Page #1
--------------------------------------------------------------------------
________________
સુમેઅ રીલં તમહં ગુણાકિ.
વારાણસીથી શિખરજી સુથીની કલ્યાણકભૂમિની ભાવયાત્રા
Jain EducaS Inter
For Private & Personal
Page #2
--------------------------------------------------------------------------
________________
લછવાડ
ભદૈની
કાકંદી
ઋજુવાલિકા
વારાણસી
:::
ક્ષત્રિયકુંડ
Aft (LE
રાજગૃહી
શુણિયાજી
કુંડલપુર
સમેતશિખરજી
of Private & Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
પાવાપુરી
ભલુપુર
ચંપાપુરી
| બડામંદિર
સિંહપુરી
પટણા
ચંદ્રપુરી
श्री जैन श्वेतारवर मन्दिर
नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत
समयावधि में शीघ्र वापस करने की कृपा करें, जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें.
For Private & Fogaulan
Page #4
--------------------------------------------------------------------------
________________
ernational
www.jainel
Page #5
--------------------------------------------------------------------------
________________
.
સામે શૈલું તમહં શુણામિ
વારાણસીથી શિખરજી સુથીની કલ્યાણકભૂમિની ભાવયાત્રા | (સચિત્ર-કલાત્મક-અભ્યાસલક્ષી-નિત્યદર્શનીય
વંદન-સ્તવન સહિત)
ડૉ. શેફાલી શાહ
ACHARYA SAI KAILASSAGAESUR! GYANMANDIR SRI MAHAYA
INDRA Koba, Ganaminyar-352 009. Phone : (079) 23276252, 232762040
adbhavana
Kala Akadamy
Jain Education international
Page #6
--------------------------------------------------------------------------
________________
સમૅઅ શૈકં તમહં શુણામ
(વારાણસીથી શિખરજી સુથીની કલ્યાણકભૂમિઓની ભાવયાત્રા)
Serving jinshasan
પ્રકાશક
138778. gyanmandir@kobatirth.org
401, હેમદેવ હાઉસ, ધરણીધર દેરાસર સામે, અક્ષત ફ્લેટની બાજુમાં, પાલડી, અમદાવાદ-380 007
ગુજરાત (ભારત) ફોન : 26606414, 32906414 (મો) 98254 81402 C/o. 93762 40606 • ઇ-મેઇલ : dr_shefali_ska@yahoo.com
શ્રી જૈન પ્રકાશન મંદિર (309/4, ખત્રીની ખડકી દોશીવાડાની પોળ, કાલુપુર
અમદાવાદ ફોન : 079 - 25356806
પ્રાપ્તિસ્થાના શ્રી ભૂપેન્દ્ર એમ. શાહ 18, સિટી મિલ કમ્પાઉન્ડ રાયપુર દરવાજા બહાર
અમદાવાદ ફોન : 079 - 25467786]
( મલ્ટી ગ્રાફિક્સ 18, ત્રીજે માળે, ખોટાચીવાડી વર્ધમાન બિલ્ડિંગ, વી.પી. રોડ | મુંબઈ-400004
ફોન : 022 - 23873222 multygraphics9@gmail.com
(શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ
અમદાવાદ ફોન : 079 - 25356692
સદ્ભાવના કલા અકાદમી
| ડૉ. શેફાલી બી. શાહ 401, હેમદેવ હાઉસ, ધરણીધર દેરાસર સામે, અક્ષત ફ્લેટની બાજુમાં પાલડી, અમદાવાદ-380 007 ફોન : 079- 26606414, 32906414 (મો) +91 98254 81402, ઇ-મેઇલ : dr_shefali_ska@yahoo.com
પ્રથમ આવૃત્તિ: 14-12-2008 6 પ્રત: 3000
All rights reserved. No part of this publication may be reproduced, stored in retrieval system or transmitted, in any form or by any means, electronic, mechanical, photocopying, recording or otherwise, without the prior permission of Director, Sadbhavana Kala Akadamy, Ahmedabad.
મુદ્રક શ્રી યજ્ઞેશભાઈ પંડ્યા
પ્રિન્ટ વિઝન પ્રા. લિ. આંબાવાડી, અમદાવાદ, ફોન : 079 - 26405200 • www.printvision.in
ડિઝાઇન શ્રી યુવરાજ ઝાલા, પ્રિન્ટ વિઝન પ્રા. લિ.
મુલ્ય : રૂ. ૫૫0/-
Price : Rs. 550/
Page #7
--------------------------------------------------------------------------
________________
9-238
I નિત્ય વંદન ||
A // 09
પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ. (ડૉ.) ચીનુભાઈ જે. કાપડિયા
પરમ પૂજ્ય માતુશ્રી ભાવનાબહેન ચીનુભાઈ કાપડિયા
| મારી જીવનની પળેપળ અને ક્ષણેક્ષાને જેમણે પોતાના અવિરત સ્નેહ, અપાર દઢતા અને મનોવૃળથી સમૃદ્ધ કરી છે તેવો મારાં માતા-પૅિતાનું ત્રણ કૅમ ચૂક્વી શકું?
અમૃતના અખૂટ ખજાના સમાં માતા-પિતાની શીતલ છાયામાં વૈરનો સુધી રÉવાનું સદ્ભાગ્ય ભાગ્યશાળી સંતાનોના
| નસીબમાં જ હોય છે.. આવાં માતા-પિતાને સતત નીરખવાનું અને તેમના આશીર્વાદ
મેળવવા માટે મારું મન નિત્ય ઝંખતું હોય છે.
મારી ક્લાસાધના અને જીર્વનઘડતરમાં જમણે હરહંમેશા ઉમળકાભય સાથ ખાપ્ય છે ઍવી વૈત ‘તીર્થસ્વરૂપ” કે માતા-પિતાનાં ચરણોમાં સાદર વંદન કરું છું.
શેફાલી શાહ
Parall
Only
Page #8
--------------------------------------------------------------------------
________________
અંતર ખૂલે ત્યારે...
પ્રાતઃસ્મરણીય મહાન ત્યાગી તીર્થકર ભગવંત જેવી દિવ્ય વિભૂતિઓની કલ્યાણક ભૂમિઓનું પાવનધામ એટલે પુણ્ય તીર્થભૂમિ. તીર્થકલ્પો અને તીર્થમાળાઓના મહામૂલા વર્ણનગ્રંથોના આધારે આજે આપણને એ તીર્થોનો ઇતિહાસ જાણવા મળે છે. એ વર્ણનોમાં આલેખાયેલ અષ્ટાપદ જેવાં તીર્થો સંશોધનનો વિષય બન્યાં છે. વળી, શ્રાવસ્તી, મિથિલા, કૌશાંબી, ભક્િલપુર, પુરિમતાલ (અયોધ્યા), અહિછત્રા, તક્ષશિલા, કાંગરા, ઉદયગિરિ વગેરે અનેક તીર્થો વિચ્છેદ પામ્યાં છે અથવા અન્ય ધર્મસંસ્થાઓ પાસે ચાલ્યાં ગયાં છે ત્યારે આવાં તીર્થસ્થળોની પ્રાચીન અને અર્વાચીન પરિસ્થિતિ જાણીને યાત્રા કરવી જોઈએ. આ સમયે દરેક યાત્રાળુને માર્ગદર્શકરૂપ એવાં પુસ્તકોનું અવલંબન અત્યંત ઉપયોગી નીવડે છે.
શ્રી સમેતશિખરજી મહાતીર્થ એટલે વર્તમાન ચોવીસીના વીસ-વીસ તીર્થકરોની પાવનીય નિર્વાણભૂમિ. આ તીર્થભૂમિ સુધી જવા માટે માર્ગમાં આવતી અનેક કલ્યાણ તીર્થભૂમિઓની સ્પર્શના કરવાનો લહાવો મળે છે. વર્તમાનમાં પૂર્વ પ્રદેશની યાત્રાએ જતા તમામ યાત્રિકો વારાણસીથી જ યાત્રાનો પ્રારંભ કરે છે, પણ માત્ર એક દિવસનો વધુ સમય ફાળવે તો અલાહાબાદ તથા તેનાથી ૬૦ કિ.મી. દૂર કૌશાંબી તીર્થની પણ યાત્રા કરી શકે. મારી શિખરજી યાત્રા દરમ્યાન ‘વારાણસીથી શિખરજી’સુધીનાં અનેક તીર્થો જેવાં કે વારાણસી, રાજગૃહી, પટણા, કુંડલપુર, પાવાપુરી, ગુણિયાજી, ક્ષત્રિયકુંડ, કાકંદી, ચંપાપુરી, ઋજુવાલિકા અને શિખરજી એમ દરેક તીર્થોની વંદનાનો લાભ મને મળ્યો. યાત્રા દરમ્યાન મેં અનુભવ્યું કે ભાવુક ભક્તોને દર્શન, ભક્તિ, માર્ગદર્શન કે માહિતી સંપૂર્ણ રીતે જોઈતાં હોય તો એક પુસ્તક તૈયાર કરવું જોઈએ. આથી આ પાવન તીર્થભૂમિઓની પ્રત્યક્ષ યાત્રા કરી જાતે અનુભવેલી વિગતોને સાક્ષાત્ કરી અત્યંત ( જહેમત ઉઠાવ્યા બાદ આ ગ્રંથ તૈયાર કર્યો છે..
ભેટ આપવા અને વસાવવા યોગ્ય આ ગ્રંથની વિશેષતા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા તથા અપંગ- અશક્ત એવા મુમુક્ષુઓનો યાત્રા કર્યાનો ભાવ પૂર્ણ થશે. ધર્મપ્રેમી જીવોને સામાયિકમાં ખૂબ ઉપયોગી થશે. છ'રીપાલિત સંઘયાત્રામાં તીર્થનું સંપૂર્ણ માર્ગદર્શન મળશે. ૫00 પાનાંમાં મલ્ટિકલરમાં આલેખાયેલા આ ગ્રંથમાંથી આશરે ૧૫00 તસવીરો વડે તીર્થ, મૂળનાયક અને અન્ય જિનબિંબોનાં દર્શનનો લાભ મળશે. યાત્રા દરમ્યાન પ્રત્યક્ષ અનુભવાયેલી વિગતોની નોંધ અને સૂચનના આધારે યાત્રિકોને સચોટ માહિતી મળશે. દરેક તીર્થના વિશેષ રીતે આલેખાયેલા સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન અને થોયની રજૂઆતનો ભાવુક જીવો ભક્તિમાં ઉપયોગ કરી શકશે. વારાણસીથી શિખરજીની સંપૂર્ણ યાત્રાનો નકશો તથા શિખરજીની ૩૧ ટૂક-દેરીની યાત્રાનો નકશો અને વિધિ સહિતદર્શનની માહિતી ઉપયોગી બનશે. શ્રી શત્રુંજયની પરિક્રમાની જેમ શ્રી શિખરજી મહાતીર્થની પરિક્રમાનું માર્ગદર્શન યાત્રાળુઓને
પરિક્રમા કરવા પ્રેરશે. - 0 પ્રચલિત તીર્થોના મૂળનાયક પ્રભુજીની ભાવવાહી અસલ છબીઓનાં દર્શન અને જીવન
પરિચયનો કોઠો જાણકારી વધારવા માટે ઉપયોગી બનશે.
Page #9
--------------------------------------------------------------------------
________________
ગ્રંથના અવગાહન બાદ પ્રત્યક્ષ યાત્રાના ભાવથી આ તીર્થોમાં યાત્રાળુઓનું આવાગમન વધારી તીર્થરક્ષાનો હેતુ પરિપૂર્ણ થશે. તીર્થની પ્રાચીન અને અર્વાચીન પરિસ્થિતિનું વર્ણન કરતો આ ગ્રંથ જીર્ણોદ્ધાર સમયે જિનાલયની સંપૂર્ણ રચના જાણવા માટે ઇતિહાસની દૃષ્ટિએ મદદરૂપ સાબિત થશે. આ પુસ્તક સાથે ભેટરૂપે આપવામાં આવેલું નાનું પુસ્તક ગિરિરાજની યાત્રા દરમ્યાન સાથે રાખવામાં ખૂબ ઉપયોગી બનશે. તદુપરાંત, ઓડિયોમાં ગવાયેલાં ભાવવાહી સ્તવનો ભક્તિનો ભાવપૂર્ણ કરાવશે.
બહુલક્ષી હેતુથી પ્રસ્તુત કરાયેલો આ ગ્રંથ “સમે શેલ તમહં થણામિ” જિનશાસનની મોટી પ્રભાવના બની રહેશે તેવી ઇચ્છા સાથે શાસનની સેવા કરવાનું મારું એક સ્વપ્ન પૂર્ણ થશે એવી આશા રાખું છું.
સમેતશિખરજી'માં પરિચયમાં આવેલ આચાર્યભ. પૂ. શ્રી વિજય જગવલ્લભસૂરિજીએ આપેલ ‘યાત્રા સ્તવનાવલી’માંથી લીધેલ તીર્થ સ્તવનો અને શિખરજીની પરિક્રમાની તસવીરો ઉપરાંત ગ્રંથના લખાણની શાસ્ત્રોક્ત ચકાસણી કરી આપવા બદલ પૂ. શ્રી લબ્ધિવલ્લભવિજયજી તથા પૂ. શ્રી દાનવલ્લભવિજયજીની હું ઋણી છું. | રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્ય ભ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની ભલામણથી આ તીર્થયાત્રા દરમિયાન દરેક પ્રકારની સગવડ મળી શકી તે માટે તેમની હું ઋણી છું. આચાર્ય ભગવંત પૂજ્ય શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજીના સમુદાયનાં સાધ્વી પૂ. જિતપ્રજ્ઞાશ્રીજી (વાગડ)નાં સુશિષ્યા સાધ્વીજી પૂજ્ય શ્રી જયદર્શનાજી મ.સા.નો પણ થોય સંગ્રહ આપવા બદલ આભાર માનું છું.
ડૉ. કુમારપાળ દેસાઈ તથા શ્રી કલ્પેશ ભટ્ટ (પ્રિન્ટ વિઝન)ની આ ગ્રંથના લખાણનું મૂકવાંચન કરી આપવા બદલ આભારી છું. ઉપરાંત આ ગ્રંથમાં પોતાનાં આશીર્વચન તથા અભિપ્રાય લખી આપવા બદલ સવે ગુરુભગવંતો અને મહાનુભાવોની આભારી છું.
આ કાર્ય માટે મને સતત પ્રોત્સાહિત કરનાર મારા પતિ ભૂપેન્દ્ર તથા મારી દીકરીઓ ધ્વનિ અને માનુષીનેયાદ ન કરું તો હું નગુણી કહેવાઉં કે જેમના સહકારથી આ દેદીપ્યમાન ગ્રંથનું સર્જન શક્ય બન્યું છે. - જે જીવો પોતાના શરીરની દુર્બળતા, આર્થિક પરિસ્થિતિની પ્રતિકૂળતા અથવા અન્ય સંજોગોને કારણે આ કર્તવ્યમાંથી ચૂકે છે તેમના માટે આ ગ્રંથનું અવલંબન તીર્થયાત્રા કરવા માટેનો એક મજબૂત સહારો બની રહેશે; જોકે આ સહારો પર્યાપ્ત નથી, પરંતુ આ સચિત્ર દર્શન ભાવયાત્રા કર્યા બાદ પ્રત્યક્ષ યાત્રાના ભાવ ચોક્કસ થશે જ તેવી મને શ્રદ્ધા છે.જિનઆજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો શ્રી સંઘના ચરણમાં મસ્તક મૂકીને મિચ્છામિ દુક્કડમ સાથે વિરમું છું.
| ડૉ. શેફાલી શાહ
(સદ્ભાવના કલા અકાદમી) આ ગ્રંથમાં પ્રાણપ્રતિષ્ઠા થયેલી જિનપ્રતિમાઓની તસવીરો આપવામાં આવી છે. સર્વે ભાવુકોને નમ્ર નિવેદન છે કે આપ જ્યારે આ ગ્રંથના અવલંબનથી | ભાવયાત્રા ક્રો અથવા તીર્થયાત્રા દરમિયાન જોડે રાખો ત્યારે કોઈ પણ પ્રકારે આશાતના ન થાય તેનું ધ્યાન રાખશો.
| આ ગ્રંથ ગમે ત્યાં મૂક્યો નહીં.
Page #10
--------------------------------------------------------------------------
________________
ડૉ. શેફાલી શાહ (સંગીતસર્જન) '' “સદ્ભાવના કલા અકાદમી’નાં પ્રણેતા ડૉ. શેફાલી શાહ શાસ્ત્રીય ગાયન, ભક્તિ સંગીત અને સુગમ સંગીતનાં એક જાણીતા કલાકાર છે. જૈન ધર્મ પ્રત્યેની આસ્થા તેમને સતત ધાર્મિક કાર્યો કરવા માટે પ્રેરતી રહી છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિધાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ગીતોનું સ્વરાંકન કરી તેને યોગ્ય રીતે રજૂ કરવાની તેમની એક લાક્ષણિક શૈલી છે. સમાજને બહુ ઉપયોગી બને
તેવી તેમની ઓડિયો તથા સીડી-કેસેટોની નામાવલિની એક ઝલક... (૧) અરિહંત વંદના (જૈન ભક્તિગીતો) (૨) શ્રી ભક્તામરસ્તોત્ર (સંસ્કૃત), રત્નાકર પચ્ચીસી, ઉવસગ્ગહર, મોટી શાંતિ (૩) ૐૐ નિત્યક્રમ (ભાગઃ ૧,૨,૩) (શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત) MP3 Audio CD
પ્રાતઃકાળ, મધ્યાહુનકાળ, સાયંકાળની ભક્તિ... (૪) આતમ ભાવના ભાવીએ (શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત પદગાન) (૫) શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન (પ્રાચીન પરંપરાગતના ઢાળ) (૬) અખંડ નવકાર (6) સદ્ગુરુ શરણં (ધૂન સંગીત) (૮) સ્મરણ-મંત્ર (ધૂન સંગીત) (૯) ૐ હ્રી" અહં નમઃ (ધ્યાન સંગીત) (૧૦) અંતિમ સમયની આરાધના (સમાધિ-મરણની પગદંડી)
(વૈરાગ્યપદ, ભક્તિપદ, સંથારા પોરિસિ, પંચસૂત્ર સહિત) (૧૧) જીવન અંજલી થાજો (૧૨) મંગલ મંદિર ખોલો (શ્રદ્ધાંજલિ ગીત-LIVE) (૧૩) કૌન ઉતારે પાર (હિન્દી ભજન-LIVE) (૧૪) સિદ્ધાચલ શિખરે દીવો રે... DVD FILM -2Hrs. (‘ગુજરાત સમાચાર' આયોજિત) (૧૫) સંપૂર્ણ પ્રવેશિકા (ભાગઃ ૧, ૨, ૩, ૪) શાસ્ત્રીય સંગીતનો ત્રણ વર્ષ સુધીનો અને ધો. ૧૦, ૧૧, ૧૨નાં
સંગીત વિષયના પુસ્તકના લેખકે તૈયાર કરેલ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ |Audio Cassette/CD/MP3માં મળશે. (૧૬) શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત) (૧૭) શ્રી તીર્થકરસ્તોત્ર વંદના (ગુજરાતી)
(શ્રી ભક્તામરસ્તોત્ર, શ્રી કલ્યાણ મંદિર, શ્રી મહાવીરાષ્ટક) (૧૮) કલ્યાણક તીર્થ વંદના (જૈન સ્તવન). (૧૯) સંધ્યાવંદન/આરતીદીવો/ભક્તિ (૨૦) સમેતશિખરજી ભાવયાત્રા DVD FILM -2Hrs.(‘ગુજરાત સમાચાર' આયોજિત) (૨૧) કર વિચાર તો પામ - MP3 પુસ્તિકા સહિત - ભક્તિ સંગીત સહિત - સ્વાધ્યાય (૨૨) શ્રી નવકાર વંદન ચાલીસી (નવકારનાં ગીતો સહિત)
.
||
ucation International
www.jamel
Page #11
--------------------------------------------------------------------------
________________
પરિચયની પાખો – ડૉ. શેફાલી શાહ
શબ્દ, સ્વર, સંગીત, સંલીન અને ભક્તિનું પંચામૃત
ડૉ. શેફાલીબહેન શાહ સાથેનો નાતો બે દાયકા જેટલો દીર્ઘ ગણાય અને એ પણ પંચામૃતના સંદર્ભે જ. તેમને જ્યારે પણ મળવાનું બન્યું છે ત્યારે એ મુલાકાતે મને વ્હિટમનના એક યાદગાર વિધાનનું સ્મરણ કરાવ્યું છે. વ્હિટમન કહે છે, ‘હું મને ઊજવું છું અને હું મને ગાઉં છું' આવું કહેનાર વ્હિટમનના મતે ‘હું’ નિરાકાર ઈશ્વર અને ઈશ્વરના સાકાર સ્વરૂપ જેવી પ્રકૃતિને જોડતો સેતુ છે. શેફાલીબહેન ઉત્તમ સ્વરકાર-ગાયક છે, પણ આ સ્વરકારનું અંતિમ લક્ષ્ય તો ભક્તિના માધ્યમ દ્વારા પરમપદને પામવાનું હોય એમ દેખાય છે. ગાયકીમાં પ્રભુભક્તિ ભળે ત્યારે જ હૃદયવિકાસ થાય છે અને પછી એ વિકાસ ઉત્તરોત્તર શાંતિ અને સામર્થ્ય બક્ષે છે. આવી શાંતિની અનુભૂતિ એમની ગાયકીમાં અનેક શ્રોતાઓએ અનુભવી છે.
શેફાલીબહેનને સંગીતના સંસ્કાર માતુશ્રી ભાવનાબહેન તરફથી વારસામાં મળ્યા, ઉપરાંત સી.એન. વિદ્યાલયમાં અભ્યાસની સાથે સંગીતનું પ્રાથમિક શિક્ષણ પણ મેળવ્યું. સ્વર્ગસ્થ પિતા ડૉ. ચીનુભાઈ કાપડિયા અને પતિ ભૂપેન્દ્રભાઈએ શેફાલીબહેનની આ શક્તિના વિકાસ માટે અવકાશ અને અનુકૂળતા જો પૂરાં ના પાડ્યાં હોત તો સંભવ છે કે શેફાલીબહેનનો સ્વર-ચંદ્ર કદાચ સોળે કળાએ ખીલી ના શક્યો હોત. સંગીતની સાથે નૃત્ય અને ચિત્રમાં પણ તેમનો કલાવિહાર આશ્ચર્ય પમાડે તેવો રહ્યો છે. અર્થશાસ્ત્ર સાથે એમ.એ.ની ડિગ્રી મેળવનાર વ્યક્તિ કલાવિશ્વમાં આટલી પારંગત હોય એ ઓછી અજાયબી નથી. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે તેમણે ગાયન વિષયમાં સતત સુવર્ણચંદ્રક મેળવીને ડૉક્ટરેટ સુધીનીડિગ્રી પ્રાપ્ત કરી છે.
શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને ભક્તિ સંગીતના અનેકવિધ કાર્યક્રમો દ્વારા દેશ-વિદેશમાં તેમણે નામના મેળવી છે. અનેક એવાર્ડ્ઝ પ્રાપ્ત કરનાર સ્વરકાર-ગાયકના માર્ગદર્શનથી સંગીત શીખતા અનેક વિદ્યાર્થીઓને દિશા સાંપડી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.૧૦-૧૧-૧૨ના સંગીત વિષયના પુસ્તકના લેખક તરીકે પણ તેમનું પદાર્પણ નોંધપાત્ર રહ્યું છે. શાસ્ત્રીય સંગીતમાં ‘સંગીત વિશારદ' (સ્નાતક કક્ષા)ની ડિગ્રી સુધીનાં તમામ પુસ્તકો અનેક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નીવડ્યાં છે. સંગીત આરાધનાની સમાંતરે તેમની શબ્દ આરાધના પણ સતત પ્રવૃત્ત રહી છે. અત્યારે તમે જે પુસ્તકમાં આંખ ટેકવી છે એ દળદાર ગ્રંથ ‘સમ્મેઅ શૈલ તમહં થુણામિ' પાછળ તો તેમણે પૂરી ધીરજથી પરિશ્રમ ઉઠાવી સંગીતકારની સાથે લેખનનું પાસું મજબૂત રીતે રજૂ કર્યું છે.
શેફાલીબહેન શાહે ઑડિયો કેસેટ, સીડી તથા ડીવીડીનું નિર્માણ કરી પોતાની ભક્તિ આરાધનાનો ભાવિકોને પૂરતો લાભ આપ્યો છે. તેમના નવા ઓડિયો આલબમ ‘શ્રી નવકાર વંદન ચાલીશી’નું પણ વર્ષ ૨૦૦૯ના આરંભમાં જ લોકાર્પણ થશે. ગાંધર્વ મહાવિદ્યાલયનાં પૂર્વ આચાર્યા તરીકેની તેમની સેવા સ્મરણીય છે.
સ્વર-સંગીતમાં દાયકાઓથી ગળાડૂબ રહેતાં શેફાલીબહેન સ્પષ્ટપણે માને છે કે જે સંગીત પ્રભુ-પ્રીતિને ઉત્પન્ન નથી કરી શકતું તે સ્વર અધૂરો ગણાય. તે સંગીત પણ નથી, કેવળ શ્રમ છે. ભક્તિ સંગીતના કાર્યક્રમમાં તેમના કંઠમાંથી કરુણાની ધારા સતત વહેતી જોઈ શકાય છે. તેઓ જાહેર કાર્યક્રમમાં ક્યારેક ઉચ્ચારતાં પણ હોય છે કે લય તત્ત્વ પૂર્ણતઃ વ્યાખ્યેય નથી પણ સહૃદય ચિત્તે પામવાનો આત્મનિષ્ઠ વ્યાપાર છે. શેફાલીબહેન અવાજઘડતર, સ્વરચિકિત્સા અને ધ્યાન સંગીતના વિષયોમાં સંશોધનાત્મક કાર્ય કરી રહ્યાં છે.
આવાં સ્વર-સાધક અને ઈશ્વર આરાધક શેફાલીબહેનને અંતરથી વધામણાં.
cation International
—
ધૂની માંડલિયા (કવિ-પત્રકાર)
www.airtell લવ
Page #12
--------------------------------------------------------------------------
________________
ભાવયાત્રાતો ક્ષણેક્ષણતો સાથી
ભાવ અને ભાવનાનો ધર્મ છે-જૈન ધર્મ. એમાં વ્યક્તિના આચાર-વિચાર કે વર્તન એ સઘળી બાબતોના કેન્દ્રમાં રહેલા ભાવનો વિશેષ મહિમા છે. જેવો ભાવ એવો પ્રતિભાવ અર્થાત્ ચિત્તમાં જેવો ભાવ કેળવીએ એવો પ્રતિભાવ અનુભવાય.
આવા ભાવધર્મમાં ભાવયાત્રાનો વિશિષ્ટ મહિમા છે. જીવનમાં યાત્રા અમુક સમયે શક્ય બનતી હોય છે, પણ મન વારંવાર એ યાત્રા કરવા આતુર હોય છે. ક્યારેક શારીરિક અસ્વસ્થતા પણ અવરોધરૂપ બનતી હોય છે. આવા સમયે યાત્રાનો આનંદ, ઉલ્લાસ અને અધ્યાત્મની ઊર્ધ્વતા આપણે ભાવયાત્રાથી જીવનમાં અવિરતપણે પામી શકીએ છીએ. આવી ભાવયાત્રામાં વ્યક્તિ દષ્ટિ સમક્ષ નહીં, પણ પોતાના ચિત્ત સમક્ષ યાત્રા કરે છે અને એના હૃદયમાં ધર્મભાવની ભરતી અનુભવે છે. આપણે તીર્થંકરોના વિહારથી પાદસ્પર્શ પામેલી ભૂમિને અતિ પાવન ભૂમિ માનીએ છીએ. એનાથી વિશેષ પાવન હોય છે તીર્થંકરોના કલ્યાણકની ભૂમિ, પરંતુ શ્રી સમેતશિખર મહાતીર્થની ભૂમિનું પાવનત્વ દર્શાવવા માટે તમામવિશેષણો અને માહાત્મ્યો અપૂર્ણ અને અપૂરતાં છે.
જ્યાં વીસ-વીસ તીર્થંકરો નિર્વાણપદને પામ્યા હોય એ ભૂમિની આધ્યાત્મિક ઊર્જા અદ્ભુત હોય છે. આવી ભૂમિ પરની સાધના સાધકના હૃદયને ખુલ્લું કરીને આધ્યાત્મિક આકાશમાં ઊંચે ઉડ્ડયન કરવાની મોકળાશ આપે છે. આથી જ એવી માન્યતા છે કે જે પારસનાથ નથી ગયો તે માતાને પેટે જ જન્મ્યો જ નથી.’ વળી, આ ભૂમિ પર અનેક મુનિભગવંતોએ પણ તપ,જપ, ધ્યાન આદિ દ્વારા ધર્મસાધના કરીને મોક્ષપદની પ્રાપ્તિ કરી છે એનો અર્થજ એ કે આ ભૂમિની પ્રત્યેક રજ એ માનવીના જીવનને ધર્મમાર્ગે વધુ ઉન્નત અને વિકાસશીલ બનાવનારી છે. આવી કલ્યાણક ભૂમિની ભાવયાત્રા ડૉ. શેફાલીબહેન શાહે જહેમતપૂર્વક તૈયાર કરેલા ‘સમ્મેઅ શૈલં તમહં થુણામિ' ગ્રંથમાં જોવા મળે છે. છેક વારાણસીથી શિખરજી સુધીની કલ્યાણક ભૂમિઓ વાચકના માનસચક્ષુ સમક્ષ પસાર થતી જાય છે અને એનું હૃદય એના અનુપમ આનંદની ભરતી અનુભવે છે. વળી, એ જુદી જુદી કલ્યાણક ભૂમિઓની સાથોસાથ સાધક ચાલતો જાય, સ્તવન-વંદના કરતો જાય અને એ રીતે ઊર્ધ્વગામી યાત્રા ચાલતી રહે છે. આથી જ આ ગ્રંથમાં પ્રત્યેક સાધકને એના માર્ગની માહિતીથી માંડીને જપ, તપ, ભક્તિ અને ઉપાસના સુધીની તમામ વિગતો પ્રાપ્ત થાય છે. તીર્થયાત્રા કરનાર માટે મહત્ત્વનાં સૂચનોની સાથોસાથ એના નકશા પણ આલેખ્યા છે અને જિનાલયોની સ્થાપત્યરચનાની વિગતો પણ મળે છે. એ જ રીતે પ્રત્યેક તીર્થના પ્રાચીન ઇતિહાસથી માંડીને એના અર્વાચીન ઇતિહાસનું આલેખન તો છે જ, પરંતુ વર્તમાન સમયમાં એ તીર્થોમાં થયેલા જીર્ણોદ્વારો અને નિર્માણ પામેલાં નવાં તીર્થસ્થાનોની માહિતી પણ સામેલ કરી છે. વળી, પ્રત્યેક તીર્થ પાસે સાધક જાય ત્યારે એ મૂળનાયક સમક્ષ કરવાની ભાવપૂર્ણ સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન અને થોય પણ મળી રહે છે.
જ
આ રીતે આ ગ્રંથમાં ભાવયાત્રાની ઝીણામાં ઝીણી વિગતથી માંડીને એની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ધર્મઆરાધનાની વિગતો પ્રાપ્ત થાય છે અને વિશેષ તો એની સચિત્રતા ઊડીને આંખે વળગે એવી છે. ભાષાની પ્રવાહિતામાં તણાતો સાધક એક પછી એક તીર્થની યાત્રા સંપન્ન કરીને આગળ વધતો રહે છે. વિપુલ માત્રામાં તસવીરો હોવા ઉપરાંત અહીં જુદા જુદા પટ અને ચિત્રાવલીનાં ચિત્રો પણ મળે છે. આ રીતે જાતે ચાલીને સમેતશિખરની યાત્રા કરનારથી માંડીને એની ભાવયાત્રા કરનાર સહુ ધર્મઆરાધકો માટે આ પુસ્તક ક્ષણેક્ષણનું સાથી બની રહે તેવું છે અને એના વાચનદર્શનનો અનુભવ ધર્મજિજ્ઞાસુમાં પાવન તીર્થંકરોની ભૂમિનું પાવનત્વ પ્રગટાવતો રહેછે,
એ જ એની વિશેષતા છે.
Education International
माल्याप
(ડો. કુમારપાળ દેસાઈ)
www.jainelibrary.
Page #13
--------------------------------------------------------------------------
________________
T
साभारर्शन પુસ્તકો, સામયિકો, હસ્તપ્રત, તસવીરો, ચિત્રો,
નકશા અને અન્ય સહયોગ આપવા બદલ અંતઃકરણપૂર્વક આભાર અને અનુમોદના
આ.ભ. શ્રી વિજય જગવલ્લભસૂરિ મ.સા. આ.ભ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. આ.ભ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.
આ.ભ. શ્રી નવરત્નસાગર મ.સા. પ.પૂ. શ્રી મુક્તિવર્ધનવિજયજી મ.સા., બલસાણા
પ. પૂ. શ્રી નયપદ્મસાગરજી મ.સા. ૫. પૂ. શ્રી નયચંદ્રસાગરજી મ.સા. પ. પૂ. શ્રી વિશ્વરત્નસાગરજી મ.સા. સા.શ્રી મયણાશ્રીજી મ.સા.(JIWO) સા.શ્રી મોક્ષરતિશ્રીજી મ.સા., અમદાવાદ સા.શ્રી જયદર્શના મ.સા., કચ્છ (વાગડ)
ગોરધનદાસ બોઘચંદ પરિવાર શ્રી કૈલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર, કોબા
શાંતિ પ્રતિષ્ઠાન, ગુજરાત સમાચાર જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, અમદાવાદ શ્રી હેમંત બ્રોકર, આણંદજી કલ્યાણજી પેઢી શ્રી નીરવ પરીખ, સિનેમેટોગ્રાફર (જીટીપીએલ)
ડૉ. કવિનભાઈ શાહ, બીલીમોરા શ્રી ભરતભાઈ ધોળકિયા, અમદાવાદ શ્રી દર્શન શાહ (શાહ કલર લેબ, અહમદપુર) શ્રી પ્રવીણ જૈન (મેનેજર, લછવાડ પેઢી) શ્રી નીરવ શાહ (માણિભદ્ર ક્વેલર્સ)
પ્રિન્ટ વિઝન પરિવાર
in Edueation International
Page #14
--------------------------------------------------------------------------
________________
|૧૦
આશીર્વચન ૐૐ હ્રીં શ્રી અર્હ તમઃ
તીર્થોની યાત્રા જો સાચા ભાવથી કરવામાં આવે તો ધર્મની સુખદ અનુભૂતિનું ફળદ્રુપ વાવેતર થયા વિના નથી રહેતું. કષ્ટસાધ્ય યાત્રાનાં સંવેદનો જીવતરનાં શુભ સંસ્મરણોનું ભાથું બની રહે છે.
શિખરજીની યાત્રા અમારી સ્મૃતિનગરીનું સૌથી મોટું અને અખંડ સ્થાપત્ય છે. એ સ્થાપત્યને અપલક નેત્રે જોવાનું અમને અહર્નિશ ગમતું રહ્યું છે. શિખરજીના સોહામણા માર્ગો, માર્ગના વળાંકો, પગથિયાંના પથ્થરો, તડકાને ચાળતા ઊંચા તોતિંગ ભૂરુહો, વૃક્ષોની ભીડ અને ગીચ ઝાડી, ઊંચાં ઊંચાં શૃંગો, ઊંડી ગહન ખાઈઓ, બદલાતા વાતાવરણના રંગો અને એ બધાની વચ્ચે શ્રદ્ધેય નિર્વાણભૂમિને જુહારવાના પવિત્રતમ અને રોમાંચક પ્રસંગો અંતરમન ઉપર અમીટ છાપ મૂકતા ગયા. ઘણી તમન્ના હતી કે અમારી સ્મૃતિનગરીના એ મહાન સ્થાપત્યની રઢિયાળી વિશેષતાઓ આત્મીયોની આગળ છતી કરીએ.
વિચારોમાં ઘણો સમય વહી ગયો હતો ને એ અરસામાં જ શ્રીમતી શેફાલીબહેને ગુરુભક્ત નીરવભાઈના સહયોગથી આ પુસ્તક સંશોધનાર્થે મોકલ્યું - અમારી તમન્નાને ટેકો મળ્યો. શ્રીમતી શેફાલીબહેનની પુસ્તકને માહિતીથી સાંગોપાંગ બનાવવા કાજેની ધગશભરી મહેનત દાદ માગી લે તેવી છે. શિખરજીનો મહિમા દિન-પ્રતિદિન લોકમાનસ પર છવાઈ રહ્યો છે. યાત્રાળુ વર્ગનો ધસારો પ્રતિવર્ષ વધી રહ્યો છે ત્યારે આવું માહિતીસમૃદ્ધ અને વિધિ સહિતનું આ પુસ્તક ભાવુકો માટે ખૂબ ઉપકારી બની રહેશે. ભવ્ય જીવો આ પુસ્તકના વાંચન અને દર્શનથી શુભભાવસંપન્ન બની પુણ્યવૃદ્ધિ
અને પરંપરાએ કર્મમુક્તિ કરી શાશ્વતપદને પામે એવી શુભેચ્છા. ચલ જા બલ્બ શ્રૃિ
(દાત્ પશ્ચાત્ નામ! શમ ા૭પ) શ્રી લાખી! ↑ લબ્ધ ળ પ્રવૃ ોતથા
અ
શ્રી સમેતશિખરજીની સચિત્ર શબ્દયાત્રાનો આ ગ્રંથ તૈયાર કરી શેફાલીબહેને જિનશાસનને સુંદર ભેટ આપી છે. વાણારસી (વારાણસી)થી શિખરજીની યાત્રાનો આ ગ્રંથ એ માત્ર માહિતી નથી, પરંતુ યાત્રાનો સત્ય પુરાવો છે. તેમણે દિવસોના દિવસો સુધી તીર્થધામના શુદ્ધ પરમાણુઓ અને પ્રાકૃતિક ગોદમાં રહી ગ્રંથ તૈયાર કરવા ભગીરથ પુરુષાર્થ કર્યો છે.
કલ્યાણક ભૂમિની યાત્રા કરનાર પુણ્યાત્માઓને આ પુસ્તક એક સુંદર ભોમિયારૂપ બનશે. તીર્થાનુરાગી શેફાલીબહેન અન્ય તીર્થોના પણ પ્રાચીન પુરાવા સહ અપ્રાચીન યાત્રા કરી શકાય તેવી ગ્રંથશ્રેણી પ્રકાશિત કરે તેવા શુભ આશીર્વાદ સહ.
gagana 802598
નમ્યા
240agag
Page #15
--------------------------------------------------------------------------
________________
"
19090000090
अर्हनमः
"
8-12-08
डॉ. शेफाली बी. शाह द्वारा संपादित पुस्तक "सम्मोस शैलं तमहं सुणामि एक पठनीय पुस्तक है। पूर्वक्षेत्र के कल्याण भूमि "वाराणसी से शिखरजी "तक के तीर्थों का चित्रमय सुंदर परिचय दिया है। तीर्थ के इतिहास का भी परिचय पुस्तके में दिया है। घर में बैठे-बैठे भी पुस्तक के द्वारा भावयामा काला व्यक्ति ले सकता है। पुस्तक का संकलन - संपादन लेखन आदि अनुमोदनीय है।
यह पुस्तक तीर्थयात्रा की भावना को भी जगाता है। डॉ. शेफाली बेन शाह का यह प्रयास प्रशंसनीय है। मुझे विश्वास है कि इस पुस्तक के द्वारा अनेक लोगों को तीर्थ वंदना-स्तवना- आदि करने का लाभ प्राप्त प्राप्त होगा।
पद्मसागरसूि
शाता है
डो. शैशाली जेन..... रजति प्राचीन थी समेतशी जर महातीर्थ सहित रानडे हुज्याकाड भूमि सोनी संपुर्ण बोध विगत भने गीतमय - 1 परिमय प्रथम प्राशीत थर्थ रह्यो हे. खाटतां सुंदर झेटोगाई श्रेष्ठ सोनी सुंदर ब्धी अरे अर
सर्व
विज्ञन खने प्रभु परमात्माअनुमोहनीय है,
शत्रुच्या शेजेश्वर
आदितीर्थो नी जुडो हामी नेबामणी पण शीजरबु सने हत्याराको उपर प्रकाशीत साटली साकीयो निर्विवाह हो
या जुई हशे
तमारा रजा प्रकाशन द्वार्य थी आस. सज्जीने साधु-साधी लगवंतो ने दर्शन सने भगडारी उपयोगी
जनशे
214
जावा शुलार्यो तमांरा खारा निरंतर जेवि शुभेच्छा.पू. मालनी कासाथी
विश्वरती कापड
999009000
૧૧
Page #16
--------------------------------------------------------------------------
________________
ॐ पानामा
पुस्तक योजन-योजना - Yfroin या भागात12160 m m/1409 940 cm22) ६२२८) 42
ch पति +२ जि144011025 aniyसमान 4सा2 Vधान ले) का विकास घ9. Dhar, no 64जयो न/200/429न्य
मत ले नौघा 03204 घ2
HORA AT20 मन का dhuan9
) +
1 11 में शर2230RN
मारा Yat
पा- छ '+9141ता+पुन: 54 +पायो को 4- 1६, कान, 2012, ară Gionni & Btel 24 त मा teen 18 जस्था h, रू0
na) Mba A412 +113172 +माया
- 47 + any. 2 dinash
PRAPPmgangapp
YYYYYYY
(૧૨)
78999RRRRRRITIHAR
Page #17
--------------------------------------------------------------------------
________________
. શો?ફલીબેન ર 3. રીધરજી ગુરૂન્ય નઝ; | ધર્મલાભ પૂવૅક જર્ભયા નું લે, AN म भि.
પુસ્તક ઔઈને જ હ£2 જી ગાદૂગદીત થઈ ગયું, મા બા] વ્યથારીક સંસ્કારની ક્ષાર્થ સદગo] કરેલું બીજ ત્રીપાધ્ય.શ્માજૈ સગરૂપાન માં પચ્ચાર્ય, જૈ જૈઈને ખુબ જ આનંદ વ્હાશે. અનુમૌદની ૬૬, છું. યુર્ક ટાવા માં આથતાં એક પાનામાં કરેલ .
ભજુના ડીસા સાથી સજીની હાલકની ભૂમિ રૂપી. પાવનતીજે ના સંપૂર્ણ વૂિતા ૨ની નોંધ .શ્મા છું . et૨ સ્પષ્ટતા માવજો .ત્તમ ક્વનને દર્શન કુરા
या ५२८ भनी २६ तभीडयो,, २२बनी हवी...24ने शासनहता. ..
બ્બાવા Anલકાર્ય માં તમને સાચ્છ અનૈ. और. मनोहामना. ओली लायीन ETCe
तारा संसार180.AD
आटकोम - परम असा
जाविधात्री-ॐ मालीन राफ मदर लाल व्यास स हेल अफरले कुल्ला ललनात पमाटमा डळम से सल्लो आदर हैमलकराम सुरू रूप सचल - सीलिई अदा - अलॉकमात्र माले शिशुक-पुणे जोकना कालान फर हुआ? आज झाप के क टे ममयंक खुशी हो? पुस्तक के माध्यम से मन कालीनही मायात्रा करने कर लिया केसे पटा टीनी हैं. किती टिन कल्य्या कर्मा
विमेकी कायरता ये टीलो कीमा के टोमपान उपालिका फुल्य - सारवीडीowalone एंव शेज माया
आक- नाविकाओं के लिये जी सत्यता
aun ळेगा फुल्य के मशीनी आपले फोटोग्राफी-रेखाउन लिखापर पीप आप के मट विशेष बाल म मंथन घर माघर में घर घर लष्पांचे एवं इस वचन-मन से माआत्माओं का कल्याणो.
24TATA FADDGOAPP
Aada
सात मया श्री सोलन
19-12-०४
ConnbhadanRaota
19ROPRINCR BEPEShalis
१
Page #18
--------------------------------------------------------------------------
________________
35 . સ જ્ય: તીર્થયાત્રા આત્મોત્થાનનું એક અગત્યનું અંગ છે. તે દ્વારા પ્રભુસ્મરણ, સત્સંગ અને પવિત્ર સ્પંદનનો આપણને સરળતાથી અનુભવથઈ શકે છે.
શ્રી શેફાલીબહેનના બહુમુખી વ્યક્તિત્વમાં સંગીત અને આસ્તિક્યભાવ મોખરે રહ્યાં છે. પ્રસ્તુત પુસ્તકમાં તેઓશ્રીએ તાજેતરમાં કરેલી બનારસથી સમેતશિખર સુધીની યાત્રાનું આબેહૂબ અને રોચક વર્ણન કરેલ છે. આ ઉપરાંત બીજા યાત્રિકોને પણ ઉપયોગી થાય તેવી ઝીણવટભરી માહિતી પ્રસ્તુત કરેલ છે, જેમાં ભક્તિભાવની વૃદ્ધિ કરાવનાર ભગવંતોની પ્રેરણાદાયક મૂર્તિઓનું તાદેશ વર્ણન, ઐતિહાસિક સંદર્ભ, શિલ્પકળાની સૂક્ષ્મ અને જ્ઞાનસભર માહિતી ઉપરાંત યાત્રિકો માટે જરૂરી આવાસ, આહાર આદિ સગવડોનું વર્ણન પણ કરેલ છે.
| આ રીતે આ પુસ્તકમાં સામાન્ય યાત્રિકોથી માંડીને આધ્યાત્મિક સાધકો અને સંશોધકોને પણ ઉપયોગી થાય તેવી વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ માહિતી પીરસીને તેને બહુજનોપયોગી બનાવેલ છે. આવી સુંદર કૃતિની રચના બદલ શેફાલીબહેનને અનેકશઃ ધન્યવાદ.
| ત્વ 24(નમતુ
ને ! 35 ની x £ 2074 2, સાકેન્દ્ર તા (જિ. hશરૂ)
એલ.ડી.આઈ.આઈ. ૨૦૦૮-૨૦૦૯
તા. ૧૫. ૧૨.૦૮ આપના તૈયાર કરેલા ગ્રંથ ‘સમ્મઅ શેલ તમહં થણામિ'નું અવલોકન કરવાનો અવસર મળ્યો. વારાણસીથી લઈને સમેતશિખર સુધીનાં અનેક તીર્થોની સુંદર તસવીરો સાથે અનેક પ્રકારની માહિતીથી સભર આ ગ્રંથ અનેક જિજ્ઞાસુઓને ઉપયોગી થશે.
પરમાત્માઓના કલ્યાણકો તથા વિચરણ દ્વારા પાવન થયેલ ભૂમિ ઉપર નિર્મિત તીર્થો ભવભયભંજક હોય છે. તેની યાત્રાથી જન્મ સફળ થાય છે અને અનેક વજલેપ જેવાં કઠિન કર્મો નષ્ટ થઈ જાય છે. આવી પરમ પાવનભૂમિ પર નિર્મિત તીર્થોનો ઇતિહાસ ભાવોલ્લાસવૃદ્ધિનું નિમિત્ત બનતો હોય છે. તેથી તીર્થોનો ઇતિહાસ અવશ્ય જાણવા યોગ્ય છે. તમે તીર્થના ઇતિહાસ અને તસવીરો દ્વારા સુંદર નિમિત્તનું આયોજન કર્યું છે.
આ ગ્રંથ વાંચીને યાત્રા કરવા જનારાને વિશેષ લાભ થશે અને જેઓ યાત્રા કરવા જવા શક્તિમાન નથી તેઓ ભાવયાત્રા દ્વારા કર્મનિર્જરા કરશે.
તમે આ ઉત્તમ નિમિત્ત નિર્મિત કર્યું તે બદલ ખૂબખૂબ ધન્યવાદ.
ભવદીય,
J.P.shah... (જિતેન્દ્ર બી. શાહ)
[૧૪
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી શેફાલીબહેન,
સમેતશિખર અને તેની આજુબાજુનાં તીર્થોના ઇતિહાસનો સચિત્ર ગ્રંથ આપે તૈયાર કર્યો છે તે બદલ તમને અભિનંદન. આ ગ્રંથ જિજ્ઞાસુઓને ઉપયોગી નીવડશે તેવી મને શ્રદ્ધા છે. આ પ્રકારના કાર્યથી સાધુ-સાધ્વીજી અને જેઓ અશક્ત અને ઉંમરલાયક છે તેઓ પણ લાભાન્વિત થશે. તમારો પ્રયાસ સફળ થાઓ તેવી શુભેચ્છાપાઠવું છું.
241
ડ. શેક્ાલાબેનનું પુસ્તક “નમૅઅ શૈલમ્, તમાં શુક્રાઈમ વંચા એક અદ્ભુત અનુભૂતિ થઈ સમ્મેતરાંખરના શિખરો રૉહા સાથે મનને ા સમગ્ર ચેતના સરિત SZÁ રૉહ પુસ્તક પ્રંચહું શ્રાદ્ધ છૅ. અત્યંત ભાવવાહી શૈલીગ્ધ લખાયેલ આ પુસ્તામાં સમ્મેતશિખરની માત્રા બનારસી આવ્તા પ્રત્યેદુ અત્યન્ય તાર્થોનું ન કે તેના ઈતિહાસની તી કે – સ્પર્ધા છે. ીજાવટભરી યોગ્ય રસ્ત્ દરેકે ટનનું સ્નુપૂર્વક નિરૂ અને વિશિટ રીતે નાટ્ય તી તીર્થંકર ભગવાનની મૂર્તિ- સુંદર પ્રન્ટરસેટોાસ...આ પુસ્ત
-
સંપૂńતા ત૬ ૫ જય કે.
આ પુસ્જ પુă ડૅનને તેમ સમ્મેતર ની યાા જતા પુત્ય કુમને ખૂબ સુંદર માર્ગદર્શન પુરૂ ૉ, જેઑ ન જ યા, તેમને પ્રત્યે ધૃજ દેવત્વ તીર્થની ભાયા૮ જા અનુતિ થશે. જ આવ્યા છે, તેમને પટી બધું સન્મુખ થશે ! સંગીતર ાર લેવા ઉપરાંત આ પુસ્તઢાર ઍ સાાિર બની ચૂક્યાછે તે પુસ્ત વ્ય' ' લાગે છે અત્યંત પ્રકૃત્ર તેૉ તૈયાર કરેલ આ પુ રત્નત્તમાં વારૉ રૉ. જૈન ધર્મ પ્રત્યે તેમજ પ્રત્યેના ભાવૉ વૃધ્ધિ શૅ
બૅત
દરતે ઇન્વે વીતરા લ
આ સુંદર પુદો સંી જૈનૉએ વસાવ્યું જ
રહ્યું !
૧૦: abgpb0-2995 n
Jushi
लवडीच श्रलिक उतुरमाचे
Dr. Sudhir V. Shah (ન્યુરોલોજિસ્ટ)
તા . ૧૨/૧૨/doc
.
|૧૫
Page #20
--------------------------------------------------------------------------
________________
તીયમૃિતા વચનકણિકા
- ૧. તૃ-ધાતુને ‘થક પ્રત્યય જોડવાથી તીર્થશબ્દ બન્યો છે. ૨. તીર્થના અનેક પ્રકાર છે : રામતીર્થ, સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ, ભાવતીર્થ. લોગસ્સ સૂત્રની પ્રથમ
ગાથામાં ‘થમ તિથ્થય' શબ્દપ્રયોગ છે – તેમાં ભાવતીર્થનો સંદર્ભ છે અર્થાત્ ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનારા ભગવંત છે. તારવાની માત્રા વધારે તે તીર્થ. અનાદિથી સંસારની ચાર ગતિમાં કર્મપરાધીનપણે સંસારભ્રમણ કરતા આત્માને કર્મમુક્ત કરવામાં જે નિમિત્ત બને તે તીર્થ!
ભાવતીર્થમાં તીર્થકરોનાં ચરિત્ર, જિનાગમ, જિનશાસન અને રત્નત્રયીનો સમાવેશ થાય છે. ૩. તીર્થના મુખ્ય બે પ્રકાર છે : (૧) જંગમ તીર્થ (૨) સ્થાવર તીર્થ -જંગમ તીર્થ : સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા (ચતુર્વિધ સંઘ) એ જંગમ તીર્થ છે, કારણ કે તેઓ
હરતા-ફરતા તીર્થ સમાન છે. સ્વદેહે વિચરતા તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા, ગણધર - ભગવંતો, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આદિ ગુરુ ભગવંતો એ જંગમ તીર્થ છે. ક સ્થાવર તીર્થ : જિનાલય, જિનબિંબ, જિનાગમ (જ્ઞાન), સિદ્ધાચલ, ગિરનાર આદિ પવિત્ર
તીર્થધામો તે સ્થિર રહેનારાં સ્થાવર તીર્થ છે. ૪. નંવિંatત્ર નામ તિહ્યું : અહીં તીર્થ શબ્દપ્રયોગ દ્વારા સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે જિનબિંબો
છે તેને વંદન કરવાનો ઉલ્લેખ થયો છે અર્થાત્ જે કોઈ નામરૂપી તીર્થ છે તેની વંદના કરી છે. ૫. પૂજ્ય આચાર્ય યશોભદ્રસૂરિકૃત મહાવીરસ્વામી પંચકલ્યાણક પૂજામાં આવતી દીક્ષા કલ્યાણકની - પૂજામાં કવિ જણાવે છે કે, “જય જય નંદા, જય જય ભદ્દા, ધરમ તીરથ તુમે થાપો રે;
| બૂઝો બૂઝો એ ત્રિભુવન નાયક જગજાના દુઃખ કાપો રે...” ૬, તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ જીવો પંદર રીતે સિદ્ધિપદને પામે છે. તીર્થકરો જિનસિદ્ધ કહેવાય છે.
તેમના ગણધરો અને કેવળજ્ઞાની આત્માઓ તીર્થકર પદવી વગર સિદ્ધિપદને પામે છે. વળી, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આદિ સિદ્ધિપદને પામે તો તે પણ તીર્થસિદ્ધ કહેવાય છે. મરુદેવી માતા અતીર્થસિદ્ધ કહેવાય છે, કારણ જ્યારે માતા હાથી પર બેસી પુત્ર ઋષભદેવની ઋદ્ધિ-સમૃદ્ધિ જોવા જતાં હતાં ત્યારે માર્ગમાં જ ઉત્કૃષ્ટ વૈરાગ્યથી કેવળજ્ઞાન પામીને સિદ્ધિગતિને વર્યા હતાં. આ વખતે
પ્રભુએ તીર્થની સ્થાપના કરી ન હતી, તેથી મરુદેવી માતા અતીર્થસિદ્ધ ગણાય છે. ૭. સકલાડહંતસ્તોત્રની ૨૯મી ગાથામાં ‘વીરા-ત્તીર્થમિદં પ્રવૃત્તમતુ«' વર્તમાનમાં મહાવીર પ્રભુએ
તીર્થની સ્થાપના કરી છે. અજિતશાંતિસ્તોત્રની ૧૮મી ગાથામાં ‘તિથ્થર પવત્તય’ શબ્દોમાં ઉત્તમ તીર્થને પ્રવર્તનારા એમ અર્થ છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
| ૧.
૮. શ્રી તીર્થકર ભગવંતોના કલ્યાણકના દિવસોમાં તીર્થયાત્રાનું આરાધન કરવાથી આત્માને વિશેષ | લાભ મળે છે. શ્રાવકોએ ઓછામાં ઓછી વર્ષમાં એકવખત તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ.
તીર્થયાગ્રા માટેનું માર્ગદર્શના છ'રી પાલક સંઘયાત્રા : પરમાત્માએ (૧) સાધુ (૨) સાધ્વી (૩) શ્રાવક (૪) શ્રાવિકા - આ ચાર અંગોને સંઘ તરીકે ઓળખાવ્યાં છે. ઋષભદેવ ભગવાનની સ્તુતિમાં કહેલ છે : ‘ઋષભ કહે સુણો ભરતજીરાય, છ'રી પાલતા જે નર જાય, પાતિક ભૂકો થાય.’ છ’રી એટલે છ નિયમનું પાલન કરી યાત્રા કરવી. (૧) ગરપાદચારી : ગુરુના પગલે પગલે ચાલવું. કોઈ પણ જીવની કિલામણા કે હિંસા ન થઈ જાય
એવી સાવધાનીપૂર્વક નીચે જોઈને ચાલવું. ઉઘાડે પગે વિહાર કરવો, વાહનનો ઉપયોગ ન
કરવો. (૨) ભૂમિસંથારી : ભૂમિ પર ઉત્તરપટ્ટો પાથરીને સૂવું. દિવસભરના પરિશ્રમથી થાકી ગયેલા
શરીરને આરામ આપવા માટે રાત્રે જમીન પર સંથારો પાથરીને નમસ્કાર મહામંત્રના મંગલ
સ્મરણપૂર્વક શુભવિચારોમાં મગ્ન થઈને સૂવું. (૩) બ્રહ્મચર્ય : સંપૂર્ણ મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવું. (૪) સચિત પરિહારી : સચિત્તનો સર્વથા ત્યાગ કરવો. કાચાં (રાંધ્યા વિનાનાં) શાકભાજી, ધાન્ય,
કાચાં ફળો કે સમારેલાં ફળો પણ ૪૮ મિનિટ સુધીના સચિત્ત (સજીવ) હોવાથી તેઓનો
ઉપયોગ ન કરવો. કાચા પાણીનો ત્યાગ કરવો. (૫) એકલ આહારી: એકાસણ તપ આરાધવું. ૨૪ કલાકમાં એક ટંક આહાર લેવો. એક જ સ્થાને
સ્થિર બેસી ભોજન કરવું. (૬) આવશ્યક્કારી : અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાન આદિ ધર્મના આનંદમાં અભિવૃદ્ધિ કરનારા આવશ્યક ધર્મકરણીઓનું વિશુદ્ધ પાલન કરવું.
अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति ।
तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ॥ (અર્થાતુ અન્ય કોઈ પણ ક્ષેત્રે કરેલું પાપ તીર્થનાં દર્શન કરવાથી નાશ પામે છે, પરંતુ તીર્થક્ષેત્રમાં થયેલું. પાપ ક્યારેય નાશ પામતું નથી તે પથ્થર પર લખાયેલ અને કદી ન ભૂંસાય તેવી પંક્તિ સમાન છે.)
૩.]
સમગ્ર તીર્થયાત્રા દરમિયાન એક એવી થેલી જુદી તૈયાર રાખવી કે જેમાં પાતળો ટુવાલ, સેવાની એક જોડ, કેસર, બરાસ, રૂમાલ, ફળ, નૈવેદ્ય, સુખડનો ટુકડો, વાસક્ષેપ, ધૂપ, છૂટા પૈસા, સ્તવનની ચોપડી હોય જેથી, કોઈ તીર્થે વહેલા-મોડા પહોચો તો સેવાની (હાથવગી) થેલી લઈને પ્રભુની સેવાપૂજા થઈ શકે. તીર્થયાત્રામાં તપ, પૂજા, સાધર્મિક ભક્તિ, દાન, બ્રહ્મચર્ય, નવકારશી અને ચોવિહારનું પચ્ચકખાણ યથાશક્તિ કરવું જોઈએ. દેવદર્શન, પૂજા, સ્નાત્ર કોઈને પણ અંતરાય ન થાય તેવી રીતે કરવાં. બિહારમાં ખૂબ ગરીબી છે, તેથી વધારાનાં હોય તેવાં કપડાં, વાસણ તથા અનાજ (ચોખા)નું દાન કરવું. દરેક તીર્થક્ષેત્રમાં અને સાતક્ષેત્રમાં યથાશક્તિ દાન નોંધાવવું. [૧૭]
Page #22
--------------------------------------------------------------------------
________________
વારાણસીથી શિખરજી સુધીનો યાત્રામાર્ગ ભાગલપુર બાંકા દો કામોર મંદારહિલ
કોલકાતા તરફ ,
ચંપાપુરી --
હસીન્દ્રા
એ કબરનગર
વર્ધમાન
થાનાસોલ
સુલતાનગંજ
દેવધર
તારાપુર
સારથી
ગોમાં
ખડગપુર
જાયજા.
૩૫
સિમેતશિખર પારસનાથ સ્ટેશન * મધુપુર
પાલગંજ મધુવન ઋજુવાલિક
લક્ષ્મીપુર
- ચીકી (ચિકઈ)
૩૮.
'
S
લખસીરાઈ
/ ગિરિડીહ
જમુઇ
જ્ઞદી
૩૫
6189CIIS
જમુઆ
સિકંદરા
* ક્ષત્રિયકુંડ
' ધનવાર
રૂપાવેલ
/ ૪૩
| કીઆલ /
/ કોદમા
| મુખ્ય તીર્થસ્થળ - રોડ માર્ગ • માર્ગમાં આવતાં સ્થળો
કિરીબરામા
૨૯
બખ્તિયારપુર , ** બિહારશરીફ
'પાવાપુરી ગુણિયાજી
રાજુઆલી
નવાદ ૨૭.
ઠ્ઠલપુર નાલંદા
હિસુઆ
રાજગૃહી
પટણા
ચંદ્રપુરી
નેશનલ હાઇવે-૨ તરફ
બોધિગયા
છે
ગયા
ભલપુર
ભદેની
સાસારામ
ધોબી
યાત્રા શરૂ
અમદાવાદ
શેરઘાટી
વારાણસી
ઔરંગાબાદ
સારનાથ
સિંહપુરી
અલાહાબાદ
તરફ
Page #23
--------------------------------------------------------------------------
________________
યાત્રાસ્થળોના અંતરની વિશેષ માહિતી
ક્યા
'થળો
કિ. મી.
............
•....૩
........
'૧. અમદાવાદથી વારાણસી...............૧૩૦૩ ૨૭. સિકંદરાથી જમુઈ ......................૨૩ ૨. વારાણસીથી ભેલપુર .....
૨૮. જમુઈથી કામંદી... '3. ભેલપુરથી ભદૈની .........................૨
૨૯. નદીથી લક્ષ્મીપુર ....................૨૫ ૪. ભદૈનીથી સિંહપુરી.. ................
'30. લક્ષ્મીપુરથી ખડગપુર ................ '૫. સિંહપુરીથી સારનાથ .......................૧ ૩૧. ખડગપુરથી તારાપુર................... '૬. સિંહપુરીથી ચંદ્રપુરી.......................૨૧ ૩૨. તારાપુરથી સુલતાનગંજ ...............૧૯ '૭. ચંદ્રપુરીથી વારાણસી સ્ટેશન ............૧૧ '33. સુલતાનગંજથી અક્કરનગર .........૧૩ '૮. વારાણસીથી સાસારામ ...................૪૯ ૩૪. અબ્બરનગરથી ચંપાપુરી..............૧૩
૯. સાસારામથી ઓરંગાબાદ.................૪ ૩૫. ચંપાપુરીથી ભાગલપુર............... '૧૦. ઔરંગાબાદથી શેરઘાટી થઈ ધોબી ....૧૨ | ૩૬. ભાગલપુરથી બાંકાથઈ દોડામોર..૪૦ ૧૧. ધોબીથી બોધિગયા..
'39. દોામોરથી મંદારહિલ ...... ૧૨. બોધિગયાથી ગયા.....................૧૨ (૩૮. મંદારદિલથી હસીન્દા ............... ' ૧૩. ગયાથીહિસુઆ.........................૪૪ ૩૯. હસીન્દાથી દેવધર .............. '૧૪. હિસઆથી રાજગૃહી....................૨૦ ૪૦. દેવધરથી સારવ ................ ૧૫. રાજગૃહીથી પટણા ....................૧૧૦ (૪૧. સારથથી મધુપુર........................૨૩ ૧૬. રાજગૃહીથી નાલંદા.
૪૨. મધુપુરથી ગિરિડીહ... ૧૭. નાલંદાથી કુંડલપુર ................. ૪૩. ગિરિડીહથી ઋજુવાલિમ..............૧૨ ૧૮. કુંડલપુરથી બિહારશરીફ.............. ૪૪. ઋજુવાલિકથી મધુવન.............. ૧૯. બિહારશરીફથીપાવાપુરી ...............૮ ૪૫. મધુવનથી પાલગંજ.....................૧૩ ૨૦. પાવાપુરીથી ગુણિયાજી.. ૨૦ ૪૬. મધુવનથી પારસનાથ સ્ટે...............૩૦ ૨૧. ગુણિયાજીથી નવાદા થઈ પીબરામા..૨૧ ૪૭. પારસનાથ સ્ટે.થી અમદાવાદ.......૧૭૦૦ ૨૨. પરીબરામાથી કીઆલ ..............૧૬ | ૪૮. ગયાથી રાજગૃહી .......................૬૪ ૨૩. કીઆડુલથી રૂપાવેલ....................૧ (૪૯. વારાણસીથી રાજગૃહી................૩૫૪ ૨૪. રૂપાવેલથી લછવાડ .............. (૫૦. લકવાડથી ચંપાપુરી..................૧૭૬ ૨૫. લછવાડથી ક્ષત્રિયકુંડ
'પ૧. ચંપાપુરીથી ગિરિડીહ .................૨૨૫ ૨૬. લકવાડથી સિકંદરા ......... 'પ૨. નવાદાથી સમેતશિખર................૧૬૩
...........
૧૪
અશ્વિય
...............
Jain Educaton international
For Private & Personal use omy
૧૯ www.jamenbrary
Page #24
--------------------------------------------------------------------------
________________
''
S
S
''
- અનિકમાણકી
11
-- પર
-----
૬૧
---
૭૬
૮૪
--- ૯૬
---- ૧૬૨
--- ૧૯૭
--- ૨૦૮
(૧) વારાણસીપંચતીથી
© ભેલપુર (પાર્શ્વનાથ પ્રભુનાં પ્રથમ ચાર કલ્યાણક)--- o ભદૈની (સુપાર્શ્વનાથ પ્રભુનાં પ્રથમ ચાર કલ્યાણક) ---- • સિંહપુરી (શ્રેયાંસનાથ પ્રભુનાં પ્રથમ ચાર કલ્યાણક) (સારનાથ દર્શન) -- © ચંદ્રપુરી (ચંદ્રપ્રભનાં પ્રથમ ચાર કલ્યાણક) --
• શ્વેતાંબર પંચાયતી બડામંદિર (રામઘાટ)---- (૨) બોધિગયા (મહાબોધિ મંદિર) --- (૩) રાજગૃહી (પંચપહાડીયાત્રા), ગામમંદિર, વીરાયતન -- (૪) પટણા (૫) નાલંદા-કુંડલપુર (શ્રી ગૌતમસ્વામીનું જન્મસ્થળ) -
૧૭૧ (૬) પાવાપુરી
૧૯૨ સમવસરણ નવું મંદિર(શ્રી મહાવીરસ્વામીની અંતિમ દેશના ભૂમિ) --------- ગામમંદિર (શ્રી મહાવીરસ્વામીનું નિર્વાણસ્થળ) --
જલમંદિર (પ્રભુ મહાવીરસ્વામીનું અંતિમસંસ્કાર સ્થળ) ------ | ગુણિયાજી (શ્રી ગૌતમસ્વામીજીની કેવળજ્ઞાન ભૂમિ) ---
- ૨ ૩૧ (૮) લછવાડ (તળેટી) -
ક્ષત્રિયકુંડ (પ્રભુ મહાવીરની ચ્યવન, દીક્ષા અને જન્મકલ્યાણક ભૂમિ)-- --- ૨૫૪ (૯) કાકંદી (શ્રી સુવિધિનાથજીનાં પ્રથમ ચાર કલ્યાણક)(૧૦) ચંપાપુરી (શ્રીવાસુપૂજ્યસ્વામીની પાંચ કલ્યાણકની પાવન ભૂમિ) --
૨૭૯ (૧૧) ભાગલપુર, નાથનગર, મંદારહિલ - (૧૨) ઋજુવાલિકા (પ્રભુ મહાવીર કેવળજ્ઞાન ભૂમિ) --
30પ. (૧૩) મધુવન (શિખરજીની તળેટીનાજિનાલય)----- (૧૪) શ્વેતાંબર કોઠી (શ્રી ભોમિયાજી દર્શન)----
૩૩) (૧૫) શ્રી સમેતશિખરજી તીર્થયાત્રા (૩૧ ટૂક સહિત) ---
उ७४ (૧૬) ચોવીસ તીર્થંકરનું જીવનદર્શન (મહિમાવંતતીર્થોના મૂળનાયકની તસવીર સહિત)---- ૪૮૨ (૧૭) સંદર્ભસૂચિ---
૪૯૬
----- ૨૧૮
૨૪૨
----- ૨૬૮
૩૦૪
૩૧૮
Page #25
--------------------------------------------------------------------------
________________
| ( મિળિયા પાર્શ્વનાથાય નમઃ || | || શ્રી લૉહિંયાજી) &1&ાજી) નેમes |
समेतशिरवरमहातीथ
श्रीसम्मेलनि
મધુવનના દેરાસરની ભમતીના દ્વારને શોભાવતો શિખરજીનો પટ
માનવજન્મ અતિ દુર્લભ છે. અનંતાનંત પુણ્યોદયના પ્રભાવે માનવભવ પ્રાપ્ત થાય છે. પરભવના પુણ્યનું ભાથું બાંધવા પ્રત્યેક મનુષ્ય તીર્થયાત્રા કરતો હોય છે.
'यद्ध्यासितमर्हद् भिस्तद्वि तीर्थं प्रचक्षते અર્થાત અરિહંત પ્રભુએ જે ભૂમિને પવિત્ર કરી હોય તે ભૂમિ તીર્થ કહેવાય છે. આપણા પ્રાચીન મહર્ષિઓએ ‘આત્માને તારે એ તીર્થ” એવી વ્યુત્પત્તિ કરીને તીર્થોનો મહિમા ગાયો છે.
ख्यातोऽष्टापद पर्वतो गजपदः सम्मेतशैलाभिधः, श्रीमान रैवतकः प्रसिद्ध महिमा शत्रुञ्जयो मण्डपः ।
वैभारः कनकाचलोबुंदगिरिः श्री चित्रकूटादयः, स्तव श्री ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मंगलम् ॥
જૈન ધર્મના મોટા ભાગના તીર્થકરો ઉત્તર અને પૂર્વ ભારતમાં જન્મ્યા છે અને વિચર્યા છે. એ ભૂમિની એકાંત એવી પર્વતની ગુફાઓ કે જંગલોની ઘેરી ઘટામાં તેઓએ તપ અને જ્ઞાનસાધના કરી છે. મહામોંઘા અને અણમોલ એવાં આપણાં આ તીર્થોનો મહિમા એવો અનંત ઉપકારી છે કે તેનું સ્પર્શન, દર્શન અને સ્તવન કરો, અરે! માત્ર સ્મરણ કરો તો પણ તે કલ્પના માત્રથી જ ભાવિત બનેલા પુણ્યશાળી જીવો કેટલાંય કર્મોનો ભુક્કો બોલાવી દે છે !
For Private & Personal use only
[૨૧] www.jainelibrary.
Page #26
--------------------------------------------------------------------------
________________
આથી તો સકલતીર્થના પાઠ દ્વારા મુખ્ય તીર્થોનું સ્મરણ વાણીમાં અવારનવાર કહેતાં સાંભળીએ છીએ. શ્રી સકલતીર્થવંદનાની અગિયારમી ગાથા અનુસાર,
ધન્ય છે એ પાવન તીર્થભૂમિઓને જેણે વાચારહિત સ્વરૂપે લાખો-ક્રોડો આત્માઓને આત્મશોધન અને આત્મદર્શનના મૂક ઉપદેશો આપ્યા છે; જેના કાંકરે-કાંકરે, પગલે-પગલે, શિખરે-શિખરે, દેરીએદેરીએ, ત્યાગ, તપશ્ચર્યા, તેજસ્વિતા, આત્મસમર્પણ અને આત્મશાંતિનો અલૌકિક અનુભવ થાય તેવાં તીર્થસ્થાનો જો કલ્યાણક ભૂમિ પર હોય તો તેની સ્પર્શના માત્રથી જીવન ધન્ય બની જાય છે.
“સમેતશિખર વંદું જિનવીસ, અષ્ટાપદ વંદું ચોવીસ, વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર.”
૨૨]
અર્થાત્ ભગવાનના કલ્યાણકના દિવસે નરકના જીવો પણ આનંદ પામે છે. એમના પવિત્ર જીવનચરિત્રનું વર્ણન કરવામાં કોણ સમર્થ હોઈ શકે! કલ્યાણકભૂમિ એટલે જ્યાં તીર્થંકર ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ અને નિર્વાણ એમ પાંચ કલ્યાણક થયાં હોય. આ ભૂમિ તીર્થભૂમિ બની રહી અને જે દિવસે કલ્યાણક થયું તે દિવસ પર્વ બની રહ્યો.
:
સંસારમાં નવા કર્મબંધનાં પાંચ કારણ છે : (૧) અજ્ઞાન (૨) મિથ્યાત્વ (૩) અવિરતિ (૪) કષાયાદિ પ્રમાદ અને (૫) યોગ કે જેને દૂર કરવામાં પરમાત્માનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ એ પાંચ કલ્યાણકો અનુક્રમે પ્રબળ નિમિત્ત બની રહે છે.
ચ્યવનક્લ્યાણક : ચ્યવન અર્થાત્ અનાદિ ત્રણ ગતિ દેવ, તિર્યંચ, નરમાંથી મુક્તિ
ducation International
"नारका अपि मोदन्ते यस्य कल्याण पर्वसु,
पवित्रं तस्य चारित्रं कोवा वर्णायितुं अमः।”
For Pavale. 9. Dersonel Lise Oplu
ary.org
Page #27
--------------------------------------------------------------------------
________________
જગતના સર્વ જીવોના આત્મકલ્યાણને તીવ્રપણે ઝંખતા તીર્થંકર આત્માનું માતાના ઉદરમાં ચ્યવન થાય છે ત્યારે નરક-નિગોદ સહિત તમામ સંસારી જીવો ક્ષણ વા૨ માટે સુખનો અનુભવ કરે છે એ તીર્થંકરના પરમ પુણ્યનો પ્રભાવ છે. તીર્થંકરનાં માતા ૧૪ તેજસ્વી સ્વપ્નો (હાથી, ઋષભ, સિંહ, લક્ષ્મી, ફૂલની માળા, ચંદ્ર, સૂર્ય, કળશ, પદ્મસરોવર, સાગર, દેવવિમાન, રત્નરાશિ, ધુમાડા વગરનો અગ્નિ)ને પોતાના મુખમાં પ્રવેશતાં જુએ છે!
મતિ, શ્રુત અને અવધિ એ ત્રણેય જ્ઞાનને ચ્યવનથી જ ધારણ કરનાર તીર્થંકરની આ કલ્યાણક ભૂમિની સ્પર્શના ‘અજ્ઞાન’ દૂર કરવામાં પરમ નિમિત્ત બની રહો ! ચ્યવનકલ્યાણકની આરાધના ૐ હ્રી વર્ણ સાથે પ્રભુનું નામ જોડી ‘પરમેષ્ઠિને નમઃ' એ રીતે મંત્રજાપ દ્વારા કરવામાં આવે છે.
જન્મકલ્યાણક : જન્મ એટલે ગર્ભાવાસમાંથી મુક્તિ
જગતના તમામ જીવોનું આત્મકલ્યાણ તીવ્રપણે ઝંખતા એવા તીર્થંકર પ્રભુનો જન્મ થતાં જ ચૌદ રાજલોકમાં ક્ષણ વાર માટે પ્રકાશ પથરાઈ જાય છે. પ૬ દિકુમારિકાઓ અને ૬૪ ઇન્દ્રો સહિત અસંખ્ય દેવતાઓ પ્રભુના જન્મની વિશિષ્ટ રીતે ઉજવણી કરે છે! પ્રભુનો જન્મ મધ્ય રાત્રિએ થતો હોય છે. સિંહાસન કંપાયમાન થવાથી સૌધર્મેન્દ્રને પણ પ્રભુના જન્મની જાણ થાય છે. તેથી પ્રભુને મેરુગિરિ પર લઈ જઈ દેવો લાખો કળશ વડે પ્રભુનો અભિષેક કરે છે. તીર્થંકરનાં માતા-પિતા બાર દિવસ રાજ્યમાં મહોત્સવ મનાવે છે. જન્મકલ્યાણક ભૂમિની વિધિ અને જયણાપૂર્વકની સ્પર્શના ‘મિથ્યાત્વ’ દૂર કરવામાં પરમ નિમિત્ત બની રહો! જન્મકલ્યાણકની આરાધના ૐૐ હ્રી વર્ણ સાથે પ્રભુનું નામ જોડી ‘અર્હતે નમઃ' એ રીતે મંત્રજાપ દ્વારા કરવામાં આવેછે.
૨૩
Page #28
--------------------------------------------------------------------------
________________
અનાસક્તપણે રાજવૈભવ ભોગવ્યા પછી, નવ લોકાંતિક દેવોની ચારિત્રગ્રહણ કરવાની વિજ્ઞપ્તિ પછી, બાર મહિના સુધી રોજ ૧૦૮ લાખ (૧ કરોડ ૮ લાખ) સોનૈયા વરસીદાનરૂપે વૃષ્ટિ કરી, સ્વહસ્તે પંચમુષ્ટિ લોચ કરી, સ્વમુખે સર્વ સામાયિક ઉચ્ચરી ચારિત્ર ગ્રહણ કરે છે. દીક્ષા પછી વસ્ત્ર-અલંકારરહિત પરમાત્માના દેહ પર ઇન્દ્રે આપેલું એક દેવદૂષ્ય જ હોય છે! દીક્ષાકલ્યાણક ભૂમિની સ્પર્શના ‘અવિરતિ’ દૂર કરવામાં પરમ નિમિત્ત બની રહો. દીક્ષાકલ્યાણકની આરાધના ૐૐ હ્રીં વર્ણ સાથે પ્રભુના નામ સાથે ‘નાથાય નમઃ’ એ રીતે મંત્રજાપ દ્વારા કરવામાં આવે છે.
કેવળજ્ઞાનક્લ્યાણક : કેવળજ્ઞાન એટલે છદ્મસ્થ અવસ્થામાંથી મુક્તિ
४
દીક્ષાલ્યાણક : દીક્ષા એટલે (ગૃહસ્થાવાસ) સંસારનો ત્યાગ
Jain Educt Inte
20
For Drivate 9. Dersonal lice Only
overhe hellbrary.di
Page #29
--------------------------------------------------------------------------
________________
છઘ0 (છ એટલે આત્મા, છદ્મ એટલે કર્મની વર્ગણા, જી એટલે એમાં રહેલ – જે આત્મામાં વર્ગણા રહેલ છે તેવી) અર્થાત શુદ્ધ આત્મજ્ઞાન યોગ અવસ્થા, જેને કેવળજ્ઞાન કહેવાય. ધર્મધ્યાનને શુક્લધ્યાનમાં ફેરવી ક્ષપકશ્રેણી પર ચડીને ચાર ઘાતકર્મોનો સર્વથા ક્ષય કરી પ્રભુશ્રી કેવળજ્ઞાન પામ્યા! પ્રભુની વાણી ૩૫ ગુણોથી સભર બની અને ૩૪ અતિશયોમાં શોભિત બની, દેવતાઓએ રચેલા સમવસરણમાં બાર પર્ષદા વચ્ચે બેસી નવ તત્ત્વ આદિ તત્ત્વોનો પ્રકાશ પાથર્યો. આ કેવળજ્ઞાનકલ્યાણક ભૂમિની સ્પર્શના “કષાયાદિ પ્રમાદ’ને દૂર કરવામાં પરમ નિમિત્ત બની રહો! કેવળજ્ઞાનકલ્યાણકની આરાધના ૐ હી" વર્ણ સાથે પ્રભુના નામ સાથે ‘સર્વજ્ઞાય નમઃ” એ રીતે મંત્રજાપ દ્વારા કરવામાં આવે છે.
નિર્વાણલ્યાણકઃ નિર્વાણ એટલે સંસારની ચારે ગતિમાંથી મુક્તિ
આયુષ્ય પૂર્ણ થતાં શૈલેષીકરણ દ્વારા મન-વચન-કાયાના યોગનો પણ નિરોધ કરી સર્વ કર્મમાંથી મુક્ત બની તીર્થંકરનો આત્મા દેહાતીત બની મોક્ષના શાશ્વત સુખ ભોગવવા સદાને માટે સિદ્ધશિલા પર બિરાજવા જવા રવાના થાય છે.
મૃત્યુ એ તો જન્મેલા દરેક જીવની પ્રકૃતિ છે. એમાં પ્રચંડ પુણ્યના સ્વામી તીર્થકર પણ અપવાદ નથી એવો દિવ્ય સંદેશ આપતું તીર્થકરનું આ નિર્વાણ જન્મ અને મૃત્યુ વચ્ચેના જીવનમાં એવાં કર્તવ્યો કરવાની પ્રેરણા આપે છે કે જેથી ફરી જન્મવાનું જ સદંતર બંધ થઈ જાય.
નિર્વાણકલ્યાણક ભૂમિની સ્પર્શના ‘યોગ’ને દૂર કરાવવામાં પરમ નિમિત્ત બની રહો. પ્રભુના નિર્વાણ પછી જ્યાં પ્રભુના પવિત્ર દેહની અંતિમક્રિયા કરવામાં આવે છે તે નિર્વાણ ભૂમિ પણ પરમ પવિત્ર ગણાય છે. નિર્વાણ કલ્યાણકની આરાધના હ્રીં વર્ણ સાથે પ્રભુના નામ સાથે પારંગતાય નમઃએ રીતે મંત્રજાપ દ્વારા કરવામાં આવે છે.
સમેતશિખર સમરું સદા, પૂર્વ ભારત મોઝાર, વીસ તીર્થંકર પામીઆ, મુક્તિનગર મનોહાર..( સેતા (વનાર)
NSER
वि.३८२००९
(૨૫
inte
For Private
Personal use only
Page #30
--------------------------------------------------------------------------
________________
વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન અષ્ટાપદ પર્વત પરથી, બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી ચંપાપુરીના પ્રદેશોમાંથી, બાવીસમાં શ્રી નેમિનાથ ભગવાન ગિરનારના પહાડ પરથી અને ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ પાવાપુરીમાંથી નિર્વાણ પામી મોક્ષગતિ પામ્યા. પૂર્વે ચોવીસીના ૨૦તીર્થકરો અને ૧૧ શાશ્વતજિનનાં નિર્વાણ કલ્યાણકો સમેતશિખરજી મહાતીર્થ પર થયેલાં છે. ચાલો, સૌ સાથે બોલીએ :
અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરુ, વાસુપૂજ્ય ચંપાનયર સિદ્ધા, નેમ રૈવતગિરિ વરુ; સમેતશિખરે વીસ જિનવર, મુક્તિ પહોંચ્યાં મન હરું, ચોવીસ જિનવર નિત્ય વંદું, સયલ સંઘ સુહ કરું.
સૌપ્રથમ ઉત્તરપ્રદેશમાં આવેલા વારાણસી તીર્થે જઈએ.
વારાણસી પંચતીર્થીનો નક્શો
|
| ચંદ્રપુરી
સારનાથ
સિંહપુરી
ટેકોલકાતા
વારાણસી સ્ટેશન
N.H.2
અલાહાબાદ
ભલુપુર -
1 ગોધોલિયા
તુલસીમાનસ
છે મેદાગિન
-4 ચૌક કાશીવિશ્વનાથ ભદૈની મંદિર છે. મધ
મંદિર
થે.પંચા બડામંદિર
|
(રામઘાટ)
Fal Private Personal use only
mellbrary.org
Page #31
--------------------------------------------------------------------------
________________
એક વરણા હો દુજી આસા નામ કે દોય નદિ મધ્ય ભાગમેં જી ; વસી વાર હો નગરીનો નામ મેં દીધો વાણારસી રામાઈ જી .
- પં. સૌભાગ્ય વિજય “તીર્થમાલા”
વારાણસી
બચના યશૈલી, ગંગાજલી, જોં પર્વ કરનાર, કાશી કબહૈં છોલિય, પાર્શ્વનાથ દરબા, ૭ -
આ છે વારાણસી....
www.jaineliborg
Page #32
--------------------------------------------------------------------------
________________
કાશીનું અસલ નામ તો વાણારસી; તે ઉપરથી બનારસ થયું અને કાશી પણ કહેવાયું. અહીં વરણા અને આસા (અસી) આ બંને નદીઓ નગરમાં વહેતી હતી જેથી વાણારસી નામ પડ્યું. બીજી માન્યતા પ્રમાણે, વરુણા નદી અને ગંગાતટના કિનારે ૮૦ ઘાટ આવેલા હોવાથી તથા ‘વરુણા + અસ્સી' શબ્દ જોડાતાં આ નગરી વારાણસી તરીકે ઓળખાઈ. ગંગાના કિનારે અર્ધચંદ્રાકારમાં વસેલી વારાણસી (બનારસ) નગરી ઇતિહાસમાં કાશીની રાજધાની તરીકે જાણીતી છે. વિદ્યાક્ષેત્રઅને તીર્થક્ષેત્રતરીકે ઓળખાતી આ નગરીમાં ૧૩શ્વેતાંબર અને ૧૫ દિગંબર જૈનમંદિરો છે.
અહીંતા મુખ્ય જિનાલયો તીચે પ્રમાણે છે : (૧) ઠઠેરી બજારમાં શ્રી કેસરીયાજીતું જિનાલય
(૨) અંગ્રેજી કોઠીમાં શ્રી પાર્શ્વતાથજીનું જિનાલય (સિંહપુરી તીર્થમાં) (૩) સુતતોલામાં શ્રી ગોડીજી પાર્શ્વતાથજીનું જિતાલય (૪) રામઘાટ પર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીનું જિનાલય
કાશીને મંદિરોની નગરી કહે છે, કારણ અહીં જૈનમંદિર ઉપરાંત કાશી વિશ્વનાથ, અન્નપૂર્ણાજી, દુર્ગાજી, સંકટમોચન, તુલસીમાનસ મંદિર, કેદારેશ્વર, વિશ્વેશ્વર, કાલભૈરવ, ગોપાલ મંદિર, વિશાલાક્ષી વગેરે અનેક મંદિરો દર્શનીય છે. આ બધાં મંદિરોમાં જગપ્રસિદ્ધ કાશીવિશ્વનાથ મંદિર જોવાલાયક છે. આ મંદિરનું શિખર ૨૭.૫ મણ સોનાથી મઢેલું છે, જેને પંજાબના રાજા રણજિતસિંહે ચઢાવ્યું હતું. કાશી વિશ્વનાથ મંદિરની સંધ્યા સમયે થતી આરતીનો લહાવો લેવા જેવો છે, ઉપરાંત અહીંનું મ્યુઝિયમ, મોતીચંદ રાજાનો બાગ, જ્ઞાનવાવ, મણિકર્ણિકાઘાટ, હરિશ્ચંદ્રઘાટ, અશ્વમેધઘાટ જોવાલાયક છે.
આપણે વારાણસીની પંચતીર્થીમાં ભેલુપુર, ભદેતી, સિંહપુરી, ચંદ્રપુરી, શ્વેતાંબર પંચાયતી બડામંદિર એ રીતે પાંચ તીર્થોનાં દર્શન કરીશું. પ્રભુએ પ્રથમ ઉપદેશ વારાણસીમાં જ આપ્યો હતો. ભગવાન બુદ્ધને જ્યાં જ્યાં નિગ્રંથોનો પરિચય થયો તે પ્રભુ પાર્શ્વનાથના શિષ્યો જ હતા, જેમને જૈન ગ્રંથોમાં ‘પાર્થાપત્ય' નામે ઓળખાવ્યા છે. એ સમયે વારાણસી શ્રમણોનું કેન્દ્રધામ હતું. મહારાજા શ્રેણિકને આ નગરી પહેરામણીમાં મળી હતી. એ સમયે અશ્વમેધ યજ્ઞો પ્રભુના ઉપદેશને કારણે અહિંસા રૂપમાં પરિવર્તન પામ્યા. ‘વિવિધ તીર્થકલ્પકાર’ શ્રી જિનપ્રભસૂરિ કહે છે કે, “વિશ્વનાથ મંદિરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ છે.”(પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, ભા. ૧) તેઓ જ્યારે ચૌદમા સૈકામાં અહીં આવ્યા ત્યારે આ વારાણસી નગરી ચાર વિભાગમાં વહેંચાયેલી હતીઃ (૧) દેવ-વારાણસી, જ્યાં પ્રાચીન વિશ્વનાથનું મંદિર હતું (૨) રાજધાની-વારાણસી, જ્યાં યવન-મુસલમાન લોકો વધુ હતા (૩) મદન-વારાણસી (આજનો ઓળખાતો ‘મદનપુરા’વિભાગ) (૪) વિજય-વારાણસી, જ્યાં ભેલુપુર મંદિર છે.
૨૮
Page #33
--------------------------------------------------------------------------
________________
I
บน
-
પ્રભુ પાર્શ્વનાથ
Folate Personal use only
www.janelle
Page #34
--------------------------------------------------------------------------
________________
S/
૨. રાજા અરવિંદ પાસે મરુભૂતિએ ફરિયાદ કરી.
(ભવ-૧ ૧. મરુભૂતિએ પોતાની પત્ની વસુંધરાની
કમઠ સાથેની કામક્રીડા નિહાળી.
૩. રાજા અરવિંદના હુકમથી કમઠનો ગધેડા પર બેસાડી દેશનિકાલ.
૪. પશ્ચાત્તાપ થતાં મરુભૂતિએ કમઠ પાસે ક્ષમાયાચના કરી
છતાં ક્રોધિત કમઠે શિલાનો પ્રહાર કરી તેને મારી નાખ્યો.
ભવ-૨ ૫. મૃત્યુ બાદ મરુભૂતિ અને કમઠની પત્ની વરુણાનો બીજા | ભવમાં હાથી-હાથણીના રૂપે જન્મ. ક્રોધિત કમઠનો જીવ નરકમાં
૬. રાજા અરવિંદ મુનિ થયા અને હાથી-હાથણીને જાતિસ્મરણ કરાવ્યું. | નરકના કમઠે કર્કટ સર્પ બની હાથીને દંશ મારીને પ્રાણ લીધો.
૩ભવ-3) ૭, મરુભૂતિ આઠમા દેવલોકમાં દેવ થયા.
૮. કમઠના જીવે સર્પભવમાં મૃત્યુ પામીને નરકમાં યાતના ભોગવી.
Page #35
--------------------------------------------------------------------------
________________
ભવ-૪ ૯. આઠમા દેવલોકમાંથી મરુભૂતિનો જીવ કિરણવેગ રાજા બન્યો. Gl
૧૦. રાજા કિરણવેગે સુરગુરુ પાસે દીક્ષા લીધી.
