SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરતા પ્રથમ શિષ્ય શ્રી ઇન્દ્રભૂતિ - શ્રી ગૌતમસ્વામી (સંક્ષિપ્ત જીવનપરિચય) જમ્બુદ્વીપ, ભરતક્ષેત્ર, મગધદેશના રાજા શ્રેણિકના રાજ્યમાં ગોબરગ્રામ (વર્તમાન કુંડલપુર)ની પુણ્ય ધરા પર ઈ.સ. પૂર્વે ૬૦૭માં વિદ્વાન વિપ્ર વસુભૂતિના ઘરઆંગણે પૃથ્વીદેવીની રત્નકુક્ષિમાંથી બ્રાહ્મણ કુળમાં રૂપલાવણ્યયુક્ત અદ્વિતીય બાળક ઇન્દ્રભૂતિનો જન્મ થયો. પ્રખર બૌદ્ધિક ક્ષમતાથી બાળક ઇન્દ્રભૂતિએ અલ્પ સમયમાં જ વેદ-વેદાંત-પુરાણ-ઉપનિષદ આદિ ૧૪ મહાવિદ્યાઓનું જ્ઞાન મેળવ્યું. એક વાર સોમિલ બ્રાહ્મણે યજ્ઞ હેતુથી પ00 પંડિતોને અગ્રગણ્ય ઇન્દ્રભૂતિ સહિત અગિયાર શ્રેષ્ઠ વિદ્વાનોને આમંત્રિત કર્યા. તે સમયે દેવાધિદેવ પ્રભુ મહાવીર ચતુર્વિધ સંઘ સ્થાપના હેતુ અપાપાપુરી (પાવાપુરી) પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. આકાશમાંથી દેવવિમાનોને યજ્ઞસ્થળ તરફ આવતાં જોઈ મનમાં ને મનમાં ઇન્દ્રભૂતિ આનંદિત થઈ ગયા, પરંતુ દેવવિમાનોને યજ્ઞસ્થળ છોડીને આગળ જતાં જોઈ તેમનો અહંકાર આશ્ચર્યમાં બદલાઈ ગયો. આ માયાવી ઇન્દ્રજાળિયો કોણ છે? શું કોઈ બીજો સર્વજ્ઞ આવ્યો છે ?! તેઓ પાંચસો શિષ્યોને લઈ સમવસરણની નજીક પહોંચ્યા. સમવસરણની દિવ્ય ઘટા, અપાર વૈભવ, રિદ્ધિ-સિદ્ધિ, અસંખ્ય દેવતાઓની પરમભક્તિ અને સ્વર્ણસિંહાસન પર બિરાજમાન પરમાત્માની શાંત-પ્રશાંત મુખમુદ્રાને જોઈને ઇન્દ્રભૂતિ રોમાંચિત થઈ ગયા. અહો ! કોણ દેવ, દાનવ, મહામાનવ... આખરે કોણ છે આ? પરમાત્માએ દિવ્ય દૃષ્ટિથી ઇન્દ્રભૂતિના નવા જ્યોતિર્મય જીવનને જોઈને કહ્યું, “આવો, દેવાનુપ્રિય ઇન્દ્રભૂતિ.” અરે! આ તો મારું નામ પણ જાણે છે ! હા, મને કોણ ન જાણે! તે જ ક્ષણે સર્વજ્ઞમુનિએ ઇન્દ્રભૂતિના માનસમાં ચાલી રહેલા આત્મતત્ત્વના અસ્તિત્વના સંશયોને વેદવાક્યોથી સિદ્ધ કર્યા. સંશય-સમાધાન થતાં જ ઇન્દ્રભૂતિનો અહંકાર સમર્પણમાં રૂપાંતર થયો. ૫૦૦ શિષ્યો સાથે પરમાત્માનું શિષ્યત્વ સ્વીકાર્યું અને પ્રથમ શિષ્ય બન્યા. અનુક્રમે બધા પંડિતોની શંકાનું સમાધાન થતાં, તેઓ ૪૪૦૦ શિષ્ય સંપદા સહિત પ્રભુનાં ચરણોમાં સમર્પિત થયા. આમ, ૧૧ ગણધર સહિત ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. તેમની જ્ઞાનવૃદ્ધિની જિજ્ઞાસાથી પ્રભુવીરને પુછાયેલા ૩૬,OOO પ્રશ્નો ‘ભગવતી સૂત્ર'માં સંગ્રહિત છે. ભગવાન મહાવીરનો | એક મહત્ત્વનો ઉપદેશ ગૌતમસ્વામીએ જીવનમાં ઉતાર્યો હતો. 'समयंगोयम मा पमायए અર્થાત, હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. (YYYYYYY) એક પત્રિકામાંથી પ્રાપ્ત શિલ્પતું ચિત્ર [૧૮૪] FOT PIVEEG Personal use only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy