવાળું નથી એવું જે ઘર તે તને શરણરૂપ નથી, બંધુ વર્ગ એ જ ખરેખર બંધનું મૂળ છે, જેનાથી તારે અતિશય પ્યાર છે, એવી તારી સ્ત્રી સર્વ વિપત્તિરૂપ ઘરનું દ્વાર છે, પુત્રે એ જ તારા શત્રુ છે, એમ સર્વ પરિવાર નિશ્ચયપણે દુઃખનું જ કારણ છે. એમ સમ્યકપણે વિચારી એ સર્વ પ્રત્યેની મહાસક્તિને છોડી કેવળ પરમ સુખના હેતુભૂત નિર્મળ ધર્મને તું આરાધ્ય! આરાધ્ય!
હે મિત્ર! આ અશરણ અને કેવળ અસાર સંસારમાં શું સારભૂતપણું જાણી રહ્યો છે, જગતની જે જે વસ્તુઓમાં તું રાગ કરે છે, તે તે સર્વ ખરેખર દુઃખનું જ મૂળ છે, ઘર તો કેવળ શરણ રહિત જ છે, કે
જ્યાં કેઈ આ જીવને રક્ષક નથી. અનેક ઉપાધીનું મૂળ જે બંધું વર્ગ તે કેવળ બંધના જ કારણરૂપ છે, જેને તું ખાસ તારી પિતાની માની પ્રીતિ કરી રહ્યો છે એવી જે તારી સ્ત્રી એ જ તને સર્વ વિપત્તિઓનું દ્વાર છે, અને પુત્રાદિને તે અતિ પ્રિય માને છે, પણ એજ તારા વૈરી છે. કેમકે તે જમે ત્યારે તારી પ્રિય એવી સ્ત્રીનું વૈવન હરે છે, બાળપણમાં તને પ્રિય એવા તારા ભાગ્ય પદાર્થો (મિષ્ટ ભેજનાદિ)ને તે હરે છે, અને બળવાન વૈવન અવસ્થા પામતાં તારા પ્રિય ધનને તે હરે છે, તેથી પુત્ર સમાન બીજે કઈ વૈરી નથી. તું જે ખચિત સુખનેજ અથી હોય તો એ સર્વ ઉપરની પ્રીતિને તજી કેવળ વીતરાગ પ્રણીત પવિત્ર ધર્મને શરણે જા અને તેને અનન્ય ભક્તિ ભાવે ભજ.
કઈ કહેશે કે ગૃહાદિ તે અમને ઉપકારી નથી, પણ ધન તે ઉપકારી છે ને? તેને આચાર્ય કહે છે કે –
तत्कृत्यं किमिहेन्धनैरिव धनैराशाग्निसंधुमणः સાજોન બિંદ રાષઃ સમિધુમિકા किं मोहाहिमहाबिलेन सदृशा देहेन गेहेन वा देहिन् याहि सुखायते समममुं मा गाः प्रमादं सुधा ॥६१॥