ભવ-૫ ૧૨. કિરણવેગ મુનિ દેવલોકમાં દેવ થયા.
૧૧. નરકમાં કમઠનો જીવ આયુષ્ય પૂર્ણ કરી કાલદારુણ સર્પ બન્યો
અને કિરણવેગ મુનિને ભયંકર દંશ દઈ તેમનો પ્રાણ લીધો.
૧૩. કાલદારુણ સર્પ નરકમાં ગયો.
ભવ-૬ ૧૪. બારમા દેવલોકમાં મરુભૂતિનો જીવ વજનાભ
રાજા બન્યો અને પોતાના પુત્રને રાજગાદી સોંપી.
ત્રા
૧૬, કમઠનો જીવ કુરંગ, નામે ભીલ થયો. જંગલમાં વજનાભ મુનિને જોઈ
પૂર્વભવનું વેર યાદ આવતાં તીર મારીને કેમકે મુનિના પ્રાણ લીધા.
૧૫. વજનાભ રાજાએ ગુરુ ક્ષેમંકર પાસે દીક્ષા લીધી અને
‘એકલવિહાર’ રહેવાની આજ્ઞા માગી.
સૌજન્ય : શ્રી તાકોડાજી તીથપેઢી
Only
www.jainelibra
31
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૭. વજ્રનાભ મુનિ મધ્ય ચૈવેયક દેવલોકમાં લલિતાંગ દેવ થયા.
ભવ-૮ ૧૯. મહાવિદેહ ક્ષેત્રમાં સુરપુર ગામના રાજા વજ્રબાહુની રાણીને ચૌદ સ્વપ્ન આવ્યાં અને પુત્ર રૂપે સુવર્ણબાહુ(મરુભૂતિનો જીવ)નો જન્મ થયો.
उ
૧૮. કુરંગક ભીલનો જીવ સાતમા નરકમાં ગયો.
૨૦. રાજકુમાર સુવર્ણબાહુ વનમાં રાજકુમારી પદ્માવતીની દાસી નંદાને મળ્યો અને રાજકુમારી સાથે ગાંધર્વ વિવાહ કર્યા.
૨૧. સુવર્ણબાહુની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું અને સ્વર્ણબાહુ ચક્રવર્તી રાજા બન્યો.
Education International
Page #37
--------------------------------------------------------------------------
________________
| ૨૨. સુવર્ણબાહુ ચક્રવર્તીએ જગન્નાથ તીર્થકર ૨૩. કુરંગક ભીલના જીવે સિંહરૂપે જન્મ લીધો અને સુવર્ણબાહુને જોઈ તેને મારી નાખ્યો. આ મુનિ દસમા | પાસે દીક્ષા લીધી.
દેવલોકમાં વીસ સાગરોપમ આયુષ્યવાળા દેવ થયા.દેવલોકમાંથી દેવ થયેલા પાર્થપ્રભુ પૂર્વભવમાં ભવ-૯)
પોતાની ભાવિ માતાનું મુખ જોવા માટે વારાણસીમાં દેવબાળકનું રૂપ ધારણ કરીને આવ્યાં હતા.
ભવ-૧0 ૨૪. અશ્વસેન રાજાની રાણી વામાદેવીનું
ચૌદ સ્વપ્નદર્શન. પુત્ર પાર્થકુમારનો જન્મ
૨૫. સિંહ નરકમાં ગયો.
૨૬. સિંહના જીવે બ્રાહ્મણના ઘરે કમઠના નામે
જન્મ લીધો અને તે ભટકતો તાપસ બન્યો.
Ge.
૨૭. કુરુસ્થળની રાજકુમારી પ્રભાવતી
૨૮. અશ્વસેન રાજા અને વામાદેવીનો લાલ શ્રી પાર્શ્વકુમાર
કીUિT ITI RTIDIOTE : * ભાવકુમારના પ્રભાવના સાથે લગ્ન થયા અને રાજ
- ૨૯. પાર્શ્વકુમારનાં પ્રભાવતી સાથે લગ્ન થયાં અને રાજ્યનો કારભાર સંભાળવા લાગ્યા.
www.jainelibrary.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૦. એક દિવસ પાર્શ્વકુમાર તાપસની ધૂણી પાસે ગયો અને બળતા લાકડામાંથી નાગ-નાગણીને બચાવી નવકારમંત્ર સંભળાવી તેમને ઉગાર્યા.
૩૧. શ્રી પાર્શ્વકુમાર અને રાણી પ્રભાવતીએ એક મંદિરના રંગમંડપમાં શ્રી નેમિનાથ ભગવાનનું ચિત્ર જોયું અને તેમને વૈરાગ્યનો ભાવ થયો.
૩૨. લોકાંતિક દેવોએ (પાર્શ્વકુમારને) “નાથ” તીર્થ પ્રવર્તાવવાની શિખામણ આપી.
૩૩. ભગવાને વરસીદાન આપ્યું.
| ૩િ૪
૩૪. ભગવાનની દીક્ષાનો વરઘોડો
૩૫. ભગવાને દીક્ષા લીધી.
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૬, ભગવાનને જાઈને મહીધર હાથીને જાતિ- સ્મરણ થયું અને ફૂલો વડે ભગવાનની પૂજા કરી.
૩૭. ધરણેન્દ્ર નાગરૂપે આવ્યા અને ભગવાનને માથે છત્ર ધર્યું. (અહીછત્રા તીર્થ)
૩૮. ભગવાનને જોઈને રાજાને જાતિસ્મરણ થયું અને
એક મંદિર બનાવ્યું. (કુકટેશ્વર તીર્થ)
It |
૩૯, મેઘમાળી (કમઠનો જીવ)એ ઉપસર્ગ કર્યો અને ધરણેન્દ્રએ આવીને પ્રભુ વંદના કરી.
૪૦. ભગવાનને કેવળજ્ઞાન થયું.
૪૧. દેવોએ સમવસરણ રચ્યું.
૪૨. ભગવાનનું સમેતશિખર પર નિર્વાણ થયું. ૩૫
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી ભેલુપુર તીર્થ
પાર્શ્વનાથ ભગવાનનાં પ્રથમ ચાર કલ્યાણકની
પ્રભુ
ચ્યવત, જન્મ, દીક્ષા અને કેવળ, પામ્યા પાર્શ્વનાથ ભગવાત વારાણસી જઈ ભેલુપુર વંદું, ધ્યાવું શ્રી પાર્શ્વતાથ જિતરાજ ।
Page #41
--------------------------------------------------------------------------
________________
વારાણસીનો ઇતિહાસ પ્રભુ આદિનાથ ભગવાનના સમયથી પ્રારંભ થાય છે. કાશીનરેશ : અકમ્પનની પુત્રી સુલોચનાનો આ ધરતી પર સ્વયંવર થયો હતો. સુલોચનાએ ભરતચક્રવતીના પ્રધાન
સેનાપતિ જયકુમાર (બાહુબલીના પૌત્ર)ને સ્વયંવરમાળા પહેરાવી હતી. આ નગરીના ઇક્વાકુ વંશીય - રાજા અશ્વસેનની રાણી વામાદેવીએ ઈ.સ. પૂર્વે નવમી શતાબ્દીમાં સર્પલક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો.
ભગવાન ગર્ભમાં આવ્યા પછી માતાએ અંધારી રાત્રે પોતાની પાસેથી જતો સર્ષ દીઠો હતો. તે સર્પના || જવાના માર્ગમાં વચમાં રાજાનો હાથ હતો તે દેખી રાણીએ હાથ ઊંચો કર્યો. રોજાએ કારણ પૂછ્યું તો - રાણીએ સર્પ દીઠાનું કહ્યું. રાજાએ ખાતરી કરવા દીપકથી જોતાં સર્પ જોયો. આથી પુત્રીનું નામ પાર્શ્વકુમાર - રાખવામાં આવ્યું. તેમની કાયા નવ હાથ ઊંચી હતી. રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતી સાથે તેમનાં
લગ્ન થયાં. એક દિવસ રાજકુમાર પાર્થે એક તપસ્વીને ધૂણી લગાવીને પંચાગ્નિ તપ કરતો જોયો. તે સમયે - પાર્થકુમારે અવધિજ્ઞાનથી જાણ્યું કે બળતા લાકડાની ધૂણીમાં એક નાગ-નાગણી તડપી રહ્યાં છે. તરત જ
લાકડાને ચીરીને તેમાંથી નાગ-નાગણીને બહાર કાઢીને તેમને નવકારમંત્ર સંભળાવ્યો. આ નાગ-નાગણી | મૃત્યુ પામ્યાં, પરંતુ નવકારમંત્રના પ્રભાવથી ધરણેન્દ્ર અને પદ્માવતી નામનાં દેવ-દેવી બન્યાં. સમયાંતરે પ્રભુએ અહીંના આશ્રમપદ નામના ઉદ્યાનમાં ૩OO રાજાઓ સાથે ‘નમો સિદ્ધાણં' પદનું સ્મરણ કરી, અઠ્ઠમ તપ સાથે આજે ઉદ્યાનમાં દીક્ષા ગ્રહણ કરી. )
એક દિવસ શ્રી પાર્શ્વસ્વામી વિહાર કરતાં કરતાં સાંજના સમયે એક તાપસના આશ્રમ પાસે | પહોંચ્યા. ત્યાં તેઓ વડના વૃક્ષ નીચે ઊભા રહી કાયોત્સર્ગ કરવા લાગ્યા. એ રાત્રે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ચારેબાજુ જળબંબાકાર પાણી થઈ ગયું, છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન તૂટ્યું નહીં. પાણી તેમની
કમર સુધી આવ્યું તો પણ પ્રભુ ધ્યાનમાં મગ્ન રહ્યા. પાણી છેક એમના કંઠ સુધી આવી ગયું છતાં પણ પ્રભુ | ડગ્યા નહીં અને છેલ્લે નાકના અગ્રભાગને પાણી આંબી ગયું; છતાંય પ્રભુનું મૌન તૂટ્યું નહીં. પ્રભુ
યોગસાધનામાં મગ્ન રહ્યા. આવી એમની અપૂર્વ સાધના હતી. તે વખતે ધરણેન્દ્ર નાગરાજાએ પોતાની કાયાથી પ્રભુની પીઠને અને બે પડખાને ઢાંકી દઈને સાત ફણો વડે પ્રભુને માથે છત્ર ધર્યું. | પાર્શ્વનાથસ્વામી અનેક ઉપસર્ગ (દુઃખ) સહન કરતાં કરતાં વિહાર કરીને વારાણસી પાસે આવ્યા.
અહીં તેમને શુક્લધ્યાનમાં (પ્રભુ જ્યારે લીન હતા ત્યારે) ૮૩ દિવસની છબસ્થ અવસ્થા બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુ પાર્શ્વનાથે સમવસરણમાં બેસતાં પહેલાં અશોકવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપી ‘નમો - તિથ્થસ્સ’ કહી તીર્થને નમસ્કાર કરી દેશનાનો પ્રારંભ કર્યો હતો. પ્રભુના સમવસરણમાં તે સમયે
હસ્તિનાપુરના રાજા સ્વયંભૂ હાજર હતા. પ્રભુ પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી અને પ્રભુના પ્રથમ ગણધર બન્યા, જે ‘આર્યદત્ત’ નામે પ્રસિદ્ધ બન્યા.
- પ્રભુના પ્રથમ દસ ગણધરોનાં નામ આ મુજબ હતાં : (૧) આર્યદત્ત (૨) આર્યઘોષ (3) વિશિષ્ટ (૪) બ્રહ્મ (૫) સોમ (૬) શ્રીધર (૭) વીરસેન (૮) ભદ્રયશા (૯) જય (૧૦) વિજય. પ્રભુનાં માતાપિતા તથા પત્નીએ પણ દીક્ષા અંગીકાર કરી હતી.
Isin Educatured on
W
ebra 39
Page #42
--------------------------------------------------------------------------
________________
નનન
ચાલો, દર્શન કરીએ; પ્રભુ પાર્શ્વનાથનાં પ્રથમ ચાર કલ્યાણક
જ્યાં થયાં છે તેવી ભેલપુરની પાવન ભૂમિનાં. આ.ભ. પૂ. શ્રી વિક્રમસૂરીશ્વરજીના સુશિષ્ય આચાર્ય ભ. પૂ. શ્રી રાજયશસૂરીશ્વરજીએ વિ. સં. ૨૦૧૭માં એટલે કે તા.૧૭-૧૧-૨૦OOની સાલમાં આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવી શિખરબંધી જૈન શ્વેતાંબર મુખ્ય મંદિર અને ધાબાબંધી કલ્યાણક મંદિર એમ બંનેમાં પ્રતિષ્ઠા કરાવી.
આ મુખ્ય મંદિરમાં બિરાજમાન શ્યામવર્ણા, ૬૩ ઇંચના પદ્માસનસ્થ મૂળનાયક પુરુષાદાનીય પૌષદશમીય શ્રી પાર્શ્વનાથજીને.... તમો જિણાણ. મૂળનાયકને જ્યારે ચાંદીમાંથી બનાવેલ ૨૫ કિલોના નકશીદાર પંઠિયાની) આંગી ચઢાવવામાં આવે છે ત્યારે મૂર્તિને નીરખતાં, દર્શન કરતાં અવર્ણનીય આનંદ થાય છે. પુરુષાદાનીય’નો અર્થ થાય છે - “સર્વોત્કૃષ્ટ અનુકરણનીય’ - પ્રભુ પાર્થજીની ઉપર મેઘમાળીએ (કમઠનો જીવ) ઉપસર્ગ કર્યો પણ પ્રભુને મેઘમાળી પર દ્વેષ ન હતો જે વીતષિતાનું ઉદાહરણ છે અને ધરણેન્દ્ર દેવે પ્રભુની અનુપમ ભક્તિ કરી, પરંતુ પ્રભુને રાગ ન થયો તેવી
તેમની વીતરાગતાને... વંદન કરીએ. પ્રભુ પાર્શ્વનાથના પુનિત ચરણનો જ્યાં સ્પર્શ થયો છે તેવી પાવન ભેલપુર તીર્થભૂમિનાં દર્શન કરીને આજે અનંત પુણ્યના સ્વામી બનીએ. સૌપ્રથમ જિનાલયમાં બિરાજિત જિનબિંબોનાં
દર્શન કરીશું અને તેમની સ્તવના ગો]
કરીશું.
૩૮
brary.org
Page #43
--------------------------------------------------------------------------
________________
.
परवानानाय
पाबदामायापाश्वनाथायनमा
- ૧. પુરુષાદmતીય પીષદશમીય શ્રી પાર્શ્વનાથજી
| (જીર્ણોદ્ધાર બાદ)
૩૯
Jan Esercation
Forrivate & Personal Use Only A
RE
Page #44
--------------------------------------------------------------------------
________________
જિનાલયની સ્થાપત્યરચના
શ્રી ધરણેન્દ્ર દેવ
શ્રી પદ્માવતી માતા
ગભારો
ઉંબરો
૪
કોરીમંડપ
૧0
ગમંડપ
૧૨
મુખ્ય દ્વાર
મુખ્ય દ્વાર
દાદાગુરુની દેરી |
શ્રી ભૈરવજીની દેરી
C
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથજી 3 શ્રી નેમિનાથજી ૫ શ્રી શાંતિનાથજી
શ્રી મહાવીરસ્વામી શ્રી જીરાઉલા પાર્શ્વનાથજી
૨૭૦૦ વર્ષ પ્રાચીન શ્રી પાર્શ્વનાથજી ૧૩ શ્રી જયતિહુઅણ પાર્શ્વનાથજી ૧૫ શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથજી
શ્રી આદિનાથજી
શ્રી સુબાહુસ્વામી | | શ્રી ભેલપુર પાર્શ્વનાથજી
શ્રી સહસ્ત્રફણા ચિંતામણિ પાર્શ્વનાથજી ૧૦ પ્રાચીન શ્રી મુનિસુવ્રતજી
શ્રી નમિઉણ પાર્શ્વનાથજી ૧૪ શ્રી કલ્યાણમંદિર પાર્શ્વનાથજી ૧૬ પૂર્વ-પશ્ચિમ પ્રવેશદ્વાર
E
૧૨
80
For Private & Personal use only
Page #45
--------------------------------------------------------------------------
________________
श्री आदीश्वर भगवान
श्री नेमिनाथ भगवान
"श्री सुबाहस्वामी भगवान
૩. શ્રી નેમિનાથજી
૪. શ્રી સુબાહુસ્વામી
૨. શ્રી આદિનાથજી ગુલાબી પથ્થર અને આરસથી બનેલા આ મુખ્ય મંદિરનું પ્રવેશદ્વાર ઉત્તર દિશામાં છે. ૬૦ ફૂટ ઊંચું શિખર ધરાવતા આ મંદિરના ગભારાની જમણી બાજુ ૨. શ્રી આદિનાથજી ૩. શ્રી નેમિનાથજ ૪. શ્રી સુબાહુસ્વામીને ... તમો જિણાણ. ગભારાની ડાબી બાજુ ૭. શ્રી મહાવીરસ્વામી ૬. શ્રી ભેલુપુર પાર્શ્વનાથ ૫. શ્રી શાંતિનાથ ભગવાનને ... તમો જિણાણ. ગભારાની બહાર નીકળતાં કોરીમંડપ પાસે જમણે ૯. શ્રી જીરાઉલા પાર્શ્વનાથ તથા ડાબે ૮. શ્રી સહસ્રફણા ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. તમો જિણાણં. ગભારાની બહાર જમણી બાજુએ રંગમંડપમાં પ્રથમ આવે છે - ૧૧. ૨૭૦૦ વર્ષ પ્રાચીન શ્રી (વારાણસી) પાર્શ્વનાથ પ્રભુજીની અત્યંત ભાવવાહી મૂર્તિ; જેને જોતાંની સાથે જ મન ભક્તિમય બની જાય છે. જીર્ણોદ્વાર પૂર્વેની આ મૂર્તિની વિ.સં. ૨૦૫૦માં પુનઃ પ્રતિષ્ઠા થઈ છે. તેન બાજુમાં ૧૨. શ્રી કલ્યાણમંદિર પાર્શ્વનાથ અને દ્વાર પછી ૧૫. શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથજી બિરાજમાન છે અને ગભારાથી ડાબી તરફ જઈએ તો પ્રથમ ૧૦. પ્રાચીન શ્રી મુનિસુવ્રતજી ૧૩. શ્રી જયતિહુઅ પાર્શ્વનાથજી અને દ્વા૨ પછી ૧૪. શ્રી નમિણ પાર્શ્વનાથજી પ્રભુ બિરાજમાન છે.
સર્વ જિતબિંબોને ભાવથી વંદન કરીએ.
૭. શ્રી મહાવીરસ્વામી
૬. શ્રી ભેલપુર પાર્શ્વતાથજી
For Privateersonal Use Only
૫. શ્રી શાંતિતાથજી
www all brand.org
४१
Page #46
--------------------------------------------------------------------------
________________
-
પર
૨
જ
"
S
-
છે
૮. શ્રી સહસ્ત્રફણા ચિંતામણિ પાર્શ્વનાથજી
૯. શ્રી જીરાઉલા પાર્શ્વનાથજી
સ્તુતિ વારાણસી ભેલૂપુરે, હે નાથ ભવભય ભંજણો, કલ્યાણકો તુજ ચાર ચિત્તે, ધ્યાવતા મદગંજણો; વાયેય ! તું વીતરાગ દેખ્યો, મોહ જોર વિહંડણો,
હે પાર્શ્વ જિન! પ્રણમી કહું, મુજ મોહ મયગલને હણો.
૪૨ ૧૧). પ્રાચીત શ્રી મુનિસુવ્રતજી
૧૨. શ્રી કલ્યાણમંદિર પાનાથજી
Page #47
--------------------------------------------------------------------------
________________
& Traffil*1
#ન ા
ततेन प्रति प्रति समातारानी
सनरी
૧૧. શ્રી પાર્શ્વનાથજી (૭00 Qર્ણ પ્રાચીની)
Jain Education Internacional
Page #48
--------------------------------------------------------------------------
________________
૪
F
M
સર
200
૧૫. શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વતાથજી
૧૩. શ્રી જયતિહુઅણ પાર્શ્વતાથજી
ચૈત્યવંદન
નયરી વારાણસીએ થયા, પ્રાણતથી પરમેશ, યોનિ વ્યાઘ્ર સુહંકરી, રાક્ષસ ગણ સુવિશેષ; જન્મ વિશાખાએ થયો, પાર્શ્વ પ્રભુ મહારાય, તુલા રાશિ છદ્મસ્થમાં, ચોરાશી દિન જાય; ધવ તરુ પાસે પામિયા એ, ખાયિક દુગ ઉપયોગ, મુનિ તેત્રીશે શિવ વર્યા, વીર અખય સુખ ભોગ.
સ્તવત (રાગ : પ્રભુ તારું ગીત મારે ગાવું છે...)
તારી કથા હે પ્રભુ, થાકને નિવારતી, થાકને નિવારી ને વાંકને વિદારતી........ ૧ કાશી વારાણસી, ભેલુપુર વાસી, પાર્શ્વજિણંદ તારી કથની લોભાવતી.............. મુખડું માતાનું જોવા બાળરૂપે આવતા, વાર્તા તમારી દિલહર્ષ ઉપજાવતી.. વિકસિત વદન માત વામાનું દેખીને, ચેતના તમારી સુખસ્પંદન પાવતી.. દશમાં સુરલોકથી ચ્યવન તું પામિયો, માતા તમારી ઉર રોમાંચ લાવતી............ પાયો જનમ પોષદશમીયે સ્વામ તું, ત્યારે સુર બાલિકા હાલરડું ગાવતી... દીક્ષા ગ્રહીને દિન ચોરાશી સાધતા, વિરતિ તમારી જ્ઞાનકેવલ પ્રગટાવતી... ચારે કલ્યાણકો પાર્શ્વ તુમારડા, કલ્યાણકારી ભવિ હિયડું હરખાતી.............૮ ભેટ્યો ભગવંત આજ અંતરના પ્રેમથી, ભક્તિ તમારી કર્મ મોહની નિવારતી...૯ ભુવનના ભાણ હિતકાર ધર્મ તાહરો, સેવના તમારી જગવલ્લભ બનાવતી......૧૦
થોય
જય પાસદેવા કરું સેવા, અશ્વસેન કુલભૂષણ, નયરી વાણારસી શુદ્ધ ઠાણું, વિમલ વિગલિત દૂષણું; પયકમલ ફણિધર ભવિક સુખકર, નીલ તનુ જગવંદનં, પ્રભુ પાપ ચૂરણ, આશપૂરણ, દેવ વામાનંદનં.
૩
.૪
.૬
૭
Page #49
--------------------------------------------------------------------------
________________
nternational
ૐ હ્રી શ્રી અહં શ્રી તમિઉણ
- તેજીણુ જ ગરજ š ce
161
પાસ
વિસહર
વસહ જિણ
જિણ કુલિંગ ઠ્ઠી શ્રી અર્હ તમઃ
D'Ago
ચમનચોડવા વેલા રાપર -ધ. અન
श्री
પરમ પૂ. લેબ ખૂબ આ
૧૨. શ્રી તમિણ પાર્શ્વનાથજી
Bentendere
UN DUINC
જો (વીન) ૩૮૨ ૦૦૨
આ બાસ
R :
रणवीर
૪૫
Page #50
--------------------------------------------------------------------------
________________
|૪૬
મંદિરતી બહાર આવેલી દેરીઓમાં શ્રી ભેરૂજી, પૂ. વિસૂરીશ્વરજીતી મૂર્તિ અને પગલાં, શ્રી ધરણેન્દ્ર દેવ અને શ્રી પદ્માવતી માતાનાં દર્શન થાય છે.
શ્રી ધરણેન્દ્ર દેવ
districts
rames
com
પૂ. વિક્રમસૂરીશ્વરજી
શ્રી પદ્માવતી માતા
શ્રી ભેરૂજી
Page #51
--------------------------------------------------------------------------
________________
ચાલો, હવે મંદિરની પાછળ કલ્યાણક મંદિર તરફ જઈએ. અહીં ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન દર્શાવતા પટ તથા ચાર કલ્યાણકની ચાર મૂર્તિનાં દર્શન થાય છે.... તમો જિણાપં. કલ્યાણક મૂર્તિઓની મધ્યમાં શ્રી વિમલનાથ સ્વામી બિરાજમાન છે. વળી, પૃષ્ઠ ભાગે કલ્યાણક પટોની જોડે અનેક જિનબિંબો સ્થાપિત છે. ચ્યવનકલ્યાણક મૂર્તિની પાછળ આવેલી દેરીમાં ઉપરની બેઠકમાં ડાબેથી શ્રી શાંતિનાથજી, શ્રી પાર્શ્વનાથજી, શ્રી વિમલનાથજી તથા નીચેની બેઠકમાં શ્રી આદીશ્વરજી, શ્રી નેમિનાથજી, શ્રી શીતલનાથજી બિરાજમાન છે.....તમો જિણાણ. જન્મકલ્યાણક મૂર્તિની પાછળ ડાબેથી શ્રી પાર્શ્વનાથજી, શ્રી શ્રેયાંસનાથજી, શ્રી સુમતિનાથજી બિરાજમાન છે, સાથે પાર્શ્વનાથ પ્રભુના અત્યંત પ્રાચીન ચરણપાદુકા છે... તમો જિગાણ. દીક્ષાકલ્યાણક મૂર્તિની પાછળની દેરીમાં ડાબેથી શ્રી વાસુપૂજયજી, શ્રી સુપાર્શ્વનાથજી, શ્રી કુંથુનાથજી બિરાજમાન છે..... તમો જિણાણ. કેવળજ્ઞાનકલ્યાણક મૂર્તિની પાછળની દેરીમાં ઉપરની બેઠકમાં ડાબેથી શ્રી મહાવીરજી, શ્રી સુપાર્શ્વનાથજી, શ્રી શ્રેયાંસનાથજી તથા નીચેની બેઠકમાં શ્રી મુનિસુવ્રતજી, શ્રી અજિતનાથજી તથા બીજા એક શ્રી સુપાર્શ્વનાથજી બિરાજમાન છે... તમો જિણાણ. અહીં જમણી બાજુએ શત્રુંજયનો પટ દર્શનીય છે.
" કે સૌને ભાવથી વંદન કરીશું.”
છે
,
Jain Education
શ્રી વિમલ્લનાથરસ્વામી
Aા પછNNE
Page #52
--------------------------------------------------------------------------
________________
ચ્યવનકલ્યાણકની મૂર્તિની પાછળ
પ્રતિષ્ઠિત જિનબિંબો
૩ૐ હ્રીં શ્રી પાર્શ્વનાથ પરમેષ્ઠીતે નમઃ
(ગ્યવતકલ્યાણક)
(કલ્યાણક મંદિરના દર્શન)
ચ્યવનકલ્યાણકની દેરી
દીક્ષાકલ્યાણકની દેરી ૐ હ્રીં શ્રી પાર્શ્વનાથાય નમઃ
(દીક્ષાકલ્યાણક)
દીક્ષાકલ્યાણકની મતિની પાછળ
પ્રતિષ્ઠિત જિનબિંબો
Page #53
--------------------------------------------------------------------------
________________
Causation laternational
જન્મકલ્યાણકની
મૂર્તિની પાછળ
પ્રતિષ્ઠિત જિતબિંબો
(કલ્યાણક મંદિરતા દર્શન)
જન્મકલ્યાણકતી દેરી
ૐ હ્રી` શ્રી પાર્શ્વતાથ અર્હતે તમઃ
(જન્મકલ્યાણક)
કેવળજ્ઞાતકલ્યાણકતી દેરી
કેવળજ્ઞાતકલ્યાણકતી મૂર્તિતી પાછળ
પ્રતિષ્ઠિત
જિતબિંબો
ૐ હ્રી શ્રી પાર્શ્વતાથ સર્વજ્ઞાય નમઃ (કેવળજ્ઞાતકલ્યાણક)
wwwww.ramicliorary.org
Page #54
--------------------------------------------------------------------------
________________
श्री जिनचन्द्रसरिजी
शोजिनदह सर
जिनकन्नारगनपादक प्रालस्या
8 કલાકાર
- -
મુખ્ય મંદિરની બહાર ડાબી બાજુ પાછળ એક દાદાવાડી છે, જ્યાં દાદાગુરુજીની મૂતિઓ તથા શ્રી જિતકુશલસૂરિજીનાં પગલાં છે.
૫૦) an Edue
ઘણા rary org
Page #55
--------------------------------------------------------------------------
________________
1 /7 1 0 માર્ગદર્શન : ભલુપુર તીર્થમાં ધર્મશાળા અને ભોજનશાળાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે. આ તીર્થના બે ભાગ થઈ ગયા હોય એવું લાગે છે, કારણ કે અડધો ભાગ શ્વેતાંબર મંદિરમાં અને અડધો દિગંબર મંદિર ક્ષેત્રમાં વિભાજિત દેખાય છે. અહીંથી નજીકનું રેલવે સ્ટેશન વારાણસી (કેન્ટ) ૩ કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ટૅક્સી પણ મળી રહે છે. પવિત્ર ગંગા નદીને કાંઠે આ નગર વસેલું છે. બનારસી સાડીની ખરીદી માટે મુખ્ય સ્થળ ઠઠેરી બજાર છે. ભેલુપુર ધર્મશાળા પાસે બસ પાર્કિંગની જગ્યા ન હોવાથી યાત્રિકોનો સામાન
લ્યાણક મંદિર રિક્ષા અને સાઇકલ દ્વારા લાવવામાં આવે છે. અહીં બાજુમાં એક દિગંબર મંદિર છે, જ્યાં ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પહેલાંની પ્રાચીન પ્રતિમા છે. અહીં રાજઘાટ પુલ નંબર-૨ ઉપરથી પસાર થઈએ ત્યારે ‘અસીનાલા'થી ‘રાજઘાટ-૨’ સુધી એંસી ઘાટ જોવા મળે છે. અહીંનો નૈશનલ હાઈવે-8 બનારસથી સીધો કન્યાકુમારી સુધી જાય છે.
શ્વેતાંબર ધર્મશાળા
તીર્થપેઢી. શ્રી જૈન શ્વેતાંબર તીર્થ સોસાયટી ભલુપુર, પોસ્ટ : વારાણસી - ૨૨૧૦૧૦, પ્રાન્ત : ઉત્તરપ્રદેશ
ફોન : ૦૫૪૨ - ૨૭૫૪૦૭, ૩૨૯૨૮૮૧
Page #56
--------------------------------------------------------------------------
________________
som dikisa sa zaváhaneyai men uns scubal (lingan
સાતમા તીર્થકર શ્રી સુપાર્શ્વનાથજીનાં પ્રથમ વાર કલ્યાણની તીર્થભૂમિ
ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ,
પામ્યા સુપાર્શ્વ ભગવાત વારાણસી જઈ ભદૈની વંદું,
ધ્યાવું શ્રી સુપાર્શ્વ જિતરાજ રે
૫૨
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી ભદૈની તીર્થ
- Private & Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
વારાણસી રેલવે સ્ટેશનથી ૪ કિ.મી. દૂર આવેલ આ તીર્થનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. વર્તમાન ચોવીસીના સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચારેય કલ્યાણકોથી આ ભૂમિ પાવન થયેલ છે. વચ્છરાજ ઘાટ ઉપર, કોલકાતાના વચ્છરાજજી નામના શ્રાવકે આ શિખરબંધી તીર્થ બંધાવેલું. આ તીર્થ સુધી ચાર પૈડાંનાં વાહન જઈ શકતાં નથી એટલે સેવાપૂજાનો સામાન લઈને જ દર્શન કરવા જવું હિતાવહ છે. વારાણસીની આ સાંકડી ગલીઓમાં થઈને જ્યારે મુખ્ય મંદિરે પહોંચીએ ત્યારે ગંગાના વિશાળ પટના કિનારે, શાંત વાતાવરણમાં મંદિરનું આ દેશ્ય અત્યંત શોભાયમાન લાગે છે. ઘાટ સુધી નીચે ઊતરવાનાં પગથિયાં પણ છે. મંદિરની બહાર ખુલ્લા ચોકમાં બેસીએ ત્યારે એવું લાગે કે જાણે આ કલકલ વહેતી ગંગા નદી પણ પોતાના મંદ મંદ વહેણરૂપી ધ્વનિથી પ્રભુના નામનું નિરંતર સ્મરણ ના કરતી હોય ! ચારેબાજુ જૈન અને જૈનેતર મંદિરો શ્રદ્ધા અને ભક્તિનો ગુંજારવ કરતાં ઊભાં છે.
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું જીવન વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ નામના રાજાને પૃથ્વી નામની સુશીલ રાણી હતી. નંદિષેણ રાજાનો જીવ કે જે છઠ્ઠા રૈવેયકમાં હતો તેણે પોતાનું અઠ્યાવીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, ભાદરવા વદ આઠમે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં તેરાણી પૃથ્વીની કુક્ષિમાં અવતર્યો. રાણીએ ચૌદ મહાસ્વપ્નો જોયાં. પૂર્ણ સમયે જેઠ સુદ બારસે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં સ્વસ્તિક (સાથિયા)ના ચિહ્નવાળા સુવર્ણવર્ણ પુત્રને તેમણે જન્મ આપ્યો.
માતા પૃથ્વીરાણીનાં બંને પડખાં રોગથી વ્યાપ્ત હતાં, પરંતુ જ્યારે પ્રભુ માતાની કુક્ષિમાં આવ્યા પછી બંને પડખાં રોગરહિત, સુવર્ણરંગી અને ઘણાં સુકોમળ થયાં, માટે પુત્રનું નામ સુપાર્થ રાખવામાં આવ્યું. બીજો એક ઉલ્લેખ એવો છે કે, પ્રભુના પિતાનાં બંને પડખાંમાં કોઢનો રોગ હતો; ભગવંતની માતાએ ત્યાં હાથ ફેરવવાથી તે રોગ મટ્યો હતો. બસો ધનુષ્ય ઊંચી કાયાવાળા શ્રી સુપાર્શ્વકુમારે યૌવનવયમાં પ્રવેશ કર્યો. પાંચ લાખ પૂર્વ કૌમારવયમાં પસાર કર્યા પછી સુપાર્શ્વકુમારે રાજ્યનો કારભાર સંભાળ્યો. શ્રી સુપાર્શ્વકુમારે રાજ્યનું સંચાલન વીસ પૂર્વાગે અધિક એવા ચૌદ લાખ પૂર્વ સુધી કર્યું ત્યાર બાદ સંસારની મોહમાયા તરફ વૈરાગ્યભાવ પેદા થતાં દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા કરી અને ત્યારથી એક વર્ષ સુધી સુપાર્શ્વકુમારે નગરજનોને દાન આપ્યું. જેઠ સુદ તેરસના દિવસે એક હજાર રાજાઓની સાથે પ્રભુ શ્રીસુપાર્શ્વનાથસ્વામીએ છઠ્ઠ તપની આરાધના કરીને દીક્ષા ગ્રહણ કરી અને તે જ સમયે તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
શ્રી સુપાર્શ્વનાથસ્વામી નવ માસ સુધી પૃથ્વી પર વિહાર કરતા રહ્યા. વિહાર કરતાં કરતાં તેઓ સહસ્રામ્રવનમાં આવ્યા. છઠ્ઠના તપ સાથે ફાગણ વદ છઠે દેશના આપી, જેમાં ભવસાગર પાર કરવા ત્યાગ વગર બીજો કોઈ રસ્તો નથી તે વાત સૌને સરળ રીતે સમજાવી. શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને વિદર્ભ નામના ગણધર સહિત પંચાણું ગણધર થયા. વળી, માતંગ નામે યક્ષ (શાસનદેવતા) અને શાંતા નામની યક્ષિણી (શાસનદેવી) થઈ. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી નવ માસ અને વીસપૂર્વાગ ન્યૂન એવા લાખ પૂર્વ ગયા પછી (૫૪
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી સુપાર્થસ્વામી સમેતશિખર પર્વત પર પધાર્યા. ત્યાં પાંચસો મુનિરાજો સાથે એક માસનું અનશન કર્યું. મહિનાના અંતે ફાગણ વદ સાતમને દિવસે શ્રી સુપાર્શ્વનાથસ્વામીએ વીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી | (શ્રી પદ્મપ્રભુસ્વામીના નિર્વાણ પછી નવ હજાર કરોડ સાગરોપમ વીત્યા ત્યારે) પાંચસો મુનિરાજો સહિત સમેતશિખર તીર્થે મોક્ષપદ પામ્યા.
| જિનાલયની સ્થાપત્યરચના
જિનાલયની બહાર આવેલો ખુલ્લો ચોક
મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજીની વેદિકા [૨ જિનેશ્વર ભગવંતોની દેવકુલિકા
પ્રાચીન શ્રી શાંતિનાથજી (વેળુની પ્રતિમા) શ્રી જિતકુશલસૂરિજીનાં યુગલ ચરણ ૫ મુખ્ય દ્વાર
તીર્થ પ્રવેશદ્વાર
૪
જ્યારે પૂર્વ દિશાએથી સૂર્યનું પ્રથમ કિરણ પ્રભુનો ચરણસ્પર્શ કરે છે ત્યારે આ તીર્થનાયકની શોભા અવર્ણનીય બને છે. ૨૫૦ વર્ષ જૂના આ મુખ્ય મંદિરમાં આરસની છત્રીકાર પીઠિકામાં સંપ્રતિ રાજાના સમયના ૨૭૦૦વર્ષપ્રાચીન, ૬૮ સે.મી.ના શ્વેતવર્ણા, પદ્માસનસ્થ મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી પગલાં સહિત બિરાજે છે. મૂળનાયકની આજુબાજુ નાના શ્વેત પાષાણના શ્રી સુપાર્શ્વનાથજી બિરાજે છે અને આગળ શ્યામવર્ણા શ્રી મલ્લિનાથજીની મૂર્તિ છે...નમો જિણાણ. મંદિરમાં ડાબી બાજુના ખંડમાં જિનેશ્વર પ્રભુની દેવકુલિકામાં (નં. ૨) ઉપરની હરોળમાં મધ્યે શ્વેત વર્ણના પાષાણના શ્રી શાંતિનાથજી, ડાબે શ્રી નેમિનાથજી, જમણે શ્રી પદ્મપ્રભુજી, આગળ નીચે ડાબી બાજુ શ્રી સુબાહુસ્વામી, મધ્યમાં ગેરુ વર્ણના શ્રી સંભવનાથજી તથા જમણે નીચે શ્રી ચોવીસી બિરાજમાન છે.... નમો જિણાણ. મૂળનાયકની વેદિકાની બાજુમાં શ્યામ રંગની એક નાનકડી વેદિકામાં વેળુ (રેતી)ના શ્રી શાંતિનાથજી પ્રભુની પ્રાચીન પ્રતિમા પ્રતિષ્ઠિત છે.... નમો જિણાણ.
૫૫
letion
For Private & Personal use only
Page #60
--------------------------------------------------------------------------
________________
જમણી બાજુની દેરીમાં દાદાગુરુદેવ શ્રી જિનકુશલસૂરિજીનાં બે જોડી પગલાં બિરાજિત છે. સૌને ભાવથી વંદન કરીએ અને મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની સ્તવના કરીએ.
સ્તુતિ
ભેટ્યો ભદૈનીનાથ સાંઈ, સુપાર્શ્વ ભાવે આજ મેં, મૂર્તિ નિહાળી આજ તારી, સૂરતમાં ચિતડું રમે; સ્વસ્તિ કરો સ્વસ્તિક લંછન, સાંઈ મુજ આતમતણું, પ્રણિધાનથી કલ્યાણ સાધી, ચાહું શિવનું આંગણું.
li
૫૬
6 Educat
al
ચૈત્યવંદન
સપ્તમ જિનની સેવના, કરતાં પાપ પલાય, સપ્ત ભયો ભય પામતા, પાપ ડંખ પ્રગટાય. સાથ સદા સોહામણો, નાથ સુપાર્શ્વનો ખાસ, શિવપદનું સુખ પામવા, સેવ કરો સોલ્લાસ. પ્રેમ કરું પરમેશ હું, ભુવનભાનુ તુજ એક, ધર્મજિત શિશકામના, જગવલ્લભ પદ છેક.
૧. મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજીતી વેદિકા
|
Intrary.org
Page #61
--------------------------------------------------------------------------
________________
//
G
ૐ હ્રી શ્રી સુપાર્શ્વતાથ પરમેષ્ઠીને તમઃ ૐ હ્રી` શ્રી સુપાર્શ્વતાથ અર્હતે તમઃ ૐ હ્રી શ્રી સુપાર્શ્વતાથાય તમઃ ૐ હ્રી શ્રી સુપાર્શ્વતાથ સર્વજ્ઞાય નમઃ
library ૫૭
Page #62
--------------------------------------------------------------------------
________________
દ
m
સ્તવન (રણ : ચપટી ભરી ચોખા ને... અથવા આધશક્તિ તુજને નમું ગણપત...) મલિયો સૌભાગ્ય યોગ સ્વામી સુપાર્શ્વજી, થાવું ભગવાન મારે નાથ ! તુજને ભજી ...........૧ કલ્યાણકારી તીર્થભદૈનીમાં ભેટિયો, દિવ્યદેદાર તારો તેર કાઠીયા તજી. ................
છ'રિ પાળીને તુજ યાત્રાના સંઘમાં, ત્રિકરણ યોગે તેને ભેટવા મતિ સૂજી... રાગ અને દ્વેષના પ્રસંગમાં ને રંગમાં, બાંધ્યા અઘોર પાપ ધર્મસામે જૂજી.............. ધોવાને મોહ મેલ, આયો તારી કને, આપી વિશુદ્ધિ ભવતારકહે નાથજી.. .............. ધ્યાવું કલ્યાણકારી ચારે કલ્યાણકો, પ્રેમે તમારા ગુણદાયક સાજો સજી... ............ ત્રિભુવનના ભાણ ધર્મજિતકાર સાહિબા, જગને વલ્લભ જ્યોતિ આપોને બાપજી......... ૭
થોય (રણે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું....) મનહે મનોરથ પૂરણ સમરથ, કલિયુગમાં અવતરિયો જી, રૂપ અનોપમ કમલ દલોપમ, નયન અમીરસ ભરિયો જી; ભાવ ભંજન જન મન રંજન, ઉપશમ રસનો દરિયો જી, માંડવગઢ મંડન દુરિત વિહંડણ, કેવલ કમલા વરિયો જી.
બોલો, શ્રીસુપાર્શ્વનાથ પ્રભુની જય..
તે
?
'
શ્રી નેમિનાથજી - શ્રી શાંતિનાથજી - શ્રી પદ્મપ્રભુજી શ્રી સુબાહુસ્વામીજી - શ્રી સંભવનાથજી - શ્રી ચોવીસીજી
૨જિતેશ્વર શિર્વતીની દેવકુલિકી
Education International
www.binelibrary.com
Page #63
--------------------------------------------------------------------------
________________
3. પ્રાચીન શ્રી શાંતિનાથજી (વેળુની પ્રતિમા) .
પ૯)
Jain Edu
c
ation
S
o
www.jainelibr.
Page #64
--------------------------------------------------------------------------
________________
૪. શ્રી જિતકુશલસૂરિનાં યુગલ ચરણ
માર્ગદર્શન ભદૈની તીર્થમાં ધર્મશાળા છે, પરંતુ ભલુપુરની ધર્મશાળામાં વધારે સારી વ્યવસ્થા છે અને ભૂલુપુરથી
આ તીર્થ માત્ર ૨ કિ.મી.ના અંતરે છે. ગંગાને પવિત્ર કરી રહેલ આ મંદિર અને ઘાટને જીર્ણોદ્ધારની જરૂર છે.
તીર્થપેઢી શ્રી સુપાર્શ્વનાથ ભગવાન જૈન શ્વેતાંબર મંદિર ભદૈની ઘાટ, પોસ્ટ : બનારસ-૨ ૨૧૦૧૦ (ઉ.પ્ર.)
મુખ્ય કાર્યાલય: ભેલુપુર ફોનઃ (૫૪ ર - ૨ ૨૭૫૪૦૭
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી સિંહપુરી તીર્થ
ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ,
પામ્યા શ્રી શ્રેયાંસનાથ;
શ્રી સિંહપુરી તીર્થને વંદું, ધ્યાવું શ્રી શ્રેયાંસ જિતરાજ.
અહિયારુષ!! કીટડિટ ફ્રી છોટા ટાઢા પ્રાભાઇll ાિટાઢા) ચારુ ઇલ્યાણારુણી ની ભૂ!િ..
Jain Education in rational
૬૧
Page #66
--------------------------------------------------------------------------
________________
ભજ્જૈની તીર્થે દર્શન કરી અહીંથી ૧૧ કિ.મી.ના અંતરે, ગાજીપુર રોડ ઉપર જ આશાપુરા બજારથી જતાં હીરાવનપુર ગામમાં હવેલીયા ચૌરાહાથી વળીને સિંહપુરી તીર્થે જવાય છે.
શ્રી શ્રેયાંસનાથ પ્રભુતા જીવન પર એક દૃષ્ટિપાત...
ક્ષેમા નામની એક ઉત્તમ નગરીમાં નલિનીગુલ્મ નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓ શ૨ી૨, યૌવન અને લક્ષ્મીને અસાર માનતા હતા. ધર્મબુદ્ધિવાળા રાજાએ રાજ્ય છોડી વજ્રદત્ત મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. તપ, પરિષહ અને આરાધનાથી તેમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે તપસ્વી મુનિરાજ ધ્યાન ધરીને મહાશુક્ર નામના સાતમા સ્વર્ગલોકમાં ગયા.
આ સમય દરમિયાન સિંહપુર નામના સુંદર અને સોહામણા નગરમાં વિષ્ણુરાજ નામના રાજા રાજ્ય સંભાળતા હતા. વિષ્ણુરાજ રાજા પરાક્રમી અને ધર્મનિષ્ઠ હતા. રાજાને વિષ્ણુ નામની રાણી હતી. એક દિવસ મહાશુક્ર દેવલોકમાંથી નલિનીગુલ્મ મુનિરાજનો જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી ભાદરવા વદ બારસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં વિષ્ણુદેવીની કુક્ષિમાં અવતર્યો.
કોઈ દેરાસરમાં પરંપરાગત દેવતા અધિષ્ઠિત સજ્જાની પૂજા થતી હતી, તેના ઉપર જે કોઈ બેસે તેને ઉપદ્રવ થતો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા પછી માતાને એ સજ્જા ઉપર બેસવાનું મન થયું. પ્રભુ માતા ત્યાં સૂઈ જતાં પરંતુ કોઈ ઉપદ્રવ ન થતો. આવા ગર્ભનો મહિમા જાણી પુત્રનું નામ શ્રેયાંસકુમાર રાખ્યું. આ ગેંડાના ચિહ્નવાળા સુવર્ણ પુત્રની યૌવન વયે કાયા એંશી ધનુષ જેટલી ઊંચી થઈ. પિતાના આગ્રહથી શ્રેયાંસકુમારે અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કર્યાં. શ્રેયાંસકુમારે બેતાલીસ લાખ વર્ષ સુધી રાજ્યનો કારભાર ચલાવ્યો. જ્યારે સંસારથી વિરક્ત થઈને દીક્ષા ગ્રહણ કરવા માટે શ્રેયાંસકુમાર ઉત્સુક થયા ત્યારથી તેમણે વાર્ષિકદાન આપવાનું શરૂ કર્યું.
ફાગણ વદ તેરસને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં છઠ્ઠ તપ કરીને શ્રી શ્રેયાંસનાથજીએ પંચમુષ્ટિ લોચ કર્યો, પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી અને તેમને તરત જ ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રેયાંસકુમારની સાથે એક હજાર રાજાઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કર્યા પછી શ્રી શ્રેયાંસનાથસ્વામીએ બે માસ સુધી છદ્મસ્થપણે વિહાર કર્યો અને પછી સહસ્રામ્રવનમાં આવ્યા. મહા મહિનાની અમાસને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં છઠ્ઠું તપ સાથે શ્રેયાંસનાથસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે પોતાની અંતિમ દેશનામાં તપ ધર્મનો ઉપદેશ આપ્યો. શ્રી શ્રેયાંસનાથસ્વામીને ગોશુભ નામના ગણધર સહિત છોતેર (૭૬) ગણધરો થયા. ઈશ્વર નામે યક્ષ અને માનવી નામની શાસનદેવી થઈ. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી શ્રી શ્રેયાંસનાથસ્વામીને પોતાનો મોક્ષકાળ નજીક જણાતાં તેઓએ એક હજાર મુનિવરો સાથે સમેતશિખર પર્વત ઉપર આવી અનશન કર્યું. શ્રી શીતલનાથ પ્રભુના મોક્ષકાળ પછી છાસઠ લાખ અને છત્રીસ હજાર વર્ષ તથા સો સાગરોપમે ઊણા એક કોટિ સાગરોપમ પસાર થઈ ગયા પછી શ્રી શ્રેયાંસનાથસ્વામી ૮૪ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી શ્રી પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પૂર્વે સો સાગરોપમ પંચાશી હજાર બસો ત્રીસ (૮૫,૨૩૦) પૂર્વે શ્રી સમેતશિખર તીર્થ ઉપર નિર્વાણ પામી મોક્ષપદ પામ્યા.
દર
Edu
www.jbinelibrary.org
Page #67
--------------------------------------------------------------------------
________________
સિંહપુરી મંડળ શ્રી શ્રેયાંસનાથજી
Page #68
--------------------------------------------------------------------------
________________
આ મંદિર યતિ શ્રી કુશલચંદજીએ બંધાવેલ એવું મૂળનાયકની ઉપર કોતરાયેલા સંવત ૧૯૧૧ના લેખમાંથી જાણવા મળે છે. શ્રેયાંસ પ્રભુના પિતા વિષ્ણુરાજના સમયમાં આ તીર્થનું નામ સિંહપુર હતું. એક માન્યતા મુજબ ‘શ્રેયાંસનાથ’ શબ્દનો અપભ્રંશ “સારનાથ” હોઈ શકે. સારનાથમાં જ શ્રેયાંસનાથ પ્રભુનું મંદિર છે.
જિનાલયની સ્થાપત્યરચના
નૈઋત્ય
વાયવ્ય
૧છા
(૧૭
(૧૫
આજ્ઞા
ઈશાત મૂળનાયક શ્રી શ્રેયાંસનાથજીની વેદિકા ૨ શ્રી ચંદ્રપ્રભજી શ્રી આદિનાથજી
૪ શ્રી કુંથુનાથજી શ્રી શાંતિનાથજી
૬ શ્રી આદિનાથજીની દેરી શ્રી પાર્શ્વનાથજીની દેરી
ચ્યવનકલ્યાણક દેરી (નીચે) ચ્યવનકલ્યાણક દેરી (ઉપર) ૧૦ જન્મકલ્યાણક દેરી (નીચે) જન્મકલ્યાણક દેરી (ઉપર) ૧૨ દીક્ષાકલ્યાણક દેરી (નીચે) દીક્ષાકલ્યાણક દેરી (ઉપર) ૧૪ શ્રી જિતકુશલસૂરિજીની દેરી (નીચે) દાદગુરુદેવનાં પાંચ પગલાં (ઉપર). ૧૬ કેવળજ્ઞાનકલ્યાણક દેરી સમવસરણ) મુખ્ય પ્રવેશદ્વાર
૧૮ દાદાગુરુદેવની દેરી (મંદિરતી બહાર)
૧૩
૧૫
૧૭
Page #69
--------------------------------------------------------------------------
________________
श्रीश्रेयांस नायभगवान
૧. મુખ્ય જિનાલયમાં મૂળનાયકની વેદિકા મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ પ્રભુની શ્વેતવર્ણ, પદ્માસનસ્થ ૩૦ સે.મી.ની પ્રાચીન પ્રતિમાને ....નમો જિણાણ. મૂળનાયકની ડાબી બાજુ ૨. શ્રી ચંદ્રપ્રભજી, નીચે ૩. શ્રી આદિનાથજી પ્રભુ તથા જમણી બાજુ ૪. શ્રી કુંથુનાથજી પ્રભુ, નીચે પ. શ્રી શાંતિનાથજી પ્રભુની પ્રતિમા બિરાજમાન છે. . નમો જિહાણ.
ન કરી
A
B
श्री श्रीमतीकेवारी बन्दगांधीएचयूनिवारा ज्येष्ठमाताकोफतेहचन्द गोधी बीतिसादरसम्मपितासे २०४
૭. શ્રી પાર્શ્વનાથજીની વેદિકા
બાજુની આ જમણી વેદીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. તેમની ડાબે શ્રી શાંતિનાથજી તથા જમણે શ્રી મહાવીરસ્વામી બિરાજે છે. 2. તમો જિણાણ. મૂળનાયકની ડાબી બાજુની વેદીમાં શ્રી આદિનાથજી બિરાજમાન છે.... તમો જિણાણું.
૬. શ્રી આદિનાથજીની દેરી
Page #70
--------------------------------------------------------------------------
________________
ચાલો, શ્રી શ્રેયાંસનાથ પ્રભુની સ્તવના કરીએ.
સ્તુતિ સિંહપુરીમાં ચ્યવન જવુ, દીક્ષા વળી કેવળ વર્યા, હરીને બધાને કર્મઘાતી, ભવિક ઉદ્ધારો કર્યા; પુણ્યોદયે પાતિક હસું, પાવન કરું દર્શન કર્યું, રીક્યો પ્રભુ શ્રેયાંસ મુજ પર, તુજ થકી દિલડું ઠર્યું.
ચૈત્યવંદના શ્રેય અંશ સુખ સાગર, ઘો ઘો હે ભગવાન, હે શ્રેયાંસ જિનેશ્વરા, એક જ છે અરમાન. - ૧ શ્રેય અંશ પામી કરી, ટાળી વિષય કષાય, અંતર આત્મદેશા વરું, એવું ચરણ સુખદાય. - ૨ પ્રેમચરણ પદકજ વિષે, રમતો ભુવન ભાણ, પામું ધર્મ પસાયથી, જગવલ્લભ નિર્વાણ. - ૩
સ્તવન (રાણ : મૈત્રીભાવનું) શ્રી શ્રેયાંસ કૃપા કરો, તું જગબંધવન તાત રે, અલખનિરંજન તું જયો, તું જગમાંહે વિખ્યાત રે... ૧ / ધન્ય ધન્ય નરભવ તેહનો રે, જેણે તુજ દરિશણ પાયો રે, માનું ચિંતામણિ સુર તરુ, તસ ઘર ચાલી આયો રે... ૨ ધન્ય તે ગામનગર સિંહપુરી, જસ ઘરે તું પ્રભુ આયો રે,
ભક્તિ કરી પડિલાથીયો, તેણે બહુ સુકૃત કમાયો રે... ૩ જિહાં જિહાં ઈન પ્રભુ તું ગયો, તિહાં બહુ પાપ પલાયો રે, તુજ મૂરતિ નિરખી ભલી, જેણે તું દિલમાં ધાર્યો રે... ૪ હવે પ્રભુ મુજને આપીએ, તુજ ચરણે નિવાસો રે, રિદ્ધિ અનંતી આપીએ, કીર્તિ અનંતી આવાસો રે... ૫
શ્રી શ્રેયાંસ અહંકર પામી, ઈચ્છે અવર કુણ દેવા જી, કનક તરુ સેવે કુણ પ્રભુને, ઠંડી સુરતરુ સેવા છે, પૂર્વાપરે અવિરોધી સ્યાસ્પદ, વાણી સુધારસ વેલી જી,
- માનવી મણુએસર સુપાયે, વીર હૃદયમાં ફેલી જી. શિખરબંધી મંદિરમાં પ્રવેશતાં જ ચાર ખૂણે ચાર દેરી આવેલી છે, જેમાં ત્રણ કલ્યાણક દેરીમાં પ્રભુનાં ચ્યવન, જન્મ અને દીક્ષા કલ્યાણકના પ્રતીકરૂપે પગલાં અને ચિહનો દર્શનીય છે. ચોથી દેરી શ્રી જિનકુશલચંદ્રસૂરિજીની છે. ચાર દેરીની મધ્યમાં પ્રભુના કેવળજ્ઞાનકલ્યાણની દેરી સમવસરણના આકારે છે, તેમાં પ્રભુની ચાર ચરણપાદુકા છે.
www.ja nella
Page #71
--------------------------------------------------------------------------
________________
સૌપ્રથમ દર્શન કરીએ... તીર્થોદ્ધારક યતિવર્ય શ્રી કુશવાજી મહારાજની દેરીએ; જે મંદિરમાં પ્રવેશતાં ડાબે હાથે છે. કહેવાય છે કે બ્રાહ્મણોના પરિબળને લીધે જૈન મંદિરોની વ્યવસ્થા બરાબર ન હતી. તે સમયે શ્રી કુશવાજી મહારાજે જગ્યા મેળવી જૈનોના મંદિર આદિ બધાનો ૨૦૬ વર્ષ પહેલાં ઉદ્ધાર કરાવ્યો. શ્રી સંઘે ભકિત નિમિત્તે તેમની મૂર્તિ (.૧૪) ચરણ સહિત સ્થાપિત કરી છે. આ દેરીની ઉપરની દેરીમાં સંવત ૧૮૬૦માં સ્થપાયેલાં ગેરુ વર્ણના ગુરુભગવંતોનાં ચરણ (નં. ૧૫) પ્રસ્થાપિત છે. ...મFએણ | વંદામિ.
થસ્યન્તસૂરિજી
જિનદત્તસૂરિજી જિતકુશલસૂરિજી
ife |
જિતલાભસૂરિજી હીરસૂરિજી ૧૪. શ્રી જિતકુશલચંદ્રસૂરિજી (નીચે) ૧૫. ગુરુભગવંતોનાં ચરણ
દાદગુરુદેવની ડેરી (ઉપર) | નેઋત્ય ખૂણામાં આવેલી પ્રભુના ચ્યવનકલ્યાણકની આ દેરીમાં ચ્યવનકલ્યાણકના પ્રતીક સમી કંડારેલા ફલની આકૃતિ તથા ગર્ભના પિંડ સમાન એકશિલ્પ છે (નં. ૮). જૈપ્રભુના ગર્ભાવાસનો નિર્દેશ કરે છે અને આજદેરીની ઉપરનીદરીમાં (નં. ૮) શ્રેયાંસનાથપ્રભુનીમાતાવિષ્ણુદેવીને આવેલાં ચૌદ સ્વપ્નની રચનાનું આરસમાં કંડારેલુંશિલ્પછે.
૮. ચ્યવનકલ્યાણકની દેરી (નીચે) ૯. ચ્યવનકલ્યાણકની દેરી (ઉપર) પ્રભુતા ચ્યવતકલ્યાણકને યાદ કરી સાથે બોલીએ... ૐ હ્રીં શ્રી શ્રેયાંસનાથ પરમેષ્ઠીતે તમો
Jain Education
For
Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
આગળ વધીએ એટલે વાયવ્ય ખૂણામાં જન્મકલ્યાણકની દેરીમાં પ્રભુનાં પગલાં અને મેરુની રચના (નં. ૧૦) સ્મૃતિરૂપે છે. આ મેરુપર્વતનો આકાર ધરાવતાં શિલ્પમાં ઈન્દ્રાદિકનું આવાગમન અને પ્રભુને હવણ આદિનું દેશ્ય આલેખેલ છે. તેની ઉપરની દેરીમાં જન્મકલ્યાણકનાં પગલાં છે. (નં. ૧૧)
કાકીની
૧૧. જન્મકલ્યાણકનાં પગલાં (ઉપર)
૧૦. જન્મકલ્યાણકની દેરી (નીચે) પ્રભુના જન્મકલ્યાણકને યાદ કરી, ચાલો સૌ સાથે બોલીએ...
| ૐ હ્રીં શ્રી શ્રેયાંસનાથ અર્હતે નમઃ | આ છે ઈશાન ખૂણામાં આવેલી દીક્ષાકલ્યાણકની દેરી; જેમાં, નીચેની દેરીમાં પ્રભુનાં પગલાં છે. (નં. ૧૨)
यसनाथानावरवारका
દૂર , રીટાલાણ, ૨ /
ર
૧૨. દીક્ષાકલ્યાણકની દેરી (નીચે)
અને ઉપરની દેરીમાં દીક્ષાકલ્યાણકનો પટ છે (નં. ૧૩) જેમાં પ્રભુજી અશોકવૃક્ષ નીચે લોચ કરીને દીક્ષા લઈ રહ્યા હોય તેવું આરસમાં કંડારેલું શિલ્પ છે. આવા સ્મૃતિપટને જોઈ હૈયું ગદ્ગદિત થઈ જાય છે. આવો, પ્રભુના દીક્ષાકલ્યાણકને યાદ કરી સૌ સાથે બોલીએ....
|| ૐ હ્રીં શ્રી શ્રેયાંસનાથાય નમઃ E ucalori Ini
હિરાને સારી રીતે
જારી રીમાણીકા
શિયર કેજી રીતે કરી શકે
દોણ? e pagaweeeply 4 છાત હણgs:ણJesbiews
૧૩. દીક્ષા કલ્યાણકની દેરી (ઉપર)
Per
www.jane braty.
Page #73
--------------------------------------------------------------------------
________________
હવે દર્શન કરીશું.... પ્રભુતા ચોથા કેવળજ્ઞાનકલ્યાણકની દેરીએ. સમવસરણના આકારની આ કેવળજ્ઞાનકલ્યાણક દેરીમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુજીનાં ચતુર્મુખ પગલાં અષ્ટકોણીય આરસમાં કંડારેલ છે. પ્રભુના કેવળજ્ઞાનનેયાદ કરીને, સૌ જાપ કરીશું....
. ઉંૐ હી શ્રી શ્રેયાંસનાથ સર્વાય નમઃ
=====
સમવસરણ દેરીમાં ચતુર્મુખ પગલાં
Page #74
--------------------------------------------------------------------------
________________
મુખ્ય મંદિરમાં દર્શન કરીને બહાર નીકળીએ એટલે સામે આ રંગીન કલાત્મક
વેદિકામાં (નં. ૧૮) શ્રી દાદાગુરુદેવનાં શ્વેતવર્ણા પાંચ જોડી પગલાં પ્રતિષ્ઠિત છે. | ...
મ ણ વંદામિ.
- ૧૮. શ્રી દાદાગુરુદેવનાં ૭િ૦ પાચ પગલા
- ૧૮. શ્રી દાદાગરદેવની દેરી
Page #75
--------------------------------------------------------------------------
________________
અગ્નિ ખૂણામાં ઉપરના ભાગમાં નાનું મંદિર છે, જેમાં અધિષ્ઠાયક દેવની શ્યામવર્ણી પ્રાચીન શ્રી ભૈરવજીની મૂર્તિનું શિલ્પ અત્યંત સુંદર અને દર્શનીય છે.... પ્રણામ.
માર્ગદર્શન : સિંહપુરીની નજીકનું રેલવે સ્ટેશન બનારસ છાવણી ૮ કિ.મી. દૂર આવેલું છે. અહીં સંપૂર્ણ સગવડ સાથેની ૧૬ રૂમની ધર્મશાળાની વ્યવસ્થા છે. સંઘ લઈને આવનાર માટે મોટો હૉલ તથા રસોડું છે. ભાતાની સગવડ છે. અહીં હોમિયોપથિક ઔષધાલયમાં સવારે ૯ થી ૧૧માં નિઃશુલ્ક દવા આપવામાં આવે છે. અહીંની ગુલાબની વાડીનાં ફૂલો આખા મંદિરમાં પહોચાડવામાં આવે છે.
શ્રી ભૈરવજીની મૂર્તિ (પ્રાચીન) તીર્થપેઢી : શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર પંચાયતી બડામંદિર ગામ: હિરાયણપુર (હીરાવનપુર), પોસ્ટ : સારનાથ - ૨૨૧૦૦૭ જિલ્લો : વારાણસી, રાજ્ય - ઉત્તરપ્રદેશ ફોન : ૦૫૪૨-૨૫૯૫૧ ૨૯ મુખ્ય કાર્યાલય : ૦૫૪૨-૨૪૦૧૩૪૬ (રામઘાટ).
મો. ૦૯૩૩૫૭૭૧૩૪ર (શ્રી અશોક ગાંધી)
F
7f/Pr
Page #76
--------------------------------------------------------------------------
________________
[૭૨]
એક જોવાલાયક સ્થળ
સારનાથ
Page #77
--------------------------------------------------------------------------
________________
0 li. Qી
બુદ્ધદેવ (મૂળગંધકૃટિવિહાર). સિંહપુરી તીર્થથી આપણે ચંદ્રપુરી જવાનું છે, પણ રસ્તામાં વિશ્વવિખ્યાત ઐતિહાસિક સ્થળ ‘સારનાથ’ની મુલાકાત લઈશું. સાતમી શતાબ્દીના ચીની યાત્રી હ્યુએનસાંગે અહીં ૩૦ બૌદ્ધવિહાર જોયા હતા, જેમાં ૧૫00 અનુયાયી રહેતા હતા. આ ઉપરાંત ૧૦૦ હિંદુ મંદિરો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સિંહપુરીથી સારનાથ ૧ કિ.મી.ના અંતરે છે. અહીં ‘મૂળગંધકુટિવિહાર’ નામના મંદિરમાં સોનેરી રંગની બુદ્ધદેવની દેશના આપતી અત્યંત ભાવવાહી મૂર્તિ છે.
પૂર્વે આ સ્થાન ધર્મેક્ષા’ નગરનાં નામે ઓળખાતું; જે કાશીથી ત્રણ કોશ દૂર ગણાતું. સમ્રાટ સંમતિએ સારનાથમાં એક ચૈત્ય તથા સ્તૂપનું નિર્માણ કર્યું હતું... સ્તૂપના અગ્રભાગે ચતુર્મુખ સિંહના મસ્તકારૂઢ ધર્મચક્રની સ્થાપના કરી હતી. નિર્માણ કરેલું ચૈત્ય પ્રાયઃ ૧૬મી શતાબ્દી સુધી શ્વેતાંબરોના અધિકારમાં હતું... ત્યાર બાદ ધીરે ધીરે દિગંબરોએ એના પર અધિકાર જમાવ્યો. આજે પણ સારનાથમાં સ્તૂપની બાજુમાં આવેલ એ દિગંબર મંદિરમાં શ્વેતાંબર મૂર્તિ મૂળનાયકની એક બાજુએ વિદ્યમાન છે... તથા કાળક્રમે ધૂળથી આચ્છાદિત સ્તૂપનું થોડાં વર્ષ પહેલાં ઉખનન કરતાં તેમાંથી ચાર સિંહની આકૃતિ મળી આવી, પણ તેના મસ્તકે સ્થાપના કરેલું ધર્મચક્ર અખંડ ન મળ્યું. નાના નાના તેના ત્રણ ભાગ મળ્યા, જે સૂપની સામે તૈયાર થયેલા નવા મ્યુઝિયમમાં ચતુર્મુખ સિંહની સાથે જ મૂકવામાં આવ્યા છે... સ્તૂપના
Page #78
--------------------------------------------------------------------------
________________
ઉખનન સમયે આ ધર્મચક્ર સાથે મળેલા શિલાલેખમાં ધર્મચક્રી તથા જિન શબ્દ અંકિત છે, તેનાથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે સ્તૂપ પર નિર્માણ પામેલું સિંયુક્ત ધર્મચક્ર અને તેના નિર્માણકાર જૈન હતા. એક મતાનુસાર તેના નિર્માણકાર સમ્રાટ અશોક હોવાથી તેને અશોકચક્ર તરીકે માનવામાં આવે છે, પણ વાસ્તવમાં ભારતના ચલણી વ્યવહારમાં જે અશોકચક્ર તરીકે ઓળખાય છે તે અશોકચક્ર નથી; પણ જયવંતા જિનશાસનનું અતિશાયી અપરાજિત ધર્મચક્ર છે.
ધર્મનસૂપ
આગળ જતાં અહીં જોવા મળે છે ૨૨૦૦ વર્ષ જૂનો, ૩૦૦ ફૂટ પહોળો અને ૯૦ ફૂટ ઊંચો પ્રાચીન કલાત્મક અષ્ટકોણીય સ્તૂપ; જે ધર્મેખતૂપ’ તરીકે ઓળખાય છે. તેનો ઉલ્લેખ શ્રી જિનપ્રભસૂરિએ ધર્માક્ષાસંનિવેશ’ નામે બોધિસ્તૂપ તરીકે કર્યો છે.
08ducation International
For Private & Personal use only
Page #79
--------------------------------------------------------------------------
________________
કેટલાક વિદ્વાનોના મતે સારનાથ ખોદકામમાંથી જે લેખ પ્રાપ્ત થયો છે તેમાં “ધર્મચક્રી’ શબ્દ વંચાય છે, તે | જૈન ધર્મ સંબંધે સૂચન આપે છે. (જૈન તીર્થ સર્વસંગ્રહ, પાના નં. ૪૩૭) તે અનુસાર, “બૌદ્ધ સાહિત્યમાં ધર્મચક્રી વિશે કોઈ ઉલ્લેખ નથી, છતાં કેટલાક વિદ્વાનો આને બુદ્ધ તથાગત સમજે છે. વસ્તુતઃ ધર્માશોક એ સંપતિનું બીજું નામ છે. આમાં ધર્માશોકે બનાવેલા ધર્મનાથ ધર્મચક્રી તીર્થકરના વિહારનું સ્પષ્ટ વર્ણન છે. આ માહિતીમાંથી ફલિત થાય છે કે સારનાથ (સિંહપુરી)ના મૃગદાવ ઉદ્યાનની પ્રાચીનતા જે નિર્ધારિત કરવામાં આવી છે તેના કરતાં આગળ જઈ શકે એ હકીકત જૈનોના સાહિત્યિક ઉલ્લેખો સાથે બંધબેસતી છે, પરંતુ બૌદ્ધધર્મીઓએ લુપ્ત થયેલા ધર્મ માટે જે ધગશ બતાવી છે તેવી ધગશ ભારતના જૈનોએ બતાવી નથી. પરિણામે આજે સિંહપુરીનું જૈન મંદિર વિખૂટું પડી ગયું હોય તેવું લાગ્યા કરે છે.” જૈન ધર્મચક્ર, તીર્થકરો અને તેના સમવસરણનું આવશ્યક અંગ છે, જેના પર અંકિત થયેલો “વાનાં પ્રિય:'' શબ્દ પ્રભુ શ્રેયાંસનાથની કલ્યાણકભૂમિનો નિર્દેશ કરે છે.
૭૫
For Private & Persona Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૬ Jain Bu
શ્રી ચંદ્રપુરી તીર્થ
આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીત પ્રથમ ચાર કલ્યાણકતી તીર્થભૂમિ
ચ્યવત, જન્મ, દીક્ષા અને કેવળ, ચાર કલ્યાણકતી પાવત ભૂમિ I શ્રી ચંદ્રપુરી તીર્થને વર્દુ, ધ્યાવું શ્રી ચંદ્રપ્રભજી જિતરાજ
Page #81
--------------------------------------------------------------------------
________________
"
17
દા.
મા માજી
ચંદ્રપુરી મંડળ શ્રી ચંદ્રપ્રભસ્વામી
www.lantelbran
Page #82
--------------------------------------------------------------------------
________________
ગાજીપુરના રસ્તે જ વારાણસી સ્ટેશનથી ૨૩ કિ.મી. દૂર અને નજીકના કાદીપુર રેલવે સ્ટેશનથી ૫ કિ.મી. દૂર આ ચંદ્રપુરી તીર્થ આવેલું છે. આ ગામને ચંદ્રાવતી કે ચંદ્રૌટી નામે પણ ઓળખે છે. આ મંદિરની નજીકમાં જ ચરણપાદુકાની દેરી હતી, પરંતુ ગંગાનાં પૂર આવવાથી ધ્વસ્ત બની અને મંદિર ખંડિયેર જેવું બની ગયું. પૂર્વે આ મંદિર એક ટીલા પર હતું. આ મંદિરવાળા ટેકરાને ‘રાજાનો ટીલો’ કહીને લોકો ઓળખે છે.
જ્યાં ચંદ્રપ્રભસ્વામીનાં પ્રથમ ચાર કલ્યાણક થયાં છે તેવી આ તીર્થભૂમિ ચંદ્રપુરી અને ચંદ્રપ્રભસ્વામી ભગવાનના જીવન વિષે થોડું જાણીએ. ભરતક્ષેત્રમાં રત્નસંચયા નામે એક નગરી હતી. તેમાં પદ્મ રાજા રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હતું. રાજા ખૂબ જ્ઞાની અને ધર્મપરાયણ હતા. સંસારનાં કર્મોનો નાશ કરવા પદ્મરાજાએ યુગંધર ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. પદ્મમુનિરાજે ઘણા સમય સુધી ચારિત્ર પાળ્યું. વિવિધ અભિગ્રહો ધારણ કર્યા અને ધર્મઆરાધના વડે તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. ત્યાર બાદ પોતાના આયુષ્યને ખપાવીને વૈજયંત વિમાનમાં તેઓ દેવ તરીકે ઉત્પન્ન થયા.
બીજી બાજુ ચંદ્રાનન નામની નગરીમાં મહાસેન નામના રાજા રાજ્ય કરતા હતા, જેઓ પરાક્રમી, ન્યાયી અને ધર્માનુરાગી હતા. રાજા મહાસેનની રાણીનું નામ લક્ષ્મણા હતું. તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને વૈજયંત વિમાનમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કરી ચૈત્ર વદ બારસને દિવસે લક્ષ્મણા રાણીની કુક્ષિમાંથી ચંદ્રના ચિહ્નવાળા ચંદ્રવર્ણા પુત્ર તરીકે જન્મ લીધો. છપ્પન દિકુમારિકાઓએ આવીને પ્રભુનો જન્મોત્સવ ઊજવ્યો. ઇન્દ્ર અને દેવતાઓએ આવીને પ્રભુની વંદના કરી અને પ્રભુને મેરુ શિખર ઉપર લઈ જઈ અભિષેક કર્યો. મહાસેન રાજાએ પુત્રનો જન્મોત્સવ ભવ્ય રીતે ઊજવ્યો અને ખૂબ દાન કર્યું. પ્રભુ જ્યારે કુક્ષિમાં હતા ત્યારે રાણીને ચંદ્રપાન કરવાની ઇચ્છા થઇ હતી, જે પ્રધાને બુદ્ધિ વડે પૂર્ણ કરી. ગર્ભનો આવો પ્રભાવ જાણી ચંદ્રપ્રભ નામ રાખવામાં આવ્યું. દોઢસો ધનુષ ઊંચા શરીરવાળા ચંદ્રપ્રભસ્વામીએ યૌવનમાં પ્રવેશ કર્યો. માતા-પિતાના આગ્રહથી તેમણે સુંદર રાજકન્યાઓ સાથે લગ્ન કર્યાં. ચંદ્રપ્રભકુમારે ચોવીશ પૂર્વ યુક્ત સાડા છ લાખ પૂર્વ સુધી રાજ્યનો કારભાર સંભાળ્યો. સંસારની મોહમાયામાંથી મુક્ત થવા ચંદ્રપ્રભકુમાર દીક્ષા લેવા માટે ઉત્સુક બન્યા અને એક વર્ષ સુધી નગરજનોને દાન આપી પોષ વદ તેરસના દિવસે છઠ્ઠનું તપ કરીને હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કરતાં જ તેમને મનઃપર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું.
ચંદ્રપ્રભસ્વામીએ છદ્મસ્થપણે ત્રણ માસ સુધી વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં ચંદ્રપ્રભસ્વામી સહસ્રામ્રવનમાં આવ્યા. ફાગણ વદ સાતમે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ચંદ્રપ્રભસ્વામીએ પોતાની અંતિમદેશનામાં નગરજનોને સંસારનું સ્વરૂપ સમજાવ્યું. ચંદ્રપ્રભસ્વામીને દત્ત નામના ગણધર સહિત ૯૩ ગણધરો હતા. તેમને વિજય નામે દેવ (યક્ષ) અને ભૂકુટી નામે દેવી (યક્ષિણી) હતાં. ચોવીશ પૂર્વ ત્રણ માસ વર્જિત એક લાખ પૂર્વ વિહાર કરીને ચંદ્રપ્રભસ્વામી સમેતશિખર આવ્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે પ્રભુએ એક માસ સુધી અનશન વ્રત ગ્રહણ કર્યું. ભાદરવા વદ સાતમને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં
[૭૮]
Page #83
--------------------------------------------------------------------------
________________
આવતાં કુલ દસ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી (શ્રી સુપાર્થસ્વામીના નિર્વાણ પછી નવસો કોટી સાગરોપમ વીત્યા ત્યારે) શ્રી ચંદ્રપ્રભસ્વામી ૧OOO મુનિવર સહિત સમેતશિખરજી તીર્થે મોક્ષપદ
પામ્યા.
૧ શ્રી મૂળનાયકની વેદિકા ૨ શ્રી ચંદ્રપ્રભજીના ચરણ
3 શ્રી પાર્શ્વનાથ પ્રભુની દેરી [] ૪ શ્રી યક્ષદેવ (વિજય)
૫ શ્રી યક્ષિણી દેવી (ભૃકુટી) ૬ મુખ્ય પ્રવેશદ્વાર
૭ ઉત્તર-દક્ષિણ દ્વાર જિનાલયની સ્થાપત્યરથી સંવત ૧૮૬૦માં શ્રી સંઘે આ શિખરબંધી મંદિર બંધાવેલું છે. ગંગાકિનારેથી માત્ર ૬૦ ફૂટની ઊંચાઈએ આવેલા આ ૨00 વર્ષ જૂના જિનાલયમાં પ્રવેશતાં જ આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની ચરણ સહિતની અત્યંત ભાવવાહી પ્રતિમાનાં દર્શન થાય છે. મૂળનાયક ચંદ્રપ્રભજી ૪૫ સે.મી.ના છે. તેમની ડાબે શ્રી શાંતિનાથજી તથા જમણે શ્રી મહાવીરસ્વામી બિરાજમાન છે....નમો જિણાણ.
મૂળનાયકની દેરીની પાછળના ભાગે ડાબે અને જમણે બે ગોખલામાં અનુક્રમે શ્રી ચંદ્રપ્રભજીના યક્ષદેવ | ‘વિજય’ તથા યક્ષિણી દેવી ‘ભ્રકુટી’ બિરાજમાન છે.... પ્રણામ. મૂળનાયકની વેદિકાની પાછળ એક નાની ભીંતદેરીમાં પ્રભુ પાર્શ્વનાથજી બિરાજે છે.... નમો જિણાણ.
આ પાવન ભૂમિની કથા એમ જાણવામાં આવી છે કે પૂર્વે બારમી શતાબ્દીમાં અહીં ચંદ્રાવતી નગરમાં ચંદ્રમાધવ નામનું પ્રસિદ્ધ મંદિર હતું. ચંદ્રાવતી અને ચંદ્રપુરીમાં નામની સામ્યતા તો છે જ અને ૧૪મી | સદીમાં ‘કલ્પપ્રદીપ’ના આધારે આ ચંદ્રપ્રભજીનું જિનાલય નિર્માણ પામ્યું હશે તેમ માનવામાં આવે છે. વિ.સં. ૧૮૧૨માં નિર્માણ થયેલ વર્તમાન જિનાલયમાં બહાર જ્યાંથી શ્રી ચંદ્રપ્રભજીની મૂર્તિ પ્રાપ્ત થઈ હતી, તેનો શિલાલેખ મંદિરમાં પ્રવેશતાં જમણી બાજુ પગથિયાં પાસે નીચે જોવા મળે છે. મંદિરના ત્રણેય દરવાજામાંથી બહાર નજર કરતાં
શિલાલેખ ગંગાઘાટનાં દર્શન થાય છે. અહીં આવનારને ભલે ના
: ભૌતિક સુખસગવડ ઓછાં પડે પણ અહીં આવ્યા બાદ કરી કલ્યાણકભૂમિના શાંત વાતાવરણમાં પોતાનાં બાહ્ય દુ:ખોને ભૂલી સહુ કોઈ પ્રભુભક્તિમાં લીન બની જાય છે અને આત્માનંદનો દિવ્ય અનુભવ કરે છે.
-
' ' , ,
૧૯બ ટ
** "Mere R. ના
Eindication lernati
www.jainelibrary. 95
Page #84
--------------------------------------------------------------------------
________________
40Education International
મૂળતાયક શ્રી સહિત)
Page #85
--------------------------------------------------------------------------
________________
ચાલો, તો સૌ સાથે મળી શ્રી ચંદ્રપ્રભજીતી સ્તવતા કરીએ.
સ્તુતિ
હે ચંદ્રપ્રભજિન ચંદ્રપુરીના રાજીઆ જગ ગાજતાં, અષ્ટમશશીની પીડહારક મુજ હૃદય ભીડ ભાંજતા; ચ્યવન પ્રમુખ કલ્યાણકો તુજ ચાર પ્યારે સેવતાં, ચારે ગતિ હરનાર વંદું, સ્વામી વંદિત દેવતાં. ચૈત્યવંદત
અષ્ટ કરમને કાપવા, અષ્ટમજિન સુખદાય, અષ્ટમગતિને પામવા, નિત્ય નમું મહારાય. ચંદ્રપ્રભ તુજ ચિત્તથી, સેવું ચરણ ઉદાર, અષ્ટ મહાસિદ્ધિ તણો, તુંહી જ છે દાતાર. ઘી ગુણ અષ્ટને ધારતો, પ્રેમે ભુવન ભાણ, શશી લંછન જિન આપજો, જગવલ્લભ ગુણઠાણ.
સ્તવત (રાગ : અમે મૈયારા રે ગોકુળ ગામતા)
ચાર કલ્યાણકો રે - ગાઉં હું આપનાં, હે સ્વામી, ચંદ્રપ્રભ ચિત્તધાર કલ્યાણકો રે ....ગાઉં... ઊંચા સુરલોકથી ચ્યવન નિપાવતા, ચૈત્ર વદિ પંચમીએ માતૃ કૂખે આવતા, હાં રે .... થાવે હર્ષિત લક્ષ્મણા અપાર, કલ્યાણકો રે ..... ૧ પોષ વદિ દ્વાદશીએ જન્મ્યા જિનરાજજી, વરતા આનંદ સુરરાજ તુજને ભજી, હે ... નવિ મોહને માયા લગાર, કલ્યાણકો રે . ભોગને રોગ ગણી ટાળ્યા ભોગાવલી, વાર્ષિક દાને જગ દારિદ્રને હણી,
હે ......... કીધો સંયમ સામ્રાજ્યનો સ્વીકાર, કલ્યાણકો રે ... ૩ પોષ વિદ તેરસીએ દીક્ષા તુમારડી, ખંધે દેવદૃષ્ય ઠવે ઇંદ્ર પાયે પડી,
હે ... ઘનઘાતિને કરતા ચકચૂર, કલ્યાણકો રે............... ફાલ્ગુન વદિ સાતમીએ, વરતા વીતરાગતા, પામી કેવળજ્ઞાન શાસનને સ્થાપતા, હે ......... કીધા બહુલા ભવિક ઉપકાર, કલ્યાણકો રે પ્રેમે અષ્ટમજિન અષ્ટકર્મ કાપવા, આયો હું આજ ચરણોમાં ચિત્ત સ્થાપવા, હે ... ભુવનભાનુ જિણંદ અઘહાર, કલ્યાણકો રે છે’રિ પાળીને કીધી યાત્રા મેં આપની, ધર્મે રસાળ જિતકારી હિત આંજલી, હે ..... જગવલ્લભ સંપદ પગથાર, કલ્યાણકો રે
****
johall
થોય
ચંદ્રપ્રભ મુખ ચંદ્રમા, સખી જોવા જઈએ, દ્રવ્યભાવ પ્રભુ દરિસણે, નિર્મલતા લઈએ; વાણી સુધારસ વેલડી, સુણીએ ત ́વ, ભજે ભદંત ભૃકુટિકા, વીરવિજય તે દેવ.
૨
.૫
૭
૬
*
[૧
Page #86
--------------------------------------------------------------------------
________________
ૐ હ્રી શ્રી ચંદ્રપ્રભ પરમેષ્ઠીને તમઃ ૐ હ્રી શ્રી ચંદ્રપ્રભ અર્હતે તમઃ ૐ હ્રી શ્રી ચંદ્રપ્રભતાથાય નમઃ ૐ હ્રી` શ્રી ચંદ્રપ્રભ સર્વજ્ઞાય નમઃ
G
૮૨
ram Eduros internetu
राकेन
Y
શ્રી શાંતિનાથજી
00
શ્રી ચંદ્રપ્રભજી શ્રી મહાવીરસ્વામીજી
shade
શ્રી ચંદ્રપ્રભજીનાં પગલી (મૂળનાયકની આગળ)
yorg
Page #87
--------------------------------------------------------------------------
________________
श्रीज
वाराणसी
શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની દેરી ને 4.
તીર્થપેઢી શ્રી જૈન શ્વેતામ્બર તીર્થ સોસાયટી |
(ચંદ્રપુરી તીર્થ) પોસ્ટ : ચંદ્રાવતી - ૨૨૧ ૧૦૪
જિલ્લો : વારાણસી
રાજ્ય : ઉત્તરપ્રદેશ શ્રી યાદેવ વિજય? ફોનઃ ૦૫૪૨ - ૨૬૧૫૩૧૬ શ્રી યક્ષિણીદેવી ભકુટી
| માર્ગદર્શન અહીં બસ અથવા ગાડી ગાજીપુરના મુખ્યમાર્ગ પર ઊભી રહે છે, ત્યાંથી ૧ કિ.મી. ચાલીને આ તીર્થે જવાય છે. સેવા-પૂજાનો સામાન લઈને જ ઊતરવું હિતાવહ છે. અહીં ધર્મશાળા છે પણ વધુ સગવડતા માટે વારાણસી રોકાણ કરીને દર્શન કરવા આવવું હિતાવહ છે. અત્રે એક વાત નોંધનીય છે કે ગંગા નદીનાં પૂરા
જ્યારે ખૂબ ચઢે છે ત્યારે મંદિરના કાંઠા તથા દીવાલને ખૂબ નુકસાન પહોંચાડે છે. આથી એક એવો નિર્ણય લેવાવો જોઈએ કે જેથી આ કલ્યાણક તીર્થ સુરક્ષિત રહે અને તેની પ્રાચીનતા જળવાઈ શકે. આ મંદિરના | મુખ્ય પ્રવેશદ્વારની બહાર એકદિગંબર મંદિર પણ આવેલું છે, જ્યાં શ્રી ચંદ્રપ્રભસ્વામી બિરાજમાન છે.
dal Education International
૮િ૩).
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્વેતાંબર પંચાયતી બડામદિર (वाराणसी पंयतीर्थातुं पंयम सोपान)
पार्श्वनाथ की महिमा देखें,
पंचायती बडामंदिर आय। सुन्दर मूरत चिंतामणि पार्श्व की,
पूजन करना मन में भाय ॥
1८४E
ation International
Privale & Personal Use Only
www.Jain library.org
Page #89
--------------------------------------------------------------------------
________________
DIEO
८५
नमोस्तु पार्श्वनाथाय, विघ्न विच्छेद कारिणे । नागेन्द्र कृत छत्राय सर्वादेयाय ॐ नमः ॥
dain Education
site
Brvorg
Page #90
--------------------------------------------------------------------------
________________
વારાણસી પંચતીર્થીનું અંતિમ સોપાન એટલે વારાણસી સ્ટેશનથી ત્રણ કિ.મી.ના અંતરે આવેલું, શ્વેતાંબર પંચાયતી બડામંદિર. સં. ૧૮૫૦માં યતિ શ્રી કુશલાજીએ આ શિખરબંધી મંદિર બંધાવેલું. આ મંદિર રામઘાટના કિનારે મહેતા હોસ્પિટલ પાસે આવેલું છે. ત્રણ માળના રંગીન કલાત્મક રંગકામવાળા આ મંદિરમાં ૫૮ પાષાણની, ૬ ધાતુની, ૩ ચોવીસી, ૨૦ વિહરમાન તથા પટમાં પ્રતિષ્ઠિત જિનબિંબો એમ અનેક મૂર્તિઓ દર્શનીય છે. બનારસમાં આ એક જ એવું મંદિર છે જ્યાં વધારેમાં વધારે જિનબિંબો પ્રતિષ્ઠિત છે ; જેને આજે આપણે જુહારવાનાં છે.
વચલા માળે ચાંદીએ મઢેલવેદિકા નીચે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે...નમો જિણાણ. મૂળનાયકની ડાબે શ્રી ચંદ્રપ્રભુ ભગવાન; જમણી બાજુ શ્રી મહાવીરસ્વામી તથા આગળની હરોળમાં ડાબી બાજુથી અનુક્રમે (૧) શ્રી નેમિનાથજી (૨) શ્રી સુપાર્શ્વનાથજી (૩) શ્રી મહાવીરસ્વામી (૪) શ્રી શાંતિનાથજી (૫) શ્રી આદિનાથજી પ્રભુને .....નમો જિહાણ, બહાર રંગમંડપમાં ડાબી બાજુ શ્રી પાર્શ્વયક્ષ તથા જમણી બાજુ ભંડારની ઉપર શ્રી ભૈરવજી બિરાજમાન છે.....પ્રણામ.
/
in
Bihkar ગાઈ
भीमरावीर स्वामी
ગભારામ મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સહિત જિનબિંબો
મૂળનાયકની પ્રતિમાની દીવાલની પાછળની દીવાલ પર અત્યંત પ્રાચીને, હાથથી બનાવેલાં, વેજિટેબલ રંગપૂરણીથી કરેલા ભીંતચિત્રો છે; જે આશરે ૩૦૦ વર્ષ પહેલાંનું કામ છે, જેમાં પ્રભુ પાર્શ્વનાથના જીવનપ્રસંગોનાં દર્શન થાય છે.
Calonnier
Pale Personal
Page #91
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદના જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી; અષ્ટકમ્ રિપુ જીતીને, પંચમી ગતિ પામી. પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીયે; પ્રભુ નામે ભવભયતણાં, પાતક સબ દહીયે.
ૐ હ્રીં વર્ણ જોડી કરી, જપીએ પારસનામ; વિષ અમૃત થઈ પરિણમે, લહીયે અવિચળ ઠામ. તવન (રાગ : પ્રભજી શું બાંધી પ્રીતડી... આધારિત). શ્રી ચિંતામણિ પાસજી, દાદાવાત સુણો એકમારીરે,
માહરા મનના મનોરથ પૂરજો, હું તો ભક્તિ ન છોડું તોરી રે..૧ માહરી ખિજમતમાં ખામી નહિ, તાહરે ખોટ ન કાંઈ ખજાને રે,
' હવે દેવાની શી ઢીલ છે? શું કહેવું તે કહીએ થાને રે..૨ તે નિરુણ સવિપૃથ્વી કરી, ધનવરસી વરસીદાને રે,
માહરી વેળા શું એહવા, દીઓ વાંછિત વાળો વાને રે..૩ હું તો કેડ ના છોડું તાહરી, લીધા વિણ શિવસુખ સ્વામી રે,
મૂરખ તે ઓછે માનશે, ચિંતામણિ કરયલ પામી રે..૪ મત કહેશ્યો તુજ કર્મે નથી, કર્મે છે તો તું પામ્યો રે,
મુજ સરીખા કીધા મોટકા, કહો તેણે કાંઈ તુજ થામ્યો રે.૫ કાલસ્વભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસ રે,
| મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબલ વિશ્વાસો રે..૬ અમે ભક્ત મુક્તિને ખેંચશું, જિમ લોહને ચમક પાષાણો રે,
વળી અધિકું કાંઈ કહાવશો, એ ભદ્રક ભક્તિ તે જાણો રે..૭ બાળક તે જિમતિમ બોલતો, કરે લાડ તાતને આગેરે,
- તે તેહશું વાંછિત પૂરવે, બની આવે સઘળું રાગ રે..૮ મારે બનનારું તે બન્યું જ છે, હું તો લોકને વાત શીખાવું રે, વાચક જસ કહે સાહિબા, એ રીતે તુમ ગુણ ગાવું રે..૯
થોય વારાણસી મંડણ, સોહીએ પા જિણંદ, તેહને તમે પૂજો, નર-નારીના વૃંદ ! એ ગૂઠયો આપે, ધણ-કણ કંચન ક્રોડ,
તે શિવપદ પામે, કર્મતણા ભય છોડ. Jain Eau ornational
-
W
atery pry
Page #92
--------------------------------------------------------------------------
________________
હવે બાજુના ખંડમાં દર્શન કરીએ. કાળા , પાષાણના શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ સાથે અન્ય જિનબિંબો ને પણ જુહારી. ડાબ | શ્રી શાંતિનાથજી તેની નીચે ચાર બિંબ
શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં અને જમણે શ્રી અજિતનાથ પ્રભુ; તેની નીચે ચાર બિંબ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં
છે. નીચેની હરોળમાં મધ્યે શ્રી આદિનાથજી | | | | | | પ્રભુ, શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ પ્રભુની નીચે
બિરાજમાન છે...નમો જિણાણ. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ સહિત જિનબિંબો
અહીં ગૌતમસ્વામીનું એક ભીંતચિત્ર છે. તથા તેની નીચે પાષાણનાં ચરણ પ્રતિષ્ઠિત છે.... 3ૐ નમો ગોયમસ્સ
અહીં ભોંયરામાં પ્રતિષ્ઠિત કરાયેલ 800 વર્ષ જૂની ધરણેન્દ્ર પદ્માવતી સહિત પાર્થપ્રભુની ચમત્કારિક પ્રતિમા છે, જે કમઠ પ્રતિબોધકની સ્મૃતિરૂપ છે. કથા છે કે પાર્શ્વનાથ ભગવાને આ જ સ્થળેથી આગમાંથી તરફડતાં નાગ-નાગણીને બચાવી મરણાંત અવસ્થામાં નવકાર મંત્ર સંભળાવ્યો હતો, જેથી તેઓ આગળના ભવમાં ધરણેન્દ્ર અને પદ્માવતી એમ શાસનદેવ અને દેવી બન્યાં. જેઓ આજે પણ જ . જાત શાસનની પ્રભાવનાનાં
श्रीगोतमस्वामीजी કાર્યોમાં હાજરાહજૂર મનાય છે. આ છે પ્રાચીન કમઠ તાપસનું ભીંતચિત્ર.
શ્રી ગૌતમસ્વામી ચરણ
C
કમઠ તાપસનું ભીંતચિત્ર
atonem
Priv
Page #93
--------------------------------------------------------------------------
________________
તીર્થંકરોનું પાવન દર્શન
અહીં બાજુના એક ઓરડામાં દાદાગુરુ બિરાજમાન છે. જેમાં, વચ્ચે જિનદત્તસૂરિ તથા ડાબી બાજુ જિનચંદસૂરિ, જમણે જિનકુશલસૂરિ, મણિધારી જિનચંદસૂરિનાં બે પગલાં છે....મથએણ વંદામિ .
શ્રી દાદાગુરુદેવની દેરી
Education International
અહીંના શાસ્ત્ર ભંડારમાં ૨૦૦૦ અતિ પ્રાચીન પ્રતો સંગ્રહિત છે. સંવત ૧૮૩૧માં આચાર્ય શ્રી કુશલચંદ્રસૂરિજી જ્યારે કાશી આવ્યા ત્યારે અનેક વિદનો વચ્ચે રહી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. હે ભગવંતો ! આપને કરેલા ભાવભર્યા નમસ્કારોથી અમારા સર્વ ભયો નાશ પામો!
આ છે કાષ્ઠમંદિર - જેમાં અતીત, વર્તમાન અને અનાગત ચોવીસી, ચાર શાશ્વતા જિન, વીસ વિહરમાનજિનપ્રતિમાઓ - એમ કુલ,
૨૪ + ૨૪ + ૨૪ + ૪ + ૨૦ = ૯૬
જિનપ્રતિમાઓ દર્શનીય છે. તમો જિણાણ.
ties
ધન ક
૨ ઈજાન 2. श्री : ઈન
૨૧૧:૦૨નીઓન forgett
तीর্থकर
(T F S
छायनवें:
For Private & Personal Us
AAAA
શ્રી કાષ્ઠ મંદિર
મત સવિત્વશ वर्तमान- २४
or drive
૧૮૯
Page #94
--------------------------------------------------------------------------
________________
(((
(
၂/ 777
(+
SATT
con Education Internationale del Gel Brecho Private Personal use on).....dan selai.
Page #95
--------------------------------------------------------------------------
________________
ઉપર બીજા માળે વચ્ચે પીળા પાષાણના શ્રી પાર્શ્વનાથજી તથા નીચેની હરોળમાં પ્રથમ શ્રી અજિતનાથજી, શ્રી પાર્શ્વનાથજી, શ્રી વાસુપૂજ્યજી, બીજા એક શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી સુપાર્શ્વનાથજી બિરાજમાન છે. આગળ જતાં, સામેના રૂમમાં આ છે શ્રી ગોડી પાર્શ્વનાથજીની વેદિકા. જ્યાં ડાબે શ્રી શ્યામ પાર્શ્વનાથજી, જમણે શ્રી શાંતિનાથજી તથા નીચેની હરોળમાં બે બાજુ શ્રી સુપાર્શ્વનાથજી અને વચ્ચે શ્રી શાંતિનાથજી બિરાજમાન છે. સૌ જિનબિંબોને.....નમો જિણાણું કહીશું.
શ્રી પાર્શ્વનાથજીની દેરી
અહીં એક ગોખલામાં, મા ચક્રેશ્વરી બિરાજમાન છે....... પ્રણામ.
श्रीगाड़ी
पालनाबाजी-श्रीशान्तिनाथजी
श्रीसुपार्श्वनाथ जी श्री शान्ति नाथ जी श्रीसुपाशवीनाथजी
શ્રી ચક્રેશ્વરી દેવી
શ્રી ગોડી પાર્શ્વનાથજીની દેરી દર્શન કરી મંદિરની છત ઉપર જઈએ તો રાજઘાટ-૨ અને ગંગાઘાટનાં દૃશ્યો દેખાય છે. ઘડીભર માટે એમ થાય કે અહીં કુદરતના ખોળે શાંત વાતાવરણમાં નૈર્સગિક શાંતિને માણી લઈએ.
માર્ગદર્શન : વારાણસીની પંચતીર્થી અહીં પૂરી થઈ ગણાય અને હવે રાજગિરિ તરફ પ્રયાણ કરીએ. રાજગૃહી તીર્થે જવા માટે સારનાથથી સાસારામ, ઔરંગાબાદ, શેરઘાટી, ધોબી થઈને બોધિગયા જઈશું;
જ્યાં મહાબોધિ મંદિર અને વિશાળ બુદ્ધ પૂર્તિ જોવા જેવી છે. અને ત્યારબાદ રાજગૃહી પહોંચીશું. રસ્તામાં દૈત્રાવીર બાબાનું ઘંટમંદિર આવે છે.
જીવન
Jain Education
Page #96
--------------------------------------------------------------------------
________________
(એક જોવાલાયક સ્થળો
મહાબોધિ મંદિર
બુદ્ધદેવતાં પગલાં
' નિરંજના નદીના કિનારે આવેલું છે આ
| ‘મહાબોધિ મહાવીર’ મંદિર.
Page #97
--------------------------------------------------------------------------
________________
SATTA
बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि
सघशरणागच्छाम
मत्र
Page #98
--------------------------------------------------------------------------
________________
ઈ.સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં રાજકુમાર સિદ્ધાર્થ આ સ્થાન પર ‘સંબોધિ’ પ્રાપ્ત કરી ‘બુદ્ધ’ બન્યા. તેની સ્મૃતિમાં સમ્રાટ અશોકે ઈ.સ. પૂર્વે ૩૦૦માં આ સ્થાન પર ‘વિન્ને વસ્તુ' નામના પથ્થરમાંથી આ મૂર્તિની સ્થાપના કરી. આ વર્તમાન મંદિર ઈ.સ. ૬૦૦માં સ્થાપિત થયું. ત્યાર બાદ પુનઃ ઈ.સ. ૧૯૫૬માં શ્રી બુદ્ધદેવની ૨૫૦૦મી બુદ્ધદેવ જયંતી વખતે ભારત સરકારે તેનો જીર્ણોદ્ધાર કર્યો.
૯૪
Jam Education International
ગૌતમ બુદ્ધ
બુદ્ધદેવની સુવર્ણરંગી, શાંત મુદ્રાની મૂર્તિની સાતમી સદીમાં પ્રતિષ્ઠા કરી છે. મૂર્તિનો જમણો હાથ ધરતી તરફ ઝૂકેલો છે, જે ભૂમિસ્પર્શ મુદ્રાનાં દર્શન કરાવે છે. એક હિંદુ માન્યતા પ્રમાણે ભગવાન બુદ્ધને વિષ્ણુનો દસમો અવતાર માનવામાં આવે છે. અહીં એક ‘બોધિવૃક્ષ’ છે, જ્યાં રાજકુમાર સિદ્ધાર્થે વૈશાખ સુદ પૂનમે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બહાર નીકળીએ એટલે અશોકસ્તૂપ, રત્નઘર અને આ કુટિરમાં ૧૦૦૦ વર્ષ જૂની ભગવાન બુદ્ધદેવની માતા માયાદેવીની મૂર્તિ જોવાલાયકછે.
For Private & Pers
બોધિવૃક્ષ
Page #99
--------------------------------------------------------------------------
________________
વિશાળ બુદ્ધ મૂર્તિ
‘મહાબોધિ' મંદિરની બાજુમાં એક સ્થાપત્ય અને આધ્યાત્મિક મહાનતાના પ્રતીકરૂપ બુદ્ધદેવની કેવળજ્ઞાન સમયની મૂર્તિ છે, જેને ‘વિશાળ બુદ્ધ પૂર્તિ કહે છે. ‘દાઇબુસ્' એટલે કે વિશાળ બુદ્ધ મૂર્તિ. લગભગ ૨,૫૩૩ વર્ષ પહેલાં બુદ્ધને જ્ઞાન થયું હતું. આથી જાપાનની ‘ડાઇજૉક્યાં’ નામની સંસ્થાએ
આ મૂર્તિ સ્થાપિત કરી. ધ્યાન અવસ્થાની આ મૂર્તિ “ચુનારના ગુલાબી પથ્થર’ને જોડીને બનાવવામાં આવી છે. સૌથી નીચે ચોરસ બેઠકમાં ફરતે ૧૦ ફૂટનો લાલ ગ્રેનાઇટ છે. તેના ઉપર ૬ ફૂટમાં ચુનારના પથ્થરમાં પીળા કમળની બેઠક છે. તેની ઉપર ગુલાબી ચુનારના પથ્થરમાંથી બનાવીને ૬૮ ફૂટ ઊંચી આ મૂર્તિ બેસાડવામાં આવી છે. આમ, કુલ ૮૪ ફૂટ ઊંચાઈ ધરાવતી આ વિશાળ બુદ્ધની મૂર્તિ દુનિયામાં બેજોડ સ્થાપત્યકલાનું દર્શન કરાવે છે.
મૂળ મૂર્તિની ડાબે અને જેમણે તેમના મુખ્ય દસ અનુયાયીઓની ઊભી મૂર્તિ છે, જેમનાં નામ આ પ્રમાણે છે :
(૧) આનંદ (૬) સુભૂતિ (૨) સારિપત્ર (૭) ઉપાલી (3) પન્ના (૮) મહાકાસ્સપા (૪) મહાકાક્સી (૯) મહામોગ્ગલ્લાતા (૫) રાહુલા (૧૦) તરુદ્ધા
Jain Éducation International
For Private & Pursunal Use Only
S૯૫ IT WWW.jainelibrary Cons
પાં
!
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી રાજગૃહી તીર્થ (૨૦મા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના પ્રથમ ચાર કલ્યાણકની ભૂમિ )
ઇતિહાસમાં પ્રાચીન રાજગૃહીનું ધર્મવૈભવ-સંપન્ન વિશાળ નગરી તરીકે એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. બોધિગયાથી ગયા, હિસુઆ થઈ ૬૫ કિ.મી.ના અંતરે રાજગૃહી તીર્થ આવેલું છે. આ પ્રાચીન ભૂમિનો ઇતિહાસ યાદવોના પ્રતિસ્પર્ધી કંસના સસરા અને મગધ દેશના રાજા જરાસંધથી શરૂ થાય છે અને સુવર્ણ યુગના સમયની સ્મૃતિઓથી તાજો થાય છે. ભગવાન મહાવીરે અને બુદ્ધ અહીં ધર્મચક્રો (ધર્મરૂપી ચક્ર) પ્રવર્તાવ્યાં હતાં. આ નગરીમાં પ્રભુ મહાવીરનાં ૧૪ ચાતુર્માસ થયાં છે.
રાજગૃહી પ્રવેશદ્વાર
करता है।
Allianz to
गीरमे -|MdR
HIToggs DtPT
पर्यावरण वन विभाग
Education International
Page #101
--------------------------------------------------------------------------
________________
જૈન આગમગ્રંથોમાં જેનાં પવિત્ર નામ ઐતિહાસિક વિભૂતિ તરીકે લેવાય છે તેવા - મહારાજા શ્રેણિક, કોણિક, મૌર્યવંશી ચંદ્રગુપ્ત, કૌશલ્ય, અશોક, પુષ્પમિત્ર, અગ્નિમિત્ર, સમુદ્રગુપ્ત, કુમારગુપ્ત, બુદ્ધિધન મંત્રીશ્વર અભયકુમાર, જંબુસ્વામી, ધનાજી, શાલિભદ્ર, મેઘકુમાર, હવિહલ, કયવનાશેઠ, મમ્મણશેઠ, પ્રભવસ્વામી, શય્યભવસૂરિ (દશવૈકાલિક સૂત્રના રચયિતા), પ્રીતિકર, અર્જુનમાળી, અહેસૂતા જરાસંધ, મેતાર્યમુનિ, પુણિયા શ્રાવક, સુલસા શ્રાવિકા, શ્રી વજસ્વામીજી જેવાં માનવરત્નોથી આ નગરી શોભતી હતી. શ્રી અભયકુમારે અહીં જૈન દીક્ષા લીધી હતી. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિને અહીંના ઉદ્યાનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલું. શાલિભદ્રજી અને ધનાજીએ ચારિત્ર લઈને ધગધગતી શિલા ઉપર અનશન કરી આત્મકલ્યાણ સાધેલું. વળી, શ્રી વજસ્વામીજી મહારાજે પણ અહીં અનશન કરેલું. ભગવાન મહાવીરના આદેશથી તેમના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીએ આ નગરીના બહારના ઉદ્યાનમાં શ્રેણિક મહારાજાને ‘શ્રીપાળ-મયણા’નું જીવનવૃત્તાંત અને નવપદનું માહાભ્ય સંભળાવ્યું હતું. બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીની કઠોર તપસ્યાનું પ્રથમ પારણું આ ભૂમિ પર થયું હતું. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી સહિત અગિયાર ગણધરોનો મોક્ષ આ ભૂમિ પર થયો હતો. અહીં પાંચ પર્વત હોવાને કારણે રાજગૃહીને “પંચશૈલ'પણ કહે છે. રાજગૃહીનું રાજકીય મહત્ત્વ ભલે નાશ થઈ ગયું હોય, પરંતુ તેનું ધાર્મિક મહત્ત્વ અનેકગણું છે. સંદર્ભગ્રંથોના આધારે એમ જાણવામાં આવ્યું છે કે રાજગૃહીમાં નંદ મણિયાર નામના એક શ્રેષ્ઠીએ વૈભારગિરિ ઉપર એક વિશાળ લતાકુંજોથી ઘેરાયેલી, સુગંધિત, પશુપક્ષીઓના ગુંજારવવાળી ‘પુષ્કરણી' બંધાવી હતી, જેનું વર્ણન ‘નાયધમકહા’ નામના જૈન આગમગ્રંથમાંથી જાણવા મળે છે. સં.૧૫૬૫માં કવિ શ્રી હંસસોમ નોંધે છે કે, ‘અહીં પાંચે પહાડીમાં બધાં મળીને ૧૫૦ ચૈત્યો અને ૩00 જિનબિંબ છે.” રાજગિરિ પ્રાચીન કાળમાં વિવિધ નામો જેવાં કે, ક્ષિતિપ્રતિષ્ઠિત, ચણકપુર, વસુમતી, ઋષભપુર, કુશાગ્રપુર અને છેવટે રાજગૃહી એ રીતે ઓળખાયું. આ નગર પાંચ પહાડોથી ઘેરાયેલું હોવાથી “મહાભારત'માં આનો ‘ગિરિધ્વજ' નામથી પણ ઉલ્લેખ કરેલો છે. અહીંનું વાતાવરણ ઘણું જ રમ્ય છે.
વર્તમાનમાં શ્રી રાજગૃહી મહાન તીર્થના જીર્ણોદ્ધારક-સૂરિસમ્રાટ સૂરિરામ સમુદાયના સૂરિરત્ન, પરમારાધ્ધપાદ, પરમશ્રદ્ધેય, પરમશાસનપ્રભાવક, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયકુંજરસૂરીશ્વરજી
મહારાજા, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજા અને તાત્ત્વિક પ્રવચનકાર) - પૂ. ઉપાધ્યાય શ્રી અક્ષયવિજયજી ગણિવર્ય વગેરે ભગવંતોની પાવન પ્રેરણાથી લછવાડ, ક્ષત્રિયકુંડ, - ચંપાપુરી, કાકંદી અને રાજગૃહી તીર્થની પંચપહાડીમાં જીર્ણોદ્ધાર થયો છે.
| મુખ્ય જિનાલયથી દોઢ માઈલ દૂર પુનિત કલ્યાણકોના પાંચ પહાડ આવેલ છે, જે નૈસર્ગિક
સૌંદર્યથી શોભે છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીનાં જ્યાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન " એમ ચાર કલ્યાણક થયાં તેવી મહારાજા શ્રેણિકની રાજધાનીની આ પાવન પંચપહાડીની જાત્રા કરીશું.
| :
સૌપ્રથમ ગામમદિરે દર્શonકરીશ.
Page #102
--------------------------------------------------------------------------
________________
pecat
Page #103
--------------------------------------------------------------------------
________________
ગામમદિર
राषगृहीभां थयां यार इत्याशठ, भुनिसुव्रतस्वाभीनां, श्रेशिष्ठ रा अहीं थया, थयुं सभवसरा वीरनुं. न्मभूमि छे भेतार?, अरु, धन्ना, शालिनद्रनी, अभय, नंहिया, ज्यवन्ना अने सुस्वाभी वीरोनी.
KAMANANAMAHATE
jainelibrary.org
Page #104
--------------------------------------------------------------------------
________________
8.33 ಅಕ ಕ ತ ದ ಕ ದ ಇದು
ಈ ಘಾತ ಆ ಕೃತಕ ಆಹE
સપરિકર પ્રાચીન મુનિસુવ્રતજી (સં. ૧૫(૪
For Private Personal Ųse Only
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન શ્રી મુનિસુવ્રતસ્વામીના ભરતક ઉપર બંને તરફ ગજારૂઢ દેવયુગલ અભિષેક કરી રહ્યું છે. પ્રભુની પલાંઠીપાસે બંને તરફ હાથમાં ચામરધારી ઇન્દ્રો ઊભેલા દેખાય છે અને તેમની ઉપર બે કાઉસગ્ગિયા પ્રતિમા પણ ઉત્કીર્ણ કરેલી છે. મસ્તક પર ત્રણ છત્ર, પાંખડીઓવાળું ભામંડળ, સિંહાસનમાં બેસિંહની આકૃતિની ઉપર શોભતા શ્રી મુનિસુવ્રતસ્વામીની સ્તવના કરીએ.
સ્તુતિ
વીસમા મુનિસુવ્રત સ્વામીને, વંદન કરીએ ભાવથી,પરમાનંદન પીડા હરી દે, પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવથી; અશ્વને પ્રતિબોધિત કરવાને, પ્રભુએ ઉગ્ર વિહાર કર્યો, શરણાગતની રક્ષા કરીને, દુનિયાથી ઉદ્ધાર કર્યો.
ચૈત્યવંદત
મુનિસુવ્રત અપરાજિતથી, રાજગૃહી રહેઠાણ, વાનર યોનિ રાજતી, સુંદર ગણ ગિર્વાણ. ૧ શ્રવણ નક્ષત્રે જનમિયા, સુરવર જય જયકાર, મકર રાશિ છદ્મસ્થમાં, મૌન માસ અગિયાર. ૨ ચંપક હેઠે ચાંપીએ, જે ઘનઘાતિ ચાર, વીર વડો જગમાં પ્રભુ, શિવપદ એક હજાર. ૩
6
સ્તવન
મુનિસુવ્રત જિન મન મોહ્યું મારું, શરણ ગ્રહ્યું મેં તમારું, પ્રાતઃ સમયે હું જાગું જ્યારે, સ્મરણ કરું છું તમારું,
હો જિનજી, તુજ મૂરતિ મનહરણી, ભવસાયર જલતરણી, હો જિનજી... ભરોસો આ જગમાં છે, તારો તો ઘણું સારું,
આપ
જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો મેં તારો, હો જિનજી... ફૂં ફૂં ફૂં ફૂં ચીડિયાં બોલે, ભજન કરે છે તમારું, મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો રહે, નામ જપે નહિ તારું, હો જિનજી... ભોર થતાં બહુ શોર સુછું હું, કોઈ હસે કોઈ રૂવે ન્યારું, સુખિયો સુવે, દુખિયો રૂવે, અકળ ગતિ એ વિચારું, હો જિનજી... ખેલ ખલકનો, બંધ નાટકનો, કુટુંબ કબીલો હું ધારું, જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ ન્યારું, હો જિનજી... માયાજાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારું રે, ઉદયરતત એમ જાણી પ્રભુ તારું, શરણું ગ્રહ્યું છે મેં સારું, હો જિનજી...
THEREF
થોય
સુવ્રતસ્વામી આતમરામી, પૂજો ભવિ મન રુલી, જિનગુણ થુણીએ, પાતક હણીએ, ભાવ સ્તવ સાંકળી, વચને રહીએ, જૂઠ ન કહીએ, ટલે ફલ વચકો, વીર જિન્નુ પાસી, સુરી નર દત્તા, વરુણ જિનાર્ચકો....
SARKAAJAL
M
ચાલો, હવે રંગમંડપમાં દર્શન કરીએ. અહીં ડાબી બાજુ પ્રાચીન મુનિસુવ્રતજી બિરાજે છે અને જમણી બાજુ અતિ પ્રાચીન લટવાળા શ્રીઆદિનાથજી અત્યંત મોહનીય લાગેછે. જિણાણ ૧૦૧
.....
elibrary.org
Page #106
--------------------------------------------------------------------------
________________
દાદાવાડી તવા મોટા મતિવ્રતજી (પાછળ) | ત્રીજા પહાડતા
પ્રાચીન તાતા મુનિસુવ્રતજી (આગળ) ચોથા પહાડતા શામળિયા પાર્શ્વનાથ
આદિનાથજી
શાંતિનાથજી
મુનિસુવ્રતજી મહાવીરજી| ઋષભદેવજી
ગભારો
પાર્શ્વપ્રભુજી (પાછળ)
ચંદ્રપ્રભજી આગળ) પ્રાચીન મુનિસુવ્રતજી
પાર્શ્વપ્રભુજી અને (આગળ) પગલાં
લટવાળા આદિનાથ
કોરી મંડપ
| |ભોયરામાં
સુવર્ણ
દ્વાર
દ્વાર
મદિર
રંગમંડપ
મુખ્ય દ્વાર :
શ્રી ભૈરવજી
શ્રી ભૈરવજી
ગામમંદિરના જિનાલયની
સ્થાપત્યરચની
૧0૨)
Page #107
--------------------------------------------------------------------------
________________
ઈજીનિનળીકરી 12 Pવ
| ત્રીજા પહાડના
रसायनानि जोजिजवानास શ્રી શામળિયા પાર્શ્વનાથ (પ્રાચીન) ચોથા પહાડના સપરિકર શ્રી આદિનાથજી (સં.૧૫૦૪) નવા ગામમંદિરમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની આગળ (નાની પ્રાચીન મૂર્તિ) અને પાછળ ૫૧ ઇંચની (નવી પ્રતિમા) એમ બે મનોહર મૂર્તિ બિરાજમાન છે, જેની ભવ્ય પ્રતિષ્ઠા સંવત ૨૦૧૭ના ફાગણ વદ ૭ના રોજ ઝરિયાનિવાસી શ્રીયુત દેવશીભાઈ માણેકચંદના શુભ હસ્તે થયેલ. વર્ષો પહેલાં મૂર્તિઓની રક્ષા માટે ત્રીજા પહાડના શ્રી શામળિયા પાર્શ્વજીને મૂળનાયકની ડાબે અને ચોથા પહાડના શ્રી આદિનાથજીને મૂળનાયકની જમણી બાજુ અહીં પ્રતિષ્ઠિત કરાયા છે. સંભવતઃ ગુપ્તકાળમાં બનેલી ત્રીજા પહાડના શામળિયા પાર્શ્વનાથની આ પ્રતિમા અઢી ફૂટ ઊંચી છે. પબાસનની નીચે ગોઠવેલી સર્પાકૃતિ ભગવાનના બંને પડખે પરિકર બનાવતી ઉપર મસ્તક સુધી જઈને પ્રમાણસરના સાત ફણાઓનું છત્ર બનાવે છે. આ છત્ર નીચે બિરાજમાન પ્રભુના મુખ પરથી ‘પ્રશમરસ નિમગ્ન” ભાવ છલકી રહેલો દેખાય છે. ચોથા પહાડના આદિનાથજીની આ પ્રતિમાની શ્યામવર્ણી બેઠકમાં નીચે બંને છેડા ઉપર પ્રતિમા ભરાવનાર દંપતી ચૈત્યવંદનની મુદ્રામાં દેખાય છે. મધ્યમાં બે સિંહોની વચ્ચે વૃષભ લાંછન કોરેલું છે. પ્રભુનાં પડખે બે ચામરધારી તથા તેના ઉપર પદ્માસનસ્થ જિન પ્રતિમાઓ અંકિત છે. પરિકરમાં બંને તરફ ગજારૂઢ વ્યક્તિઓ કળશથી પ્રભુનો અભિષેક કરી રહી છે, જો કે હવે ત્રીજા અને ચોથા પહાડમાં અનુક્રમે શ્રી સાંવલિયા પાર્શ્વનાથ તથા શ્રી આદેશ્વરજીને ઈ.સ. ૨૦૦૮માં પુન: પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે.[૧૦૩]
Page #108
--------------------------------------------------------------------------
________________
| १०४
श्री मुनिसुव्रत स्वामी
श्री महावीर स्वामी
ગભારામાં જમણી દીવાલે પ્રતિષ્ઠિત જિતબિંબો
પ્રાચીત શ્રી શાંતિતાથજી (ગભારામાં)
श्री ऋषभदेव स्वामी
ગભારામાં મૂળનાયકની જમણી દીવાલના ગોખલામાં શ્રી મુનિસુવ્રતજી, શ્રી મહાવીરજી તથા શ્રી ઋષભદેવ પ્રભુ બિરાજમાન છે અને બરાબર તેમની સામે શ્રી શાંતિનાથપ્રભુ (પ્રાચીન)બિરાજમાન છે.
શ્રી શાંતિનાથ પ્રભુની આ મૂર્તિના સિંહાસનમાં બંને તરફ હરણ તથા મધ્યમાં એક ભક્ત સ્રી ધ્યાનમગ્ન અવસ્થામાં હાથ જોડીને ઊભેલી દશ્યમાન થાય છે. સં. ૧૫૦૪માં સ્થાપિત થયેલી રત્નગિરિ
પહાડની આ પ્રાચીન મૂર્તિ છે.
ગભારાની બહાર ઉંબરા પાસે જ ડાબી બાજુ બે મૂર્તિ આગળ-પાછળ બિરાજે છે. આગળ નાના શ્રી ચંદ્રપ્રભજી (શ્યામ) તથા પાછળ શ્રી પાર્શ્વપ્રભુજી બિરાજમાન છે, તેની બરાબર સામેની દેરીમાં શ્રી પાર્શ્વનાથજી તથા તેમનાં પગલાં છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રી પાપ્રભ અને શ્રી ચંદ્રપ્રભ (શ્યામ)
શ્રી પાર્શ્વપ્રભુ અને પગલાં રંગમંડપમાં ડાબે પ્રાચીન મુનિસુવ્રતજી તથા જમણે વાળની લટવાળા શ્યામવર્ણા આદિનાથ પ્રભુની પ્રતિમા અદ્ભુત છે. આ પ્રતિમાની બેઠકમાં બંને બાજુ સેવા કરતાં વૃષભોની વચ્ચે ચાર હાથવાળી એક દેવી સશસ્ત્ર બેઠેલી છે અને તેની પાસે એક ભક્ત પ્રભુની પૂજા માટે માળા ધારણ કરીને ઉત્સુક વદને બેઠેલો દેખાય છે. પ્રભુની બંને બાજુ ચામરધારી ઇન્દ્રો અને મસ્તકની બંને બાજુએ અંતરિક્ષમાંથી અવતરણ કરી રહેલા દેવો પુષ્પમાળા સહિત છે.
પ્રાચીન શ્રી મુનિસુવ્રતજી (રંગમંડપ) ૧૦૦૦ વર્ષ પ્રાચીન લટવાળા શ્રી આદિનાથ [૧૦૫
Page #110
--------------------------------------------------------------------------
________________
THE GOLDENTEMPLE OF TIRTHANKARMAHAVIR
SEN TEMPLE
- Ad
MAMA Y MOLINARISHA
ताप्रभसूरीभानजी
AMAR
આ દેરાસરતી નીચેના ભોંયરામાં
એક કાચતું સુવર્ણમંદિર છે, જ્યાં શ્રી મહાવીરસ્વામીજી બિરાજમાન છે.
[૧૦૬
Favale & Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
000000 2008
શ્રી મહાવીરસ્વામીજી
જ્યા જ્યા ભવિહિતકર વીરવિંદવ, રસ્તારના નાયકની સાસ કરુણા રસ હદો, વંદો આતંક આણી, ત્રિશલારુતી સુંદર, ગુણ-પષ્ટિ કરી બાણી,
૧૦૭
Page #112
--------------------------------------------------------------------------
________________
મુખ્ય દ્વારની બંને બાજુ શ્રી ભૈરવજી બિરાજમાન છે.
પ્રણામ કરીને આ જિનાલયની પાછળ આવેલી
દાદાવાડીમાં દર્શન કરીશું.
આ દેરાસરની પાછળ આવેલી દાદાવાડીમાં શ્રી ગૌતમસ્વામીજી તથા આજુબાજુ | દાદાગુરુજીનાં ચરણ અને મૂર્તિઓ દર્શનીય છે. ...મFએણં વંદામિ.
અજ્ઞાન તિમિરાન્ધાનાં, જ્ઞાતાજા શલાક્યા, નેત્રમુન્મીલિત યેન, તસ્મ શ્રી ગુરવે નમઃ
श्री जिन दासजी के चरण की वोरा जैदरामजी के समरणार्य रजननकाल जेचंद नया गीरधरलाल जैचेदकारावालों नेरु-२०१५देकर स्थापित ત્રિા વિ.સ. ૨૦ef.પ કરી
1
મારા પર
નજર
શ્રી જિતકુશલસૂરિજી
શ્રી જિનદત્તસૂરિજી કશી જિનપ્રભસૂરિજી
-
શ્રી વિજયહીરસૂરિજી
Page #113
--------------------------------------------------------------------------
________________
દાદાવાડી છે.
- श्रीगुरुदेव जी कामन्टि
જીણોદ્ધાર પહેલાં
શ્રી ગૌતમસ્વામીજી તથા અગિયાર ગણધરનાં ચરણ
PACी पाश्र्वधन्द्रत
श्रीभ्रातचन्द्रसूरीज
હાયમાં શ્રીગુરુ
સ્ત્રી પાશ્ચર્યસૂરિજી | જીર્ણોદ્ધાર પછી
શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી
ucation International
Fornvate & Personal use only
1 10 | inelibrary.org
Page #114
--------------------------------------------------------------------------
________________
www
|૧૧૦
રંગમંડપમાં પ્રવેશદ્વાર પાસે દર્શતીય શત્રુંજયતો પટ
:
માર્ગદર્શત ગામમંદિરમાં યાત્રાળુઓ માટે ધર્મશાળામાં ભોજનની સુંદર વ્યવસ્થા છે તથા રહેવાની પણ સગવડ છે. અહીં શ્વેતાંબર, દિગંબર, સનાતન ધર્મશાળાઓ તથા બાબુ નાહરજીનો બંગલો, ગૌતમવિહાર હોટલ, વીરાયતન વગેરે યાત્રાળુઓને ઊતરવા માટે સગવડદાયક છે.
श्री जैन श्वेताम्बर कोठी तीर्थ राजगृह
તીર્થપેઢી
શ્રી જૈન શ્વેતાંબર ભંડાર
પોસ્ટ : રાજગિરિ-૮૩૦૧૧૬ જિલ્લો : નાલંદા પ્રાંત ઃ બિહાર
ફોન : ૦૬૧૧૨-૨૫૫૨૨૦
ww.jalmellbrary -
Page #115
--------------------------------------------------------------------------
________________
રાજગૃહીતી પંચપહાડી યાત્રા માટેનું માર્ગદર્શન
રાજગૃહીની દસેક માઈલની યાત્રા જુદા જુદા પાંચ પહાડોમાં વહેંચાયેલી છે તેમજ તેનો રસ્તો પહાડી હોવાથી અશક્ત અને વૃદ્ધ યાત્રાળુઓ માટે પેઢીમાં ખબર આપવાથી ડોળીની વ્યવસ્થા થઈ જાય છે. સવારે પાંચ વાગ્યે યાત્રા શરૂ કરીએ તો બપોરે ત્રણ વાગ્યા સુધી ધર્મશાળાએ પાછા આવી જવાય છે. મારી દષ્ટિએ આ પાંચેય પહાડની યાત્રા શાંતિથી બે દિવસમાં કરવી જોઈએ. પ્રથમ દિવસે પહેલા, બીજા અને ત્રીજા પહાડની યાત્રા કરવી જોઈએ તથા બીજા દિવસે ચોથા અને પાંચમા પહાડની યાત્રા કરવી જોઈએ. પાંચેય પહાડ પર ઈ.સ.૨૦૦૮માં જિનેશ્વર ભગવંતોની પ્રતિષ્ઠા થઈ ગઈ હોવાથી પ્રભુની સેવા-પૂજાનો લાભ લઈ શકાય છે.
પહેલા અને પાંચમા પર્વતની નીચે ગરમ પાણીના કુંડ આવેલ છે. અહીં સ્નાન કરીને (જયણાપૂર્વક - અળગણ પાણીથી નહીં) પ્રભુપૂજા થઈ શકે છે. મુખ્ય જિનાલયથી દોઢ માઈલ દૂર ટાંગા અથવા ટૅકસી દ્વારા જવાય છે. રાજગૃહીથી પંચપહાડી યાત્રા શરૂ કરીએ ત્યારે લગભગ ૧ માઈલનો રસ્તો કાપ્યા બાદ ગરમ પાણીના અનેક કુંડ જોવા મળે છે જેમાં બારેમાસ કુદરતી રીતે ગરમ પાણી વહ્યા જ કરે છે. આ કુંડ બેવિભાગમાં વહેંચાયેલા છે. ડાબા હાથના કુંડથી પ્રથમ પહાડની યાત્રા શરૂ થાય છે.
રાજગૃહી પંચપહાડી યાત્રા
૨ રત્ત્તગિરિ
૧ વિપુલાચલગિરિ
3 ઉધ્યગિરિ
GORG
ગામમંદિર
૪ સુવર્ણગિરિ
日期间日期间期
Follo
૫ વૈભારગિરિ
--------
www.jainelibrary ૧૧૧
Page #116
--------------------------------------------------------------------------
________________
આ પહાડ પરતું ચઢાણ વાંકુંચૂકું છે. કુલ ૫૬૫ પગથિયાં ચઢાણ છે. આ ગિરિ ઉપર ભગવાન મહાવીરે શ્રેણિક મહારાજા આગળ ‘રામાયણ'ની કથાનો ઉપદેશ સંભળાવ્યો હતો તેવું શ્રી વિમલસૂરિએ ‘પઉમચરિય’માં જણાવ્યું છે. લગભગ ૪૫૦ પગથિયાં ચઢીએ એટલે એકસાથે ચાર મંદિરોમાં દર્શન થાય છે.
સમવસરણ
તળેટી
જાવેલો ભેરુ
પ્રથમપહાડીકુંડટી
fation International
www jainerary.org
Page #117
--------------------------------------------------------------------------
________________
3
પહેલો પહાડ - વિપુલાચલગિરિ
પ્રથમ પહાડમાંથી તળેટીની ઉચ્છ
જ
|
૧૧૩
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી અઈમુત્તામતિની દેરી
વીરપ્રભાની ચરણ (ચૌદ ચોમાસાની સ્મૃતિરૂપે)
પિલાગલથિરિતા:SEા રસ્તેથી દેખાતું એક દર્ય "
Jan Egucation International ૧૧૪
For Private & Personal use only
library org
Page #119
--------------------------------------------------------------------------
________________
વિપુલગિરિમાં ગુણશીલ ચૈત્યમાં પ્રભુ વીર વારંવાર સમોસર્યા હતા. લગભગ ૨૫૦ પગથિયાં ચઢીએ એટલે જમણા હાથે (હેમંતા) અઈમુત્તામુનિની દેરી આવે છે; જેમાં શ્વેત પાષાણની મૂર્તિ છે, જેની પ્રતિષ્ઠા સન ૧૮૨૫માં અને જીર્ણોદ્ધાર આણંદજી કલ્યાણજી પેઢીએ ૧૯૯૧માં કરાવેલ છે. | કુમાર અતિમુક્તક પોલાસપુર નગરના રાજા વિજયરાજાની રાણી શ્રીદેવીનો પુત્ર હતો. બાળપણમાં પોતાના મિત્રોની સાથે રમતો હતો ત્યારે ગૌતમસ્વામીને જોઈને તેમના પ્રત્યે આકર્ષિત થયો. આથી ભિક્ષા માટે આંગળી પકડીને પોતાના ઘરે લઈ ગયો. જ્યારે ગૌતમસ્વામી ભિક્ષા લઈને પોતાના ઘરે જવા લાગ્યા ત્યારે રાજકુમાર અતિમુક્તક પણ તેમની સાથે જવા લાગ્યા અને ભગવાન મહાવીરસ્વામીના સમવસરણમાં પહોંચ્યા. ભગવાનની વાણીનું શ્રવણ થતાં જ અતિમુક્તક વૈરાગી બન્યા અને દીક્ષા ગ્રહણ કરી. બાલમુનિ અતિમુક્તકે એક વાર વરસાદ થયા બાદ વહેતા પાણીમાં પોતાનું ‘કાષ્ઠપાત્ર’ તરાવીને બાલક્રીડા કરી. બાદમાં તરત જ તેમને સાધુની પ્રતિજ્ઞા યાદ આવતાં ‘ઇરિયાવહી’ સૂત્ર બોલીને પરમાત્માની પાસે પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું. રાજગિરિના આ પ્રથમ પહાડ વિપુલાચલગિરિ પર તેમને મોક્ષ પ્રાપ્ત થયો. આવા બાલમુનિને આત્મભાવે વંદન કરીને ‘નમો સિદ્ધાણં ભાવીશું.
પ્રથમ પહાડના શ્વેતાંબર મંદિરના જીર્ણોદ્ધાર પૂર્વે અહીંની અતિમુક્તક મુનિની કોતરેલી ભૂર્તિ સં. ૧૮૪૯માં પ્રતિષ્ઠિત કરેલી હતી. પ્રાચીન મૂર્તિના ડાબા હાથમાં રજોહરણ (ઘી) અની શરીરે થોળપટ્ટાની નિશાની હતી, જૈખરીથઈ છે.
IDાહ જઈ ને ફોન કરી ૩ श्रीनापल्लायोति
पानियलट नीरिक La = તાણ થી
શ્રી અતિમુકતક મુનિ (જીર્ણોદ્વાર પહેલાં, એ. મ.
HTTI/Reતષદ વલીભiad: 419 દૈવીશલિતાણા#નવરાતમàથા
રા
જે 2 c POP $
FB 1
एकात्मिक
પ્રથમ પહાડના થે. મંદિરમાં જીર્ણોદ્ધાર પૂર્વે ગભારામાં ડાબી તથા જમણી દીવાલે શ્રી આદિનાથ પ્રભુ અને શ્રી મહાવીરસ્વામીનાં શ્યામ ચરણ "
" પ્રસ્થાપિત હતાં. ૧૧૫
શ્રી આદિનાથ ચરણ જ (જીર્ણોદ્ધાર પહેલાં, . મં.)
શ્રી મહાવીરસ્વામી ચરણ: (જીર્ણોદ્ધાર પહેલાં, હૈ. મં.),
Page #120
--------------------------------------------------------------------------
________________
જીર્ણોદ્ધાર પૂર્વે
જીર્ણોદ્ધાર બાદ
દિલીથી
યહાવીર, પ્રથમ પહાડ - મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુનાં
Qારીની ચરણ
ચરણ. સ્તુતિ (રાગ : ચાહતો ભગવંત) અજ્ઞાનાંધકૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યાં, જેણે અષ્ટ પ્રકારનાં કઠિણ જે, કર્મો બધાં તે દહ્યાં; જેની આત્મસ્વભાવમાં રમણતા, જે મુક્તિદાતા સદા, એવા તે મુનિસુવ્રતેશ નમીએ, જેથી ટળે આપદા.
Page #121
--------------------------------------------------------------------------
________________
અહીં પ્રથમ શ્રી ચંદ્રપ્રભનું મંદિર, બીજું સમવસરણની રચનાવાળું શ્રી વીરપ્રભુનું મંદિર, ત્રીજું શ્રી ઋષભદેવનું મંદિર અને ચોથું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર છે. આ ચોથા મંદિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીજી પ્રભુની કાળા પાષાણની અત્યંત ભાવવાહી મૂર્તિની ઈ.સ. ૨૦૦૮માં પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેની બાજુમાં ડાબે આદિનાથ પ્રભુનાં ચરણ, જમણે મહાવીરસ્વામીનાં ચરણ છે. .....તમો જિણાણ.
૨૦મા તીર્થંકર મુતિસુવ્રતસ્વામીતા જીવત પર એક દૃષ્ટિપાત
ચંપાનગરીમાં સુરશ્રેષ્ઠનામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજા ખૂબ દાનવીર અને ધર્મવીર પણ હતા. એક દિવસ ચંપાનગરીમાં નંદનમુનિ પધાર્યા. સુરશ્રેષ્ઠ રાજા તેમને વંદન કરવા ગયા અને તેમની દેશના સાંભળતાં જ તેમને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. આથી તેમણે નંદનમુનિ પાસે દીક્ષા લીધી. સુરશ્રેષ્ઠ પ્રભુની ભક્તિ અને તપ કરતાં કરતાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને નિર્વાણ પામીને સુરશ્રેષ્ઠમુનિ પ્રાણત દેવલોકમાં દેવતા થયા. આ સમયકાળમાં રાજગૃહી નામની પણ એક સુંદર નગરીમાં સુમિત્રનામના રાજા રાજ્ય કરતા હતા. સુમિત્રરાજા ખૂબ જ ન્યાયી અને ધર્મનિષ્ઠ હતા. તેમને પદ્માવતી નામની રાણી હતી. રાણી ખૂબ જ સંસ્કારી અને સુશીલ હતી. સમયાંતરે એક દિવસ પ્રાણત દેવલોકમાં સુરશ્રેષ્ઠ મુનિનો જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, શ્રાવણ સુદ પૂનમના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ત્યાંથી નીકળીને પદ્માવતી દેવીની કુક્ષિમાં અવતર્યો. રાણીએ એ સમયે તીર્થંકરને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો જોયાં. જેઠ વદ આઠમના દિવસે રાણી પદ્માવતીએ કૂર્મ (કાચબો)ના લાંછનવાળા તમાલ જેવા શ્યામવર્ણા પુત્રને જન્મ આપ્યો. દેવતાઓ અને ઇન્દ્રએ આવીને પુત્રને વંદન કર્યા અને તેમને મેરુશિખર પર લઈ જઈને સ્નાન કરાવ્યું. પુત્ર માતાના ગર્ભમાં આવ્યા પછી માતા-પિતા મુનિરાજની પેઠે શ્રાવકના દરેક વ્રત સાચવવા લાગ્યા. આથી આ ગર્ભનો પ્રભાવ જાણી રાજાએ પુત્રનું નામ મુનિસુવ્રત પાડ્યું. યૌવનવયે તેમની કાયા વીસ ધનુષની થઈ. મુનિસુવ્રતને પ્રભાવતી નામની રાણી હતી અને સુવ્રત નામનો પુત્ર હતો. સાડા સાત હજાર વર્ષો પછી મુનિસુવ્રતકુમારે રાજ્યનો કારભાર લઈ પંદર હજાર વર્ષો સુધી સંભાળ્યો.
કાળક્રમે મુનિસુવ્રતકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થતાં પોતાના પુત્ર સુવર્તને રાજ્યનો કારભાર સોંપી દીક્ષા ગ્રહણ કરવાનો વિચાર કર્યો. તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. ફાગણ સુદ બારસને દિવસે મુનિસુવ્રતકુમારે એક હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. પ્રભુએ સર્વ દુઃખ સહન કરતાં અગિયાર માસ સુધી વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં પ્રભુ નીલગૃહ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં કાઉસગ્ગ અવસ્થામાં ફાગણ વદ બારસને દિવસે ઘાતીકર્મનો ક્ષય થવાથી મુનિસુવ્રતસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવતાઓએ આવીને સમવસરણની રચના કરી અને મુનિસુવ્રતસ્વામીએ તેમાં બેસી ધર્મદેશના આપતાં નગરના લોકોને સંસારનું સ્વરૂપ સમજાવ્યું. ગૃહસ્થ ધર્મની વિશાળ વ્યાખ્યા સમજાવીને આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો. મુનિસુવ્રતસ્વામીને ઇન્દ્રાદિક નામના ગણધર સહિત કુલ અઢાર ગણધરો થયા અને ‘વરુણ’ નામનો યક્ષ અને ‘નરદત્તા’ નામની શાસનદેવી થયાં. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી મુનિસુવ્રતસ્વામીએ એકાદશ માસે ઉણા સાડા સાત હજાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. પોતાનો નિર્વાણ સમય નજીક જણાતાં એકહજાર મુનિઓની સાથે સમેતશિખર તીર્થે આવી કુલ ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી શ્રી મુનિસુવ્રતસ્વામી મોક્ષપદને પામ્યા.
Ibrary
|૧૧૭
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પહાડથી નીચે ઉ00 પગથિયાં ઊતરીએ અને ૨૫૦ પગથિયાં ફરી ચઢીએ, પછી પથ્થરના બનેલા સપાટ અને ઢોળાવવાળા રસ્તે ચાલીએ એટલે બીજા પહાડના મંદિર સુધી પહોંચાય છે.
શ્વેતાંબર મંદિર ( જીર્ણોદ્ધાર બાદ)
અહીં પ્રથમ દિગંબર મંદિરમાં મુનિસુવ્રતસ્વામીની કાળા પાષાણની પ્રતિમા છે અને બહાર જમણી બાજુએ ક્ષેત્રપાલજી છે. આગળ એક દરીમાં કેવલી શ્રી મેઘરથ, સુમન્દર અને ધનદત્તનાં ચરણ છે. દિગંબર મંદિરની જમણી બાજુ સીધો રસ્તો જાય છે, જ્યાં એક શ્વેતાંબર મંદિર છે. અહીં પૂર્વે શ્રી ચંદ્રપ્રભજી તથા શ્રી શાંતિનાથપ્રભુની મૂર્તિ હતી તથા દેરીના પાછળના ખૂણામાં શ્રી શાંતિનાથજી, શ્રી પાર્શ્વનાથજી, બી. શ્રીવાસુપૂજ્યજી અને શ્રી નેમિનાથજી ભગવંતોનાં પગલાં હતાં.
(૧૧૮ કાર
Fair Private & Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
બીજો પહાડ - રાગિરિ
(૧૧૯
Page #124
--------------------------------------------------------------------------
________________
હિર
affilitivitta
કરી
- 1
nun nimming
(૧૨)
શ્રી ચંદ્રપ્રભજી,
Elindrary.org
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી શાતિતાથજી
જીર્ણોદ્ધાર થયા બાદ આ કાચમંદિરમાં ચૌમુખી દેરીની રચના કરવામાં આવી છે, જેમાં મુખ્ય દ્વારથી પ્રવેશતાં સામે શ્રી ચંદ્રપ્રભજી, ડાબી બાજુ શ્રી શાંતિનાથજી, શ્રી ચંદ્રપ્રભજીની પાછળ શ્રી નેમિનાથજી તથા જમણી બાજુ શ્રી અભિનંદનજીની નૂતન સુંદર પ્રતિમાઓ બિરાજે છે... તમો જિણાણું.
Jain Education internateral
polishe
શ્રી તેમિનાથજી
For Private & Personal use-Only
bes
૧૨૧
Page #126
--------------------------------------------------------------------------
________________
- શ્રી અભિનંદનજી શ્રી નેમિનાથજી શ્રી શાંતિનાથજી
બાપ નો
કોઈ
તી
l
પત વતી
aોલાર-BIBnadkat
Panini billinકાદya
આ ચૌમુખી દેરીની ડાબી બાજુની દીવાલે શ્રી નેમિનાથજી તથા શ્રી શાંતિનાથજીનાં તથા જમણી બાજુ શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી વાસુપૂજ્યસ્વામીનાં જોડાજોડ પગલાં છે, જે અત્યંત પ્રાચીન છે. ભાવથી વંદન કરીએ. આ મંદિરની બહાર એક નાની ચંદ્રપ્રભની દેરી છે, જેમાં ચંદ્રપ્રભજીનાં પગલાં છે. ..નમો જિણાણ.
hidrenad (upäimશા જીન,ઘીદાટ ) ૧૨ ત્રિથીત્રીત્તર્ણતા ડિનરnfamoÀ गली
रक्तक
= 8 તા ૧ ૨
કરી,
શ39,
रनाकी दासत
Jવસા રાશિ . ક! !. .
कवरे agna
ਗੁਵੋ રતનગિડીયારંઋ ||રા વિä 1શ્રી: II ||
- ના
*
શ્રી પાર્શ્વનાથજી
શ્રી વાસુપૂજ્યસ્વામી
| |૧૨ ૨)
Page #127
--------------------------------------------------------------------------
________________
જીર્ણોદ્ધાર પહેલાં
બીજા પહાડનાં ૧૨૯૮ પગથિયાં ઊતરીને નીચે જઈએ એટલે “મુનિસુવ્રત દ્વાર’ નામે ઓળખાતો ગેરુ રંગનો દ્વાર આવે છે. દ્વાર વટાવીને બીજા પહાડની યાત્રા પૂરી કરીને થોડુંક ચાલીએ એટલે રાજગિરિ - ગયાના મુખ્ય માર્ગે પહોંચી જવાય છે. અહીં ઘોડાગાડીવાળા ઊભા હોય છે, હવે તેમાં બેસીને ત્રીજા પહાડની યાત્રા કરવા જઈએ. (પાંચે પહાડની યાત્રા દરમિયાન જલપાનની વ્યવસ્થા મળી રહે છે.)
| મુનિસુવ્રત દ્વાર
૧ ૨૩ www.facelibrary.org.
For Free Persefal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી શામળિયા પાર્શ્વનાથનું જિનાલય
તળેટીનું દશ્ય.
વા વાટી પ્રવેશદ્વાર
(રત્નગિરિ પહાડથી ઊતરીને લગભગ એક માઈલ
દૂર આ પહાડનો રસ્તો છે, જે સીધો હોવાથી ટી સી તેનો ચઢાણ કઠણ છે. ૭૮૨ ગથિયાં
ચઢીએ એટલે શ્રી શામળિયા
"પાશ્વનાથજીના નૂતન જિનાલયે પહોચાય છે.
9
8
in Education International
Page #129
--------------------------------------------------------------------------
________________
ફલ્થ નદી
ટીજો પહાડ ઉદયગિરિ
- આ છે ત્રીજા પહાડની તળેટી. ઉદયગિરિ પહાડની તળેટીમાં તપસમ્રાટ અણસણ આરાધક પૂ. શ્રી જગજીવન મહારાજસાહેબની દેરી છે. ઈ.સ. ૧૯૬૮માં ૪૫ દિવસનો સંથારો કરી તેઓ મુક્તિ પામ્યા હતા. અહીં તેમનાં પગલાં છે. દર્શન કરીને ત્રીજા પહાડની યાત્રા શરૂ કરીએ. આ પહાડ પર ત્રણ દિગંબર અને એક શ્વેતાંબર પંથનું મંદિર છે. શિખર સુધી પહોંચવા માટે ૭૮૨ પગથિયાંની ચઢાઈ છે.
ભાથીઘર
શ્રી જગજીવત મહારાજસાહેબની દેરી
Jain Education Internationa
www.
eliorary 9 24
Page #130
--------------------------------------------------------------------------
________________
સં. ૧૫૬૫માં ઉદયગિરિ પહાડ ઉપર ચૌમુખજીનું મંદિર હતું તેવો તીર્થમાળાઓમાં ઉલ્લેખ છે. અહીં દિગંબર મંદિરમાં ૬ ફૂટની પ્રભુ મહાવીરની ખગાસન મુદ્રાની મૂર્તિ છે. બાજુમાં આ પશ્ચિમાભિમુખ પ્રાચીન શ્વેતાંબર મંદિરમાં ત્રણ ભીંતદેરી છે. વર્ષો પૂર્વે અહીં શ્રી શામળિયા પાર્શ્વનાથ બિરાજિત હતા, જે આજે ગામમંદિરમાં મૂળનાયકની ડાબે પ્રતિષ્ઠિત છે. જીર્ણોદ્ધાર પહેલાં અહીં જમણી તરફ શ્રી પાર્શ્વનાથ અને ડાબી તરફ શ્રી મુનિસુવ્રતસ્વામીની પાદુકા હતી. વળી, ચારે બાજુ આવેલી ચાર દેવકુલિકામાં શ્રી પાર્શ્વનાથ, શ્રી આદિનાથ, શ્રી નેમિનાથ અને શ્રી પદ્મપ્રભની પાદુકાઓ હતી. જીર્ણોદ્ધાર બાદ આ જ જિનાલયની પ્રાચીન ત્રણ ભીંતદેરીમાં નૂતન શ્રી શામળિયા પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ભાવથી વંદન કરીએ. મૂળનાયકની જમણી બાજુની ભીતદેરીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પગલાં અને ડાબી બાજુ શ્રી જિનવરચરણનાં દર્શન કરીએ. (સંદર્ભગ્રંથો અનુસાર ડાબી બાજુનાં ચરણ શ્રી મુનિસુવ્રતસ્વામીનાં હોઈ શકે. અત્યારે દેરીપર ‘શ્રી જિનવરચરણ પાદુકા’ એમવંચાય છે.)
या उन नावारमादिर उदाकार
શ્રી શામળિયા પાર્શ્વનાથજી
૧૨૪ શ્રી જિનવરચરણ
ગભારો
શ્રી પાર્શ્વનાથચરણ
Page #131
--------------------------------------------------------------------------
________________
GE
1
.
પર
જ
મહાકાલ
Jain Educatie
મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથજી
wwjainelibrary 9 29
Page #132
--------------------------------------------------------------------------
________________
- may retur
ગર
bell
ચોથી દેરી
અહીં ત્રીજી દેરીમાં શ્રી આદિનાથજીનાં ચરણ તથા ચોથી દેરીમાં પ્રભુ મહાવીરનાં પ્રાચીન ચરણ અને સં. ૨૦૧૩માં પ્રતિષ્ઠા કરાયેલાં નવાં ચરણ છે.
ગભારાની બહાર આવી મંદિરને ફરતે પ્રદક્ષિણા દઈએ. અહીં ભમતીમાં ચાર જિનેશ્વર ભગવંતોનાં ચરણની દેરી છે. સૌને ભાવથી વંદન કરીને હવે ચોથા પહાડની યાત્રા કરવા જઈએ.
જીર્ણોદ્ધાર બાદ મંદિરતી બહાર આવેલી ચાર દેરીઓમાં પ્રસ્થાપિત ચરણ
શ્રી અભિનંદનજી (જીર્ણોદ્ધાર બાદ)
----
શ્રી મુતિસુવ્રતજી
श्री ज
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્વેતાંબર મંદિર (જીર્ણોદ્ધાર પહેલાં)
व्यगिरि
श्री उदयगिरि तीसरा पहाड
श्रीसांवलिया पाश्वनाथ मंदिर
श्री जैन नायर हारती जी
જ) હત) Tim)/TY/
શ્રી સુમતિનાથજી
(જીર્ણોદ્ધાર બાદ)
શ્રી મહાવીરજી
[૧૨૯
Jain Education Interational
Page #134
--------------------------------------------------------------------------
________________
અહીં પૂર્વે ગુફાઓમાં ધર્મચક્યુક્ત જિત પ્રતિમાઓ ઉત્કીર્ણ કરેલી છે. અહી ધ્યાનસ્થ મુનિઓ તપસ્યા કરતા હતા. આ પહાડની તળેટીમાં મણિયાર મઠ અને પ્રકૃતિતાં અનેક
લાયનરમ્ય દરિયો જોવા મળે છે. - હીતીયાત્રા વર્ષોથી બંધ હતી, જે
જીર્ણોદ્ધારબાદખુલ્લી થઈ છે. મારું કોણ તિવેદના છે કેમકામાં કોઈપણ પ્રકારનાભચણરપ્રભુતામ-સ્મરણ સાથે ચા પહાડલી યાત્રાનો લાભ આવશ્યલmજેવી છે.
@gઈધિરિ પરથી હસ્થોળા વૈભારગિરિ શાક વાણિગાર ઘ8
સુવણરરિતીયાત્રા કરવા માટે ગામમંદિરથી ઘકિમી:અંતર કાપવું પડે છે, મણિયાર મઠ Gરી રસ્તો આગળ જતાં સતગુફાથી ડાબી તરૂતી રસ્તો વીચ જંગલમાં જ પહોંsીતળટી છે.આnતળેટી 'ક્ષમણગિરિરુ તરીકે પણ શીળખાય છે. ઉદથગિરિથી ઊતરીd સીધા જવું હોય તો લણણણ હ8 કિમી[ ચઢાણ છે તથા સઘણગિરિ તળેટીથી 98 પથિયાં ચઢાણ છે.
9 30 Hucation International
Page #135
--------------------------------------------------------------------------
________________
^[*]
જીર્ણોદ્ધાર બાદ
વર્ષો પૂર્વે અહીં ભગવાની આદિનાથજીની પ્રતિમા તથા તેમના ચરણ હતા જેમાથી પ્રભુજીની ગળા ઉતા જિનાલયમાં મૂળનાયક્તી મણુ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે.
ચોથો પહાડ - સુવર્ણગિરિ
વીઓ
જીÎાર પહેલ
૧૩
Page #136
--------------------------------------------------------------------------
________________
रुयाहीतीशचतुर्थ पर्वतश्रीस्वणगिरीरिनाथमिसला परपराश्रीरामचंद्र जिनमगाव महोदरियापार पोरमा पित्तननिवासिनाकालान पोपटलालमाया पावसानो
मुनगायक श्री आदि मिलविशारा गिजोल सानानिmaya
मणधमागी गणनायकाची मपणसरि परणया ट्रमिनल मामारा भाजहाजमी धनुगुणापुरेणीयो
VOM
IRasuwat
a पजारि मुक्तिभयुनि
उणीवविजय सणिकटपकानाDays
મૂળનાયક શ્રી આદિનાથજી
१उFducation International
Page #137
--------------------------------------------------------------------------
________________
મૂળતાયક શ્રી આદિતાથજીને ...તમો જિણાણ, ગભારાતી ડાબી તથા જમણી દીવાલે બે દેરી છે, જેમાં જીર્ણોદ્ધાર પૂર્વતા પ્રાચીત ચરણને શ્રી જિતચરણ પાદુકા તરીકે ફરી પ્રસ્થાપિત કર્યાં છે. ભાવથી વદત કરી હવે પાંચમા પહાડતી યાત્રા કરવા જઈએ.
श्री जिनचरणपादुका
श्री आदिनाथ भगवान
શ્રી જિતચરણ પાદુકા
श्री जिनचरणपादुका
|૧૩૩
Page #138
--------------------------------------------------------------------------
________________
આ રાજગૃહીનો પાંચમો પહાડ છે, જ્યાં ૫૬૫ પગથિયાંનું સીધું અને કઠણ ચઢાણ છે. ગિરિરાજ પર ચઢતાં પહેલો, બીજો અને ત્રીજો એમ ત્રણેય પહાડ દેખાય છે. લગભગ પોણો પહાડ ચઢતાં ચારેય પહાડનાં સુંદર દશ્યો વિદ્યમાન થાય છે, જ્યાં શ્રી મુનિસુવ્રતસ્વામીજી કેવળજ્ઞાન પામ્યા અને ૧૧ગણધરો જ્યાંથી નિર્વાણ પામ્યા તેવી પવિત્ર પાવન જ્ઞાનભૂમિ પર જવા માટે બે રસ્તા છે : એક તો સોનભંડાર પાસે થઈને અને બીજો બ્રહ્મકુંડ પાસે થઈને. આપણે બ્રહ્મકુંડમાં જયણાપૂર્વક સ્નાન કરીને યાત્રા શરૂ કરીશું.
૧૩૪
ઘન્તા-શાલિભદ્રની દેરી
યાત્રામાર્ગ
૧૧ ગણધરો
મંદિર
Page #139
--------------------------------------------------------------------------
________________
પાંચમો પહાડ - વૈભારગિરિ
રાગૃહ પુર નયણે દીક, તતખણ હીએSઇ અમી પઇ ઉં, પૂરવ પુણ્ય સંભાર; ચઉદ કુંડ ઉન્હવઇ ક્લ ભરીઆ, અંગ પખાલી પાઇ ચઢી, પહતી રારિ વૈભાર.
તે ઉપરી ચોવીશ પ્રાસાદ, દેવલોક મ્યું મંડઇ વાદ, દેહરી ઝકઝમાલ; મૂળનાયક મુનિસુવ્રતસ્વામી, દરિસણ ભવિઆ આણંદ પામી, પૂજા રચઇ સુ વિશાળ
(સં. ૧૫૬૫, તીર્થમાળા - શ્રી હંસસોવિજ્યજી)
બીજું મંદિર
પહેલું મંદિર
વિશ્રામ સ્થળ
વીરાયતના
પિપ્પલ-ગુહા
બ્રહ્મકુડ
યાત્રા શરૂ
૧૩.
Page #140
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મકુડ
બ્રહ્મકુંડમાં ૧૩ ગરમ પાણીના કુંડ છે. કહેવાય છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો નાશ પામે છે. કુદરતી રીતે પહાડમાંથી નીકળતા આ કુંડનું ગરમ પાણી ક્યારેય બંધ થતું નથી.
પર્વત ચઢતાં જ રસ્તામાં જમણી બાજુ ‘પિપ્પલ-ગુહા’ નામનું એક સ્થળ આવે છે. ‘જરાસંધની બેઠક” તરીકે જાણીતું આ પથ્થર ઘર ‘પિપ્પલ-ગુહા” તરીકે ઓળખાય છે, જ્યાં ભગવાન બુદ્ધ (ઈ.સ. પૂર્વે પ૬૩-૪૮૩) અહીં ઘણી વાર આવતા હતા. આ ગુફાની નીચેના ભાગમાં નાની ગુફાઓ બનેલી છે.
| ‘જ્ઞાતાસૂત્ર'માં વર્ણિત નંદ મણિયારની વાવ, વીર પોષાણ જરાસંધનો કિલ્લો, શ્રેણિકનો ભંડાર, પાલી લિપિનો લેપ વગેરે ઐતિહાસિક સ્થળો આ પહાડ ઉપર છે. અહીં કુલ છ મંદિરો છે.
પ્રથમ શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથનું જિનાલય, બીજું શ્રી મહાવીરસ્વામીનું જિનાલય, ત્રીજું શ્રી મુનિસુવ્રતસ્વામીનું બડામંદિર, ચોથું બડામંદિરના જ ચોકમાં આવેલું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું જિનાલય, પાંચમું શ્રી ગૌતમ ગણધરનું મંદિર તથા છઠું શ્રી ધન્ના-શાલિભદ્રનું મંદિર (મૂળનાયકે શ્રી મહાવીરસ્વામી), આમ છ મંદિરોમાં દર્શન-વંદન-પૂજા કરીશું.
Page #141
--------------------------------------------------------------------------
________________
સૌપ્રથમ આવે છે - પૂર્વાભિમુખ શિખરબંધ જિનાલય. જીર્ણોદ્ધાર પૂર્વે આ જિનાલયમાં
શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હતી.
પહેલી મંદિર (જીર્ણોદ્ધાર બાદ)
www.jainelibrary.or loc
Page #142
--------------------------------------------------------------------------
________________
જીર્ણોદ્ધાર બાર અહીં શ્રીપુરુષાકાનીય પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. બારીની બહાર લાબી આને જાણી દીવાલે આ શ્રી શાંતિનાથજી અને શ્રી વૈમિનાથજીની ભીતરીમાં પ્રભુની શ્યામ ચરણપાદુકા બિરાજિત છે. ભાવથી વંદન કરી શ્રી મહાવીરસ્વામીના બીજા મંદિરે જઈશું,
(
ક
/
2
.
(Rશ ડિઘડAR૫1. AR ARTS
दोभा समानक निकांतावेन चुनौठा परिकारेण
Aી ગાળુ, વર્ષાર્થિ છે
प्रभारपायविया
વકી છે. MR (લતા હૈ
મૂળનાયક શ્રી પરષાદનીય પાર્શ્વનાથજી.
[ ૧૮]
anone
For private & Personal Use Onk
Page #143
--------------------------------------------------------------------------
________________
પહેલું મંદિર (જીર્ણોદ્ધાર પહેલાં)
શ્રી નેમિનાથજી
શ્રી શાંતિનાથજી
પ્રાચીન પાદુકા
(૧૩૯
Page #144
--------------------------------------------------------------------------
________________
બીજું મંદિર
બીર્તન વેની હરગવિ જી
(જીર્ણોદ્ધાર પહેલા)
(જીણોદ્ધાર બાદ)
આ છે ઘુમ્મટબંધી બીજું જિનાલય. સંવત ૧૬૬૩માં આ મંદિર બંધાયું હતું, જેની બાંધણી જોતાં લાગે છે કે આ જિનાલય મોગલ સમયમાં અસ્તિત્વમાં આવ્યું હશે.
da 1 Oation International
Private & Personal use only
Page #145
--------------------------------------------------------------------------
________________
જીણોદ્ધાર બાદ અહીંના જિનાલયની ત્રણ ભીંતદેરીમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી, ડાબે શ્રી પાર્શ્વનાથજી અને જમણે શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રતિષ્ઠિત છે. ....તમો જિણાણ.
શ્રી પાર્શ્વનાથજી
ચાકુ
2 servity ath
શ્રી મુતિસુવ્રતસ્વામી
लसण
મળતાયક શ્રી મહાવીરસ્વામી
Private & Personal Use Ony
674-6
|૧૪૧
Page #146
--------------------------------------------------------------------------
________________
मुनिगुतातित विकास मंडरा
श्रीराजगृहीत धनी भारनिय
जिननिम्बकासको
કી જય પn
'
(ડા) શ્રી પાર્શ્વનાથજી (મૂળનાયકની આજુબાજુ) શ્રી મુનિસુવ્રતસ્વામી (જમણે)
ગભારામાં મૂળનાયકની દેરીની ડાબી દીવાલે શ્રી ચંદ્રપ્રભસ્વામીની તથા જમણી દીવાલે શ્રી શાંતિનાથ પ્રભુની દેરી આવેલી છે. દર્શન કરી મૂળ ગભારાની પરિક્રમા કરીએ.
(Sાબી દીવાલે) શ્રી ચંદ્રપ્રભજી (ગભારામા) શ્રી શાંતિનાથજી (જમણી દીવાલે)
Page #147
--------------------------------------------------------------------------
________________
ગભારાની બહારની ભમતીમાં પ્રથમ શ્રી વાસુપૂજ્યજી, બીજા શ્રી શાંતિનાથજી, ત્રીજા શ્રી નેમિનાથજી તથા ચોથા શ્રી પાર્શ્વનાથજીનાં ચરણની
દેરી આવેલી છે. જિનેશ્વર ભગવાન અને આ ચરણ-દેરીમાં
વંદન કરી આગળ ત્રીજા મંદિરે જઈએ.
શ્રી વાસુપૂષ્ણજી
શ્રી શલિનાથજી
શ્રી વૈશિથજી
શ્રી પાર્થતાથજી
(૧૪૩]
www.ja
Page #148
--------------------------------------------------------------------------
________________
જીર્ણોદ્ધાર બાદ
ત્રીજું મંદિર (બડામદિર)
વર્ષો પૂર્વેના શ્રી મુનિસુવ્રતસ્વામી
ચૈત્યવદન
जेनश्वेताम्वरम
સ્તુતિ રાગી થયો હું નાથ તારો,
ભવ વિરતાને પામવા, જન્મ સફળ કરવા વળી, મુજ જીવનને અજવાળવા, ગૃહત્યાગને વિરતિ તણા, સદ્યોગ સિદ્ધિ સાધવા, હિતકાર સુવ્રત આપ, પ્રણતિ કરું હું કર્મ ખપાવવા.
મુનિસુવ્રત જિન વીસમા, કચ્છપનું લંછન;
પધા માતા જેહની, સુમિત્ર નૃપનંદન. રાજગૃહી નગરી ધણી, વીસ ધનુષ શરીર;
કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઉદ્દામસમીર. ત્રીસ હજાર વરસા તણું એ, પાળી આયુ ઉદાર; પદવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર.
જ વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીની કલ્યાણક ભૂમિનું સૌથી મહત્ત્વનું અને
‘બડામંદિર” તરીકે ઓળખાતું આ છે ત્રીજું જિનાલય. આ મંદિરના શિખરમાં જાણે નવપદના નવગઢના સ્તરની કલ્પના મૂકી હોય તેવી પ્રાચીન રચના જોવા મળે છે. નીચી
બાંધણીના આ મંદિરમાં જીર્ણોદ્ધાર પહેલાં પ્રતિમાઓના સ્થાને ગામમંદિરના ૧૪૪ શ્રી મુનિસુવ્રતસ્વામીની છબીનાં દર્શન કરવામાં આવતાં હતાં.
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિનાથજી
શ્રી મહાવીરસ્વામી
The Gita - કાઇ જાજરમતો अनिसुनी प्रासचालकमा यस्ता परिवारण ।।
"
કે
|
e
Lohan Maran માથે છત
છે કે
शाल भाशाली गरगारेण
મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી
૧૪"
Page #150
--------------------------------------------------------------------------
________________
-
| (ડાબે) શ્રી નેમિનાથજી (મૂળનાયકની આજુબાજુ) શ્રી મહાવીરસ્વામીજી (જમણે)
જીર્ણોદ્ધાર બાદઅહીં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીજી તથા તેમની ડાબે શ્રીનેમિનાથજી અને જમણે શ્રી મહાવીરસ્વામીજી બિરાજમાન છે. જે નમો જિહાણ, ગભારાની બહાર નીકળીએ એટલે ડાબી બાજુની ભીતરેરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની ચરણપાદુકા તથા
જમણી બાજુની ભીંતદેરીમાં દાદાગુરુ શ્રી જિનભદ્રસૂરિજીની ચરણપાદુકા છે.
શ્રી મુનિસુવ્રતસ્વામીનાં ચરણ
શ્રી જિનભદ્રસૂરિજીની ચરણ
ભીતદેરીમાં પ્રતિષ્ઠિત ચરણ
[૧૪૬
Jain Edutan International
www.jaimbrary.org
Page #151
--------------------------------------------------------------------------
________________
- ઓલ્ડ જૈન શ્રાઇંગ મંદિર (અવશેષ)
(પાર્થ ઈંદિરાઁ શિલ્પો)
ગુપ્તકાલીન સમયના આ મંદિરનાં ખંડિયેરમાં દેખાતું ઈંટોનું સાદું બાંધકામ આપણને પ્રાચીન સમયના જિનમંદિરની રચનાનો ખ્યાલ આપે છે કે તે સમયે આ મંદિરો સાદાં અને
વીતરાગભાવ ઉપજાવે તેવાં બાંધવામાં આવતાં .
ત્રીજા મંદિરની બહાર નીકળતાં ડાબી બાજુએ શ્રી જગતશેઠનું મંદિર હતું, જે હાલ નથી.
જમણી બાજુએ આઠમી સદીના ‘ઓલ્ડ જૈન શ્રાઇંગ મંદિર’ના અવશેષો દેખાય છે, તે
જેની મૂર્તિઓ અપૂજિત, પરંતુ કલાત્મક ખંડિત થયેલી જોવા મળે છે. અહીં એક મૂર્તિ પદ્માસનસ્થ, નીચે ધર્મચક્ર અને સંભવતઃ માતા ત્રિશલા રાણી પોઢેલાં હોય તેવી છે; માટે આ પ્રતિમા
મહાવીરસ્વામીના જન્મકલ્યાણકની સ્થાપના દર્શાવતી હોઈ શકે!
૧૪૭ www.jainelibrary forg
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલય
| (ચોથું મદિર)
૧૪૮)
Jain Education Hernation
Page #153
--------------------------------------------------------------------------
________________
બડામંદિરની બહાર આવીએ એટલે આ જ મંદિરના પટાંગણમાં શ્રી વાસુપૂજ્યસ્વામીનું ચોથું મંદિર) નૂતન જિનાલય છે. આ નાનકડા જિનાલયમાં શ્રી વાસુપૂજ્યસ્વામીની આછા કેસરિયા રંગના
પાષાણની એકમાત્ર સુંદર ભાવવાહી મૂર્તિ છે. ભાવથી દર્શન કરી યાત્રામાં આગળ વધીશું.
श्री वासुपूज्यस्वामीभगवान
Ra Re
LLLLLL
મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીજી
(૧૪૯)
stion in
FOF Private & Persos
jainelib
Page #154
--------------------------------------------------------------------------
________________
- શ્રી ગૌતમસ્વામીજીનું મંદિર
(પાંચમું મંદિર)
સામાન્ય રીતે લોકો પાંચમા પહાડની યાત્રા અહી પૂરી થઈ ગણે છે; પણ તા. એવું નથી. આગળ જઈએ તો અગિયાર ગણધરોની નિર્વાણભૂમિની દેરી આવે, છે. તો ચાલો. સહ સાથે ગૌતમાષ્ટકતું ગાત કરતાં કરતા અગિયાર ગણધર ભગવંતોની મોક્ષભૂમિ તરફ જઈએ. અહી જવા માટે સુંદર અને ગીચ વનરાજી પસાર કરવાની છે; જે અત્યંત રોમાંચ અને આનંદનો અનુભવ કરાવે છે. ' પ્રભુ મહાવીરતા પ્રથમ શિષ્ય શ્રી ગૌતમસ્વામી (ઇંદ્રભૂતિ), અગ્નિભૂતિ, વાયભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અકેપિત, અચળભાત, મેતાર્ય અને પ્રભાસ એમ કુલ અગિયાર ગણધરો અહીંથી મોક્ષે ગયા હતા, જેમાં ગૌતમસ્વામીએ છઠ્ઠના પારણે છઠ્ઠ કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આ ૧૧ ગણધરોતા પગલાંને વંદન કરીએ.
T૧૫O
El Brivate Personal use only
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રીગૌતમસ્વામીજીની વેદિકા
અને
૧૧ ગણધરોની ચરણપાદુકા
LSमायोजन
ર
ત ર
. 13
ને ?
/ ત ક
ય ય છે એક કર તાં
તેમના
الاحبها لطفله عالمه الطلاء اهمه
و برنا ابن وأمنيا ايها
૧પ૧
Jain
anal
www
tel
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૧ ગણધરોની મોક્ષાભૂમિ આરાધત અતશને કીધ, વૈભારગિરિ વાસરે, પાયા કેવળ જ્ઞાન પ્રસિદ્ધ, શિવસુખ સહિ ખાસ રે,
vel oilanequila oe વીર જિતેશ્વર કેરો શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિન,
જો કીજો ગૌતમનું ધ્યાન, તો ધર વિલર્સ નવે વિધાત.- ૧ ગૌતમ તાપે ગરિવર ચઢે, મનવાંછિત હેલા સપજે,
ગૌતમ નામે તોવે રોગ, ગૌતમ તામે સર્વ સજોગ.- ૨ જે વૈરી વિરુઆ વંકડા, તસ સામે લાવે ટૂકડાં;
' ભૂતપ્રેત કવિ મંડે પ્રાણ, તે ગોતમતા કરુ વખાણ.- 3 ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય; આ છે ગૌતમ જિતશાસત શણગાર, ગોતમ તામે જયજયકાર, શાળ દાળ સરહા છંત ગોળ, મતવાછિત કાપડ તબોળ; | ગૃહશું ગૃહિણી વિમળ ચિત્ત, ગૌતમ નામે પત્ર વિતીત - પ , ગૌતમ ઉયો અવિચળ ભાણ, ગૌતમ તમ જપો જગ જાણ; .
હોટાં મંદિર મેર સમાન, ગૌતમ નામે સકળ વિહાણ.- ૬ ઘર મહિગળધોડોની જોડ, વાંર પહોંચે વછિત કોડે છે.
છે મહિયલ માતે હોટા રાય, જો તુઠે ગૌતમના પાય. ૭." ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉતમ તરતી સણત મળે;
ઓ ગૌતમ તામે નિર્મળ ફાન, ગૌતમ નામે વાધે વાત.- ૮ ડો 'પુણ્યવત એવધારો સહ, ગુરુ ગોતમના ગુણ છે બહાર
'કહે લાવણ્ય સમય કર જોડ, ગોતમ તૂઠે સંપત્તિ ક્રોડ.- ૯
J 142cation International
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રી ઘન્દી-શાલિભદ્રની દેરી
(છઠ્ઠું મંદિર) હવે આગળ જતાં જમણે દેખાય છે : ધન્ના-શાલિભદ્રની નિર્વાણભૂમિ. ધન્ના-શાલિભદ્ર આ સ્થળે ધગધગતી શિલા પર અનશન કરીને દેવલોકની પ્રાપ્તિ કરી હતી.
જીર્ણોદ્ધાર થઈ રહેલી દેરી
જીણોદ્વાર પહેલ
સં.૧૫૬૪માં શ્રીમાલ શ્રાવક છીતમલે વૈભારગિરિના શિખર પર ધન્ના-શાલિભદ્રની મૂર્તિઓ, અગિયાર છે
ગણધરોની પાદુકાઓ તેમજ ગુરુ શ્રી જિનભદ્રસૂરિની પાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. પહાડની પાછળના ભાગે સરસ્વતીજીની ખંડિતપરંતુ ભવ્ય
અને સુંદર મૂર્તિ છે.
શ્રી શાલિભદ્ર
શ્રી ઘGી
[૧૫૩
Page #158
--------------------------------------------------------------------------
________________
આ દેરીમાં અંદર પણ સુંદર કારીગરી છે. જીર્ણોદ્ધાર પહેલાં અહીં માત્ર ધના-શાલિભદ્રની પાષાણની નાની મૂર્તિઓ હતી. જીર્ણોદ્ધાર બાદ અહીં મૂળ વેદિકામાં શ્રી મહાવીરસ્વામીજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેમની ડાબે શ્રી શાલિભદ્રજી અને જમણે શ્રી ધના અણગારની (નૂતન)
મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તે
भारंगरी श्री महावीर जिनबिय काराष्ट्र
भदाबेन पुत्र रहिमत भार पुत्रवधू-भधा- सेना पौत्र
जुल क्रीजलस्मितप्रवृत्तसगारिका वास्ताम परिधारेण ।।
पर २ लियो सानिया
समुदायततिपू. आ. श्री जयकं टमटि
"
પ્રવિણશિંગ કિજંદ૨૦ધુજ ગોદરમા
૧૫૪| Jain Education Intematon
કૂળતીથી શ્રી વહાવીસસાથી ભીની
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રી ઘની
શ્રી શાલિભદ્ર
I (હાલ રી). થભાચાં શાબી દીવાલ શ્રી શાલિભદ્વજીની નો જાણી શીલાલેશ્રી થનાજીની સ્વતંત્ર ભીતરી છે.
શ્રી શાલિભદ્ર અને તેમના બનેવી શેઠ ધનાશા રાજગૃહી નગરીનાં કુબેરરત્ન હતા. શાલિભદ્ર હવેલીના સાતમા માળે ભોગ-વિલાસમાં ગળાડૂબ રહેતા. એક દિવસ આ નગરીમાં સવા લાખ સુવર્ણમુદ્રાની કિંમત ધરાવતા મહામૂલ્યવાન રત્નકંબલ લઇ એક વેપારી આવ્યો, પરંતુ તેની કિંમત સાંભળી મહારાજા શ્રેણિકે એકેય ખરીદ્યા નહીં. છેવટે વેપારી શાલિભદ્રની હવેલીએ ગયો અને ત્યાં કંબલ વેચ્યા. આ બાજુ મહારાણી ચેલણાએ રાજા. શ્રેણિકની સામે હઠ લીધી કે મને એક રત્નકંબલ લાવી આપો. રાજાએ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ૧૬ રત્નકંબલ બે ટુકડા થઈ શાલિભદ્રની ૩૨ પુત્રવધૂઓ વચ્ચે વહેંચાઈ ગયા છે અને તેનો સ્પર્શ વાગતો હોવાથી તે રત્નકંબલનો ઉપયોગ પુત્રવધૂઓ પગલુછણિયાં તરીકે કરે છે. આથી રાજા શાલિભદ્રજીને ત્યાં પધાર્યા.
શાલિભદ્રની માતા ભદ્રાએ પુત્રને નીચે આવીને રાજાને નમસ્તે કરવા કહ્યું. શાલિભદ્ર હવેલીની બહાર જગત જોયું | ન હતું અને પોતે જ રાજા છે તેમ માનતો હતો. આથી માતાને શ્રેણિકનું જે કંઈ મૂલ્ય હોય તે આપીને ખરીદી લેવા કહ્યું, પરંતુ ભદ્રાએ સ્પષ્ટતા કરી કે તે આપણા રાજ્યના મહારાજા છે. આ ઘટના શાલિભદ્રના મનમાં એક પ્રશ્ન મૂકતી ગઈ કે “મારા પણ કોઈ નાથ છે?' એવામાં ધર્મઘોષ મુનિનો ઉપદેશ સાંભળતાં તેમને સંયમમાર્ગે જવાનો ભાવ થયો આથી માતાએ ક્રમશઃ ત્યાગના અભ્યાસની વાત સમજાવી.
રાજગૃહીમાં જ વસતી શાલિભદ્રની બહેન સુભદ્રાને પોતાના ભાઈના ત્યાગનું સ્મરણ થઈ આવતાં આંખમાં આંસુ આવી ગયાં. આ જોઈ ધન્નાશાએ કહ્યું કે રોજ એક એક ત્યાગ કરવાથી શાલિભદ્રને કશું નહીં મળે, આ તો કાયરતા કહેવાય. આથી સુભદ્રાએ વળતો જવાબ આપ્યો કે કહેવું સરળ છે, ત્યાગ કરવો કઠિન છે. પત્નીનાં વેધક વચનોથી વીંધાઈને સુભદ્રા અને બીજી સાત પત્નીઓને છોડી ધનાશા ચાલી નીકળ્યા. ભગવાન મહાવીર રાજગૃહીનગરીની બહાર સમવસરણમાં હતા ત્યારે શાલિભદ્ર અને શેઠ ધનાશાએ એમની પાસે આવીને દીક્ષા ગ્રહણ કરી. આવા સંયમઆરાધક ધન્ના-શાલિભદ્ર રાજગૃહીના વૈભારગિરિ પરથી મોક્ષે ગયાં. આ મૂર્તિઓનાં દર્શન કરી લોગસ્સનો કાઉસગ્ગ કરીશું, “સહુને અમારાં અગણિત વંદન”
- એમ મનમાં લાવીનેસી સાથે બોલીઓ ની-શાલિભદ્રની જ્ય, . ૧૫૫.
Page #160
--------------------------------------------------------------------------
________________
વીરાયતના
બ્રાહ્મી કલામંદિરમ્
સંપર્ક વીરાયતન, રાજગીર જિલ્લો - નાલંદા (૮૦૩૧ ૧૬)
ફોન : ૦૬૧ ૧ ૨ - ૨૫૫૨૪૦ ૨પપર૪૯, ૨પપર૩૦, ૨૨૫૫૦૧ ૩
જાપાનીઝ મંદિર “નંદતીવો રીવ સર્ચ'' અર્થાત એક દીપ હજારો દીપને પ્રજ્વલિત કરે છે. અહીં ‘બ્રાહ્મી કલામંદિરમ” જોવાલાયક છે, જેમાં ચોવીસ તીર્થકરોના જીવન-ઉપદેશોને કંડારવામાં આવ્યા છે. રાષ્ટ્રસંત ઉપાધ્યાય શ્રી અમરમુનિ મહારાજના આશીર્વાદ અને આચાર્યા ચંદનાજીના માર્ગદર્શન હેઠળ, ઈ. સ. ૧૯૮૨માં આ અદ્ભુત કલા પ્રદર્શન વિશ્વમાં સ્થાન પામ્યું છે. પ્રભુ મહાવીરના અનુયાયીઓના સંસ્કારિત વાતાવરણમાં રાજગિરિમાં રોકાવા માટે પાંચમા પહાડની તળેટીમાં આવેલી આ શ્રેષ્ઠ જગ્યા છે. શાંતિ, સ્વચ્છતા, ભક્તિના સુંદર સુમેળ સાથે રહેવાની ઉત્તમ સગવડો વીરાયતન’ ધરાવે છે. “ગરીબ, પીડિત, પછાત અને દુઃખીને મદદ સાથે સાધનાના માર્ગે સહુનો વિકાસ’ એવીરાયતનનો મુખ્ય ઉદ્દેશ છે. quoalionerational
Page #161
--------------------------------------------------------------------------
________________
'રાજગહીં તીર્થમાં આવેલા જોવાલાયક સ્થળો
ખાસ નોંધ
(રાજગિરિની પંચપહાડી યાત્રા અહીં પૂર્ણ થાય છે, પરંતુ રાજગિરિમાં એવાં ઘણાં ઐતિહાસિક સ્થળો છે; જેનો ‘ભાવયાત્રા'માં સમાવેશ કરી શકાય નહીં, જોકે યાત્રા કરવા જઈએ અને સમયની અનુકૂળતા હોય તો આ સ્થળોની મુલાકાત લઈ શકાય. આ સ્થળોમાં ખાસ કરીને પાંચમા પહાડમાં આવેલી રોહિણેય ચોરની ગુફા અને પહાડની તળેટીમાં આવેલું વીરાયતન, જાપાનીઝ મંદિર | જોવાલાયક છે. પહેલા પહાડમાં સમવસરણ મંદિર (દિ.), ત્રીજા પહાડના રસ્તે શ્રેણિક રાજાની જેલ
અને ગિદ્ધકૂટ પહાડમાં આવેલો વિશ્વશાંતિ સૂપ તથા ચોથા પહાડમાં તળેટીમાં આવેલાં મણિયાર મઠ, સોનગરા અને જરાસંધનો અખાડો જોવાલાયક છે.
રોહિણિયા ચોરની કથા | વૈભારગિરિની આ ગુફામાં લોહખુર નામનો ભયાનક ચોર રહેતો હતો. અંતિમ વેળાએ પોતાના પુત્ર રોહિણિયાને કહ્યું, “તું ક્યારેય ભગવાન મહાવીરનો ધર્મોપદેશ સાંભળતો નહીં.” રોહિણિયાને જ્યારે ધાડ પાડવા માટે જવું હોય ત્યારે પ્રભુના સમવસરણ પાસે થઇને જવું પડતું હોવાથી કાનમાં આંગળી ખોસીને જ પસાર થતો. એક વાર બાવળની શૂળ વાગતાં તેને કાઢવા જતાં ભગવાન મહાવીરનું ‘દેવયોનિ'નું વર્ણન તેને સંભળાયું. ‘જેના ચરણ પૃથ્વીને અડતા નથી, જેની આંખો મટકું મારતી નથી, જેણે પહેરેલી ફૂલમાળા ક્યારેય કરમાતી નથી અને જેના શરીરે ધૂળ કે પરસેવો હોતો નથી તે દેવ કહેવાય છે.” હવે આ બાજુ રોહિણિયાનો ત્રાસ વધતાં રાજા શ્રેણિકે મંત્રી અભયકુમારને તેને પકડવાનું કામ સોપ્યું.
મંત્રીએ યુક્તિ રચી. રોહિણિયાને દારૂ પાઈને બેભાન કરી સુવડાવ્યો અને દેવલોકનું વાતાવરણ ઊભું કર્યું. વળી,
રોહિણિયા ચોરની ગુફા તેને કહેવામાં આવ્યું કે તે દેવલોકમાં છે અને જો એનાં પાપપુણ્યનો હિસાબ આપી દે તો તેને સ્વર્ગ મળે. આ સમયે રોહિણિયાને પ્રભુ વીરની વાણી યાદ આવી અને રચાયેલો પ્રપંચ પામી ગયો. તેથી તેણે કહ્યું કે પોતે જીવનમાં સદાય સત્કર્મો જ કર્યા છે. આમ કહી તે છૂટી ગયો.
શકનો લાભ મેળવી છૂટી ગયેલા રોહિણિયાને છેવટે પસ્તાવો થતાં તેણે ચોરીની કબૂલાત કરી અને પ્રભુ પાસે દીક્ષા લઈ ત્યાગમય જીવન ગાળ્યું. પાંચમા પહાડથી ૬૫ પગથિયાં નીચે ઊતરીએ એટલે સપ્તપર્ણી ગુફા તરીકે ઓળખાતી રોહિણિયા ચોરની ગુફા છે, જેનો અંત શોધી શકાયો નથી. કહેવાય છે કે અજાતશત્રુ દ્વારા ઈ.સ. પૂર્વે ૪૮૩માં આ ગુફા બનાવવામાં આવી હતી; જ્યાં ભગવાન બુદ્ધે સંગીત સભા કરી હતી. અહીં શ્રદ્ધાળુઓને આ ગુફાની
ગુફામાંથી દયમાન રાજગૃહી શિલાઓમાં ચાંદીના વરખ લગાડતા જોવામાં આવે છે.
૧પ૭ - રાજ રે
www.jurary.org
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પહાડની ટોચે ઉત્તર
દિશામાં ૭૨ ફૂટ ઊંચું સમવસરણની રચનાકૃતિવાળું દિગંબર મંદિર દેખાય છે. અહીં
પ્રભુ મહાવીરની ગેરુ રંગની
| ચૌમુખી પ્રતિમા બિરાજે છે. પ્રભુ મહાવીરે આ પહાડ પર દેશના આપી હતી
તેવી માન્યતા છે. સમવસરણ મંદિરનાં ૧૫૫ પગથિયાં ચઢીએ એટલે સમગ્ર રાજગિરિનાં સુંદર છે. દેશ્યો જોવા મળે છે. અહીંથી અગ્નિ ખૂણામાં બીજો પહાડ, પશ્ચિમે પાંચમો પહાડ અને પૂર્વે વિશ્વશાંતિ
સ્તૂપ નજરે પડે છે. નીચેના ખંડમાં પ્રભુવીરનો જીિવનનાં ચિત્રો અને પ્રાચીન મૂર્તિદર્શનીય છે.
સમવસરણ (પ્રથમ પહાડ)
શ્રેણિક રાજાની જેલ
મણિયાર મઠથી ૧ કિ.મી દૂર અને ઉદયગિરિથી સુવર્ણગિરિ આવતાં રસ્તામાં ખંડેર આવે છે. મહારાજા શ્રેણિકને ત્રણ પુત્રો હતા : અભયકુમાર, વારિષણ અને અજાતશત્રુ. અભયકુમાર અને વારિષણે દીક્ષા ગ્રહણ કરી, જ્યારે અજાતશત્રુએ કોઈની ચઢવણીથી પિતાને જેલમાં પૂર્યા. પોતાની ભૂલ સમજાતાં પિતાને છોડવા ગયા, પરંતુ શ્રેણિક રાજા અજાતશત્રુ પોતાને મારવા આવે છે એમ સમજી પથ્થરો સાથે માથું પછાડી મૃત્યુ પામ્યા. આ છે શ્રેણિક રાજાની જેલના અવશેષો. ૬૦ મીટરના વર્ગાકારમાં બનેલી, પાંચમી સદીમાં શોધાયેલી, ૨ મીટર પહોળી દીવાલવાળી આ જેલમાં ખોદકામ દરમ્યાન સાંકળો મળી આવી છે. પુરાતત્ત્વ વિભાગના સર્વેક્ષણ અનુસાર ત્રીજા પહાડથી પાછા વળતાં રસ્તામાં “રથચક્ર”નું સ્થાન આવે છે. અહીં ચોથી-પાંચમી શતાબ્દીમાં એટલે કે લગભગ મહાભારતકાળના સમયના રથના ચક્રનાં પૈડાંનાં નિશાન આજે પણ જોવા મળે છે.
રથીસ્થાની
૧૫૮
Page #163
--------------------------------------------------------------------------
________________
રોપ-વે (રજ્જુમાર્ગ)
વિશ્વશાંતિ સ્તૂપ
नाम्-म्यो-हो-रे-गे क्यो
સદ્ધર્મવિહાર
ત્રીજા પહાડની યાત્રા કરવા જતાં રસ્તામાં ગિદ્ધકૂટ પહાડ પર આવેલા ‘વિશ્વશાંતિ સ્તૂપ' પર જવા માટે રજ્જુમાર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. ઈ.સ. ૧૯૬૯માં વિશ્વશાંતિ સ્તૂપના ગોળ ઘુમ્મટાકાર મંદિરમાં ચારે દિશામાં ભગવાન બુદ્ધની ચાર વિવિધ મુદ્રાની મૂર્તિઓની સ્થાપના કરવામાં છે. તેની બાજુમાં એક જાપાનીઝ મંદિર પણ છે જે ‘સદ્ધર્મવિહાર’ તરીકે ઓળખાય છે. ભારત અને જાપાનીઝ સંસ્કૃતિનો આધ્યાત્મિક સુમેળ અહીં જોઈ શકાય છે. મોટા ‘ગોંગ’ જેવા સાધન પર વાગતા ટકોરાથી સમગ્ર મંદિરમાં એક અનેરી ગુંજ પેદા થાય છે અને તેની સાથે ત્યાં વગાડી રહેલો આ માણસ એક સૂત્ર સતત બોલે છે : નામ્-મ્યો-હો-નૅ-ળે-યો. અહીં મધ્યમાં સ્તૂપની રચના છે જેને ‘સપ્તરત્ન સ્તૂપ’ કહે છે. ડાબી બાજુ ભગવાન બુદ્ધ અને જમણી બાજુ શાક્યમુનિની મૂર્તિ છે. આ ‘સદ્ધર્મવિહાર’ના મંદિરમાં લખેલું વર્ણન આ પ્રમાણે છે : ‘સદ્ધર્મપુણ્ડરીક સૂત્ર' અનુસાર, એક વાર ભગવાન બુદ્ધ જ્યારે આ ગિદ્ધકૂટ પર્વત પર ધર્મોપદેશ આપતા હતા ત્યારે આ રત્નગિરિ પર્વત પર સાત રત્નવાળો એક સ્તૂપ આકાશમાંથી અચાનક પ્રગટ્યો. તેની અંદર રહેલા ‘પ્રભૂતરત્ન’ નામના પ્રાચીન બુદ્ધે કહ્યું, “હે પ્રભુ ! હે શાક્યમુનિ ! તમે ધન્ય છો. આ સદ્ધર્મપુણ્ડરીક નામના ધર્મપર્યાયની આપે સુંદર વ્યાખ્યા કરી છે. તમારાં વચનો સત્ય સનાતન છે.’” ત્યાર પછી તે સપ્તરત્ન સ્તૂપની અંદર શાક્યમુનિ બુદ્ધે પણ આસન ગ્રહણ કર્યું અને પ્રભુરત્ન બુદ્ધની સાથે વિમર્શ કરીને અનંતકાળ સુધી ચાલે તેવું આ સૂત્ર સ્થાપિત કર્યું. આ મંદિરમાં આજે પણ સૂત્રના ગુંજારવ સાંભળવા મળે છે કે “સર્વ મનુષ્યો એક થાવ.’’
૧૫૯
www.jain
Page #164
--------------------------------------------------------------------------
________________
મણિયાર મઠ
પ્રાચીન રાજગૃહીનગરની મધ્યમાં અને ચોથા પર્વતની તળેટીએ જતાં રસ્તામાં ડાબી બાજુએ ‘મણિયાર મઠ” અથવા “નિર્માલ્ય કૂપ’ નામનું સ્થાન આવે છે. મણિયાર એટલે ઝવેરી. જે મણિ આદિ અલંકારોની વિશેષતા ધરાવતું સ્થાન ‘મઠ'ના આકારે હોવાથી ‘મણિયાર મઠ' બોલાય છે. અહીં ૩ મીટર પહોળો કૂવા જેવો ખાડો છે. તેની દીવાલો ૧.૨૦ મીટર જાડી છે અને તેના પર મઠના આકારે ગોળાકાર છાપરું છે. બહારની દીવાલ પર ચતુર્ભુજ વિષ્ણુ, નાગ, સાપથી લપેટાયેલા ગણેશ, છ ભુજાધારી શિવની પ્રતિમા હતી; જેમાંથી મોટા ભાગની નાશ પામી છે. આ પ્રાચીન સ્થળની ઓળખાણ પાલિગ્રંથોમાં વર્ણવેલ મણિમાલ ચૈત્ય અથવા મહાભારતમાં ઉલ્લેખિત મણિનાગમંદિરના રૂપે કરવામાં આવી છે. કથા છે કે શાલિભદ્રના પિતા દેવલોકમાંથી પોતાના પુત્ર અને ૩૨ પુત્રવધૂઓ માટે વસ્ત્ર અને અલંકારોથી ભરેલ ૩૩ પેટી રોજ મોકલતા, જેનો એક દિવસ માટે ઉપયોગ કરી આ કૂવામાં ફેંકી દેવાતાં. અહીંથી શાલિભદ્રની પ્રાચીન પાદુકા મળી હતી જે પટણા મ્યુઝિયમમાં છે. પુરાતત્ત્વ ખાતાની શોધખોળમાં અહીં જૈન મંદિરના અવશેષો મળી આવ્યા છે અને ગોળાકાર ખાડા જેવા આ બાંધકામમાં દૂધ, ઘી, ધૂપ
રાખવાનાં સ્થાન હશે તેવું માનવામાં આવે છે.
ચોથા પહાડની યાત્રાએ જતાં રસ્તામાં . અને સુવર્ણગુફાની ડાબી બાજુ જરાસંધનો
અખાડો આવેલો છે; જ્યાં ભીમ અને જરાસંધ વચ્ચે ૨૮ દિવસ યુદ્ધ ચાલ્યું હતું.
- જરાસંધનો અખાડો
૧૬)
-
ersonal use only.
Page #165
--------------------------------------------------------------------------
________________
ગુફાતી દીવાલ પર મો. કોતરેલો મંત્ર
निर्वाणालहाय तपस्वी योग्ये सुगुये अर्हत प्रतिमा प्रतिष्ठते ॥
જૈત ધર્મચક્ર
સંસ્કૃત-પાલિ મિશ્રભાષાતો શ્લોક સોતગુફા
‘નિર્માલ્યકૂઈ’થી આગળ સીધા રસ્તે આવે છે; બીજા સૈકાની ‘સોનગુફા’, જે ‘ગુહાચૈત્ય’ તરીકે ઓળખાય છે. ૩૪ ફૂટ લાંબી અને ૧૭ ફૂટ પહોળી ગુફાને સાડા છ ફૂટનું પ્રવેશદ્વાર છે. એવી લોકકથા છે કે સામેની બંધ દીવાલની પાછળ ત્રણ માઈલ લાંબી ગુફામાં રાજા શ્રેણિક અને રાણી ચેલણાનો ગુપ્ત ભંડાર છુપાયેલો છે કે જ્યારે રાજા જૈન મૂર્તિઓ (ગુફા તા. ૨) શ્રેણિકનું પોતાના પુત્ર અજાતશત્રુને કારણે મૃત્યુ થાય છે ત્યારે ભયભીત બનેલી રાણી ચેલણા સર્વ સંપત્તિ મુનિ ગૌતમસ્વામીને અર્પણ કરે છે. નિર્લેપ મુનિ તેના ધનની રક્ષા માટે અહીં ગુફામાં આ સંપત્તિ બંધ કરી એક ‘મંત્ર’ લખે છે. અહીં તે મંત્ર જોઈ શકાય છે. એવું કહેવાય છે કે અંગ્રેજ સરકારના શાસનમાં પણ અહીં ખજાનો શોધવા માટે તોપ ચલાવી હતી, જેનાં નિશાન જોવામાં આવ્યાં છે. ત્યાર બાદ વૈજ્ઞાનિક ડૉ. જગદીશચંદ્ર બોઝે અહીંનાં પાણીની ચકાસણી કરી તો તેમાં ગંધક, રેડિયમ અને લોખંડનો સુમેળ જણાયો હતો. તેમણે કહ્યું કે, “જો ડાઇનામાઇટથી ગુફા તોડવામાં આવશે તો ભૂકંપ સર્જાશે અને સમગ્ર રાજગિરિનાં બધાં જ મંદિરો અને કુદરતી સૌંદર્ય નાશ પામશે !’ આથી ભારત સરકારે આ જગ્યાને એક દર્શનીય સ્થળ તરીકે વિકસાવીને આરક્ષિત કરી છે. બાજુની બીજી ગુફામાં અંદર દીવાલમાં કોતરેલી પ્રભુ પદ્મપ્રભજી, અજિતનાથજી તથા મહાવીરસ્વામીની મૂર્તિઓને વંદન કરીએ. ...તમો જિણાણ. અહીં જૈન ધર્મચક્ર પણ દેખાય છે. કહેવાય છે કે જૈનમુનિ વૈરદેવે આ ગુફામાં આત્મસાધના કરી હતી. આ ગુફાની બહારની દીવાલે ત્રીજી-ચોથી સદીની સંસ્કૃત-પાલિ મિશ્ર ભાષાનો એક શ્લોક જોવા મળે છે. આ ગુફાની બાજુમાં આવેલી ગુફા બે માળની હતી, જે ઈ.સ. ૧૯૩૪ના ભૂકંપમાં નાશ પામી.
www.jainelibra
|૧૬૧
Page #166
--------------------------------------------------------------------------
________________
પટણા
૧૩ કિ.મી. લાંબો ગાંધીસેતુ
ઘણા લીધા કિનારે વસેલું પટણા
મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ ! મંગલમ્ સ્થૂલિભદ્રાધા, જૈન ધર્મોસ્તુ મંગલમ્ |
બિહારનું પાટનગર એટલે પટણા. ગંગા નદીના કિનારે પાઘડી પટે વસેલા આ પાટલિપુત્ર તીર્થ સાથે અનેક જૈન ઐતિહાસિક કથાઓ જોડાયેલી છે. મગધના મહારાજા શ્રેણિકના પુત્ર અજાતશત્રુના પુત્ર રાજા ઉદયી (ઉદયન)એ પોતાની રાણી પાટલિના નામ પરથી આ નગરનું નામ પાટલિ આપ્યું હતું અને બીજા એક પ્રમાણ અનુસાર જૈનાચાર્ય અગ્નિકાપુત્રના કપાળમાં છાયાંકિત પાટલવૃક્ષની સ્મૃતિમાં આ નગરનું નામ પાટલિપુત્ર પડ્યું હશે તેમ માનવામાં આવે છે. સંસ્કૃતમાં પાટલવૃક્ષને ગુલાબના છોડનો પર્યાય ગણવામાં આવે છે.
પૂજ્યપાદ ભદ્રબાહુસ્વામી, વજસ્વામી, ઉમાસ્વાતિ અને આર્ય સુહસ્તિસૂરિ જેવા યુગપ્રધાન આચાર્ય ભગવંતોનું વિહારક્ષેત્ર આ પાટલિપુત્ર નગર ગણાયું છે. ૮૪ ચોવીસી સુધી જેનું નામ અમર થયું એવા દેઢ બ્રહ્મચર્યપાલક, અદ્વિતીય કામવિજેતા, દશ પૂર્વધર મહર્ષિ શ્રી સ્કૂલિભદ્રજીની આ પાવન કર્મભૂમિ છે. લગભગ ૨, ૨૭૫ વર્ષો પૂર્વે મહર્ષિ સ્થૂલિભદ્રજી આપાવનપાટલિપુત્રનગરીમાં થઈ ગયા..
Page #167
--------------------------------------------------------------------------
________________
પટણામાં સ્ટેટ મ્યુઝિયમ, જાલાન સંગ્રહાલય, કાનોડિયા સંગ્રહાલયની પ્રાચીન પ્રતિમાઓ જૈન મૂર્તિવિધાન શાસ્ત્રની દૃષ્ટિએ મહત્ત્વની અને જોવા જેવી છે.
પટા ટેટ શમિયા
પટણા મ્યુઝિયમમાં આવેલી ભૂતિઓ
૧૬૩
www.jainellbrary.org
Page #168
--------------------------------------------------------------------------
________________
રાજા ઉદયીના નવમા નંદના મંત્રી શબ્દાલને બે પુત્રો સ્થૂલિભદ્ર અને શ્રીયક હતા.
સ્થૂલિભદ્રજી ૧૨ વર્ષ જેના પ્રેમમાં ગળાડૂબ રહ્યા તે રૂપકોશાનો અહીં મહેલ
હતો. રંગરાગમાં ડૂબેલા શ્રી સ્થૂલિભદ્રજી >ો ખાનાવાડાના ચણા જ્યારે પોતાના ભાઈ શ્રીયક દ્વારા પિતા
શકટાલના મૃત્યુના સમાચાર સાંભળે છે ત્યારે તેઓ વૈરાગ્યપામે છે. મગધ રાજ્યના પરંપરાગત મહામંત્રીપદને ઠોકર મારીને આચાર્ય સંભૂતિવિજયજી પાસે ચારિત્ર
અંગીકાર કરે છે. થોડો સમય વહી જતાં FILM
શ્રી સ્થૂલિભદ્રજી પોતાના ગુરુની આજ્ઞા લઈ ચાતુર્માસ કરવા ફરી કોશાના મહેલે પધારે છે. રાજનર્તકી કોશા સોળ શૃંગાર કરી મુનિ સ્થૂલિભદ્રજીના ચારિત્ર્યબળને ડગાવવાનો
ખૂબ પ્રયત્ન કરે છે; પરંતુ રાગને જીતેલા, શ્રી સ્થૂલિભદ્ર સાધનાસ્થળ
વાસનાનો વિલય કરી ચૂકેલા ધૂલિભદ્રજી
પોતાના અધ્યાત્મબળથી કોશાને પણ બાર વ્રત ધારણ કરાવે છે. આવા શ્રી સ્થૂલિભદ્રજી ઈ.સ. પૂર્વે ૩૧૧માં પાટલિપુત્રમાં કાળધર્મ પામ્યા હતા. એમનું સ્મારક ગુલજાર બાગ સ્ટેશનની સામે ટીલા પર બનાવેલી દેરી ‘કમલદ્રહ’માં આજે પણ જોવા મળે છે. (દ્રહ એટલે ધરો - ઊંડો ખાડો. આ ખાડામાં કમળ થતાં હોવાથી તે કમલદ્રહ” તરીકે ઓળખાયું.) આ ટીલો (ટેકરી) પહેલાં રાજનર્તકી કોશાનો રંગમહેલ હતો. જલક્રીડા માટે નિર્મિત કમલ સરોવર અને બગીચો આજે પણ જીર્ણાવસ્થામાં જોવા મળે છે. વળી, એમ પણ જાણવામાં આવ્યું છે કે આ સાધનાસ્થળની નીચે એક ગુફા છે; જે ‘ભદ્રઘાટ’ પર સીધી નીકળે છે, જેને શ્રી ભદ્રબાહુસ્વામીનું પણ સાધનાસ્થળ માનવામાં આવે છે. પટણા જંકશન રેલવે સ્ટેશનથી ૭ કિ.મી. પૂર્વ, પટણા સાહિબ સ્ટેશનથી ૪ કિ.મી. તથા ગુલજારબાગ સ્ટેશનથી ૨00 મીટર દક્ષિણમાં રેલવે લાઇન પાર કરી) આ કમલદ્રહ આવેલું છે. તેમનાં પગલાંને ત્રણ પ્રદક્ષિણા દઈએ અને નીચેની કડીઓ યાદ કરીએ.
કોશા વેશ્યા બોધવા કાજે, આવી રહા ચિત્રશાલે છે, કોશા વેશ્યા ચાર મહિના, લટકા મટકા મારે છે, પણ શીલવંતા મુનિવર મોટા, વેશ્યા કરે પ્રતિબુદ્ધિ જી,
સ્થૂલિભદ્રના ચરણે વંદન કરતાં, થાયે આતમશુદ્ધ જી... [૧૬૪)
E
cation International
www.helly
Page #169
--------------------------------------------------------------------------
________________
શ્રી સુદર્શન શેઠની દેરી
MAN
મહર્ષિ સ્થૂલિભદ્રજીની દેરી નજીક પૂર્વ દિશામાં એક પ્રાચીન મંદિર દઢ બ્રહ્મચર્યપાલક શેઠ - સુદર્શનજીનું છે. ઇતિહાસ બોલે છે કે શેઠ સુદર્શનને ચંપાપુરીમાં અભયા રાણીના આળથી શૂળી પર - ચઢાવવામાં આવ્યા હતા, પરંતુ મહામંત્ર નવકારના પ્રભાવથી તે શૂળી સિંહાસનમાં ફેરવાઈ ગઈ. શેઠ
સુદર્શને દીક્ષા લીધી અને તેઓ અહીં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તેની યાદમાં અહીં એક દેરી છે, જેમાં - તેમનાં ચરણ પ્રસ્થાપિત કરવામાં આવ્યાં છે. સુદર્શન શેઠની બ્રહ્મચર્યની અડગતા આ પૃથ્વીએ વધાવી છે તેવા મહાશ્રાવકના ચરણના, નવકારમંત્રનું સ્મરણ કરી દર્શન કરીએ.
આવો, પ્રાચીન પટણાની ભવ્યતાની વાતો જાણીએ. શ્રી ઉમાસ્વાતિ મહારાજે પાટલિપુત્રમાં જ ‘તત્ત્વાર્થસૂત્ર’ની રચના કરી હતી. શ્રી પાદલિપ્તસૂરિ પાટલિપુત્રમાં આવ્યા ત્યારે ત્યાંના રાજા મુફંડના માથાનો રોગ તેમણે દૂર કર્યો હતો અને તેને જૈનધમી બનાવ્યો હતો. કહેવાય છે કે પટણાના પ્રાચીન નગરને ૬૪ દરવાજા, કિલ્લાને ૫૭૦ બુરજ હતાં. વળી, કિલ્લાની આસપાસ ૩૦ હાથ ઊંડી અને ૬00 હાથ પહોળી ખાઈ હતી. આર્યવજસ્વામી વિક્રમની પહેલી શતાબ્દીમાં પટણા આવ્યા તે જ સમયે આર્ય રક્ષિતસૂરિએ અહીં આવી; જૈન સાહિત્યને ધર્મકથાનુયોગ,
ચરણ કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ એ ચાર અનુયોગમાં વિભાજિત કર્યું હતું. પટણા | શહેરના મંદિરથી એક માઈલ દૂર આવેલો શ્રી હીરવિજયસૂરિ દાદાનો બગીચો છે, જ્યાં ધર્મશાળાઓ આવેલી છે. ત્રણસો વર્ષ પહેલાં અહીંતૂપ અને પાદુકા હતી તેવી ‘તીર્થમાળા’માં નોંધ છે.
પટણા સિટીથી ૧.૫ કિ.મી. અને પટણા જંકશનથી ૧૦ કિ.મી.ના અંતરે ગુરુદ્વારાની આગળ વિહરમાન શ્રી વિશાલનાથસ્વામી (૬૦સે.મી.)નું શ્રી સંઘે સં.૧૯૯૨માં બંધાવેલ ભવ્ય શિખરબંધ જિનાલય હતું, જેનો આજે પ.પૂ.આ.ભ.શ્રી રાજેશ્વરસૂરીશ્વરજીના માર્ગદર્શન હેઠળ જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. બહુજન અપરિચિત - અ! ભગવાન શ્રી સીમંધરસ્વામીની જેમ વર્તમાન વીશ વિહરમાન તીર્થકરોમાંના એક છે. [૧૬૫
Page #170
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ
હે સ્વામ નામ વિશાલ તારું, હૃદય પણ સુવિશાલ છે, ક્ષેત્ર વિદેહ વિચારતાં, તુજ જ્યોતિ ઝાકઝમાળ છે; આવી વસ્યા પટણા વિષે, પાવનકરા પરમેશ્વરા, પંચાંગથી પ્રણમી કહું, ઘો સન્મતિ વિશ્વેશ્વરા.
ચૈત્યવંદન
જંબુ ક્ષેત્રે વિદેહમાં, વિચરતા જિન ચાર, કર જોડીને વાંદીયે, ઊઠી નિત્ય સવાર.. સીમંધર યુગમંધરા, બાહુ સુબાહુ નાથ, ચાર ગતિને ચુરવા, મેં પકડ્યો તુજ હાથ.. ત્રિહુ કાળે ત્રિહું લોકનાં, જાણે સઘળા ભાવ, જ્ઞાતા મુજ મન સાહિબા, વિશાલનાથ પ્રભાવ.. પ્રભાવ પામી આપનો, પ્રેમ કરી વીતરાગ, ભુવનભાનુ ભવભય હતું, ઠંડુ દ્વેષને રાગ.. શ્રી વિશાલતાથ પ્રભુનું સ્તવત (રાગ : સંભવ જિનવર વિનતી)
તારા વિના થાવે શી રીતે ઉગારો,
વિરૂઇ વેદના વેઠી ઘણી મેં, તો યે ના થયો ઉદ્ધારો...તારા નરક નિગોદનાં કીધાં પરાક્રમ, દુઃખોનો નહિ કોઈ આરો; પશુગતિમાં થઈને પરાધીન, સ્વવશ નહિ પલભારો... દેવગતિમાં વિષયોવેશી, પુણ્યને કીધો જાકારો; માનવભવમાં મૂરખ રહ્યો હું, કરતો પાપ સંભારો.. પણ અબ પુણ્યવશે તું મલીયો, સુણી ગુરુનો લલકારો; તું જ ગમે જો મુજ મનડાને, તો લહુ ભવનો કિનારો... મનને ટોડલે મોહ મયૂરો, બેઠો કરે ટહુકારો; રાગને ઠંડી દ્વેષને દંડી, કરતો મોહ તમારો... મિથ્યા મોહની હરી તુજ પ્રેમે, કીધી ક્ષેમ કરારો; સમકિત યોગે ત્યાગને વિરતિ, સંગે રંગ અપારો શ્રેણી ચઢી વીતરાગતા વરશું, ત્રિભુવનભાનુ જગારો; ધર્મરસે હણી ઘાતી-અઘાતી, તું જગવલ્લભ પ્યારો... વિહરમાન વિશાલ જિનેશ્વર, પટણા ભૂષણ જયકારો; નહીં છોડું કદી ચરણ તમારા, વરશું ભવજલ પારો...
શ્રી વિશાલતાથસ્વામીનું મંદિર (જીર્ણોદ્ધાર પહેલા)
जनश्वेताम्बर मंन्दिर
૧૬૬
International
श्री जैन श्वेताम्वर मन्दिर
205
શ્રી ભોમિયાજી
થોય વિશાલનાથ જિનવર,
સુખકર સાહિબ દેવ, અરિહંત સકલની, ભાવ ધરી કરું સેવ, સકલાગમ પારગ, ગણધરભાષિત વાણી, જયવંતી આણા, ‘જ્ઞાનવિમલ’ ગુણખાણી.
Page #171
--------------------------------------------------------------------------
________________
મૂળનાયક શ્રી વિશાલનાથસ્વામી,
૧૬૭
lain Education International
nelbare
Page #172
--------------------------------------------------------------------------
________________
80 કી
ક ઉ અહીં બારસો વર્ષ પુરાણી શ્રી શામળિયા પાર્શ્વનાથ .
પ્રભુની પ્રતિમા છે, જેના ઉપર જ આભૂષણ અને છે, ના વસ્ત્રો કોતરવામાં આવેલાં છે. અહીં બિરાજમાન
- શ્રી અભિનંદનસ્વામીના માથે મુગટ અને હાથમાં , બીજોરા સાથેની સવસ્ત્ર પ્રતિમાજી છે, જેની ગાદીમાં એ કપિલંછન પણ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની બાજુમાં 9
શ્રી ઋષભદેવ પ્રભુ (પ્રાચીન) બિરાજમાન છે. જે સૌને ભાવથી... તમો નિણાણ. . ૦ ૦
શ્રી ચંદ્રપ્રભજી -
શ્રી 28ષભદેવજી
શ્રી સુમતિનાથ
શ્વેતાંબર મંદિરમા જિતબિબોતાદીત
O
૪ ° થી 28પલાદવજી,
0.
:
છે ?
:
:
: માં જ છે.'
'નિરાલનેમe 1 1 મે નીમેતારકાથી Gીરી અને
મીનવિચિT
જ પરમપિતામહ શિકાર બીઝનેલી. Eા વિરાટોપ ઝીણાંકણઝણા હાશિવાળી | inflatioડીયા) nિકીદાદા
Eાની રીત Engapos#િg
હિતેષ@deતી ૧
2
PM
શ્રી પાર્શ્વનાથ
શ્રી મહાવીર
" શ્રી ઋષભદેવ
જ શ્રી પાર્શ્વનાથ , 6 ઇ શ્રી ઋષભદેવ 952ducation methionale a
Her nal Use Only
શ્રી વાસુપૂજ્ય alibratag
@
|
Rs
Page #173
--------------------------------------------------------------------------
________________
વશાલતાથ
શ્રી શામળિયા પાર્શ્વનાથજી
SKILL दरवडे ૫.
Ba
શ્રી વાસુપૂજ્ય
**\;}*
Interna
== WHA
શ્રી શાંતિનાથ
ed you!
ALCUTT
DEO
શ્રી કુંથુનાથ
શ્રી અભિનંદનસ્વામી
જગર પ્રભુત્વ અદનાબાલા વગરની વદનં પ્રથને અભિગ પૂર્ણ કર છે
ચિ. મો ફફ્થ ી હેળીના ખારા નોકર હવે ક
શ્રી પાર્શ્વતાથ
US OD
સો
શ્રી શીતલતાથ www.jainelibr૧૬૯૭
8
Page #174
--------------------------------------------------------------------------
________________
||||
I
II
અહીં એક ‘આગમકૂવો’ પણ છે. લોકવાયકા છે કે સમ્રાટ અશોકે પોતાના ૯૯ ભાઈઓને કાપીને કૂવામાં નાખી દીધા હતા તેથી આ ‘આગમકૂવો’ કહેવાય છે. જૈન કથા મુજબ શ્રી સ્થૂલિભદ્રજીએ આગમોની વાચના એકત્રિત કરી અને ૧૧ અંગો સુવ્યવસ્થિત
કર્યા હતાં, જે આજે ‘પાટલિપુત્ર વાચના” આગમકૂવો તરીકે પ્રસિદ્ધ છે. આચાર્ય સ્થૂલિભદ્રજીના
નેતૃત્વ હેઠળ પાટલિપુત્રની ભૂમિ પર અગ્રણી જૈનાચાર્ય તથા વિશાળ મુનિર્વાદની ભવ્ય ઉપસ્થિતિમાં જૈન આગમો પર વિચારવિમર્શ માટે પ્રથમવાચના’ આયોજિત કરવામાં આવી હતી. આ વાચનામાં ભગવાન મહાવીરની દ્વાદશાંગ વાણીને સુવ્યવસ્થિત રૂપમાં સંકલિત કરીને સુરક્ષિત કરવામાં આવી. આ ‘આગમ-વાચના’ સર્વપ્રથમ વાર આ કૂવાની પાસેના સ્થળે થઈ હતી, માટે તે ‘આગમકૂવો’ તરીકે ઓળખાય છે. અત્યારે અહીં શીતળામાતાનું મંદિર છે. | માર્ગદર્શન : પટણા શહેરમાં એક શ્વેતાંબર અને પાંચ દિગંબર મંદિરો આવેલાં છે. ઉપરાંત લક્ષ્મીનારાયણમંદિર અને ગંગાઘાટ પણ દર્શનીય છે. જો યાત્રામાં સમય ઓછો હોય તો રાજગૃહીથી પટણા ન જતાં નાલંદા (કુંડલપુર) પણ સીધા જઈ શકાય છે. હવે પટણાથી રોડમાર્ગે ૭૦ કિ.મી.નું અંતર કાપીને રાજગૃહી થઈ, બીજું ૧૪ કિ.મી. અંતર વટાવીએ એટલે નાલંદા આવશે.
તીર્થપેઢી શ્રી પટણા ગ્રુપ ઑફ જૈન શ્વેતાંબર ટેમ્પલ કમિટી
| બાડાગલી, ઝાઉગંજ પોસ્ટ : પટણા સિટી-૮OOOO૮, પ્રાંત : બિહાર
ફોન : ૦૬ ૧૨ - ૨૬૪૫૭૭૭
900 Education International
For Private & Personal use only
www.janelibrary.org
Page #175
--------------------------------------------------------------------------
________________
એક જોવાલાયક સ્થળ
નાલંદા
(enkya mula)
રાજગિરિથી કુંડલપુર જતાં રસ્તામાં નાલંદા આવે છે, જ્યાં એક મ્યુઝિયમ છે અને તેની બરાબર સામે | ૧૬૦૦વર્ષ પ્રાચીન વિશ્વવિદ્યાલયના જોવાલાયક અવશેષ આવેલા છે.
ભગવાન મહાવીરે નાલંદામાં ૧૪ ચાતુર્માસ ગાળી કેટલાયે ભાવુકોને ધર્મમાર્ગે વાળ્યા હતા. ગણધર ગૌતમસ્વામીએ ‘સૂત્રકૃતાંગ’ નામના જૈન આગમ સૂત્રમાં આવતા ‘નાલંદીય અધ્યયન'ની રચના કરીને નાલંદાને વિશ્વવિદ્યુત બનાવ્યું હતું. ભગવાન બુદ્ધના મુખ્ય શિષ્ય સારિપુત્તનો જન્મ અને પરિનિર્વાણ આ જ સ્થળે થયાં હતાં. ‘નાલં” એટલે કમળનું ફૂલ અને ‘દા' એટલે આપવું. જેમ કાદવમાં કમળ થાય છે તેમ જ્ઞાન અંધકારને દૂર કરે છે. લગભગ ૧૩મી સદી સુધી આ વિદ્યાલય હયાત હતું. એ પછી બન્યાર ખિલજીએ તેનો નાશ કર્યો. ૧૯૧૫થી ૧૯૪૦ સુધી ખોદકામ કરતાં ૨૯ માઈલના આ વિશાળ ભગ્ન અવશેષ અહીં પ્રાપ્ત થયા છે. અત્યારે જે કંઈ ખોદકામ થયું છે તે કરતાંયે ભૂમિના વધુ સ્તરો જો ખોદી
ભગવાન બુદ્ધની ધર્મચક્ર પરિવર્તન મુદ્રા, ભૂમિસ્પર્શ મુદ્રા, ધ્યાન મુદ્રા અને આશીર્વાદ મુદ્રાના અવશેષ
૧૭૧
For Ravale & R
Page #176
--------------------------------------------------------------------------
________________
AIRIN
(ઋષભદેવજી)
生
નાલંદા મ્યુઝિયમ
મ્યુઝિયમના પ્રાંગણમાં આવેલો એક પ્રાચીન પટ
(પ્પીનાથજી)
કાઢવામાં આવે તો બૌદ્ધો પહેલાંની પ્રાચીન જૈન સામગ્રી હાથ લાગવાનો વધુ સંભવ છે. અહીં એક નાલંદા સ્તૂપ છે; જેને ‘સારિપુત્ત સમાધિ’ પણ કહે છે. સાહિત્ય અને વિદ્વાનોની ભૂમિ તરીકે ખ્યાતિ પામેલ આ વિસ્તારને સમૃદ્ધ કરવાનો યશ મુખ્યત્વે બૌદ્ધ સાધુઓને ફાળે જાય છે. નાલંદા બુદ્ધ યુનિવર્સિટીમાંથી શ્રી નાગાર્જુન, બંગાળના પં. શીલભદ્ર, શ્રી અતિશ દીપંકર, અકલંક અને નિકલંક (ભાઈઓ) જેવા કેટલાય વિદ્વાનોની દુનિયાને ભેટ મળી. અહીં જૈન મૂર્તિઓના અવશેષો આજે પણ જોવા મળે છે.
આ વિશ્વવિદ્યાલયના અવશેષ જોઈને બહાર આવીએ એટલે બરાબર સામે દેખાતા મ્યુઝિયમમાં અનેક પ્રાચીન મૂર્તિઓ અને પુરાતત્ત્વની શોધખોળમાં પ્રાપ્ત થયેલ અવશેષોનો અમૂલ્ય સંગ્રહ જોવા મળે છે, જ્યાં પાલિ અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે તે નાલંદાની નવી યુનિવર્સિટી એટલે આ ‘નભ નાલંદા મહાવિહાર' પણ બાજુમાં જ છે. પટણાથી નાલંદા ૮૪ કિ.મી. અને રાજગિરિથી ૧૭કિ.મી.ના અંતરે છે. કુંડલપુર જાઓ ત્યારે નાલંદાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
૧૭૨
Page #177
--------------------------------------------------------------------------
________________
Dryfinistration DNT
TTTTTTTTTTT 07
Tala
શ્રી ગૌતમસ્વામીજી
૧૭૩
Page #178
--------------------------------------------------------------------------
________________
त्रि-भंटिर- अलौष्टि दृश्य
दिन tampshirman SIRemartugue
नियमिary
१७४
For Private & Personale
memorary org
Page #179
--------------------------------------------------------------------------
________________
શ્રી કુંડલપુર તીર્થ
શ્રી ગૌતમ ગણધરની જન્મભૂમિ કુંડલપુર મંડન મરુદેવાનંદન શ્રી આદિનાથજી, ચ્યવન, તુ, દીક્ષાને વર્યા શ્રી ગૌતમસ્વામીજી.
11. ર
મiERIES
૬ ૧૭૫
Tein Education International
For Private
personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
| પ્રાચીનકાળમાં ગોબરગ્રામ, ગુબ્બરગ્રામનો અપભ્રંશ થતાં વડગામ અથવા બડગામ તરીકે કુંડલપુર ઓળખાયું. આ નગરમાં ભગવાન મહાવીરના પરમ શિષ્યો એવા ત્રણ ભાઈઓ ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિનો જન્મ થયો હતો. ગોશાલકને ભગવાન મહાવીરનો મેળાપ અહીં જ થયો હતો. આ તીર્થમાં ત્રણ જિનાલયો - પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાનનું, બીજું શ્રી ગૌતમસ્વામીનું (સ્વતંત્ર મંદિર) અને ત્રીજું શ્રી ગૌતમસ્વામીનું (અગિયાર ગણધરોની ચરણપાદુકાનું પ્રાચીન મંદિરો આવેલાં છે.
આ પાવનભૂમિ પર સત્તરમી સદીમાં ૧૭ મંદિરો હતાં. શ્રી કુંડલપુર તીર્થ એ ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર અને લબ્ધિઓના સ્વામી શ્રી ગૌતમ ગણધરની જન્મભૂમિ છે. અહીં પૂર્વે ૨૮ ફૂટ ઊંડો કૂવો હતો, જેને પુરાવીને આણંદજી કલ્યાણજી પેઢીએ પાંચ શિખરબંધી દેરાસર બંધાવ્યું છે. જીર્ણોદ્ધાર પૂર્વ રંગમંડપની સામે નંદીશ્વર દ્વીપની સુંદર રચના હતી અને અહીં આવેલા કૂવા નજીક આવેલ એક સુંદર છત્રી નીચે દાદા ગુરુદેવનાં પગલાં હતાં, જેને ત્રીજા મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે. આ જિનાલયમાં ઈ.સ. ૧૯૯૬માં આ.ભ.પૂ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીના હસ્તે સંપ્રતિ મહારાજાના સમયની નાલંદાથી પ્રાપ્ત થયેલ ભગવાન ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
જિનાલયની સ્થાપત્યરચના
શ્રી શાંતિનાથ
મૂળનાયક લટવાળા, જટાધારી શ્રી ઋષભદેવ
શ્રી મહાવીરસ્વામી
ઉંબરો
ƏK
પાર્શ્વનાથ
ઋષભદેવ લટવાળા
કોરીમંડપ
શ્રી નેમિનાથ
શ્રી અજિતનાથ
ગૌતમસ્વામી
સ્વામી સુધર્મા
શ્રી
વાર
રંગમંડપ
દ્વાર
સ્થલિભદ્ર
જિતચંદ્રસૂરિ મણિધારી
શ્રી ,
મુખ્ય દ્વાર
(૧૭૬
Page #181
--------------------------------------------------------------------------
________________
ECEBIDUL
ભૂળનાયકશ્રીBSભદેવપ્રભુ(પ્રથમ દિ)
જ - ૧૭
૧૭*
Page #182
--------------------------------------------------------------------------
________________
૨૦૦૦ વર્ષ પ્રાચીન વાળની લટવાળા ઋષભદેવ પ્રભુ મૂળનાયક સ્વરૂપે બિરાજે છે. આ મૂર્તિમાં પ્રભુના મસ્તક પર ઉન્નત કેશકલાપ અને ખભા પર વિખરાયેલા વાળની લટો સ્પષ્ટ દેખાય છે. લટવાળા ઋષભદેવની પ્રતિમા જટા-શિખાયુક્ત છે અને ગાદીમાં સેવા કરતો ઋષભ દર્શનીય છે. મસ્તકની બંને બાજુએ હાથી પર બેઠેલા ઇન્દ્ર પ્રભુનો અભિષેક કરી રહ્યા છે. વળી, છત્રની બંને બાજુ એકેક ગંધર્વ ફૂલની માળા લઈને આવતો હોય તેવી રજૂઆત છે. કહેવાય છે કે માતાનું સ્થાન દરેક બાળકના મસ્તક ૫૨ હોય છે અને આમ બાળકને આશીર્વાદ આપતી હોય તે રીતે પ્રભુના મસ્તક પર માતા મરુદેવા બિરાજમાન છે. ....તમો જિણાણ પ્રભુ.
શ્રી શાંતિતાથજી
શ્રી મહાવીરસ્વામી
મૂળનાયક લટવાળા જટાધારી શ્રી ઋષભદેવ પ્રભુની ડાબી બાજુ ઉત્થિત પદ્માસનસ્થ શ્રી શાંતિનાથજી, જેમના હાથની કોણીઓ બે બાજુથી બહારની બાજુ ખૂલી રહી છે તથા જમણી બાજુ શ્રી મહાવીરસ્વામી બિરાજમાન છે. .....તમો જિણાણું. શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ કુલ્પાકજી તીર્થની મૂર્તિને મળતી લાગે છે. ગભારાની બહાર પ્રભુ પાર્શ્વનાથ તથા લટવાળા ઋષભદેવ સામસામે બિરાજિત છે. પ્રભુ પાર્શ્વનાથજીના મસ્તક પર નાગરાજની સાત ફણાવલીવાળું ઓટલા પરનું શિલ્પ પણ સુંદર છે. પ્રભુની બેઠક નીચેનાં સર્પનાં ગૂંચળાંઓ તથા કમળની પાંદડીઓ અદ્ભુત રીતે કોતરેલાં છે. લાંછનમાં ઊભો સર્પ દેખાય છે. બે બાજુ બે હાથીઓ સેવા કરી રહ્યા છે. લટવાળા ઋષભદેવની પ્રતિમા જટા-શિખા સંયુક્ત છે અને ગાદીમાં સેવા કરતા બે ઋષભ દર્શનીય છે. ....તમો જિણાણ. દેરાસરના રંગમંડપમાં ડાબી બાજુની આ દેરીમાં કસોટીના શ્રી નેમિનાથજી તથા જમણી બાજુની આ દેરીમાં શ્રી અજિતનાથજી બિરાજિત છે. ... તમો જિણાણ,
[૧૧૮]
મૂળનાયક લટવાળા જટાધારી શ્રી ઋષભદેવ
Page #183
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પાર્શ્વનાથ
લટવાળા ઋષભદેવ (ગભારાતી બહાર) *
શ્રી નેમિનાથજી
* શ્રી અજિતનાથજી
૧૭૦
Jain E
ation international
Page #184
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ (રાગ : મંદિર છો) કુંડલ વિના પણ શોભતા તુજ કર્ણ સત્કણી કરે, હે સ્વામદેવ, યુગાદિ સૌની તુજ ભવભ્રાંતિ હરે; કુંડલપુરે છે વાસ તોયે, મુજ હૃદય વસિયા તમે, ભાવે દરસ કરીને હું ઝૂકું, શિવકરા તારા ક્રમે.
ચૈત્યવંદન લાખ ચોરાશી યોનિમાં, રખડ્યો હું બહુ વાર, હે આદીશ્વર સાહિબા, શીઘ કરો મુજ સાર...૧ લાખ ચોરાશી પૂર્વનું, - આયુ ધરી ઉજમાળ,
ચોરાશી ગણધર વળી, તાર્યા પ્રાણી અપાર... ૨ પ્રથમ યતિ જિનપતિ નતિ, પ્રેમે કર આજ, ભુવનભાનુ જગદીશ્વરા, mnલ્લભ પદ કાજ....૩
સ્તવન (રાગ : સિદ્ધાચલના વાસી) કુંડલપુરમાં તારી, છેલછબીલી પ્યારી, મૂરત જોઉં,
જોઈ જોઈ કરમમેલ ધોઉં... ચંદ્રહાસ થાને, ધરુ મનના મ્યાને, પાવન થાઉં,
થઈ પાવન કરમો ખપાઉં... આદિનાથ ખરો તું મહાવીર, તું છે ધીર વીર ને ગંભીર, મસ્તિ મુદ્રા તમારી, જાણે સુખની અટારી, ગુણ ગાઉં... જોઈ..૧
તારો યોગે અધ્યાતમ ઘેરી, વિખર્યા મુજ આંતર વૈરી, ક્રોધ લોભ માને હર્ષ, મોહ મદનો નિષ્કર્ષ, હું હટાઉં... જોઈ .રા | તારું ચ્યવન જનુ વળી દીક્ષા, વર્યા કેવળ કરીને તિતિક્ષા, પાયો ભવથી નિર્વાણ, કરે સહુનું કલ્યાણ, મન લાઉં.... જોઈ ..૩ છ'રિ પાળીને આજ તું ભેટ્યો, મારો જનમ જનમ અઘ મેટ્યો. પ્રેમે તુજ સથવારે પહોચી જાવા ભવપારે, સ્તવન ગાઉં... જોઈ..૪
ભુવનભાનુ ભવોદધિત્રાતા, ધર્મજિતે ગુરુ વરદાતા, જગવલભ બનાવો, રીમે રોમે લય લાવો, પુનિત થાઉં.... જોઈ..૫
થીય
પ્રહ ઊઠી વંદું, ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠો સોહે, સમવસરણ ભગવંત; ત્રણ છત્ર બિરાજે, ચામર ઢાળે ઇન્દ્ર, જિનના ગુણ ગાવે, સુર નરનારીનાં વૃદ.
રંગમંડપમાં શ્રીગૌતમસ્વામીજી તથા તેમની સામે શ્રી સુધર્માસ્વામી અને મુખ્યદ્વારની ડાબે શ્રીસ્થૂલિભદ્રજી તથા જમણે મણિધારી જિનચંદ્રસૂરિજી બિરાજમાન છે. સૌને વંદન કરીને આ જિનાલયનીબહૌર બૈલા(બીલી)નું એક સુંદર વૃક્ષ છે, જેના પર લીલારંગનાંબેલાનાં ફળ લાગેલાં હોય છે. ‘બેલા’ શબ્દનું મનમાં સ્મરણ થાય ત્યારે ગુરુ ગૌતમસ્વામીની ઉO વર્ષની તપશ્ચર્યાબાદ કરેલાં પારણાંની યાદ તાજી થાય છે.
(૧૮)
Page #185
--------------------------------------------------------------------------
________________
चारसरे कतुलारनातासम्रोधीत्रलादेना अन्यमानायपासागरस -JANNEL
श्री गौतमस्वामी (प्रायी प्रतिमा):
શ્રીસંઘર્માસ્વામીજી
भाण्सुण्शनिदासरकडलपुरनगरस्युतिरद से रबरतरगंगाजलमहोदय नगर सरियस
E-23:5CADEMIRRES S
जमलसिसिमित मिलाराजमोटापतकोरबन्दधनलेसाई यमन
मलाल सवेरचन्दशी मंगळालवभाइराहिलामारण
पउन
STYीम
Jaln Education Interfall स्थूतिम
For envele & Personal श्री मशिधारी नियंदसहित १८१
Page #186
--------------------------------------------------------------------------
________________
બીજું મંદિર
કુંડલપુરનું બીજું મંદિર ગુરુ ગૌતમસ્વામીજીનું સ્વતંત્ર મંદિર છે; જેની પ્રતિષ્ઠા ઈ.સ. ૨૦૦૫માં શ્રી પીયૂષસાગરજીએ કરાવી હતી.
શ્વેત કમળ પર બિરાજિત ૪૧ ઇંચની શ્વેત પાષાણની
પ્રતિમાને જોઈ હૈયું આનંદિત થઈ ઊઠે છે.
ITT
૧૮૨
in Education International
Private & Personal use only
Page #187
--------------------------------------------------------------------------
________________
બીજા મંદિરમાં
પ્રતિષ્ઠિત શ્રી ગૌતમસ્વામી
वीर सं-२५३१ वि.सं.२०५१ माघ सुदि-शनिवासरे इन्द्रभूति गौतम जन्म स्थले कुंडलपुर नगरे गोबरग्राम गणधर गुरुगीतम स्यामा विध गतिष्ठापित खरतरगणे जित महोदय सागरसूरिशिष्येण मुनि पीप सागर,सम्यकरल्ल सागर, महेन्द्र सागरमायला एवं जैन कोकिला प्रवर्तनी विचक्षणश्री शिया सा.मणिप्रभा श्री,वियुतप्रभाश्री आदि शुभनिभायां चेन्नई नियासी माडवतारात संघवी मुधाश्री मोहनलाल रुपनाधमल धर्मपत्नी पानी देवी आम श्रेयार्थे पुत्र हंसराज,रमेश सुरेश पौत्र-प्रफुल्ल पारिज कृष्णन मना राहत स्पर्श दर्श आदि परिवारेण कारापितं सकत संघशुभम भवतु ।
અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર.
Jan El
Page #188
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરતા પ્રથમ શિષ્ય શ્રી ઇન્દ્રભૂતિ - શ્રી ગૌતમસ્વામી (સંક્ષિપ્ત જીવનપરિચય) જમ્બુદ્વીપ, ભરતક્ષેત્ર, મગધદેશના રાજા શ્રેણિકના રાજ્યમાં ગોબરગ્રામ (વર્તમાન કુંડલપુર)ની પુણ્ય ધરા પર ઈ.સ. પૂર્વે ૬૦૭માં વિદ્વાન વિપ્ર વસુભૂતિના ઘરઆંગણે પૃથ્વીદેવીની રત્નકુક્ષિમાંથી બ્રાહ્મણ કુળમાં રૂપલાવણ્યયુક્ત અદ્વિતીય બાળક ઇન્દ્રભૂતિનો જન્મ થયો. પ્રખર બૌદ્ધિક ક્ષમતાથી બાળક ઇન્દ્રભૂતિએ અલ્પ સમયમાં જ વેદ-વેદાંત-પુરાણ-ઉપનિષદ આદિ ૧૪ મહાવિદ્યાઓનું જ્ઞાન મેળવ્યું. એક વાર સોમિલ બ્રાહ્મણે યજ્ઞ હેતુથી પ00 પંડિતોને અગ્રગણ્ય ઇન્દ્રભૂતિ સહિત અગિયાર શ્રેષ્ઠ વિદ્વાનોને આમંત્રિત કર્યા. તે સમયે દેવાધિદેવ પ્રભુ મહાવીર ચતુર્વિધ સંઘ સ્થાપના હેતુ અપાપાપુરી (પાવાપુરી) પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. આકાશમાંથી દેવવિમાનોને યજ્ઞસ્થળ તરફ આવતાં જોઈ મનમાં ને મનમાં ઇન્દ્રભૂતિ આનંદિત થઈ ગયા, પરંતુ દેવવિમાનોને યજ્ઞસ્થળ છોડીને આગળ જતાં જોઈ તેમનો અહંકાર આશ્ચર્યમાં બદલાઈ ગયો. આ માયાવી ઇન્દ્રજાળિયો કોણ છે? શું કોઈ બીજો સર્વજ્ઞ આવ્યો છે ?! તેઓ પાંચસો શિષ્યોને લઈ સમવસરણની નજીક પહોંચ્યા. સમવસરણની દિવ્ય ઘટા, અપાર વૈભવ, રિદ્ધિ-સિદ્ધિ, અસંખ્ય દેવતાઓની પરમભક્તિ અને સ્વર્ણસિંહાસન પર બિરાજમાન પરમાત્માની શાંત-પ્રશાંત મુખમુદ્રાને જોઈને ઇન્દ્રભૂતિ રોમાંચિત થઈ ગયા. અહો ! કોણ દેવ, દાનવ, મહામાનવ... આખરે કોણ છે આ? પરમાત્માએ દિવ્ય દૃષ્ટિથી ઇન્દ્રભૂતિના નવા જ્યોતિર્મય જીવનને જોઈને કહ્યું, “આવો, દેવાનુપ્રિય ઇન્દ્રભૂતિ.” અરે! આ તો મારું નામ પણ જાણે છે ! હા, મને કોણ ન જાણે! તે જ ક્ષણે સર્વજ્ઞમુનિએ ઇન્દ્રભૂતિના માનસમાં ચાલી રહેલા આત્મતત્ત્વના અસ્તિત્વના સંશયોને વેદવાક્યોથી સિદ્ધ કર્યા. સંશય-સમાધાન થતાં જ ઇન્દ્રભૂતિનો અહંકાર સમર્પણમાં રૂપાંતર થયો. ૫૦૦ શિષ્યો સાથે પરમાત્માનું શિષ્યત્વ સ્વીકાર્યું અને પ્રથમ શિષ્ય બન્યા. અનુક્રમે બધા પંડિતોની શંકાનું સમાધાન થતાં, તેઓ ૪૪૦૦ શિષ્ય સંપદા સહિત પ્રભુનાં ચરણોમાં સમર્પિત થયા. આમ, ૧૧ ગણધર સહિત ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. તેમની જ્ઞાનવૃદ્ધિની જિજ્ઞાસાથી પ્રભુવીરને પુછાયેલા ૩૬,OOO
પ્રશ્નો ‘ભગવતી સૂત્ર'માં સંગ્રહિત છે. ભગવાન મહાવીરનો | એક મહત્ત્વનો ઉપદેશ ગૌતમસ્વામીએ
જીવનમાં ઉતાર્યો હતો.
'समयंगोयम
मा पमायए અર્થાત, હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ
કરીશ નહીં.
(YYYYYYY)
એક પત્રિકામાંથી પ્રાપ્ત શિલ્પતું ચિત્ર
[૧૮૪]
FOT PIVEEG Personal use only
Page #189
--------------------------------------------------------------------------
________________
SE
શ્રી ડાકણ
આવા પરમ વિનયવાન, વીતરાગના અનન્ય અનુરાગી, ચાર જ્ઞાનના
જગચિંતામણિ' ધારક, ૫૦,૦૦૦ શિષ્યોના પરમગુરુ શ્રી ગૌતમસ્વામી
સૂત્રની રચના પરમાત્માનાં ચરણોમાં સુવિશુદ્ધ સંયમનું પાલન કરતાં ૩૦ વર્ષ સુધી ‘છઠ્ઠના પારણે છઠ્ઠ’ કર્યા. તપ અને વીતરાગ ભક્તિને કારણે ૨૮ પ્રકારની વિશિષ્ટ લબ્ધિ તેમને પ્રાપ્ત થઈ. મોક્ષપ્રાપ્તિની પ્રબળ ભાવનાથી સૂર્યનાં કિરણોનું અવલંબન લઈ અષ્ટાપદ ગિરિરાજની યાત્રા કરી અને ત્યાં જ ‘જગચિંતામણિ’ સૂત્રની રચના કરી હતી. પાછા વળતાં માર્ગમાં ૧૫૦૦ તાપસોને પ્રબુદ્ધ કરી પોતાની અક્ષીણ મહાનસી”ની લબ્ધિ વડે પરમાન્સ (ખીર)થી પારણાં કરાવ્યાં તે બધા જ તાપસોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ખીર તો માત્ર એક જ કટોરી જેટલી હતી, પરંતુ તેમના
અંગૂઠામાં રહેલી આ લબ્ધિના પ્રભાવે ખીર ખૂટી નહીં. આવા અનંતલબ્લિનિધાન પરમગુરુ શ્રી ગૌતમસ્વામી ૫૦ વર્ષ ગૃહવાસમાં, ૩૦ વર્ષ સંયમના પર્યાયમાં તથા ૧૨ વર્ષ બાલ્યાવસ્થામાં રહ્યા. ૮૦ વર્ષે ગુણિયાજી તીર્થમાં કેવળજ્ઞાન અને ૯૨ વર્ષે રાજગૃહીમાં મોક્ષગામી થયા. આવા પરમગુરુ
ગૌતમસ્વામીને આત્મભાવે વંદન. | મા ચાલો, હવે અત્યંત પ્રાચીન અને મહત્ત્વના
- ત્રીજા મંદિરે દર્શન કરવા જઈએ.
ત્રીજું મંદિર
FUE EVLE
[૧૮૫
Page #190
--------------------------------------------------------------------------
________________
|૧૮૬
PAR
THOSE
શ્રી સુધર્માસ્વામીજી શ્રી મંડીપુત્રજી શ્રી મૌર્યપુત્રજી શ્રી અકપિતજી
શ્રી વાયુભૂતિજી
श्री गौतम स्वामी - प्राचीन चरण
ional
श्रीभ मंहिरना भेडा पर जावेलां २२०० वर्ष प्राचीन या
શ્રી ગૌતમસ્વામીજી
सौ साथै भजीने "ॐ नमः सिद्धेभ्यः” नो भए झरीशु.
PIN
Only
www.jaile.brary.org
Page #191
--------------------------------------------------------------------------
________________
શ્રી ઈન્દ્રભૂતિજી શ્રી અગ્નિભૂતિજી
શ્રી વિગતભૂમિજી
શ્રી અચલભૂતિજી
ત્રીજા મંદિરમાં નીચે આવેલા ગણધરો તથા દાદાગુરુદેવની ચરણપાદુકાઓની સ્થાપત્યરચી
શ્રી મેતારજજી
શ્રી પ્રભાસજી
શ્રી જિતકુશલસૂરિજી શ્રી જિનદત્તસૂરિજી
(૧૮૭__
Jain Education
Page #192
--------------------------------------------------------------------------
________________
O.DO
वि.सं २०६१ माघ सु. ४ शनिंदासरे कुंडलपुरंगीतम स्वामी विश्व प्रतिष्ठापितं खरतरगच्छ मुनि पीयूष सागर
वसुभूतेः श्रेष्ठः पृथ्वीमातुः सुनंदनः गोबरग्राम वास्तव्यः सेष्टं यच्छतु गौतमः
१८८festion international
Page #193
--------------------------------------------------------------------------
________________
|
સ્તુતિ ગૌતમ તમારું નામ જગમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે, ગૌતમ તમારું નામ લેતાં, કાર્ય સઘળાં થાય છે. ગૌતમ તમારા નામમાં, મંત્રો તણો આવાસ છે, ભંડાર છો લબ્ધિતણા, કરું નમને ગૌતમસ્વામીને.
ચૈત્યવંદન નમો ગણધર નમો ગણધર, લબ્ધિ ભંડાર, ઇંદ્રભૂતિ મહિમા નીલો, વડો વજીર મહાવીર કેરો ગૌતમ ગોત્રે ઉપન્યો, ગણિ અગ્યાર માંહે વડેરો,
કેવળજ્ઞાન લઘું જિણે, દિવાળી પરભાત; જ્ઞાનવિમલ કહે જેહના, નામ થકી સુખ શાત.
સ્તવન (રાગ : મેરુશિખર તવરાવે) ગૌતમ ગણધર નમીએ, હો અહોનિશ ગૌતમ...
નામ જપત નવહિ નિધિ થઈએ, મનવાંછિત સુખ લહીએ, હો અહોનિશ ... ઘર અંગન જો સુરતરુ ફળીયો, કહાં કાજ વન ભમીએ, | સરસ સુરભિ વૃત જો હોય ઘરમેં, તો ક્યું તૈલે જમીએ હો.. - તૈસી શ્રી ગૌતમ ગુરુ સેવા, ઔર ઠોર કયું રમીએ, ગૌતમ નામે ભવજલ તરીએ, કહાં બહુત તન દમીએ હો..
ગુણ અનંત ગૌતમ કે સમરન, મિથ્યામતિ વિષ વમીએ, જસ કહે ગૌતમ ગુણરસ આગે, રુચત નહીં હમ અમીએ હો
થોય વીર જિનેસર-અતિ અલવેસર, ગૌતમ ગુણે ભરિયા જી, ભવિક જીવના ભાવ ધરીને, રાજગૃહી સમોસરિયા જી; શ્રેણિકરાજા વંદન આવ્યા, ગૌતમ નયણે નિહાલ્યા જી, ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીને, અભિગમ પાંચે પાલ્યા જી:
For Private & F
OREST
jainelkran 1.66
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રી ગૌતમસ્વામીજીતી અષ્ટાપદ યાત્રા
Page #195
--------------------------------------------------------------------------
________________
આ મંદિરમાં રૂપેરી ગોળાકાર છત નીચે પ્રસ્થાપિત છે, ગૌતમસ્વામીની ૨, ૨૦૦ વર્ષ જૂની પ્રતિમા અને દાદાગુરુની તથા ૧૧ ગણધરોની ચરણપાદુકો. શ્રી ગૌતમસ્વામીજીની આ પ્રાચીન મૂર્તિના ભાવ કાંઈક વિશિષ્ટ છે; જાણે વારંવાર દોડીને નમન કરવાનું મન થઈ આવે તેવું અહીંનું વાતાવરણ છે. આ એક પ્રત્યક્ષ અનુભવની વાત છે અને તેના માટે અહીં આવવું જ રહ્યું. આ મંદિરના પહેલા માળે ગૌતમસ્વામીજીની મૂર્તિની સમકાલીન ૨૫ સે.મી.ની ૨, ૨00વર્ષપ્રાચીન ચરણપાદુકા છે.
વંદન કરીને મંદિરની બહાર આવીએ. અહીં ચોકમાં ભૈરવજીની પ્રાચીન ગેરુની ઊભી મૂર્તિનાં દર્શન થાય છે..... ‘પ્રણામ', આઠ ભૈરવજી પૈકી ભૈરવજીની આ ઊભી મૂર્તિ સૌથી નાની અને બાળસ્વરૂપે હોવાથી વિશેષ દર્શનીય છે.
તીર્થપેઢી શ્રી ભૈરવજી
શ્રી જૈન શ્વેતાંબર ભંડાર (શ્રી કુંડલપુર તીર્થ)
પોસ્ટ : નાલંદા-૮૦૩૧૧૧ - જિલ્લો : નાલંદા, પ્રાંત : બિહાર
ફોન: ૦૬૧૧૨ – ૨૮૧૬ ૨૪, ૬૦૬ ૨૬૭ માર્ગદર્શન : કંડલપુર નજીકનું રેલવે સ્ટેશન નાલંદા બખ્તિયારપુર રાજગિરિ લાઇનમાં લગભગ ૩કિ.મી. દૂર છે. પાવાપુરીથી ૨૬ કિ.મી. દૂર છે. પટણાથી ૮૫ કિ.મી. દૂર છે. બધી જ જગ્યાએથી બસ, ટૅક્સી મળી રહે છે. અહીં દિગંબર જૈન સમિતિનું ‘નંદાવર્ત મહલ’ નામનું તીર્થક્ષેત્ર જોવાલાયક છે. કુંડલપુરમાં ૧૫૦ વર્ષ જૂનું એક દિગંબર જૈન તીર્થક્ષેત્ર પણ જોવાલાયક છે. હવે બિહારશરીફ થઈને પાવાપુરી જવાનું છે, માટે બિહારશરીફના શ્વેતાંબર જૈન મંદિરમાં દર્શન કરીને જઈશું.
I[RIT
JIT
all||
LU
Fortale & Penal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૯૨
Page #197
--------------------------------------------------------------------------
________________
શ્રી પાવાપુરી તીર્થ વર્તમાન ચોવીસીના
અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીની નિર્વાણકલ્યાણકની
પાવન ભૂમિ
E
FRODIE
DOO
[૧૯૩
Page #198
--------------------------------------------------------------------------
________________
પાવાપુરી
કુંડલપુરથી પાવાપુરી ૨૭ કિ.મી.ના અંતરે છે, જ્યાં ૩૫ મિનિટમાં પહોંચી શકાય છે. બખ્તિયારપુર સ્ટેશન પર ઊતરીને ત્યાંથી જીપ કે ગાડી દ્વારા બિહારશરીફ થઈને પાવાપુરી પહોંચી શકાય છે. વળી, કોડરમાં, નવાદા સ્ટેશન ઊતરીને બસ, ટેક્સી અથવા જીપ દ્વારા શ્રી ગુણિયાજી તીર્થ થઈને પણ પાવાપુરી પહોંચી શકાય છે. પ્રભુ મહાવીરના નિર્વાણકલ્યાણકની અંતિમ યાદગીરી સમી પાવાપુરીની તીર્થભૂમિને સ્પર્શીએ. અહીં પ્રવેશતાં ક્રમશઃ ડાબી બાજુથી પહેલાં પ્રાચીન સમવસરણ મંદિર, જમણી બાજુ જલમંદિર, ડાબી બાજુ શ્વે. જૈનમંદિર, દાદાવાડી, ગામમંદિર, નવું સમવસરણ મંદિર, મહતાબબીબી મંદિર વગેરે નજરે પડે છે.
268 Education International
wwwviainelibro
Page #199
--------------------------------------------------------------------------
________________
બિહારશરીફ
જલમંદિર
દાદાવાડી
દિગંબર મંદિર
ધર્મશાળા
← પાવાપુરીમાં પ્રવેશતાં
નવાદા
પ્રાચીન સમવસરણ મંદિર મહતાબબીબી
નૂતન સમવસરણ મંદિર આરાધના મંદિર
મંદિર
છે. ધર્મશાળા (નિર્વાણસ્થાન) ગામમંદિર
પાવાપુરીનાં દર્શનીય સ્થળોનો નક્શો
ભગવાન મહાવી૨ ૭૨મા વર્ષે ચંપાપુરીથી વિહાર કરીને અહીં પધાર્યા હતા. જૈનશાસ્ત્રોમાં આ પવિત્ર નગરીને મધ્યમા પાવા’ તરીકે ઓળખાવી છે; કારણ કે એ સમયે પાવા નામની ત્રણ નગરી હતી, જેમાં એક ગોરખપુર જિલ્લામાં વાયવ્ય ખૂણામાં, બીજી હજારીબાગની આસપાસના પ્રદેશમાં અગ્નિ ખૂણામાં અને ત્રીજી પાવા બિહાર અને રાજગૃહીની પાસે – જે અત્યારની પાવાપુરી તરીકે ઓળખાય છે. વાયવ્ય તથા અગ્નિ ખૂણાની વચ્ચે સમાન અંતરે આવેલી હોવાથી તે મધ્યમા પાવા’ તરીકે પ્રસિદ્ધ થઈ. આવી ‘અપાપાપુરી’ એટલે પાપથી મુક્ત પુણ્યભૂમિ એટલે ‘પાવાપુરી’. પાવા અને પુરી બંને એક માઈલના અંતરે આવેલાં ગામ છે, જેમાં જૈન તીર્થધામ પુરી’માં છે.
પાવાપુરીને ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ તરીકે દરેક જૈન સંપ્રદાયમાં નિર્વિવાદ રીતે સ્થાન મળ્યું છે. ઋજુવાલિકા નદીકિનારે ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયું, એ પછી તેઓ જંભિય ગામથી પાવાપુરી પધાર્યા હતા. કાળક્રમે ત્રીસ ચાતુર્માસ વિતાવ્યા પછી પ્રભુ જ્યારે અહીં ફરી પધાર્યા ત્યારે મહસેનવન’ નામના સ્થળે પ્રભુએ જીવનના અંતિમ સમયે છ તપ સાથે ૧૬ પ્રહરની એટલે કે ૪૮ કલાકની નિરંતર દેશના આપી. (જ્યાં આજનું સમવસરણ મંદિર છે.) આ દેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૂંથાયેલી છે; જેમાં મોતનો ભય જીતી લેવાનો, એટલું જ નહિ, પરંતુ મરીને જીવી જાણવાનો વાસ્તવિક ઉપદેશ મળે છે. એ પછી પ્રભુ હસ્તિપાલ રાજાની ‘હસ્તિશાલા’એ ગયા અને ત્યાં નશ્વર દેહનો ત્યાગ કર્યો. (જ્યાં આજનું ‘ગામમંદિર' છે.) અને જ્યાં પ્રભુનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યો તે ‘જલમંદિર’ બરાબર સામે જ આવેલું છે.
૧૯૫
Page #200
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના અગિયાર ગણધરો તેરમી શતાબ્દીના હસ્તલિખિત કલ્પસૂત્રના તાડપત્ર પરથી.
(୪ଥ : ଆI21e ha)
-ପତ
965 Education International
For આગલા
al Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
(SY YYYYYYYY Year
છે.
I LOVE ,
/
.
ભગવાન મહાવીરનું સમવસરણ
તો ચાલો, પ્રથમ દર્શન કરીએ - પ્રદૂષણમુક્ત વાતાવરણમાં સ્થિત શ્રી સંઘે બંધાવેલા ઘુમ્મટબંધી નૂતન સમવસરણ મંદિરનાં. આશરે પચાસ વર્ષ પૂર્વે આઠ લાખના ખર્ચે બંધાયેલ આ મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૧૩ પોષ વદ ૬, સોમવાર તા. ૨૧-૧-૧૯૫૭ના શુભ દિને પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરિજીની નિશ્રામાં થઈ.
For Private & Personal use only
Page #202
--------------------------------------------------------------------------
________________
આ ચતુર્મુખપ્રાસાદમાં પર્ષદાયુક્ત ભગવાન મહાવીરની ૩૫ ઇંચની ચૌમુખી પ્રતિમા છે, જેમની મુખમુદ્રા અત્યંત પ્રસન્ન અને વીતરાગતાથી છલકતી અનુભવાય છે...... નમો જિણાણું.
નૂતન સમવસરણ મંદિર
ICECECE
CECEL
- -
-
-
-
'દુધવલ સંગેમરમરમાંથી બનેલું-શ્રી સમવસરણ મંદિર
૧૯૮
Page #203
--------------------------------------------------------------------------
________________
શ્રી સમવસરણમ્ | તીર્થંકર નામકર્મના પ્રકૃષ્ટ પ્રભાવે શ્રી અરિહંત ભગવંતો સતત એક કરોડ દેવતાઓ દ્વારા ઉપાસના પામતા હોય છે. પ્રભુની દેશના સાંભળવા ત્રણ ગતિના જીવો - દેવો, મનુષ્યો અને તિર્યંચો એકસાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે. દેશનાનું શ્રવણ એ પહેલો, શ્રવણ દ્વારા વિરતિ પામવાની ઝંખના એ બીજો અને આવા આત્માઓને પ્રભુના હાથે દીક્ષા તથા દેવતાઓ દ્વારા સંયમવેશ એ સમવસરણમાં સાંપડતો ત્રીજો લાભ છે. માલકૌંશ રાગમાં વહેતાં પ્રભુનાં વચનો સૌ તરબોળ થઈને સાંભળતા રહે છે. આઠ મહાપ્રાતિહાર્યોની પ્રભુ સમક્ષ ઉપસ્થિતિ, દિવ્ય માહોલ, તીર્થંકર નામકર્મની છત્રછાયાનું અનુપમ સુખ સૌ કોઈ અનુભવતા હોય છે.
ભગવાનનું સમવસરણ જે ભૂમિ પર રચવાનું હોય તે ભૂમિને આભિયોગિક દેવો સંવર્તક વાયુ દ્વારા એક યોજનના વર્તુળ જેટલી ભૂમિ પરથી કચરો દૂર કરી, પાણીનાં વાદળની રચના કરીને, ભૂમિતલ પર જલવર્ષા કરી ફૂલોનો વરસાદ વરસાવે છે. પ્રભુના દિવ્ય પ્રભાવે આ ફૂલોને મનુષ્યના સ્પર્શ દ્વારા કોઈ જ વેદના થતી નથી. ભૂમિશુદ્ધિ થયા બાદ ભવનપતિ દેવતાઓ સમવસરણનો પહેલો ગઢ રચે છે, જેને બાહ્યપ્રાકાર કહેવામાં આવે છે તે નક્કર ચાંદીનો હોય છે. તેના કાંગરા સોનાના હોય છે. ત્યાર બાદ
જ્યોતિષ્ક દેવો બીજો ગઢ બનાવે છે. તેને મધ્યપ્રાકાર કહેવામાં આવે છે. આ ગઢ નક્કર સોનાનો હોય છે અને તેના કાંગરા રત્નના હોય છે. ત્રીજા ગઢને અંતરંગપ્રાકાર કહેવામાં આવે છે. આ ગઢ રત્નનો હોય છે. તેના કાંગરા મણિના હોય છે. અંતરંગપ્રાકારની બરાબર વચ્ચે પ્રભુની ઊંચાઈથી બારગણું ઊંચું અશોકવૃક્ષ રચવામાં આવે છે. આ વૃક્ષની નીચે ચાર સુવર્ણમય સિંહાસન સ્થાપવામાં આવે છે. આ સિંહાસનો ઉપર
ત્રણ ત્રણ છત્ર હોય છે. સિંહાસનની બંને તરફ ચામર ઝૂલતા હોય છે. પ્રભુ ચતુર્મુખે બિરાજમાન થાય છે. | પ્રભુનું મૂળરૂપ પૂર્વ સન્મુખ હોય છે. બાકીનાં ત્રણ રૂપો દેવનિર્મિત હોય છે. સમવસરણમાં પ્રથમ ગઢ
ચઢવાનાં દશ હજાર પગથિયાં હોય છે. બીજો ગઢ અને ત્રીજો ગઢ ચઢવાનાં પાંચ-પાંચ હજાર પગથિયાં હોય છે. સમવસરણની બહારની તરફ જમીનના સમભાગે એક એક વાવડી હોય છે. સમવસરણ એ | દેવનિર્મિત સ્થાપત્ય છે. ચક્રવતીઓ, બળદેવો, વાસુદેવો કે મહાન સમ્રાટો સમવસરણની રચના કરતા
નથી; એ લાભ દેવોને જ મળે છે. | પાવાપુરી તીર્થના આ સમવસરણ મંદિરમાં દસ પગથિયાં સાથે પહેલો ગઢ બન્યો. (મૂળ સમવસરણમાં દશ હજાર પગથિયાં હોય છે તેની યાદમાં દશ પગથિયાં) બીજો અને ત્રીજો ગઢ પાંચ-પાંચ પગથિયાં સાથે બન્યો. (મૂળ સમવસરણમાં પાંચ-પાંચ હજાર પગથિયાં હોય છે તેની યાદમાં પાંચ-પાંચ પગથિયાં) દરેક ગઢનાં ચાર પ્રવેશદ્વાર મનોહર તોરણ સાથે ઝીણા નકશીકામવાળાં બન્યાં. બીજા ગઢની ભીંત પર સુંદર આકૃતિ ધરાવતાં દેવવિમાનો અને ત્રીજા ગઢની ભીંત પર સુરેખ રીતે કોતરેલા તિર્યંચના આકારો ગોઠવાયા. ત્રીજા ગઢમાં જઈએ એટલે પ્રભુના દરબારમાં પ્રવેશ થાય, ચતુર્મુખ પ્રભુના પબાસનની પાછળ અશોકવૃક્ષની ભવ્ય રચના ઘેઘૂર પર્ણવિસ્તાર સાથે હોય છે. ત્રીજા ગઢની છત અશોકવૃક્ષની બને છે. ભગવાનની પાછળનું લીસું થડ, ઉપર ચડીને ડાળોમાં વહેંચાઈને પાંદડાંના
(૧૯૯
Page #204
--------------------------------------------------------------------------
________________
ઘટાટોપમાં ગરક થઈ જાય છે. આ થડ વચ્ચેથી સહેજ ઉપર તરફ ઊપસીને ઉપર બનેલા ચૈત્યવૃક્ષની ઝાંખી કરાવે છે. શ્રી તીર્થકરો જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન પામે છે તે વૃક્ષની ગોદમાં આસમાન તરફ ઉપર ઊગેલું હોય છે. દૂરથી સમવસરણને નિહાળતાં અશોકવૃક્ષનો ભરચક ઘટાટોપ અને તેની ઉપર આ નાનું અલાયદું વૃક્ષ એમ બંને અત્યંત સુઘડ રીતે આકૃતિબદ્ધ થયેલાં દેખાશે. | બાર પર્ષદા - પ્રભુની દક્ષિણ-પૂર્વ દિશામાં સાધુભગવંતો, વૈમાનિક દેવીઓ અને શ્રમણી ભગવંતો હોય છે. પ્રભુની પશ્ચિમ-દક્ષિણ દિશામાં ભવનપતિદેવીઓ, વ્યંતરદેવીઓ અને જ્યોતિષ્કદેવીઓ હોય છે. પ્રભુની ઉત્તર-પશ્ચિમ દિશામાં ભવનપતિદેવો – વ્યંતરદેવો અને જયોતિષ્ક દેવો હોય છે. પ્રભુની ઉત્તર-પૂર્વ દિશામાં વૈમાનિક દેવો, મનુષ્યો અને સ્ત્રીઓ હોય છે. આમ, એક-એક વિદિશામાં ત્રણ પ્રકારના અને ચાર વિદિશાના ગણીને બાર પ્રકારના શ્રોતા હોય છે. આ રીતે બાર પર્ષદાબને છે.
સ્તુતિ વીરઃ સર્વસુરાસુરેન્દ્ર માહિતો, વીરે બુથT: સંમ્રિતા:, વીરેખાસિયતઃ સ્વકર્મ નિચયો, વીરાય નિત્ય નમઃ | वीरातीर्थभिष्ट प्रवृत्तभतुल, वीरस्य धोरं तपो, वीरे श्रीधुति डीर्तिडांति निययः श्री वीर लद्रं हिशः॥
[૨૦]
For Private & Personal use only
Page #205
--------------------------------------------------------------------------
________________
પણ આજે જયાં સમવસરણ મંદિર છે ત્યાં એ જમાનામાં એ અવાવરું જમીન પર વેરાન જંગલ હતું. માત્ર એક સ્તૂપ અને એક કૂવો હતા. નૂતન સમવસરણની પાછળ આ પ્રાચીન સ્તૂપનું નિર્માણ પ્રભુના મોટાભાઈ
નંદીવર્ધને ક્યું હતું. ૮ ફૂટ ઊંચો અને ૪ ફૂટ પહોળો સૂપ એ સમવસરણનું મૂળ સ્થાન સૂચવે છે. સ્તૂપની - આગળ પ્રભુનાં પગલાં તથા તેની પાછળ વિ.સં. ૧૩૮૭માં શ્રી જિનપ્રભસૂરિ રચિત પાવાપુરી કલ્પ - કંડારેલ છે. તેના ગોખલામાં પગલાં હતાં. પ્રભુવીરની દેશનાભૂમિ પર પ્રભુના સ્મારક તરીકે આ સૂપ
રચવામાં આવ્યો હતો. ૨, પ૩૩વર્ષ પ્રાચીન આ સ્તૂપ અને પાસેનો કૂવો પણ ચમત્કારી હતો. | કહેવાય છે કે ખુલ્લાં ખેતરો વચ્ચે આવેલી આ ધરતી પર ગોવાળિયાનાં બાળકો રમવા આવતાં. તેઓ સ્તૂપના ગોખલામાં રહેલાં પગલાં ઉઠાવીને કૂવામાં નાખી દેતાં. કૂવાનાં પાણીમાં જોરથી ધબાકો થતો. એ સાંભળી છોકરાંઓ રાજી થતાં. એવી આશ્ચર્યજનક ઘટના બનતી કે બીજા દિવસે એ ચમત્કારી પગલાં ફરી વાર ગોખલામાં આવી જતાં. છોકરાંઓ ફરી એ પગલાં કૂવામાં નાખતાં. આવું રોજ થતું. શ્રી પાવાપુરીજી તીર્થના સંચાલકોને આની જાણ થઈ. સ્તૂપમાં પગલાં હતાં, તેની આશાતના ટાળવાના ઉદ્દેશપૂર્વક; શ્રી પાવાપુરીજીના વ્યવસ્થાપક શ્રી ગોવિંદચંદજી સંચેતીએ સંવત ૧૬૪૫માં ગંગાઋષિના હસ્ત, જલમંદિરની ઉત્તરમાં નાની દેરી બંધાવી તેમાં આ પગલાંની સ્થાપના કરાવી.
આજે આ સ્થાન ‘પુરાના સમવસરણ” તરીકે ઓળખાય છે. | વિવિધ તીર્થકલ્પ અનુસાર પ્રભુવીરના નિર્વાણ દિવસે આ સ્થાને દેવતાઓ પણ નિર્વાણ ઉત્સવ કરતા. ઈ.સ. પપ૬ પૂર્વે બનેલા ૨,૫૦૦ વર્ષ જૂના આ કૂવાનું પાણી ભરીને દીવા પ્રકટાવી શકાતા હતા. લગભગ ૧, ૭૫૦ વર્ષ સુધી નિર્વાણ દિવસે આ દીવા પ્રગટાવી શકાયા, પરંતુ છેલ્લાં ૩૧૫ વર્ષથી આ ઘટના બંધ છે.
नागा अद्यापि यस्यां प्रतिकृति निलया दर्शयन्ति प्रभावं, नि तैले नीर पूर्णे ज्वलति गृहमणिः कौशिके यन्निशासु ॥
( [ સપાપાપુરી (સંક્ષિપ્ત) ~: ]
પ્રાચીન કુવો
શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ગચ્છાધિપતિ બન્યા તે પૂર્વે તેઓશ્રી પાવાપુરીજી પધાર્યા. તૂપનાં દર્શન કરવા પગલાં માંડ્યાં ત્યારે પ્રાચીન સૂપ સુધી જવા માટે કેડી નહોતી. મહાન તીર્થભૂમિને અનુરૂપ પરિવેશનો સદંતર અભાવ હતો. તેમની દીર્ઘદર્શી વિચારણા, માર્ગદર્શન હેઠળ આ ભૂમિનો સમુદ્ધાર થયો અને સમવસરણ મંદિરની પ્રતિષ્ઠા થઈ. | વિવિધતીર્થ-કલ્પકાર એક વિશેષતા જણાવતાં લખે છે કે – આ નગરીમાં પુજ્યપાલ રાજા ભગવાન મહાવીરસ્વામીને વંદના કરવા આવ્યો હતો. પોતાને આવેલાં આઠ સ્વપ્નોનું ફળ પ્રભુને પૂછ્યું અને પ્રભુએ તેનો અર્થ સમજાવ્યો હતો. આ સાંભળતાં જ રાજાએ પ્રતિબોધ પામી દીક્ષા અંગીકાર કરી.
(અપાપાપુરી બૃહત્કલ્પ) ૨૦૧] .
For Private
Personal use only
Page #206
--------------------------------------------------------------------------
________________
=
નંદીવર્ધત તૂપમાં પ્રતિષ્ઠિત પ્રભુવીરનાં ચરણ આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરિજીની દેરી
પ્રભુવીરતા જીવન સાથે સંકળાયેલી શ્રી સમવસરણ મંદિરતી
અદ્દભુત અને જાણવા જેવી સાત મહાન ઘટતાઓ ૧. તીર્થકરો ભગવંતો કેવળજ્ઞાન થયા બાદ પહેલી દેશના દ્વારા ધર્મતીર્થની સ્થાપના કરે છે. પ્રભુની પ્રથમ
દેશનાની ભૂમિ શ્રી અપાપાપુરી બની અને ધર્મતીર્થની સ્થાપના અહીં થઈ. ૨. પ્રભુવીરના પ્રથમ શિષ્ય બનવાનું અપ્રતિમ સદ્ભાગ્ય પામનારા શ્રી ગૌતમસ્વામીજીની અને - જે વ્યાખ્યાનપીઠને શ્રી સુધર્માસ્વામીની પાટ કહીએ છીએ તેમની પણ આ દીક્ષાભૂમિ છે. ૩. કલ્પસૂત્રનો ગણધરવાદ, શ્રી પાવાપુરીજીના મહસેનવનમાં ઘટના સ્વરૂપે સાકાર થયો હતો. પ્રભુ મહાવીરે ૧૧ મહાબ્રાહ્મણોનાં મનના સંશયોને તર્કબદ્ધ રીતે દૂર કર્યા તે વિષેનો વાર્તાલાપ, શ્રી મહસેનવનમાં દેવતાઓએ રચેલા સમવસરણમાં થયો હતો. એ જ સ્થાને શ્રી સમવસરણ મંદિરનું નિર્માણ થયું છે. ૪. તીર્થકર ભગવંતના શ્રીમુખે “ ૩ખેડુ વા, વિપામડુ વા, યુવેઠ્ઠ વી '' આ ગંભીર ત્રિપદીનું શ્રવણ કરીને
શ્રી ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના કરે છે. ધર્મનાં દરેક રહસ્યો અને તમામ ઉપદેશોને
સમાવતાં શ્રી આચારાંગ, શ્રી સૂત્રકૃતાંગ, શ્રી સ્થાનાંગ, શ્રી સમવાયાંગ, શ્રી ભગવતી સૂત્ર, | શ્રી જ્ઞાતાધર્મકથાંગ, શ્રી ઉપાસકદશાંગ, શ્રી અંત:કુદશાંગ, શ્રી અનુત્તરૌપપાતિક,
શ્રી પ્રશ્નવ્યાકરણ, શ્રી વિપાક સૂત્ર અને દૃષ્ટિવાદે એવા બાર મહિમાવંત દ્વાદશાંગીની રચના આ
ઐતિહાસિક ભૂમિ પર થઈ. ૫. ભગવાને શ્રમણધર્મની માફક ગૃહસ્થ ધર્મની સ્થાપના કરી. આ રીતે સાધુ, સાધ્વી, શ્રાવક, આ શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની-તીર્થની સ્થાપના તથા ૧૧ ગણધરોને ગણધરપદ વૈશાખ સુદ ૧૧ના રોજ - પ્રદાન કરવામાં આવ્યું. આમ, જૈન શાસનમાં મૈત્રી, કરુણા અને પ્રેમનો દિવ્ય સંદેશ અહીંથી ફેલાયો. ૬. પ્રભુવીરના ઘોર અભિગ્રહને પૂર્ણ કરાવવાનો લાભ શ્રી ચંદનાકુમારીને મળ્યો તેવાં ચંદનાજી પ્રભુના
પરિવારમાં ૩૬000 સાધ્વીજીમાં સર્વપ્રથમ શ્રમણી બન્યાં. પ્રભુના હાથે દીક્ષિત થનારા અને (૨૦૨) પ્રવર્તિની પદે બિરાજિત થનારાં આર્યા શ્રી ચંદના ગાળાજી ની આ દીક્ષાભૂમિ છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
ધનહાનિખાનપાસના શ્રીગોતરવામોથી પ્રથમ ધર્મદેશના ગઠ્ઠાગાન ગણ કોણો માથાદીત
કf bગબr |
sofindia
આરાધના મંદિરમાં ગૌતમસ્વામીજીની પ્રથમ ધર્મદિશનાના ચિત્રો દોરાજીનામાજિક જ
૭. શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર મહાકાવ્યમાં લખ્યું છે તે મુજબ :
एवमाख्याय समवसरणान्निर्ययौ प्रभुः ।
હસ્તિપાતનરેન્દ્રસ્થ શુલ્લેશાત્માં નIામ ૨ II (પર્વ ૧૦, સર્ગ ૧૩, શ્લોક ૨૧૭) અર્થ : આ પ્રમાણે ફરમાવીને પ્રભુ સમવસરણમાંથી બહાર નીકળ્યા અને હસ્તિપાલ રાજાની શુલ્કશાળામાં પધાર્યા. મોક્ષમાં પધાર્યા તે પૂર્વે પ્રભુએ અંતિમ દેશના આ સ્થાનેથી આપી હતી. શ્રી સમવસરણ મંદિરની બહાર વિશાળ ‘આરાધના મંદિર’ છે, જ્યાં ગભારામાં ૬૧ ઇંચના મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની વિલક્ષણ પ્રતિમા છે. મૂળનાયકની ડાબી બાજુ શ્રી ગૌતમસ્વામી અને જમણી બાજુ શ્રી સુધર્માસ્વામીની ૫૧ ઇંચની . પ્રતિમાજી છે. આવો, ભાવથી વંદન કરીએ.
TLE
[ nT| || ||||IIT Gangar
1 TRUIનાં
કે
G+
:
aal'ITIUS
||||
|||
આરાધના મંદિર
૨૦૩
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રભુ મહાવીર (મૂળનાયક)
GSTની
R
- કાકા કિ આરાઘની ઉંદિરતી શ્રી ગૌતમસ્વામી ગભારામ ડાબી બાજ) પ્રતિષ્ઠિત જિર્નાળિળો
શ્રી સુધર્માસ્વામી જમણી બાજ).
- ૨૦૪)
Jain Education Interne
OCCO
nella
Page #209
--------------------------------------------------------------------------
________________
આરાધના મંદિરમાં પ્રભુના કલ્યાણકનો સુંદર ચિત્રપટનાં દર્શન
છે
કે જે
છે
તે
G0Q
૨૦૫
Page #210
--------------------------------------------------------------------------
________________
३डा पावापुरीना तीरथे सोहे, वीर नेिश्वर प्यारा,
छे वंधन डोटि अभारां.....
૨૦૬
Page #211
--------------------------------------------------------------------------
________________
સૂરના આથમતા અQાળે સમવસરણ મંદિરમાંથી દશ્યમાન પાવાપુરીજી
૨૦૬
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી ઋષભદેવજી
શ્રી મહાવીરસ્વામીજી ગભારામાં આવેલા જિતબિંબો
શ્રી શાંતિતાથજી
ગામમદિર
(ભગવાત મહાવીરનું નિર્વાણસ્થાન)
谢东京理 可期
SANA
Page #213
--------------------------------------------------------------------------
________________
જિનાલયની સ્થાપત્યરચતી
પીળા પાષાણતા મહાવીરસ્વામી
બીજી દેરી
ત્રીજી દેરી
પીળા પાષાણના ચોથી દેરી | | મહાવીરસ્વામી
] 1000
પ્રભુવીરનાં મૂળ ચરણ
મૂળનાયકની (
વેદિકા
૧૧ ગણધરોતાં
પગલાં
परय
પ્રવેશદ્વાર
પ્રભુવીરનાં નવાં ચરણ
ગભારો
શ્રી બ્રહ્મજ્ઞાતિ
શ્રી સિદ્ધાયિકાદેવી
રંગમંડપ.
પ્રવેશદ્વાર
મહતાબકુંવરીએ બંધાવેલ આ ગામમંદિરના ગભારામાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી, જેમની ડાબી બાજુ શ્રી ઋષભદેવ અને જમણી બાજુ શ્રી શાંતિનાથજી બિરાજમાન છે....તમો જિણાણ. મૂળ ગભારાની મધ્યમાં શ્યામ પાષાણની ચોરસ બેઠક પર પ્રભુવીરના શ્યામવર્ણા નવાં ચરણ છે. મૂળ ગભારાની જમણી બાજુ દેરીમાં ૧૧ ગણધરોનાં પગલાં છે....નમો સિદ્ધાણં. ડાબી બાજુની આ દેરીમાં પ્રભુવીરનાં નિર્વાણ સમયનાં પ્રાચીન મૂળ ચરણ છે....તેને વંદન કરીએ. કુંડલપુર અને પાવાપુરીનાં જિનાલયોમાં સ્થાપિત ચરણમાં એક સમાનતા ખાસ જોવા મળે છે. અહીં જિનેશ્વર ભગવંત અને ગુરુભગવંતનાં આડાં અને ઊભાં ચરણ એકસાથે જોડાયેલાં જોવા મળે છે, જે પ્રાચીનકાળના સ્થાપત્યની એક સમાન લાક્ષણિકતાનું દર્શન કરાવે છે.
[૨૦૯ -
Page #214
--------------------------------------------------------------------------
________________
SONO
ONC
रररर एएएएए
|૨૧૦
wwwwww v
20
RT® (1)
મૂળતાયક શ્રી મહાવીરસ્વામી (ગામમંદિર)
da
Page #215
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ (રાગ : મંદિર છો મુક્તિ તણાં) પાવનકારી પાવાપુરીમાં, વીર નિવણી થયા, વાચાળ મુજ રસના વિષે તું, સ્થાપતાં સુખિયા થયા; પુનિત કીધો સાંઈ મને, હે વીર ! વીરતા દ્યો હવે, રીઝો પ્રભુ ! જો મુજ પ્રતિ તો, થાય મુજ કારજ સવે.
ચૈત્યવંદન શ્રી સિદ્ધાર્થનૃપ કુલ તિલો, ત્રિશલા જશ માત; હરિ લંછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત. ત્રીસ વરસ ગૃહવાસ ઠંડી, લીયે સંયમ ભાર; બાર વરસ છદ્મસ્થ માન, લહી કેવલ સાર; ત્રીસ વરસ એમ સવિ મલીએ, ન્હોતેર આયુ પ્રમાણ; દિવાલી દિન શિવ ગયા, કહે નય તેહ ગુણખાણ.
સ્તવન (રાગ ભૈરવી) મહાવીર .... મહાવીર ....મહાવીર .... મહાવીર ...
મારે દિવાળી થઈ આજ, પ્રભમુખ જોવાને, સર્યા સર્યા રે સેવકનાં કાજ, ભવદુઃખ ખોવાને.... પ્રભુવીર, મહાવીર ...
મહાવીરસ્વામી મુગતે પહોંચ્યા, ગૌતમ કેવળજ્ઞાન રે, ધન્ય અમાવસ્યા, ધન્ય દિવાળી, મહાવીર પ્રભુ નિરવાણ.. પ્રભુવીરા
ચારિત્ર પાળી નિર્મળું રે, ટાળ્યા વિષય કષાય રે, એવા પ્રભુને વંદીએ તો, ઉતારે ભવ પાર ... પ્રભુવીર
બાકુલા વહોર્યા વીર જિને, તારી ચંદનબાળા રે, કેવળ લઈ પ્રભુ મુગતે પહોંચ્યા, પામ્યા ભવનો પાર...પ્રભુવીર
એવા પ્રભુને વંદીએ જે, પંચમજ્ઞાનને ધરતા રે, સમવસરણ દઈ દેશના રે, પ્રભુએ તાર્યા નરનાર....પ્રભુવીર
ચોવીસમા જિનેશ્વરને, મુક્તિ તણા દાતાર રે, કર જોડી કવિ એમ ભણે રે પ્રભુ, ભવનો ફેરો ટાળ ...પ્રભુવીર
થોય મનોહર મૂર્તિ મહાવીર તણી, જિણે સોલ પહોર દેશના ભણી; નવમલ્લી નવલચ્છી નૃપતિ સુણી, કહી શિવ પામ્યા ત્રિભુવન ધણી.
તે છે ?
' , ' ,' છે તો
'C'
૨૧૧
Jan Education Interalianel
Page #216
--------------------------------------------------------------------------
________________
ગર્ભગૃહ (ગામમંદિર)
| ર૧
- પ્રભવીરતા પ્રાચીન ચરણ
પ્રભવીરતા નવા ચરણ
૧૧ ગણધરોના પગલાં
Page #217
--------------------------------------------------------------------------
________________
રંગમંડપમાં ભગવાનના જીવનપ્રસંગોની પ્રાચીન ચિત્રાવલી છે અને ભીંતમાં ફરતે ઉપર ચારે બાજુ પ્રભુના જીવનના પ્રસંગો છે, જેને જોતાં જોતાં પ્રભુવીરનું સમતામય જીવનદર્શન પ્રત્યક્ષ થાય છે.
इक्कोवि णमोक्कारी जिनवरवसहस्स वद्धमाणस्स । संसारि सागराओ तोरई नरं वा नारिं वा ॥ (ગામમંદિરમાં આવેલું પ્રભુવીરનું એક પ્રાચીન ચિત્ર)
૨૧૩
Page #218
--------------------------------------------------------------------------
________________
જીર્ણોદ્ધાર પહેલાંની ગભારાની કેટલીક પ્રાચીન મૂર્તિઓ અને ચરણને ગભારાના પૃષ્ઠ ભાગે બીજી અને ત્રીજી દેરીમાં ફરી પ્રસ્થાપિત કરવામાં આવ્યાં છે. મૂળ ગભારાની પાછળની પાંચ દેરીમાં સર્વ જિનબિંબો અને પ્રતિમાઓને વંદન કરીએ.
૨૧૪.
madcation International
પહેલી દેરીમાં – જેસલમેરના પીળા પાષાણના
=
શ્રી મહાવીરસ્વામીને... તમો જિણાણ.
Private
org
વ
Page #219
--------------------------------------------------------------------------
________________
બીજી દેરી
देवधि गणि समाधारण
स्थूलभद्रजी
जिनचन्द्रसुरीजीमहारा जिनकुशलसुरीजीमह
दादा गुरुदेवजी
બીજી દેરીમાં - સ્થૂલિભદ્રજીનાં પગલાં, દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની મૂર્તિ અને પગલાં, દાદાગુરુદેવનાં પગલાં (ઊભાં), સફેદ આરસના જિનચંદ્રસૂરિજી, કાળાપાષાણના જિનકુશલસૂરિજીનાં પગલાં છે. ત્રીજી દેરી
महावीरस्वामी
शातिनाथजी चन्दाप्रभूजी
पार्श्वनाथजी नेमिनाथजी
महावीरस्वामी
ત્રીજી દેરીમાં - શ્રી મહાવીરસ્વામી ચરણ, કાઉસગ્ગિયા શાંતિનાથજી, શ્રી ચંદ્રપ્રભજી, શ્રી પાર્શ્વનાથજી, શ્યામપાષાણના નાના શ્રી નેમિનાથજી, મહાવીરસ્વામીનાં બે જોડી પગલાં છે. સર્વને... તમો નિણાણું.
ચોથી દેરી
ચોથી દેરીમાં -
શ્રી ગૌતમસ્વામી, ડાબે વીસ સ્થાનક યંત્ર, જમણે નવપદ યંત્રનાં
દર્શન કરીએ.
| ૨૧૫
Page #220
--------------------------------------------------------------------------
________________
પાંચમી દેરીમાં - જેસલમેરના પીળા પાષાણના
મહાવીરજીને... નમો જિણાણ.
૨૧૬
શ્રી બ્રહ્મશાંતિ
(ગભારાની બહીર) શ્રી સિદ્ધાયિકા દેવી
Page #221
--------------------------------------------------------------------------
________________
ሔ
ગામમંદિરમાં નીચે ભોંયરામાં ચાર ગેરુના ભૈરવજી બિરાજમાન છે, જે ૫૦૦ વર્ષ પ્રાચીન છે. મધ્યમાં ભોમિયાજીની છબીને વંદન કરીએ.
ગામમંદિરના ચોગાનમાં એક નાનું મંદિર છે, જેમાં શ્રી ભોમિયાજી તથા શ્રી ઘંટાકર્ણમહાવીર પ્રતિષ્ઠિત છે. પ્રણામ કરી ગામમંદિરની બહાર સામેની બાજુ આવેલાં જલમંદિરે દર્શન કરવા જઈશું, જ્યાં પ્રભુના દેહનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યો.......
Formate & Perso
|૨૧૭
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૧૮
Page #223
--------------------------------------------------------------------------
________________
પાવાપુરી જલમંદિર અંતિમતાથતી અંતિમભૂમિતી અંતિમયાદ
૨૧૯
Page #224
--------------------------------------------------------------------------
________________
पावापुरीनी पृथ्वी प्रलुवीरनी पार्थिव घ्शानी अंतिम याहगीरी छे. खासो भासनी जभासे त्रिभुवनभां ज्ञाननो प्रकाश पाथरनार प्रलुवीर भ्यारे निर्वाा पाम्या त्यारे लावु तो प्रकाश प्रलुना प्रती ३थे हीथ पेटाव्या. ते सभयथी घर वर्षे हिवाणी थने ‘મહાવીર મહાવીર’ના ગુંજારવ સાથે દિવાળી દીપી ઊઠી છે.
કહેવાય છે કે પ્રભુ જ્યારે મોક્ષ પામ્યા ત્યારે અહીંની રાખને કલ્યાણકારી માની સૌએ મસ્તકે ચઢાવી. પવિત્ર દેહની ભસ્મ લેવા માટે ઊમટેલા દેવો અને માનવોના સમૂહે રાખ પૂરી થઈજતાં તે ભૂમિની માટીને પણ મંગલકારી માનીને મસ્તકે ચઢાવી. આમ કરતાં કરતાં એક યોજનનો ખાડો થઈ ગયો, જેમાં પાણી ભરાતાં ‘પદ્મ’ બની ગયું. ત્યાર બાદ અહીં નંદીવર્ધને દેવવિમાન સમું મંદિર બંધાવ્યું અને તેમાં પ્રભુની ચરણપાદુકા સ્થાપિત કરી. આ ઘુમ્મટબંધી મૂળમંદિર ૨,૫૩૧ વર્ષ પહેલાં ઈંટ અને ચૂનાનું હતું, જેનો જીર્ણોદ્વાર થતાં આરસનું બનાવવામાં આવ્યું. જળમંદિર ૮૪ વીઘા જેટલી જમીનમાં વિસ્તરેલું છે. કમળનાં ફૂલોથી શોભિત, ૧,૪૫૧ ફૂટ લાંબા અને ૧,૨૨૩ ફૂટ પહોળા આ સરોવરની વચ્ચે આવેલા મંદિર સુધી પહોંચવા માટે ૬૦૦ ફૂટ લાંબો પુલ છે. પૂર્વે મંદિર સુધી જવા માટે નાવનો ઉપયોગ કરાતો. આજે ચાલીને જઈ શકાય છે. અહીં કમળ ખીલતાં હોવાથી ‘કમળમંદિર’ પણ કહે છે.
આજથી લગભગ ૩૫૦ વર્ષ પહેલાં લખાયેલી તીર્થમાળામાં એક-બે નહીં, પાંચ-પાંચ પ્રતિમાઓ અહીં હોવાનો ઉલ્લેખ છેઃ
૨૨૦
સરોવર માંહિ શુદ્ધ વિહાર, જાણે ભવિયણનો આધારક જિનપ્રતિમા પાંચ પગલાં, પૂજી પ્રણામી કીજઈ સેવ.
(જૈન તીર્થોનો ઈતિહાસ, પૃષ્ઠ - ૪૬૨)
વીરનિર્વાણના દિવસે એટલે કે ગુજરાતી આસો વદ અમાસના દિવસે આ તીર્થમાં મોટો મેળો ભરાય છે. કારતક સુદ એકમના રોજ ભગવાનની રથયાત્રાનો વરઘોડો નીકળે છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
નક્શીદાર, ખોખાની આંગી
સીરપોણાતી આવી છે
તે
દ આસો વદ અમાસના દિવસે અહીં ચઢાવો બોલીને ૫૧ કિલોનો ‘નિર્વાણ મોદક’ ચઢાવવામાં આવે છે.) - આ દિવસે પગલાં ઉપર રત્નજડિત ચંદની અને ચાંદીનું નકશીદાર ખોખું ચઢાવાય છે, જેના પાછળના છે - ભાગે આવેલા એક નાનકડા સિંહાસનમાં પ્રભુનાં દર્શન થાય છે. આ દિવસે ચઢાવાતું છત્ર પણ - નિર્વાણ કલ્યાણકના દિવસે વર્ષમાં એક જ વાર પ્રભુ-પગલાંની ઉપર ચઢાવાય છે. નિર્વાણ રાત્રિએ - ગૌતમસ્વામીનો વિલાપ ગવાય છે. પંચમકાળનું આશ્ચર્ય એ છે કે નિર્વાણની રાત્રિએ નિર્વાણના સમયે જ
ભગવાનનાં મુક્તિચરણ ઉપરનું છત્ર કંપિત થાય છે, ત્યારે ક્ષણભર માટે એમ લાગે છે કે પ્રભુવીર સદેહે ઊભા છે ! દિવાળીની રાત્રિએ છત્રના કંપનની ઘટના નજરે નિહાળવી એ એક અહોભાગ્યની વાત છે. આ
ચરણ પર સ્થિત છત્રછ
કિર નિર્વાણ મોદક
or private & Personal use only
નિર્વાણ રાત્રિએ ચરણદર્શને
www.janelltra 2
Page #226
--------------------------------------------------------------------------
________________
જલમંદિરમાં આવેલી ત્રણ ચરણ દેરી અને રત્નજડિત ચંદનીના દર્શન
ou
IT
કિ
જ
છે.
a Rai gay
શ્રી ગૌતમસ્વામી
શ્રી મહાવીરસ્વામી
શ્રી સુધર્માસ્વામી
જલમંદિરમાં આવેલાં પ્રભુનાં પ્રાચીન પગલાં
[૨ ૨ ૨
ૐ હ્રીં શ્રી મહાવીરસ્વામી પારંગતાય નમઃ
Page #227
--------------------------------------------------------------------------
________________
શ્રી ગૌતમસ્વામીજી
બિહારનું આ પ્રથમ આરસવાળું જલમંદિર છે, જેમાં અંદર ત્રણ નાની સુવર્ણમંડિત વેદિકા છે. અહીં પ્રભુ મહાવીરનાં પ્રાચીન મૂળ ચરણ મધ્યમાં છે. ડાબી બાજુ શ્રી ગૌતમસ્વામીજી અને જમણી બાજુ શ્રી સુધર્માસ્વામીજીનાં ચરણ છે. આ ત્રણેય દેવકુલિકાઓને આચાર્ય ભ. પૂ. જગવલ્લભસૂરિજીની પ્રેરણાથી સુવર્ણથી અલંકૃત કરવામાં આવી છે. ખૂબ ભાવથી સેવા-પૂજા કરીએ. જલમંદિરના ગભારાની બહાર મુખ્ય દ્વારની આજુબાજુ ભૈરવજીને પ્રણામ કરીને જલમંદિરના ચારે ખૂણામાં આવેલી ચાર દેરીમાં દર્શન કરવા જઈએ.
श्री भैरवजी
શ્રી સુધર્મારવાડીજી
[૨ ૨૩
Personalise only
Page #228
--------------------------------------------------------------------------
________________
भीगा भीगा भने भंटक જોતાં એમ લાગે છે કે
मिहारनी भूमि
સોળ સતીઓનાં ચરણતી દેરી!
૨ ૨૪ દાદાશ્રી જિતકુશલજીનાં ચરણ
For Private
Pers
પાવાપુરીજીનાંદિરમાં પૂર્વદિશા
Page #229
--------------------------------------------------------------------------
________________
મંદિરની બહાર ચાર ખૂણામાં આવેલી દેરીઓમાં સોળ સતીઓનાં ચરણ, અગિયાર ગણધરનાં પગલાં, શ્રી દીપવિજયજી ગણધરનાં પગલાં અને દાદાશ્રી જિનકુશલજીનાં ચરણ પ્રસ્થાપિત કરેલાં છે.
-1 પવનમાં જ્લમંદિરને ना भोक्षगमनथी जा બની ગઈ છે.
नावेद मे ऊ उदात्मा तो राशन स्थापत्य
Evacatione
वामा प्रभु सोनम आचरणपादुका
અગિયાર ગણધરતાં પગલાં
શ્રી દીપવિજયજી ગણધરતાં પગલા
Fer Private & Personal Use Only
૨૨૫
Page #230
--------------------------------------------------------------------------
________________
|૨૨૬
11
જલમંદિરમાં એક પણ મૂર્તિ નથી. આવા બેજોડ ‘ચરણ મંદિર'ની બહાર નીકળીએ એટલે બરાબર સામે પ્રાચીન સમવસરણ મંદિર તથા જમણા હાથે દાદાવાડીનાં દર્શન થાય છે.
પ્રાચીન સમવસરણ મંદિર (જીર્ણોદ્ધાર પહેલાં અને પછી)
www
Page #231
--------------------------------------------------------------------------
________________
પ્રાણીની લમવસરણ મંદિરમાં આવેલી દેરીમાં પ્રભુવીરત પ્રાચીન ચરણ (લંબદ્વ ૧૭૪૫) ૨ ૨૭),
Jain Education Themational
Page #232
--------------------------------------------------------------------------
________________
દાદાવાડીમાં ચૌમુખી દાદાગુરુજીની મૂર્તિઓ છે, જેની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૩માં કરાઈ હતી. મંદિરમાં પ્રવેશતાં જ સામે યુગપ્રધાન દાદા શ્રી જિનદત્તસૂરિજી, ડાબી બાજુથી ફરતાં પ્રથમ મણિધારી દાદા શ્રી જિનચંદ્રસૂરિજી, ત્યાર બાદ પ્રકટપ્રભાવી દાદા શ્રી જિનકુશલસૂરિજી અને ચોથા અકબર પ્રતિબોધક દાદા શ્રી જિનચંદ્રસૂરિજી એમ ચૌમુખી દેરીમાં ચાર દાદાગુરુજી બિરાજે છે. ગભારાની બહાર આવીએ તો
મુખ્ય દ્વારની આજુબાજુ અધિષ્ઠાયકદેવ શ્રી શ્યામ નાકોડા ભૈરવ, શ્રી શ્વેત ભૈરવનાં દર્શન થાય છે.
દાદાવાડી !
ની
રાતે
નાકોડા ભૈરવજી ૨ ૨૮
ચમુખી દાદાપૂરજી
શ્વેતા રવજી
Page #233
--------------------------------------------------------------------------
________________
દાદાવાડી દર્શન કરીને બહાર નીકળીએ એટલે સામેની બાજુ મહતાબબીબી મંદિર દેખાય છે, જ્યાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામીજી બિરાજે છે. મૂળનાયકની ડાબી બાજુ શ્રી આદિનાથજી, જમણી બાજુ શ્રી શાંતિનાથજી બિરાજમાન છે....નમો જિહાણ. અહીં નવપદની દેરી પણ દર્શનીય છે.
મૂળનાયકની વેદિકા (મહતાબબીબી મંદિર)
માર્ગદર્શન : ગામમંદિર અને નવા સમવસરણ મંદિરમાં ધર્મશાળા છે અને જલપાનની પણ વ્યવસ્થા છે. પ્રભુના નિર્વાણ દિને અહીં યાત્રાળુઓની ખૂબ ભીડ રહેતી હોવાથી અહીં રોકાવાનું હોય તો અગાઉથી પેઢીમાં જાણ કરવી પડે છે.
નવપદની દેરી
श्रीजैन श्वेताबरजिनालय
મહતાબબીબી મંદિર
| તીર્થપેઢી શ્રી જૈન શ્વેતાંબર ભંડાર તીર્થ પાવાપુરી
પોસ્ટ : પાવાપુરી-૮૦૩ ૧૧૫ જિલ્લો : નાલંદા, રાજ્ય : બિહાર ફોન : ૦૬ ૧૧૨ - ૨૯૪૦૪૯, ૨૯૪૦૦૮
હવે પાવાપુરીથી ગુણિયાજી જઈશું.
www.jainelibre RR
Page #234
--------------------------------------------------------------------------
________________
सर्वारीष्ठ प्रणाशाय, सर्वाभीष्टार्थ दायिने । सर्वलब्धिनिधानाय, गौतमस्वामीने नमः ॥
R30Education International
BAB
E
For Private & Personal use only
Page #235
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણિયાજી તીર્થ લબ્ધિતા સ્વામી શ્રી ગૌતમસ્વામીજીની
કેવળજ્ઞાનકલ્યાણક ભૂમિ
|
|
|
|
૨૩૧
For Private & Personal use only
Page #236
--------------------------------------------------------------------------
________________
ગુણિયાજી તીર્થ નવાદા સ્ટેશનથી ૨ માઈલ દૂર ઘટાદાર વૃક્ષોની હારમાળામાં
જરાસંધનો સૂપ જંગલમાં મંગલ સમું છે. ગૌતમસ્વામીજીને
જ્યાં કેવળજ્ઞાન થયું હતું તે ગુણિયાજી તીર્થના જલમંદિરમાં દર્શન કરીશું . પાવાપુરીથી ગુણિયાજી જતાં રસ્તામાં | રાજગિરિના પહાડનો એક ભાગ દેખાય છે, તેને જરાસંધનો સ્તૂપ કહે છે. લોકવાયકા છે કે આ સ્તૂપ પર બેસીને તે મથુરા સુધી બાણ છોડતો હતો. ગુણિયાજીના આ તીર્થધામે પહેલાં ‘ગુણશીલ” નામે વન હતું. રાજગૃહીના ઇતિહાસમાં ચાતુર્માસ માટે પ્રભુ મહાવીર ગુણશીલ ચૈત્યમાં વિચર્યા હતા અને તે સમયે જ્યાં પ્રભુનું સમવસરણ રચાયાનું વર્ણન સાંભળવા મળે છે; તે જ આ ગુણાયાજી કે ગુણિયાજી તીર્થ.
શ્રી ગૌતમ ગણધરનું કેવળજ્ઞાત
પ્રભુ મહાવીરે જીવનના અંતિમ સમયમાં શ્રી ગૌતમસ્વામીને રોગમુક્ત કરાવવાના હેતુથી દેવશર્મા બ્રાહ્મણને ત્યાં પ્રતિબોધવા મોકલ્યા અને પોતાનાથી દૂર કર્યા. દરમિયાન તેમણે પોતાના પાર્થિવદેહનો ત્યાગ કર્યો. નિર્વાણના સમાચાર સાંભળી ગૌતમસ્વામીએ ખૂબ વિલાપ કર્યો અને અંતે મોહનાં બંધનો તૂટતાં તે જ નિર્વાણરાત્રિની પશ્ચિમ પ્રભાતે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. આમ, પ્રભુવીરના વિરહથી સ્તબ્ધ બની ગયેલો કાળ જાણે
અનંતલબ્લિનિધાન પુરુષોત્તમ શ્રી ગૌતમ ગણધરની કેવળજ્ઞાનપ્રાપ્તિના ધવલમંગલથી (૨૩૨) નવા વર્ષના બહાને ઉલ્લસિત થયો અને આજે પણ આ ચીલો આર્યદેશની જનતા સ્વીકારે છે.
વાત
Page #237
--------------------------------------------------------------------------
________________
જિનાલયની સ્થાપત્યરચના
૧૧
અગિયાર ગણધરનાં ચરણ
૧૭
રંગમંડપ
૧૮ પ્રવેશ
૧૩
૧૫
૧૬
મુખ્ય દ્વાર
૧૪
૧ મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ૨ શ્રી ગૌતમસ્વામીજી ૩ શ્યામવર્ણા પ્રભુવીરનાં ચરણ ૪ શ્રી મહાવીરસ્વામી (દિ.) ૫ શ્રી ગૌતમસ્વામીજીની પાદુકા ૬ વીસ તીર્થકરોની શ્યામવણ પાદુકા ૭ શ્રી શાસનદેવી | ૮ શ્રી જિનદત્તસૂરિજીનું ચિત્રપટ ૯ શ્રી જિતકુશલસૂરિજીનું ચિત્રપટ
૧૦ ત્રિ-પાદુકા ૧૧ અગિયાર ગણધરતાં ચરણ ૧૨ શ્રી આદીશ્વરજીની પાદુકા ૧૩ અગિયાર ગણધરનાં ચરણ ૧૪ શ્રી વાસુપૂજ્યની પંચપગલી ૧૫ શ્રી ભૈરવજી ૧૬ શ્રી ભોમિયાજી ૧૭ ગભારો ૧૮ પલ
(૨૩૩
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૩૪
મળતાયકની વેદિકા
tioni international
witselib
Page #239
--------------------------------------------------------------------------
________________
મૂળનાયક શ્રી મહાવીરસ્વામી તથા | ડાબી બાજુ આગળ શ્રી ગૌતમસ્વામી
Kad/31} / visity shu / કોઇ 0/5/
B
| 5 :
ૐ હ્રીં શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ
શ્યામવર્ણા પ્રભુવીરનાં ચરણ ૨૩૫
Page #240
--------------------------------------------------------------------------
________________
જ શ્રી મહાવીરસ્વામી (દિ.) ૫ શ્રી ગૌતમસ્વામીજીની પાદુકા
શ્રી સંઘે બંધાવેલ મેડા ઉપર ઘુમ્મટાકારે આવેલા ગુણિયાજી તીર્થના આ જલમંદિરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી, ડાબી બાજુ શ્વેત વર્ણની શ્રી ગૌતમસ્વામીજીની ૩૦ સે.મી.ની મૂર્તિ અને મધ્યમાં કાળા પાષાણના શ્રી મહાવીર પ્રભુજીનાં પગલાં છે. અહીં એક પ્રભુવીરની પ્રતિમા (દિ.). દર્શનીય છે .શ્રી ગૌતમસ્વામીજીની પાદુ કા સં.૧૬ ૮૮માં અને શ્રી મહાવીરસ્વામીની પાદુકા સં. ૧૯૩૦માં પ્રતિષ્ઠિત થયેલી છે.
સ્તુતિ
સૌથી અધિક ગુણિયા કહાતાં ગણપ ગૌતમસ્વામીજી, નિજ વિનય ગુણથી વશ કીધા તે નાથ મહાવીરસ્વામીજી; તે વશીકરણ વિદ્યા ચહુ તુજ પાસે ઘો મુજને વરી, ગ્રહીને તમારાં ચરણ તો ઝટ જાઉં હું ભવને તરી.
ચૈત્યવંદના ગૌતમ જિન આણા ગયે, દેવશર્મા કે હેત, પ્રતિબોધિ આવત સુના, જાણ્યા નહિ સંકેત. વીરપ્રભુ મોક્ષે ગયા, છોડી મુજ સંસાર, હા હા ભરતે હો ગયા, મોહ અતિ અંધકાર. વીતરાગ નહીં રાગ હૈ, એક પખો મુજ રાગ, નિષ્ફલ એમ ચિંતવી ગયો, ગૌતમ મન સે રાગ. માન કિયો ગણધર હુઓ, રાગ કિયો ગુરુભક્તિ, ખેદ કિયો કેવલ લહ્યો, અદ્ભુત ગૌતમશક્તિ. દીપ જગાવે રાય તે, તિણે દિવાલી નામ, એકમ ગૌતમ કેવલી, ઉત્સવ દિન અભિરામ.
સ્તવન (રાગ : આખડી મારી પ્રભુ હરખાય છે) સ્વામી ગૌતમ લબ્ધિના ભંડાર છે, વીરના સેવક વીરશાસન શણગાર છે... સ્વામી. ૧ તીર્થ તમારું ગુણિયાજી નામે ભલું, ગુણનો કારક તું હી જ અપરંપાર છે... સ્વામી. ૨ વીરના રાગી હું અનુરાગી આપનો, કેવલ જ્યોતિ દાતા તુજ સહકાર છે... સ્વામી. ૩ વિનય વિવેકે તું વીતરાગી થઈ ગયો, પદ વીતરાગી વરવા તુજ ટહુકાર છે... સ્વામી. ૪ છ'રિ પાળીને પ્રેમે હું તુજ આવિયો, યાત્રિક મારો તું હી જ તારણહાર છે... સ્વામી. ૫ ત્રિભુવનભાનુ તુજ ચરણને ચાહતો, શિવપદ વરવા તુજ શરણે ઇકરાર છે... સ્વામી. ૬ સહજાનંદી ધર્મજિતેશ્વર તું જ્યો, જગવલ્લભ મુજ હૈયા કેરો હાર છે.... સ્વામી. ૭
થોય
ગુરુ ગણપતિ ગાવું, ગૌતમ ધ્યાન ધ્યાવું; સવિ સુકૃત સબાહુ, વિશ્વમાં પૂજ્ય થાવું. જગજિત બજાવું, કર્મને પાર જાવું; નવનિધિ રિદ્ધિ પાવું, થઈ સમકિત ઠાવું.
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૦
૧૨ શ્રી આદિનાથ પ્રભુની ચરણપાદુકાની દેરી
શ્રી નેમિનાથજી શ્રી અરિષ્ટનેમિનાથજી શ્રી પાર્શ્વનાથ પ્રભુની
Bi-unes
શ્રી વીસ તીર્થંકરની દેરી
૧૪
શ્રી વાસુપૂજ્યસ્વામીના પંચકલ્યાણકની દેરી
૨૩૭
Sain Education International
For Private
Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
ગભારાની બહાર ભમતીમાં દર્શન કરતાં સૌપ્રથમ આવે છે : અગ્નિ ખૂણામાં શ્રી વીસ તીર્થંકરની દેરી. અહીં વીસ તીર્થંકરોનાં વીસ ચરણપાદુકા પ્રતિષ્ઠિત છે. ભાવથી વંદન કરી આગળ જતાં બરાબર આ દેરીની બાજુમાં જ શ્રી શાસનદેવીની મૂર્તિ બિરાજિત છે.... પ્રણામ કરી આગળ જમણી બાજુ દર્શન થાય છે : પ્રથમ ગોખલામાં દાદાગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજીનું ચિત્રપટ; જે શ્વેતવર્ણા ચરણ સહિત બિરાજમાન છે. તેની બાજુના ગોખલામાં શ્યામવર્ણાચરણ સહિત બિરાજિત છે; શ્રી જિનકુશલસૂરિજીનું ચિત્રપટ, આ બે ગોખલાની વચ્ચેથી ગુણિયાજી તીર્થનો બહાર જવાનો રસ્તો પુલ સહિત દેશ્યમાન થાય છે. હવે આગળ ભમતીમાં દર્શન કરીએ. અહીં વાયવ્ય ખૂણામાં શ્રી નેમિનાથજી, શ્રી અરિષ્ટનેમિનાથજી તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની ‘ત્રિ-પાદુકા'ની દેરીમાં ત્રણે જિનેશ્વર ભગવંતોની ત્રણ ચરણપાદુકાનાં દર્શન થાય છે. હવે જમણે નજર કરીએ તો મૂળનાયકની વેદિકાના પૃષ્ઠ ભાગે ભમતીમાં અગિયાર ગણધરોની ચરણપાદુકા પ્રતિષ્ઠિત છે. દર્શન કરી આગળ વધતાં નૈર્ણયખૂણામાં શ્રી આદિનાથજીના નિર્વાણ કલ્યાણકની યાદમાં બનાવેલી દેરી છે; જેમાં શ્રી આદિનાથ પ્રભુની ચરણપાદુકાનાં દર્શન થાય છે. આગળ વધતાં ડાબે દર્શનીય છે : ગભારાની પૃષ્ઠ દીવાલે અન્ય અગિયાર ગણધરોની ચરણપાદુકા પ્રતિષ્ઠિત છે. અહીં દર્શન કરી આગળ ઈશાન ખૂણામાં શ્રી વાસુપૂજયસ્વામીના પંચકલ્યાણકની પાંચ ચરણપાદુકાની દેરી છે. સૌને અત્યંત ભાવથી વંદન કરી ગભારાની બહાર આવીએ. ગભારાની બહાર નીકળતાં ડાબા હાથે શ્રી ભૈરવજી અને જમણા હાથે શ્રી ભોમિયાજી બિરાજે છે. ....પ્રણામ.
૯ શ્રી જિતા તસૂરિજી મિષ્ટાપટ
૯ શ્રી જિતકુશલસૂરિજી ચિત્રપટ
૨૩૮]
Jain
E
lon International
For Private
Personal use on
www.jainelibrary
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૧ અગિયાર ગણધરનાં ચરણ
ગભારાની બહાર ભમતીમાં દર્શન કરતાં મૂળનાયકની વેદિકાની દીવાલના પૃષ્ઠ ભાગે પ્રતિષ્ઠિત ચરણપાદુકા
૧૩ અગિયાર ગણધરનાં ચરણ
(૨ ૩૯
r a
For Private &
DE
www.jaine
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૫ શ્રી ભૈરવજી
Imean
માર્ગદર્શન : પાવાપુરીથી ગુણિયાજી ૨૦ કિ.મી. છે. અહીં સેવાપૂજા માટે વ્યવસ્થા છે, ધર્મશાળા
છે. આ તીર્થને
જીર્ણોદ્ધારની તાતી જરૂર છે. અહીં એક દિગંબર LE મંદિર પણ છે.
૨૨૪૦
૭ શ્રી શાસતદેવી
માદા ધ
---
પ્રવેશદ્વાર
૧૬ શ્રી ભોમિયાજી
આ મંદિરની નિર્માણશૈલી જોઈને પાવાપુરી જલમંદિરની યાદ આવે છે. મંદિર સામે આવેલું કલાત્મક તોરણ પણ દર્શનીય છે. ચાલો, આ કઠેડાબંધ પુલ પર ચાલીને બહાર આવીએ અને આ અશોકવૃક્ષની ઘેરી ઘટામાંથી પસાર થતાં થતાં લછવાડ
તરફ જઈએ.
તીર્થપેઢી શ્રી જૈન શ્વેતાંબર ભંડાર શ્રી ગુણિયાજી તીર્થ પોસ્ટ : ગોનવા - ૮૦૫૧૧૦ જિલ્લો : નવાદા, પ્રાંત ઃ બિહાર ફોનઃ ૦૬૩૨૪-૨૧૪૦૪૫
Page #245
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરનું ચ્યવત અને જન્મકલ્યાણક
કજિનાજwommitra
(૨૪૧)
Page #246
--------------------------------------------------------------------------
________________
RUTEN ETTETE -
JaR
dation International
Page #247
--------------------------------------------------------------------------
________________
શ્રી લછવાડ તીર્થ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનાં ચ્યવન, જન્મ અને દીક્ષાકલ્યાણકની પવિત્ર તીર્થભૂમિ
२४
Page #248
--------------------------------------------------------------------------
________________
લછવાડના મુખ્ય દ્વારને શોભાવતા પ્રભુતા ચ્યવન, જન્મ અને દીક્ષાલ્યાણકનાં શિલ્પ
Aવતકલ્યાણક
જન્મચાણક
લીલીજીબાઈલ
મોતા
દીક્ષાકલ્યાણક છે સાવ
૨૪૪ Jain Educatic.
の
ス スススススススススススススススススススススススススススススススススメなスイスへの
D ainelibrary.org
Page #249
--------------------------------------------------------------------------
________________
૧. મૂળતાયક શ્રી મહાવીરસ્વામીજી (ગભારો)
|૨૪૫
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૦ મૂળનાયક શ્રી મહાવીરસ્વામીજી (લછવાડ)
[૨૪૬
For Private & Personal-Use Onls
ww.jainelibrary.org
Page #251
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ
| ટહુકાર કરતો મોરલો મનનો ગિરિ લછવાડમાં,
જ્યાં જન્મ દીક્ષા વીર ત્યાં, તુજ પ્યાર કરતો લાડમાં; હે વીર, જીવિતસ્વામી નંદીવર્ધનો તુજ ધ્યાનમાં, આંતર રિપુનાશક તમે, સ્થાપ્યો હૃદયના ધ્યાનમાં.
ચૈત્યવંદના સિદ્ધાર્થ સુત વંદીયે, ત્રિશલાનો જાયો, ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુરનરપતિ, ગાયો ........૧
મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બહોતેર વરસનું આયખું, વીર જિનેશ્વર રાયા ...... ૨ ખિમાવિજય જિનરાયના એક ઉત્તમ ગુણ અવદાત;
સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત ........૩ સ્તવન (રાગ : વા વાયા ને વાદળ ઊમટયાં...) હે રજવાડી ઠાઠવાળો ત્રિશલાનો જાયો, જોતાં મનનો મોરલિયો આજ ટહુક્યો, રજવાડી...૧ જભ્યો જે ધરતીમાં તે અવનીમાં પાયો, અંતરના આંગણિયામાં ભાવે હુલરાયો, રજવાડી... ૨ લછવાડ તીર્થ ગિરિ તળેટીમાં આયો, પામીને દર્શ દિલ હર્ષ ઊભરાયો, રજવાડી...૩ લક્ષ્મીને લબ્ધિધારી લલાટ ગવાયો, વર્ધમાન નામી-કામી અધિક સવાયો, રજવાડી...૪ પ્રેમની સરિતા નિર્મલ નેહી નજરાયો, ત્રિભુવનભાનુ જ્ઞાન જગ વિસ્તરાયો, રજવાડી...૫ ધર્મની ધરતી જીત વરવાને આયો, જગનાવલ્લભ યોગપૂરણ મનાયો, રજવાડી...૬
o થયા ગંધારે મહાવીરે જિગંદા, જેને સેવે સુરનર ઇંદા, દીઠે પરમાનંદા, ચેતર સુદ તેરસ દિન જાયા, છપ્પન દિગકુમરી ગુણ ગાયા, હરખ ધરી હુલરાયા, ... ૨ ત્રીસ વરસ પાલી ઘરવાસ, માગસર વદ દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ,...૩ એ જિને સેવો હિતકર જાણી, એહથી લહીએ શિવપટરાણી, પુણ્ય તણી એ ખાણી. ...૪
૨૪શે |
નેશનલ
' , , ,
'
,
,
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૬
૧૭
( ૧૦ ૧૧ ૧૨ ૧૩
મૂળનાયકની
વેદિકા
ગભારો
|
કોરીમંડપ
5.
હાર
રંગમંડપ
૧૯
૨૦ મુખ્ય પ્રવેશ
૧ ગભારો (મૂળનાયક શ્રી મહાવીરજી) 3 દીક્ષા કલ્યાણક મૂર્તાિ(શ્રી મહાવીરજી) ૫ શ્રી ભૈરવજી (જમણે) ૭ શ્રી શાંતિનાથજી ૯ વીસસ્થાનક યંત્ર ૧૧ શ્રી ગૌતમસ્વામીજી ૧૩ દીક્ષાકલ્યાણકની મૂર્તિ પરોણાગત) ૧૫ શ્રી પાર્શ્વનાથજી ૧૭ શ્રી વિજય રામચંદ્રસૂરિજીની દેરી ૧૯ સિદ્ધાર્થનદન ચંદનઘર (૨૪૮]
૨ ચ્યવનકલ્યાણક મૂર્તિ(શ્રી મહાવીરજી) ૪ શ્રી ભૈરવજી (ડાબે) ૬ શ્રી આદિનાથજી ૮ શ્રી જિતેશ્વર પ્રભુનાં પગલાં ૧૦ ચ્યવનકલ્યાણકની મૂર્તિ(પરોણાગત) ૧૨ શ્રી ચોવીસીજી ૧૪ શ્રી નેમિનાથજી ૧૬ શ્રી જિતકુશલસૂરિજીની દેરી ૧૮ મૂળનાયકતા ગભારાનું પ્રવેશદ્વાર ૨૦ જિનાલયનું મુખ્ય દ્વાર
Page #253
--------------------------------------------------------------------------
________________
લિચ્છવી રાજાઓનાં નામ પરથી લછવાડ(લચ્છવાડ) નામે આ ગામ પ્રસિદ્ધ થયું, જે ક્ષત્રિયકુંડની તળેટી તરીકે ઓળખાય છે. પાવાપુરીથી ગુણિયાજી થઈ કાદીરગંજ, પકરીબરામા, અલીગંજ, સિકંદરા થઈ ૬૦ કિ.મી.ના અંતરે આવેલા લછવાડ તીર્થે પહોંચાય છે. અહીંના રસ્તા ખરાબ હોવાથી, ગુણિયાજીથી લછવાડનું ૧ કલાકનું અંતર કાપતાં ૩ કલાક થાય છે. સંવત ૧૯૩૧માં રાયબહાદુર ધનપતસિંહજીએ ૧૦૮ નાનાં શિખરોયુક્ત, સત્તર ફૂટ ઊંચું આ શિખરબંધ મંદિર બંધાવેલું; જેમાં પીળા પાષાણના ૨૪ ઇંચના મૂળનાયક શ્રી મહાવીરસ્વામીજી બિરાજમાન છે... તમો જિણાણું.
A farmef
PERHETS
TOTTY excel * o and her _ત્તિઓનુ
- ચ્યવતકલ્યાણક મૂર્તિ (શ્રી મહાવીરજી) ૩ દીક્ષાકલ્યાણક મૂર્તિ (શ્રી મહાવીરજી)
ગભારાની બહાર ઉંબરાની ડાબી બાજુ પ્રભુવીરની ચ્યવનકલ્યાણકની તથા જમણી બાજુ પ્રભુવીરની દીક્ષાકલ્યાણકની મૂર્તિ છે... તમો જિણાણ.
હાલના વો
MING
૪ શ્રી ભૈરવજી (ડાબે)
કલ્યાણકમૂર્તિઓની સામે અને મુખ્ય દ્વારની આજુબાજુ ડાબે તથા જમણે તીર્થાધિષ્ઠાયક શ્રી ભૈરવજી બિરાજમાન છે. .
૫ શ્રી ભૈરવજી (જમણે)
પ્રણામ.
www.ja
૨૨૪૯
amit
Page #254
--------------------------------------------------------------------------
________________
બહાર નીકળીને રંગમંડપમાંથી ડાબી તરફના દ્વારેથી ભમતીમાં દર્શન કરતાં સૌપ્રથમ ડાબે હાથે શ્રી આદિનાથજી પ્રભુ અને શ્રી શાંતિનાથજી પ્રભુનાં દર્શન થાય છે.... નમો જિણાપં. આગળ જતાં શ્રી જિનેશ્વર ભગવંતોનાં પગલાંનાં દર્શન થાય છે, જેમાં બે જોડી શ્રી મહાવીરસ્વામીજીનાં, બે જોડી શ્રી ચંદ્રપ્રભજીનાં તથા બે જોડી શ્રી ગૌતમસ્વામીજીનાં ચરણ છે.... તમો જિણાણ... નમો સિદ્ધાણં.
सानिमश्री अदिनिन विस्यकारा मानाप्रभावी रनामेन्द्रपरमप्रमूख शेटपरिमारणाकवकता औरामचन्द्रगरिएका.अ.कम्पननन्तमरिया
सानंदाल देवचंद शेष श्रेयाथपुन यावर
મનET TTT TTTER
भी शातिपियकारा सामन्दमनाप्रयाणवता "
તો કીધા A fine
૬ શ્રી આદિનાથજી
૭ શ્રી શાંતિનાથજી
ગભારાના પૃષ્ઠ ભાગે સૌપ્રથમ વીસસ્થાનકયંત્ર, ચ્યવનકલ્યાણક મંદિરમાં (ક્ષત્રિયકુંડ તળેટીમાં) પ્રતિષ્ઠા થનારી ચ્યવનકલ્યાણકની પ્રભુવીરની મૂર્તિ, તેની જોડે શ્રી ગૌતમસ્વામીજી, પંચધાતુના શ્રી ચોવીસીજી તથા દીક્ષા કલ્યાણક મંદિરમાં (ક્ષત્રિયકુંડ તળેટીમાં) પ્રતિષ્ઠા થનારી દીક્ષાકલ્યાણકની પ્રભુવીરની મૂર્તિ બિરાજમાન છે. સર્વને ભાવથી વંદન કરી આગળ દર્શન કરીએ.
Vw Vauva
૮ શ્રી જિનેશ્વર પ્રભુ અને ગણધરનાં પગલાં |૨૫O
Elbrary.org
Page #255
--------------------------------------------------------------------------
________________
[[(T
BOK
૧૦ ચ્યવનકલ્યાણકની મૂર્તિ (પરોણાગત) ૧૩ દીક્ષાકલ્યાણકની મૂતિ (પરોણાગત)
૧૧ શ્રી ગૌતમસ્વામીજી
૨૫૧
ainelibrary.ord
Page #256
--------------------------------------------------------------------------
________________
ad Aિnand L 1 માટatવદ પ્રવાહ श्रीमानवर्धमान माया
शुग
ताजमुदेवी प्रेरणयापुजरमेश सुमेरमल र माया प्रेम-आयुप-आगम प्रमुखश्री श्री लियानपागलाधिपति आरामचन्द्रसरिपा
૧૪ શ્રી નૈમિનાથજી
૧૫ શ્રી પાર્શ્વનાથજી અહીં શ્રી નેમિનાથજી અને શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિનાં દર્શન થાય છે... તમો જિણાણ.
૧૯ સિદ્ધાર્થનંદન ચંદનઘર
મંદિરની બહાર સિદ્ધાર્થતદત ચંદનઘર આવેલું છે.
૨૫૨]
on Internation
FOI Pvate & Dealuse Only
www.jainelibrary
Page #257
--------------------------------------------------------------------------
________________
श्रीद
Jain Eac
somerse
00:00:00:00
૧૬ શ્રી જિતકુશલસૂરિજીતી દેરી
-કી ધોવાય તથ -૨
पू. आ. श्री विजयरामचन्द्रसूरि महाराजा
गुरु चरण पादुका
૧૭ શ્રી વિજય રામચંદ્રસૂરિજીની દેરી
લછવાડના મંદિરની બહાર ચોગાનમાં ડાબી બાજુ દાદાવાડી તથા જમણે ગુરુમંદિર છે. અહીં દાદાવાડીમાં શ્રી જિનકુશલસૂરિજીની અને ગુરુમંદિરમાં શ્રી વિજય રામચંદ્રસૂરિજીની ચરણપાદુકા છે....મત્થએણ વંદામિ.
|૨૫૩
Page #258
--------------------------------------------------------------------------
________________
મુંગેર જિલ્લામાં આવેલા આ તીર્થની તળેટીમાં પ્રભુ મહાવીરનાં ચ્યવન, દીક્ષા તથા ક્ષત્રિયકુંડના પહાડની પેલે પાર જન્મકલ્યાણક થયેલું છે. ભગવાનનું જન્મસ્થળ જમુઈ વિસ્તારનું ક્ષત્રિયકુંડ ગ્રામ છે. ડૉ. શ્યામાનન્દ પ્રસાદના મત મુજબ કલ્પસૂત્ર તથા ૧૩, ૧૭મી શતાબ્દી સુધીના જૈન યાત્રીઓના યાત્રીવૃત્તાંતમાં આ વાત સિદ્ધ થઈ છે. તેઓ કહે છે કે ક્ષત્રિયકુંડ ગ્રામનો સંપૂર્ણ પ્રદેશ કુંડગ્રામ હતો. કલ્પસૂત્ર
અનુસાર કુંડગ્રામ ક્યારેક મહાનગર હતું. (ક્ષત્રિયકુંડ) ખત્રિય કુંડગ્રામ અને માત કુંડગ્રામ (બ્રાહ્મણ | કુંડગ્રામ) એ કુંડગ્રામના બે મોટા ભાગ હતા. લછવાડથી દક્ષિણ તળેટી બ્રાહ્મણ કુંડગ્રામ તથા સામેની
પશ્ચિમ તળેટી તે ક્ષત્રિય કુંડગ્રામ છે. લછવાડ ગામથી પકિ.મી.ના અંતરે આવેલી આ ક્ષત્રિયકુંડની તળેટી નદીકિનારે વસેલી છે. આ પહાડ પર જવાનો રસ્તો ૫ કિ.મીજેટલો અબરખના ચમકતા પથ્થરો અને લીલી વનરાજીઓના સૃષ્ટિસૌંદર્યથી ભરપૂર છે. અહીં વહેતી આ બહુવારી નદીમાં કુંડ ભળી ગયા હોવાથી તેને કુંડેઘાટ’ કહે છે.
બહુવારી નદી
"
કુડઘાટ
Ruucation intense
.
અહીં પ્રભુને ગોશાલકનો ઉપદ્રવ થયી હતી.o
Page #259
--------------------------------------------------------------------------
________________
પર્વતારોહણ કરતાં માર્ગમાં આવતી આ બહુવારી નદી પાંચ વાર ઓળંગવી પડે છે. ડોળીવાળા રસ્તામાં વિસામો લઈ આ નદીના નિર્મળ પાણીથી માં તાજગી અનુભવે છે. અહીંના પાંચ પહાડોને
તો , લોકજીભે અનુક્રમે ઢીગાર, કૅદુઆ, નક છે જ ચીકાન, પસરવા અને ગેબેઠના
જ તરીકે ઓળખવામાં આવે છે.
૨૫૫
Vain Education interna
For Private 2 Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રિયકુંડની તળેટીમાં પહેલું આવે છે ૧,૫૦૦ વર્ષ જૂનું ચ્યવનમંદિર. અહીં નવાં અને જૂનાં એમ બે જોડી પગલાંનાં દર્શન થાય છે... તમો જિણાણ. ઘુમ્મટબંધી ચ્યવનમંદિરમાં સંવત ૧૫૦૪ની સાલનો લેખ જોવા મળે છે. આગમ અનુસાર શ્રી સૌધર્મેન્દ્રદેવ શક્રેન્દ્ર, હરિણગમેષી દેવને દેવાનંદા માતાના ગર્ભને ક્ષત્રિયકુંડના જ્ઞાતવંશીય રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાની કુક્ષિમાં સ્થાનાંતર કરવાનો આદેશ આપે છે. ઇન્દ્રની આજ્ઞાનુસાર આ દેવ ભાવપૂર્વક અષાઢ વદ તેરસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ગર્ભને સ્થાનાંતર કરે છે. આમ, આજથી ૨,૫૮૭ વર્ષ પૂર્વે પ્રભુ ૨૬ ભવો પૂરા કરી ત્રિશલારાણીની કુક્ષિમાં આવે છે. તીર્થંકર પદ પ્રાપ્ત કરનારા આ આત્મા માટે ક્ષત્રિયકુંડમાં જન્મ લેવો આવશ્યક હતો, પરંતુ ‘મરીચિ’ના ભવમાં કરેલ કુલાભિમાનના કારણે પ્રભુને દેવાનંદાની કુક્ષિમાં જવું પડે છે. પ્રભુના ચ્યવનકલ્યાણકને યાદ કરી ભાવથી બોલીશું.
“ૐ હ્રી શ્રી મહાવીરસ્વામી પરમેષ્ઠીને તમઃ” ચાલો, હવે દીક્ષાકલ્યાણક મંદિરે જઈએ.
ચ્યવનકલ્યાણકના મંદિરમા પ્રતિષ્ઠા થતારી મૂર્તિ
૨૫૬
ચ્યવનકલ્યાણક
મંદિર
ચ્યવનકલ્યાણકનાં પગલા
Page #261
--------------------------------------------------------------------------
________________
“તનડાનાં સગપણ તોડી, મનડાથી મનડું મોડી, જોગી થઈને જાય મહાવીર, જોગી થઈને જાય.”
દીક્ષાલ્યાણક
મંદિર
દીક્ષાલ્યાણકના પગલા
દીક્ષાકલ્યાણકનાં મંદિરમાં જ પ્રતિષ્ઠા થતારી મૂતિ
રહેT BOTTI
ની
રા
R[
,
અહીં નવાં અને જૂનાં એમ બે જોડી પગલાંનાં દર્શન થાય છે.... તમો જિણાણે. ઘુમ્મટબંધી મંદિરમાં સંવત ૧૫૦૪નો લેખ વાંચવા મળે છે. માત્ર ૩૦ વર્ષની ઉંમરે વિદેહની મનઃસ્થિતિમાં આ પંચપહાડીને પાર કરી અહીં ‘જ્ઞાતખંડ” ઉપવનમાં આવીને, બહુવારી નદીના કિનારે આમલકી, શાલ, અશોક વગેરે. વૃક્ષો તથા ઘટાદાર કુંજોના બાહુશાલ ચૈત્યની નીચે ધ્યાનસ્થ થઈ પ્રભુવીરે દીક્ષા લીધી હતી. પ્રભુના દીક્ષા કલ્યાણકને યાદ કરી ભાવથી બોલીશું.... “Úૐ હ્રીં શ્રી મહાવીરસ્વામીનાથાય નમઃ” ૨િ૫૭]
Page #262
--------------------------------------------------------------------------
________________
ૐૐ હ્રીં શ્રી તીરસ્વામી
૨૫૮
અત્યંત તમઃ
"~~
Page #263
--------------------------------------------------------------------------
________________
શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ
અત્યંત કઠિત બે માઈલનું ચઢાણ પસાર કરીને હવે ક્ષત્રિયકુંડના પહાડ પર આવેલા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામીના જન્મકલ્યાણક મંદિરે દર્શન કરીશું.
luan
૨૫૯
Page #264
--------------------------------------------------------------------------
________________
C
)
કલિકાલ કરાલમાં મૂતિરૂપે છો મળ્યાં, મારે તો ઘરઆંગણે સાક્ષાતકલ્પતરુ ફળ્યાં.
૨૬) baneducation International
EOT PIC
www.jainelibrave
Page #265
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ
હે વીર બ્રાહ્મણકુંડમાં, આવ્યા દશમ સુરલોકથી, હે નાથ ક્ષત્રિયકુંડમાં, જભ્યો તું જીવનસારથિ; દીક્ષા ગ્રહી કેવલ વરી, સિદ્ધાર્થ થઈ શિવમાં ગયો, શા ભોમ તારી સ્પર્શતાં, આજે હૃદય આનંદભયો.
૨૬૧
Page #266
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદના ચોવીસ દંડક વારવા, ચોવીસમા ભગવાન, ચરમ જિનેશ્વર વીરજી, પ્રેમ કરું ગુણગાન...૧ ભુવનભાનુ વર પામીને, લોક પ્રકાશિત કીધ, ધર્મચરણ આપી પ્રભુ, ભવિને શિવપદ દીધ...૨ જગવલ્લભ હે સાહિબા, તાર્યા તે ભવિ થોક, તિમ તારો મુજને પ્રભો, ટાળો ભવદુ:ખ પોક...૩
|
|
૨૬ ૨
-
Page #267
--------------------------------------------------------------------------
________________
S
10
સ્તવન (રાગ : લોકઢાળ અથવા મેંદી રંગ લાગ્યો)
''
પ્રભુજી,
માહણકુંડમાં ચવીયા ક્ષત્રિયકુંડ જનુ થાય રે, નમો નમો વીર વિભુ, મહાવીર પ્રભુ. જનની જગમાતા, ત્રિશલા તમારી, પ્રણમું તમારા પાય રે, નમો ... ૧
રાય સિદ્ધાર્થ, ક્ષત્રિયકુંડના, જન્મ સમે હરખાય રે, નમો ... ૨
દશ દિવસનો સ્થિતિ પતિતા, મહોત્સવ તવ મંડાય રે,નમો ... ૩
જન્મકલ્યાણક ભોમ તમારી, ભેટતાં ભવદુઃખ જાય રે,નમો ... ૪
પ્રેમ તમારા ત્રિભુવન ભાનુ, ધર્મરસાય પમાય રે .. નમો ... પ ક્ષત્રિયકુંડની જાત્રા કરંતા, ભક્તો આનંદે ગાય રે, નમો ... ૬
vale & Personal Use C
|૨૬૩
Page #268
--------------------------------------------------------------------------
________________
થોય વીર જગત્પતિ જન્મ જ આવે, નંદન નિશ્ચિત શિખર સુહાવે, આઠ કુમારી ગાવે, અડ ગજદંતા હેઠે વસાવે, રુચક ગિરિથી છત્રીશ જાવે, દ્વીપ સુચક ચઉ ભાવે, છપ્પન દિકુમારી ફુલરાવે, સૂતિ કરમ કરી નિજ ઘર પાવે, શક્ર સુઘોષા બજાવે, સિંહનાદ કરી જ્યોતિષ આવે, ભવન વ્યંતર શંખ પડદે મિલાવે, સુરગિરિ જન્મ મલ્હાવે.
SMS
=
પ્રાચીન ચંપાનું વૃક્ષ
રિ૬૪),
Ja ducation International
.
| |
Page #269
--------------------------------------------------------------------------
________________
ચૈત્ર સુદ તેરસે પ્રભુનો જન્મ થયો અને દેવલોકમાં ઇન્દ્રે મેરુશિખર પર પ્રભુને લઈ જઈ અભિષેક કર્યો. પ્રભુના જન્મ સાથે જ સર્વ પ્રકારની વૃદ્ધિ થતાં તેઓ ‘વર્ધમાન’ નામે ઓળખાયા. અહીં ૨,૬૦૦ વર્ષ પ્રાચીન અને ભગવાનના ભાઈ નંદીવર્ધને ભરાવેલી શ્યામવર્ણી પદ્માસનધારી, ૨૭" ઊંચી પરિકર સહિતની પ્રભુ મહાવીરની કસોટીની મૂર્તિ છે; જેના ઉપર ધાતુ કે વરખનો નિષેધ ગણાય છે અને કેસરપૂજા પૂર્વે ચંદનનું તેલ લગાવવામાં આવે છે. અહીં ઊગતા વિવિધ રંગના ગુલાબનો સુંદર હાર ગૂંથ્યા વગર એક વિશેષ પ્રકારે બનાવાય છે અને રોજે એક જ પ્રકારે બનાવાયેલો આ હાર ભગવાનને ચઢાવાય છે. હાર ચઢાવ્યા બાદ(પૃ.૨૫૮) પ્રભુ મહાવીરની આ મૂર્તિની શોભા અવર્ણનીય બની રહે છે.
અહીં મૂળનાયકની પ્રતિમા પર સંવત ૧૫૭૯નો લેખ સરળતાથી વાંચી શકાય છે. આનંદની અવિન છે આ, અસીમ ઉપકારી પ્રભુને ગૃહસ્થ પર્યાય આ મલકમાં વીત્યો હતો. ભગવાનના જન્મની યાદ તાજી કરીને જ્યારે ક્ષત્રિયકુંડ જાઓ ત્યારે વીરપ્રભુની પ્રતિમા સામે ધ્યાનમાં બેસવાનો લહાવો લેજો કારણ કે જે રોમાંચ, આનંદ, વેદના, સંવેદનાપૂરથી અંતરમાં ભક્તિ ઊમટે તે અનુભવ ખરેખર અવર્ણનીય અને અદ્વિતીય હશે અને તમને આનંદની અપાર લબ્ધિ અપાવશે. અહીંના પૂજારી મુંઢિકા પાંડે કહે છે કે
આ પ્રતિમા સાક્ષાત્ છે. તેમના કહેવા પ્રમાણે આ મંદિરની દીવાલો પૂર્વે ૧૨ ફૂટની હતી જે ચાર વાર જીર્ણોદ્વાર થતાં તૂટી ગઈ. સમયાંતરે આ મંદિરને તોડીને શિખરબંધ જિનાલય બનાવવામાં આવ્યું.
બહાર આ ચંપાનું ઝાડ પણ આ જિનાલયના સમકાલીન અતિ પ્રાચીન માનવામાં આવે છે. મંદિરમાં રોજ એક જ આરતી ગવાય છે, જેમાં પ્રભુ મહાવીરના જીવનપ્રસંગો વણી લેવામાં આવ્યા છે. ચાલો, સહુ ભાવથી ભગવાન મહાવીરની આરતીમાં જોડાઈએ.
1
-->>>
For Private Personal Use Only
7244
SHOW
Ne;
૨૬૫
Page #270
--------------------------------------------------------------------------
________________
જેને જોતાંની સાથે મનમાં
3 પ્રભુવીરતં પ્રસન્ન
'ક્ય બની જાય
“મુખારવિદ /પાણીના નર્મળ
શ્રી મહાવીર પ્રભુની આરતી ૐ જય મહાવીર પ્રભુ, સ્વામી જય મહાવીર પ્રભુ, જગનાયક સુખદાયક, અતિ ગંભીર પ્રભુ, ૩ૐ જય મહાવીર પ્રભુ.
| દીનાનાથ દયાનિધિ, મંગલકારી, સ્વામી, જગહિત સંજમધારા, પ્રભુ પર ઉપકારી, ૐ જય મહાવીર પ્રભુ.
'ક્ષત્રિયકુંડમાં જન્મ, ત્રિશલા કે ધ્યાયે, ' પિતા સિદ્ધારથ રાજા, સુરનર હર સાય, ૐ જય મહાવીર પ્રભુ.
'પાપાચાર મિટાયા, સતપથ દિખલાયા, ‘દયા ધર્મ કા ઝંડા, જગ મેં લહરાયા, ૐ જય મહાવીર પ્રભુ.
' અર્જુન માલા ગૌતમશ્રી ચંદનબાલા, 'પાર જગત સે બડા, ઉનકા કર ડાલા, ૐ જય મહાવીર પ્રભુ.
' પાવન નામ તુમ્હારા, જગ તારણહારા, 'નિશદિન જો નર ગાવે, કષ્ટ મિટે સારા, ૐ જય મહાવીર પ્રભુ.
'કરુણાસાગર તેરી, મહિમા હે ભારી, સુરનર મુનિગન ગાયે, ચરનન બલિહારી, ૐ જય મહાવીર પ્રભુ.
A
(આ આરતી ત્યાંના પૂજારી For Privacપાસેથી પ્રાપ્ત થઈ છે.)
-
Page #271
--------------------------------------------------------------------------
________________
એવી લોકવાયકા છે કે મંદિરથી થોડે દૂર નજીક જીર્ણ હાલતમાં એક મોટું મકાન જોવા મળે છે તે સિદ્ધાર્થ રાજાનું ભવન છે. પ્રભુએ પોતાની પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલીને પણ આ જ ક્ષેત્રમાં દીક્ષા આપી હતી. | માર્ગદર્શન : અહીંયાં એક જ ધર્મશાળા હોવાથી જો મોટો સંઘ લઈને આવવાનું હોય તો રહેવા માટે અગાઉથી જણાવી દેવું પડે છે. જે યાત્રિકોને ડોળીની જરૂર હોય તેમણે અગાઉથી જણાવવું જરૂરી છે. પહાડ યાત્રા દરમિયાન દરેક યાત્રિકે કોઈ પણ જાતનું જોખમ સાથે લેવું નહીં તથા બધાની સાથે જ રહેવું.
અહીં નજીકનું રેલવે સ્ટેશન લખીસરાય, જમુઈ, ફિયુલ આ ત્રણેય લછવાડથી ૩૦ કિ.મી.ના અંતરે છે. અહીંથી બસ, ટેક્સી જાય છે. લછવાડથી કુંડેઘાટ તળેટી પાંચ કિ.મી. દૂર છે, જ્યાં જીપ અથવા પોતાની ગાડીમાં જઈ શકાય છે અને તળેટીથી ક્ષત્રિયકુંડ જન્મસ્થળ મંદિર ૫ કિ.મી. છે; જ્યાં ડોળી દ્વારા ચાલીને અથવા જીપ દ્વારા જઈ શકાય છે, પરંતુ ડોળીથી અથવા ચાલીને જાત્રા કરવી વધારે યોગ્ય છે કારણ કે કુદરતી સૌંદર્યને માણી શકાય, સલામતી રહે અને ગિરિરાજ ચઢ્યાનું પુણ્ય મળે. યાત્રા બાદ દીક્ષા કલ્યાણકની દેરી પાસે ભાથાગૃહમાં યાત્રાળુઓને ભાથું વહેંચવામાં આવે છે.ગિરિરાજ પર સમૂહમાં જાત્રા કરવી અને સાંજ પહેલાં પરત આવી જવું જોઈએ. લકવાડમાં ધર્મશાળા, ભોજનશાળા ઉત્તમ છે. પહાડપર પણ સેવાપૂજા માટે ગરમ પાણીની પૂરતી વ્યવસ્થા છે.
તીર્થપેઢી શ્રી જૈન શ્વેતાંબર સોસાયટી પોસ્ટ : લછવાડ-૮૧૧૩૧૫ જિલ્લો : જમુઈ, પ્રાંત બિહાર ફોન : ૦૬ ૩૪૫-૨૮૯૧૩૩, ૨૮૯૦૪૬
Scivate & Personal
l y
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી કાકડી તીર્થ તવમાં તીર્થકર શ્રી સુવિધિનાથ પ્રભુનાં
પ્રથમ ચાર કલ્યાણકની તીર્થભૂમિ
પ્રાચીન સંપાનું વૃક્ષ -
I
RECerrado
Jain
Use On
A T
I
www.fintelibrary.org
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૯
www.jainelibry
Page #274
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રિયકુંડની પંચપહાડીથી નીચે ઊતરી કાકંદી તીર્થે જવાનું છે. જમુઈ થઈને ૪૦ કિ.મી.નું વિકટ | અંતર કાપીએ ત્યારે નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથનાં પ્રથમ ચાર કલ્યાણકની ભૂમિએ પહોંચાય છે. દૂરથી જોતાં આ જિનાલય લાલ પથ્થરનું લાગે છે, પરંતુ ઈંટ અને સિમેન્ટની અદ્ભુત કારીગરીથી બનાવ્યું છે. રાજા સુગ્રીવ અને માતા રામાદેવીના નંદ શ્રી પુષ્પદંતજીનો જય હો.
પુંડરીકિણી નામની એક પાવનકારી નગરી હતી. તેમાં મહાપદ્મ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને જન્મથી જ ધર્મ પ્રત્યે ખૂબ લગની હતી. તેઓ ખૂબ બુદ્ધિશાળી હતા અને શ્રાવક ધર્મનું નિર્મળ રીતે પાલન કરતા હતા. સંસારને પાર પામવાની ઇચ્છાથી રાજાએ જગનંદ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યાર બાદ મહાપદ્મમુનિ દેઢપણે મહાવ્રત પાળવા લાગ્યા. તપ અને ભક્તિ વડે તેમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને આયુષ્ય નિર્ગમન કરી મહાપા મુનિરાજ વૈજયંત વિમાનમાં મહદ્ધિક દેવતા થયા.
- આ જ ક્ષેત્રમાં કાકંદી નામની અનુપમ અને દર્શનીય નગરી હતી. સુગ્રીવ નામનો રાજા તેમાં રાજય કરતો હતો. રાજા ન્યાયી, પ્રજાવત્સલ અને ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા દાખવનારા હતા. તેમને રામા નામની રાણી હતી. વૈજયંત વિમાનમાં રહેલો મહાપદ્મ મુનિરાજનો જીવ તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને રામાદેવીની કુક્ષિમાં આવ્યો. રાણી રામાદેવીએ ચૌદ મહાસ્વપ્નો જોયાં. ગર્ભનો સમય પૂર્ણ થતાં કારતક વદ પાંચમના દિવસે મૂળ નક્ષત્રમાં ચંદ્ર આવતાં મગરના ચિન વાળા શ્વેત વર્ણવાળા (૨૭)
International
Page #275
--------------------------------------------------------------------------
________________
પુત્રરત્નને રાણીએ જન્મ આપ્યો. જ્યારે પ્રભુ માતાની કુક્ષિમાં હતા ત્યારે રામાદેવી રાણીએ બધી જ વિધિમાં કુશળતા મેળવી હતી અને ધર્મારાધન સારી રીતે કર્યુ હતું તેથી ‘સુવિધિ’ નામ પડ્યું. વળી મચકુંદનાં ફૂલની કળી જેવા તેમના ઉજળા દાંત હતા માટે બીજું નામ ‘પુષ્પદંત’ પાડવામાં આવ્યું. અઠ્યાવીસ પૂર્વાગ સહિત પચાસ હજાર પૂર્વે તેઓએ રાજ્યનો કારભાર સંભાળ્યો. સુવિધિકુમારને સંસાર ત્યાગીને વ્રત ધારણ કરવાની ઇચ્છા થતાં એક વર્ષ સુધી યાચકોને ઇચ્છાનુસાર દાન આપ્યું.
| કારતક વદ છઠ્ઠને દિવસે છઠ્ઠ તપ કરીને એક હજાર રાજાઓની સાથે તેમણે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કરતાં જ તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. અનેક પરિષહોની વચ્ચે એકલા રહીને ચાર મહિના સુધી છદ્મસ્થ અવસ્થામાં વિહાર કર્યો. સુવિધિસ્વામી વિહાર કરતાં કરતાં સહસ્રામ્રવનમાં આવ્યા. ત્યાં કારતક સુદ ત્રીજને દિવસે મૂળ નક્ષત્રમાં માલવૃક્ષ નીચે સુવિધિસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે પોતાની અંતિમ દેશનામાં સંસારનું સ્વરૂપ સમજાવ્યું અને કર્મ, આશ્રવ અને મોહનીય કર્મની સમજ આપી. સુવિધિસ્વામીની દેશના સાંભળી અનેક જીવોએ તરત જ દીક્ષા ગ્રહણ કરી. સુવિધિસ્વામીને વરાહ નામના ગણધર સહિત કુલ એક્યાસી ગણધરો થયા. તેમને અજિત નામે યક્ષ અને સુતારા નામની યક્ષિણી થઈ. અઠ્યાવીસ પૂર્વાગ અને ચાર માસે ઊણા એવા એક લાખ પૂર્વ પર્યત વિહાર કરતાં સુવિધિસ્વામી સમેતશિખર પર્વત પર આવ્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે એક મહિના સુધી અનશન કર્યું. ભાદરવા સુદ નોમને દિવસે મૂળ નક્ષત્ર હજાર મુનિઓની સાથે કુલ બે લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી (શ્રી ચંદ્રપ્રભસ્વામીના નિર્વાણ પછી નેવું કોટી સાગરોપમ પસાર થયા પછી) સમેતશિખરજી તીર્થે નિર્વાણ પામ્યાં. આવો, કાકંદી તીર્થના તીર્થાધિપતિ શ્રી સુવિધિનાથસ્વામીના દર્શન કરીએ.
શ્રી વાસુપૂજ્યજી
શ્રી સુવિધિનાથજી
શ્રી સુમતિનાથજી
[ ૨૭૧
Page #276
--------------------------------------------------------------------------
________________
મૂળનાયક શ્રી સુવિધિનાથ ભગવાન
આ તીર્થ ‘ધન્ના અણગારની કામંદી’ તરીકે પણ ઓળખાય છે. સંવત ૨00માં બંધાયેલા ૬૫ ફૂટ ઊંચા આ શિખરબંધી જિનાલયમાં, સં. ૨૦૩૫માં પ્રતિષ્ઠિત શ્રી સુવિધિનાથ ભગવાન મૂળનાયક
તરીકે બિરાજમાન છે.... તમો જિણાણ.
es
some
of
Page #277
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ
કાકંદીવાસી નાથ સુવિધિ, ઘો સુવિધિ સાધના,જેથી કરી તુજ ચરણ સેવન, ઠંડુ દોષ વિરાધના; આત્માંગણે પ્રગટાવું દીપક, જ્ઞાન શ્રદ્ધાનો ખરો, ને ચરણ તપ કિરીયા કરીને, હું વરું બલ સંવરો.
ચૈત્યવંદન
સુવિધિ જિનવર સાંભળો, સેવકની અરદાસ, સુવિધિતણું બળ પામવા, ભજન કરું ઉલ્લાસ ...૧ નવગ્રહની પીડા ટળે, નવનિધિ પામે જીવ, નવમા જિન સેવ્યા થકી, ટળે સકળ દુઃખ રીવ .....૨ સુવિધિ પ્રેમ તુજ બક્ષતો, ભુવનભાનુ વરજ્ઞાન, ધર્મજિત ચરણાંબુજે, જગવલ્લભ નિશાન....૩
સ્તવન (રાગ : કલ્યાણ આધારિત)
સુવિધિ જિનને ભજો, ભવિ બહુ પાપ ખપો, કાકંદીમાં, આત્મારામ ભયો આનંદમાં, નવકારમંત્ર જપો, અક્ષર બેંતાલીસમો, છઠ્ઠા પદમાં - ‘નમુક્કા' વર્ણોપરી શ્રી કાકંદી.... બિહાર પ્રદેશમાં જઈને, તીર્થ કાકંદીમાં રાત રહીને,
ધ્યાવું સુવિધિ પ્રભુ, વરવા સુવિધિ વિભુ, કાકંદીમાં, આત્મારામ..... ૧ ચાર - ચાર કલ્યાણકભૂમિ, મેં તો હૃદયથી સ્પર્શીને ચૂમી,
3
ચ્યવન, જન્મકલ્યાણ, દીક્ષા નાણ વખાણ, કાકંદીમાં, આત્મારામ... ૨ દાનાદિક ધર્મ છે ચાર, બે જ્ઞાન ક્રિયાન્વિત ધાર, ઇમ અંક વિચાર, બેતાલીશનો ઉદાર, છઠ્ઠા પદમાં, આત્મારામ ..... ગોચરીના બેતાલીશ દોષ, ટાળી કરતાં અધ્યાત્મપોષ, મુનિ સુવિધિ ઘરે, જાવા આત્મા ઘટે, કાકંદીમાં, આત્મારામ બહુ લોકો કાકંદીમાં આવે, કરી ભક્તિ કર્મ મિટાવે, પ્રેમે સુવિધિ તણો, ભુવનભાનુ ગણો, કાકંદીમાં, આત્મારામ ........ . કાળા કર્મ કંકાસના દિવસો, ભેટી કાકંદી હવે ના જીવશો, ધર્મ જિન પાયો, વલ્લભ જગમાં ગાવો, કાકંદીમાં, આત્મારામ
cation Internatonal
થોય
સુવિધિ સેવા કરતા દેવા, તજી વિષય વાસના, શિવસુખ દાતા જ્ઞાતા ત્રાતા, હરે દુ:ખ દાસના, નય ગમ ભંગે રંગે ચંગે, વાણી ભવહારિકા, અમર અજિતા, મોહાતીતા વીર નમે સુતારિકા.
Personal Use Only
......... જ
૬
wwww
A
|૨૭૩
Page #278
--------------------------------------------------------------------------
________________
જિનાલયની સ્થાપત્યરચના
ગર્ભગૃહ
કેરીમાડપ
રાગમાડપ
| ૧ શ્રી સુવિધિનાથજી (મૂ.વા.) | ૨ શ્રી વાસુપૂજ્યજી | 3 શ્રી સુમતિનાથજી
૪ શ્રી મહાવીરસ્વામીજી ૫ શ્રી પાર્શ્વનાથજી ૬ શ્રી સુવિધિનાથજીનાં શ્યામ ચરણ
૭ શ્રી સુવિધિનાથજીનાં શ્વેત ચરણ ૮ ચ્યવનકલ્યાણકની દેરી ૯ જન્મકલ્યાણકની દેરી ૧૦ દીક્ષાકલ્યાણકની દેરી. ૧૧ કેવળજ્ઞાનકલ્યાણકની દેરી ૧૨ મુખ્ય દ્વાર
| મૂળનાયકની જમણે શ્રી સુમતિનાથજી અને આ રક્તવર્ણા શ્રી વાસુપૂજ્યજી ભગવાન પ્રતિષ્ઠિત છે. ... નમો જિણાણું. સંવત ૨૦૩૫માં આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. અહીં પ્રભુના કલ્યાણકોને જીવંત કરતો પટ દર્શનીય છે. ગર્ભગૃહમાં ડાબી દીવાલે શ્રી મહાવીરસ્વામી તથા સામે જમણી દીવાલે ૨,000 વર્ષ પ્રાચીન શ્રી પાર્શ્વનાથજી પ્રભુ બિરાજે છે. જીર્ણોદ્ધાર બાદ શ્રી પાર્શ્વનાથ પ્રભુને લેપ કરવામાં આવ્યો છે. ગભારાની બહાર નીકળીએ તો જમણા હાથે શ્રી સુવિધિનાથજીના શ્યામ ચરણ છે જે અત્યંત પ્રાચીન ગણાય છે કારણ જ્યારે આ તીર્થમાં શ્રી સુવિધિનાથજીની મૂળનાયક તરીકે પ્રતિષ્ઠા થઈ ના હતી ત્યારે અહીં આ પ્રાચીન ચરણ અને શ્રી પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે હતાં.
૨૭૪ 90
allon International
For Private & Persanal Use Only
www.alinelibrary.org
Page #279
--------------------------------------------------------------------------
________________
V
૪ શ્રી મહાવીરસ્વામીજી (જીર્ણોદ્ધાર બાદ)
શ્રી પાર્શ્વનાથજી (જીર્ણોદ્ધાર પહેલા)
dain Education International
શ્રી મહાવીરસ્વામીજી (જીર્ણોદ્ધાર પહેલાં)
TL
7+ egg posi
130
1onT
ચૈત્ર સુ
૫ શ્રી પાર્શ્વતાથજી (જીર્ણોદ્ધાર બાદ)૨૭૫
alpelibrary.org
Page #280
--------------------------------------------------------------------------
________________
કોરીમંડપમાં શ્રી સુવિધિનાથજીનાં
શ્યામ ચરણની બરાબર સામે શ્રી સુવિધિનાથજીનાં પ્રાચીન શ્વેત ચરણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
...નમો જિણાણું.
ज्यामचरणपादका
-
-
-
-
-
-
a
-
૧ -
«
a 71 Rી
| ૬ શ્રી સુવિધિનાથજીનાં શ્યામ ચરણ
* (1ી છે માન 71
૮ ચ્યવનકલ્યાણકની દેરી
૯ જન્મકલ્યાણકની દેરી
Jain
Udation International
Page #281
--------------------------------------------------------------------------
________________
श्री सुविधिनाथ भगवान
प्राचीत
श्वेत चरणपादुका
૭ શ્રી સુવિધિતાથજીતા શ્વેત ચરણ
૧૦ દીક્ષાકલ્યાણકતી દેરી
Eucation International
દર્શન કરીને બહાર આવીએ એટલે રંગમંડપ અનેક સ્થંભોથી શોભી રહેલો દશ્યમાન થાય છે. અહીં પ્રભુના ચાર કલ્યાણકની યાદમાં ચાર દેરીની સ્થાપના કરવામાં આવી છે. દર્શન કરી પ્રભુના ચાર કલ્યાણકને યાદ કરી જાપ કરીશું.
ૐૐ હ્રીં શ્રી સુવિધિનાથ પરમેષ્ઠીને તમઃ ૐ હ્રીં શ્રી સુવિધિતાથ અર્હતે તમઃ ૐૐ હ્રીં શ્રી સુવિધિતાથાય તમઃ ૐ હ્રીઁ શ્રી સુવિધિનાથ સર્વજ્ઞાય તમઃ
૧૧ કેવળજ્ઞાતકલ્યાણકતી દેરી
- the s
Пе
ww.jamelbg૦૭
Page #282
--------------------------------------------------------------------------
________________
તીર્થપેઢી શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી તીર્થ-કાંકદી - પોસ્ટ : ઢંઢ - ૮૧૧૩૧૧ જિલ્લો : મુંગેર, પ્રાન્ત : બિહાર
ફોન : ૦૯૪૩/૦૩૦૮૧૫ અથવા લકવાડ પેઢી પર સંપર્ક કરવો. માર્ગદર્શન : આ તીર્થમાં રહેવા માટે રૂમો છે. ચા-પાણીની વ્યવસ્થા થઈ શકે તેમ છે, પરંતુ ભોજનશાળા નથી માટે લછવાડથી જમુઈ થઈને આવીએ ત્યારે સેવા-પૂજા અને જલપાન કરીને નીકળી જવું હિતાવહ છે. અહીંથી નજીકનું રેલવે સ્ટેશન જમુઈ ૧૯ કિ.મી., લખીસરાય ૨૦ કિ.મી., કિયુલ ૧૯ કિ.મી. દૂર
છે. પટણા ૧૨૫ કિ.મી. દૂર છે. બંને સ્થાનેથી ટેક્સી અથવા બસમાં આવી શકાય છે. પાકો રસ્તો છેક | સુધી ન હોવાને કારણે નાની ગાડી છેક સુધી જઈ શકે છે, પરંતુ મોટી બસ થોડે દૂર ઊભી રાખવી પડે છે.
કાકંદી અને લછવાડ જતાં પહેલાં સ્થળની, રસ્તાની ચોખવટ કરીને જવું જોઈએ. માર્ગ વિક્ટ છે, પણ તેથી જાત્રાનો ઉલ્લાસ ઘટાડવાનો નથી.
હવે કાકંદીથી ચંપાપુરી જતાં રસ્તામાં કિયુલ નદી, લક્ષ્મીપુર, તારાપુર, સુલતાનગંજ, દેવગઢ જેવાં સુંદર સ્થળો આવે છે. સુલતાનગંજ પાસે આવેલા ગેબીનાથના મંદિરમાં ગંગાજળ ચઢાવવા માટે જતા લોકોને જોઈ શકાય છે. રસ્તામાં નીલગિરિનાં ઝાડ, શ્રીંગી ઋષિનું સ્થાન, ભીમબંધ, ગિધરના રાજાનું ખંડેર વગેરે દર્શનીય સ્થળો આવે છે. સુલતાનગંજથી ચંપાપુરીની ટ્રેન પણ જતી જોઈ શકાય છે. આમ, રોડ માર્ગ ૧૦૬ કિ.મી.નું અંતર કાપીને ૪૮ કોસમાં વિસ્તરેલા ‘ચંપાપુરી’ તીર્થે પહોંચી જવાય છે. [૨૭૮
Page #283
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંપાપરી તીર્થ
Icel
For Private & Personal use only
www.jainelibrary.or૨૭૯
Page #284
--------------------------------------------------------------------------
________________
ANVAVITA
ORKER
ROKी रामचन्द्रसूरिभण्टा जायजारिका
लीमुस्तिमभरि-श्री अक्षयविजय मि.सं.१०
COL
-
-
E D
पवासा-कलकता निवासिनश्री रतनलालमगनलाल दशाईमा कारापित
ANPAWAVORIT
7 श्रीवासपज्यपरिकरी सो उर्मिण पुरमल्लिकासीमाविनीपोत्र सिदगाचा दिना
परन
[cation foयपापी मनश्रीवासपश्यस्वामी (नीदं माहिर)wlainellore
Page #285
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંપાપુરી તીર્થનો અપૂર્વ મહિમા ભગવાન મહાવીરના સમયમાં ચંપાનો રાજા દધિવાહન હતો. તે સમયે
કૌશાંબીના રાજા શતાનિકે દધિવાહનને પરાજિત કરી ચંપાનગરી પર આધિપત્ય જમાવ્યું. જૈનગ્રંથો કહે છે કે, ‘જ્યારે મહારાજા શ્રેણિકનું મરણ પોતાના પુત્ર અજાતશત્રુને કારણે થાય છે તે પછી અજાતશત્રુને રાજગૃહીમાં રહેવાનું ગમતું નથી. આથી તે રાજપાટનો ત્યાગ કરે છે અને અહીં આવી ચંપકનાં વૃક્ષો જોઈ આ સ્થળે ચંપાનગરી વસાવી; અજાતશત્રુ કુણિ) પોતાની સઘળી સંપત્તિ તે નગરીમાં ખડકી દે છે, જોકે જૂની ચંપા તો હતી; જ્યાં વાસુપૂજ્યસ્વામીનાં પાંચ કલ્યાણક થયાં હતાં અને કુણિકે જે નગરી વસાવી તે નવી ચંપા હતી.' | આ નગરીમાં પૂર્ણભદ્ર યક્ષનું એક પ્રાચીન ચૈત્ય હતું, ત્યાં ભગવાન મહાવીરનું સમવસરણ થયું હતું.
બૌદ્ધ સૂત્રો મુજબ અહીં ‘ગર્ગરા’ નામે પુષ્કરણી હતી, જેના કિનારે ચંપકનાં સુંદર વૃક્ષો હતાં અને તેમાં શ્વેતવર્ણ પુષ્પોની સુગંધ વહ્યા કરતી.
મહારાજ કરકંડુ અને મહારથી કર્ણ જેવા અનેક રાજવીઓએ ચંપાને પોતાની રાજધાની બનાવી હતી. આજે પણ અહીંયાં ‘કર્ણગઢ’ અને ‘કર્ણની શૃંગાર ચોરી’ વગેરેના અવશેષ છે. | ભગવાન શ્રી આદિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર પ્રભુ આ નગરીમાં પધાર્યા હતા. શ્રી મહાવીરની દેશના સાંભળીને કાકંદીના રાજપુત્ર મણિરથે ચંપાપુરીમાં દીક્ષા લીધી હતી. જેનો ઉલ્લેખ ‘કુવલયમાલા” ગ્રંથમાં જોવા મળે છે. ભગવાન પાર્શ્વનાથના સમવસરણની રચનાની અહીં સંભાવના છે. ભગવાન મહાવીરે ત્રીજા અને બારમા એમ બે ચાતુર્માસ ચંપામાં અને એક ચાતુર્માસ પૃષ્ઠ ચંપામાં કર્યા હતા – જેનો ઉલ્લેખ ‘શ્રી કલ્પસૂત્ર આગમગ્રંથ’ માંથી મળે છે. | ગૌતમસ્વામી અષ્ટાપદતીર્થની યાત્રાએ અહીંથી જ ગયા હતા. પાછા વળતા સમયે તેમની સાથે રહેલા પ00 તાપસ મુનિઓને પારણા સમયે, પOO મુનિઓને માર્ગમાં અને પ00 મુનિઓને ચંપાપુરીમાં સમવસરણમાં રહેલા પ્રભુવીરને જોતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેનું પ્રમાણ – ‘શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ’ સૂત્રમાંથી મળે છે. કહેવાય છે કે પ્રભુ ઋષભદેવે ભારતની ભૂમિને બાવન જનપદોમાં વિભાજિત કરી હતી; તેમાં ‘અંગ’ જનપદની રાજધાની આ ચંપાનગરી હતી. બૌદ્ધયુગમાં ૬ મહાનગરમાં ચંપાપુરીની ગણના થતી. હાલ જે ‘ચંપાનાળા’ કે ‘ચંપાનગર’ તરીકે ઓળખાય છે ત્યાં વણકરોને દિવસ-રાત કામ કરતા જોઈ શકાય છે. આ ચંપાનાળાની પાસે નદીકિનારે કરણ રાજાનો પ્રાચીન ખંડેરરૂપ કિલ્લો ઊભો છે. તેની પાસે બે જિનમંદિરો છે અને ત્યાં નજીકમાં બે કલ્યાણકોને સૂચવતા બે મોટા સ્તંભ છે, જે ‘માણેકસ્તંભ' તરીકે ઓળખાય છે. આ
|
249
Ja Education ne
Page #286
--------------------------------------------------------------------------
________________
ચંપાપુરીમાં કુલ ચાર મંદિરો અને એક દાદાવાડી છે. આ મંદિરોમાં પ્રથમ ચોવીસી મંદિર, બીજું વાસુપૂજ્યનું મંદિર, ત્રીજું નવપદજીનું ' મંદિર અને ચોથે પંચકલ્યાણક મંદિર છે.
| IIT
I
JUST THE Tી બોરી ની ક SિI[L) DI[ો જ હિ
૨૮૨
Pulmate & Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
साममध्यामा मनयरी दसामास शिवाजाव
सम
य्यवन, भन्म, दीक्षा, जेवण, मोक्ष पाम्या श्री वासुपूभ्य भगवान 1 પંચકલ્યાણક ચંપાપુરી તીર્થને વર્દુ, ધ્યાવું શ્રી વાસુપૂજ્ય જિતરાજ ।
लापाजा
U
२८३
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૮૪
YO
[15
निता आ रामचंद्र सुनि कृपया आ. श्री जयकूजर}}
SIN
अशोकान धरली अनीश वंदना सहित
કવિતામાસિ બી૨૦
RO
'पालनपुरवासिना का वासिनाकारा श्री वासुपूज्यपरिक
શ્રી વાસુપૂજ્યજી (જીર્ણોદ્ધાર પહેલાં)
સ્તુતિ
વિમલગુણ અગાર, વાસુપૂજ્ય સફાર, તિહત વિષ વિકાર, પ્રાપ્ત કૈવલ્ય સારું; વચત રસ ઉદાર, મુક્તિ તત્ત્વ વિચાર, વીર વિઘત તિવાર, ૌમિ ચંડી કુમાર
Education International
Page #289
--------------------------------------------------------------------------
________________
ચાલો, બારમા શ્રી વાસુપૂજ્યસ્વામીની સ્તવતા કરીએ.
ચૈત્યવંદન પ્રાણતથી પ્રભુ પાંગર્યા, ચૂપે ચંપા ગામ; શિવમારગ જાતાં થકાં, ચંપક તરુ વિશ્રામ. અશ્વયોનિ ગણ રાક્ષસ, શતભિષા કુંભરાશિ; પાડલ હેઠે કેવલી, મૌનપણે ઇગવાસિ. પર્શત સાથે શિવ થયા એ, વાસુપૂજ્ય જિનરાજ; વીર કહે ધન્ય તે ઘડી, જબ નિરખ્યા મહારાજ.
| સ્તવન વાસુપૂજ્ય વિલાસી ચંપાના વાસી, પૂરો અમારી આશ. કરું પૂજા હું ખાસી, કેસર ઘાસી, પૂરો અમારી આશ... પૂર્વ ભવે પદમોત્તર રાજા, વૈરાગ્ય રંગ અપાર, રાજપાટ વૈભવને છોડી, લીધો સંયમ ભાર રે, વીસ સ્થાનક સાધી, જિનપદ બાંધી સુરગતિ પામી, પૂરો અમારી આશ... પાંચ કલ્યાણક ચંપાપુરીમાં, કલ્યાણના કરનાર, મોક્ષ મારગ ઉપદેશી પ્રભુજી, પહોંચ્યા મોક્ષ મોઝાર રે, હે અંતર્યામી, ત્રિભુવન સ્વામી, શિવગતિ ગામી, પૂરો અમારી આશ .... ચૈત્યવંદન કરું ચિત્તથી પ્રભુજી, ગાઉં ગીત રસાળ, એમ પૂજા કરી વિનંતી કરું છું, આપો મોક્ષ વિશાળ રે, દીયો કર્મને ફાંસી, કાઢો કુવાસી, જેમ જાય નાસી, પૂરો અમારી આશ.... આ સંસાર છે ઘોર મોહ દધિથી, કાઢો અમને બહાર, સ્વારથમાં સહુ કોઈ સગાં છે, માતાપિતા પરિવાર રે, બાળમિત્ર ઉલ્લાસી, વિજયવિલાસી, અરજી ખાસી, પૂરો અમારી આશ....
થોય વાસુપૂજ્ય જિનવર, ચંપાપુરીનો રાય, પ્રણમું નિત્ય તેહને, એવે સુરનર પાય; પુનિત પાંચે કલ્યાણક, ચંપાપુરીમાં થાય, ભવિક સેવંતા શુદ્ધ, ભવસાગરથી તરાય.
જ
દ
પંચકલ્યાણકની વિરલ ઘટના સમગ્ર ભારતમાં આ એક જ એવું તીર્થ છે કે જ્યાં ચોવીસીના કોઈ એક તીર્થંકરનાં પાંચેય કલ્યાણક એક જ સ્થળે થયાં હોય! સંવત ૧૮૫૬માં શ્રી સંઘે વાસુપૂજ્યસ્વામીના શિખરબંધી જિનાલય ઉપરાંત પ્રથમ ચાર કલ્યાણકનું મંદિર અને એક નિર્વાણ કલ્યાણકનું શિખરબંધી જિનાલય પણ બંધાવ્યું હતું. ૨૨૫ વર્ષ પહેલાં આ તીર્થનો જીર્ણોદ્ધાર થયો હતો. ત્યાર બાદ અત્યારે ૨૦૦૭ની સાલમાં નવો જીર્ણોદ્ધાર પૂરો થયો છે.'
૨૮૫ www.jainelibrary.ury
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી વાસુપૂજ્યસ્વામીના જીવન પર એક દષ્ટિપાત પ્રભુ વાસુપૂજ્યના પિતા વસુપૂજ્ય અને માતા જયા ચંપાનગરના રાજારાણી હતાં. એક દિવસ પ્રાણત | દેવલોકમાં રહેલા પદ્મોત્તર રાજાએ પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. જેઠ સુદ નોમને દિવસે ચંદ્ર શતભિષા
નક્ષત્રમાં આવતા રાજા પશ્નોત્તરનો જીવ ત્યાંથી નીકળીને જયાદેવીની કુક્ષિમાં અવતર્યો. જયાદેવીએ | એ સમયે ચૌદ મહાસ્વપ્નો જોયાં. ગર્ભમાં પૂરા દિવસ પસાર થતાં ફાગણ વદ ચૌદસે વરણ નક્ષત્રમાં તે રાતા રંગવાળા અને મહિષ (પાડા)ના લાંછનવાળા એક પુત્રને રાણીએ જન્મ આપ્યો. વસુપૂજય છે. કે રાજાના પુત્ર અને વાસવોથી અત્યંત પૂજિત હોવાને કારણે જન્મ સમયે દેવતાઓ દ્વારા અત્યાધિક વસુ
અર્થાત્ ધનની વૃષ્ટિ થઈ તેથી તેનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવ્યું. તેમના શરીરની ઊંચાઈ ૭૦ ધનુષ જેટલી અને વર્ણ લાલ હતો. જન્મ પછી અઢાર લાખ વર્ષ પછી વાસુપૂજ્યકુમાર દીક્ષા લેવા તત્પર થયા અને તેમણે વાર્ષિકદાન આપવાનું ચાલુ કર્યું. ફાગણ વદ અમાસને દિવસે પંચમુષ્ટિ લોન્ચ કરી છસો રાજાઓની સાથે
અશોકવૃક્ષ નીચે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. - વાસુપૂજ્યસ્વામીએ એક માસ સુધી છબસ્થ અવસ્થામાં
વિહાર કર્યો. ત્યાર બાદ તેઓ વિહારગૃહ નામના | ઉદ્યાનમાં આવ્યા. મહા સુદ બીજને દિવસે વાસુપૂજયસ્વામીને પાટલીવૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
શ્રી વાસુપૂજ્યસ્વામીને સૂક્ષ્મ નામના ગણધર સહિત કુલ છાસઠ ગણધરો થયા. તેમને “કુમાર” નામનો યક્ષ અને ‘ચંડા” નામે શાસનદેવી થયાં. | કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી એક માસ ઊણા ચોપન લાખ વર્ષ સુધી તેમણે વિહાર કર્યો. શ્રી વાસુપૂજ્યસ્વામીને પોતાનો મોક્ષકાળ નજીક જણાતાં તેઓ ચંપાનગરીમાં આવ્યા. અહીં તેમણે છસો મુનિઓની સાથે અનશન કર્યું.
૧. ચોવીસ તીર્થર તથા પાદુકા એક મહિનાના અંતે અષાઢ સુદ ચૌદસને દિવસે વાસુપૂજ્ય સ્વામી છસો મુનિરાજો સાથે મોક્ષે સિધાવ્યા. શ્રી વાસુપૂજયસ્વામી પ્રભુનું બોતેર લાખ વર્ષનું આયુષ્ય હતું. શ્રી શ્રેયાંસનાથ પ્રભુના નિર્વાણ પછી ચોપન સાગરોપમ ગયા પછી શ્રી વાસુપૂજ્યસ્વામી નિર્વાણ પામ્યા અને મોક્ષપદને પામ્યા.
- ૨૮૬)
For Private
Personal
Page #291
--------------------------------------------------------------------------
________________
પ્રભુના જીવન વિશે આટલું જાણ્યા બાદ ચાલો, સૌપ્રથમ દર્શન કરીએ : ચોવીસી મંદિરનાં. આ મંદિરમાં પ્રવેશતાં આરસમાં કંડારેલ ચોવીસી તીર્થકર અને તેમની આગળ શ્યામ પગલાં પ્રતિષ્ઠિત છે... તમો જિહાણ. ડાબી બાજુ પંચધાતુના પ્રાચીન ચોવીસી છે અને આ પ્રકારની ચોવીસી ભાગ્યે જ જોવા મળે છે...તમો જિણાપં. દ્વારની જમણી બાજુ એક જોડી વાસુપૂજ્યજીનાં ચરણ છે, જેને પાટલા પર બિરાજિત કર્યા છે....તમો જિણાણ. ચોવીસી મંદિરમાંથી બહાર આવીએ એટલે બરાબર સામે એક કલાત્મક દેરીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રતિષ્ઠિત છે. ... નમો જિણાણ.
૨. પંચધાતુના ચોવીસી
દ્વાર
[ પ્રવેશ
ચોવીસી મંદિરની સ્થાપત્યરચતા
૪. શ્રી વાસુપૂજ્યસ્વામી
. વાસુપૂજ્યજીનાં ચરણ
૨૮૭
CHARENO
Page #292
--------------------------------------------------------------------------
________________
श्री शांतिनाथ भगवान
શ્રી શાંતિતાથજી
૨૮૮
dam Education International
2622
જાણ
AXTOFER
* मूलनायक श्री वासुपूज्यस्वामी भगवान
For
શ્રી વાસુપૂજ્યજી
(બીજું મંદિર) se Only
श्री महावीरस्वामी भगवान
ALAR
શ્રી મહાવીરજી
Page #293
--------------------------------------------------------------------------
________________
શ્રી સુધર્માસ્વામી (સુભૂમસ્વામી)
શ્રી ગૌતમસ્વામી હવે જઈએ બીજા મુખ્ય જિનાલયે. અહીં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય ૪૫ સે.મી.ના છે. ખૂબ સુંદર પરિકર સહિતના, રજત અને સુવર્ણમયી કોતરકામવાળા પંઠિયા સહિતના આ મૂળનાયકની શોભા અવર્ણનીય લાગે છે. તેમની ડાબી બાજુ શ્રી શાંતિનાથ પ્રભુ તથા જમણે શ્રી મહાવીર પ્રભુ પ્રતિષ્ઠિત છે. ... તમો જિણાણ.
આ જિનાલયના ગભારાની બહાર નીકળીએ એટલે મંદિરના આ બહારના ભાગે રંગમંડપમાં ડાબે શ્રી સુધર્માસ્વામી (સુભૂમસ્વામી) અને જમણે શ્રી ગૌતમસ્વામીજીનાં દર્શન થાય છે... નમો સિદ્ધાણં. હવે ઉપર પહેલા માળે સમવસરણ મંદિરે દર્શન કરીશું.
ચપાપરી તીથી ( જીર્ણોદ્ધાર પહેલા)aisa ૨૮૯ -
Jain Editoriem
For Privas & Pers
Page #294
--------------------------------------------------------------------------
________________
મિ ઉપર ચઢીએ એટલે પહેલા માળે આ સમવસરણ િમંદિરનાં દર્શન થાય છે. અહીં ચૌમુખજીમાં સામેની
બાજુથી આગળ-પાછળ શ્રી વાસુપૂજયજી અને આજુબાજુ શ્રી ચંદ્રપ્રભજી છે..... તમો જિણાણ.
[000000SS000000 31
હીરGિ TO RO 9 G O) (0) SSC ઈન
Cececececco
સમવસરણ મંદિર
જીણોદ્ધાર પહેલા
ગભારાની બહાર નીકળીએ એટલે ચોકમાં આવેલા ચૌદ પટમાં કુલ બાવન ચિત્રાવલીમાં શ્રીપાલ રાજાની નવપદની આરાધનાના અને સમગ્ર જીવનના પ્રસંગો જોવા મળે છે, જે જોવાનું ભૂલશો નહીં.
શ્રીપાલ રાજા અને મયણાસુંદરીની નવપદ આરાધના
[૨૯૦)
Page #295
--------------------------------------------------------------------------
________________
હવે આગળ જઈએ એટલે ત્રીજું શ્રી નવપદજીનું મંદિર આવે છે. આ મંદિરમાં નવપદજીને વર્તુળાકાર આરસની બેઠક પર પ્રતિષ્ઠિત કરાયા છે. આ મંદિરમાં મધ્યમાં નવપદજી, ડાબી દેરીમાં શ્રી વાસુપૂજ્યજી ભગવાન અને જમણી દેરીમાં શ્રી પદ્મપ્રભજી ભગવાન બિરાજમાન છે....નમો જિણાણ.
શ્રી વાસુપૂજ્યજી
શ્રી પદ્મપ્રભજી
શ્રી નવપદજી | (ત્રીજું માંદર)
in Education intemetional
૨૯૧
WWWnelis
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી શાંતિનાથ પ્રભુ આ મંદિરની બહાર નીકળી સામે નજર કરીએ તો શ્રી શાંતિનાથ પ્રભુ એક દેરીમાં પ્રતિષ્ઠિત છે. ...નમો જિણાë. ચંપાપુરીનાં ચારેય મંદિરો એવી વિશિષ્ટ રીતે જોડાયેલાં છે કે ચોવીસી મંદિરથી તમે પ્રવેશ કરો તો બહાર નીકળ્યા વગર એક મંદિરથી બીજા મંદિરમાં અંદરથી જઈને દર્શન કરી શકાય છે.
| ચાલો, હવે જઈશું શ્રી વાસુપૂજ્ય સ્વામીના ચોથા પંચકલ્યાણક મંદિરે.
26?
atio
ernatio
Vale Personal use
Page #297
--------------------------------------------------------------------------
________________
rineet
BRAGE
STD
કાક
ૐૐ હ્રીં શ્રી વાસુપૂજ્ય પરમેષ્ઠીને તમઃ (ચ્યવતકલ્યાણક મંદિર)
જૈનદર્શનમાં કોઈ એક તીર્થંકરનાં પાંચેય કલ્યાણકનું એક જ સ્થળે થવું અને તેની સ્મૃતિરૂપે ત્યાં જ કલ્યાણક મંદિર હોવું - આ એક અદ્ભુત, અસામાન્ય અને અતિ મહત્ત્વની ઘટના કહી શકાય. આવી ઐતિહાસિક પંચકલ્યાણક ભૂમિ ચંપાપુરી જૈન તીર્થોમાં આગવું સ્થાન ધરાવે છે.
તો આવો, સૌપ્રથમ દર્શન કરીએ પ્રભુના ચ્યવનકલ્યાણકની દેરીમાં બિરાજિત ચ્યવનકલ્યાણક મૂર્તિનાં અને ચ્યવનકલ્યાણક પગલાંનાં....તમો જિણાણું,
૨૯૩
www.jainelibraryrg
Page #298
--------------------------------------------------------------------------
________________
ૐ હ્રીં શ્રી વાસુપૂજ્ય મહંતે નમઃ (જન્મકલ્યાણક મંદિર)
આ છે બીજી જન્મકલ્યાણકની દેરી. આ દેરીમાં પ્રતિષ્ઠિત જન્મકલ્યાણકની મૂર્તિને ૨૯૪ો.
અને જન્મકલ્યાણકનાં પગલાંને ભાવથી વંદન કરીએ...નમો જિણાણું.
duranter onal
Foto Private & Personal Use
Page #299
--------------------------------------------------------------------------
________________
| ૐ હ્રીં શ્રી વાસુપૂજ્યનાથાય નમઃ (દીક્ષાકલ્યાણક મંદિર) |
આગળ આવે છે દીક્ષાકેલ્યાણકની દેરી. અહીં શ્રી વાસુપૂજ્ય સ્વામીજીની દીક્ષા કલ્યાણકની
ભાવવાહી મૂર્તિ અને દીક્ષા કલ્યાણકનાં પગલાં છે...નમો જિણાણ. homenaren F or Private & Personal use only
www.indinelibra Rey
Page #300
--------------------------------------------------------------------------
________________
ૐ હ્રીં શ્રી વાસુપૂજ્ય સર્વજ્ઞાય નમઃ (કેવળજ્ઞાળકલ્યાણક મંદિર)
અને સામે છે કેવળજ્ઞાનકલ્યાણકની દેરી. અહીં બિરાજિત કેવળજ્ઞાનકલ્યાણકની
મૂર્તિને અને કેવળજ્ઞાન પગલાંને વંદન કરીએ....નમો જિણાપં.
(૨૯૬)
Page #301
--------------------------------------------------------------------------
________________
1 ટક
কানন্যতা
s
,
શ્રી અજિતનાથજી
શ્રી ધર્મનાથ સ્વામી
શ્રી વાસુપૂજ્યજી (ચોથું મંદિર)
સૌથી મહત્ત્વનું અને સુંદર છે આ નિર્વાણકલ્યાણકનું મંદિર; જેમાં મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી નિર્વાણ કલ્યાણકનાં પગલાં સહિત બિરાજમાન છે....તમો જિણાણ.
|
ૐ હ્રીં શ્રી વાસુપૂજ્ય પારંગતાય નમઃ (નિર્વાણકલ્યાણકનું મંદિર)
આ નિર્વાણકલ્યાણકની દેરીમાં મૂળનાયકની ડાબે શ્રી અજિતનાથજી તથા જમણે શ્રી ધર્મનાથસ્વામી બિરાજમાન છે. ...તમો જિણાણ.
૨૯૭)
Jain Education internatiba
For private & Personal use on
Page #302
--------------------------------------------------------------------------
________________
ANS श्री कुमारयक्ष
આ મંદિરના ગભારાની બહાર આવીએ એટલે બે દેરીમાં ડાબે શ્રી વાસુપૂજ્ય સ્વામીના "અધિષ્ઠાયકદેવકુમારયક્ષતથા જમણે શ્રીચંડાદેવી બિરાજમાન છે....પ્રણામ.
- 05/10
)
શ્રી ઇહાથી (
એક
)
૨૯૯ કરી
નાના નાના નાના ભres
on
Www erators
Page #303
--------------------------------------------------------------------------
________________
નિર્વાણકલ્યાણક મંદિર
| (ભોંયરામાં) - શ્રીનિર્વાઇવાન્ચાળ મન્થિર • • श्री वासुपूज्यस्वामी भगवान
પ્રાચીન પગલા (જીર્ણોદ્ધાર પછી)
' પંચકલ્યાણક પગલાં (જીર્ણોદ્ધાર પહેલાં)
નિર્વાણ કલ્યાણક મંદિરના ભોંયરામાં કાચમંદિર આવેલું છે. અહીં નિર્વાણકલ્યાણકની સ્મૃતિમાં શ્યામ પાષાણની શ્રી વાસુપૂજ્યસ્વામીની ખૂબ સુંદર ભાવવાહી મૂર્તિ છે અને તેમની આગળ શ્યામવર્ણા ‘પ્રાચીન પગલાં” છે. કહેવાય છે કે પ્રભુએ અહીં બેસીને સાધના કરી હતી. મૂળ અહીં પ્રાચીન શિલા હતી અને અત્યારે અહીં તેના સ્થાને આ કાચમંદિર છે. અહીંની બાંધણી એવી છે કે મંદિરના કોઈ પણ ગોળાકાર કાચમાં ભગવાનની મૂર્તિનાં દર્શન થાય છે....તમો જિણાણ.
- ૨૯૯ mjainkbrary of
Page #304
--------------------------------------------------------------------------
________________
ચંપાપુરીનાં મંદિરોની બહારના ભાગે શ્રી ભોમિયાજી, શ્રી મહાકાલભૈરવ, પ્રાચીન અધિષ્ઠાયક ચંડાદેવી, તપાગચ્છાધિષ્ઠાયક
શ્રી માણિભદ્રજી યક્ષાધિરાજ પ્રતિષ્ઠિત છે. સહુને ભાવથી પ્રણામ કરીએ.
શ્રી ભોમિયાજી
શ્રી મહાકાલભૈરવ
અધિષ્ઠાયક શ્રી ચંડાદેવી
શ્રી માણિભદ્રજી યક્ષાધિરાજ
300
Page #305
--------------------------------------------------------------------------
________________
.ભ.પૂ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજા
આ એક સિદ્ધક્ષેત્ર છે. પદ્યરથ, અંચલ, અશોક આદિ મુનિઓ અહીંથી મુક્તિને વર્યા છે. શ્રી સુધર્માસ્વામી અને શ્રી જંબૂસ્વામી પણ અહીં વિચર્યા છે. શ્રી મહાવીરના પરમ ભક્ત શ્રાવક કામદેવ, શુદ્ધ એકપત્નીધારી સુદર્શન શેઠ, શ્રીપાળ રાજા અને સતી ચંદનબાળાની આ જન્મભૂમિ મનાય છે.
મંદિરના વહીવટી વિભાગના દરવાજેથી બહાર આવતાં પટાંગણમાં શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનનાં પંચકલ્યાણકનો સુંદર પટ દર્શનીય છે....તમો જિણાણું.
આ તીર્થના ચોગાનમાં ટૂંક સમય પહેલાં જેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે આચાર્ય ભગવંત પૂજ્ય શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજાની દેરીમાં પૂજ્યશ્રીનાં દર્શન કરીએ. .....મર્ત્યએણ વામિ.
સૂરિરામ તારા નયતમાં
વાત્સલ્યતાં ઝરણાં વહે,
સૂરિરામ તારા વચનમાં
જિનવચનનાં તથ્યો રહે;
સૂરિરામ તારા સ્મરણમાં
[MPLICE
મત મારું આતંદે રહે,
સૂરિરામ તારા ચરણમાં
મસ્તક સદા મારું રહે.
जीवन की महत्वपूर्ण पंचक चित्रप
h
- sms
પંચકલ્યાણકતો પટ
|૩૦૧
Page #306
--------------------------------------------------------------------------
________________
નીમૂન મ
૩૦૨૩ uch
સતી સુભદ્રાતો કૂવો
મંદિરની બહાર આવેલા ઉદ્યાનમાં એક ઐતિહાસિક ઘટનાસ્થળ છે, જેનું નામ છે – સતી સુભદ્રાતો કૂવો. કથા છે કે સતી સુભદ્રાને ત્યાં એક મુનિ ગોચરી લેવા આવે છે. ગોચરી લેવા આવેલા મુનિની આંખમાંથી કચરો કાઢતાં સુભદ્રાને તેની સાસુ જોઈ જાય છે અને તેના શિયળ પર શંકા કરે છે. આમ, સતી સુભદ્રા પર ખોટા આળને કારણે સતીત્વ પર આંચ આવતાં ચંપાપુરીનાં દ્વાર બંધ થઈ જાય છે. દેવો આકાશવાણી કરે છે કે જે સ્ત્રી પોતાના સતીત્વના પ્રભાવે સૂતરના કાચા તાંતણે કૂવામાંથી પાણી કાઢી જ્યારે દ૨વાજા પર છાંટશે ત્યારે દરવાજા ખૂલશે. અન્ય કોઈ પણ નારીથી આ કાર્ય ન થતાં સતી સુભદ્રાએ અત્યંત શ્રદ્ધા અને ભક્તિથી કાચા સૂતરના તાંતણે બાંધેલી ચાળણી વડે કૂવામાંથી જળ કાઢી, ચંપાપુરીના દ્વારે છાંટતાં નગરના દરવાજા ખુલી જાય છે અને સતીત્વની લાજ રહી જાય છે. આજે તેની યાદમાં આ કૂવો, તે સમયથી સાક્ષીરૂપે ઊભો છે. ધન્ય છે સતી સુભદ્રાને! ધન્ય છે તેના શીલને!
at powst
પ્રભુતા તિર્વાણ અષાઢ સુદ ચૌદસતા દિવસે અહીં મેળાનું આયોજત થાય છે તથા મંદિરમાં લાડુ ચઢાવવામાં આવે છે.
www.jaihellbrary.or
Page #307
--------------------------------------------------------------------------
________________
શ્રી અભયદેવસૂરિજી
શ્રી જિતાકતસૂરિજી
શ્રી જિતકુશલસૂરિજી
ત્રણાલી
શ્રી જિનચંદસૂરિજી હવે સામે આવેલી દાદાવાડીમાં દાદાગુરુદેવ શ્રી અભયદેવસૂરિજીની મૂર્તિતાં અને
દાદાગુરુઓનાં પગલાંનાં દર્શન કરીશું. ...મત્યએણં વંદામિ. માર્ગદર્શન : અહીં શ્વેતાંબર તેમજ દિગંબર ધર્મશાળાઓ આવેલી છે, જ્યાં ઊતરવાની સગવડતા છે અને ભોજનશાળામાં પણ ઉત્તમ ભોજનની સગવડ છે. અહીં મંદિરની બહાર નીકળતાં સામે જ હાથસાળો આવેલી છે, જેમાં શાલ બનાવવાનાં કારખાનાં છે. આખી રાત ધર્મશાળાની રૂમમાંથી તે સાંચાઓનો એકધારો અવાજ સાંભળી શકાય છે. અહીંની પ્રજા ખૂબ મહેનતુ છે. અહીંથી નજીકનું રેલવે સ્ટેશન ભાગલપુર ૬ કિ.મી. દૂર છે જ્યાંથી રિક્ષા, બસ, ટૅક્સી મળી શકે છે. જો આપણું રોકાણ નાથનગરમાં અન્ય સ્થળે હોય તો ત્યાંથી ઑટોરિક્ષા લઈ ચંપાપુરી તીર્થ સુધી આવન-જાવન થઈ શકે છે. અહીં એક દિગંબર મંદિર પણ બાંધણીના ઉત્તમ નમૂનારૂપે દર્શનીય છે.
| તીર્થ પેઢી
શ્રી ચંપાપરી જૈન શ્વેતાંબર સોસાયટી પોસ્ટ : ચંપાનગર ૮૧૨૦૦૪, જિલ્લો : ભાગલપુર, બિહાર
ફોન : ૦૬૪૧- ૨૫૦૮૨૦૫ નોંધ : જે નગરની રેશમી શાલો પ્રખ્યાત છે તે ભાગલપુર અહીંથી માત્ર ૬ કિ.મી. છે. માં ૩૦૩||
લy.
on International
TVP
| ''
Page #308
--------------------------------------------------------------------------
________________
ભાગલપુર - નાથનગર - મહારગિરિ
ભાગલપુર ગંગા નદીને કિનારે વસેલું શહેર છે. તે ઇસ્ટર્ન રેલવેનું મોટું જંકશન છે. અહીં સુજાગંજ લતામાં બાબુ ધનપતસિંહજીએ બંધાવેલી બગીચાવાળી વિશાળ જૈન ધર્મશાળાના આગળના ભાગમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું શિખરબંધ જિનાલય છે. અહીં કસોટીના શ્યામવર્ણા પથ્થરમાં કોતરેલી શ્રી મલ્લિનાથજી તથા શ્રી નમિનાથજી ભગવાનની પ્રાચીન ચરણપાદુકાઓ છે. મંદિરની બહાર શ્રી સ્થૂલિભદ્રસ્વામીનાં પગલાં છે. આ પ્રાચીન પાદુકાજીની પૂર્વે મિથિલામાં બંને પ્રભુનાં જન્માદિ કલ્યાણકોની સ્મૃતિમાં સ્થાપના કરેલી, પરંતુ આજે આ તીર્થનો વિચ્છેદ થયો હોવાથી આ બંને પાદુકાઓ અહીં દેરાસરમાં પધરાવેલ છે. કહેવાય છે કે સતી સીતાનો જન્મ આ જ મિથિલામાં થયો હતો.
ભાગલપુરથી બે માઈલ દૂર અને ચંપાપુરીથી એક માઈલ દૂર નાથનગર આવેલું છે. અહીં કોટીધ્વજ જાગીરદાર બાબુ સુખરાયજીએ બંધાવેલું શ્રી વાસુપૂજ્ય ભગવાનનું કાચની મીનાકારીથી સુશોભન થયેલું સુંદર દેરાસર છે. દિગંબર માન્યતા અનુસાર વાસુપૂજય ભગવાનનાં ચ્યવન અને જન્મ એમ બે કલ્યાણક અહીં મનાય છે. અહીં એક દિગંબર મંદિર છે, જે લગભગ પંદરેક વર્ષ પહેલાં બન્યું છે. નાથનગરથી ૨૪૫ કિ.મી.નું અંતર કાપીને ઋજુવાલિકા જતાં રસ્તામાં “મંદારહિલ’ આવે છે, જે ભાગલપુર સ્ટેશનથી ૨૫ માઈલ દૂર છે. આ ગામનું નામ ‘બાંસી’ છે. સ્ટેશનથી બે માઈલ દૂર મંદારગિરિ નામનો નાનો પહાડ છે. વાસુપૂજ્યસ્વામીના નિર્વાણ કલ્યાણકની સ્થાપનારૂપે બે જિનાલયો છે તેમાં ચરણપાદુકા પધરાવેલી છે. અઢારમી સદી સુધી આ તીર્થ શ્વેતાંબર જૈનોના હાથમાં હતું.
એક માન્યતા પ્રમાણે વાસુપૂજ્યસ્વામીનું નિર્વાણ કલ્યાણક આ મંદારગિરિ પર જ થયું હતું. ચંપાપુરીમાં મંદારગિરિનું એક ઉદ્યાન હતું, જ્યાં પવિત્ર વાતાવરણમાં ચૌદપૂર્વી શ્રી શય્યભવસૂરિજીએ પોતાના પુત્ર મનકમુનિજી માટે ‘દશવૈકાલિક સૂત્ર'ની રચના કરી હતી.
મદારગિરિ
Ja 30%cation International
Page #309
--------------------------------------------------------------------------
________________
Internationa
શ્રી ઋજુવાલિકા તીર્થ
૨૪મા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુતી કેવળજ્ઞાતકલ્યાણક ભૂમિ
& Personal Use Onl
www.jainelibrary. ૩૦૫
Page #310
--------------------------------------------------------------------------
________________
ઋજુવાલિકા એટલે તીર્થકર ભગવાન શ્રી મહાવીર પ્રભુની કેવળજ્ઞાનભૂમિ ! ગિરિડીહથી પાકી સડકે સમેતશિખરના માર્ગે ૧૨ માઈલ દૂર બરાકર નામનું ગામ નદીકિનારે વસેલું છે. આ ગામના નામ પરથી લોકો ‘બ્રાકર’ એમ નદીને ઓળખે છે. આ બ્રાકર નદી જ અસલની ઋજુવાલિકા હોવાની માન્યતા પ્રવર્તે છે. અહીંથી ૭ કિ.મી. દૂર ‘જમક’ (હાલમાં ‘જમઉ’ કહેવાય છે) નામે ગામ છે, જ્યાં શાલવૃક્ષોનું ગાઢ વન છે. એ જમક ગામ જ અસલનું જંભીય ગામ મનાય છે. જૈન શાસ્ત્રોથી જણાય છે કે, જંભીય ગામની બહાર આવેલા વ્યાવૃત્ત ચૈત્યની પાસે ઋજુવાલિકાના તટ ઉપર, શ્યામક ગૃહસ્થના ખેતરમાં, શાલવૃક્ષની નીચે. ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. e નદીના કિનારે આ તીર્થ અત્યારનું છે જે પ્રભુના કેવળજ્ઞાનકલ્યાણકભૂમિના પ્રતીકરૂપે છે, પરંતુ 8જુવાલિકા નદીમાં ૭ કિ.મી અંદર કિનારે કિનારે જઈએ ત્યાં જમઉ ગામની પાદરમાં ભગવાનનું મૂળ કેવળજ્ઞાનકલ્યાણકનું સ્થાન છે તેવું મનાય છે. - ૨૫૪૮ વર્ષ પૂર્વેની પ્રભુ મહાવીરની કેવળજ્ઞાનની એ પાવન ઘટનાને નજર સમક્ષ લાવીએ. કલકલ કરતી વહેતી ઋજુવાલિકા નદીના કિનારે જાંભક નામના ગામના એક શામક કણબીના ખેતરમાં શાલવૃક્ષોની ઘેરી ઘટામાં, એક ખંડેર ચૈત્યમાં, ચોથા પ્રહરે વૈશાખ સુદ દસમીએ, સંધ્યા સમયે પ્રભુ | મહાવીર ઉત્કટિકાસન અથવા ઉકડુઆસન એટલે કે ગોદોહાસને ધ્યાનસ્થ થયા છે. સાડા બાર વર્ષના ઘોર ઉપસર્ગો અને આકરી તપશ્ચર્યા બાદ છઠ્ઠના તપ સાથે, વિજયમુહૂર્ત ચાર ઘાતી (જ્ઞાન, દર્શન, મોહ,
અંતરાય) કર્મોનો નાશ કરી પ્રભુ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. આ તરણતારણહાર પરમપિતા મહાવીરના ' શાંત અને પ્રશમરસ ઝરતાં નયનને વંદન...!
mwyalası qel
૩૦૬
Page #311
--------------------------------------------------------------------------
________________
“ૐૐ હ્રીં શ્રી મહાવીરસ્વામી સર્વજ્ઞાય નમઃ”
ગો દોહવાને આસને, ધરતા શુકલ ધ્યાન, પ્રસન્ન પ્રકૃતિમાં પ્રભુ, પામ્યા કેવળજ્ઞાત.
www.jaineli BO
Page #312
--------------------------------------------------------------------------
________________
૧ મળનાયક શ્રી મહાવીરસ્વામી તથા ૨ ચૌમુખી ચરણ.
Page #313
--------------------------------------------------------------------------
________________
બોલો, મહાવીરપ્રભુની જય. ચાલો, ચૈત્યવંદન કરીએ.
ચૈત્યવંદત
ઊર્ધ્વલોક દશમા થકી, કુંડપરે મંડાણ; વૃષભ યોનિ ચઉવીશમા, વર્ધમાન જિનભાણ. ઉત્તર ફાલ્ગુની ઉપન્યા, માનવ ગણ સુખદાય; કન્યા રાશિ છદ્મસ્થમાં, બાર વરસ વહી જાય. શાલ વિશાલ તરુ તલે એ, કેવલ નિધિ પ્રગટાય; વીર બિરુદ ધરવા ભણી, એકાકી શિવ જાય.
સ્તુતિ ઋજુવાલિકા સરિતા તીરે, પહોંચી ગયા ભવજલતીરે; હૈ વીરા ! પ્લાવિત કર મને, ઉદ્ધારવા કીરપા નીરે. નજરાઉં જો તુજ નજરથી, તો દૃષ્ટિથી વિકૃતિ ટળે; ને સ્વામ આપ પ્રભાવથી, શિવસંપદા નિશ્ચયે મળે.
ST
Jain Ecation International
સ્તવન
ઋજુવાલિકા તીર્થમંડન મહાવીર સ્તવન (રાગ : અરિહંત ભજો . ભૈરવી)
મહાસંયમરમણી ભોગી પ્રભુ, તો યે નિજ હિત મહાયોગી વિભુ .... ૧ વિહરતા અવનિ તલ વીરજી, પૃથ્વી પડલ પવિત્ર કરું, આવી ઊભા ઋજુવાલિકા તીરે, ગોદોહિકા આસનમાં કરું પરમાધિ સંયુત પરમેશ્વર, શુક્લધ્યાની થયા શુક્લ કરું, ધ્યાનાંતરિકા માંહે પ્રવેશી, કેવલ-દર્શન-શાન ધરું લોકાલોક પ્રકાશક ભાસક, અરિહા શરણ મન ધરું, શાસન સ્થાપ્યું જગ ઉપકારી, મંગલકર મહીતલ વિચરું પ્રેમ કીધો તે સવિ જીવ ઉપરે, ભવ્ય જીવો તુજ ભક્તિ ધરું, ભુવનભાનુ તુજ સંગે રંગે, વિરતિ સર્વને દેશ વરુ સંયમધર્મે જિત નિશાની, તુજ ઘરે સુણતો સપરુ, જગવલ્લભ પરમારથ પામી, પાયો આતમહિત સઘળું .
૩
Sonal Use Only
૪
૫
થોય
જય જય ભવિ હિત કર, વીર જિનેશ્વર દેવ, સુરનરના નાયક, જેહની સારે સેવ; કરુણારસ કંદો, વંદો આણંદ આણી, ત્રિશલા સુત સુંદર, ગુણમણિ કેરો ખાણી.
૬
www.jainelibre ૩૦૯
Page #314
--------------------------------------------------------------------------
________________
G
૧૨
૧ મૂ.તા. શ્રી મહાવીરસ્વામીજી ૨ શ્રી મહાવીર ચરણ
૩૧૦
93
૧૪
૩ પંચધાતુના શ્રી શાંતિનાથજીતી જોડ ૪ ગેરુતા પ્રાચીન શ્રી મહાવીર ૫. પ્રાચીત શ્રી પાર્શ્વનાથજી ૬. શ્રી મહાવીરરવામી (શ્વેત) ૭. શ્રી મહાવીરસ્વામી (તવી દેરી) ૮ શ્રી અજિતનાથજી ૯ શ્રી તેમિનાથજી
બારી
ગભારો
મુખ્ય દ્વાર
રસ્તો
૧૫
For Pivate & Personal Use Only
૧૭
---
E
૧૧
१०
૧૦ શ્રી ગૌતમસ્વામી (તવી દેરી)
૧૧ શ્રી મહાવીરસ્વામી
૧૨
શ્રી જિતકુશલસૂરિજી ચરણ ૧૩ સમવસરણતો પટ ૧૪ શ્રી અભિનંદનજી ચરણ
૧૫ શ્રી શીતલનાથજી ચરણ ૧૬ કેવળજ્ઞાતકલ્યાણકતો પટ ૧૭ શ્રી ભેરોજી ૧૮ શાલવૃક્ષ
Page #315
--------------------------------------------------------------------------
________________
સૌપ્રથમ બાબુ ધનપતસિંહજીએ અહીં જિનાલય બનાવ્યું હતું, જેમાં માત્ર પગલાં સ્થાપન કર્યા હતાં. (જે વર્તમાનમાં વિદ્યમાન છે.) હમણાં પ્રભુવીરના ૨, ૬૦૦મા જન્મકલ્યાણકની ઉજવણીના વર્ષે વીર મંડળ દ્વારા મૂળનાયક શ્રી મહાવીરસ્વામી પ્રભુની ચૌમુખી ચરણ સહિત પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મૂળનાયકના પૃષ્ઠ ભાગે બંને ગોખલામાં પંચધાતુના શ્રી શાંતિનાથજી પ્રભુ બિરાજમાન છે. હવે દર્શન કરીને બહાર નીકળતાં ગભારાના પ્રવેશદ્વારની આજુબાજુ ડાબે રક્તવર્ણી શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ બિરાજમાન છે; જે ઋજુવાલિકા નદીમાંથી પ્રાપ્ત થઈ છે.
૪ પ્રભુ મહાવીરની વેળુની પ્રાચીન મૂર્તિ
ગભારાની બહાર જમણે અત્યંત પ્રાચીન શ્રી પાર્શ્વનાથજી પ્રતિષ્ઠિત છે...... નમો જિણા. | પ્રાચીન સમયમાં ગભારામાં પ્રવેશતાં બહાર ડાબે હાથે ૧૫ ઇંચના પ્રભુવીરની ગેરુની પ્રતિમા અને જમણે હાથે પ્રભુ પાર્શ્વનાથજી અને અંદર ગભારામાં ચૌમુખી પગલાં જ હતાં; સમયાંતરે અન્ય જિનબિંબોની પણ સ્થાપના કરવામાં આવી છે.
(૫ પ્રભુ પાર્શ્વનાથજી (પ્રાચીન) .
For Privale
ESO 190
| 3૧૧]
Page #316
--------------------------------------------------------------------------
________________
રા
७ श्री महावीर स्वामा।
- શ્રી કાલિતનાથ ભગવાન - ભમતીમાં સૌપ્રથમ શ્રી મહાવીરસ્વામી, નવી દેરીમાં નવા પ્રતિષ્ઠિત શ્રી મહાવીરસ્વામી, શ્રી અજિતનાથજી, નવી દેરીમાં પ્રતિષ્ઠિત શ્રી ગૌતમસ્વામીજી, શ્રી નેમિનાથજી અને શ્વેતવર્ણા
શ્રી મહાવીરસ્વામી બિરાજમાન છે.
THAT
XUMARE
THE
Cश्री नेमिनाथ भगवान
श्री महावीर स्वामी મૂળ ગભારાની પાછળનીનવીદેરીમાં પ્રતિષ્ઠિતશ્રીમહાવીર સ્વામીજીશની
શ્રીગૌતમસ્વામીજીનીનૂતન પ્રતિમાજીને વદનોકરીએ.
૩૧ ૨) Jan Edue to
org
Page #317
--------------------------------------------------------------------------
________________
adhપેશialis Bd
a fમના
૧૨ શ્રી જિતકુશલસૂરિજીનાં
પગલાં
૧૫ શ્રી શીતલનાથજીનાં
પગલા
સર્વ જિનબિંબોની ભાવથી દર્શન-પૂજા કરી મંદિરના મુખ્ય દ્વારની બહાર સ્થાપિત પગલાંઓનાં દર્શન કરીએ. હવે દર્શન કરી બહાર નીકળતાં જ
આ ચાર દેરીમાં પ્રથમ શ્રી જિનકુશલસૂરિજીનાં પગલાં, ૧૪ શ્રી અભિનંદનજીના પગલાં
સમવસરણનો પટ, શ્રી અભિનંદનજીનાં ચરણ, શ્રી શીતલનાથજીનાં ચરણ, કેવળજ્ઞાનકલ્યાણકનો પટ તથા શ્રી ભૈરવજી બિરાજમાન છે. સર્વને ભાવથી વંદીએ.
૧૭ શ્રી ભૈરવજી... પ્રણામ.
૧૬ કેવળજ્ઞાનકલ્યાણકનો પટ ૩િ૧૩
in Education International
Page #318
--------------------------------------------------------------------------
________________
Jain Education later on
૧૩ સમવસરણતો પટ
13760
Page #319
--------------------------------------------------------------------------
________________
!!
/
જગત માત્રના હિતની ઝંખનામાંથી ઉત્પન્ન થયેલી સવિ જીવ કરું શાસનરસી’’ની દિવ્ય કરુણા જાણે સહજપણે ભેગી થઈને પ્રભુના મુખ પર કેવી વિલસી રહી છે !!
પ.પૂ.પદ્મવિજયજીની એક કડી યાદ કરી લઈએ : સાડા બાર વરસ જિત, ઉત્તમ, વીરજી ભૂમિ ત ઠાયા હો, ઘોર તપે કેવળ લક્ષ્યા તેહતા, પદ્મવિજય તમે પાયા, કે તપસ્યા કરતાં કરતાં હો ડંકા જોર બજાયા હો ...
શ્રી ઋજુવાલિકા તીર્થના પૃષ્ઠભાગે આવેલું ચૈત્યવૃક્ષ
www.jainelibranean
Page #320
--------------------------------------------------------------------------
________________
પtivitilitis કાલ શુકલકડક કલાફલાલપshMS
૧૪ પuTHAT
1} Fપ
- પ્રભુ મહાવીર
૩૧૬
Page #321
--------------------------------------------------------------------------
________________
સૌને વંદન કરી મંદિરના પૃષ્ઠભાગે આ સ્મૃતિરૂપે સ્થિત શાલવૃક્ષનાં દર્શન કરીએ. કેવળજ્ઞાનની ઘટના બાદ પ્રભુએ પ્રથમ દેશના આપી હતી જે નિષ્ફળ ગઈ. (આ ઘટના જૈનદર્શનમાં ચોવીસીના દસ અચ્છેરામાંનું એક ગણાય છે.) અચ્છેરા એટલે મહાઆશ્ચર્ય. ભગવાનને કેવળજ્ઞાન થયું અને દેવોએ સમવસરણ રચ્યું; પણ આ તો દેવોની ધર્મસભા હતી એટલે કોઈ માનવજીવ ન હોવાને કારણે ચારિત્ર અંગીકાર કરવાવાળો કોઈ જીવ નહોતો ! અને આમ પ્રભુવાણી વિફળ ગઈ, કારણ કે કોઈ જીવ પ્રતિબોધ પામી શક્યો નહીં. માટે આ ઘટનાને જૈનદર્શનમાં એક અચ્છેરું (આશ્ચર્ય)ના રૂપમાં વર્ણવે છે. “અહીં (રત્ન સિંહાસન પર બેસીને દેશના દેવી વગેરે) સર્વવિરતિને યોગ્ય નથી” એવું જાણવા છતાં પણ પ્રભુએ પોતાનો કલ્પ જાણીને તે સમવસરણમાં બેસી દેશના આપી. તીર્થકરની દેશના નિષ્ફળ થાય નહીં છતાં વીર પ્રભુની પ્રથમ દેશના કોઈએ પણ વિરતિભાવ ગ્રહણ ન કરવાથી નિષ્ફળ થઈ એ આશ્ચર્ય સમજવું. (પૃષ્ઠ ૮૯, સર્ગ-૫, ત્રિષષ્ટિશલાકાપુરુષ, પર્વ- ૧૦, ભાગઃ ૪) માર્ગદર્શન : આ તીર્થની નજીકનું રેલવે સ્ટેશન ગિરિડીહ ૧૨ કિ.મી.ના અંતરે છે. ગિરિડીહથી બસ અને ટૅક્સીની સુવિધા છે. મધુવન અહીંયાંથી ૧૮ કિ.મી. દૂર છે. આ તીર્થના મંદિર સુધી બસ અને ગાડી જઈ શકે છે. રોકાવા માટે સુવિધાયુક્ત ધર્મશાળા અને ભોજનશાળા છે. પ્રાચીન કૈવલ્યસ્થાને જવું મુશ્કેલ છે તેથી ઋજુવાલિકા તીર્થની પેઢીમાં સંપર્ક કરીને જઈ શકાય છે.
તીથપેઢી શ્રી જૈન શ્વેતાંબર સોસાયટી, બરાકર
પોસ્ટ : પાલમો - ૮૨૫૧૦૮ જિલ્લો : ગિરિડીહ, પ્રાંત : બિહાર ફોન : ૦૯૮૦૧૧૪૮૩૦૯
૩૧૭
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૧૮
Jain Educationternational
AVAVAVAV
ANA
For Private & Personal Use Onl
AVAVAVAV
O
Page #323
--------------------------------------------------------------------------
________________
શાશ્વતતાના પરમચૈર્યનું યશોતામી કલ્યાણકધામ શ્રી સમેતશિખર મહાતીર્થ
યાત્રાળુને દૂરસુદૂરથી ઋજુવાલિકાથી શિખરજી જવાના રસ્તા પરથી દૃષ્ટિગોચર થતું આ સમેતશિખરજી તીર્થ અત્યંત આનંદ અને અહોભાગ્યના અર્થનો અનુભવ કરાવે છે. આ પર્વતની પીઠ પરથી અસંખ્ય આત્માઓએ પરમપદની પીઠિકા - સિદ્ધશિલાને પ્રાપ્ત કરી છે, વીસ તીર્થંકર દેવોની જે નિર્વાણ સમાધિ છે, તેમના અણુ-અણુમાંથી પાવનતાના ઊર્જામય સંચારને સ્પર્શીએ.
ચાલીશિખરજીજઈએફ, ભાવથીયાત્રાકરીએી, અતીથીભેટીઆપી પુનિતા થઈએી આબેમુખ્યરસ્તાપર આવેલી સમીતશિખરલા અહીંથી સીધીરી વધુતબીટીસુધી જાણી. બીલી પારસનાથ જ્ય
૩૧૯
Page #324
--------------------------------------------------------------------------
________________
મધુવન તળેટી
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૨૧
jainelibrary.org
Page #326
--------------------------------------------------------------------------
________________
મધુવન નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર દેવાલયોની હારમાળાઓથી સુશોભિત અને કુદરતી સંપત્તિથી છવાયેલું આ મધુવન શ્રી સમેતશિખરજીની તળેટી છે, જે ઋજુવાલિકાથી માત્ર ૮ કિ.મી.ના અંતરે છે. ‘પારસનાથ સ્ટેશન’ને ‘ઇસરી’ પણ કહે છે. ઇસરીથી ૨૩ કિ.મી. દૂર મધુવન ગામ છે. મધુવનમાં શ્રી હરકોર શેઠાણી તથા બાબુ ધનપતસિંહજીએ બનાવેલી બે શ્વેતાંબર ધર્મશાળા અને ભોજનશાળા છે. ઉપરાંત દિગંબર, તેરાપંથી, વીસપંથી વગેરેની ધર્મશાળાઓ અને શ્વેતાંબરોનાં ૧૦ જિનાલયો છે. | તળેટીનાં મંદિરોમાં દર્શન કરી શ્વેતાંબર કોઠી પહોંચવાનું છે. શિખરજીમાં રહેલાં જિનાલયો પણ તીર્થસ્વરૂપ છે. આટલે દૂર તીર્થની યાત્રા કરવા આવનારા શ્રદ્ધાળુ ભાવુકોએ પ્રત્યેક જિનાલયમાં દર્શન કરવા અચૂક જવું જોઈએ. - ૧. પાલગંજ એ શિખરજીની મૂળ તળેટી હતી એટલે સૌપ્રથમ યાત્રિકોને અહીં આવીને પાલગંજના રાજાને ચરણે ભેટ-બક્ષિસ અર્પણ કરીને પછી યાત્રા માટે જવું પડતું, કારણ કે તે સમયે આ તીર્થનો વહીવટ પાલગંજના રાજા કરતા. આછા શ્યામગુલાબી રંગના પથ્થરની બનેલી મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ છે, જે લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાંની છે. ..નમો જિણાણે. રાજાદોઢીના પાલગંજના આ મંદિરેથી આગળ જતાં ૨. કચ્છીભવનનું મંદિર આવે છે. અહીં ચૌમુખી અરિહંત પ્રભુને... નમો જિણાપં. આગળ ભમતીમાં ચોવીસી, દેવ-દેવીઓ, ગણધરો અને ડાબી બાજુના વિભાગમાં દાદાગુરુની મૂર્તિ, ભોમિયાજી, ઘંટાકર્ણજી, ચાર શાશ્વતા જિન, ભૈરવજી...સર્વને પ્રણામ. ૩. થોડા આગળ જતાં જહાજના આકારમાં બંધાયેલું આ છે જહાજમંદિર; જયાં મૂળનાયક શ્રી કલ્પતરુ પાર્શ્વનાથજીને.. તમો જિણાણ. મૂળનાયકની ડાબી બાજુ જીરાઉલા પાર્શ્વનાથ, જમણી બાજુ ચિંતામણિ પાર્શ્વનાથ, ઉપર મનમોહન પાર્શ્વનાથ, ગોળ ઘુંમટમાં બિરાજિત ચૌમુખજી વગેરે સર્વ જિનબિંબોને... તમો જિણાણ. ૪. આગળ જતાં જિતાશા ફાઉન્ડેશનનું જૈન મ્યુઝિયમ આવે છે. અહીં પાર્શ્વનાથ પ્રભુની સુંદર મૂર્તિ છે. ૫. જ્યાં શાંતિનાથ પ્રભુ બિરાજે છે તે ભોમિયાભવનમાં દર્શન કરીએ. મૂળનાયકની ડાબી અને જમણી બાજુ અનુક્રમે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે... તમો જિણાણું. નીચે ભોયરામાં અદ્ભુત ભક્તામરમંદિર છે, જેમાં આદિનાથ પ્રભુ બિરાજમાન છે. ભોમિયાજી ભુવનમાં પાછળ ભમતીમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. અહીં આબુના મહાન યોગીરાજ શ્રી શાંતિગુરુદેવની મૂર્તિ ભક્તામર મંદિરમાં મૂકવામાં આવી છે. તેમની ડાબે અજિતનાથજી અને જમણે સુપાર્શ્વનાથજી પ્રભુ પ્રતિષ્ઠિત છે ... તમો જિણાણ. આ મંદિરમાં ભક્તામરની ગાથા, તેના મંત્રો તથા માનતુંગ મુનિની મૂર્તિ દર્શનીય છે. બાજુમાં પૂ. શ્રી રાજેન્દ્રસૂરિજીની પ્રેરણાથી બનેલું ભોમિયાજી અને ગુરુમંદિર છે. અહીં ભોમિયાજીનું રાજાશાહી ચિત્રપટ કચ્છી જૈન સમાજ દ્વારા મૂકવામાં આવ્યું છે. ૬, સર્વને ભાવથી વંદન કરી ધર્મમંગલના દેરાસરે જઈએ. અહીં પ્રતિષ્ઠિત મૂળનાયક પાર્શ્વનાથ પ્રભુને ...વંદન. જેમની ડાબે આદિનાથ, જમણે
મહાવીરજી પ્રભુ બિરાજમાન છે. અહીં બિરાજિત શાંતિનાથજી અને મુનિસુવ્રત સ્વામીને... નમો | જિatei. અહીંની ધર્મમંગલ વિદ્યાપીઠમાં પાઠશાળા હતી. બહાર દેવકુલિકામાં શ્રી પદ્માવતી,
Page #327
--------------------------------------------------------------------------
________________
શ્રી સરસ્વતી, શ્રી અંબિકા અને શ્રી લક્ષ્મીદેવી બિરાજમાન છે... પ્રણામ. અહીંના ગુરુમંદિરમાં ગુરુ ભગવંતો શ્રી ધરમસૂરિ, ભક્તિસૂરિ, પ્રભાવકવિજય, પૂર્ણાનંદ વિજયજી બિરાજે છે. ... પ્રણામ. ૭. શ્વેતાંબર કોઠીની બહાર સહેજ આગળ પોલીસ થાનાના મેદાનમાં પાતાલ પાર્શ્વનાથ પાદુકામંદિર | આવેલું છે, જ્યાં અત્યંત પ્રાચીન પ્રભુ પાર્શ્વનાથનાં ચરણ સ્થાપિત છે. સર્વ જિનાલયોમાં દર્શન કરી
શ્વેતાંબર કોઠીમાં આવેલાં મંદિરોમાં દર્શન કરીશું. તળેટીમાં દિગંબર મંદિરોમાં મેરુપર્વત, જંબુદ્વીપ, સમવસરણ, નંદીશ્વરદ્વીપ આવેલાં છે.
भीसम्मेत शिरवरजीमहातीर्थ
શ્રી સમેતશિખરજી તીર્થપટ (શ્વેતાંબર કોઠી)
Page #328
--------------------------------------------------------------------------
________________
wapical
રજી
શ્રી પાર્ટીનાથજી
૧ હજfી દિ૨
- ૭ પાતાલ પાર્શ્વનાથ પાદુકામંદિર
(પોલીસ થાણા પાસે)
શ્રી અરિહંત
जिनालन
GEDરજી (ઉચ્છીશુofી)
૨છીભnળી હરિ !
Jair 22 Yation Internati8 229
www
alinelibrary.org
Page #329
--------------------------------------------------------------------------
________________
મધુવન તળેટીના જિનાલયો
શ્રી કલ્પતરુ કલ્પતરુ પાર્શ્વનાથ
Jain Education Internati
૪. જૈન મ્યુઝિયમ
Personal
2 C
जिन म्यूजियम
શ્વેતાથજી (જહાજમદિર)
જહાજમંદિર
Page #330
--------------------------------------------------------------------------
________________
મધુવન તળેટીના જિનાલયો
*
આ
30-0006-000VDCGDGODDER
શ્રી માનતુંગ મુનિ
શ્રી શાંતિનાથજી
યાતા મહરેન યોગેસણાજ શ્રી શાંતિગુરુદેવદરી પૂર્ણ
Page #331
--------------------------------------------------------------------------
________________
શ્રી અજિતનાથજી
શ્રી આદિનાથજી
શ્રી સુપાર્શ્વનાથજી
el Msame nila and
લોધિયાહાળતી
શ્રી ભોમિયાજી
Page #332
--------------------------------------------------------------------------
________________
બ્રીજાદિતાથજી શ્રીજીઈંતાથજી
મધુnતી લીટી
32
in Eulcatuleritationar
Page #333
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમંગલ જિનાલય
શ્રી વહાવીરજી
- હવીકલિકાનીદિર
Fer Private & Personal use only
www.jainelisrary.one
? ૩૨૯
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્વેતાંબર કોઠીમાં આવેલાં જિનમંદિરો
૩૩)
Page #335
--------------------------------------------------------------------------
________________
-
339
Page #336
--------------------------------------------------------------------------
________________
શ્વેતાંબર કોઠીમાં આવેલાં જિનાલયો ૧. અતિ પ્રાચીન શ્રી સાંવલિયાપાર્શ્વનાથ - મૂળમંદિર
મૂળમંદિરની ડાબી બાજુ નીચે પ્રમાણે મંદિરો દર્શનીય છે. ૨. શ્રી ગોડી પાર્શ્વનાથ જિનાલય -શિખરમાં શ્રી સંભવજિનમંદિર ૩. શ્રી કેસરિયા આદિનાથ જિનમંદિર ૪. શ્રી શુભસ્વામી ગણધરનું મંદિર | ૫. શ્રી સમેતશિખર આદિ તીર્થપટ મંદિર ૬. શ્રી સુપાર્શ્વનાથ જિનમંદિર ૭. શ્રી નવપદજી સિદ્ધચક્રજીનું મંદિર ૮. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનમંદિર ૯. શ્રી પાર્શ્વનાથ જિનમંદિર (આજુબાજુ શ્રી ચંદ્રપ્રભજી) ૧૦. શ્રી શત્રુંજય મંડન આદિનાથ જિનમંદિર
મૂળમંદિરની જમણી બાજુનાં મંદિર આ પ્રમાણે છેઃ ૧૧. શ્રી પાર્શ્વનાથ જિનમંદિરની ઉપર શ્રી સુપાર્શ્વનાથ જિનમંદિર ૧૨. શ્રી અષ્ટાપદ ચોવીસ જિનમંદિર ૧૩. શ્રી ચંદ્રપ્રભનું મંદિર ૧૪. શ્રી સમવસરણનું મંદિર ૧૫. શ્રી પાર્શ્વનાથ ૧૦ભવ પટનું મંદિર ૧૬. શ્રી સુપાર્શ્વનાથનું મંદિર ૧૭. શ્રી પંચજિનનું મંદિર ૧૮. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું મંદિર ૧૯. શ્રી જલમંદિર (સાંવલિયાપાર્શ્વનાથ) અને ૨૫ટૂંક ૨૦. શ્રી પાર્શ્વનાથ ચરણપાદુકાનું મંદિર ૨૧. શ્રી પાર્શ્વનાથનું મંદિર (ભોમિયાજીની બાજુમાં) ૨૨. શ્રી લઘુ શત્રુંજયાવતારનું મંદિર (ભોમિયાજી મંદિરના ગેટની સામે)
૩૩૨
national
* * * કે'
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૩. શ્રી પાતાલ પાર્શ્વનાથ પાદુકાનું મંદિર (પોલીસ થાણા પાસે) ૨૪. શ્રી ગૌતમસ્વામીનું મંદિર (કોલ્હાદારી મેદાનમાં) ૨૫. શ્રી પદ્માવતી માતા અને શ્રી અંબિકાદેવીની દેરી
શ્રી સાવલિયા પાર્શ્વનાથ મૂળ મંદિરની પાછળ ૨૬. યુગપ્રધાન દા.ગુ. શ્રી જિનદત્તસૂરિ દાદાવાડી ૨૭. યુગપ્રધાન શ્રી પાર્શ્વચન્દ્રસૂરિ આદિ ગુરુમંદિર ૨૮. તપાગચ્છના મૂલસ્રોત શ્રી જગરચન્દ્રસૂરિ વગેરે ગુરુમંદિર ૨૯. તપાગચ્છાધિપતિ પૂ. શ્રી વિજય રામચંદ્રસૂરિ ગુરુમંદિર
શ્રી સાંવલિયા પાર્શ્વનાથ મળમંદિરના પરિસરમાં ૩૦. શાસનસમ્રાટ શ્રી નેમિલાવણ્ય ગુરુમંદિર | ૩૧. પ્રતિષ્ઠાશિરોમણિ શ્રી સુશીલસૂરિ ગુરુમંદિર
લઘુ શત્રુંજયાવતાર મંદિરની નીચે ૩૨. શ્રી નીતિસૂરિ, મંગલપ્રભુસૂરિ આદિ ગુરુમંદિર ૩૩. ત્રિસ્તુતિકશ્રી રાજેન્દ્રસૂરિ ગુરુમંદિર
અધિષ્ઠાયક દેવ મંદિરો ૩૪. તીર્થાધિષ્ઠાયક શ્રી ભોમિયાજી મહારાજનું સુપ્રસિદ્ધ પ્રાચીન મંદિર (મેઇન ગેટની પાસે) ૩૫. શ્રી મહાકાલભૈરવનું પ્રાચીન મંદિર (કેસર ઘરની પાછળ) શ્વેતાંબર કોઠીના શિખરબંધી જિનાલયમાં મૂળનાયક પર સં.૧૮૭૭નો લેખ જોવા મળે છે. આ મંદિર શ્રી સંઘે બંધાવેલ. ઉપર જણાવેલ મંદિરો ઉપરાંત અહીં શ્રી સીમંધરસ્વામીની દેરી, સ્ફટિકના જીરાઉલા પાર્શ્વનાથજી, ૨૦ તીર્થકરોનાં પ્રાચીન ચરણ, શ્રી માણિભદ્રજી, શ્રી નાકોડાજી, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી યંત્ર, ૨૪ ભુજાધારી શ્રી પદ્માવતીદેવી, શ્રી અંબિકાદેવી, શ્રી ઋષભદેવનું ઇક્ષરસથી પારણું ..... વગેરે દર્શનીય છે. ભાવથી સહુને વંદન કરી, હવે તીર્થરક્ષક શ્રી ભોમિયાદેવના મૂળ સ્થાનકે જઈએ.
તીર્થપેઢી : શ્રી જૈન શ્વેતાંબર સોસાયટી,ગામ : મધુવન પોસ્ટ : શિખરજી - ૮૨૫ ૩૨૯ ; જિલ્લા : ગિરિડીહ ; પ્રાંત : બિહાર
ફોન : ૦૬૫૩૨-૨૩૨ ૨ ૨૬, ૨૩૨ ૨૨૪ અને ૨૩૨ ૨૬૦.
૩૩૩ ) www.jathelibrary.org
Page #338
--------------------------------------------------------------------------
________________
३३४
શ્વેતાંબર કોઠીમાં આવેલા જિનમંદિરો
માએ 1 ક
華菜菜
શ્રી વિલિયા પીનાથ ॰ મૂળ પરિ
0
'''''
www.jainlibr
Page #339
--------------------------------------------------------------------------
________________
શ્રી ગોડી પાર્શ્વનાથ મંદિર (GIRI[ () ) , મારી માં છે
વીસ તીર્થકરોનાં પ્રાચીન ચરણ
sgs,
Mah1
કવિ હાય / 5 -
છેe liE
-
/ >[32Bરે ટેa°
AAAAAAAAAAAAAAAAAAAA
Page #340
--------------------------------------------------------------------------
________________
શ્રી શુભસ્વામી ગણધરતીમંદિર
नराव पाचन
| શ્રી નવપદજી સિદ્ધયજીનું મંદિર
શ્રી સીમંધરસ્વામીનું મંદિર
ITE
ed
E
૩૩૬ Jan cuucation international
UTIWAL TINCTUS omy
www.jamesbrary.org
Page #341
--------------------------------------------------------------------------
________________
શ્રી સુપાર્શ્વનાથ જિનમંદિર
श्री सुपार्श्वनाथनवान
श्रीपाश्र्वनाथभगवान
श्रीधर्मनाथ भगवान
श्रीवासपज्य भगवान
श्रीआदिनाथ भगवान
श्री आदिनाथ भगवान
श्री शान्तिनाथ भगवान
श्री महावीर स्वामी
શ્રી પાતાથ જિલમંદિર(આજુબાજુ શ્રી ચંદ્રપ્રભજી)
श्री र पार्श्वनाथ भगवान
श्रीचन्द्र प्रमुभगवान
श्रीचन्द्रप्रभुभगवान
-
rsonal Use Only
www.jainel
Page #342
--------------------------------------------------------------------------
________________
0
33८ Edu song
M
GAPES
DORMERIZING
श्री चक्र महायन्त्रम
SELL
G
Sets Loc
Axation
00
શ્રી સિદ્ધચક્રજી
6472
Only
22
720
24
Page #343
--------------------------------------------------------------------------
________________
RBREROPA
श्रीशांतिजिन महिला मेडल-कोलकाता पोजिली विधगिरिराजमहातीर्थरचना के पीया पीसी.के.मला अमरेलीनालेधनीकान्तावतसा.महता आदि परिवार वाया
શ્રી શત્રુજ્ય મંડલા આદિનાથ જિલમંદિર
श्री चन्द्रप्रभु भगवान
Clasa
શ્રી ચંદ્રપ્રભનું મંદિર
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનમંદિર ૩૩૯
SOMOSEL
Page #344
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ ચોવીસ જિતમંદિર
૨૪ ભુજાધારી શ્રી પદ્માવતી માતા
३४०
Jain Edhaymational
Private & Personal Use Only
શ્રી સમવસરણ મંદિર
શ્રી અંબિકાદેવી
141
Page #345
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચજિવનું મંદિર
A.
A n
.
PNEA
MARE
WE Raw
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પટ
શ્રી નાકોડા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ શ્રી માણિભદ્રવીર ભૈરવજી યત્રપટ
૩૪૧
For Private & Personal use only
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભદેવ ભગવાનનું ઇક્ષરસ પારણું
W
ainelibrary.org
૩િ૪૨),
Page #347
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસમ્રાટ શ્રી લાવણ્યસૂરિજી
શાસનસમ્રાટ શ્રી તેમિસૂરિજી
- શ્રી ભિતકતારવાણીની ચરણ
ધો-પાત્ર સહિતના પગલાં Rી
શ્રી ભૈરવજી
૩૪૩
Jan Education internatonia
TUTTIVE
Surrostory
Page #348
--------------------------------------------------------------------------
________________
લીથDJયાવતાર
ઈંદિરતી વીજાવેલુગુરુમંદિર
શ્રી નીતિસૂરીશ્વરજી મ. સા.
શ્રી મંગલપ્રભસૂરીશ્વરજી મ. સા.
૩૪૪
For Private & Personal Use O
Page #349
--------------------------------------------------------------------------
________________
શ્રીસવિલિયાપર્ણતાથ
ભૂળશંદિરતી પાછળથાથMદિર
શ્રી ચંદ્રવિજયજી મ. સા.
શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા.
For Private
Personal se Only T
W jaineli
૩૪પ org
Page #350
--------------------------------------------------------------------------
________________
noranjan 01
at:
ಇನ ( ೧ ಸ ಶವ ಜನ ; 5
5 0 °5@ ೧
(ಇ. &l5) |*
Page #351
--------------------------------------------------------------------------
________________
શ્રી ભોમિયાજી મંદિર
શ્રી સમેતશિખરજી મહાતીર્થના અધિષ્ઠાયક રક્ષકદેવ શ્રી ભોમિયાજી ક્ષેત્રપાલ સ્વરૂપે શ્વે.કોઠીના શ્રી ભોમિયાજી મંદિરમાં બિરાજે છે. કથા છે કે ઘણાં વર્ષો પહેલાં વારાણસીના રાજા મહસેનના પુત્ર યુવરાજ ચંદ્રશેખર માતા યશોમતી સાથે સંઘ લઈ શિખરજીની જાત્રા કરવા ગયા. પાછા વળતાં તેમને જાત્રા ક૨વા માટેનો સ૨ળ રસ્તો શોધવાનું મન થયું. એમ કરતાં તે યુવરાજ ખૂબ આગળ નીકળ્યો. ત્યાં અચાનક આ યુવરાજના ઘોડાએ વાઘને જોયો અને તે પાછા પગલે ચાલ્યો. પાછળ ખાઈ હોવાથી યુવરાજ ઘોડા સહિત ખાઈમાં પડીને મૃત્યુ પામ્યો.
જીવનના અંત સમયે આ યુવરાજના હૃદયમાં પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનસ્થ હતા એટલે પ્રભુ નામ-સ્મરણમાં લીન બનેલો યુવરાજ વ્યંતર નિકાયના દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાર બાદ અવારનવાર વટવૃક્ષ પાસે ચમત્કારપૂર્વક લોકોને તે દર્શન આપવા લાગ્યો. વળી, કેટલાક લોકો ‘ભવાનીદેવી’નો વાસ માની પશુઓનો બલિ ચડાવે છે. પરિણામે આ ભૂમિ લોહિયાળ બની ગઈ. એ પછી ઘણાં વર્ષો બાદ ૧૭-૧૮ સદીમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ શહેરના જગતશેઠ સમેતશિખરજીની જાત્રાએ એક તિ મહારાજની સાથે પધારે છે. યતિજીની પ્રેરણાથી પશુહત્યા બંધ થાય છે. આ યતિ મહારાજની આજ્ઞાથી
Etication Inter
Page #352
--------------------------------------------------------------------------
________________
132 2
ભોમિયાભુવતતા પૃષ્ઠ ભાગે આવેલું શ્રી ભોમિયાજીનું એક રાજાશાહી શિલ્પ જગતશેઠ અઠ્ઠમ કરે છે. ભોમિયાજી પ્રત્યક્ષ થઈને કહે છે કે “મારો ઉદ્ધાર કરો” સાથે સ્વપ્નમાં લીમડાના વૃક્ષ નીચે સ્થાપનાનો સંકેત કરે છે. આમ, ૪૬૫ વર્ષ પૂર્વે તીર્થના રક્ષક તરીકે પહાડના આકારની જાગતી જ્યોતસ્વરૂપની મૂર્તિની પ્રતિષ્ઠા ફાગણ સુદ પૂનમના રોજ કરવામાં આવી. અહીંના મંદિરમાં જાપ ક૨વામાં આવતા આ મંત્રને સૌ સાથે બોલીશુંઃ
A
ॐ क्ष क्ष क्ष क्ष क्ष क्षः श्री भोमियादेव क्षेत्रपालाय नमः “હે ભોમિયાજી, અમારી શિખરજીની જાત્રા મંગલકારી બનાવી નિર્વિઘ્ને પાર પાડજો.’’
For
કહેવાય છે કે શ્રી ભોમિયાજીનાં દર્શન કરીને યાત્રા કરનાર માર્ગ ભૂલી જાય તો શ્વાનના રૂપે ભોમિયાજી રસ્તો બતાવે છે અને યાત્રાળુથી આશાતના થાય તો મધમાખીના ડંખરૂપે મીઠો દંડ પણ આપે છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
SALTER
ssdd
સાથિયો
wxkt[xdxdalett alli
000
For Private & Personal Use C
શ્રી ભૌમિયાજીનું મંદિર શ્વેતાંબર કોઠી)
સવારે બાળક, બપોરે યુવાન અને સાંજે પ્રૌઢ એમ ત્રિસ્વરૂપે ભોમિયાજી દર્શન આપતા હોય તેવું લાગે છે. જાણે | તીર્થની રક્ષા કાજે સમસ્ત પહાડનો ભાર તેમના પર લઈ લીધો હોય તેવા ભાવસ્વરૂપની આ મૂર્તિના ખભા ઉપર શિખરજી તીર્થના પહાડનો આકાર જોઈ શકાય છે. આ રક્ષકદેવને પ્રક્ષાલ થાય છે, સિંદૂર અને ચમેલીના તેલનો લેપ કરવામાં આવે છે, પૂજા થાય છે અને છત્ર ચઢાવાય છે. સાથે પેંડાનો પ્રસાદ, અત્તર અને માળાની જગ્યાએ ફૂલ ચડે છે. ભોમિયાજી આગળ કરવામાં આવતો ત્રિશૂલના આકારનો સાથિયો પણ વિશિષ્ટ હોય છે. ભોમિયાજીના મંદિરની પાછળ શ્રી મહાકાલભૈરવ સ્થાપિત છે.... પ્રણામ.
શ્રી મહાકાલભા
૧ ૩૪૯
Page #354
--------------------------------------------------------------------------
________________
શ્રી ભોમિયા ચાલીસા શામલિયા પ્રભુ પાર્થ કા, નિત ઉઠ ધ્યાન લગાય; ભોમિયા કે દરબાર મે, સંકટ સબ ટલ જાય.
સવૈયા (રાગ : હનુમાન ચાલીસા..)
શિખરજી કી મહિમા ભારી, વીસ કલ્યાણક હુએ મનુહારી; ભોમિયા હૈ મધુવન કે દેવા, નિશદિન કરતે તીર્થ કી સેવા. ભોમિયાજી કા આશિષ પાકર, પર્વત પર જાતે લાખો નર; ભક્તો પર કરુણા બરસાતે, પથ ભૂલો કો રાહ દિખાતે. બાબા પૂજન મંગલકારી, અંગિયા રચાવે સુર નર નારી; થાલ નૈવેદ્ય કે ભરભર લાત, તેલ સિંદૂર ઔર ઇત્ર લગાતે.
પ્રક્ષાલપૂજા ભય ભંજન હૈ જાપ તુમ્હારા, કરે મનોરથ સિદ્ધ હમારા; વિપદા ભક્તો કી હરનેવાલા, સમકિત ધારી દેવ નિરાલા. મેરે મન કી ક્યા અભિલાષા, બાબા જાને મૌન કી ભાષા; તુઝે સુનાઉં અપની કહાની, પ્રીત હૈ તેરી મેરી પુરાની. પાર્થ ભક્તિ મેં મન કો લગા દે, મહારોગ મિથ્યાત્વ મિટા દે; હમ સબ નિર્મલ દાસ હૈ તેરે, ચરણો મેં રખ બાબા મેરે.
સિંદૂરનો લેપ જીવન નીતિમય હો હમારા, મુઝે ભરોસા બાબા તુમ્હારા; મિલા હૈ જિસકો આશીર્વાદ, સુખ વૈભવ સે બના આબાદ. તૂ મહાશક્તિ હૈ બલશાલી, તેરી મહિમા સબસે નિરાલી; મૂરત તેરી ભોલીભાલી, શાસન કી કરતા રખવાલી. બિગડી મેરી તૂ હૈ બનાતા, સતુપથ પર ચલના સિખલાતા; જિસકો મિલતી તેરી મમતા, ઉસકે મન મેં હોતી સમતા. |
ચંદલપૂજા
mmemories
Page #355
--------------------------------------------------------------------------
________________
મેરી કિશ્તી કો ભય કેસા, કોઈ ના ખેવૈયા તેરે જૈસા; દયા કા અમૃત મુઝે પિલાના, સેવક કો કભી ભૂલ ન જાના. જન જન કી આંખો કા તારા, દર્શન તેરા સબકો પ્યારા; સમ્યક જ્ઞાન કી દે હમેં શિક્ષા, જિનશાસન કી કરે હમરક્ષા. ગાંવ-ગાંવ બને ધામ તુમ્હારે, દેતે પરચા બાબા હમારે; રૂપ અનેક હૈ ભોમિયા તેરે, ઘટ-ઘટ મેં હૈ બાબા મેરે.
છત્રપૂજા
- બાબા તુ જગ પાલનહારા, દીન દુઃખી કા તૂ હૈ સહારા; |
અબ જો નહીં સુનોગે હમારી, દુનિયા હંસેગી હમકો સારી. ડંકા તેરા દુનિયા મેં ગુંજે, સારી દુનિયા તુઝકો પૂજે;| રાજપુરુષ કા ભય ભગ જાતા, વિજયશ્રી કા ધ્વજ લહેરાતા. રોમરોમ મેં રમ જા બાબા, અંતર મન મેં થમ જા બાબા; અબ યહ દૂરી સહી ન જાયે, તુજ બિન કૈસે સમય વિતાવેં.
દીપપૂજા
-
તેરે નજરો મેં સબ હૈ સમાન, રાજા રંક કો મિલતા સ્થાન; ફાગ પૂનમ કી શુભ ઘડી આતી, ભીડ ભક્તોં કી દૌડી આતી. ભાવ ભક્તિ સે જો ગુણ ગાતે, યશ કીર્તિ જગ મેં હૈ પાતે; દુષ્ટ દેવો કા જોર ન ચલતા, જિસ કે દિલ મેં તૂ હૈ બસતા. | જો ગાવે શુદ્ધ મન સે ધ્યાવે, ભોમિયા કે દાદા દર્શ દિખાતે; મારુતિ સૂરિ કે ચરણ પૂજ કર, પઢે ચાલીસ પ્રાતઃ ઉઠકર.
ધૂપપૂજા
દુહો
રોગ શોક સબ ભય ભાગે, પ્રગટે નવ નિધાન; મનવાંછિત સબ હી ફલે, પૂરણ હો અરમાન. ચરણ-કમલ જો પૂજતે, પાતે વો વરદાન; બલ બુદ્ધિ વિદ્યા મિલે, મહિમા તેરી મહાન. ચિંતા ચૂરે આશા પૂરે, કરે જગત કલ્યાણ; સૂરિ મહોદય કી કૃપા કરે પીયૂષ ગુણગાન. ૩૫૧
Jain Ed
Page #356
--------------------------------------------------------------------------
________________
શિખરજીની 20 કરર્તા પૂર્વે
| શિખરજીની રમણીય ધરા માત્ર રમણીય નહીં પણ પાવનતમ છે. રમણીયતા અને પાવનતા બંને સ્વભાવથી પોતાની ઉત્તમતા દર્શાવતો આ ગિરિ શાશ્વત પણ મનાય છે. યુગાદિનાથ ઋષભદેવ ભગવાને પણ આ ગિરિના ગુણ ભરત ચક્રવર્તી સમક્ષ વર્ણવ્યા હતા. ભરતચક્રવર્તી આ કાળના શિખરજીના સૌપ્રથમ યાત્રિક બન્યા, કરોડોના સૈન્ય સાથે આઠ દિવસ રોકાઈને દાનાદિ ધર્મ કર્યો. ભાવિ ૨૦ તીર્થકરોના સુરમ્ય પ્રાસાદો બંધાવ્યા, એ પછી ભરત ચક્રવર્તીએ પોતાની નગરી ભણી પ્રયાણ આરંવ્યું. આમ, કોઈ ઘટના બનતાં પૂર્વે જ શિખરજી નો પર્વત સ્તુતિ, યાત્રા અને પૂજાનો વિષય બન્યો હતો.
તે પછી શ્રી અજિતનાથજી આદિ વીસ તીર્થંકર પ્રભુના નિર્વાણ કલ્યાણકની પવિત્રતમ ઘટના આ જ ભૂધરના શૃંગો પર બની; સાથે કરોડો મુનિવરોએ પોતાના ભવચક્રનો શાશ્વત અંત આણ્યો હતો. પ્રભુનાં કલ્યાણક સ્થળો પર દેવોએ સ્તૂપ નીર્યા હતા. કાળાંતરે એના જીર્ણોદ્ધાર થતા રહ્યા, જે આજે પગલાંવાળી દેરીના સ્વરૂપે ‘ટૂક'ના નામે ઓળખાય છે. આજની જેમ હજારો વર્ષો પૂર્વે પણ શિખરજીની યાત્રા આકર્ષક અને રોમાચંક હતી. રાવણે પોતાના પરિવાર સહિત શિખરજીની યાત્રા ભાવભર્યા ઉલ્લાસ સાથે કરી હતી.
પાર્શ્વનાથની ટ્રક
| Uરિકા હરિશાલા ઉપાઈ શિખરજીથક@@@@
રપS
Page #357
--------------------------------------------------------------------------
________________
પહાડથી નીચે ઊતરતાં વનઘટાઓમાં ક્રીડા કરતો એક હાથી રાવણને ગમી ગયો. આ હાથીને વશ કરીને રાવણ એને લંકામાં લઈ ગયો, પછી લંકાનો પટ્ટહસ્તિ પણ એ જ બન્યો; જેનું નામ ભુવનાલંકાર પડ્યું. રાવણના મૃત્યુ પછી એ હાથીરામ પાસે આવ્યો અને એ અયોધ્યાનો પટ્ટહસ્તિ બન્યો હતો.
બીજી આકણીની થૌણ બાનાવી દરેક ટુન્ની યાત્રા પર વધારે ભાર રાખવો એ એક યાત્રિકનો વિવેક થણાય, એક પણ ટુક્કી થાત્રી બાકી રહે ત્યાં સુધી યાત્રા સંપૂર્ણ ન ગણાય. ટૂક એ નિર્વાણભૂમિ છે જ્યારે જલમંદિર એ માત્ર પ્રભુપૂજા કરવાનું સુંદર સ્થાન છે. જલમંદિરમાં પૂજા કરવી જ જોઈએ એવી નિયમનથી પરંતુ ૨૦-૨૦ નિર્વાણલ્યાણકનીટકોની યાત્રા કરવીજ, એ તકપૂર્ણનિયમબને છે. આ પાવન ભૂમિઓનો સ્પર્શ એ જ યાત્રાનો પ્રાણ છે. આ ભૂમિના સ્પર્શમાં અદ્ભુત સ્પંદનો, અવર્ણનીય અનુભૂતિ અને આફ્લાદક સંવેદનો અનુભવાય છે. શ્રીસુપાર્શ્વનાથ પ્રભુની ટૂકનીમાટીટુસાધ્યવ્યાધિઓનુંઔષધઅનેશ્રી વિમલનાથ પ્રભુની ટૂકની માટીનવાઘરના બાંધકામમાં શુભ ગણાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની ટૂક આ પર્વતનું સૌથી વધુ શ્રદ્ધેય સ્થાન છે. અનેક સફળતાઓની ગંગોત્રી સમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની ટૂકના મંદિરની નીચેની ગુફામાં નિર્વાણનું મૂળસ્થાન છે, ત્યાં બેસીને ઉપાસનારૂપે જાપ કરવો એ યાત્રાનો લહાવો છે. યાત્રાનો પૂરો લાભ લેનારા મહાનુભાવો પણ અજ્ઞાન અથવા નબળાઈને વશ બનીને યાત્રામાં નાસ્તો
અને અળગણ પાણી વાપરી તીર્થની આશાતના કરે છે. ભાવુક
યાત્રિકોએ આ દોષોથી પોતાની જાતને બચાવીજ જલમંદિર
લેવી જોઈએ.
શ્રી શીતપિજી પાહાતીર્થની રિક
શ્રી સમેતશિખરજી ગિરિરાજની કુલ ૪૮ કિ.મી. લાંબી પ્રદક્ષિણા કરવી એ સાચે જ જીવનનો યાદગાર અને રળિયામણો પ્રસંગ ગણી શકાય. યાત્રા દરમિયાન નવથી દસ જેટલી નદીઓને ઓળંગતા વનદેવીના વૈભવી સૌંદર્યને સાક્ષાત્ અનુભવાય છે. તદુપરાંત ગાઢ જંગલોનો પ્રત્યક્ષ પરિચય મેળવતાં બે પાસરોવર(એક ગુલાબી અને બીજું શ્વેત)નાં ઝરણાંઓના ખળખળ ધ્વનિનો સાંગિતિક અનુભવ થાય છે. યાત્રા દરમિયાન બે પાસરોવર જોવા મળે છે. એક ગુલાબી કમળનું અને બીજું શ્વેત કમળનું. સરોવર, વનસ્પતિ અને દુર્લભ જડીબુટ્ટીઓનાં વન નિહાળીને મન પ્રસન્ન થઈ જાય છે. શિખરજીની બીજી તળેટી નિમિયાઘાટમાં (૩૨ કિ.મી.) પરિક્રમા દરમિયાન રોકાણ કરવામાં આવે છે. બાકીની ૧૫ કિ.મી.ની પ્રદક્ષિણા બીજા દિવસે પૂર્ણ થાય છે. શિખરજીના પહાડના પૃષ્ઠ વિભાગની આ પરિક્રમામાં પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ થાય છે. જીવનમાં ક્યારેક જ મળતો આ પરિક્રમાનો લહાવો એક વાર લીધા પછી બીજી વાર લેવા ચિત્ત અતિ ઉત્સુક રહે છે. પણ,
( ૩૫૩ www.jainelibraly.org
Page #358
--------------------------------------------------------------------------
________________
પાIિ પણ
નીલા
જોભી.
તિરિલખંડો પહાડી
જયનગર
છકુડીહ,
મોહનપુર
બેનખારો.
( ) ખેજબાલી
મહાશકિ.
બજરંગબલી
મંદિર
O
ફિ ખૂંટાહાર ,
'કોદોટૉડ 1
પ્રથમ દિવાની (૩૨ કિ.મી.) કિગીબાર ઉનામંઠ્ઠિ જામિ,
તથા ધર્મશાળો દિલ્હી તરફ
ડહિયા
ઢોલકટ્ટા
રાની બધા
(
પર રોડ
કલકત્તા તરફ
સતકીરા,
ઢોલઠ્ઠા નાલા
Parasnath HII
Pal Use Om
Page #359
--------------------------------------------------------------------------
________________
સીતાનાલા
નાલા.
| મોજપુર)
- બેડી
પર
'પાંડેડીહ
મધુવન (શિખરજી)
કઠજેબરાનાલા
''દત્પન થ
પીપરાડીહ
નવાડી)
Oબારાડી,
બેલાટૉડ
બારીડૉડ
ઈત તર)
Oબોકરાડીહ
ચતરોબેડા
માઁઆલો - બેડાપહાડી, ચરકી
ટિટિંગબેડા પહાડી
- નાલા
છતનીબેડાનાલા
સાંકેતિક ચિહના
= પાકો રસ્તો. ===== કાચો રસ્તો
નદી નાલા) ------- પગદંડી | O ગામના
પરિક્રમા પથ
Page #360
--------------------------------------------------------------------------
________________
ગુલાબી પદ્મ સરોવર
વિશ્ર્વ મામી યાત્રા
નિમિયાઘાટ
પરિક્રમા પથ – યાત્રા શરૂ
શિખરજીની પરિક્રમા
પાર્શ્વનાથની ટૂંક
ચોપરાકુંડ
ધ્યાનસ્થ સાધુ ભગવંત
Page #361
--------------------------------------------------------------------------
________________
પરિક્રમા કરતા શ્રાવક-સાધુ ભગવંતો
મધુવન તળેટી
યાત્રામાર્ગમાં આgrી નાળી અને ઝરણી
ચંદ્રપ્રભની ટૂંક
ગની દેરી
' જલમંદિર
uersall yos claren
દેખા જલMદિર
ઈડરિક (ત પI) સરોવર
For Private & Personal use only
Page #362
--------------------------------------------------------------------------
________________
પાવનતાનો ઊર્જામય સંચાર વેરતી વીસ તીર્થંકરની નિર્વાણભૂમિ (શ્રી સુવિધિનાથ પ્રભુની ટૂક પરથી દેખાતું મનોહર દશ્ય)
શ્રી સમેતશિખરજી તીર્થ પર આવેલી કુલ ૩૧ ટ્રક અને દેરીની સમજ ૦િ ૨૦ તીર્થકરની નિર્વાણભૂમિની ટક
૪ શાશ્વતાજિતની દેરી જ નિર્વાણ તિથી પામ્યા તેવા જિતેશ્વર ભગવંતતી સ્મૃતિ દેરી
૧ ગણધર શ્રી ગૌતમસ્વામીજીની ટૂક/દેરી • ૧ ગણધર શ્રી શુભસ્વામીજીની દેરી
૧ જલમંદિર છે ૩૧ ટ્રક અને દેરી
૩૫૮
Page #363
--------------------------------------------------------------------------
________________
૩પ૯ www.dainelibrary.org
Page #364
--------------------------------------------------------------------------
________________
‘સમેત’ (સમ+ ઇતુ) અર્થાત્, સમ્યક ભાવને પામેલો, સુંદર, પ્રશસ્ત અને તેની સાથે પર્વત શબ્દના વિવિધ પર્યાયો જોડતાં; સમેતશેલ, સમેતાચલ, સમતાચલ, મલયપર્વત, સમેતગિરિ, સમેતશિખરિ, સમેતશિખરિનું, સમાધિગિરિ, શિખરજી અને સર્વમાન્ય સમેતશિખર' તરીકે ઓળખાય છે. શિખરજી પહાડ પર જવાના અનેક રસ્તા છે. તોપાચાચીથી પગદંડીને રસ્તે માત્ર ચાર ગાઉ જ થાય છે. ચંદ્રપ્રભની દેરીથી અને શુભસ્વામી ગણધરની દેરીથી પણ ચઢાય છે, પણ અત્યારે બે રસ્તા જ પ્રસિદ્ધ છે. ઇસરી અને મધુવનથી જ બધા યાત્રી ચઢે છે. પહાડમાં અનેક ગુફા છે, પરંતુ તેમાં શ્રી ચંદ્રપ્રભની ગુફા સૌથી મોટી છે. આ તીર્થની યાત્રા કા.સુ. ૧પથી લઈને ફા.સુ.૧૫ સુધી સુખરૂપ થાય છે. આ તીર્થમાં પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ કલ્યાણકનો મેળો શ્રા.સુ.૮ના રોજ તથા ભોમિયાજીનો મેળો ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય છે. શ્રી સમેતશિખરજી તીર્થ માટે એક એવી પણ માન્યતા પ્રવર્તે છે કે નવા મકાનના બાંધકામમાં પહાડ ઉપરની થોડી માટીનું સિમેન્ટ, રેતી સાથે મિશ્રણ કરીને ઉપયોગમાં લેવામાં આવે તો તે મકાનમાં રહેવાથી સુખસમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. (નોંધ: સમેતશિખર ગાઇડ) . - ત્રેવીસમા તીર્થકર ભગવાન પાર્શ્વનાથજીની આ નિર્વાણભૂમિ હોવાથી ઘણા ‘પારસનાથ પહાડ’ તરીકે પણ ઓળખે છે. અહીંની અજૈન પ્રજા પ્રભુ પાર્શ્વનાથને; પારસમણિ મહાદેવ, પારસનાથ બાબા, ભયહર પાર્શ્વનાથ, કાળિયાબાબા એમ રોજ સંભારે છે. વળી, આ સમાધિગિરિ પરથી અતીત ચોવીસીના કુલ ૨૭, ૩૪૯ જેટલા મુનિઓ અને તીર્થકરો નિર્વાણ પામ્યા છે. | વર્તમાન ચોવીસીના ૨૦ તીર્થકરો અહીંથી મોક્ષે સિધાવ્યા છે. એવું કથન છે કે, કોઈ ભવ્યજીવ ભાવસહિત આ તીર્થરાજની યાત્રા વંદના કરે તો ભવ્યજીવને ૪૯ ભવમાં જ મોક્ષગતિ પ્રાપ્ત કરાવી દે. ‘પ્રભાવકચરિત’ના આધારે બીજા સૈકાના આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ અને નવમા સૈકાના આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિજી આકાશમાર્ગી વિદ્યાના આધારે આ તીર્થની યાત્રાએ રોજ આવતા અને પછી આહાર ગ્રહણ કરતા.
કહેવાય છે કે અવસર્પિણી કાળના શરૂમાં પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ વિહાર કરતાં કરતાં અહીં આવ્યા હતા. ભગવાને ધર્મદેશના આપતાં જણાવ્યું હતું કે, “આ સ્થાન પર વર્તમાન ચોવીસીમાં ૨૦ તીર્થકર નિવાણ પ્રાપ્તકરશે.”
૩૬) Jam euucation International
Page #365
--------------------------------------------------------------------------
________________
ભગવાનની વાણી સાંભળી ચક્રવર્તી ભરતે સર્વપ્રથમ આ તીર્થની વંદના કરીને ભવ્ય જિનાલયોનું નિર્માણ કરાવ્યું. આ ઘટનાનાં લાખો વર્ષ બાદ શ્રી અજિતનાથ ભગવાને ‘સિદ્ધવર’ ટૂક પર નિર્વાણ પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ ૧,૮૦,૮૪,૦00મુનિઓએ આ ભૂમિ પર સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. - જંબુદ્વીપના દક્ષિણ ભારતના પૂર્વ ભાગમાં સ્થિત આ ગિરિરાજ સમુદ્રની સપાટીથી ૪,૪૮૮ ફૂટની ઊંચાઈએ આવેલો છે એટલે કે સાત કોશ ઊંચો અને પાંચ કોશ પહોળો છે. આ પહાડ અનેક જાતિનાં વૃક્ષો, વલયો, તૃણો, હરિત વનસ્પતિઓ અને ૩૫0 ઔષધિઓના આચ્છાદનથી લીલોછમ દેખાય છે, માટે જ તો આધ્યાત્મિક અને ભૌતિક બંને રીતે રાજા ગણવામાં આવે છે. વિ.સં. ૧૬૪૮ તા. ૧૨-૪-૧૫૮૨ના રોજ આચાર્ય વિજયહીરસૂરિજીને સમ્રાટ અકબરે શ્રી સમેતશિખરજી તથા સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગાજી, કેસરિયાજી, આબુજી અને રાજગૃહીની પાંચ પહાડી એક વિશેષ ફરમાન સાથે ભેટ આપ્યાં હતાં. ત્યાર બાદ વિ.સં. ૧૮૦૮માં જગતશેઠ મહતાબરાયને રાજા અહમદશાહે મધુવન સહિત ૩૦૧ વીઘા જમીન ભેટ આપી. આગળ જતાં વિ.સં. ૧૮૧૨માં આ ‘પારસનાથ પહાડ’ કરમુક્ત જાહેર થયો હતો. અંતે ૯ માર્ચ, ૧૯૧૮ના રોજ અમદાવાદના સુપ્રસિદ્ધ ધર્મવીર આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ
શેઠ લાલભાઈ દલપતભાઈએ આખો પહાડ પાલગંજના રાજા પાસેથી બે લાખ બેતાલીસ હજારમાં | વેચાતો લઈ તીર્થરક્ષક આણંદજી કલ્યાણજી પેઢીને અર્પણ કર્યો હતો. - નિર્વાણકલ્યાણકની ભૂમિના વાયુમંડળમાં ભગવાનની અંતિમ સાધનાના મનોવર્ગણાના પુદ્ગલોના વિસ્ફોટો વેરાયેલા છે તેમનાં તેજવર્તુળો પથરાયેલાં છે અને તેમની પવિત્ર વાણીના ભાષાવર્ગણાના પુદ્ગલો આવર્ત લઈ રહ્યા છે. તેમના સુગંધમય ઉચ્છવાસોથી તે વાયુમંડળ આજે પણ મઘમઘે છે. અહીં બધું છે, પણ આપણામાં તેની પ્રાપ્તિ અને ગ્રહણ માટે શ્રદ્ધા તથા યોગ્યતા હોય તો તેનો અનુભવ આજે અબજો વરસો વીતી ગયા પછી પણ આપણને અને સાધકોને થાય છે.
ચૌદમા સૈકામાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજીએ તેમના ‘વંદારવૃત્તિ' નામના ગ્રંથંમાં નોંધ્યું છે કે આ શિખરજી પર દેવાલયો અને જિનમૂર્તિઓ છે જેની પ્રતિષ્ઠા સં. ૧૩૪પમાં થઈ હતી.
નવમી શતાબ્દીમાં વનવાસી ગચ્છના આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, જે ભગવાનના ૩૨મી પાટ પર સુશોભિત હતા તેમણે સાત વાર આ તીર્થભૂમિની જાત્રા કરી અને ૨૦ તીર્થકરના નિર્વાણ સ્તૂપોની સ્થાપના
કરાવી.
- વિ.સં. ૧૫૨૬માં આગ્રાના શેઠ કુમારપાળ સોનપાલ લોઢાએ અહીં યાત્રા કરીને જીર્ણોદ્ધાર કરાવ્યો. સં. ૧૫૬૫માં પૂ.પં. હંસસોમમુનિ અત્રે સંઘ લઈને યાત્રા કરવા આવ્યા હતા. સં. ૧૭૫૦માં રચાયેલ તીર્થમાળા’ નામના ગ્રંથમાં જણાવેલ છે કે તે સમયે સમેતશિખરની તળેટી "મધુવન નહીં, પણ પાલગંજ હતી. ચઢવાનો માર્ગવિષમ હતો. વાઘ-સિહ અને હાથીઓનાં ઝુંડ નજરે પડતાં હતાં, વાંસનાં મોટાં જંગલો | હતાં, કેળનાં વન હતાં, સૂપોની વચ્ચે પાણીથી ભરેલો ત્રિકોણ કુંડ હતો અને હાથીઓ ત્યાં પાણી પીવા માટે આવતા હતા.
સં. ૧૬૫૯માં ભટ્ટારક જ્ઞાનકીર્તિજીએ યશોધરચરિત’ ગ્રંથ રચ્યો. ગ્રંથમાં તેઓ જણાવે છે કે ચંપાપુરીની બાજુમાં આવેલ અકબરપુરના મહારાજા માનસિંહજીના મંત્રી શ્રી નાનુએ સમેતશિખરજી પર | મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. પાલગંજના રાજા પારસનાથના ભક્ત હતા. પાલગંજમાં આવેલી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ રાજાના સમય જેટલી પ્રાચીન છે. = સં. ૧૬૬૪પૂ. પં. જયવિજયજી શ્રી સંઘ સાથે શિખરજીની યાત્રાએ આવ્યા ત્યારે રાજા પણ સાથે યાત્રા કરવા જોડાઈ ગયા અને સાથે રહીને કાળજી લઈને શ્રી સંઘને સુંદર યાત્રા કરાવી.
૩૬ ૧
Page #366
--------------------------------------------------------------------------
________________
' પૂ.પં. સૌભાગ્યવિજયજીએ સમગ્ર ભારતમાં ચારે દિશાનાં તીર્થોની યાત્રા કરી હતી. સં. ૧૭૫૦માં તેમણે ‘તીર્થમાળા’ રચી. તે વખતે તેઓ શિખરજી પહાડ ઉપર રઘુનાથપુરથી ચઢ્યા હતા અને ત્યાંના રાજાએ પણ તેમને સાથે રહીને ભક્તિપૂર્વક યાત્રા કરાવી હતી. - અઢારમા સૈકામાં પૂ.પં. વિજયસાગરમુનિ સંઘ સાથે યાત્રી કરવા આવેલા. તે વખતે પણ પાલગંજના રાજાએ સાથે ને સાથે રહીને તેમને યાત્રા કરાવી હતી અને ભાવથી ભગવંતોની ચરણપાદુકાઓની ભક્તિ કરી હતી. વિક્રમની ૧૩મી સદીમાં રચાયેલા “શ્રી પ્રવચન સારોદ્ધારવૃત્તિમાં શ્રી સિદ્ધસેનસૂરિજીએ તીર્થસ્થાનોની ગણના આ ક્રમે કરી છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, નંદીશ્વર, મંદર, કુલાચલાષ્ટપદ, સમેતશિખરજી, શત્રુંજય, ઉજ્જયંત આદિ... એટલે કે ભૂમંડલ પર આવેલ આ તીર્થોમાં અગ્રિમ સ્થાન સમેતશિખરજીને આપેલ છે. સત્તરમી સદીમાં કવિ ૫. જયવિજયજીએ સમેતશિખરજી તીર્થમાળામાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે,
‘સમેતાચલ શત્રુંજય તોલા, સીમંધર જીણવર એમ બોલાઇ, એહ વચત કવિ ડોલઇ...' | કવિ ઋષભદાસે પણ સત્તરમા સૈકામાં ગાયું છે કે, ‘સમેતશિખર તીરથ વડું, જ્યાં વીશે જિન પાય...” ‘વડું’ વિશેષણ લગાડીને તેની અગ્રગણ્યતા પ્રદર્શિત કરી છે. | શ્રી જીવવિજયજીએ ૧૮માં સૈકામાં સકલતીર્થની રચના કરી. તેમાં તે ભક્તકવિએ ગાયું કે ‘સમેતશિખર વંદુ જિત વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ...? કેટકેટલા ભાવોથી ગુરુભગવંતોએ તેનાં ગુણગાન કર્યા છે! પૂ. હંસસોમે વિ.સં. ૧૫૬૫માં અને ૧૬૬૪માં પૂ. વિજયસાગરજીએ પણ આ તીર્થ સ્તવ્યું છે. સં. ૧૬૬૪માં જ આ.પૂ. જયવિજયજી પૂ. હીરસૂરીશ્વરજી સાથે અકબરને પ્રતિબોધ કરવા દિલ્હી ગયા હતા ત્યારે ગાયું કે ‘સમેતાચલ દીઠો નયણે રે, સ્તવ્યો બહુ અમત વયણે રે.” | સં. ૧૭૪૬માં પં. શીલવિજયજીએ કહ્યું, ‘પારસનાથની ઓલગ કરિ, પ્રભની આણ સદા સિર ધરિ..”
ની રક્ષા માટે થોડી ઠીક પૂર્વી ઘટના સન ૧૯૯૪માં તીર્થરક્ષાની શ્રી સંઘમાં હાકલ પડી ત્યારે પ.પૂ. શ્રી યુગભૂષણવિજયજી મ. સા.ની આજ્ઞા લઈ અમદાવાદમાં રહેતાં પ૬ વર્ષનાં સુશ્રાવિકા શ્રીમતી દર્શનાબહેન નયનભાઈ શાહે અઠ્ઠમના પારણે અઠ્ઠમ શરૂ કર્યા હતાં. ૪૨મા અઠ્ઠમે કોર્ટના આદેશ મુજબ બિહાર સરકારને આ પહાડ સોંપવાનો આવ્યો ત્યારે દર્શનાબહેને તીર્થને બચાવવા વધુ દૃઢ સંકલ્પ કરી અઠ્ઠમના પારણે આયંબિલ કરીને ૧૧ વર્ષ સુધી આ તપસ્યાનું મહાભિનિષ્ક્રમણ અનેકવિનો વચ્ચે ચાલુ રાખ્યું હતું. ૩૬ ૨a Education Interfસ છે ક્ષત્રિયાણી જેવી આ સુવિકાઝી તીર્થક્ષા કાજેની ભક્તિ !
Page #367
--------------------------------------------------------------------------
________________
એક બહુ મહત્ત્વનો ગ્રંથ ‘સમેતશિખર માહાત્મ્ય' છે, જેમાં સમેતશિખરના ઉદ્ધારોની વાત છે. વિ.સં. ૧૪૧૮માં નાગોરી તપગચ્છ શાખામાં પૂ.આ. રત્નશેખરસૂરિ થયા. તે મહાપુરુષે ‘સમેતશિખર માહાત્મ્ય’ નામનો ૧૬૦૦૦ શ્લોકપ્રમાણ ગ્રંથ સંસ્કૃતમાં રચેલ હતો. તે ગ્રંથના આધારે સં. ૧૮૩૫માં કવિ પં. દયારુચિગણિએ ‘શ્રી સમેતશિખરજીનો રાસ' રચ્યો તે આજે પણ ઉપલબ્ધ છે. તેમાં તેમણે સમેતશિખરના ૨૧ ઉદ્ધારની વાત સવિસ્તર કહી છે. તેમાં તે કહે છે,
ભૂ માહે તીરથ ઘણા, ગિણવા કો સમરત્ય, ઉદ્રવ-અધો-મધ્ય લોકમેં, બહુલા જિહાં તિરત્ય, સહુ માહે સરસ, સમ્મેતશિખર ગિરિરાય, સિદ્ધ ભયા જ્યાં વીસ પ્રભુ, સાધુ અત્યંત શિવપાય. અજિતનાથ ભગવાનના નિર્વાણ સમય પછીથી અનેક આચાર્ય ભગવંતોની પ્રેરણાથી, જુદા જુદા ચક્રવર્તીઓ, રાજાઓ તથા શ્રેષ્ઠીઓએ સમેતશિખરજીના જે જે મુખ્ય મુખ્ય ઉદ્ધારો કરાવ્યા તે વીસ ઉદ્ધારોની વિગત ચૂકનાં દર્શન સમયે જાણીશું. દરેક ટ્રકનો એકવીસમો ઉદ્ધાર ઈ.સ. ૧૭૬૯ (વિ.સં. ૧૮૨૫)માં પં. દેવવિજયજી ગણિના ઉપદેશથી શ્રી ખુશાલચંદ શેઠ અને સુગાલચંદે કરાવ્યો.
કહેવાય છે કે પરમાત્માના નિર્વાણ પછી કલ્યાણક ઊજવતા દેવોએ ત્યાં સ્તૂપોની સ્થાપના કરી હતી. સમયાંતરે તેનો જીર્ણોદ્વાર શ્રેણિક રાજાએ કરાવ્યો. ત્યાર બાદ શેઠ મહતાબરાયના પુત્ર જગતશેઠ ખુશાલચંદે જીર્ણોદ્ધારનું કામ ઉપાડ્યું. સં. ૧૮૨૨માં શેઠ ખુશાલચંદને ‘જગતશેઠ’ની પદવી મળી અને તેઓ જીર્ણોદ્ધારનું કાર્ય જોવા શિખરજી પહોંચ્યા. નિર્વાણસ્થળો નામશેષ થઈ જતાં, પાદુકાઓનું મૂળ સ્થાન શોધવાની મુશ્કેલી તેમણે અનુભવી. આથી પૂ. દેવવિજયગણિજીને મળ્યા અને તેમની પ્રેરણાથી શેઠ ખુશાલચંદે અઠ્ઠમ તપની આરાધના કરીને મા પદ્માવતીના જાપ શરૂ કર્યા. તીર્થનું નવનિર્માણ કરાવવાના પવિત્ર આશયથી કરેલી તપશ્ચર્યાના ફળસ્વરૂપે દેવીએ એ ભવ્યજીવનને સ્વપ્નમાં દર્શનરૂપે ઉકેલ આપ્યો કે, “જ્યાં કેસરના સાથિયા જે સંખ્યામાં દેખાય તે પ્રમાણે ચોવીસીના તે તીર્થંકરનું સ્થાન જાણવું” અને આમ વીસ તીર્થંકરોનાં નિર્વાણસ્થાન નક્કી થયાં. વિ. સં. ૧૮૩૯માં માત્ર ૪૦ વર્ષની વયે જગતશેઠ
ખુશાલચંદે આ દુનિયા છોડી દીધી પણ શિખરજી પર આવેલી નિર્વાણભૂમિઓના મૂળસ્થાન શોધવાનું અદ્વિતીય કાર્ય કરી ગયા. જગત શેઠનો આ જીર્ણોદ્ધાર અને મહાતીર્થનો ઇતિહાસ સુપ્રસિદ્ધ અને અનુમોદનીય છે.
પૂ. સાધ્વીજી રંજતશ્રીજી મ. સા.
૩૬૩
Page #368
--------------------------------------------------------------------------
________________
લગભગ ૧૫૬ વર્ષ એટલે વિ.સં. ૧૯૮૦-૮૧માં આગમોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રી સાગરાનંદજી મ.સા. સપરિવાર શિખરજીની યાત્રાએ પધાર્યા. તેમણે ત્યાંનાં સ્તૂપો-દેરીઓ-જલમંદિર વગેરેની તૂટેલીફૂટેલી હાલત જોઈને તેના જીર્ણોદ્વારનો સંકલ્પ કર્યો. સં. ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી ઈ.સ. ૧૯૫૮માં કામ ચાલ્યું. તે સમયે રૂ. ૧૭ લાખનો ખર્ચ થયો. મહા વદ ૭, સં. ૨૦૧૭ના રોજ ગચ્છાધિપતિ પૂ.આ. માણિક્યસાગરજીએ પ્રતિષ્ઠા કરાવી અને ૨૧મો જીર્ણોદ્વાર સંપન્ન થયો. પૂ. સાધ્વીજી રંજનશ્રીજીએ કલકત્તામાં ચાતુર્માસ કરી શ્રી સમેતશિખર જૈન તીર્થ જીર્ણોદ્ધાર પ્રચારક સમિતિની રચના કરી આ કાર્યમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આમ, તપાગચ્છના ધર્મસૂરિજીની નિશ્રામાં સંવત ૧૮૨૫ની મહા સુદ ૫ (વસંત પંચમી)ને શુભ દિને જલમંદિરનું નિર્માણ, મધુવનમાં સાત ચૈત્યનું નિર્માણ અને તીર્થરક્ષક ભોમિયાજીની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરોનો વહીવટ જૈન શ્વેતાંબર પેઢીને સોંપવામાં આવ્યો હતો. વર્તમાનમાં સં. ૨૦૬૩ની સાલના માગશર માસમાં ઐતિહાસિક ચાતુર્માસના નિશ્રાદાતા આચાર્ય શ્રીમદ્ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી, સમેતશિખરજી મહાતીર્થનો વિરાટ છ’રિ પાલિત સંઘ યાત્રાએ ગયો ત્યારે વર્ષો બાદ ૩૧ ટૂંકોના શુદ્ધીકરણ, અઢાર અભિષેક તથા જલમંદિરના પ્રાંગણમાં યક્ષરાજ માણિભદ્રજીની પ્રતિષ્ઠા, મુખ્ય શિખરે ધ્વજારોહણ અને અષ્ટોતરી શાંતિસ્નાત્ર આદિ શાસનપ્રભાવક પ્રસંગો ઊજવાયા હતા.
આ ભૂમિ પર ગરમી, ઠંડી, બદલાતા હવામાનને કારણે મૂળભૂત સ્થાનોમાં ઘણું પરિવર્તન આવ્યું છે, પરંતુ વીસ તીર્થંકરોની આ પુણ્ય નિર્વાણભૂમિ છે; એનું સ્મરણ સતત મનમાં ચાલતું રહે તો યાત્રાનો ઉમંગઉલ્લાસ બમણો થઈ જાય છે તો ચાલો, હવે ભક્તિ કરતાં કરતાં જાત્રા કરવાની છે. સૌએ અધિષ્ઠાયક અને
૩૬૪
hosts
A41
For Private & Persoral Us
TOZRY
શ્વેતાંબર કોઠીનું લુકડ દ્વાર અને ભક્તોની યાત્રાનો
ઉલ્લાસ...
www.janelibrary.org
Page #369
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ દષ્ટિદેવની આજ્ઞા લઈ લીધી છે. સાથે ટોર્ચ, સ્વેટર, શાલ, લાકડી અને પાણી લઈ લેવાનું છે. અહીં ૯ કિ.મી. ચઢાણ, ૯ કિ.મી. ચાલવાનું અને ૯ કિ.મી. ઊતરવાનું એમ ૨૭ કિ.મી.ની જાત્રા કરવાની છે. વહેલી પરોઢે ભાથાના પાસ લઈ, સમગ્ર યાત્રા શરે) ૧૪ કલાકમાં પૂરી કરવામાં આવે છે.
ચાલો, લુંકડ દ્વારથી નીકળી ઝડપથી પગ ઉપાડવાના છે. (સૂચન : શિખરજીની જાત્રા પગપાળા કરવાની ઇચ્છા હોય તો જાત્રા કરવાના થોડા દિવસો પહેલાં પગપાળા ચાલવાની ટેવ પાડવી જરૂરી છે.)
આ એવી ભૂમિ છે જ્યાં ૨૦-૨૦ તીર્થકરોના નિર્વાણ સમયના તરંગોના ગંભીર નાદ સાંભળી શકાય છે.
“એક વાર વંદે જો કોઈ, તાકો નરક પશુગતિ નહીં હોઈ !”
ચાલો સહુ સાથે ગાઈને ચઢવાનું શરૂ કરીએ
ચાલો શિખરજી જઈએ રે, ભાવથી યાત્રા કરીએ રે. મધુવનમાં પારસજી બિરાજે, ભોમિયાજી વિનોને ટાળે, સીતાનાળે નિર્મળ થઈને, કેસર પ્યાલા ગ્રહીયે રે... ચાલો શિખરજી.... ' વિષમપહાડની કુંજગલીમાં, શીતળતા બહુ લહીયે રે, પશ્ચિમે આઠ, પૂર્વમાં બાર, વીસ ટૂંક જિનપદ નમીયે રે... ચાલો શિખરજી... પશ્ચિમે શત્રુંજય સોહે, પૂરવ શિખરજી વંદો, શામળિયો પારસ મધ્યે બિરાજે, મોક્ષકલ્યાણક ભૂમિ રે ... ચાલો શિખરજી... ત્રણેય ભુવનનું તીરથ મોટું, ભવથી પાર ઉતારે, શિખરજીની સ્પર્શના કરતાં, નરક ગતિ નહીં હોવે રે... ચાલો શિખરજી...
૩૬૫
Page #370
--------------------------------------------------------------------------
________________
શ્રી સમેતશિખરજી દ્વારમાંથી પ્રસ્થાન કરીએ. સૌપ્રથમ ડાબે હાથે ક્ષેત્રપાલજીની દેરી આવે છે.. ..પ્રણામ. થોડું આગળ ચાલતાં તળેટી, આંબા અને ચંદનનાં વૃક્ષો દેખાય છે. રસ્તામાં ક્યારેક વિવિધ પ્રકારનાં અળસિયાં, નાના સાપ જોવા મળે છે, પણ, નિર્ભયપણે જાત્રા કરવી જોઈએ.
કલિકુંડ તીર્થોદ્ધારક પ.પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. અને શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી ૨૦ તીર્થકરોનાં જિનાલયોનું નિર્માણ થઈ રહ્યું છે. યાત્રા શરૂ કર્યા બાદ દોઢ કિ.મી.નું અંતર કાપીએ પછી આ જિનાલય આવે છે, પરંતુ વહેલી સવારે યાત્રા માટે જવાનું હોઈ પાછા વળતાં આ જિનાલયે દર્શન થઈ શકે.
ક્ષેત્રપાલજીની દેરી
૨૦ તીર્થકરોનું જિનાલય
૩િ૬૬
Page #371
--------------------------------------------------------------------------
________________
લગભગ દોઢ કલાકની યાત્રા બાદ ગાંધર્વનાળું આવે છે. અહીંનું પાણી ઠંડું અને પાચક છે. ગરમી, શિયાળો કે ગમે તે ઋતુમાં એકસરખા વેગથી આ નાળું વહે છે. થાકેલા પથિકને ઉત્તમ સ્વાસ્થ્ય અને યાત્રા માટે નવી શક્તિ બક્ષે છે. ગાંધર્વનાળામાં વહેતા પાણીનો ખળ-ખળ અવાજ સંગીતની અનુભૂતિ કરાવે છે. સંગીત ગંધર્વ અને કિન્નરોનું વખણાય છે, તેથી આ ઝરણાને ગાંધર્વ (ગંધર્વ)ના નામે વિશેષિત કર્યાનું મનાય છે. અહીં પોણા ચાર કિ.મી. એટલે કે અઢી માઈલની યાત્રા પૂરી થાય છે. યાત્રાળુઓ પાછા વળતાં અહીંવિસામો લઈ સેવ અને લાડુ ભાતામાં વાપરે છે.
ગાંધર્વનાળ
For Private & Personal Use C
३६७
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૬૮
જલમંદિર તરફ
फिर વર્ષની
મેં
कोई
બે રસ્તા
પારસનાથ ટૂંક તરફ
બદરીમાં ભેજીના પગલાં
टाक मार्ग
Page #373
--------------------------------------------------------------------------
________________
અહીંથી થોડે આગળ જતાં બે રસ્તા પડે છે. ડાબા હાથનો સીધો રસ્તો જલમંદિર તરફ અને જમણા હાથનો રસ્તો ‘ડાક બંગલા’ થઈ પાર્શ્વનાથ ભગવાનની ટૂક તરફ જાય છે. જલમંદિરના માર્ગે આગળ સીતાનાળું આવે છે. સીતાનાળામાં વહેતું પાણી પહાડથી નીચે ઊતરી જે તળાવમાં જાય છે ત્યાં સીતાદેવીનું મંદિર છે માટે તથા સીતાનાળાનું પાણી ખૂબ શીત હોવાથી અપભ્રંશમાં તેનું નામ સીતાનાળું પડ્યું છે. અહીં બે દેરીમાં ભેરૂજીનાં પગલાં છે. સીતાનાળું વટાવીએ એટલે જમણી બાજુ નજર કરતાં પ્રભુ પાર્શ્વનાથજીની નિર્વાણભૂમિ એટલે કે મેઘાડંબર ટૂકનાં દર્શન થાય છે. હવે થોડું ચઢાણ છે.
ચઢાણના સાડા આઠ કિ.મી. પૂરા થતાં ચોપરાકુંડ આવે છે. અહીં એક દિગંબર મંદિર છે. અહીંથી થોડું આકરું અને સીધું ચઢાણ પૂરું કરીએ કે તરત શ્રી ગૌતમસ્વામીની પહેલી ટૂક આવે છે. શિખરજીની ટોચે ટ્રકોનાં દર્શન થતાં જ ૯ કિ.મી.ના ચઢાણનો થાક પળભરમાં ઊતરી જાય છે. આ દેરીની બરાબર સામે શ્વેતાંબરો તરફથી પુરાણી રક્ષણ ચોકી છે, જેમાં નેપાળી ચોકીદારો તીર્થની સેવા અને યાત્રાળુઓને મદદ કરે છે.
સીતાતાળુ
rm
|૩૬
Page #374
--------------------------------------------------------------------------
________________
- જે જી ≈ ° © ૭ ૭ % = ? ? ?
૪
શ્રી સમેતશિખર પર આવેલી દરેક ટૂકનાં દર્શનની વિધિ
(૧) પ્રથમણૂકનાં દર્શન કરી સ્તુતિ બોલવી.
(૨) પછી ત્રણ ખમાસમણાં દેવા.
૫
(૩) વાસક્ષેપ પૂજા કરી, ચોખા, લવિંગ, રૂપાનાણું, ફળ, નૈવેદ્ય મૂકી નાનું ચૈત્યવંદન કરવું. (૪) નાના ચૈત્યવંદનની રીતઃ પ્રથમ અરિહંત ચેઇયાણું (ચૈત્ય-સ્તવ) સૂત્ર બોલવું.
અરિહંત ચેઇયાણું, કરેમિ કાઉસ્સગ્ગ. (૧) વંદણ-વત્તિયાએ, પૂઅણ-વત્તિઆએ, સક્કારવત્તિયાએ, સમ્માણ-વત્તિયાએ, બોહિલાભ-વત્તિયાએ-નિરુવસગ્ગ-વત્તિયાએ (૨)સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપ્તેહાએ. વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગં. (૫) પછી અન્નત્ય (આગાર) સૂત્રબોલવું.
શ્રી ગૌતમસ્વામીની ટૂંક શ્રી જ્ઞાનધરગિરિ ટૂક (કુંથુનાથજી) શ્રીઋષભાનનરવામીની દેરી શ્રી ચંદ્રાનનસ્વામીની દેરી શ્રીમિત્રધર ટૂક (નમિનાથજી) શ્રી નાટકગિરિ ટૂક (અરનાથજી) શ્રી સબલગિરિ ટ્રક (મલ્લિનાથજી) સંકુલગિરિ ટૂક (શ્રેયાંસનાથજી) શ્રી સુપ્રભગિરિ ટૂંક (સુવિધિનાથજી) ૧૦ શ્રી મોહનગિરિ ટૂક (પદ્મપ્રભજી)
શ્રી
૧૩
શ્રીનિર્જરગિરિ ટૂક (મુનિસુવ્રતજી) શ્રી લલિતઘટ ટૂક (ચંદ્રપ્રભજી) શ્રી ઋષભદેવપ્રભુની દેરી ૧૪ શ્રીસ્વયંભૂગિરિટ્રક (અનંતનાથજી) ૧૫ શ્રીવિદ્યુતગિરિટૂક (શીતલનાથજી)
અન્નત્ય ઊસસિએણું, નીસસિએણં, ખાસિએણં, છીએણં. જંભાઇએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગ, ભમલિયે પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગસંચાલેહિં, ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિસિંચાલેહિં. (૨) એવમાઇએહિં, આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જમે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણ નપારેમિ. (૪) તાવ કાયં ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસિરામિ.
(૬) પછી એક નવકાર ગણી થોય કહેવી.
(૭) પ્રભુનાં નિર્વાણકલ્યાણકની માહિતી મોટેથી વાંચી આકાશ તરફ દષ્ટિ કરીને મનમાં એવા ભાવ સાથે વંદન કરવા કે પ્રભુનિર્વાણ પામ્યા બાદ અહીંથી જ સીધા ઉપર મોક્ષ પામી તે સ્થાને બિરાજે છે. પ્રભુનું સ્મરણ કરીને ‘જય બોલો જય બોલો” કરતાં આગળ વધવું.
390
dication totemation
૧૬
૧૭
૧૮ શ્રીઆનંદગિરિટૂક (અભિનંદનજી)
૧૯
શ્રી શુભસ્વામીજીની દેરી જલમંદિર
૨૦
૨૧
૨૨
શ્રી દત્તધવલ ટૂક (સંભવનાથજી) શ્રી વાસુપૂજ્યસ્વામીની દેરી
૨૫
૨૬
શ્રીદત્તવરગિરિટ્રક (ધર્મનાથજી)
શ્રી વારિપેણજિનની દેરી
૨૩ શ્રી વર્ધમાનજીનીદેરી
૨૪ શ્રી અચલગિરિટૂક (સુમતિનાથજી)
શ્રીપ્રભાસગિરિ ટૂક (શાંતિનાથજી) શ્રીમહાવીરસ્વામીની દેરી શ્રીપ્રભાસ ટૂક (સુપાર્શ્વનાથજી) ૨૮ શ્રીનિર્મલગિરિટ્રક (વિમલનાથજી)
૨૭
૨૯
શ્રી સિદ્ધવરટૂક (અજિતનાથજી).
૩૦ શ્રી નેમિનાથપ્રભુની દેરી ૩૧ શ્રીમેઘાડંબર ટૂંક (પાર્શ્વનાથજી)
Page #375
--------------------------------------------------------------------------
________________
શ્રી સમેતશિખરજી ગિરિરાજ પર આવેલી ટૂકોનાં દર્શન કરવાનો યાત્રામાર્ગ
.
ચોપરા
બે રસ્તા
ડાક બંગલો
ભેરૂજી
સીતાતાળું
:::
, ,ડાળ
ભાથાપર
ગાંધર્વતાળ
P૨૦ તીર્થકરોના
જિનાલય
શ્રી ક્ષેત્રપાલજીની દેરી
Jam Edubatio nematen
& fetsonal Use Only
www.jambray399
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૭૨
Page #377
--------------------------------------------------------------------------
________________
આકાશ અને ધરતીના મિલનનો આભાસ કરાવતી
ધુમ્મસમયી ક્ષિતિજ આહલાદક દયા
૩૭૩.
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૪ પગલા
|૩૭૪]
(૧) શ્રી ગૌતમસ્વામીતી ટૂંક
ઊમટ્યો છે ભક્તજતોતો મેળો વહાલા શિખરજીની ટોચે
Page #379
--------------------------------------------------------------------------
________________
શ્રી ચોવીસ તીર્થંકરનાં અને ૧૦ગણધરનાં એમ કુલ ૩૪ પગલાંની આ દેરી છે. ...નમો જિણાë. નમો સિદ્ધા. દેરીની ડાબી બાજુએ શ્યામવર્ણા ગૌતમસ્વામીનાં સ્વતંત્ર પગલાં પણ બિરાજિત છે. દર્શન કરી સ્તુતિ બોલીએ.
ઇંદ્રભૂતિ અનુપમગુણભર્યા, જે ગૌતમ ગૌત્રે અલંકર્યા, પંચશત છાત્રશું પરિવર્યા, વીરચરણ લહી ભવજલ તર્યા.
હવે નીચે જલમંદિર ન જતાં ડાબી અને જમણી બાજુની ટૂકોનાં દર્શન કરીશું. કોઈ ટૂંક ઊંચી કે નીચી આવશે પણ યાત્રાનો ઉલ્લાસ તો ઊંચો જ રાખવાનો છે. સામેની ધર્મશાળામાં થોડોક વિસામો લઈ બીજી ટૂકે જઈએ.
૩૪ પગલાંની દેરી
શ્રી ગૌતમસ્વામીનાં પગલાં
स्तुति 'દીવીજી વિISë શાપરાથ૪ હું દીઠું ! मनवचनातनकर पूजहुँ शिखर सम्मेदयजेह॥
૩િ૭૫
Page #380
--------------------------------------------------------------------------
________________
(૨) સત્તરમા કુંથુનાથ ભગવાનની નિર્વાણભૂમિ
શ્રી જ્ઞાનવરગિરિ ટ્રક
स्तुति : श्री-कुंथु-नाथो भगवान्, सनाथो-ऽतिशय-द्धिभिः।
सुरासुर-नृनाथाना, मेक-नाथोऽस्तु वः श्रिये॥
उ७६
Page #381
--------------------------------------------------------------------------
________________
| ૐ હ્રીં શ્રી કુંથુનાથ પારંગતાય નમઃ |
| સ્તુતિ (છંદ : મંદાક્રાન્તા) જેની મૂર્તિઅમૃત ઝરતી, ધર્મનો બોધ આપે, જાણે મીઠું વચન વદલી, શોકસંતાપકાપે; જેની સેવા પ્રણયભરથી, સર્વ દેવો કરે છે, તે શ્રી કુથ-જિન ચરણમાં, ચિત્ત મારું ઠરે છે.
(ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
- થોય (રણ : આખ મારી ઊઘડે) કંથ જિતનાથ, જે કરે છે સનાથ, તારે ભવપાથ, જે ગ્રહી ભવ્ય હાથ;
એહતો તજે સાથ, બાવળ દીએ બાથ, તરે સુરનર સાથ, જે સુણે એકગાથ. શ્રી કુંથુનાથ પ્રભુનાં શ્યામવર્ણી પગલાંને વંદન કરતાં યાદ કરીએ કે અવસર્પિણી કાળમાં, ૧OOO મુનિવરો સાથે ૧ માસના ઉપવાસ, કાઉસગ્ગ મુદ્રામાં, ચૈત્ર વદ-૧ની શરૂની રાત્રિએ નિર્વાણ પામ્યા હતા. અહીંથી કુલ ૯૬ ક્રોડાકોડ, ૯૬ ક્રોડ, ૩૨ લાખ, ૯૬ હજાર, ૭૪૬ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકનું યાત્રાફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે. આ ટૂક ઉપર વચ્છદેશના શાલિભદ્રનગરના રાજા દેવધરા
જયારે પરિવાર સાથે યાત્રાર્થે આવ્યા તે વખતે એટલા ભાવવિભોર બની ગયા હતા કે ત્યાં જ તેમણે સંકલ્પ કર્યો અને જીર્ણ બનેલા જિનમંદિરનો પુનરુદ્ધાર કરાવ્યો.
(શ્રી કુંથુનાથજીની ટૂકથી આગળ જતાં ડાબી બાજુ શ્રી ઋષભાનનસ્વામી તથા જમણી બાજુ શ્રી ચંદ્રાનનસ્વામી
શાશ્વતાજિનની દેરી આવેલી છે.)
સો સાથે ગાઈએ... જા બ્રીલી જય લીલી શુ થનાથ, Granulyomi SeWBIS , ભાથીશિબીર્જીથી થશૈક્ષિા નિહાલી, 'સ્થ બૌલી જીલીલી જી કુંથુનાથ,
Page #382
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન સમેતશિખર તીર્થ નમું, તીર્થોમાં સરદાર સમેત; વીસ જિનેશ્વર મોક્ષ જ્યાં ગયા, થયા ભવ પાર વીસ.ll૧// સાધુ સહસ સત્યાવીસ, ત્રણસો ઓગણપચાસ; વીસ જિન સહ મોક્ષે ગયા, પામ્યા આત્મપ્રકાશ. //// અન્ય જીવો પણ જ્યાં ગયા, જશે વળી શિવ માંય; ગૌતમ નીતિ ગુણ કહે તીર્થ એવો શિવ થાય. //all
શ્રી ગૌતમસ્વામીજીની દેરી, શ્રી જ્ઞાનધરગિરિ ટ્રક અને ધર્મશાળા
उ७८
e
n
International
For Private & Personal use only
Page #383
--------------------------------------------------------------------------
________________
શ્રી વીરભદ્રસ્વામીના પગલાં શ્રી ગચ્છાધિપતિ મુનિનાં પગલાં
શાશ્વતાજિતની દેરીથી આગળ જતાં માત્ર એટલા ઉપર ખુલ્લા શ્યામ વર્ણનાં બે પગલાં પ્રતિષ્ઠિત છે.
૩૭૯
Jajn Education International
Page #384
--------------------------------------------------------------------------
________________
320 Jain Education
tematic
For Private & Rersonal
Page #385
--------------------------------------------------------------------------
________________
(૩) શાશ્વતાજિત શ્રી ઋષભાનતસ્વામીની દેરી
ૐ હ્રી શ્રી ઋષભાનનસ્વામીને નમઃ |
સ્તુતિ ઃ સમેતશિખર તીરથ મોટું, જ્યાં વીસ જિનનિર્વાણ,
શાશ્વત જિતવર પૂજીએ, શ્રી ઋષભાનત ભગવાન.
ભરત, ઐરાવત ક્ષેત્રમાં દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી તથા મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન જિનેશ્વરોનાં નામ હોય છે, જેથી તેઓ શાશ્વતાજિન કહેવાય છે. આવો, આ શાશ્વતાજિનનાં પગલાંને વંદન કરીએ. અહીં સામાન્ય જિનનું ચૈત્યવંદન, સ્તવન, થોય કરી શકાય છે.
થોય ? 8ાભાવન જિન, શાશ્વતા, સેવક મોક્ષ દાતાર;
સમેતશિખર પર ટ્રક તસ, તમું પૂજે અનંતીવાર.
૩૮૧
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૮૨
(૪) શાશ્વતાજિત શ્રી ચંદ્રાતતસ્વામીતી દેરી
।। ૐ હ્રીં શ્રી ચંદ્રાનનસ્વામીને નમઃ ।।
Brauregards
Page #387
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ : તલિતાવતિ વિજય જયકારો, રાણી લીલાવતી ચિત્ત સુહાયો, ચંદ્રાતત ભગવાત; તૃપ વાલ્મીકિ કુળ તું દીવો, વૃષભ લછત ચિરંજીવો, સુણો શાશ્વતા જિત.
શાશ્વતાજિન શ્રી ચંદ્રાનન પ્રભુનાં ચરણોમાં ભાવભર્યાં વંદન. આ દેરી પરથી સિદ્ધગતિને પામેલા સિદ્ધ ભગવંતોનાં ચરણોમાં પ્રણામ કરી હવે પાંચમી ટૂકે જઈએ.
PO
|૩૮૩
Page #388
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મનાથ ભગવાનની ટૂક પરથી દયમાત
શ્રી ઋષભાનનની દેરી અને શ્રી નમિનાથ પ્રભુની શ્રી મિત્રધર ટૂંક
उ८४
'WWW.jainelibrary.org.
Page #389
--------------------------------------------------------------------------
________________
324
Page #390
--------------------------------------------------------------------------
________________
(૫) એકવીસમા તીર્થર શ્રી નમિનાથ પ્રભુની નિર્વાણભૂમિ
શ્રી મિત્રધર ટૂંક
Kછે -
૯માય थिसारखुमांजर
રે તિરસ્નોત્રી તાZ Uી કુવા | T:છતા
૩૮૬
Page #391
--------------------------------------------------------------------------
________________
| ૐ હ્રીં શ્રી નમિનાથ પારંગતાય નમઃ I स्तुति : लुठन्तो नमतां मूर्ध्नि, निर्मली-कार-कारणम् ।
वारिप्लवा इवनमेः पान्तु पाद-नखांशवः ॥
સ્તુતિ (છંદઃ શાર્દૂલવિક્રીડિત) વૈરી વંક લખ્યો પ્રભ જતો, ગર્ભ પ્રભાવે કરી, કીતિચન્દ્રરોજવલા દિશિદિશિ, આ વિશ્વમાં વિસ્તરી; આપી બોધ અપૂર્વ આ જગતને, પામ્યા પ્રભુ શર્મળ, પયે શ્રી નમિનાથ આપ ચરણે, પામ્યો ખરા ધર્મને. (ત્રણ ખમાસમણાં દઈ દૈત્યવંદન કરી થોય બોલીશું.)
e થય (રાગ : આંખ મારી ઊઘડે) નમીએ તમિ નેહ, પુણ્ય થાયે જ્ય દેહ, અઘ સમદાય જેહ, તે રહે નાહીં રેહ;
લહે કેવલ તેહ, સેવતા કાર્ય એહ, લહે શિવપુર ગેહ, કર્મનો આણી છેહઠ a શ્રી નમિનાથ પ્રભુ ચૈત્ર વદ-૧૦ના, એક હજાર મુનિ સાથે, માસક્ષમણે, કાઉસગ્ગ મુદ્રામાં મધરાત પછી મોક્ષે ગયા હતા. આ ટૂક પરથી કુલ ૧ ક્રોડાકોડ, ૪૫ લાખ, ૪૯ હજાર, ૯00 મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકનું યાત્રાફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે.. આ ટૂક ઉપર જીર્ણશીર્ણ દેરાસર હતું. કથા છે કે જોધદેશના શ્રીપુરનગરના રાજા મેઘદત્ત પરિવાર સાથે અનેક તીર્થોની યાત્રા કરવા માટે નીકળ્યા... યાત્રા કરતાં કરતાં જ્યારે સમેતશિખરજી મહાતીર્થની યાત્રા માટે આવ્યા ત્યારે આ શિખર પરના મંદિરની જીર્ણવિશીર્ણ હાલત દેખી મન દુભાયું અને પોતાના ખર્ચે ૧૯મો ઉદ્ધાર કરાવી નમિનાથ પ્રભુનો વિશાળ જિનપ્રાસાદ કરાવ્યો. બોલો નમિનાથ પ્રભુની જય...
જ્ય બોલી જ્ય બોલી જ્યનમિનાથ, મિથિલાજીમાં કલ્યાણક થાર8 સમેતશિખરજીમાં ભૌક્ષ નિવાસ, જ્ય બૌલી જ્યબીલી ફ્યુમિનાથ.
૩૮૭
dain Education international
For late & Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
() અઢારમા તીર્થકર શ્રી અરનાથ પ્રભુની નિર્વાણભૂમિ
શ્રી નાટકગિરિ ટૂંક
स्तुति : अरनाथस्तुभगवाँ, श्वतुर्था-र नभोरविः।
હતુર્થ પુરુષાર્થ શ્રી વિIણ વિતનોતુ વ8I]
उ८८
Page #393
--------------------------------------------------------------------------
________________
॥ ૐ હ્રીં શ્રી અરતાથ પારંગતાય તમઃ ॥ સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ)
0:0
જે દુઃખોતા વિષમગિરિઓ, વજતી જેમ ભેદે, ભવ્યાત્માતી તિબિડ જડતા, સૂર્યતી જેમ છેદે; જેતી પાસે તૃણ સમ ગણે, સ્વર્ગને ઇંદ્ર જેવા, એવી સારી અરજિત મતે, આપજો આપ સેવા.
(ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) થોય (રાગ : આંખ મારી ઊઘડે)
અર જિતવર રાયા, જેહતી દેવી માયા, સુદર્શત તૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા, સમવસરણ વિરચાયા, ઇંદ્ર-ઇંદ્રાણી ગાયા.
શ્રી અરનાથ પ્રભુ માગશર સુદ-૧૦ મે ૧૦૦૦ મુનિવરો સાથે માસક્ષમણે, કાઉસગ્ગમાં મધરાત પછી મોક્ષે ગયા હતા. આ ટૂક પરથી ૯૯ ક્રોડ, ૯૯ લાખ, ૯૯ હજાર, ૯૯૯ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકની યાત્રાનું ફળ ૯૬ ક્રોડ પૌષધોપવાસ છે.
આ ટૂંકના જીર્ણોદ્વારની ઘટના આ મુજબ છે કે ભદ્રપુરનગરના રાજા આનંદસેન પોતાના નગરની બહાર આવેલા પર્વત પર સ્થિત જિનાલયમાં પ્રતિદિન સેવાભક્તિ કરતા હતા. એક દિવસ પૂજા કરવામાં અત્યંત ભાવમય બની ગયા ત્યારે ગરુડ નામના યક્ષરાજ પ્રગટ થયા. રાજાને પ્રેરણા કરી કે વહેલી તકે સમેતશિખરજી મહાતીર્થની યાત્રા કરવા પ્રયાણ કરો અને ત્યાં પરમાત્મા અરનાથનું જિનમંદિર જે જીર્ણશીર્ણ થયું છે તેનો પુનરુદ્ધાર કરો. આમ આ ટૂંકનો ૧૬મો જીર્ણોદ્ધાર થયો.
બોલો અરનાથ પ્રભુની જય...
જય બોલો જય બોલો જય અરનાથ, હસ્તિનાપુરજીમાં કલ્યાણકચાર, સમેતશિખરજીમાંમોક્ષનિવાસ, જય બોલોયબોલોયઅરનાથ.
३८८
Page #394
--------------------------------------------------------------------------
________________
શ્રી સુવિધિનાથજીની ટૂક
શ્રી શ્રેરાતાથજીલીટ્રક
૩૯0)
Page #395
--------------------------------------------------------------------------
________________
સમેતશિખર સમરું સદી, પૂર્વ ભારત મોઝાર; વીસ તીર્થંકર પામીઆ, મુક્તિનગર મતોહાર.
શ્રી દલિતાથજીતીશ
૩૯૧
Jein Education International
Page #396
--------------------------------------------------------------------------
________________
(७) मोगासमा શ્રી મલ્લિનાથ ભગવાનની
| નિર્વાણભૂમિ શ્રી સબલગિરિ ટ્રક
संवा२पवईमाघमाताश्री विर्शनी गीधीयमाद रसायनश्रीराम शिनापाका का
Mar
स्तुति ४सुरासुर-नरा-धीश, मयूर-नव-वारिदम् ।
कर्मद्वन्मूलने हस्ति, मल्लमल्लि-मभिष्टम॥
૩૯૨)
Page #397
--------------------------------------------------------------------------
________________
| ૐ હ્રીં શ્રી મલ્લિતાથ પારંગતાય નમઃ )
સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ) તાર્યા મિત્રો અતિ રૂપવતી સ્વર્ણની પૂતળીથી, એવી વસ્તુ પ્રભુ તુજ નથી બોધ ના થાય જેથી; સચ્ચારિત્ર જત મત હરી બાળથી બ્રહ્મચારી, નિત્યે મલિ-જિનપતિ મને આપજો સેવ સારી.
(ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
- થોય (રાગ : આંખ મારી ઊઘડે) . મલિજિત નમીયે, પૂરવલાં પાપ ગમીયે, ઇંદ્રિય ગણ દમયે, આણજિતની ત ક્રમીયે;
ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવવમીયે, નિજ ગણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે. શ્રી મલ્લિનાથ પ્રભુ ૫૦૦ સાધુ અને સાધ્વી સાથે, માસક્ષમણે, કાઉસગ્નમાં, ફાગણ સુદ ૧૨, રાત્રિના પ્રારંભે મોક્ષે ગયા હતા. આ ટૂક પરથી કુલ ૯૬ ક્રોડ મુનિવરો મોક્ષે ગયા છે. અહીંનું યાત્રાફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે.
આ ટૂક ઉપર કલિંગદેશના શ્રીપુરનગરના રાજા અમરદેવે ૧૭મો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. એની ઘટના આ રીતની છે કે આ રાજા. એક વખત પોતાના પરિવાર સાથે ફરતાં ફરતાં નગરની બહાર ઉપવનમાં પધારે છે ત્યાં વૃક્ષ હેઠળ પ્રશાંત મુદ્રામાં એક મુનિવરને બિરાજેલા જુએ છે. રાજાએ તરત જ ભાવથી વંદના કરી હિતશિક્ષા શ્રવણ કરવાની ભાવના વ્યક્ત કરી. મુનિવર ગંભીર ધ્વનિમાં ધર્મનું મહત્ત્વ સમજાવતાં બોલ્યા, ‘નિર્વાણ - કેમ પમાય? એનો માર્ગ બતાવ્યો. જ્યાં તીર્થંકર પ્રભુ નિર્વાણ પામ્યા હોય તે ભૂમિની આરાધના એ પ્રમુખ પરિબળ છે. સૌથી વધુ તીર્થંકર પ્રભુ સમેતશિખર ઉપર નિર્વાણપદને વર્યા છે એટલે નિર્વાણપદ-મુક્તિપદને પ્રાપ્ત કરવા માટે વીસ-વીસ પ્રભુની નિર્વાણWલી સમાન સમેતશિખરજી મહાતીર્થ સર્વોત્કૃષ્ટ કક્ષાનું આલંબન ગણાય. આથી જ આ મહાતીર્થની યાત્રાનું ઊંચેરું મહત્ત્વ દર્શાવાય છે.' મુનિવરની વાણી સાંભળી રાજા અમરદેવને સમેતશિખરની યાત્રા કરવાની તાલાવેલી જાગી અને તત્કાળ નાના સરખા સંઘ સાથે સમેતશિખરજી મહાતીર્થ પહોંચ્યા. ભાવથી યાત્રા કરી અને ઠાઠ-માઠથી સત્તરભેદી પૂજા ભણાવી. વિશેષ લાભ મેળવવા શ્રી મલ્લિનાથ પ્રભુના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવી આ ભવનું ભવ્યાતિભવ્ય ભાતું બાંધી તૃપ્તિ માની. બોલો મલ્લિનાથ ભગવાનની જય.
જયબોલો જયબોલો જયમલ્લિનાથ, મિથિલાનગરીમાં કલ્યાણકચાર સમેતશિખરજીમાંમોક્ષ નિવાસ, જ્યબોલો જય બોલો જય મલ્લિનાથે,
Jain Education 1
www.jamembrary 363
Page #398
--------------------------------------------------------------------------
________________
(૮) અગિયારમાં તીર્થકર શ્રી શ્રેયાંસનાથ પ્રભુની
નિર્વાણભૂમિ શ્રી સંકુલગિરિ ટૂંક
योग्यपशिनात
की टॉक
[tāવત્ર પતઈંવો રઢિારે હિરાનીના बायसाइन्समायंदपणा,
૩૯૪
www.lainelibrary.org
Page #399
--------------------------------------------------------------------------
________________
'u ૐ હ્રીં શ્રી શ્રેયાંસનાથ પારંગતાય નમઃ | તૃત્તિ -રોત્ત-ગઝૂના, મરી-રંવાર ના. 'નિઃશ્રેયસ-શ્રી રમr:, શ્રેયાંસ: શ્રેયસેતુ વ: ||
સ્તુતિ (ાથી8 હતી શર્વિતા) જે હેતુ વિણ વિશ્વનાં દુ:ખ હરે, ન્હાયા વિના નિર્મળા,
જીતે આંતર શત્રુને સ્વબળથી, દ્વેષાદિથી વેગળા; 'વાણી જે મધુરી વદ ભવતરી, ગભીર અર્થે ભરી,
તે શ્રેયાંસ જિણંદના ચરણની, ચાહું સદા ચાકરી. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
થીય વિષ્ણુ જસ માત, જેહતા વિષ્ણુ તાત, પ્રભુતા અવદાત, તીત ભૂવને વિખ્યાત;
સુરપતિ સંઘાત, જાસ નિકટે આયાત, કરી કર્મનો ઘાત, પામીયા મોક્ષ શાંત. શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ૧OOO મુનિવરો સાથે, અષાઢ વદ ત્રીજે, માસક્ષમણે, કાઉસગ્ગ મુદ્રામાં અહીંથી બપોર પહેલાં નિર્વાણ પામ્યા. અહીંથી કુલ ૯૬ ક્રોડાક્રોડ, ૯૬ ક્રોડ, ૯૨ લાખ, ૯૦ હજાર અને ૪૨ મુનિ ભગવંતો મોક્ષે સિધાવ્યા છે. આ યાત્રાનું ફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે. | લાલનગર એટલે માલવદેશનું રળિયામણું નગર. જેવું રળિયામણું નગર એવો જ રળિયામણો ત્યાંનો આનંદસેન રાજા. અને આ રાજાની ધર્મભાવના પણ એવી જ રળિયામણી... એક દિવસ સમેતશિખરજીની ભાવથી યાત્રા કરી ત્યારે આ શિખર પર આવેલા શ્રેયાંસનાથ પ્રભુના પુરાણા જિનમંદિરનો દસમો જીર્ણોદ્ધાર કરાવી ચૌમુખી દેરાસર કરાવ્યું હતું. બોલો શ્રેયાંસનાથ પ્રભુની જય.
જય બોલો જય બોલો જય શ્રેયાંસનાથ, 'સિહે પુરીજી માં કલ્યાણ કે ચાર, સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો જય શ્રેયાંસનાથ.
(હીથીડીપથિયાંવટીરીવરીથીuધ્યગિરિલૂકુંદન કરીશું, જ્યાં શ્રી સુવિધિનાથજીની ચરણપાદુકા છે.)
For Private & Personal
www.jaineli Bet
Page #400
--------------------------------------------------------------------------
________________
વતશ્રીથી પરિવરેલા સમેતાચલની નયનરમ્ય શંગો પર શોભતી
ત્રિલોકનાથ પ્રભુ અરિહંતોની પાવનતમ નિર્વાણભૂમિ
For Private & Person
Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
-
360
Page #402
--------------------------------------------------------------------------
________________
'(૯) તવમા તીર્થર
શ્રી સુવિધિનાથ પ્રભુની નિર્વાણભૂમિ શ્રી સુપ્રભગિરિ ટ્રક
(17
૩૯૮)
Leto internetu
For Private A Personal UE Only
Page #403
--------------------------------------------------------------------------
________________
।। ૐૐ હ્રીં શ્રી સુવિધિતાથ પારંગતાય નમઃ । સ્તુતિઃ રામત-વ-વિશ્વ, લયનું-વત્ત-શ્રિયા । અચિન્ય-માહાત્મય-નિધિ, સુવિધિ-ાધયે
ર-સ્તુવઃ ॥
સ્તુતિ (રાગઃ મંદાક્રાન્તા છંદ) સેવા માટે સુરતગરથી, દેવતો સંઘ આવે, ભક્તિ ભાવે સુરગિરિ પરે, સ્નાત્રપૂજા રચાવે; નાટ્યારંગે તમન કરીતે, પૂર્ણ આતત્ત્વ પાવે, સેવા સારી સુવિધિજિતતી, કોણને ચિત્ત તાવે. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) થોય (રાગ : આંખ મારી ઊઘડે)
તરદેવ ભાવ દેવો, જેહતી સારે સેવો, જેહ દેવાધિદેવો, સાર જગમાં જ્યું મેવો; જોતાં જગ એહવો, દેવ દીઠો ત તેહવો, ‘સુવિધિ' જિત જેહવો, મોક્ષ દે તતખેવો. શ્રી સુવિધિનાથ ભગવાન ૧૦૦૦ મુનિવરો, માસક્ષમણે, પદ્માસને, ભાદરવા સુદ ૯ બપોર પછી અહીંથી નિર્વાણ પામ્યા. આ ટૂક પરથી કુલ ૯૯ ક્રોડ, ૯ લાખ, ૭ હજાર, ૭૮૦ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રાનું ફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે.
આ ટૂંક ઉપર આવેલા સુવિધિનાથ પ્રભુના જિનમંદિરનો આઠમો જીર્ણોદ્ધાર હેમપ્રભ નામના રાજાએ કરાવ્યો અને ચૌમુખી શ્રી સુવિધિનાથજીને પ્રતિષ્ઠાપ્યા. આ હેમપ્રભ રાજા શ્રીપુરનગરના રાજસિંહાસનના સ્વામી હતા. બોલો શ્રી સુવિધિનાથ પ્રભુની જય.
જય બોલો જય બોલો સુવિધિનાથ, કાકંદીજીમાં કલ્યાણક ચાર, સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો સુવિધિનાથ. (થોડું નીચે ઊતરીએ એટલે શ્રી પદ્મપ્રભસ્વામીની શ્રી મોહનગિરિ ટૂકનાં દર્શન થાય છે.)
૩૯૯
Page #404
--------------------------------------------------------------------------
________________
(૧૦) છઠ્ઠા શ્રી પદ્મપ્રભસ્વામીતી તિર્વાણભૂમિ શ્રી મોહતગિરિ ટૂંક
४००
श्री पद्म पशु-टोक
श्री मोटर
06
STO
300
Page #405
--------------------------------------------------------------------------
________________
| ૐ હ્રીં શ્રી પદ્મપ્રભતાથ પારંગતાય નમઃ | स्तुति : पद्मप्रभ-प्रभोर्देह, भासः पुष्णन्तु वः श्रियम् ।
સંત-પારિ-મંથને, જોપ-ટોપાદ્રિ-વાઢUT: |
| સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ) સોના કેરી સૂર વિરચિતા, પદ્મની પંક્તિ સારી, પશો જેવા પ્રભુચરણતા, સંગથી દીપ્તિ ધારી; દેખી ભવ્યો અતિ ઊલટથી હર્ષના આંસુ લાવે, તે શ્રી પદ્મપ્રભ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે.
(ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
થોય (રાગ : આંખ મારી ઊઘડે) અઢીશું ધનુષ કાયા, ત્યકત મદ મોહ માયા, સસીમા જસ માયા, શુકલ જે ધ્યાલી શશ8
કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા, સેવે સુર રાયા, મોક્ષ નગરે સિધાણા
શ્રી પદ્મપ્રભસ્વામી ઉછ& યુનિવરી સાથે, માસક્ષપણી, કાઉસાથ્થી ભુવામાં, કારૂતીક # ૧ બપોર પછીથહીંથીભીર્ણ થયા હતા. આટૂકપસ્થીકુલ૯૯&હ, ૮૭ લાખી, ઉહજાર, ©ચ© મુનિવરીબીલીયાૐ નીહીનીશાત્રાનુકુળઉછીપીણથીપવાસછે. - બાળકૈશનીથ્રભાકરનાળીનામુભુચીજ જ્યારે ક્ષમતશિખાજી હાતીર્થની યાત્રાર્થે આવેલા ત્યારે જિનભક્તિીનાપૂર્વકથી આટૂક વીલા પશુપાણીના નિાલણની પાંચમીજીર્ણોદ્ધારકીથી. બોલીશીપલાળીનીધુ,
ક્યુબીલીસ્થલીલીલાધુજી, કીશામ્બીજીet@ાણીકા શથીતશિખરજીefથીાવિલાસી, જશુભીલીસ્થલીલીછDeaછો
૪૦૧ ! wwwjainelibrary.org
Page #406
--------------------------------------------------------------------------
________________
(શ્રી
તનાથ પ્રભુની ટૂક પરથી દેખાતું દશ્ય)
શ્રી પાર્શ્વનાથ પ્રભુની ટૂક
૪૦૨
Page #407
--------------------------------------------------------------------------
________________
દીઠો ડુંગર કુકણા હરો, મહિમા મેરુ સમાણો જી, સમેતાચલ સમરીયો, જિહાં વીસ જિના નિર્વાણો જી
સમેતશિખર તીર્થમાલા-સહજસાગરજી (સં. ૧૯૬૧)
શ્રી સુવિધિનાથ પ્રભુની ટૂક
શ્રી પદપ્રભસ્વામીની ટ્રક
80
Page #408
--------------------------------------------------------------------------
________________
'(૧૧) વીસમા મુનિસુવ્રતસ્વામીની
નિર્વાણભૂમિ શ્રી નિર્જરગિરિ ટ્રક
श्रीमनिस्बत प्रभुनाको निर्जर गिरि डाला
૪/૪
www.jainelike you
Page #409
--------------------------------------------------------------------------
________________
છે કે 3 હી શ્રી મુનિસુવ્રતસ્વામી પારંગતાય તમાક ul
S સ્તુતિ: નરાન્માં મોદ-નિદ્રા, પ્રત્યુષ-સમયોપમન્ C મુનિસુવ્રત-નાથસ્થ, દેશના વચનં તુમ: II, = સ્તુતિઃ (છંદઃ શાર્દૂલવિક્રીડિત) (અહંતો)
અજ્ઞાતાંધકૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યા, જેણે અષ્ટ પ્રકારનાં કઠિણ જે, કર્મો બધાં તે દહા; જેની આત્મસ્વભાવમાં રમણતા, જે મુક્તિદાતા સદા,
એવા તે મુનિસુવ્રતેશ નમીએ, જેથી ટળે આપદા. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) જ સ જે થોય. ' 'ની
મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગમાં સુખ જામે; દુર્ગતિ દુ:ખ વામે, નવિ પડે મોહ ભામે, તે સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ પામે.
કે વીસમા તીર્થકર મુનિસુવ્રતસ્વામી અહીંથી ૧000 મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્નમાં, વૈિશાખ વદ ૯, રાત્રિની શરૂમાં મોક્ષે પામ્યા. આ ટૂક ઉપરથી કુલ ૯૯ ક્રોડાકોડ, ૯૭ ક્રોડ, ૯ લાખ
અને ૯૯૯ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટ્રકની સ્પર્શનાથી ૧ ક્રોડપૌષધોપવાસનું ફળ મળે છે. - કોશલદેશની રત્વખાણ સમીરનપુરી નગરીનો રાજા સોમદેવ જિનધર્મનો અઠંગ અનુરાગી રાજા હતો. અનેક તીર્થોની યાત્રા કરતાં જ્યારે સમેતશિખરજી આવ્યા ત્યારે મુનિસુવ્રતસ્વામીના જિનપ્રાસાદની જીર્ણ સ્થિતિ નિહાળીને પોતાનાં બીજાં-બધાં કાર્યને ગૌણ કરી પોતાના જ ખર્ચે અઢારમો જીર્ણોદ્ધાર કરાવ્યો. મુનિસુવ્રતસ્વામીનું ભવ્ય ચૌમુખ જિનાલય પરિપૂર્ણરૂપે બંધાઈ ચૂક્યું ત્યારે સોમદેવ રાજાએ હાશ અનુભવી અને ઠાઠથી પ્રતિષ્ઠાનો લાભ લઈ જીવનસાફલ્ય વર્યા. બોલો શ્રી મુનિસુવ્રત સ્વામીની જય. જય બોલો જય બોલો મુનિસુવ્રતજી, રાજગિરિજીમાં કલ્યાણક ચાર, સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો મુનિસુવ્રતજી.
3
सिंगारप२५वमाalaदावरानागा। =ીતાશ્રીલી તુવંn@aa: नितघाउकाकानामतवागना
૪િ૦૫
lication International
*
Per Private & Personalse
Aly
wawicizinelibraty.org
Page #410
--------------------------------------------------------------------------
________________
(૧૨) આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીતી તિર્વાણભૂમિ શ્રી લલિતઘટ ટૂક
स्तुति : चंद्रप्रभ-प्रभोश्वन्द्र, मरीचि-निचयोज्ज्वला । मूर्तिमूर्त-सितध्यान, निर्मितेव श्रियेस्तु वः ।। ॥ ૐૐ હ્રીં શ્રી ચંદ્રપ્રભસ્વામી પારંગતાય નમઃ ૫
←
उमनिंद्रम
Page #411
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ
જેવી રીતે શશિરણથી, ચંદ્રકાન્તો દ્વવે છે, તેવી રીતે કઠિણ હયે, હર્ષનો ધોધ વહે છે; દેખી મૂર્તિ અમૃત ઝરતી, મુક્તિદાતા તમારી, પ્રીતે ચંદ્ર-પ્રભ જિત મને, આપજો સેવ સારી. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
થોય સેવે સર વંદા, જાસ ચરણારવિંદા, અઠ્ઠમજિતે ચંદા, ચંદવર્ષે સોહદા;
મહસેની તૃપ લiદી, કાપતા દુખ દહી, લંછતા મિષ ચંદા, પાય માનું સેવિંદો. આ ટૂકેથી શ્રી ચંદ્રપ્રભસ્વામી ૧000 મુનિવરો સાથે માસક્ષમણે, કાઉસગ્નમાં, શ્રાવણ વદ સાતમે બપોર પહેલાં મોક્ષે સિધાવ્યા. અહીંથી કુલ ૮૪ અબજ, ૭૨ ક્રોડ, ૮૦ લાખ, ૪ હજાર, ૫૫૫ મુનિવરો સિદ્ધગતિને પામ્યા છે. અહીંનું યાત્રાફળ ૧૬ લાખ પૌષધોપવાસ છે.
હજારો દુર્લભ વનસ્પતિઓની ભરાવદાર ઘટા સાથે ગગનપટમાં મહાલતી અને શિખરજીનાં ઉચ્ચતમ શિખરોમાં બીજા ક્રમે આવતી આ ટૂકમાં ત્રણે દિશામાં ખુલ્લી બારીઓ છે; જેમાં જમણી બાજુથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની નિર્વાણ દેરી, પાછળની બારીમાંથી મધુવન તળેટી અને દેરાસરો તથા ડાબી બાજુથી સૃષ્ટિનું સતત નીતરતું સૌંદર્ય માણી શકાય છે. જલમંદિરથી બે માઈલ દૂર આવેલી આ ટૂક ધ્યાનસાધના
માટેનું ઉત્તમ એકાંત સ્થાન છે. આ તીર્થનો ઉદ્ધાર કરનાર લલિતદત્ત રાજા હતા. પુંડરીકનગરીના આ રાજા ચતુર્વિધ સંઘ લઈને
આ મહાતીર્થની યાત્રાર્થે આવેલા ત્યારે આ ટૂકનો સાતમો જીર્ણોદ્ધાર પરિપૂર્ણ થયો. જ્યારે શિખરજીની જાત્રા કરો અને આ સૌથી કઠિન ચઢાણવાળી ટૂકે દર્શન ન કરો તો
‘યાત્રા” અધૂરી લાગે.
'બોલો શ્રી ચંદ્રપ્રભસ્વામીની જય. ન્ય બોલો થી લીલી ચંદ્રપ્રભાજી, ઈંદ્રપુરીજી કલ્યાણકથા સમેતશિખાજીમાં શૌક્ષા તિવારી, સ્થળોલોmળોલોથદ્વાજી
છે ૪૦૭
Jai Education International
Page #412
--------------------------------------------------------------------------
________________
(શ્રી ચંદ્રપ્રભસ્વામીતી
४०८
ટૂંક
પરથી દેખાતું દૃશ્ય)
Page #413
--------------------------------------------------------------------------
________________
સમેતશિખરજી શત્રુંજય તોલે, એહ વચન શ્રી સીમાર બોલે.
સમેતશિખર રાસ-જયવિજયજી (સ. ૧૬૬૪)
"
;
૪૯
Page #414
--------------------------------------------------------------------------
________________
૪૧૦
(૧૩) પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની દેરી
પિ ોધ ા સોજ
Page #415
--------------------------------------------------------------------------
________________
स्तुति : आदिमं पृथिवीनाथ, मादिमं निष्परिग्रहम् ।
आदिमं तीर्थनाथं च, ऋषभ-स्वामिनं स्तुमः ।।
સ્તુતિ (રાગઢ મંદાક્રાન્તા છંદ) જેણે કીધી સકલ જલતા, નીતિને જાણકારી, ત્યાગી રાજ્યાદિક વિભવને, જે થયા મૌનધારી; હે તો કીધો સુગમ સબળો, મોક્ષનો માર્ગ જેણે, વંદુ છું તે ઋષભજિાત, ધર્મ-ધોરી પ્રભુતે. '(ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
-
થથ | આદિ જિનવર રાયા, જાસ સોવત્ર કાયા, મરુદેવી માયા, ઘોરી લંછન પાયા; જગત સ્થિતિ લિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલ શ્રી રાયા, મોક્ષ તગરે સિધાયા. શ્રી આદિનાથજી ૧0,000 મુનિવરો સાથે, ૬ દિવસના અનશને, પોષ વદ તેરસે, દિવસના પૂર્વાર્ધકાળે, પર્યકાસને અષ્ટાપદગિરિ પરથી મોક્ષે ગયા હતા.
જોકે ભગવાન શ્રી આદીશ્વરજી સમેતશિખરજી ઉપર મોક્ષ પામ્યા નથી, પરંતુ આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજીના કથનાનુસાર ‘ઋષભદેવ પ્રભુ અને તેમના મુનિવરો સમેતશિખર’’ પધાર્યા જરૂર છે. વિ.સં. ૧૯૨૫થી ૧૯૩૭ દરમિયાન, ભાવુકોના દર્શનાર્થે આ ટૂંકનું અહીં નિર્માણ કરાયું છે. તેમની સ્મૃતિરૂપે વૃષભનાં વિશિષ્ટ મુખવાળાં પગલાં અહીં સ્થાપિત કરાયાં છે. 'બોલો શ્રી આદિનાથ પ્રભુની જય.
જય બોલો જય બોલો જય આદિનાથ, અયોધ્યાજીમાં કલ્યાણક ત્રણ,
પરિમલાલજીમાં કેવળજ્ઞાન કલ્યાણક, જય બોલો જય બોલો જય આદિનાથ. ૪૧૧
Page #416
--------------------------------------------------------------------------
________________
કીધા અણસણ જિહાં રહી ઉભ, તિહાં દેવે થાણા સહ શુભ, માંહિ માંડવા જિતવર પાય, મોટા મુગતિનો પાય.
સમેતશિખર તીર્થમાલા = સહજસાગરજી (સ. ૧૬૬૧)
શ્રી સુવિધિનાથજીની ટૂક
૪િ૧ ૨)
Page #417
--------------------------------------------------------------------------
________________
શ્રી અનંતતાથજીની ટૂક
-
શ્રી શીતલનાથજીની ટ્રક
૪૧ ૩
Page #418
--------------------------------------------------------------------------
________________
(૧૪) ચૌદમા તીર્થકર શ્રી જાતનાથ ભગવાનની
નિર્વાણભૂમિ શ્રી સ્વયંભૂગિરિ ટૂંક 10 8 હી શ્રી ચાલવાથી પારંગતાય તમસ
स्तुति : स्वयंभू-रमण-स्पर्द्धि, करुणा-रस-वारिणा।
अनन्त-जिद-नन्तां वः, प्रयच्छतु सुख-श्रियम् ॥
dી
'
LLC
D
संवत् १८१५ वर्षे माघ्र सुदिर गुन श्री अनवना पादुकाकोपिलानी
૪િ૧૪
Page #419
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ (છંદ મંદાક્રાન્તા) જેઓ મુક્તિ વગર વસતા કાળ સાદિ અનંત, ભાવે ધ્યાવે અવિચલપણે જેહતે સાધુ સંતા; જેહની સેવા સુરમણિ પરે સૌખ્ય આપે અર્જાત, નિત્યે મારા હૃદયકમલે આવજો શ્રી અનંત
(ત્રણ ખમાસમણાં દઈ દૈત્યવંદન કરી થોય બોલીશું.)
થોય (રાગ આંખ મારી ઊઘડે) અનંત અતંત તાણી, જાસ મહિમા ગવાણી, સર Gર તિરિ પ્રાણી, સાંભળે જાસ વાણી;
એક વચન સમજાણી, જેહ ચાવાક જાણી, તર્યા તે ગુણ ખાણી, પામીઆ સિદ્ધિ રાણી. શ્રી અનંતનાથ પ્રભુ ૭000 મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્નમાં, ચૈત્ર સુદ પાંચમે, મધરાત પહેલાં નિર્વાણ પામ્યા. આ ટૂકનું યાત્રાફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે. આ ટ્રેક ઉપરથી ૯૬ ક્રોડાકોડ, ૧૭ ક્રોડ, ૧૭ લાખ, ૧૭ હજાર, ૭00 મુનિવરો સિદ્ધિપદ પામ્યા છે. અહીંથી ડાબી બાજુ નજર કરતાં શ્રી અરનાથ પ્રભુની શ્રી નાટકગિરિ ટૂક, નીચે શ્રી મલ્લિનાથજીની શ્રી સબલગિરિ ટૂક અને જમણી બાજુ
શ્રી ચંદ્રપ્રભજીની શ્રી લલિતઘટણૂક દેશ્યમાન થાય છે.
આ ટૂકનો બારમો ઉદ્ધાર રાજા બાલસેને કરાવેલો હતો. તેઓ કૌશાંબીના રાજા હતા. પરંતુ રાજા હોવા છતાં સંપત્તિની ઘણી ખામી હતી. એક મુનિને
પૂછતાં જિનભક્તિ તરફ વિશેષ લક્ષ્ય કેળવવા પ્રેરણા કરી. આથી રાજા જિનભક્તિમાં તલ્લીન રહેવા લાગ્યો. - આખા એક વખત ગગનવિહારી કોઈ મુનિરાજ
- આકાશમાંથી ઊતરી આવ્યા. રાજાએ
- ૬ ૪. ભાવથી વંદનાદિ કર્યા. રાજાના મનોભાવ જાણી મુનિએ તેના ઉપાય તરીકે જણાવ્યું કે લાલ કપડાં, લાલ આસન, લાલ માળાથી ભગવાન શ્રી અનંતનાથસ્વામીની આરાધના કરો. રાજાએ તે મુજબ આરાધના શરૂ કરી ત્યારે અનંતનાથ પ્રભુના યક્ષ પાતાલદેવ અને યક્ષિણી અંકુશીદેવી પ્રગટ થયાં. તેમણે રાજાના હાથમાં ચિંતાહર નામનો હાર આપ્યો અને કહ્યું કે, “આ હારથી તમો જે ઇચ્છા કરશો તે મુજબ મળશે, પરંતુ સર્વપ્રથમ કલ્યાણકભૂમિ સમેતશિખર તીર્થની યાત્રા તે કરવા જજો.' રાજા આ રીતની પ્રેરણા સાંભળી હારના પ્રભાવે સમેતશિખરજી પહોંચ્યા. ઠાઠ-માઠથી પરમાત્માની ભક્તિ કરી અને અનંતનાથ પ્રભુ જે ટૂંક ઉપર નિર્વાણ પામ્યા છે તેવી સ્વયંભૂગિરિ પર ભવ્ય જિનાલય બંધાવી જીર્ણોદ્ધાર કરાવ્યો જે આજે પણ શાસ્ત્રોના પાને પ્રશંસાનાં પુષ્પોવેરી રહ્યાં છે.
બોલો અનંતનાથ પ્રભુની જય.
જયલીલીજયલીલી શીહનાથ અયીવ્યાજીમાં કલ્યાણકાર
રીતશિરીરજીetીક્ષરિવારીક જંથલીલીજથીલીશteam (શ્રી અનંતનાથ પ્રભુની ટૂકેથી થોડા નીચે ઊતરીએ એટલે શ્રી શીતલનાથ પ્રભુની ટ્રકનાં દર્શન થાય છે.)
www.jainelibral૪૧૫
Page #420
--------------------------------------------------------------------------
________________
(૧૫) દસમા તીર્થંકર શ્રી શીતલનાથ પ્રભુની
નિર્વાણભૂમિ શ્રી વિધુતગિરિ ટ્રક ૐ હ્રીં શ્રી શીતલનાથ પારંગતાય નમઃ |
स्तुति : सत्त्वानां परमानन्द, कन्दोद्-भेदन-वाम्बुदः ।
स्याद्वादा-मृत-निस्यन्दी, शीतलः पातु वो जिनः ॥
12 विद्युत्वर तीन नामप्रभुगियक
Xuscation International
- For Private & Personal
Only
Page #421
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ)
આધિ વ્યાધિ પ્રમુખ બહુયે, તાપથી તપ્ત પ્રાણી, શીળી છાયા શીતલજિતતી, જાણીને હર્ષ આણી; તિત્યે સેવે મત વચત તે, કાયથી પૂર્ણ ભાવે, કાપી ખતે દુરિત ગણ તે, પૂર્ણ આનંદ પાવે.
(ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) થોય (રાગ : આંખ મારી ઊઘડે)
શીતલ જિત સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, સવિ શિવસુખ કામી, પ્રણમીએ શીશ તામી.
શ્રી શીતલનાથ પ્રભુજી પંદરમી ટૂકેથી ૧૦૦૦ મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્ગમાં, ચૈત્ર વદ બીજે બપોર પહેલાં મોક્ષે ગયા હતા. આ ટૂકની યાત્રાનું ફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે. આ ટૂક ઉપરથી કુલ ૧૮ ક્રોડાક્રોડ, ૪ ક્રોડ, ૩૨ લાખ, ૪૨ હજા૨, ૯૭૫ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકનું ચઢાણ અઘરું છે. માલદેશના ભક્તિપુરના રાજા મેઘરથ મુનિની દેશના સાંભળી ચતુર્વિધ સેના સાથે શ્રી સમેતશિખરજી આવ્યા. પ્રભુભક્તિમાં સંપત્તિ ન્યોછાવર કરી વિદ્યુતિંગિર નામની આ ટૂંકનો નવમો જીર્ણોદ્ધાર કરાવી શ્રી શીતલનાથ ભગવાનનું ચૌમુખી દેરાસર કરાવ્યું અને ત્યાં સુધી સમેતશિખરજી તીર્થમાં જ રહ્યા. પછી આનંદમાં સ્વસ્થાને આવી ભવ્ય ઉજમણું કરાવ્યું. બોલો શ્રી શીતલનાથ પ્રભુની જય.
જય બોલો જય બોલો જય શીતલનાથ, ભભદ્દલપુરજીમાં કલ્યાણક ચાર, સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો જય શીતલનાથ.
૪૧૭
Page #422
--------------------------------------------------------------------------
________________
(૧૬) ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ પ્રભુની
- નિર્વાણભૂમિ શ્રી દત્તધવલ ટૂક સ્તુતિ : વિશ્વ-ભવ્ય-નારામ, વકુન્ય-તુન્યા-નયત્તિ તા: |
રેશન-સમયે વાવ:, શ્રી-સંપર્વ-નાત્પત્ત: /
છે
.
वीरसं.२२ किम-२०५-माध
I૪૧૮
Page #423
--------------------------------------------------------------------------
________________
| ડંૐ હ્રીં શ્રી સંભવનાથ પારંગતાય નમઃ
- સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ) જે શાન્તિનાં સુખ-સદતમાં મુક્તિમાં નિત્ય રાજે, જેની વાણી ભવિતતા ચિત્તમાં નિત્ય ગાજે; દેવેન્દ્રોની પ્રણયભરની ભક્તિ જેતે જ છાજે, વંદું તે સંભવજિત તણા પાદપક્યો આજે.
(ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
થોય (રાગ : આંખ મારી ઊઘડે) સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, ષટુ જીવતા ત્રાતા, આપતા સુખશાતા;
માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુ:ખ દોહગ વાતા, જાસ નામે પલાતા. શ્રી સંભવનાથ પ્રભુજી ૧૦૦ મુનિવરો સહિત, માસક્ષમણે, કાઉસગ્નમાં, ચૈત્ર સુદ પાંચમે બપોર પછી મોક્ષે ગયા હતા. આ ટૂકની યાત્રા કરવાથી ૪૨ લાખપૌષધોપવાસનું ફળ મળે છે. અહીંથી કુલ૯ ક્રોડાકોડ, ૭૨ લાખ, ૪૨ હજાર, ૫00મુનિવરો મોક્ષ પદ પામ્યા છે.
આ ટૂકના જીર્ણોદ્ધારનું વર્ણન ધર્મની મહત્તા અને સામર્થ્યદર્શાવનારું છે.” કથા છે કે બંગદેશમાં હેમનગર નામે નગરમાં હેમદત્ત રાજા રાજ્ય કરતા હતા. રાજાનું અંતઃપુર અનેક રાજરમણીઓથી રમણીય હતું. રાજાના હૃદયમાં વેદનાની તીણી ચીસ સતત શૂલની જેમ ચૂભતી રહેતી હતી, કેમ કે રાજાને એકપણ સંતાનની પ્રાપ્તિ નહતી. સંતાનની પ્રાપ્તિજ વેદના દૂર કરી શકે તેમ હતી.
એક દિવસ સંભવનાથ પ્રભુના ચારુક નામના ગણધર આ નગરમાં પધાર્યા. રાજા ચતુરંગીસેના અને પરિવાર સાથે વંદન કરવા ગયા. અંતે પોતાની વેદના પણ વ્યક્ત કરી અને ઉપાયની પ્રાર્થના પણ કરી. ગણધર ભગવંતે ઉપાય તરીકે ધર્મારાધના બતાવી એમાં પણ તીર્થયાત્રાનું મહત્ત્વ ગાયું અને એમાં પણ સમેતશિખરજી તીર્થનું સવિશેષ મહત્ત્વદર્શાવ્યું કે આ મહાતીર્થની યાત્રા તમારી તમામ કામના પૂર્ણ કરશે. સાંભળીને રાજા પ્રસન્ન થયા અને યથાશીધ્ર શ્રી સમેતશિખરજીની યાત્રા કરવા રવાના થયા. ભાવથી શિખરજીને ભેટ્યા અને પૂર્ણ શ્રદ્ધા સાથે પાછા વળ્યા. તીર્થયાત્રાના પ્રભાવે સુંદર પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આમ તીર્થ પ્રત્યે અધિક ભાવ જાગ્યો એટલે પોતે છ'રી પાળતો વિશાળ સંઘ કાઢ્યો. ચારુક ગણધર સંભવનાથ પ્રભુના શિષ્ય હતા. આથી સંભવનાથ પ્રભુનું અતિ સુંદર ચૌમુખી જિનાલય બનાવ્યું અને આ રીતે ટૂકનો બીજો જીર્ણોદ્ધાર કરી જીવનશ્રેયપ્રાપ્ત કર્યું. બોલો, શ્રી સંભવનાથ પ્રભુની જય.
જય બોલો જય બોલો જય સંભવનાથ, શ્રાવસ્તીજીમાં કલ્યાણ કે ચાર, સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો જય સંભવનાથ.
૪૧૯
osnivan & Personal Use Oply
Page #424
--------------------------------------------------------------------------
________________
સમેતશિખર સુખકારા, મુજ લાગત હે અતિ પ્યારા...
| (શ્રી અભિનંદતસ્વામીની ટૂક પર દયમાત સૂર્યોદ્ય) '
૪૨
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૨ ૧
Page #426
--------------------------------------------------------------------------
________________
- ૪ (૧૭) બારમા શ્રી વાસુપૂજ્યસ્વામીતી દેરી
स्तुति 8 विश्वीपकार कीभूत, तीर्थकुत्कर्म-निर्मितिः ।
सुरासुर-नौठ पूज्यो, वासुपूज्य पुनातुवः ॥
वासपज्य गान की टोंक
15
૪૨ ૨)
www.jamelibrary.org
Page #427
--------------------------------------------------------------------------
________________
| સ્તુતિ (88 8 શાર્દૂલવિક્રીડિત). જૈ શ્રી હી સ્થિી લોકાસિથી, કે ઈદ્ધતી Tદથી,
થી શa હૈ જિલપd, છાશ છે જાપથી9 ૐ શાબ્લિો લાશ ચંદળી થકી લો શાબ્લિશાપો હતા
લિશ હું Iણયથી, નિત્યે લ આપતી. - (ત્રણ ખમાસમણ દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
ન થય (રાગ 8 આંખ મારી ઊઘડે) વિશૈલી ઉપકારી, થતી આદિકારી, શારી, કારકીદિ શરીફ
GI GRવારી 98ા ઘીથી હારી વાણDા લિહારી, જાઉં હું વારી - શ્રી વાસુપૂજ્યસ્વામીનાં પાંચ કલ્યાણક ચંપાપુરી તીર્થમાં થયેલ તેની સ્મૃતિરૂપે અહીં ‘પંચપગલી’ નિર્માણ કરાઈ છે. પ્રભુ અષાઢ સુદ ચૌદસે, ૬૦૦ મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્નમાં, ચંપાપુરીના પ્રદેશોમાંથી મોક્ષગામી થયા હતા. બોલો શ્રી વાસુપૂજ્યસ્વામીની જય.
જા જોલી " લીલી વાણીની, ચંપારીજીમી લ્યાણક શાસ્ત્ર સમૈતશિખજી શીલા નિવાસ, જસ્થ બોલી જ્ય લીલી વાયુપીનાથ,
| - wી_ भूमि की विशेषता कामाउसमेडकमे बाले पै सेलमातील इसी प्रकार मनुष्य
दनिकलते है उनसेलो
૪િ૨૩
Page #428
--------------------------------------------------------------------------
________________
४२४
마다
Jain Educ
और
16. आनन्द कूट
(१८) थोथा श्री अलिननंहनस्वामीनी નિર્વાણભૂમિ श्री आनंहगिरि ६
स्तुति : अनेकान्त-मताम्भोधि, समुल्ला-सन-चन्द्रमाः । दद्याद-मन्द-मानन्दं, भगवान- भिनन्दनः ॥
Lorg
Page #429
--------------------------------------------------------------------------
________________
।। ૐ હ્રીં શ્રી અભિનંદતસ્વામી પારંગતાય નમઃ ।।
સ્મૃતિ (શયા 8 મા
ચોથા આરારૂપ તભ વિષે, દીપતા સૂર્ય જેવા, ઘાતી કર્મોરૂપ મૃગ વિષે, કેસરી સિંહ જેવા; સાથે ભાવે ભવિકજનતે, આપતા મોક્ષ મેવા, ચોથા સ્વામી ચરણયુગલે, હું ચહું તિત્ય રહેવા. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
થોળ થયા 8 અખા ભાવી દી
સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાયો, થયો હીરો જાયો, મોહતે દેઈ તમાચો; પ્રભુ ગુણગણ માયો, એહતા ધ્યાને રાયો, જિતપદ સુખ સાચો, ભવ્ય પ્રાણી તિકાયો.
શ્રી અભિનંદનસ્વામી વૈશાખ સુદ આઠમે ૧૦૦૦ મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્ગમાં દિવસના પૂર્વ ભાગમાં નિર્વાણ પામ્યા હતા. અહીંથી કુલ ૭૩ ક્રોડાક્રોડ, ૭૦ ક્રોડ, ૧૭ લાખ, ૪૨ હજાર, ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકની યાત્રા કરવાથી ૧ લાખ પૌષધોપવાસનું ફળ મળે છે.
ઘાતકીખંડના એક વિભાગના ઋદ્ધિમાન રાજા રત્નશેખરે સમેતશિખરજી મહાતીર્થનો મહિમા સાંભળ્યો અને આકર્ષાયા. પોતાની શક્તિ અને લબ્ધિથી બે લાખ યોજનના લવણસમુદ્રને ઓળંગીને જંબુદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રના છેડે આવેલા છેક સમેતશિખર મહાતીર્થની યાત્રા કરવા પહોંચી ગયા એટલું જ નહિ, શિખરજીનાં સર્વે જિનાલયોનો ત્રીજો ઉદ્ધાર કરાવ્યો અને શ્રી અભિનંદન પ્રભુનું ચૌમુખી જિનાલય બંધાવીને જ સંતુષ્ટ થયા! બોલો, શ્રી અભિનંદન પ્રભુનીજય.
જ્ય બીલો ય બોલો અભિનંદનજી, અ થામાં કલ્યાણક થાક સમ્મેતશિખરજીમાં ભૌક્ષ નિવાસ, જ્યુબીલીયાબીલીઅભિનીતજી.
૪૨૫
Page #430
--------------------------------------------------------------------------
________________
બીચમેં સ્યામલા પાર્થ બિરાજે, ગિરિ મુગટ મનોહારા, દેખત હી આનંદ હવો તુજ, માનત હું ભવપારા રે.
- હંસવિજયજી
૪િ૨૬
Page #431
--------------------------------------------------------------------------
________________
Page #432
--------------------------------------------------------------------------
________________
'(૧૯) પાર્શ્વપ્રભુના પ્રથમ ગણધર
આઈ શ્રી શુભસ્વામીજીની દેરી
भी शुभ मानी भरटेक
EESLIMITI
सात चरणमूत
MORNIRONMEOवाया
卐श्रीश्व-सुशील द्वारमा प्रेरक रपयाचादवामद विजय जिनोतम सरीश्वरजी माया निर्माता - रटीशा
LORD
Kriph
[૪૨૮
For Private
Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
દિiા 8 ફાઈનાદિાગિજાનને નાશeIક્યા
नैवमुन्मीलीत येन तस्मै श्रीगुरवे नमः ॥
BUIER URN-Ne-ul, QC - RICER, શાળાશિM9 09 28 લીલી, વાણું થઈ શ્રીનંતીવાર
2
hો આ દેરીનો જીર્ણોદ્ધાર સંવત ૨૦૧૭માં પૂ. સાધ્વીશ્રી રંજનશ્રીજીની પ્રેરણાથી થયો છે. શ્રી શુભસ્વામી ગણધરનાં ચરણોમાં તથા અહીંથી નિર્વાણ પામેલા સર્વ સિદ્ધ ભગવંતોનાં ચરણોમાં કોટિ કોટિ વંદન. બોલો, શ્રી શુભસ્વામી ગણધરની જય.
૪િ૨૯
For Private & Personal use only
Page #434
--------------------------------------------------------------------------
________________
ભૌશિખરતી ઘારી&,
પાર્થ ઊંચા શિક્ષણાઢિoooo
જલમંદિર જીણલારપૂર્વ
આ છે ત્રણ દિશાથી ઉપર ચઢતાં પહાડોની અધવચ્ચે શ્વેત કમળની જેમ દેખાઈ રહ્યું છે તે - શ્રી શામળિયા પાર્શ્વનાથનું જલમંદિર.
૪૩O|
Jain Edueation International The Fe
Page #435
--------------------------------------------------------------------------
________________
(૨) જલમંદિર
મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ જિનાલય
જલમંદિર જીર્ણોદ્ધારાશે
|
|
| | | | | |૪૩૧ )
terwijanellorary.org
an Education in
or Private & Personal use POINT
Page #436
--------------------------------------------------------------------------
________________
જિનાલયની સ્થાપત્યરચના
સહેગ્નફણા
આદિ
પાર્શ્વનાથ |
પાર્શ્વનાથ
સંભવનાથ
શામળિયા પાર્શ્વનાથ મૂળનાયક
અભિનંદન
પાર્શ્વનાથ
પદ્મ
નાથ
પાર્થ
પ્રભ
નાથ
ગભારો
શ્રેયાંસનાથ ઉપર | નીચે | અજિતનાથ | વાસુપૂજ્ય
| વિમલનાથ નીચે | ઉપર મહાવીર | નેમિનાથ
શીતલનાથ સુવિધિનાથ
ચંદ્રપ્રભ સુપાર્શ્વનાથ 'પરપ્રલ
અનંતનાથ ધમનાથ શાંતિનાથ કુંથુનાથ .
રંગમંડપ
સારનાથે
કાર
B સુમતિનાથ
અભિનંદન સંધ્યત્વનાથ અજિતનાથ | - પ્રવેશદ્વાર
મલ્લિનાથ મુનિસુવ્રત નમિનાથ પાર્શ્વનાથ
પાશ્વેયક્ષ.
પ્રવેશદ્વાર
પદ્માવતી || પ્રવેશદ્વાર |
શ્રી માણિભદ્રજી
કેસર ઘર
ડેરી
| સંવત ૧૮૨૫માં મહા સુદ પાંચમે તપાગચ્છના આચાર્ય ભટ્ટારક વિજયધર્મસૂરિજીના વરદ્ હસ્તે એકવીસમો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. જગતશેઠ ખુશાલચંદના હસ્તે આ ‘ઘુમ્મટનું મંદિર પ્રતિષ્ઠિત થયું; જે આજે ઓગણીસમી સિદ્ધવર ટ્રક અથવા ઘુમ્મટનું મંદિરના નામે પ્રસિદ્ધ છે. જલમંદિરમાં ચોવીસ ૪િ૩૨)
Page #437
--------------------------------------------------------------------------
________________
श्री संभवनाथ प्रभु
सं
ARGROTOAL
मुलनायक श्री सम्मेत शिखर साप्रार्थना भगवान
શ્રી શામળિયા પાર્શ્વતાથજી
શ્રી અભિનંદતજી
શ્રી સંભવતાથજી તીર્થંકરની પ્રતિમા બિરાજમાન છે. મંદિર પાસે બે કુંડ છે, જેમાંથી ગમે તેટલું પાણી ઉપયોગમાં લેવા છતાં તે ખૂટતું નથી ! આ જિનાલયમાં મૂળનાયક ૯૦ સે.મી. પદ્માસનસ્થિત શ્યામવર્ણા શ્રી શામળિયા પાર્શ્વનાથજી બિરાજે છે. તેમની ડાબી બાજુ શ્રી સંભવનાથજી તથા જમણી બાજુ શ્રી અભિનંદનજીની પ્રતિમાનાં દર્શન થાય છે. અહીંબિરાજિત સર્વજિનબિંબોને. તમો જિણાણું.
Jain Education Inten
श्री अभिनंदन प्रभु
माधर्मपत्नी क
જિનાલયમાં પ્રવેશતાં જ ડાબી બાજુથી શ્રી અજિતનાથજી, શ્રી સંભવનાથજી, શ્રી અભિનંદનજી, શ્રી સુમતિનાથજી, (દ્વાર પછી) શ્રી પદ્મપ્રભજી, શ્રી સુપાર્શ્વનાથજી, શ્રી ચંદ્રપ્રભજી, શ્રી સુવિધિનાથજી, શ્રી શીતલનાથજી પ્રભુની મૂર્તિનાં દર્શન થાય છે... તમો જિણાણું.
ગભારાની બહાર નીકળતાં ડાબી બાજુથી શ્રી અનંતનાથજી, શ્રી ધર્મનાથજી, શ્રી શાંતિનાથજી, શ્રી કુંથુનાથજી, (દ્વાર પછી) શ્રી મુનિસુવ્રતજી, શ્રી નેમિનાથજી, શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિનાં દર્શન થાય છે. તમો જિણાણ.
Private & Personal Use Only?
www
|૪૩૩]
Page #438
--------------------------------------------------------------------------
________________
श्रीपार्श्वनाथन
श्रीसहस्त्र फणापाश्वनाथप्रम्
श्रीपार्श्वनाथप्रभु
શ્રીuતાથજી શ્રીહરિકૃષ્ણપર્યતાથજી ફીશર્ટનાથજી
-(ળતાથી બદી દા) છે
| શ્રીજિતનાથજી
શ્રી શ્રેયાંસનાથજી
શ્રીવાસુપૂજ્યજી
૪િ૩૪)
થલારામામૂળતાથ તીવીલથી
wa
s
illero
Page #439
--------------------------------------------------------------------------
________________
ત્રીજJIT
श्रीपार्श्वनाथाभ निवासी शेठमोरनलाल मगनीदिवासी છે શ્રીપાર્થતાથજી
| શ્રીગ્રાદ્રિના? 5 -
ની ટીદાર- -
તે શ્રીuપ્રજી (જૂળતાથકતી )
શીલાદિતાથજી !
શ્રીવૈમિનાથજી
શ્રી વિમલનાથજી
શ્રી મહાવીર સ્વામી
પાણીથીવાલીપ્રતિષ્ઠિાદિકાળિી
૪૩૫
library.org
Page #440
--------------------------------------------------------------------------
________________
૧0
૧૧
૧૨
(૪૩૬ Jain Education Interati
રંગમંડપમાં પ્રતિષ્ઠિતચોવીસ તીર્થકરોની પ્રતિમાજ
For Private & Pel
se Only
ww.jainelibrary.org
Page #441
--------------------------------------------------------------------------
________________
૧૩
૧૪
૧૫
૧૬
૧૭ -
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
નમો જિણાણ
૪૩૭ કે
eeeeeeee
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
Hain Education Inter
PHP Se on
Page #442
--------------------------------------------------------------------------
________________
શ્રી પાવતી માતા
જિનાલયની બહાર નીકળતાં મુખ્ય દ્વારની ડાબી બાજુ શ્રીymતીમા,જમણીબાજુશ્રીપાર્શ્વયક્ષરંગમંડપમાંસ્થિત છે.ocપ્રણામ હમણાં જ સુંદર રંગોથી વિવિધ પ્રકારનું ચિત્રલેખન ઝરિયાના ધર્મનિષ્ઠ શેઠ કાલિદાસ જશરાજ તરફથી આ મંદિરમાં કરાવેલ છે. મંદિરના મુખ્ય દ્વારની બહારનીકળતાજમણીબાજુશ્રીભાણિભદ્રયક્ષરાજનીસુંદર નૂતનભૂર્તિદર્શનીય છે.ocપ્રણામ. મંદિરની પાછળઇષ્ટદેવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
આ જિનાલયમાં નવકારશી, વિશ્રામ માટે ધર્મશાળા, સેવાપૂજા માટે કપડાં તથા ગરમ પાણીની પણ વ્યવસ્થા છે.મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથની પૂજા કરતાં કરતાં, યાત્રા કરતાં લાગેલીથાકપળભરમાં ઊતરી જાય છે. ચાલો, હવે દેવવંદનની વિધિ અને પ્રભુપૂજા કરવાની છે. એક ખમાસમણ દઈ, ઇરિયાવહિ, તસ્મઉત્તરી, અનન્જ બોલી, એક લોગસ્સનો કાઉસગ્ગ કહી ૨૦ દુહા બોલવા, જોડે ખમાસમણીઆપવા અનેપછી૨૦લોગસ્સનો કાઉસગ્ગકરી દેવવંદનકરવું, જેમાં સ્તુતિ, સ્તવન, થીયભાવથી બોલવાં.
વીસ દુહી. અજિતનાથમાસક્ષમણ કરી, સહમુનિએકહજાર સમેતશિખરે મોક્ષે ગયા, પ્રણમું અનંતીવાર 1000 હહીથ્રીસમેતશિખરતીથથનમકબધામાં બોલવું,
ઇચ્છામિ... ખમાસમણ દેવું. સંભવનાથમાસક્ષમણ કરી, સહમુનિએક હજાર, સમેતશિખરમીક્ષગયા, પ્રણમું અનંતીવાર ઘરી
અભિનંદનમાસક્ષમણ કરી, સહમુનિએકહજાર, સમેતશિખર મોક્ષે ગયા, પ્રણમું અનંતીવાર સુમતિનાથભાસક્ષમણ કરી, સહમુનિ ઐકહજાર, સમેતશિખર મોક્ષે ગયા, પ્રણમું અનંતીવાર 118ા
પ્રભાસક્ષમણ કરી, સહમુનિરાણસો આઠ, સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર પિડી સુપાર્શ્વનાથમાસક્ષમણ કરી, સહમુનિપાંચસો સાર, સમેતશિખરશીક્ષણયા, નમું અનંતીવાર કી
ચંદ્રપ્રભાસક્ષમણ કરી, સહમુનિએકહજાર). સમેતશિખર મીક્ષળયા, નનંતીવાર
मस.२.४० व काल्गुन मुकुनीमाया तिवाक्षर श्री सम्मेत पानाथस्य जिपिरस्मीयायालयावावागिरमा तधना
શ્રી પાર્શ્વયક્ષ
Jai 30
DE Private
song
Page #443
--------------------------------------------------------------------------
________________
સુવિધિનાથમાસક્ષમણ કરી, સહમુનિએકહજાર, સમેતશિખરમીલેગયા, નમું અનંતીવાર TI શીતલનાથભાસક્ષમણ કરી, સહમુનિએકહજાર, સિમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર Tલી શ્રેયાંસનાથ માસક્ષમણ કરી, સહમુનિ એકહજાર, સમેતશિખર મોક્ષે ગયા, નમુંઅનંતીવાર T૧ળી વિમલનાથમાસક્ષમણ કરી, સહમુનિ છ હજાર, સમેતશિખર ભોક્ષે ગયા, નમું અનંતીવાર ll૧૧ અનંતનાથમાસક્ષમણ કરી, સહમુનિ સાત હજાર, સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર ૧રી (ધર્મનાથમાસક્ષમણ કરી, સહમુનિએકસો આઠ, સમેતશિખરમોક્ષે ગયા, નમું અનંતીવાર [૧૩ શાંતિનાથમાસક્ષમણ કરી, સહમુનિનવસો સાર, સિમેતશિખરમોક્ષે ગયા, નમું અનંતીવાર T૧૪ll
કુંથુનાથમાસક્ષમણ કરી, સહમુનિએકહજાર, સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર 100પી અિરજિનેન્દ્રભાસક્ષમણ કરી, સહમુનિએકહજાર સિમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર ll૧ી મલ્લિનાથ માસક્ષમણ કરી, મુનિશ્રમણી સહ હજાર, સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર ll૧૭થી મુનિસુવ્રત માસક્ષમણ કરી, સહમુનિ એક હજાર) સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતી વાર TINA
નમિનાથ માસક્ષમણ કરી, સહમુનિ એકહજાર સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતીવાર ઘ૧લી પાર્શ્વનાથ માસક્ષમણ કરી, સહમુનિ તેત્રીશ સાર) સમેતશિખર મોક્ષે ગયા, નમું અનંતી વાર T2oll
જલમંદિર પાર્શ્વનાથાદિ, બત્રીસ પ્રતિમા સાર, ગૌતમનીતિ ગુણ કહે, નમું અનંતી વાર... ll૨૧il
શ્રી માણિભદ્રજી
ત્યાર પછી ઊભા થઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવસમેતશિખરજી તીર્થ આરાધનાનિમિત્તે કરેમિ કાઉસ્સગ્ગઅન્નત્થઉસસિએણે કહીનેવીસલોગસ્સનો કાઉસગ્ગકરવો.
શ્રી અધિષ્ઠાયક દેવ (જલમંદિરની બહાર પશ્ચિમ બાજ)
૪૩૯)
Page #444
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ (રાગ 8 મંદિર છો મુક્તિતા)
ઉપસર્ગી ધરતી દમઠ ને ધરણેન્દ્ર નિત પૂજા કરી નહીંકોઈનાપરાગીનહીંરીષજિદિલમાંથી8 એવા અનુપમ ભાવ ધારી કેટલી મહિમા હી ૰ પ્રભુપાર્શ્વ જિનવરપરમતારકચરણમાંવસ્તક
४४०
ॐ श्री पार्थसुशील
Page #445
--------------------------------------------------------------------------
________________
TAM
PAN
ચૈત્યવત
આશ પૂરે પ્રભુ પાસજી, ત્રોડે ભવ પાસ; વામા માતા જનમિયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરુ, નવ હાથની કાયા; કાશી દેશ વારાણસી, પુણ્યે પ્રભુ આયા. ૨ એકસો વરસનું આયખું એ, પાળી પાર્શ્વકુમાર; પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. ૩
- 2
હાળતી (રાણા ઇ સાગ, રાજસ્થાની લોકરળ) કોયલ ટહુકી રહી મધુબનમેં, પાઈ શામળિયા બસી મેરે મેં... 0 કાશી દેશ વારાણસી નગરી, જન્મ લિથી પ્રભુ ક્ષત્રિયકુલમ બાલપણામાંથ્રભુઅદ્ભુતાની મટકી નહર્યો એકપલમ∞ ૩ નાગ નિકાલા કાજી ચિરાકર, નાગી કિથી સુતિ થીક નિર્મજી સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમે ભીજ ગયી એક દીગમ! સમ્મેતશિખરપ્રભુ ભીક્ષે સિધાવ્યા,પાર્શ્વજી કોમહિમા તીનભુવનમેં... ઉદયરતનકી એહી અરજી હૈ, દિલ અટકો તોરા ચરણકમલમ-૭
થોય
શામળિયાપાર્શ્વ જુહારિયે, રિદ્ધિ દેખીને લોચનઠારીએ પૂજી પ્રણમીનેસેવા ઠારીએ, ભવસાગર પાર ઉતારીએ.
|૪૪૧|
Page #446
--------------------------------------------------------------------------
________________
/
/
|
Air
I AT HTd-સુરઇ હાર ના प्रेरक.पा.पू.आचार्य देव श्रीमद विजय जिनोत्तम सूरीश्वरजी म.सा. निर्माता श्री जन मरूधर संघरपंच हवली (कर्नाटक)
જલમંદિરે સેવા-પૂજા કરીને
શ્રી પાર્શ્વ-સુશીલ દ્વારમાંથી બહાર નીકળી ચઢવાનું શરૂ કરીએ. હવે શ્રી ગૌતમસ્વામીની દેરીની ડાબી બાજુએ આવેલી દરેક ટૂક અને દેરીનાં દર્શન કરવાનાં છે. ચઢાણ થોડું કપરું છે, પરંતુ યાત્રાનો ભાવ ઊંચો રાખવાનો છે.
૪િ૪૨
Page #447
--------------------------------------------------------------------------
________________
સમેતશિખર જિન દિયે, મોટું તીરથ એહ રે, પાર પમાડે ભવતણો, તીરથ કહીયે તેહ રે.
|૪૪૩
Page #448
--------------------------------------------------------------------------
________________
(૨૧) પંદરમા શ્રી ધર્મનાથ પ્રભુજીની નિર્વાણભૂમિ
શ્રી દત્તવરગિરિ ટ્રક | ll ઑૐ હ્રીં શ્રી ધર્મનાથ પારંગતાય નમઃ |
'સ્તુતિ : વેરાન્ય-ક્મ-સંયમન, મિષ્ટ-પ્રાણી શરીરિણાની
चतुर्धा-धर्मदेष्टारं, धर्मनाथ-मुपास्महे ॥
સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ) 'સંસારાંભોનિધિ જળ વિષે બૂડતો હું જિનેન્દ્ર, તારો સારો સુખકર ભલો, ધર્મ પામ્યો અનીદ્ર; લાખો યત્નો યદિ જન કરે તોય ના તેહ છોડું, 'નિત્યે ધર્મ પ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડું. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
श्रीधर्मनाथामकीटोमा
वियती मोटीम हलासन
४४४
Jain
Page #449
--------------------------------------------------------------------------
________________
થોય (રાગ : આખ મારી ઊઘડે) | ધરમ ધરમ ધોરી, કર્મના પાસ તોરી, કેવલ શ્રી જોરી, જેહ ચોરે ન ચોરી;
દર્શન મદ છોરી, જાય ભાગ્યા સટોરી, નમે સુરનર કોરી, તે વરે સિદ્ધિ ગોરી. ધર્મનાથ પ્રભુ જેઠ સુદ પાંચમે ૧૦૮ મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્નમાં, મધરાત પહેલાં મોક્ષ ગયા. અહીંથી પૂર્વે કુલ ૧૯ ક્રોડાકોડ, ૧૯ ક્રોડ, ૯ લાખ, ૯ હજાર, ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકની યાત્રાથી ૧ ક્રોડ પૌષધોપવાસનું ફળ મળે છે. [ આ ટૂકની કથા છે કે પંચાલ દેશના શ્રીપુરનગરના રાજા ભવદત્તને શૂળરોગ થયો. શ્રદ્ધાળુ હોવાથી શરૂમાં પ્રાથમિક ધર્મ આરાધ્યો, પણ એનાથી રોગ નાબૂદ ન થતાં અઠ્ઠમના પારણે અઠ્ઠમ એવા વીસ અક્રમ કર્યા. પારણાના દિવસે મુનિવરની પ્રતીક્ષા કરતાં મહિનાના ઉપવાસી શ્રી ધર્મઘોષમુનિ પારણા માટે ભિક્ષાર્થ કાજે પધાર્યા. રાજાને બેહદ ખુશી થઈ. ભાવથી ખીર વહોરાવી. બાદ પ્રસન્નતાપૂર્વક મુનિવરને વંદન કરવા ગયા. રોગ નિવારણાર્થે પૃચ્છા કરતાં મુનિવરે સુંદર ઉપાય દર્શાવ્યો. તેઓશ્રીએ ફરમાવ્યું કે, ‘રાજ! વીશ અઠ્ઠમ કર્યા છે તો વીસ તીર્થંકર પ્રભુની નિવાણભૂમિસ્વરૂપ સમેતશિખર તીર્થનો ભવ્ય મંડલ રચાવો. એમાં વીસ પરમાત્માની પ્રતિમા ભરાવો અને તેમાં કાળાં કપડાં પહેરીને વીસ સ્થાનક આરાધો.’ રાજાએ અક્ષરશઃ પ્રેરણાને ઝીલી લીધી અને જણાવ્યા મુજબ જ ઠાઠ-માઠથી આરાધના કરી. ત્યારે ધર્મનાથ પ્રભુના કિન્નરો યક્ષ અને પ્રજ્ઞપ્તિ દેવી પ્રગટ થયાં. રાજાને એક દૈવી ભેરી (નગારું) આપ્યું કે જેથી તેના અવાજ માત્ર સાંભળવાથી રોગ દૂર થાય ! અંતે તેનાથી રાજા સ્વસ્થ થયા.
શ્રી સમેતશિખર મહાતીર્થના પ્રભાવે સ્વસ્થતા મળી હોવાથી રાજા સમેતશિખરજી યાત્રા કરવા ગયા. ત્યાં ધર્મનાથ પ્રભુની ટુકને શોધતા હતા ત્યારે દત્તવરગિરિથી એક મુનિ પધાર્યા અને જણાવ્યું કે ધર્મનાથ પ્રભુની નિર્વાણભૂમિ અહીં છે. રાજાએ ત્યાંની યાત્રા કરી અને તે ટૂંક ઉપર ધર્મનાથ પ્રભુનો ભવ્યાતિભવ્ય ચૌમુખ જિનપ્રાસાદ કરાવી દત્તવર ટ્રકનો અને સર્વ જિનાલયોનો તેરમો જીણોદ્ધાર કરાવ્યો.
બોલો, શ્રી ધર્મનાથ પ્રભુની જય..
ા બૌલી જ્ય બૌલી જા ધર્મનાથ, પુરીજીમાં કલ્યાણક થી, સમૈતશિખ૨જીમાં ભીક્ષા નિવાસ, જ્યબોલી ક્યુબોલી જ્ય ધર્મનાથ,
(૪૪૫ nelibrary.org
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૪૬
For Private & Personal Use Ogly,
Page #451
--------------------------------------------------------------------------
________________
(શ્રી ધર્મનાથ પ્રભુની ટૂકથી આગળ વધતાં જમણી બાજુ નજર કરીએ તો શ્રી આદિનાથજી, શ્રી અનંતનાથજી તથા શ્રી શીતલનાથજી પ્રભુની ટૂંકોનાં દર્શન થાય છે. હવે આપણે ગૌતમસ્વામીની ટ્રકની ડાબી બાજુ આવેલી શાશ્વતાજિનની ટૂકે જવાનું છે. રસ્તામાં માત્ર ઓટલા ઉપર ખુલ્લાં શ્વેત વર્ણનાં અને શ્યામ વર્ણનાં પગલાં પ્રતિષ્ઠિત છે.)
Jain Education brational
|૪૪૭]
Page #452
--------------------------------------------------------------------------
________________
(૨૨) શાશ્વતાજિત શ્રી વારિષેણ જિતની દેરી
| ૐ હ્રીં શ્રી વારિષણસ્વામીને નમઃ |
- -
S S T tb - - -
F
E
13 978°
४४८ sal
e
For Private & Personal use only
G
e
e
Page #453
--------------------------------------------------------------------------
________________
* स्तुति व्यंतर ज्योतिषीमां वळी जेह, शाश्वतजिन वंदुं तेह । ऋषभ चंद्रानन वारिषेण, वर्धमान नामे गुणसेण ॥
સ્તુતિ વારિષણ નિ શાશ્વતા, સેવક ભીલ દાતાર, સમેતશિખર પર ટૂક તેસ, નમું પૂજું અનંતીવાર.
સંવત ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ દેરીનો જીર્ણોદ્ધાર થયો હતો. બાવીસમી દેરી પરથી નિર્વાણ પામેલ શ્રી વારિષેણસ્વામી અને સિદ્ધ ભગવંતોનાં ચરણમાં વંદન.. (શિખરજીના શૈલ ઉપર નિસર્ગના સંગીતમાં શોભાના સૂર પૂરતી, કલાસમૃદ્ધ-શિલ્પસૌદર્ય ધરાવતી શાશ્વતાજિનની બંને દેરીની બહારની દીવાલે સુંદર પટ કોતરેલા છે.)
४४
Fિ
Page #454
--------------------------------------------------------------------------
________________
|૪૫૦
(3) ત્રેવીસમી શ્રી વર્ધમાન જિતની દેરી 00 ૐ હ્રીં શ્રી વર્ધમાન સ્વામીને નમક 00
calien International
SSP
Page #455
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ શાશ્વતજિનને કરું પ્રણામ, જિમ સીઝે મનવાંછિત કામ, લહીયે શિવપદ ઠામ. ઋષભાનન ચંદ્રાનન ભાણ, વારિપેણ વર્ધમાન જિન જાણ, સાસયજિનનાં એ હાણ.
'શાશ્વત જિન શ્રી વર્ધમાનજી અને સિદ્ધ ભગવંતોને કોટિ કોટિ વંદના.
સંવત ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ દેરીનો જીર્ણોદ્ધાર થયો હતો. | શિખરજી પર આવેલી ચારેય શાશ્વતા જિનની આ ચારે દેરીના વિ.સં. ૧૯૨૫થી ૧૯૭૩ સુધીમાં
જૈન સંઘે નિર્માણ કરાવી છે : સર્વત્ર તમો જિણાણું.
૪૫૧]
ucatid
Page #456
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીરસ્વામીની દેરી
શ્રીશતિતાથજીતીક
શ્રીસુમતિનાથજીતીક
૪૫૨
Page #457
--------------------------------------------------------------------------
________________
પૂર્વ અને પશ્ચિમ દિશામાં સ્થિત નિર્વાણભૂમિઓ
શ્રી વર્ધમાતાજિતની દિકરી
(૪૫૩૬
Jain, Education International
For Privafe & Personal use only
Page #458
--------------------------------------------------------------------------
________________
(२४) पांयमा श्री समतिनाथ भगवान e નિર્વાણભૂમિ શ્રી અચલગિરિ ટ્રક
स्तुति : धुसत्किरीट-शाणा-ग्रो, त्तेजितांघ्रि-नखावलिः ।
भगवान् सुमतिस्वामी, तनोत्व-भिमतानि वः ॥
श्रीसमतिनाथ प्रभाकी टोंक
संवा समाधविगविगतीमानीयमा चरणमातीय पारुकाकाराषिता शनवा
तथागत
૪૫૪
Page #459
--------------------------------------------------------------------------
________________
| ૐ હ્રીં શ્રી ધર્મનાથ પારંગતાય નમઃ |
સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ) આ સંસારે ભ્રમણ કરતાં શાન્તિ માટે જિનેન્દ્ર, દેવો સેવ્યાં કુમતિ વશથી મેં બહુયે મુનીન્દ્ર; તો એ નાવ્યો ભવભ્રમણથી છુટકારો લગારે, શાન્તિદાતા સુમતિજિનજી દેવ છે તું જ મારે.
.(ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
થોય (રાગ : આંખ મારી ઊઘડે). સુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઈ, મેરુને વલી રાઈ, ઓર એહને તુલાઈ;
ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ, નહિ ઉણિમ કાંઈ, સેવિયે તે સદાઈ. શ્રી સુમતિનાથ પ્રભુ ચૈત્ર સુદ નોમ, ૧OOO મુનિવરો સહિત, માસક્ષમણે, કાઉસગ્નમાં, દિવસના પૂર્વભાગમાં મોક્ષે ગયા હતા. અહીંથી કુલ ૧ ક્રોડાકોડ, ૮૪ ક્રોડ, ૭૨ લાખ, ૮૧ હજાર, ૭00 મુનિવરો મોક્ષે ગયા છે. આ યાત્રાનું ફળ ૧ ક્રોડ પૌષધોપવાસ ફળ મળે છે. પદ્મનગરના રાજા. આનંદસેને આ ગિરિવરની ઉલ્લાસથી યાત્રા કરેલી અને આ ટ્રકનો ચોથો જીર્ણોદ્ધાર કરી ચૌમુખ જિનાલય બંધાવી જીવનની સફળતા વરેલી. બોલો શ્રી સુમતિનાથ પ્રભુની જય.
જય બોલો જય બોલો જય સુમતિનાથ, અયોધ્યાજીમાં કલ્યાણ, ચાર, સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો જય સુમતિનાથ.
II
૪૫૫
Page #460
--------------------------------------------------------------------------
________________
(૨૫) સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ પ્રભુની
નિર્વાણભૂમિ શ્રી પ્રભાસગિરિ ટ્રક
॥सवान् ५६२५वर्षमाया दिवस, विवान गोज टामा
स्तुति सुधा-सोदर-वाग्-ज्योत्सना, निर्मली-कृत-दिमुखः। मृग-लक्ष्मा-तमः शान्त्यै, शान्तिनाथः जिनोऽस्तु वः ॥
हतुसालवदेवत्रीशतिनाथवाडका काराणि माघतिष्टितेचसमिनि : शमणागो।।
૪પ૬| Jan Education International
Page #461
--------------------------------------------------------------------------
________________
॥ ૐ હ્રીં શ્રી શાતિતાથ પારંગતાય તમઃ ॥
થોય
શાન્તિ સુહકર સાહિબો, સંયમ અવધારે, સુમિત્રતે ઘેર પારણું, ભવ પાર ઉતારે; વિચરતા અવતી તલે, તપ ઉગ્ર વહારે, જ્ઞાત ધ્યાન એકતાનથી, તિર્યંચને તારે.
સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ) જાણ્યા જાયે શિશુ સકળતા, લક્ષણો પારણાથી, શાન્તિ કીધી પણ પ્રભુ તમે, માતતા ગર્ભમાંથી; ખંડોને નવ નિધિ તથા, ચૌદ રત્નો તજીને, પામ્યા છો જે પરમપદને, આપજો તે અમોતે. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
શ્રી શાંતિનાથ પ્રભુ વૈશાખ વદ તેરસે પૂર્વ રાત્રિએ ૯૦૦ મુનિવરો સહિત, માસક્ષમણે, પદ્માસને, કાઉસગ્ગમાં મોક્ષે સિધાવ્યા. અહીંથી પૂર્વે ૯ ક્રોડાક્રોડ, ૯ લાખ, ૯ હજાર, ૯૯૯ મુનિવરો સિદ્ધગતિને વર્યા છે. આણૂકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનું ફળ પ્રાપ્ત થાય છે.
આ જ ભરતક્ષેત્રના વિરંચ નામના દેશના મિત્રપુર નગરના સુદર્શન રાજા પર્વતિથિએ ભાવપૂજા સ્વરૂપ પૌષધ કરતા અને પ્રતિદિન દ્રવ્યપૂજા સ્વરૂપ પોતાના જ પિતાએ ઉપવનમાં બનાવેલા બાવન જિનાલયવાળા શ્રી સુમતિનાથ પ્રભુના દેરાસરે પૂજા કરતા. એક વખત ત્યાં એક પૂજ્ય મુનિવર પધાર્યા. તે ગણધર શ્રી ચક્રાયુધ તરીકે પ્રખ્યાત હતા ! શ્રી ગણધર ભગવંતની દેશના સાંભળવા રાજા પધાર્યા. પૂજ્યશ્રીએ દેશનામાં શ્રી સમેતશિખરજી મહાતીર્થ પ્રતિ અપૂર્વ ભાવ પ્રગટ કર્યા. આવા તીર્થની યાત્રા તો વહેલામાં વહેલી કરવી જ રહી; પણ એ એકલા નહિ, ચતુર્વિધ સંઘ સાથે. એમાં વિશેષ લાભ મળે એટલે રાજા સંઘ લઈને સમેતશિખરજી પહોંચ્યા.... દરેક ટૂકે ભાવથી યાત્રા કરી. શિખરજીના દરેક જિનાલયોનો ચૌદમો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો અને પ્રભાસગિરિ ટૂક પરથી બૃહત્ શાંતિનાથ ભગવાનનું ચૌમુખી દેરાસર કરાવ્યું. બોલો શ્રી શાંતિનાથ પ્રભુનીજય.
જય બોલો જય બોલો જય શાંતિનાથ, હસ્તિનાપુરજીમાં કલ્યાણક ચાર; સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો જય શાંતિનાથ.
For Private & Ranmal Used
AAAAA
૪૫૭
www.jalnelibrary.org
Page #462
--------------------------------------------------------------------------
________________
(૪૫૮
કીજઈ પૂજા - દીજઈ દાત, સમેતશિખરતું કીજઈ ધ્યાન લઈએ કેવલજ્ઞાત.....
Page #463
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીરસ્વામી પ્રભુની દેરી પરથી દેખાતું સુંદર દશ્ય
૪૫૯ , • www.jainelibrarysig
Page #464
--------------------------------------------------------------------------
________________
(૨૬) ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીની દેરી
स्तुति : श्रीमते वीर - नाथाय, सना-थायाद्-भुत-श्रिया । महानन्द- सरोराज, मरा-लायार्हते नमः ॥
४६०
श्री महाबीर क
AR
For Private & Personal use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ (રાગ : અહતો) શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના કુલ નભે, ભાનુ સમા છો વિભુ,
મારા ચિત્ત ચકોરને જિન તમે, છો પૂર્ણ ચંદ્ર પ્રભુ; પામ્યો છું પશુતા તેજી સુરપણું, હું આપના ધર્મથી,
રક્ષો શ્રી મહાવીર દેવ મુજને, પાપી મહાકર્મથી. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
થોય (રાગ : આખ મારી ઊઘડે) મહાવીર જિર્ણોદા, રાય સિદ્ધાર્થ નંદા, લંછન મૃગ ઇદા જાસ પાયે સોલંદા;
સુર નર વર ઇંદા, નિત્ય સેવા કરંદા, ટાળે ભવ ફંદા, સુખ આપે અમંદા. આસો વદ અમાસની મધ્યરાત્રિએ શ્રી મહાવીરસ્વામી છઠ્ઠની તપસ્યા સાથે પર્યકાસને, એકલા પાવાપુરી તીર્થેથી મોક્ષે ગયા. મુનિપણામાં પ્રભુ પ્રાયઃ શિખરજી પધાર્યા હોય, કારણ નજીકમાં ઋજુવાલિકા નદીના કિનારે કેવળી થયા હતા. આ ટૂક સંવત ૧૯૪૫માં રાય ધનપતસિંહ બહાદુરે યાત્રિકોના દર્શનાર્થે બનાવી છે. બોલો શ્રી મહાવીર પ્રભુની જય.
જય બોલો જય બોલો જય મહાવીરનાથ, ક્ષત્રિયકુંડમાં કલ્યાણક ત્રણ, ઋજુવાલિકે કેવળજ્ઞાન કલ્યાણક, પાવાપુરીમાં મોક્ષ કલ્યાણકે.
(અહીંથી આગળ જતાં શ્રી સુપાર્શ્વનાથજી અને શ્રી વિમલનાથ પ્રભુની ટૂક એક જ સ્થળે ઉપરનીચે આવેલી છે. હવે થોડાં પગથિયાં ચઢીને શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની ટૂકે જવાનું છે.)
A
L)L
).
जैन नोनाकर सोसाईटी-माधवन-शिखरजी
૪૬૧
Page #466
--------------------------------------------------------------------------
________________
(૨૭) સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વતાથ પ્રભુતી તિર્વાણભૂમિ શ્રી પ્રભાસ ટૂંક
॥ ૐ હ્રીં શ્રી સુપાર્શ્વતાથ પારંગતાય નમઃ ।
નથા ૨૫ चंद्रेश्री
ટપુ (વિરાની ત્રીયમાનુંમાસ का राप्ति सर्वाजिम
અને તેવી
[૪૬]
સ્તુતિ ઃ શ્રી સુપાર્શ્વ-નિનેન્દ્રાય, મહેન્દ્ર મહિતાપ્રયે ! નમઋતુ-વળ-સંય, ાના-મો-માવતે
प्रभास कूट श्री गुफा साथ प्रभु को क
RECE
www.jalmelibrary.org
Page #467
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ) આખી પૃથ્વી સુખમય બની આપની જન્મકાળે, ભવ્યો પૂજે ભય રહિત થઈ આપને પૂર્ણ હાલે; પામે મુક્તિ ભવ ભય થકી જે સ્મરે નિત્યમેવ,
નિત્યે વંદુ તુમ ચરણમાં શ્રી સુપાર્શેષ્ટ દેવ. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) .
થોય (રાગ : આંખ મારી ઊઘડે) સપાસ જિવન વાણી, સાંભળે જેહ પ્રાણી, હાથે પહેંચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીસ ગણ ખાણી, સૂત્રમાં જે ગૂંથાણી, ષટુ દ્રવ્ય શું જાણી, કર્મ પીલે ક્યું પાણી.
શ્રી સુપાર્શ્વનાથજી મહા વદ સાતમે, મધ્યાહ્ન પહેલાં, ૫00 મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્ગ ધ્યાનમાં નિર્વાણ પામ્યા. પૂર્વે આ ટૂક પરથી ૪૯ ક્રોડાકોડ, ૮૪ ક્રોડ, ૭૨ લાખ, ૭000 મુનિવરો સિદ્ધગતિને
વર્યા છે. આ ટૂકનું યાત્રાફળ ૩૨ ક્રોડ પૌષધોપવાસ છે.
આ ટૂકના જીર્ણોદ્ધારની કથા આ મુજબ છે. ઉદ્યોતનગરના રાજાનું નામ ઉદ્યોતક હતું. બધું સુખ હોવા છતાં અશુભ કર્મોદયે, શરીરે કોઢ નીકળ્યો. ધર્મ પ્રત્યે શ્રદ્ધા હતી એટલે પ્રભુભક્તિથી મારો રોગ નાશ થશે જ એ શ્રદ્ધા સાથે પ્રભુભક્તિમાં વિશેષ ધ્યાન આપવા લાગ્યા. એક દિવસ ચારણમુનિ સ્વયં પધાર્યા. રાજાએ સબહુમાન વંદન કર્યું અને અવસર આવે કોઢના નિવારણાર્થ ઉપાય પૂછળ્યો. મુનિવરે કહ્યું,
એ માટે શિખરજીની યાત્રા કરો.' સમેતશિખરજી મહાતીર્થની આ ટૂકની વિશેષ યાત્રા કરી અને યાત્રાના પ્રભાવે કોઢ નાબૂદ થયો. પછી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિખરજીનાં સર્વે જિનાલયોનો છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યો અને આ ટૂકમાં ચૌમુખી મંદિર બંધાવ્યું.
બોલો, સુપાર્શ્વનાથ પ્રભુની જય.
હા 6 - જય બોલો જય બોલો સુપાર્શ્વનાથ, ભદૈનીજીમાં કલ્યાણક ચાર, જ સમેતશિખરજીમાં મોક્ષનિવાસ, જય બોલો જય બોલો સુપાર્શ્વનાથ.
૪૬૩
Jain Education Themelionai
Page #468
--------------------------------------------------------------------------
________________
888
Page #469
--------------------------------------------------------------------------
________________
પુન્યવંતા જગ તે તરા છે, જે કરે તીરથ બુદ્ધિ, - જિમ જિમ તીરથ સેવીએ જા, તિમ તિમ સમકિત શદ્ધિ.
સમેતશિખર તીર્થમાલા - સહજસાગરજી (સં. ૧૬૬૧)
૪૬૫
Page #470
--------------------------------------------------------------------------
________________
(૨૮) તેરમા તીર્થંકર શ્રી વિમલનાથપ્રભુની - નિર્વાણભૂમિ શ્રી નિર્મલગિરિ ટ્રક
| ૐ હ્રી શ્રી વિમલનાથ પારંગતાય નમઃ | સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ ) સ્તુતિ ઃ વિમન સ્વામિનો વાવ:, વહત વહ્ય ક્ષો તો : જેવી રીતે વિમલ જળથી વસ્ત્રનો મેલ જાય, જયન્તિ ત્રિની ચેતો, નનને મૈત્ય હેતd: / તેવી રીતે વિમલજિતનાં ધ્યાનથી નષ્ટ થાય; પાપો જૂનાં બહુ ભવતણાં, અજ્ઞતાથી કરેલાં, તે માટે હે જિત ! તુજ પદે પંડિતો છે તમેલા. (ત્રણ ખમાસમણ દઈ દૈત્યવંદન કરી થોય બોલીશું.)
2. સુવીર ફુદ
રિવર વ v * વી ટૌર
તિરોઉરdઈરી | ચિરવિરાની - સીટી ત્રીદ્વિતેમનેતોngs ४९६ निताश्रीनागाश्री
-
For Private & Personal use on
Page #471
--------------------------------------------------------------------------
________________
થોય
વિમલ જિત જાહારો, પાપ સંતાપ વારો, શ્યામળ મહારો, વિશ્વ કીતિ વિફારો,
યોજત વિસ્તારો, જાસ વાણી પ્રસારો, ગુણણણ આધારો, પુણ્યતા એ પ્રકારો. શ્રી વિમલનાથ પ્રભુ જેઠ વદ સાતમે, માસક્ષમણે, કાઉસગ્ગ ધ્યાનમાં ૬OOO મુનિવરો સાથે મધ્યરાત્રિ પહેલાં મોક્ષ પામ્યા. અહીંથી પૂર્વે ૧ ક્રોડ, ૭૬ લાખ, ૬ હજાર, ૭૪૨ મુનિવરો મોક્ષે પામ્યા છે. અહીંનું યાત્રાફળ ૧ ક્રોડપૌષધોવાસ છે.
શિખરજીનાં સર્વે જિનાલયોનો અગિયારમો ઉદ્ધાર અને આ ટૂકનો જીર્ણોદ્ધાર ભરતક્ષેત્રમાં કોઈ એક વ્યક્તિએ નહિ, પણ જંબુદ્વીપના મધ્ય ભાગે આવેલા મહાવિદેહક્ષેત્રના પૂર્વભાગમાં આવેલી કનકાવતી નગરી રાજા કનકરથે અહીં આવીને કરાવેલો છે ! સમેતશિખરજી સાથે આ રાજાને એટલો તો લગાવ થઈ ગયેલો કે સમેતશિખરજીની આ ટૂકમાં ચૌમુખી જિનાલય બંધાવ્યું અને પછી પાછા પોતાના મુકામે ગયા તો ત્યાં પણ એટલે કે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પણ વીસશિખરી દેરાસર બંધાવી વીસ જિનબિંબ સ્થાપી સમેતશિખરજી પ્રતિ કૃતકૃત્યતા અનુભવી હતી. બોલો, શ્રી વિમલનાથ પ્રભુની જય.
યોલોજયોલોજયવિમલનાથ, કેમ્પિલાજીમાં કલ્યાણક ચાર, શમતશિખરજીમાણીક્ષનિવાસ જયબોલીજયોલોજયવિમલનાથ
૪૬૭
Page #472
--------------------------------------------------------------------------
________________
(૨૯) બીજા તીર્થંકર પ્રભુ શ્રી અજિતનાથજીની | નિર્વાણભૂમિ શ્રી સિદ્ધવર ટ્રક
છે , વી.ૐ હ્રી શ્રી અજિતનાથ પારંગતાય નમઃ | -
23 सिद्धबदलूट
आउनजान नाथ पर
(૪૬૮
જ
ન HE
Gift
ore
Page #473
--------------------------------------------------------------------------
________________
स्तुति : अर्हन्त-मजितं विश्व, कमलाकर-भास्करम् ।
अम्लान-केवलादर्श, संक्रान्त-जगतं स्तुवे ॥ | સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ) થોય (રાગ : આંખ મારી ઊઘડે) દેખી મૂર્તિ અજિતજિતની નેત્ર મારાં ઠરે છે, વિજયા સુત વંદો, તેજથી ક્યું દિણદો, ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન તારું ધરે છે; શીતલતાએ ચંદો, ધીરતાએ ગિરીદો; આત્મા મારો પ્રભુ તુજ કને આવવા ઉલસે છે, મુખ જિમ અરવિંદો, જાસ સેવે સુરિંદો,
આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. લહો પરમાણંદો, સેવતાં સુખ કંદો. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
શ્રી અજિતનાથ પ્રભુ ચૈત્ર સુદ પાંચમે, ૧000 મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્નમાં, દિવસના પૂર્વ ભાગમાં નિર્વાણ પામ્યા. આ ટૂક પરથી કુલ ૧ અબજ, ૮૦કરોડ, ૮૪ લાખ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકની યાત્રા કરવાથી ૩૨ ક્રોડ પૌષધોપવાસનું યાત્રાફળ મળે છે.
કથા છે કે, ભગીરથ રાજા એક વાર સગરમુનિને વંદન કરવા ગયા ત્યારે મુનિએ દેશના ફરમાવી તેમાં સમેતશિખર મહાતીર્થના મહિમાને રોમાંચક શૈલીમાં વર્ણવ્યો, સાથોસાથ જીર્ણોદ્ધાર માટે પણ પ્રેરણા કરી. આ સાંભળી રાજાએ સમેતશિખરજીનો ભવ્ય છ'રીપાલક સંઘ કાઢ્યો. સગરમુનિ પણ સાથે જ પધાર્યા. સમેતશિખરજી પર આવી ઇન્દ્ર મહારાજે બનાવેલા રત્નસૂપને વંદન કર્યું. સત્તરભેદી પૂજા ભણાવી અને તે જ વખતે સગરમુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. રાજાએ કેવળજ્ઞાન મહોત્સવ કર્યો તથા તેની અનુમોદના નિમિત્તે આ ટૂક ઉપર મોટો જિનપ્રાસાદ તથા ૨૦ જિનાલયો બનાવી તેમાં શ્રી અજિતનાથ આદિવીસ પ્રભુની ચૌમુખી પ્રતિમાઓ ભરાવી. બોલો, શ્રી અજિતનાથ પ્રભુની જય.
જય બોલો જય બોલો અજિતનાથ, અયોધ્યાજીમાં કલ્યાણક ચાર, સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો અજિતનાથ.
४हल
Jain Education
e
Personal Use Only
www jainelibrary.org
Page #474
--------------------------------------------------------------------------
________________
(30) जावीसमा तीर्थर श्री नेमिनाथ प्रभुत हैरी
स्तुति: यदुवंश-समुन्द्रेन्दुः, कर्म-का-हुताशनः।
अरिष्ट नेमि-भगवान, भूयाद्वोऽरिष्ट नाशनः
श्री नामनाथ प्रमको टॉक
४७०
Education International
For Pwani & Personal use only
Page #475
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ (રાગ 8 શાર્દૂલવિક્રીડિત છંદ) થોય (રાગ ૪ આંખ મારી ઊઘડે) લોભાવે લલતા લણા લલિત શું, ત્રિલોકળી લીથો, રાજુલા વર લારી, રૂપથી રતિ હારી, કપાવે શિરિભેદી વાયુ લહરી, શું સ્વર્ગના શૈલી; લેહલી પરિહારી, બાલથી બ્રહ્મચારી; શ્રી સ્વાર્થી જિતા દેવ એ પશુતા, પોકાર તો સાંભળે, પશુઓ ઉગારી, હુઆ ચાસ્ત્રિધારી,
શ્રીમસૈમિતિન્દ્ર સેવતી થકી, શું શું જગે ની મળે. કેવલથી સારી પામી જાતિ વારી. (ત્રણ ખમાસમણ દઈ દૈત્યવંદન કરી થીય બોલીશું.)
બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન અષાઢ સુદ આઠમની પૂર્વ રાત્રિએ, પ૨૬ મુનિવરો સાથે, માસક્ષમણ, પર્યકાસને ગિરનારજી તીર્થેથી મોક્ષે ગયા હતા; તેથી તેની સ્મૃતિરૂપે આ ટૂકનું નિર્માણ થયું છે. રાય ધનપતસિંહ બહાદુરે સંવત ૧૯૩૪માં પ્રભુનાં દીક્ષા, કેવળ અને મોક્ષકલ્યાણક ગિરનારજી તીર્થેથી થયાં હોવાથી તેની યાદમાં અહી ત્રિ-પાદુકાની પ્રતિષ્ઠા કરાવી હતી. |
બોલો, નેમિનાથ પ્રભુની જય.
જય બોલો જય બોલો જય નેમિનાથ, સૌરીપુરમાં ચ્યવન, જન્મકલ્યાણકે, દીક્ષા- કેવળ - મોક્ષ ગિરનારજીમાં, જય બોલો જય બોલો જય નેમિનાથ.
૪૦૧
Jain Education international
Page #476
--------------------------------------------------------------------------
________________
(૩૧) શ્રી સમેતશિખર મહાતીર્થની અંતિમ ટૂકની યાત્રા એટલે ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની નિર્વાણભૂમિ શ્રી સુવર્ણભદ્ર ટૂક અથવા શ્રી મેઘાડંબર ટૂક અથવા શ્રી પારસનાથ ટૂક
स्तुति : कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति ।
प्रभुस्तुल्य-मनोवृत्तिः, पार्श्व-नाथः श्रियेस्तु वः ॥
૪િ૭૨
Page #477
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ (રાગ : અહતો) ધૂણીમાં બળતો દયાનિધિ તમે, જ્ઞાને કરી સર્પને, જાણી સર્વ જનો સમક્ષ ક્ષણમાં, આપી મહામંત્રને; | કીધો શ્રી ધરણંદ્રને ભવ થકી, તાર્યા ઘણા ભવ્યને, આપો પાર્શ્વ જિનેન્દ્ર નાથ રહિતા, સેવા તમારી મને.
(ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.)
થોય (રાગ : આંખ મારી ઊઘડે)
શ્રી પાસ જિગંદા, મુખ પૂનમ ચંદા, પદ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઇંદા, લંછન નાગિંદા, જાસ પાયે સોહંદા, સર્વ ગુણી વૃંદા, જહથી સુખ કંદા.
શ્રી પાર્શ્વનાથ પ્રભુજી શ્રાવણ સુદેડમેપૂર્વરાત્રિએ,૩૩મુનિવર સાથે, માસક્ષમણે,ખડુગાસન,મોર્ફોસિધાવ્યા.અહીંથી પૂર્વે જલાખમુનિવરો ! મોક્ષગયા છેટુકની જાત્રાનું ફળકીડપોષધોપવાસછે.
થી 2
યબીલીજયબીલીપાર્શ્વનાથ ભલુપુરજીમાં કલ્યાણક ભાર૩] સમેતશિખરજીમાંશીક્ષનિવાસ, જયબોલીયબોલોપાતાથ
કહી છેઠે ચારસોવર્ષ પૂર્વે આપહાડ પરદેવભિવાગતી હતી. આમોક્ષનાગરીએ. પહોંચવામાટેuપગથિયાં ચઢવા પડે છે.ઉપર છેતરદિ૨યીપાર્શ્વનાથ પ્રભુની લવ પગલાં છે અનીભોયરામીણર્શ્વનાથપ્રભુની પ્રાચીનાપગલી છે. અહીંથી દક્ષિણમાં દૂરદામોદરદી,ઉત્તરદજુવાલિકા, પૂર્વમૌસમજશીર્થપ્રભજીનીકહેણાય છે. આમંદિરનો જીર્ણોદ્ધાર કોલકાતાના પ્રસિદ્ધશ્રીમાલસીંઘડથીરીયરીયબદરીદાસ - મુકીમબહાદુરેવિડસી.૪૮મીશ્રીજિનેરનસૂરિજીની નિશ્રામા કરાવ્યો છે. આ
૪૦૩.
For Pavate & Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
લોયરામાવલી પાસ્થતાથી પ્રભતી
ચીલીજીલિરાજગરા થયેલી શિલાજાલૌથરણow તમો જિણmણ..
४७४
Jain Edu
on International
For Private & Personal use only
Page #479
--------------------------------------------------------------------------
________________
અખંડ દીવો
Ø ઇજ ૩ ઇ
નામંદિરમાં આવેલી દુરી અને ચરણ
અહીં નીચે આવેલા ભોંયરામાં સ્થિત આ પાવન શિલાને પ્રભુ પાર્શ્વનાથજીનો અંતિમ અંગસ્પર્શ થયો હતો. સમેતશિખરજીની યાત્રાની બાધા રાખનાર અત્રે શ્રીફળ ચઢાવે છે. માગશર વદ ૧૦ અને ફાગણ સુદ ૧૫ના રોજ મેળો ભરાય છે. વાદળથી વાતો કરતી અને દૂરથી યાત્રિકોને આમંત્રી રહી હોય એવી સમેતશિખરની સૌથી ઊંચામાં ઊંચી ટૂક હોવાથી તેનેમેઘાડંબર ટૂક કહે છે.
શ્રી પાર્શ્વપ્રભુનું નિર્વાણ પ્રાપ્ત થયું છે એવી આ સુવર્ણભદ્રટૂકના જીર્ણોદ્ધારની ઘટના આ રીતની છે કે આનંદદેશના ગંધપુરનગરના રાજાપ્રભાસેનપ્રકૃતિથી જખૂબ ધર્મિષ્ઠહતા. રાજ્યની ભારે જવાબદારી છતાં રાજાએ વીસસ્થાનક તપની આરાધના કરી. આરાધનાની પૂર્ણતા વેળાએ જ વનપાલકે વધામણી આપી કે ગામ બહાર મુનિવર પધાર્યાછે. રાજાના આનંદનોપારનરહ્યો.તત્કાળપહોંચીમુનિવરને વાંધા અને પછી પૂછ્યું, “મેં આ તપ કર્યું એનુંફળશુંહોઈશકે?”મુનિવરે કીધું, “અપરંપારફળછે, છતાંઆ વીસસ્થાનકની આરાધનાનિમિત્તે વીસટ્રૂકનેવંદો તોઓર વધુ તપનો લાભ ઉપલબ્ધબનેઅનેબીજાપણ અનેક લાભ થાય.” વાર શી ? ધર્મિષ્ઠ રાજાએ મુનિવરને પડિલાભી સંઘની તૈયારી કરી. સંઘ સાથે સમેતશિખરની યાત્રાર્થે રવાના થયા. ત્યાં પહોંચીને ઊછળતા ઉમંગ સાથે યાત્રા કરી અને આ ટૂકનો વીસમો જીર્ણોદ્ધાર કરાવ્યો. પરિણામે એવા ભાવ ઉત્પન્નથયા કે રાજાને સંસારમાં રહેવુંપણ આકરું થઈ પડ્યું. પાછા ઘરે જતાંજપુત્રને રાજ્યસોંપીદીધું. પોતેદીક્ષાસ્વીકારી લીધીઅનેવિહાર કરતાં કરતાં ફરી સમેતશિખરજી આવ્યા. આ જ સુવર્ણભદ્રગિરિ પર ધ્યાનના તાનમાં લાગી ગયા અને થોડા જ સમયમાં કર્મીનેખપાવીઆજગિરિરાજપર કેવળજ્ઞાનઅનેસમયાંતરે નિર્વાણપદનેપણપામ્યા. વાહ,કેવી પ્રબળધર્મભાવના...બોલો,શ્રીપાર્શ્વનાથપ્રભુનીજય
12
लिए रिया
पायि नामागति सिवासा इसामूह
નિર્વાણ
અધિષ્ઠાયક દેવ
यावणिचा एकं वाससा मी मणि ण्टममा स मीणारकोड किं
૪૭૫
Page #480
--------------------------------------------------------------------------
________________
હવે પારસનાથની ટૂકથી ડાક બંગલાના રસ્તે નીચે તળેટી તરફ જવાનું છે. નીચે ઊતરતાં ડાબી બાજુ જૂનાં પગથિયાંનો રસ્તો અને આગળ જતાં ડાક બંગલો આવે છે. ગિરિરાજ ઊતરતાં ઊતરતાં આજે કરેલી અદ્ભુત યાત્રાને વાગોળતાં જઈએ ત્યારે મનમાં થાય કે કેવો અવર્ણનીય આનંદ છવાયો છે !
૪૭૬
મેઘાડંબર ટૂકથી નીચે ઊતરતાં દૃશ્યમાત થઈ રહેલી ટ્રકો
Page #481
--------------------------------------------------------------------------
________________
| પ્રભુની નિર્વાણનગરીમાં સ્પર્શના કરતાં સંસારની વિટંબણાઓ વીસરી ગયા; થાક, ભૂખ, તરસ, તડકો, વાયરો.. સઘળુંય સહન કરવામાં અંતરનો આનંદ પ્રગટ્યો છે. તીર્થંકર પ્રભુની અંતિમ સ્પર્શભૂમિને જો આપણી આત્મસ્પર્શના થાય તો સમકિત નિર્મળ બને.
૪િ૭૭ www.jain library.org
Jain Education
Nate & Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંદ્રપ્રભજીતી ટૂંક
४७८
ડાક બંગલાથી નીચે ઊતરતાં
જંગલમાંથી પસાર થતો રસ્તો
Page #483
--------------------------------------------------------------------------
________________
ભાથઘર
નીચે ઊતરતા સાધુ ભગવંતો
યાત્રાનો રોમાંચ
४७८
Page #484
--------------------------------------------------------------------------
________________
ગિરિરાજ ઊતરતાં દશ્યમાન તળેટી
ચાલો, જાત્રા કર્યાના અવર્ણનીય આનંદ સાથે, ૧૨ નવકારનો કાઉસગ્ગ કરી, ગાંધર્વનાળા પાસે આવેલા ભાથાઘરમાં ભાથું વાપરી નીચે ઊતરીશું. નીચે ઊતરતાં તળેટીનાં સુંદર દશ્યો જોવા મળે છે. ક્ષેત્રપાલજીની દેરીએ વંદન કરીને તળેટીમાં શ્વેતાંબર કોઠીએ પાછા આવી, શ્રી ભોમિયાજીનાં દર્શન કરી. - પાર્શ્વનાથ પ્રભુની ધૂન સમરીએ. બોલો, શ્રી સમેતશિખરજી મહાતીર્થની જય....
| બોલો, શ્રી પાર્શ્વનાથ પ્રભુની જય... તીર્થકરોની નિર્વાણભૂમિનાં સચિત્ર દર્શન ભાવયાત્રાથી આજે આપણે સૌ અનંત અનંત ગણા પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી બન્યા છીએ અને જ્યાં સુધી પુણ્યમુક્તિ ન પામીએ ત્યાં સુધી આપણને આ જૈનશાસનની પ્રાપ્તિ કરાવે અને ઉત્તરોત્તર નિર્વાણપદ પ્રાપ્ત કરાવી દે તેવી શુભ ભાવના ભાવીએ.
| ૪િ૮
શ્રી ક્ષેત્રપાલજી
શ્રી ભોમિયાજી
Page #485
--------------------------------------------------------------------------
________________
સહુ કોઈ પ્રતિવર્ષ તો આ ભૂમિની સ્પર્શના કરી શકતાં નથી પણ ભાવપૂર્વક આ દર્શનયાત્રાના પઠનથી, મનથી તીર્થસ્પર્શના કરીશું તો જાત્રાનું શુભ ફળ મળશે જ. જેઓ પ્રતિકૂળ સંજોગોને કારણે પ્રત્યક્ષ જઈ શકતા નથી તેમના માટે આ દર્શન સચિત્ર ભાવયાત્રા યોગ્ય છે પરંતુ જેઓ યાત્રા કરી શકે તેમ છે તેમણે આ સંપૂર્ણ સચિત્ર ભાવયાત્રા કરીને સંતોષ માનવાનો નથી, પરંતુ તીર્થમાં રહેલી નાનામાં નાની વિગતોને ધ્યાનમાં રાખી પ્રત્યક્ષ જવાની અનુકૂળતા કરીને તે વિગતોને સાક્ષાત્ કરવાની છે.
ભાવભક્તિ અને ભાવયાત્રાથી, અપૂર્વ પુણ્ય બંધાશે, બૂરાં પાપ રૂંધાશે અને ભાવયાત્રા આત્મયાત્રા બનશે. જિનઆજ્ઞા વિરુદ્ધ મારાથી કાંઈ પણ આશાતના થઈ હોય તો ત્રિવિધ ક્ષમા યાચી મિચ્છામિ દુક્કડમ’ પાઠવું છું.
બોલો, શ્રી સમેતશિખર મહાતીર્થની જય.... બોલો, શ્રી પાર્શ્વનાથ પ્રભુની જય.....
મનમાં એવો ભાવ ભાવીએ કે આપણે શિખરજીની જાત્રા કરીને ઘરે આવી ગયા. કેટલાં બધાં તીર્થો ને કેટલા બધા પ્રભુજીનાં દર્શન થયાં! બસ; જ્યારે જ્યારે સમય મળે ત્યારે અથવા સામાયિકમાં ભાવથી આ ગ્રંથ લઈને શાંતચિત્તે ભાવયાત્રા કરવા બેસી જજો .
पारसनाथ
બસ, આનંદ .... આનંદ... આનંદ.
પારસનાથ સ્ટેશન ૪િ૮૧]
Jain Education
entre
Page #486
--------------------------------------------------------------------------
________________
૧. શ્રી ઋષભદેવ (શત્રુંજય)
OO
3. શ્રી સંભવતાથ (શ્રાવસ્તી)
0000
Foxxcccccc
T
૨. શ્રી અજિતનાથ (તારંગા)
૪. શ્રી અભિનંદન (શત્રુંજય)
Page #487
--------------------------------------------------------------------------
________________
૫.
શ્રી સુમતિનાથ (તળાજા)
૭. શ્રી સુપાર્શ્વતાથ (માંડવગઢ)
૬. શ્રી પદ્મપ્રભ (લક્ષ્મણી, મ.પ્ર.)
3
૮. શ્રી ચંદ્રપ્રભ (ચંદ્રપુરી)
www.airtelltrary.in
Page #488
--------------------------------------------------------------------------
________________
૯. શ્રી સવિધિનાથ (કાકદી)
૧૦. શ્રી શીતલનાથ (વચલી)
૧૧. શ્રી શ્રેયાંસનાથ (સિંહપૂરી)
| ૧૨. શ્રી વાસુપૂજ્ય (ચપાપુરી).
Page #489
--------------------------------------------------------------------------
________________
૧૩. શ્રી વિમલતાથ (બલસાણા)
CVANC
4t
૧૫. શ્રી ધર્મતાથ (અમદાવાદ)
૧૪. શ્રી અનંતતાથ (શત્રુંજય)
૧૬. શ્રી શાંતિતાથ (હસ્તિનાપુર)
Page #490
--------------------------------------------------------------------------
________________
| ૧૭. શ્રી કુંથુનાથ (જોધપુર)
|
૧૮. શ્રી અરનાથ (વિજાપુર).
૧૯. શ્રી મલ્લિનાથ (ભોયણી) |
| ૨૦. શ્રી મનિસુવ્રત (રાજગહી)
Jain Education international
Page #491
--------------------------------------------------------------------------
________________
૨૧. શ્રી નમિનાથ (દમગિરિ)
૨૨. શ્રી નેમિનાથ (ગરનાર).
T
| ૨૩. શ્રી પાર્શ્વનાથ (શંખેશ્વર)
૨૪. શ્રી મહાવીર (ક્ષત્રિયકુંડ)
For Private & Personal use only
Page #492
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૩
૧૦
૧૧
આ હુકા વસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં થયેલા ચોવીસ તીર્થંકર | તીર્થકર | પિતા | માતા
સમ્યકત્વ પામ્યા
પછીની ભવ સંખ્યા ૧ | શ્રી ઋષભદેવ (આદિનાથ)| નાભિરાજા | મરુદેવા
૧૩ (વજનાભ) શ્રી અજિતનાથ
જિતશત્ર વિજયારાણી
૩ (વિમળ વાહન) શ્રી સંભવનાથ જીતારિ સેનાદેવી
૩ (વિપુલ વાહન) શ્રી અભિનંદસ્વામી સંવર
સિદ્ધાર્થાદેવી ૩ (મહાબલ) શ્રી સુમતિનાથ
મેઘ
મંગલાદેવી ૩ (પુરુષસિંહ) | શ્રી પદ્મપ્રભુસ્વામી
શ્રીધર સુસીમાદેવી ૩ (અપરાજિત) . શ્રી સુપાર્શ્વનાથ પ્રતિષ્ઠ પૃથ્વીદેવી
૩ (નંદીષણ) | શ્રી ચંદ્રપ્રભ
મહાસન લક્ષ્મણાદેવી ૩ (પદ્મરાજા) ૯ | શ્રી સુવિધિનાથ (પુષ્પદંત) | સુગ્રીવ | રામાદેવી | ૩ (મહાપદ્મ) શ્રી શીતલનાથ
દેઢરથ નંદારાણી
૩ (પશ્નોત્તર) શ્રી શ્રેયાંસનાથ વિષ્ણુરાજ | વિષ્ણુદેવી
૩ (નલિનીગુલ્મ). - ૧૨ | શ્રી વાસુપૂજયસ્વામી | વસુપૂજય |જયાદેવી
૩ (પ્રશ્નોત્તર) | ૧૩ | શ્રી વિમલનાથ | કૃતવર્મા શ્યામાદેવી ૩ (પદ્માસન) ૧૪ | શ્રી અનંતનાથ
સિંહસેન સુયશારાણી | | ૩ (પદ્મરથ) | | ૧૫ | શ્રી ધર્મનાથ
ભાનું
સુવ્રતાવાણી | | ૩ (દઢરથ) | ૧૬ શ્રી શાંતિનાથ
અશ્વસેના અચિરારાણી ૧૨ (મેઘરથ) ૧૭ | શ્રી કુંથુનાથ | શૂર શ્રીરાણી
૩ (સિંહાવહ) | ૧૮ | શ્રી અરનાથ | સુદર્શન સદર્શન દિવીરાણી
૩ (ધનપતિ) ૧૯ . શ્રી મલ્લિનાથ
કુંભ
પ્રભાવતીરાણી ૩ (મહાબલ) ૨૦ | શ્રી મુનિસુવ્રતસ્વામી સુમિત્ર પદ્માવતી રાણી | ૩ (શૂરશ્રેષ્ઠ) ૨૧ | શ્રી નમિનાથ
વિજય વપ્રાદેવી
૩ (સિદ્ધાર્થ) | ૨૨ શ્રી નેમિનાથ
સમુદ્રવિજ્ય | શિવાદેવી | ૯ (શંખરાજા) ૨૩ | શ્રી પાર્શ્વનાથ
અશ્વસેન | વામાદેવી | ૧૦ (સબાહ) ૨૪ | શ્રી મહાવીરસ્વામી | સિદ્ધાર્થ ઋષભદત્ત| ત્રિશલાદેવી દેવાનંદા ૨૭ નંદન (મોટા) .
૧૭
ક
કકક કક
Page #493
--------------------------------------------------------------------------
________________
સુવર્ણ
શ્વેત
પરમાત્માનું નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવનું કિંચિત્ સ્વરૂપ (સ. ૨૫૦૯) ચ્યવનકલ્યાણ કે જન્મકલ્યાણક | જન્મનગરી/દીક્ષાનગરી/કેવળજ્ઞાનનગરી | વર્ણ ગુજરાતી તિથિ ગુજરાતી તિથિ જેઠ વદ ૪ ફાગણ વદ ૮ | અયોધ્યા અયોધ્યા અયોધ્યા
સુવર્ણ વૈશાખ સુદ ૧૩ મહા સુદ ૮ અયોધ્યા અયોધ્યા | અયોધ્યા ફાગણ સુદ ૮ માગશર સુદ ૧૪ | શ્રાવસ્તી | શ્રાવસ્તી | શ્રાવસ્તી
સુવર્ણ વૈશાખ સુદ ૪ મહા સુદ ૨ | અયોધ્યા અયોધ્યા, અયોધ્યા
સુવર્ણ શ્રાવણ સુદ ૨ વૈશાખ સુદ ૮ અયોધ્યા અયોધ્યા | અયોધ્યા
સુવર્ણ પોષ વદ ૬ આસો વદ ૧૨ કૌશામ્બી | કૌશામ્બી કૌશામ્બી | . લાલ શ્રાવણ વદ ૮ જેઠ સુદ ૧૨ | વારાણસી, વારાણસી વારાણસી | સુવર્ણ ફાગણ વદ ૫ માગશર વદ ૧૨ | ચંદ્રપુરી | ચંદ્રપુરી | ચંદ્રપુરી
શ્વેતા મહા વદ ૯
કારતક વદ ૫ કાકંદી, કાકંદી | કાકંદી ચૈત્ર વદ ૬ પોષ વદ ૧૨ | ભદિલપુર / ભક્િલપુર / ભદિલપુર સુવર્ણ વૈશાખ વદ ૬ મહા વદ ૧૨ સિંહપુરી | સિંહપુરી સિંહપુરી
સુવર્ણ જેઠ સુદ ૯ મહા વદ ૧૪ ચંપાપુરી ચંપાપુરી | ચંપાપુરી
લાલ વૈશાખ સુદ ૧૨ | મહા સુદ ૩ કાંડિત્યપુર | કાંડિત્યપુર | કાંડિત્યપુર અષાઢ વદ ૭ ચૈત્ર વદ ૧૩ | અયોધ્યા | અયોધ્યા | અયોધ્યા
સુવર્ણ વૈશાખ સુદ ૭ | મહા સુદ ૩ | રત્નપુર / રત્નપુર / રત્નપુર | સુવર્ણ શ્રાવણ વદ ૭ વૈશાખ વદ ૧૩ | હસ્તિનાપુર / હસ્તિનાપુર હસ્તિનાપુર | અષાઢ વદ ૯
દિ ૧૪ હસ્તિનાપુર / હસ્તિનાપુર હસ્તિનાપુર સુવર્ણ ફાગણ સુદ ૨ | માગશર સુદ ૧૦ | હસ્તિનાપુર | હસ્તિનાપુર હસ્તિનાપુર | કારતક સુદ ૪ | માગશર સુદ ૧૧ | મિથિલા / મિથિલા / મિથિલા
નીલ શ્રાવણ સુદ ૧૫ વૈશાખ વદ ૮ રાજગૃહી રાજગૃહી રાજગૃહી
શ્યામ આસો સુદ ૧૫ | અષાઢ વદ ૮ મિથિલા મિથિલા મિથિલા
સુવર્ણ આસો વદ ૧૨ | શ્રાવણ સુદ ૫ | સૂર્યપુર , દ્વારિકા, રૈવતગિરિ
શ્યામ ફાગણ વદ ૪ માગશર વદ ૧૦ | વારાણસી વારાણસી | વારાણસી નીલ અષાઢ સુદ ૬
ચૈત્ર સુદ ૧૩ | ક્ષત્રિયકુંડ / ક્ષત્રિયકુંડ | ઋજુવાલિકા | સુવર્ણ
સુવર્ણ
સુવર્ણ
થઇ
-
ક
સુવર્ણ
For Private & Personal use only
www.jamelibrary.org
Page #494
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧
૨
()
૪
૫
૬
6
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
વંશ / ગોત્ર | યોનિ
ઈશ્વાકુ / કાશ્યપ | નકુલ
ઈશ્વાકુ / કાશ્યપ | સર્પ
ઈશ્વાકુ / કાશ્યપ | સર્પ
ઈશ્વાકુ | કાશ્યપ | છાગ
ઈશ્વાકુ / કાશ્યપ | મૂષક
ઈક્ષ્વાકુ / કાશ્યપ | મહિષ
ઈશ્વાકુ | કાશ્યપ | મૃગ
ઈશ્વાકુ | કાશ્યપ | મૃગ
ઈશ્વાકુ / કાશ્યપ | વાનર
ઈશ્વાકુ / કાશ્યપ | નકુલ
ઈશ્વાકુ / કાશ્યપ | વાનર
ઈશ્વાકુ | કાશ્યપ | અશ્વ
ઈશ્વાકુ / કાશ્યપ | છાગ
ઈક્ષ્વાકુ / કાશ્યપ | હસ્તિ
ઈશ્વાકુ / કાશ્યપ | બિલ્લિ
ઈશ્વાકુ / કાશ્યપ / હસ્તિ
ઈશ્વાકુ | કાશ્યપ | બકરો
ઈશ્વાકુ / કાશ્યપ | હાથી
ઈશ્વાકુ / કાશ્યપ | અશ્વ
હરિવંશ / ગૌતમ / વાનર
ઈશ્વાકુ | કાશ્યપ | અશ્વ
હરિવંશ / ગૌતમ / વાનર
ઈશ્વાકુ | કાશ્યપ | મૃગ
ઈશ્વાકુ / કાશ્યપ | મહિષ
શરીરની
ઊંચાઈ
૫૦૦ ધનુષ્ય
૪૫૦ ધનુષ્ય
૪૦૦ ધનુષ્ય
૩૫૦ ધનુષ્ય
૩૦૦ ધનુષ્ય
૨૫૦ ધનુષ્ય
૨૦૦ ધનુષ્ય
૧૫૦ ધનુષ્ય
૧૦૦ ધનુષ્ય
૯૦ ધનુષ્ય
૮૦ ધનુષ્ય
૭૦ ધનુષ્ય
૬૦ ધનુષ્ય
૫૦ ધનુષ્ય
૪૫ ધનુષ્ય
૪૦ ધનુષ્ય
૩૫ ધનુષ્ય
૩૦ ધનુષ્ય
૨૫ ધનુષ્ય
૨૦ ધનુષ્ય
૧૫ ધનુષ્ય
૧૦ ધનુષ્ય
૯ હાથ
૭ હાથ
લાંછન
વૃષભ
હાથી
ઘોડો
કિપ
કૌચપક્ષી
કમળ
સાથિયો
ચંદ્ર
મગર
શ્રી વત્સ
ખગી=ગેંડો
મહિષ
સૂઅર=વરાહ
સિંચાણો
વજ
મૃગ
બોકડો
નંદાવર્ત
કુંભ
કાચબો
નીલકમળ
શંખ
સર્પ
સિંહ
દીક્ષાકલ્યાણક ગુજરાતી તિથિ
ફાગણ વદ ૮
મહા સુદ ૯
માગશર સુદ ૧૫
મહા સુદ ૧૨
વૈશાખ સુદ ૯
આસો વદ ૧૩
જેઠ સુદ ૧૩
માગશર વદ ૧૩
કારતક વદ ૬
પોષ વદ ૧૨
મહા વદ ૧૩
મહા વદ અમાસ
મહા સુદ ૧૪
ચૈત્ર વદ ૧૪
મહા સુદ ૧૩
વૈશાખ વદ ૧૪
ચૈત્ર વદ ૫
માગશર સુદ ૧૧
માગશર સુદ૧૧
ફાગણ સુદ ૧૨
જેઠ વદ ૯
શ્રાવણ સુદ ૬
માગશર વદ ૧૧
કારતક વદ ૧૦
Page #495
--------------------------------------------------------------------------
________________
દીક્ષા વખતની | સ દીક્ષાભૂમિ કેવળજ્ઞાનભૂમિ નિર્વાણભૂમિ પ્રથમ પારણાની નગરી / નામ | અન્ન શિબિકાનું નામ , સુદર્શના | બપોરે | સિદ્ધાર્થવન અયોધ્યા | અષ્ટાપદ ગજપુર | શ્રેયાંસકુમાર | ઇક્ષુરસ | સુપ્રભા બપોરે | સહસ્સામ્રવન અયોધ્યા સમેતશિખર | વિનીતા | બ્રહ્મદત્ત / પરમાન્સ(ક્ષીર) | સિદ્ધાર્થ બપોરે | સહસ્રમ્રવન અયોધ્યા સમેતશિખર | શ્રાવસ્તી | સુરેન્દ્રદત્ત / પરમાન્ત(ક્ષીર) | અર્થસિદ્ધાબપોરે | સહસ્રામ્રવન અયોધ્યા સમેતશિખર | અયોધ્યા, ઇન્દ્રદત્ત / પરમાન(ક્ષીર) અભયકરા સવારે | સહસ્સામ્રવન અયોધ્યા સમેતશિખર | વિજયપુર | પદ્મ પરમાન(ક્ષીર) નિરિકરા | બપોરે | સહસ્રામ્રવન અયોધ્યા સમેતશિખર બ્રહ્મસ્થળ / સોમદેવ પરમાન્સ(ક્ષીર) મનોહરા | બપોરે | સહસ્રામ્રવન અયોધ્યા | સમેતશિખર પાટલીખંડ / મહેન્દ્ર | પરમાન્સ (ક્ષીર) મનોરમા બપોરે સહસ્રામ્રવન અયોધ્યા સમેતશિખર પદ્મખંડપુર સોમદત્ત પરમાન્સ(ક્ષીર) સુરપ્રભા | બપોરે | સહસ્રામ્રવન અયોધ્યા | સમેતશિખર | શ્વેતપુર / પુષ્પ | પરમાન્ત(ક્ષીર) ચંદ્રપ્રભા બપોરે | સહસ્રામ્રવન | અયોધ્યા સમેતશિખર |રિષ્ટપુર પુનર્વસુ પરમાન્સ(ક્ષીર) વિમલપ્રભાતે સવારે સહસ્રામ્રવન | અયોધ્યા | સમેતશિખર | સિદ્ધાર્થપુર નંદ | પરમાન્સ(ક્ષીર). પૃથિવી બપોરે | વિહારગૃહવન | વિહારગૃહવન | ચંપાપુરી મહાપુર / સુનંદ | પરમાન્ત (ક્ષીર) દેવદત્તા બપોરે | સહસ્સામ્રવન / સહસ્રામ્રવન સમેતશિખર | ધાન્યકટપુર જયનૃપ | પરમાન(ક્ષીર) | સાગરદત્તા બપોરે સહસ્સામ્રવન / સહસ્રામ્રવન સમેતશિખર વર્ધમાનપુર | વિજયનુપ પરમાન(ક્ષીર) | નાગદત્તા | બપોરે | પ્રકાંચનન / સહસ્ત્રાપ્રવન સમેતશિખર સૌમનસપુર | ધર્મસિંહ પરમાન(ક્ષીર) સર્વાર્થી બપોરે | સહસ્રામ્રવનસહસ્રામ્રવન સમેતશિખર | મંદિરપુર ( સુમિત્ર પરમાન્સ(ક્ષીર) વિજયા બપોરે | સહસ્રામ્રવન | સહસ્રામ્રવન સમેતશિખર ચક્રપુર | વ્યાઘ્રસિંહ પરમાન્ત(ક્ષીર) વૈજયન્તી બપોરે | સહસ્રામ્રવન | સહસ્રામ્રવન સમેતશિખર | રાજગૃહી | અપરાજિત પરમાન્સ(ક્ષીર) જરતી સવારે | સહસ્સામ્રવન મિથિલા | સમેતશિખર |મિથિલા | વિશ્વસેન પરમાન(ક્ષીર) અપરાજિતા | બપોનીલગૃહોદ્યાન | રાજગૃહી | સમેતશિખર રાજગૃહી / બ્રહ્મદત્ત પરમાન્સ(ક્ષીર) દેવકર બપોરે | સહસ્સામ્રવન | મિથિલા સમેતશિખર |વીરપુર / દત્ત / પરમાન્ત(ક્ષીર) ઉત્તરકુરૂ / સવારે | સહસ્સામ્રવન | રૈવતગિરિ ગિરનાર પર્વત ગોષ્ઠ | વરદત્તદ્વિજ | પરમાન(ક્ષીર) | વિશાલા સવારે | આશ્રમપદવન વારાણસી/ સમેતશિખર કોપકટ ધન્યગૃહપતિ પરમાન્સ(ક્ષીર) ચંદ્રપ્રભા બપોરે | જ્ઞાતખંડવન | અયોધ્યા પાવાપુરી | કોલ્લાક બહુલદ્વિજ | પરમાન્ત (ક્ષીર)
For Private & Personal use only!
e BE
Page #496
--------------------------------------------------------------------------
________________
ક્રમ
છદ્મસ્થ કાળ
કેવળજ્ઞાનકલ્યાણક | ગુજરાતી તિથિ
૧
મહા વદ ૧૧
૧૦૦૦ વર્ષ ૧૨ વર્ષ ૧૪ વર્ષ
૧૮ વર્ષ | ૨૦ વર્ષ
કેવળજ્ઞાન વૃક્ષ |
દીક્ષા તપ દિવસ
જ્ઞાન તપ દિવસ
નિર્વાણ તપ દિવસ ન્યગ્રોધ ૨ ૩ | ૬ સપ્તચ્છદ | ૨ | ૨/ ૩૦ સાલતરૂ ૨ / ૨ ૩૦ રાજદની ૨ | ૨ | ૩૦
પોષ સુદ ૧૧ આસો વદ ૫ પોષ સુદ ૧૪ ચૈત્ર સુદ ૧૧ ચૈત્ર સુદ ૧૫
૫
પ્રિયંગુ
૧
૨
૩)
છ માસ
|
વટ શિરીષ
નવ મોસ.
મહા વદ ૬
ત્રણ માસ
મહા વદ ૭
પુનાગ
ચાર માસ
કારતક સુદ ૩
માલૂર
૧૦
ત્રણ માસ
પ્લેક્ષ
માગશર વદ ૧૪ પોષ વદ અમાસ
૧૧
બે માસ
અશોક
૧૨
એક માસ
મહા સુદ ૨
પાટેલ્સ
૧૩
બે માસ
જંબૂ
|
૧૪
અશોક
ત્રણ માસ બે વર્ષ
૧૫
દધિપર્ણ
૨ | ૨ | ૩૦ ૨ | ૨ | ૩૦ ૨ ૨ | ૩૦ ૨ ૦ ૩૦ ૨૦, ૩૦ ૨ ૨ ૩૦ ૧ / ૧ ૩૦ ૨ ૨ ૩૦ ૨ / ૨૩૦ ૨ ૨ ૩) ૨, ૨ ૩) ૨ / ૨ ૩૦ ૨ | ૦ ૩૦ ૩|૩| ૩૦ ૨ | ૦ ૩૦ ૨ / ૨ ૩) ૨|૩| ૩૦ ૩/૦, ૩૦ ૨ ૨ ૨
૧૬
પોષ સુદ ૬ ચૈત્ર વદ ૧૪ પોષ સુદ ૧૫ પોષ સુદ ૯ ચૈત્ર સુદ ૩ કારતક સુદ ૧૨ માગશર સુદ ૧૧
નંદી.
૧૭ -
એક વર્ષ સોળ વર્ષ ત્રણ વર્ષ એક અહોરાત્રિ
તિલક
૧૮
સહકાર
૧૯
|
અશોક
૨)
અગિયાર માસ.
મહા વદ ૧૨
ચંપક
૨૧
નવ માસ
બકુલ
માગશર સુદ ૧૧ ભાદરવા વદ અમાસ
૨ ૨.
|
વેસ
ચોપ્પન દિવસ ૨૩ ચોરાશી દિવસ ૨૪ | બાર વર્ષ ની માસ
ફાગણ વદ ૪
ધાતકી
વૈશાખ સુદ ૧૦
શાલ
Page #497
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દેશનાનો વિષય
ગણધર
પ્રથમ શિષ્ય | શિષ્યા
સંખ્યા
८४
ઋષભસેન બ્રાહ્મી
૯૫
સિંહસેન ફલ્યુ
યતિધર્મ અને શ્રાવક ધર્મ ધર્મધ્યાનના ચાર પાયા અનિત્ય ભાવના અશરણ ભાવના | એકત્વ ભાવના
૧૦૨
| ૧૦૨ | ૧૧૬ | ૧૦૦
ચારૂ, શ્યામા વજનાભ અજિતા
અમર કાશ્યપી
સંસાર ભાવના
૧૦૭
૯૩
9F
પ૭
પ0
અન્યત્વ ભાવના
| ૯૫ અશુચિ ભાવના આશ્રવ ભાવના
| ૮૮ સંવર ભાવના
| ૮૧ નિર્જરા ભાવના
| ૭૬ | ધર્મ ભાવના
| ૬૬ બોધિદુર્લભ ભાવના લોકભાવના-નવ તત્ત્વનું સ્વરૂપ મોક્ષનો ઉપાય કષાયનું સ્વરૂપ
| ૪૩ | ઈન્દ્રિયોનો જય કરવા વિશે મન : શુદ્ધિ
| ૩૫ | રાગ-દ્વેષ અને મોહ પર વિજય
૩૩ સામાયિક
| ૨૮ યતિધર્મ અને શ્રાવકધર્મને યોગ્ય જીવો શ્રાવક કરણી
| | ૧૭ | ચાર મહાવિગઈ, રાત્રિભોજન, અભક્ષ્યનોત્યાગ| ૧૧ | ૧૨ વ્રત, ૬૦ અતિચાર, ૧૫ કર્માદાનનું વર્ણન | ૧૦ || યતિધર્મ, ગૃહસ્થધર્મ અને ગણધરવાદ | | ૧૧ના ગણ-૯ |
સુવ્રત રતિ વિદર્ભ સોમા દિન્ન સુમના વરાહ | વારુણી આનંદ સુલતા ગૌસ્તુભધારિણી સુધર્મ ધરણી મંદર શિવા યથ | શુચિ અરિષ્ટ | અંજુકા ચક્રાધ ભાવિતા સ્વયંભૂ રક્ષિતા કુંભ રક્ષિકા ઈન્દ્ર | બંધુમતી કુંભ પુષ્પવતી શુભ , અમલા નરદત્ત યક્ષિણી દિન્ન | પુષ્પચૂલા ઈન્દ્રભૂતિ (ગૌતમ) | ચંદના
૩૬
૩૫
૧૮
|
Page #498
--------------------------------------------------------------------------
________________
સાધુની સંખ્યા || સાધ્વીની સંખ્યા
શ્રાવકની સંખ્યા | શ્રાવિકાની સંખ્યા
૩,૦૦,OOO ૩, ૩૦,OOO ૩, ૩૬,OOO ૬,૩૦,000 ૫,૩૦,૦૦૦ ૪, ૨૦,000 ૪,૩૦,૦૦૦ ૩, ૮૦,OOO ૧, ૨૦,૦૦૦ ૧,૦૬,000 ૧,૦૩,000 ૧,00,000 ૧,૦૮,000 ૬૨,000
| |
- |
૮૪,OOO ૧,00,000 ૨,00,000 ૩,00,000 ૩, ૨૦,OOO ૩,૩૦,OOO ૩,૦૦,૦૦૦ ૨,૫૦,OOO ૨,૦૦,૦૦૦ ૧,00,000 ૮૪,000 ૭૨,OOO ૬૮,૦૦૦ ૬૬,OOO ૬૪,૦OO. ૬૨,000 ૬૦,OOO ૫૦,OOO 80,000 ૩0,000 ૨૦,OOO ૧૮,OOO ૧૬,OOO ૧૪,OOO
૧ ૨
૩,૫૦,OOO | | ૫,૫૪,OOO ૨,૯૮,OOO | ૫,૪૫,OOO
૨,૯૩,000 ૫,૩૬ ,૦૦૦ | ૨,૮૮,000 | ૫, ૨૭,OOO
૨,૮૧,૦૦૦ ૫, ૧૬,000 | ૨,૭૬,000 | ૫,૦૫,OOO | ૨,૫૭,000 ૪,૯૩,OOO | ૨,૫૦,૦OO ૪,૯૧,OOO | ૨, ૨૯,000 ૪, ૭૨,OOO | ૨,૮૯,000 ૪, ૫૮,OOO | ૨,૭૯,OOO ૪,૪૮,૦OO | | ૨, ૧૫,OOO ૪,૩૬,OOO
૨,૦૮,OOO ૪,૩૪,000 ૨,૦૬,OOO ૪, ૧૪,000 ૨,૦૪,૦OO ૪, ૧૩,OOO ૧,૯૦,000 | ૩,૯૩,000 ૧,૮૦,૦00 | ૩,૮૧,000 ૧,૮૪,000 | | ૩,૭૨,૦૦૦ ૧,૮૩,OOO | ૩,૭૦,OOO ૧, ૭૨,000 | ૩,૫૦,૦૦૦ ૧,૭૦,OOO ૩, ૪૮,OOO ૧,૬૯,૦૦૦ ૩,૩૯,૦૦૦ ૧,૬૪,OOO ૩,૭૭,000 ૧,૫૯,000 | ૩,૧૮,000
૧૩
૧૪
૧૫
૬૪,૪૦૦
૧૬
૬૧,૬OO
૧૭ |
૧૮
૬૦,૬૦૦ ૬૦,૦OO પ૫,OOO
૧૯
|
૨
૨૧
પ0,000 ૪૧,OOO ૩૪,000 ૩૮,OOO
૨૨
|
૨૩
૨૪
૩૬,OOO
*
For private & Personal use only
Page #499
--------------------------------------------------------------------------
________________
નિર્વાણકલ્યાણક ગુજરાતી તિથિ
પોષ વદ ૧૩
ચૈત્ર સુદ ૫
ચૈત્ર સુદ પ
વૈશાખ સુદ ૮
ચૈત્ર સુદ ૯
કારતક વદ ૧૧
મહા વદ ૭
શ્રાવણ વદ ૭
ભાદરવા સુદ ૯
ચૈત્ર વદ ૨
અષાઢ વદ ૩
અષાઢ સુદ ૧૪
જેઠ વદ ૭
ચૈત્ર સુદ પ
જેઠ સુદ પ
વૈશાખ વદ ૧૩
ચૈત્ર વદ ૧
માગશર સુદ ૧૦
ફાગણ સુદ ૧૨
વૈશાખ વદ ૯
ચૈત્ર વદ ૧૦
અષાઢ સુદ ૮
શ્રાવણ સુદ ૮
આસો વદ અમાસ
Jain Education, International
આયુષ્ય
૮૪ લાખ પૂર્વ
૭૨ લાખ પૂર્વ
૬૦ લાખ પૂર્વ
૫૦ લાખ પૂર્વ
૪૦ લાખ પૂર્વ
૩૦ લાખ પૂર્વ
૨૦ લાખ પૂર્વ
૧૦ લાખ પૂર્વ
૨ લાખ પૂર્વ
૧ લાખ પૂર્વ
૮૪ લાખ વર્ષ
૭૨ લાખ વર્ષ
૬૦ લાખ વર્ષ
૩૦ લાખ વર્ષ
૧૦ લાખ વર્ષ
૧ લાખ વર્ષ
૯૫૦૦૦ વર્ષ
૮૪૦૦૦ વર્ષ
૫૫૦૦૦ વર્ષ
૩૦૦૦૦ વર્ષ
૧૦૦૦૦ વર્ષ
૧૦૦૦ વર્ષ
૧૦૦ વર્ષ
૭૨ વર્ષ
યક્ષ
ગોમુખ
મહાયક્ષ
ત્રિમુખ
શ્યાણ
તુંબરું
કુસુમ
માતંગ
વિજય
અજિત
બ્રહ્મ
ઈશ્વર
કુમાર
પર્મુખ
પાતાલ
કિન્નર
ગરુડ
ગન્ધર્વ
યક્ષેન્દ્ર
કુબેર
વરુણ
ભૃકુટિ
ગોમેધ
પાર્શ્વ
માતંગ
યક્ષિણી
અપ્રતિચક્રા
અજિતબાળા
દુરિતારી
કાલિકા
મહાકાલી
અચ્યુતા
શાંતાદેવી
ભ્રૂકુટિ
સુતારા
અશોકા
માનવી
ચન્દ્રા
વિદિતા
અંકુશા
કંદર્પ
નિર્વાણી
બલાદેવી
ધારિણી
વૈરોટ્યા
નરદત્તા
ગાન્ધારી
અંબિકા
પદ્માવતી
સિદ્ધાયિકા
Page #500
--------------------------------------------------------------------------
________________
જૈન તીર્થનો ઇતિહાસ
જૈન પરંપરાનો ઈતિહાસ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર
પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા.૧ પ્રભાવક ચરિત્ર
સમેતશિખર મંડન.... જિનપૂજા
સમેતશિખર તીર્થ ચિત્રાવલી
સમેતશિખર મહાતીર્થ યાત્રા સંઘ
સમેતશિખરની સંવેદના
સમેતશિખર મહાતીર્થ
સમેતશિખરજી - ગાઇડ
જૈન તીર્થ સર્વસંગ્રહ સમેતશિખર તીર્થદર્શન
યાત્રા સંઘ સ્તવનાવલી
જૈન તીર્થોનો ઈતિહાસ
તીર્થદર્શન ભાગ-૧-૨-૩
તીર્થંકર મહાવીર
સંદર્ભ પુસ્તક સૂચિ
સમેતશિખર વંદું જિન વીશ પ્રાચીન સ્તુતિસંગ્રહ
પ્રતિષ્ઠા મહોત્સવ સ્મારિકા
ચાલો ચૈત્યવંદન કરીએ
ચોવીસ તીર્થંકર
તીર્થરક્ષક ભોમિયાજી
રાજનગરથી સમેતશિખર
સમેતશિખરજી તીર્થરક્ષા
સમેતશિખર માહાત્મ્ય
તીર્થાધિરાજ સમેતશિખર મારી સમેતશિખરજીની યાત્રા
સમેતશિખર પાવાપુરી યાત્રા પ્રવાસ સમેતશિખર જૈન મહાતીર્થ
Jam
- લે. ચંદુલાલ જે. ખંભાતવાલા
- ભા. ૨-૩-૪
- જૈન ધર્મ પ્રસારણ સભા
- સંશોધક પૂ. આ. ધર્મસૂરિજી
- ભાવચંદ્રસૂરિ કૃત
- મુનિ હંસવિજયજી
- લે. નથમલ ચંડાલિયા
- સ્મૃતિગ્રંથ, સંપાદક : રાજેન્દ્ર દલાલ
- જ્યોતિષ અમૃતલાલ શાહ (સંકલનકર્તા ઃ પંડિત મ.સા.)
- સંકલન : મહેન્દ્રભાઈ ગોળવાળા
- લે. આર. પી. પંડિત
- આણંદજી કલ્યાણજી પેઢી
- લે. ધીરજલાલ ટોકરશી શાહ
- પૂ. આ. જગવલ્લભસૂરિજી
- મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
- શ્રી મહાવીર જૈન કલ્યાણ સંઘ, ચેન્નાઈ - ડૉ. કુમારપાળ દેસાઈ
- ડૉ. કવિન શાહ
- પૂ.મુનિશ્રી અમિતયશવિજયજી મ.સા.
- પાર્શ્વનાથ વિદ્યાપીઠ, વારાણસી
- શ્રી વર્ધમાન સંસ્કૃતિધામ, મુંબઈ
- કુમાર પ્રકાશન
- આચાર્ય શ્રી વિજય જિનોત્તમસૂરીશ્વરજી મ.સા.
- ભારતીય જૈન સેવાસદન
- ગીતાર્થ ગંગા
- બદરીપ્રસાદ જૈન
- માવજી દામજી શાહ
- મગનલાલ કસ્તૂરચંદ શાહ - ઓશવાલ જ્ઞાતિ સમાજ કાર્યાલય - રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય
Torivate & esortar ose Omy
morary.org
Page #501
--------------------------------------------------------------------------
________________
ernational
www.jainel
Page #502
--------------------------------------------------------------------------
________________
૩) હ" શ્રી શ્રી સામે શિખાર લઈરાક ભોનિયા
'
'
Page #503
--------------------------------------------------------------------------
________________
ISાદેવ ઉતિષ્ઠ ઉહિ રક્ષા કુરુ કુરુ વાણી II
'
'
Page #504
--------------------------------------------------------------------------
________________ अनंत नाणीण अनंत दंसीणो / अनंत सुक्खाण अनंत वीरीणो॥ वीसं जिणा जत्थ सिवं पवन्ना / सम्मेअ शैलं तमहं थुणामि // Serving Jin Shasan 138778 gyanmandirikobatirth.org Ahmedabad તે સદ્ભાવના કલા અકાદમી 401, डेभव डास, 52752 हेरासर साभ, अक्षत इचटनी मामा पादाडी, अमहावा8-380 007 : 079-26606414, 32906414 Jain Education Interatthal +91 98254 814070 Elite Sersodirusbefali_ska@yahoo.comainelibrary.org